સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-7*

*આર્યો*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●આર્યોની સભ્યતા વિશે આપણને વેદો તથા ઈરાનના પ્રાચીન ધર્મગ્રંથ ......... માંથી જાણવા મળે છે
*અવેસ્તા*

●આર્ય ગ્રંથોમાં કયા પાકનો ઉલ્લેખ જોવા મળે છે
*ઘઉં અને જવ*

●આર્યોના આગમન અને નિવાસસ્થાન અંગેની આર્કટિક પ્રદેશની થિયરીના પુરસ્કર્તા કોણ હતા
*લોકમાન્ય તિલક*

●લોકમાન્ય તિલકના મત મુજબ આર્યોનો આદિ દેશ કયો હતો
*ઉત્તર ધ્રુવ*

●અવેસ્તામાં લખ્યું છે કે તેમના દેવતા અહુરમજ્દ જે દેશનું નિર્માણ કર્યું હતું તેમાં કેટલા મહિના ઠંડી અને કેટલા મહિના ગરમી પડતી
*10 મહિના ઠંડી અને 2 મહિના ગરમી*

https://t.me/jnrlgk

●કોના મત મુજબ સપ્ત સિંધુ આર્યોનો મૂળ પ્રદેશ હતો
*અવિનાશ ચંદ્ર વ્યાસ*

●આર્યોનો મુખ્ય ખોરાક કયો હતો
*ઘઉં અને જવ*

●ઇરાકમાં ઇ.સ.પૂર્વે 1600માં લખાયેલા કયા શિલાલેખમાં આર્યો નામનો ઉલ્લેખ મળે છે
*કસ્સી*

●ઇરાકમાં ઇ.પૂ.1400ના કયા શિલાલેખોમાં આર્ય નામનો ઉલ્લેખ મળે છે
*મિતન્ની*

●ઋગ્વેદમાં અફઘાનિસ્તાનની કઈ નદીનો ઉલ્લેખ જોવા મળે છે
*કુભા*

●અવેસ્તાના પ્રધાન દેવતા
*અહરમજ્દ*

●વિદ્વાનોના મત મુજબ અસુર શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો
*અહુર*

●ભારતીય આર્યગ્રંથોમાં દેવાસુર સંગ્રામનો ઉલ્લેખ જોવા મળે છે, તે સંભવતઃ કયા દેશના આર્યો વચ્ચેનો સંગ્રામ હતો
*ભારતીય અને ઈરાની*
*આ રીતે ભારતીય આર્યો દેવ અને ઈરાની આર્યો અસુર કહેવાયા*

●ઋગ્વેદમાં ઇન્દ્રને શું કહેવામાં આવ્યા છે
*પુરંદર*
*પુરંદર એટલે અનેક દુર્ગ તોડનારો*

●સૌથી પહેલા કઈ સભ્યતાના લોકો લિંગપૂજા કરતું હતું
*હડપ્પીય*

●આર્યો વિદેશથી આવીને પહેલા સપ્તસિંધુમાં વસેલા.સપ્તસિંધુ એટલે આજનું.......
*પંજાબ*

https://t.me/jnrlgk

●પંજાબ શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે
*પંચામ્બુ*
*એટલે પાંચ જળ અથવા પાંચ નદીઓનો દેશ*

●એ વખતે પંજાબમાં સાત નદીઓ વહેતી હતી. તે કઈ કઈ
*1.શતુદ્રી (સતલજ), 2.વિપાસા (વ્યાસ), 3.પરુશ્ણી (રાવી), 4.અસીક્રી (ચિનાબ), 5.ઝેલમ (વિતસ્તા), 6.સરસ્વતી અને 7.દશદ્વતી.*
*છેલ્લી બે નદીઓ આજે લુપ્ત થઈ ગઈ છે*

●આર્યોએ બ્રહ્મવર્ત નામ આપ્યું હતું એ આજનું કયું રાજ્ય
*ઉત્તર પ્રદેશ*

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*

*🔥👇🏻Coming up next પ્રાચીન ભારત લેખાંક-8👇🏻*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-06/11/2019🗞👇🏻*

●હાલમાં રાષ્ટ્રપતિએ GUJCTOC (ગુજસીટોક) નામના કાયદાને મંજૂરી આપી. તેનું ફૂલ ફોર્મ શું છે
*ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઈમ એક્ટ*
*આ કાયદા પ્રમાણે હવે સરકાર શંકાસ્પદ લાગતી વ્યક્તિના કોલ કે સંદેશા આંતરીને રેકોર્ડ કરી શકે છે*
*2003માં તાત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બિલ તૈયાર કર્યું હતું*

●મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ગુજરાતની રિપ્રેઝન્ટર કોણ બનશે
*ભિલોડાના માંકરોડાની કેયા*

●ગુજરાતમાં GTU ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ કઈ કંપની શરૂ કરશે
*રફાલ ફાઇટર વિમાન બનાવનારી ફ્રાન્સની દસોલ્ટ કંપની*

●14મી એશિયન ચેમ્પિયનશિપ ક્યાં ચાલી રહી છે
*કતારમાં*

●કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા આર્મ્સ એક્ટ 1959માં સુધારો કરાશે. જેમાં ઉજવણીમાં ફાયરિંગ માટે કેવા દંડની જોગવાઈ કરવામાં આવશે
*2 વર્ષની સજા અને 1 લાખ દંડ*

●તાજેતરમાં ટોચના CEOની યાદી જાહેર થઈ.તેમાં કોનું નામ સૌથી ટોપ પર રહ્યું
*જેન્સેન હુઆંગ*

●કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે કોની સ્મૃતિમાં સિક્કો બહાર પાડ્યો
*પરમહંસ યોગાનંદ*

●બાંગ્લાદેશ ભારત મૈત્રી યાત્રાની 9મી આવૃત્તિનું આયોજન ક્યાં થયું હતું
*કૉક્સ*

●ICCએ હાલમાં કયા ક્રિકેટર પર 2 વર્ષનો પ્રતિબંધ જાહેર કર્યો
*બાંગ્લાદેશના ઓલ રાઉન્ડર શાકીબ અલ હસન*

●તાજેતરમાં કઈ સોશિયલ મીડિયાએ હેલ્થ પ્રિવેન્ટીવ ટુલ લોન્ચ કર્યું
*ફેસબુક*

●કોન્ટ્રાકટર ફાર્મિંગ પર કાયદો બનાવનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*તમિલનાડુ*

●હેમન બોર્ગોહિનને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.તેઓ કયા રાજ્યના દિગ્ગજ કવિ, વાર્તાકાર અને નવલકથાકાર છે
*આસામ*

●2024ના ઓલિમ્પિક્સ ખેલનો લોગો ક્યાં લોન્ચ કરવામાં આવ્યો
*પેરિસમાં*

●QS ઇન્ડિયા યુનિવર્સિટી રેન્કિંગમાં કઈ ઇન્સ્ટિટ્યૂટનો પ્રથમ નંબર આવ્યો
*IIT-બોમ્બે*

●CISM વિશ્વ સૈન્ય ખેલમાં કોણે 100 મીટર અને 400 મીટર દોડમાં બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યો
*આનંદન ગુણસેકરન*
*મધ્ય ચાઇનાના વુહાન શહેરમાં સ્પર્ધા યોજાઈ હતી*

●દેશનું પહેલું મહિલાઓ દ્વારા સંચાલિત ઑટોમોબાઈલ સર્વિસ સ્ટેશન ક્યાં ખુલ્યું
*જયપુરમાં*

●દિવાળીના અવસર પર ભારતની લક્ષ્મીની એમ્બેસેડર કોણે ઘોષિત કરવામાં આવ્યા
*બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુ અને અભિનેત્રી દીપિકા પદુકોણ*

●કયો દેશ ભારતીય ઉદ્યોગપતિઓને વિઝા વગર પ્રવેશ આપશે
*બ્રાઝીલ*

●બિહાર અને રાજસ્થાન પછી કયું રાજ્ય ગુટખા અને પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેનાર ત્રીજું રાજ્ય બન્યું
*પશ્ચિમ બંગાળ*

●કયા રાજ્યની સરકારે નાના ખેડૂતોને મદદ કરવા માટે વર્લ્ડ બેંક સાથે 165 મિલિયન ડોલરના લોનકરાર પર હસ્તાક્ષર કર્યા
*ઓડિશા*

●ઓડિશા સરકારે ABADHA યોજના પર 3208 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજનાનું ફૂલ ફોર્મ શું છે
*Augmentation of Basic Amenities and Development of Heritage and Architecture*

●કયા રાજ્યએ ધનતેરસ પ્રસંગે મુખ્યમંત્રી કન્યા સુમંગળા યોજના શરૂ કરી છે
*ઉત્તર પ્રદેશ*
*આ યોજના અંતર્ગત જન્મ સમયે દરેક પરિવારને ૱15,000 આપવામાં આવશે*

●યુરોપિયન યુનિયન સંસદ દ્વારા જેલમાં બંધ માનવ અધિકારવાદી જેમને માનવાધિકાર માટે સખારોવ પુરસ્કાર એનાયત કરાયો
*ઈલ્હમ તોહતી*

●ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક સ્ટડીઝ દ્વારા ઉદ્યોગ રત્ન એવોર્ડ 2019 થી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*ઠાકુર અનુપસિંઘને*
*વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલી કામગીરી બદલ*

●યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WEP) એ ભારતમાં ભૂખ અને કુપોષણ સામે જાગૃતિ લાવવા અને કાર્યવાહી કરવાના હેતુથી સિનેમા માટે કયું અભિયાન શરૂ કર્યું
*'ફીડ અવર ફ્યુચર'*
*ફેસબુકની ભાગીદારીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું*

●વર્લ્ડ બેંકે તાજેતરમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સંબંધિત અહેવાલ બહાર પાડ્યો. આ અહેવાલમાં ભારત કેટલામાં સ્થાને છે
*63*

●2019ના મેલબોર્ન મર્સર ગ્લોબલ પેન્શન ઇન્ડેક્સમાં 32 દેશોના સુચકાંકમાં ભારત કેટલામાં ક્રમે છે
*32મા*

●શાંઘાઈમાં યોજાયેલી 15મી વુશુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા
*પ્રવિણ કુમાર*
*48 કિગ્રા. કેટેગરીમાં*

●સ્ટાફ પસંદગી આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી
*બી.આર.શર્મા*

●ભારત ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ પદે સૌરવ ગાંગુલીએ કાર્યભાર સંભાળ્યો.ગાંગુલી BCCIના કેટલામાં અધ્યક્ષ બન્યા
*39મા*

●ફોર્બ્સે તાજેતરમાં ભારતના 100 ધનિક લોકોની સૂચિ બહાર પાડી છે.આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત કેટલા વર્ષથી પ્રથમ ક્રમે છે
*12 વર્ષથી*
*ગયા વર્ષની તુલનામાં અંબાણીની કુલ સંપત્તિમાં 4 મિલિયન ડોલરનો વધારો*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-07/11/2019🗞👇🏻*

●ગુજરાત સરકારે મુખ્યમંત્રી તથા અન્ય વીઆઈપી જેવા કે રાજ્યપાલ, નાયબ મુખ્યમંત્રી માટે 191 કરોડ રૂપિયાનું કયું વિમાન ખરીધ્યું
*બોમ્બાર્ડિયર ચેલેન્જર 650*
*બોમ્બાર્ડિયર એ કેનેડાના ક્યુબેક પ્રાંત સ્થિત એવિએશન કંપની છે*
*870 કિમી. પ્રતિ કલાક ઝડપ*
*7000 કિમી. પ્રવાસ કરી શકે*
*મહત્તમ 12 પેસેન્જર પ્રવાસ કરી શકે*
*હાલ મુખ્યમંત્રી માટે બીચક્રાફ્ટ સુપરકિંગ પ્લેનનો ઉપયોગ કરવામાં આવે છે*

●મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી બૃહદ મુંબઇ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)એ 37 જેટલી કઈ બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે
*તેજસ્વીની*

●સ્કૂલ અભ્યાસક્રમમાં ક્લાઈમેટ ચેન્જ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો
*ઈટાલી*

●તાનારીરી મહોત્સવમાં એક દિવસમાં કેટલા વર્લ્ડ રેકોર્ડ બન્યા
*ત્રણ*
*વડનગરમાં 150 તબલાંવાદકોએ 30 મિનિટમાં 28 રાગ રજૂ કર્યા*
*108 વાંસળી વાદકોએ વૈષ્ણવજન અને રાષ્ટ્રગીત 5 મિનિટમાં ખમાજ રાગમાં રજૂ કર્યું*
*1 મિનિટમાં ભરતનાટ્યમ શૈલીમાં 9 રસ રજૂ કર્યા*
*તાનારીરી મહોત્સવ 2003 થી શરૂ થયો*

●100 ટી-20 મેચ રમનાર પ્રથમ ભારતીય અને વિશ્વનો બીજો ખેલાડી કોણ બન્યો
*રોહિત શર્મા*
*પાકિસ્તાનનો શોએબ મલિક સૌથી વધુ ટી-20 (100 થી વધુ)મેચ રમનાર પ્રથમ ખેલાડી છે*

●ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)આંધ્ર પ્રદેશના વિશાખપટ્ટનમ કિનારે કઈ અંડર વોટર ન્યુક્લિયર મિસાઈલનું પરીક્ષણ કરશે
*કે-4 ન્યુક્લિયર મિસાઈલ*
*મારક ક્ષમતા 3500 કિમી.*

●ભાવનગરની દક્ષિણા મૂર્તિ બાલમંદિરને 100 પૂર્ણ થયા.1920માં આ બાલમંદિરનું ઉદ્દઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું
*કસ્તુરબા*
*નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદી સહિત કેળવણીકારોએ સાથે મળીને બાલમંદિર શરૂ કરી હતી*

●સૈયદ મુસ્તાક અલી ટી-20નો પ્રારંભ થઇ ચુક્યો છે.આ ટુર્નામેન્ટમાં કેટલી ટીમો ભાગ લેશે
*38*

●નેશનલ રેન્કિંગ (સેન્ટ્રલ ઝોન) ટેબલ ટેનિસ પ્રારંભ ક્યાં થયો
*ભાવનગર*
*દેશભરમાંથી 750 ખેલાડીઓ ભાગ લેશે*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-8*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●આર્યોએ પૂર્વ રાજસ્થાન તથા ગંગા-યમુનાના પ્રદેશ પર આધિપત્ય જમાવ્યું. આ પ્રદેશને શુ નામ આપ્યું
*બ્રહ્મર્ષિ દેશ*

●આર્યો હિમાલય અને વિંધ્ય પર્વત વચ્ચેની ભૂમિ હસ્તગત કરી તેને શું નામ આપ્યું
*મધ્ય પ્રદેશ*

●આર્યોએ જ્યારે સમગ્ર ઉત્તર ભારત કબજામાં કર્યું.તેને શું નામ આપવામાં આવ્યું
*આર્યવર્ત*

●આર્ય સંસ્કૃતિનો સંદેશ લઈ સૌપ્રથમ દક્ષિણ ભારત કોણ ગયા હતા
*અગસ્ત્ય ઋષિ*

●અગસ્ત્ય ઋષિએ દક્ષિણ ભારતને શું નામ આપ્યું
*દક્ષિણા પથ*

●ભરત અને તત્સુ કયા કુળના શાસક હતા
*આર્યકુળ*

●ભરત નામનો ઉલ્લેખ સૌપ્રથમ કયા વેદમાં વાંચવા મળે છે
*ઋગ્વેદમાં*

●વિશ્વામિત્ર કયા રાજાના પુરોહિત હતા
*સુદાસ*

●રાજા અને પુરોહિતો વચ્ચે અણબનાવ બનતા સદાસ રાજાએ વિશ્વામિત્રના સ્થાને કોણે પુરોહિત બનાવ્યા
*વસિષ્ઠ*

●ભરત અને અનાર્ય રાજાઓ વચ્ચે જે યુદ્ધ થયું તેને કયું યુદ્ધ કહે છે
*દશરાજ્ઞ*
*આ યુદ્ધ પરુશ્ણી એટલે કે રાવી નદીના તટ પર ખેલાયું હતું*
*આ યુદ્ધમાં ભરત કુળના રાજાનો વિજય થયો*

●ભરત રાજ્યના લોકો કયા નામે ઓળખાતા
*ભરતો*
*પૂરુ રાજ્યના લોકો પુરુઓ*

●ભરતો અને પુરુઓ એકબીજામાં ભળી જતા કયા નામનો નવો કબીલો અસ્તિત્વમાં આવ્યો
*કુરુ*

●આર્યોએ કયા સમય દરમિયાન વૈદિક ગ્રંથોની રચના કરી
*ઇ.પૂ.2500 થી ઇ.પૂ.600 દરમિયાન*

●ઋગ્વેદની રચના કયા સમય દરમિયાન થઈ હોવાનું મનાય છે
*ઇ.પૂ.2500 થી ઇ.પૂ.1000*

●વૈદિક ગ્રંથોને કેટલા ભાગમાં વિભાજીત કરવામાં આવે છે
*ત્રણ*
*1.સંહિતા અથવા વેદ, 2.બ્રાહ્મણ, 3.સૂત્ર*

●વેદ અને બ્રાહ્મણ ગ્રંથોને શું કહેવામાં આવે છે
*શ્રુતિ*
*શ્રુતિનો અર્થ છે સાંભળવામાં આવ્યું છે તે*

https://t.me/jnrlgk

●સૂત્રનો અર્થ શું
*સંક્ષેપમાં કહેવું*
*જે ગ્રંથોમાં મોટી મોટી વાત નાના નાના સુત્રોમાં કહેવામાં આવી છે તે સૂત્ર ગ્રંથ કહેવાયા*

●સંગ્રહિત પુસ્તક એટલે
*સંહિતા*

●વેદ શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે
*સંસ્કૃતની વિદ્ ધાતુ પરથી*
*વિદ્ નો અર્થ થાય છે જાણવું અથવા જ્ઞાન પ્રાપ્ત કરવું*

●સંસ્કૃત સાહિત્યની જનની કોણે માનવામાં આવે છે
*વેદને*

●ઋકનો અર્થ શું થાય છે
*સ્તુતિ-મંત્ર*

●ઋગ્વેદ કેટલા મંડળમાં વિભક્ત છે
*10*

●ઋગ્વેદના પ્રત્યેક મંડળમાં અનુવાક છે, અનુવાકનો અર્થ
*જે બાદમાં કહેવામાં આવેલું છે તે*

●ઋગ્વેદમાં કેટલા સૂક્ત છે
*1008*

●ઋગ્વેદમાં કુલ કેટલી ઋચા છે
*10,580*

●ઋગ્વેદની રચના કયા ક્ષેત્રમાં થઈ હતી
*સપ્તસિંધુ (આજનું પંજાબ)ની આસપાસ*

●"વિશ્વના ઈતિહાસમાં વેદ એ ખાલી જગ્યા પૂરે છે જે કોઈપણ ભાષાનો કોઈપણ સાહિત્યિક ગ્રંથ નથી પુરી શકતો"- આ વિધાન કોનું છે
*મેક્સમૂલર*

●યજુર્વેદ કેવો ગ્રંથ છે
*કર્મકાંડ પ્રધાન*
*તેમાં બલિની પ્રથા, તેની મહત્તા અને વિધિઓનો ઉલ્લેખ છે*

●યજુર્વેદમાં સૂકત ઉપરાંત .......... છે
*અનુષ્ઠાન*

https://t.me/jnrlgk

●યજુર્વેદ કેટલા ભાગમાં વિભાજીત છે? કયા કયા
*બે ભાગમાં*
*પહેલો ભાગ છે, શુક્લ યજુર્વેદ અને બીજો ભાગ છે, કૃષ્ણ યજુર્વેદ*

●યજુર્વેદની રચના ક્યાં થઈ હતી
*કુરુક્ષેત્રમાં*

●સામના કયા બે અર્થ થાય છે
*શાંતિ અને ગીત*
*સામવેદ એટલે ગાઈ શકાય તેવો વેદ*

●સામવેદમાં માત્ર કેટલા નવા મંત્રો છે
*66*
*શેષ મંત્રો ઋગ્વેદમાંથી લેવામાં આવ્યા છે*

●અથનો અર્થ શું થાય
*મંગલ અથવા કલ્યાણ*

●અથર્વનો અર્થ શું થાય
*અગ્નિ*

●અથર્વન્ નો અર્થ શું થાય
*પૂજારી*

●અથર્વવેદમાં કેવા મંત્રો છે
*ભૂત-પિશાચોને ભગાડી મનુષ્યોનું કલ્યાણ કરતા મંત્રો*

●બ્રાહ્મણ ગ્રંથોમાં કેવા મંત્રોની વ્યાખ્યા કરવામાં આવી છે
*વૈદિક મંત્રો*
*તેમાં યજ્ઞોના સ્વરૂપ અને તેની વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે*
*આ ગ્રંથોની રચના બ્રહ્મર્ષિ દેશમાં થઈ હતી*

https://t.me/jnrlgk

●કૌષીતકી, તૈતિરીય, શતપથ વગેરે કેવા ગ્રંથો છે
*બ્રાહ્મણ*

●બ્રાહ્મણ ગ્રંથો કયા સ્વરૂપે લખાયેલા છે
*ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે*

●આરણ્યક ગ્રંથોની સૌથી મોટી વિશેષતા શું છે
*આધ્યાત્મ ચિંતન*

●ઉપનિષદ કેટલા શબ્દોમાંથી બનેલો શબ્દ છે
*ત્રણ*
*ઉપ + નિ + ષદ*
*ઉપ એટલે સમીપ, નિ એટલે નીચે અને ષદ એટલે બેસવું*

●મહત્વના 12 ઉપનિષદો કયા કયા છે
*1.ઈશ, 2.કેન, 3.કઠ, 4.પ્રશ્ન, 5.મુન્ડક, 6.માન્ડુક્ય, 7.તૈતરીય, 8.ઐતરેય, 9.છાંદોગ્ય, 10.બૃહદારણ્ય, 11.કૌશિતકી, 12.શ્વેતાશ્વતર*

●મહર્ષિ પાણિનિએ સુત્રોની કેટલી વિશેષતા ગણાવી છે
*ત્રણ*
*1.તે ઓછા શબ્દોમાં લખવામાં આવે છે, 2.તે સ્પષ્ટ હોય છે અને 3.તે સાર ગર્ભિત હોય છે*

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*

*🔥👇🏻Next પ્રાચીન ભારત લેખાંક-9👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-08/11/2019🗞👇🏻*

●એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા થયેલા કસ્ટમર સેટીસ્ફેક્શન સર્વેમાં વેસ્ટર્ન રિજીયનના 19 એરપોર્ટમાં કયું એરપોર્ટ પ્રથમ નંબરે આવ્યું
*વડોદરા*
*દેશમાં 48 એરપોર્ટમાં બીજા નંબરે*

●હાલ બંગાળના અખાતમાં ઉઠેલું વાવાઝોડું
*બુલબુલ*

●ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ અનુસાર દેશમાં સૌથી શ્રેષ્ઠ કાયદો-વ્યવસ્થામાં કયું રાજ્ય સૌથી બહેતર છે
*મહારાષ્ટ્ર*
*ઉત્તર પ્રદેશ સૌથી ખરાબ*
*નાના રાજ્યોમાં ગોવા સૌથી બહેતર અને ત્રિપુરા સૌથી ખરાબ*

●કયા દેશમાં ભીષણ દુકાળથી સેંકડો હાથીઓના મોત થયા
*ઝિમ્બાબ્વે*
*માના પુલ્સ નેશનલ પાર્ક અને બીજા જંગલી વિસ્તારોમાં*

●વન-ડે મેચમાં સૌથી ઝડપી 2000 રન કરનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની
*સ્મૃતિ મંધાના*
*51 વન-ડે ઇનિંગ્સમાં*

●ટી-20 માં 2500+ રન કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો
*ભારતનો રોહિત શર્મા*

*🗞👆🏾Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*~📚પ્રાચીન ભારત (ઈતિહાસ)📚~*

*લેખાંક-9*

*ઋગ્વૈદિક કાળ*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●સાંખ્ય દર્શન લખનારકપિલ મુનિ

●યોગદર્શનમહર્ષિ પતંજલિ

●વૈશેષીક દર્શનકણ્વ

●ન્યાય દર્શનગૌતમ

● પૂર્વ મીમાંસાજૈમિની

●ઉત્તર મીમાંસાબદરાયણ

●કયો એકમાત્ર ધર્મ છે જેમાં નિરિશ્વરવાદને પણ સ્થાન આપવામાં આવ્યું છે
*હિંદુ*

●આધુનિક ભારતમાં સ્ત્રી વિરોધી અને જાતિવાદી વિચારોને લીધે કઈ સ્મૃતિની ભરપૂર ટીકા થઈ હતી
*મનુસ્મૃતિ*

●વૈદિક સાહિત્યમાં ભૌતિક જીવન કરતા કયા જીવનને વધારે મહત્વ આપવામાં આવ્યું છે
*આધ્યાત્મિક જીવનને*

●વૈદિક સાહિત્યની ભાષા કઈ હતી
*સંસ્કૃત*

●વૈદિક સાહિત્યનો રચના કાળ કયો ગણાય છે
*ઇ.પૂ.2500 થી ઇ.પૂ.1000*

●ઉત્તર વૈદિક કાળનો સમયગાળો
*ઇ.પૂ.1000 થી ઇ.પૂ.600*

●ઋગ્વૈદિક રાજયવ્યવસ્થા સમાજમાં કુંટુંબને અન્ય કયા નામે ઓળખવામાં આવતું
*કબીલો*

●ઋગ્વૈદિક કાળમાં અનેક કુંટુંબ ભેગા થાય ત્યારે એક ગ્રામ રચાતું.ગ્રામના વડાને શું કહેવામાં આવતું
*ગ્રામીણ*

●આ કાળમાં કેટલાય ગ્રામ ભેગા થાય ત્યારે શું બનતું
*વિસ*
*વિસનો વડો વિસપતિ કહેવાતો*

●અનેક વિસ મળીને ....... બનતું
*જન*
*જનનો વડો રાજન્ય કહેવાતો*

●ઋગ્વેદનું શાસન કેવું હતું
*રાજ તંત્રાત્મક*
*આ કાળમાં કેટલાક રાજ્યોમાં સમિતિ અને સભા દ્વારા રાજાને ચૂંટવામાં આવતો*

●રાજન્યનું મુખ્ય કામ શું હતું
*કબીલાવાસીઓની રક્ષા કરવાનું*

●રાજન્યના કેટલા પ્રધાન રહેતા અને કયા કયા
*ત્રણ*
*1.પુરોહિત, 2.સેનાની અને 3.પ્રામણી*

●પુરોહિતનું કામ શું હતું
*ધર્મગુરુ તરીકે કાર્ય કરતા અને રાજન્યનું માર્ગદર્શન કરતા*
*તેઓ મંત્રો તથા પ્રાર્થનાઓ દ્વારા રાજાને વિજય માટે સહાયક બનતા*

●સેનાનીનું કામ શું રહેતું
*સૈન્ય સંચાલન*
*ડિફેન્સ સેક્રેટરી કે ડિફેન્સ મિનિસ્ટર જેવું*

●પ્રામણીનું કામ શું હતું
*રાજ્ય વ્યવસ્થાપન*
*પ્રાઈમ મિનિસ્ટર અથવા પ્રિન્સિપાલ સેક્રેટરી જેવું*

●કુળના વડાને શુ કહેવામાં આવતું
*કુલપ*

●ગોચર ભૂમિના અધિકારીને શું કહેવામાં આવતા
*વ્રાજપતિ*

●ભારતમાં ઋગ્વૈદિક આર્યોની સફળતાનું મુખ્ય કારણ શું હતું
*ઘોડાથી ચાલતા રથ અને લોઢાના હથિયારો*

●ઋગ્વેદમાં કઈ કઈ સંસ્થાઓનો ઉલ્લેખ છે
*સભા,સમિતિ, ગણ અને વિદથ*

●ઋગ્વેદમાં જન શબ્દનો વિનિયોગ કેટલી વાર થયો છે
*275 વાર*
*પણ જનપદનો ઉલ્લેખ નથી*

●ઋગ્વેદમાં વિશ શબ્દનો ઉપયોગ કેટલી વખત થયો છે
*170*

●વૈશ્ય શબ્દ કયા શબ્દ પરથી આવ્યો
*વિશ્*

●બે ગ્રામ એકબીજા સાથે લડે તે ઘટના શુ કહેવાતી
*સંગ્રામ*

●પૂર્વ વૈદિક કાળમાં પરિવાર માટે કયા શબ્દનો ઉપયોગ થતો હોવાનું મનાય છે
*ગૃહ*

●ઋગ્વૈદિક કાળનું 13 ઓરડાવાળુ મકાન કયા સ્થળેથી મળી આવ્યું છે
*ઉત્તરાખંડના ભગવાનપુરમાં*

●વૈદિક યુગમાં કેટલી સ્ત્રીઓએ લખેલા સુક્ત મળી આવે છે
*20 સ્ત્રીઓએ*

●ઋગ્વૈદિક કાળમાં મનુષ્યો કેવા કપડાં પહેરતા
*સુતરાઉ*

●ઋગ્વૈદિક કાળમાં લોકો સોમ અને સુરા પીતાં. સોમ નશાકારક નહોતું.સુરા હતી. સુરા અનાજને સડાવીને બનાવાતી.

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*

*🔥Next પ્રાચીન ઈતિહાસ લેખાંક-10👇🏻*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-10*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●આર્ય સમાજમાં .............. ને અપરાધ માનવામાં આવતો હતો.
*સુરાપાન*
*સોમરસની ગણના સુટેવમાં થતી*

●ઋગ્વેદ કાળમાં ઔષધિ શાસ્ત્રના દેવતા કોણે માનવામાં આવતા
*અશ્વિન*
*અશ્વિની કુમાર એટલે દેવતાઓના ફિઝિશિયન*

●ઋગ્વેદ કાળમાં કઈ ત્રણ આશ્રમ વ્યવસ્થા હતી
*બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ*

●ઋગ્વૈદિક કાળમાં મૃતકોના અગ્નિસંસ્કાર થતા.માત્ર .........ને દફન કરવામાં આવતી
*વિધવાઓ*

●બ્રાહ્મણ આદિપુરુષના મુખમાંથી, ક્ષત્રિય તેમની ભુજાઓમાંથી, વૈશ્ય તેમની જંઘામાંથી અને શુદ્રો તેમના પગમાંથી ઉત્પન્ન થયા છે.- આ વિધાન (શ્લોક) ઋગ્વેદના કયા સૂકતમાં છે
*પુરુષ સૂકતમાં*

●ઋગ્વૈદિક કાળમાં પુરોહિતોને દક્ષિણા રૂપે શુ આપવામાં આવતું
*દાસ અને દાસી*

●હડપ્પીય સંસ્કૃતિના કયા સ્થળેથી ચાસવાળી જમીન મળી આવી હતી
*કાલીબંગા(રાજસ્થાન સ્થિત સાઈટ)*

●ઋગ્વેદ કાળમાં ગાયને શુ કહેવાતું
*અઘન્યા*
*અર્થાત હણી ન શકાય એવી*

●ઋગ્વેદ કાળમાં વાસણો કેવા રંગના બનાવતા
*ધૂળિયા રંગના અને ઉપર ભાત કરેલા*

●ઋગ્વેદ કાળમાં રાજસ્થાનની કઈ ખાણમાંથી તાંબું પ્રાપ્ત કરાતું
*ખેતડીની*

●વેદ ...........માં લખાયેલા છે
*પદ્ય*

●ઋગ્વેદમાં કેટલા દેવતાઓની પ્રાર્થના કરવામાં આવી છે
*33*

●ઋગ્વૈદિક કાળમાં......
આકાશના સર્વશ્રેષ્ઠ દેવતાસૂર્ય
મધ્યસ્થાનના સર્વશ્રેષ્ઠ દેવતાવાયુ
પૃથ્વીના પ્રમુખ દેવતાઅગ્નિ
ઋગ્વેદના પ્રમુખ દેવતાઇન્દ્ર(આર્યોના યુદ્ધ નેતા)

●કયા દેવતાને દેવતાઓ અને મનુષ્યના મધ્યસ્થી ગણવામાં આવતા
*અગ્નિ*

●પૌરાણિક કથા અનુસાર કયા દેવતા અસુર બની ગયા હતા બાદમાં ઇન્દ્રએ તેમને ફરી દેવતા બનાવ્યા
*વરુણ*
*વૃત્રાસુરે વરુણને બંદી બનાવેલો*

●આર્યો ઉષા કાળનું પ્રતિનિધિત્વ કરતી કઈ દેવીઓની પૂજા કરતા
*ઉષસ્ અને અદિતિ*

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*

*👇🏻🔥Next પ્રાચીન ભારત લેખાંક-11👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-11*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બ્રાહ્મણ ગ્રંથો એવં સૂત્ર ગ્રંથોની રચના કયા કાળમાં થઈ
*ઉત્તર વૈદિક કાળમાં*
*ઉત્તર વૈદિક કાલીન ગ્રંથો ગંગાની ઉત્તર ઘાટીમાં ઇ.પૂ.1000 થી 600 દરમિયાન લખાયા*

●વૈદિક કાળનું પંચાલ એટલે આજના કયા વિસ્તાર
*ફર્રુખાબાદ, બદાયૂ અને બરેલી જિલ્લા*
*હસ્તિનાપુર સાઈટ મેરઠ જિલ્લામાં આવેલી છે*

●મહાભારતનું યુદ્ધ ક્યારે લડાયું હતું
*ઇ.પૂ.950માં*

●કોશલ અને વિદેહમાં વૈદિક આર્યોના આગમન પહેલાથી રહેતા લોકો કઈ ધાતુના ઓજારનો ઉપયોગ કરતા હતા
*લાલ તાંબું*
*કાળા-લાલ રંગના માટીના વાસણોનો ઉપયોગ કરતા*

●વૈદિક કાળમાં કયો યજ્ઞ કરવાથી રાજાને દિવ્ય શક્તિ પ્રાપ્ત થતી હોવાનું માનવામાં આવે છે
*રાજસૂય*

●કયા યજ્ઞમાં સગોત્રીય બંધુઓ સાથે રથની દોડ થતી
*વાજપેય યજ્ઞ*

●વૈદિક કાળમાં રાજ્યને શું કહેવામાં આવતું
*જનપદ*

●કયા શબ્દનો પ્રથમ પ્રયોગ વૈદિક કાળમાં થયો
*રાષ્ટ્ર*

●વૈદિક કાળમાં રાજ્યના અમુક ભાગનું શાસન કોના હાથમાં રહેતું
*સ્થપતિ*

●આદિવાસીઓ પર શાસન કરનારા અધિકારીને શુ કહેવામાં આવતા
*નિષાદ સ્થપતિ*

●શતપતિના તાબામાં કેટલા ગામ રહેતા
*100*

●વૈદિક કાળમાં ગામડાના ન્યાયાધીશને શુ કહેવામાં આવતું
*ગ્રામ્યવાદિન*

●પહેલું એવું કયું યુદ્ધ હતું જે જમીનની પ્રાપ્તિ માટે લડવામાં આવેલું
*મહાભારત*

●ઉત્તર વૈદિક કાળના અંતિમ તબક્કાના આદિમ નગરો કોને કહી શકાય
*હસ્તિનાપુર અને કૌશાંમ્બિ*

●મનુને કેટલી પત્ની હતી
*10*

●ગાર્ગી અને મૈત્રીયી જેવી વિદુષીઓ કયા કાળમાં થઈ ગઈ
*ઉત્તર વૈદિક કાળમાં*

●વૈદિક કાળના ચાર વર્ણો ચાર જાતિમાં ફેરવાઈ ગયા હતા અને એ સિવાયની કઈ બે જાતિઓ અસ્તિત્વમાં આવી ચૂકી હતી
*નિષાદ અને વ્રાત્ય*

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*

*👇🏻🔥પ્રાચીન ભારત લેખાંક-12 next👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥રૂઢિપ્રયોગ🔥*
""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
📝નસેનસમાં ઊતરી જવુંજીવનમાં વણાઈ જવું

📝પુરાણ નીકળવુંએક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી

📝આંખ ફાટી જવીઅવાચક બની જોઈ રહેવું

📝આકુળવ્યાકુળ થવુંખૂબ ગભરાઈ જવું

📝પોબારા ગણી જવુંનાસી જવું

📝પાશેરામાં પહેલી પૂણીતદ્દન શરૂઆત

📝શ્રાવણ ભાદરવો વહેવોચોધાર આંસુ વહેવા

📝પ્રાણ નિચોવવાખૂબ પરિશ્રમ કરવો

📝ધનોત-પનોત નીકળી જવુંસર્વસ્વ નાશ પામવું

📝મોઢાં ચડી જવારિસાઈ જવું

📝 હ્યદયનો કુચો કરી નાખવોલાગણીઓ કચડી નાખવી

📝છેલ્લે પાટલે બેસવુંઆત્યંતિક નિર્ણય લેવો

📝દોમ દોમ સાહ્યબી હોવીઅતિશય સાધન સંપન્ન હોવું

https://t.me/jnrlgk

💥રણધીર💥
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-12*

*📝ઉત્તર વૈદિક કાળ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●ઋગ્વૈદિક કાળમાં માત્ર ત્રણ આશ્રમ હતા.ઉત્તર વૈદિક કાળમાં કયો ચોથો આશ્રમ ઉમેરાયો
*સંન્યાસાશ્રમ*

●ઉત્તર વૈદિક કાળમાં તાંબાને શું કહેવાતું
*લાલ-અયસ*
*લોઢાને કૃષ્ણ-અયસ કહેવાતું*

●ઉત્તર વૈદિક કાળનું વિદેહ એટલે આજનો કયો વિસ્તાર
*બિહાર*

●ઋગ્વૈદિક કાળમાં વૈશ્ય શું કામ કરતા
*કૃષિ, પશુપાલન અને શિલ્પકારી*

●વૈદિક કાળમાં હળ સાથે કેટલા બળદ જોતરવામાં આવતા
*6-8, 12 અથવા 24*

●ચોખાને વૈદિક ગ્રંથોમાં શુ કહેવામાં આવ્યું છે
*વ્રિહી*

●કઈ સાઈટ ખાતેથી ઇ.પૂ.આઠમી સદીના ચોખાના અવશેષ મળી આવ્યા છે
*હસ્તિનાપુર*

●ઉત્તર વૈદિક કાળમાં ધનવાન વેપારીઓને શુ કહેવામાં આવતું
*શ્રેષ્ઠી*

●કિરાંત એ શું છે
*હિમાલયમાં વસતી એક જંગલી જાતિ*

●ઉત્તર વૈદિક કાળમાં કયા નામની કરન્સીનો ઉપયોગ થતો
*નિષ્ક, શતમાન અને કૃષ્ણાલ*

●બીજાને ત્યાં હળ જોતરનારને શું કહેવામાં આવતું
*હલવાહ*

●મહાભારત મહાકાવ્યનું લેખન કઈ સદીમાં થયું હોવાનું માનવામાં આવે છે
*ચોથી સદીમાં*

●ઉત્તર વૈદિક કાળમાં બ્રાહ્મણોને શું કહેવામાં આવતું
*ભૂ-સુર અથવા ભૂ-દેવ*

●ઉત્તર વૈદિક કાળમાં રાજસૂય યજ્ઞ કરાવનાર પુરોહિતોને કેટલી ગાયો દાનમાં અપાતી
*2,40,000(બે લાખ ચાળીસ હજાર)*

●કયા બ્રાહ્મણ લેખમાં ઉલ્લેખ છે કે અશ્વમેઘ યજ્ઞમાં પુરોહિતોને ચારે દિશાઓનું દાન આપવું જોઈએ
*શતપથ*

●ઉત્તર વૈદિક કાળનું પંચાલ એટલે આજનું....
*વિંધ્યાચળ અને હિમાલય વચ્ચેનો પ્રદેશ*

●ઉત્તર વૈદિક કાળમાં લોકો વાસુદેવને પૂજતા, વાસુદેવ એટલે ....
*વિષ્ણુ*

●ગૌરક્ષા કરતા દેવતા
*પૂષન*

●ઉત્તર વૈદિક કાળમાં............
*મૂર્તિપૂજાનો આરંભ થયો*

●સિંધુ ઘાટી સભ્યતા અને વૈદિક સભ્યતા વચ્ચે કેટલા વર્ષનું અંતર છે
*2000 વર્ષ*

●અથર્વવેદની રચના કયા કાળમાં થઈ હોવાનું મનાય છે
*ઉત્તર વૈદિક કાળમાં*

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*

*👇🏻🔥પ્રાચીન ભારત લેખાંક-13👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-13*

*16 મહાજન પદ*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

વૈદિક કાળમાં આર્યો માંસ ખાતા,
ઉત્તર વૈદિક કાળમાં તેના પ્રત્યે અરુચિ સેવવાનો પ્રારંભ થયો

ઇ. પૂ. છઠ્ઠી સદીથી ઇ.પૂ. ચોથી સદી સુધી ભારતમાં રચાયેલા ૧૬ મહાજનપદ વિશે જાણો

ગત લેખના છેલ્લા ભાગમાં આપણે આર્યો અને સૈંધવો (સિંધુ ખીણ સભ્યતાના લોકો) વચ્ચે તુલના કરી રહ્યા હતા તેને જ આગળ વધારીએ. સિંધુ ખીણના લોકો શસ્ત્રો ચલાવવામાં માહેર નહોતા. તેઓ આર્યોની જેમ કવચ અને શિરસ્ત્રાણનો ઉપયોગ નહોતા કરતા.  સિંધુ સભ્યતાના નિવાસીઓનો મુખ્ય આહાર હતો માંસ અને માછલી. આર્યો પણ માંસ ભક્ષણ કરતા, પરંતુ ઉત્તર વૈદિક કાળમાં માંસ ભક્ષણ પ્રત્યે સૂગ સેવાવાનો પ્રારંભ થયો.

સૈંધવો વાઘ અને હાથીથી સુપેરે પરિચિત હતા, પણ ઊંટ અને ઘોડા વિશે અજ્ઞાાત હતા. સુરકોટડા સાઇટ ખાતેથી ઘોડાના અવશેષો મળી આવ્યા છે. આથી એવું તારણ નીકળે છે કે ઉત્તર વૈદિક કાળમાં અમુક સૈંધવોને ઘોડાનો પરિચય થયો હતો. તેઓ આખલાને ગાયથી પણ વધારે મહત્ત્વ આપતા હતા. વૈદિક આર્યો હાથી અને વાઘથી અપરિચિત હતા. વૈદિક આર્યો ઘોડા પાળતા. તેને રથમા જોતરતા. રણક્ષેત્રમાં તેનો ઉપયોગ કરતા. ગાયની મહત્તા આર્યોથી શરૂ થઈ.

સૈંધવો શિવ અને શક્તિની પૂજા કરતા. તેઓ મૂર્તિ પૂજક હતા. લિંગ પૂજા કરતા. અગ્નિને મહત્ત્વ ન આપતા. ઋગ્વૈદિક આર્યો મૂર્તિ પૂજક નહોતા. શિવપૂજા અને લિંગપૂજા પણ ન કરતા. તેઓ બ્રહ્મ અને અગ્નિને પૂજતા. દરેક ઘરમાં અગ્નિશાળા રહેતી. સિંધુ ઘાટીના લોકો લેખન કળાથી પરિચિત હતા. તેમની લિપિ હજુ ઉકેલી શકાઈ નથી, પરંતુ તે ચિત્રલિપિ હોવાનું અનુમાન છે. કવિતામાં વૈદિક આર્યો સૈંધવો કરતા વધારે આગળ હતા.

આર્યો યુરોપથી આવ્યા હોવા જોઈએ, મધ્ય એશિયા એટલે કે ઈરાનથી આવ્યા હોવા જોઈએ અથવા ઉત્તર ધુ્રવથી આવ્યા હોવા જોઈએ એવી ત્રણ થીઅરી અગાઉના નેટવર્કમાં આપણે પ્રસ્તુત કરી ચૂક્યા છીએ, પણ ચોથો તજજ્ઞા વર્ગ એવું માને છે કે આર્યો મૂળ ભારતના જ હતા. તેમણે સૈંધવો પર આક્રમણ કર્યું નહોતું. સિંધુ સભ્યતા ખતમ થઈ ત્યાર પછી ત્યાં આર્ય સભ્યતા વિકસી. તેમની દલીલ સ્વીકારવી કે ન સ્વીકારવી એ પછીની વાત છે, પણ સાંભળવી તો પડે જ.

તેઓ દલીલ કરે છે કે ભારતમાં લોખંડ લાલવાનું કામ આર્યોએ કર્યું હોય અને એ જ આર્યોએ સૈંધવો પર હુમલો કર્યો હોય તો સિંધુ ખીણની એકેય સાઇટ પરથી લોખંડના ઓજારો કેમ નથી મળતા? ભારતમાં લોખંડ આર્યોએ ઇન્ટ્રોડયુસ કર્યું હોવાનું પણ ખોટું માનવામાં આવે છે. કારણ કે એ સમયમાં લોખંડનો ઉપયોગ કરતી વધારે વસ્તી દક્ષિણ ભારતમાં હતી. આર્યો લોખંડ કરતા વધારે તાંબા અને કાંસાનો ઉપયોગ કરતા.

બ્રિટિશરો બહારથી આવેલા હતા. પોતાના આક્રમણને જસ્ટિફાઈ કરવા માટે તેમણે આર્યો બહારથી આવ્યા હોવાની સ્ટોરી ઘડી હોવાનું પણ મનાય છે. જો એવું હોય તો ભારત કરતા વધુ આર્યો આજે યુરોપમાં શા માટે વસી રહ્યા છે? હજુ ઘણા રીસર્ચની જરૂર છે. એક પ્રાચીન નદી હતી સરસ્વતી. જે લુપ્ત થઈ ચૂકી છે. તેણે માર્ગ બદલતા સિંધુ કાલીન સભ્યતા નષ્ટ થઈ હોવાનું પણ ઘણા ઈતિહાસકારો કહે છે.

સિંધુ કાલીન સભ્યતાની મોટા ભાગની વસાહતો સરસ્વતી નદીને કિનારે વસેલી હતી. આથી એ સભ્યતાને સરસ્વતી કાલીન સભ્યતા કહેવી જોઈએ એવો પણ કેટલાક ઈતિહાસકારોનો મત છે. ગમે તે હોય, કિન્તુ એક વાત તો સ્પષ્ટ છે કે સિંધુ ખીણની સભ્યતા અને આર્ય સભ્યતા વચ્ચે ૨,૦૦૦ વર્ષનું અંતર હતું. સૈંધવ સભ્યતા કાયમ માટે પોઢી ગઈ. વૈદિક સભ્યતા આજે પણ કોઈને કોઈ સ્વરૂપે જીવંત છે.

અહીંથી વાત આગળ જાય છે જનપદના ઉદય તરફ. જનપદ એક મોટું રાજ્ય રહેતું. ત્યાં રાજાનું શાસન રહેતું. ઇ. પૂ. છઠ્ઠી શતાબ્દીમાં જનપદનો આકાર મોટો થયો અને તે મહાજનપદમાં ફેરવાયા. મોટા ભાગના મહાજનપદ વિંધ્યની ઉત્તરમાં સ્થિત હતા. તે ભારતની ઉત્તર પશ્ચિમી સીમાથી લઈને પૂર્વમાં બિહાર સુધી ફેલાયેલા હતા. સૌથી પૂર્વમાં અંગ જનપદ હતું, જે બાદમાં મગધમાં સમાઈ ગયું. 

મહાત્મા બુદ્ધના જીવનકાળ દરમિયાન ભારતમાં ૧૬ મહાજનપદ હતા. તેના નામ આ પ્રમાણે હતા. ૧) અંગ, ૨) મગધ, ૩) કાશી, ૪) કોસલ, ૫) વજ્જિ, ૬) મલ્લ, ૭) ચેદિ, ૮) વત્સ, ૯) કુરુ, ૧૦) પંચાલ, ૧૧) મત્સ્ય, ૧૨) સુરસેન, ૧૩) અશ્મક, ૧૪) અવન્તિ, ૧૫) ગાંધાર, ૧૬) કામ્બોજ. પુરાણોમાંથી પણ ક્યાંક-ક્યાંકથી જનપદનો ઈતિહાસ મળી આવે છે, પણ ક્રમબદ્ધ નથી. વળી, ઘણી બધી માહિતીઓ તો વિરોધાભાસી છે.

ખાલી મહાજનપદ જ હતા એવું નથી. તદુપરાંત પણ નાના-નાના સ્વતંત્ર અને અર્ધ-સ્વતંત્ર રાજ્યો તથા ગણરાજ્યો હતા, જે અંદરો-અંદર યુદ્ધ કરતા રહેતા. ભારતમાં મહાજનપદ ઇ.પૂ. છઠ્ઠી સદીથી ચોથી સદી સુધી અસ્તિત્ત્વમાં રહ્યા. જે ૧૬ મહાજનપદ ઈતિહાસમાં ખ્યાત થયા છે તેના વિશે કેટલીક ટૂંક વિગત.

*૧) અંગઃ* અંગ અને મગધ વચ્ચે ચંપા નદી વહેતી હતી. અંગની રાજધાની ચંપા પણ ચંપા નદીના કિનારે સ્થિત હતી. ચંપાની ગણના બુદ્ધના સમયના છ મોટા નગરોમાં થતી. મહાભારતની કથામાં અંગના રાજા કર્ણ હતા.  

*૨) મગધઃ* મગધમાં આધુનિક પટના તથા ગયા જિલ્લાના તથા શાહબાદ જિલ્લાના કેટલાક ગામડાં સ
  કાશ્મીર અને પશ્ચિમોત્તર પ્રદેશ સમાવિષ્ટ હતા.  તક્ષશીલા આજે પાકિસ્તાનમાં છે. બુદ્ધના વખતમાં પુમકુસાતી ગાંધારના રાજા હતા. ગાંધાર સ્કૂલ ઑફ આર્ટ એક આખો અલગ અને ઊંડો વિષય છે.

*૧૬) કામ્બોજઃ* તે ગાંધારના પડોશમાં હતું. હાટક તેની રાજધાની હતી. થોડા સમય પશ્ચાત ત્યાં પણ ગણતંત્રની સ્થાપના થયેલી. 

તો આ હતા. આપણા ૧૬ મહાજનપદ.

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*
માવિષ્ટ હતા. બુદ્ધના સમય પહેલા ત્યાં જરાસંઘ અને બૃહદ્રથ નામના પ્રસિદ્ધ રાજા થઈ ગયા. આરંભમાં મગધની રાજધાની ગિરિવ્રજ હતી. તે બાદમાં પાટલીપુત્ર બનાવી દેવામાં આવી.

*૩) કાશીઃ* વૈશાલીની સમીપે કાશી જનપદ હતું. તેની રાજધાની હતી વારાણસી. રાજઘાટ પાસે ખનન કરવામાં આવતા જાણવા મળ્યું કે ઈ.પૂ. ૭૦૦માં લોકોએ કાશીની ભૂમિ પર વસવાટ શરૂ કર્યો. ઇ.પૂ. છઠ્ઠી સદીમાં વારાણસી નગરને માટીની દીવાલોથી કિલ્લેબંધ કરવામાં આવ્યું હતું. આરંભમાં કાશી સૌથી શક્તિશાળી મહાજનપદ હતું. બાદમાં તેણે કોસલની શક્તિ સામે શરણાગતિ સ્વીકારી લીધી.

*૫) વજ્જિ સંઘઃ* ગંગાની ઉત્તર બાજુએ તિરહુત વિસ્તારમાં વજ્જિઓનું રાજ્ય હતું. તે આઠ જનોનો સમૂહ હતો. તેમાં લિચ્છવિ સર્વાધિક શક્તિશાળી હતા. તેની રાજધાની વૈશાલી હતી. ઇતિહાસ કાલીન વૈશાલી એટલે વર્તમાન વૈશાલી જિલ્લામાં આવેલું બસાઢ ગામ. પુરાણમાં તેને અતિ પ્રાચીન નગર ગણવામાં આવ્યું છે, પરંતુ પુરાતત્ત્વવિદ્દો તે ઈ.પૂ. છઠ્ઠી  સદી પહેલા અસ્તિત્ત્વમાં ન હોવાનું કહે છે. વૈશાલીની નગરવધુ આમ્રપાલીની કથા પણ એટલી જ જાણીતી છે.

*૬) મલ્લઃ* કોસલના પડોશમાં મલ્લોનું ગણરાજ્ય હતું. તેની સીમા વજ્જિ રાજ્યની ઉત્તરી સીમા સાથે જોડાયેલી હતી. મલ્લોની રાજધાની હતી કુસીનારા. કુસીનારા એટલે એ જગ્યા જ્યાં બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું હતું. કુસીનારા એટલે વર્તમાન સમયનું કસિયા. મલ્લ ગણરાજ્યની બીજી રાજધાની હતી પાવા.

*૭) ચેદિઃ* આધુનિક બુંદેલખંડ અને તેની આસપાસનો પ્રદેશ એક સમયે ચેદિ મહાજનપદ કહેવાતું. તેની રાજધાની હતી શક્તિમતી. જાતક કથાઓમાં જે સોત્થવતી નગરી આવે છે તે આ જ. ચેદિ રાજ્યનો મહાભારતમાં પણ ઉલ્લેખ છે. શિશુપાળ ચેદિનો જ રાજા હતો. કૃષ્ણે તેનો વધ કરેલો-ની કથા અજાણી નથી.

*૮) વત્સઃ* પશ્ચિમ તરફ યમુનાના તટ પર વત્સ જનપદ હતું. તેની રાજધાની કોશામ્બી હતી. વત્સના નિવાસીઓ એ જ કુરુજન હતા, જે હસ્તિનાપુર છોડીને પ્રયાગ સમીપે કોશામ્બીમાં જઈને વસ્યા હતા. તે ગંગા-યમુનાની નિકટ હતું. એટલે જ કુરુજનો ત્યાં વસ્યા હતા. ઇ.પૂ. છઠ્ઠી સદીમાં કોશામ્બીને મજબૂત કિલ્લેબંધી કરવામાં આવી હતી.

*૯) કુરુઃ* વર્તમાન દિલ્હી તથા મેરઠની આસપાસના પ્રદેશ કુરુરાજ્ય અંતર્ગત આવતા હતા. તેની રાજધાની હતી ઇન્દ્રપ્રસ્થ. મહમૂતસોમ જાતક પ્રમાણે તે રાજ્યમાં ૩૦૦ સંઘ હતા. પાલી ગ્રંથો પ્રમામે ત્યાંના શાસક યુધિષ્ઠિતા ગોત્રના હતા. ભારત કરતા અધિક માત્રામાં પ્રાચીન પાલી ગ્રંથો ચીને સાચવ્યા છે. તેના પર ગહન સંશોધન પણ ત્યાં જ થઈ રહ્યું છે. ઇન્દ્રપ્રસ્થ બાદ ત્યાંનું બીજું મહત્ત્વનું નગર હતું હસ્તિનિપુર. એવું કહેવાય છે કે મહાભારત વખતે જે નગરનું નામ હસ્તિનાપુર હતું તે જ વખત જતા હસ્તિનિપુર બની ગયું.

જૈનોના ઉત્તરાધ્યયન સૂત્રમાં ઇક્ષ્વાકુ નામના રાજાનો ઉલ્લેખ મળે છે. તે કુરુ મહાજનપદના રાજા હતા. અમિશની નવલકથા સાયન ઑફ ઇક્ષ્વાકુ યાદ આવી જાય. આ રાજ્ય પહેલા રાજતંત્રાત્મક હતું. બાદમાં ત્યાં ગણતંત્રની સ્થાપના થયેલી. લોકતંત્ર અને ગણતંત્રને મિક્સ ન કરી નાખતા. ગણતંત્ર એટલે જનતામાંથી લાયક વ્યક્તિ રાજા બને. ન કે જનતા દ્વારા ચૂંટવામાં આવતી વ્યક્તિ રાજા બને. ચીન તેનું બેસ્ટ ઉદાહરણ છે.

*૧૦) પાંચાલઃ* વર્તમાન રુહેલ ખંડ તથા તેની આસપાસના જિલ્લા પાંચાલ પ્રદેશમાં આવતા હતા. તે બે ભાગમાં વિભાજિત હતું. ઉત્તર પાંચાલની રાજધાની અહિચ્છત્ર હતી. દક્ષિણ પાંચાલની રાજધાની કામ્પિલ્ય હતી.

*૧૧)મત્સ્યઃ* તેની રાજધાની હતી વિરાટનગર. તે યમુનાની પશ્ચિમ તથા કુરુ પ્રદેશની દક્ષિણમાં આવેલું હતું. પહેલા તો ચેદિ રાજ્યે મત્સ્ય પર પોતાનું આધિપત્ય સ્થાપવાની કોશિશ કરી. બાદમાં તે મગધને આધીન થઈ ગયું.

*૧૨) સૂરસેનઃ* સૂરસેન યમુના કિનારે હતું. મથુરા તેની રાજધાની હતી. બુદ્ધના સમયમાં અવન્તિપુત્ર મથુરાના રાજા હતા. તે પહેલા ગણતંત્ર રાજ્ય હતું. બાદમાં ત્યાં રાજ્યતંત્રની સ્થાપના થઈ. ગ્રીક પ્રવાસી મેગસ્થનીઝના ભારત આગમન સુધી તો સૂરસેન વંશના રાજાઓ શાંતિથી શાસન કરતા હતા. તેણે ઈ.પૂ. ૩૦૨થી ૨૮૮ દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી.

*૧૩) અશ્મકઃ* દક્ષિણ ભારતની પ્રમુખ નદી ગોદાવરીના તટ પર અશ્મક રાજ્ય આવેલું હતું. એ સમયે તે ભારતનું પ્રમુખ રાજ્ય હતું. પોતન તેની રાજધાની હતી. પુરાણો પ્રમાણે ત્યાંના રાજા ઇક્ષ્વાકુ વંશના હતા. જાતક કથા પ્રમાણે  આ રાજ્ય કાશી નજીક હતું. (પ્રાચીન ગ્રંથોમાં ઘણી બધી જગ્યાએ ફેક્ટ અને ફિક્શનનું મિશ્રણ થતું હોવાથી એકને એક રાજ્યની એકથી વધારે અને વિરોધાભાસી વિગતો મળે છે.)

*૧૪) અવન્તિઃ* મધ્ય માળવા અને મધ્ય પ્રદેશના સીમાવર્તી વિસ્તારમાં અવન્તિ નગર સ્થિત હતું. તેના બે ભાગ હતા. ઉત્તર ભાગની રાજધાની ઉજ્જૈન હતી અને દક્ષિણ ભાગની રાજધાની હતી, મહિષ્મતી. બાહુબલી યાદ આવી ગયુંને!  પુરાતત્ત્વીય સંશોધનોમાં જાણકારી મળી આવી છે કે ઇ.પૂ. છઠ્ઠી સદી બાદ બંને નગરનું મહત્ત્વ વધતું ગયું. અંતે ઉજ્જૈન આગળ નીકળી ગયું. ત્યાં મોટાપાયે લોઢાકામ થવા લાગ્યું અને તેની ફરતે મજબૂત કિલ્લેબંધી થઈ.

*૧૫) ગાંધારઃ* ગાંધાર રાજ્યમાં તક્ષશિલા,
  કાશ્મીર અને પશ્ચિમોત્તર પ્રદેશ સમાવિષ્ટ હતા.  તક્ષશીલા આજે પાકિસ્તાનમાં છે. બુદ્ધના વખતમાં પુમકુસાતી ગાંધારના રાજા હતા. ગાંધાર સ્કૂલ ઑફ આર્ટ એક આખો અલગ અને ઊંડો વિષય છે.

*૧૬) કામ્બોજઃ* તે ગાંધારના પડોશમાં હતું. હાટક તેની રાજધાની હતી. થોડા સમય પશ્ચાત ત્યાં પણ ગણતંત્રની સ્થાપના થયેલી. 

તો આ હતા. આપણા ૧૬ મહાજનપદ.

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-14*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

●અશોકે કયો ધર્મ અંગીકાર કરેલો
*બૌદ્ધ ધર્મ*

●ચંદ્રગુપ્ત મૌર્યે કયો ધર્મ અંગીકાર કર્યો હતો
*જૈન*

●ઈતિહાસકારોના મત પ્રમાણે મગધ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી
*હર્યક વંશના રાજા બિંબિસારે*

●હર્યક વંશના ત્રણ પ્રમુખ રાજા
*બિંબિસાર, અજાતશત્રુ અને ઉદાયિન*

●કયા રાજાના શાસનકાળમાં મગધની ખૂબ ઉન્નતિ થઈ
*બિંબિસાર*

●બિંબિસાર ................ ના સમકાલીન હતા
*મહાત્મા બુદ્ધ*

●બિંબિસારે .............. નીતિ અપનાવી
*વિસ્તારવાદી*

●બિંબિસારે કયા દેશ પર કબજો જમાવી તેનું શાસન અજાતશત્રુને સોંપ્યું
*અંગ દેશ*

●બિંબિસારે ત્રણ લગ્ન કર્યા હતા. તેમની પત્નીઓ કઈ કઈ હતી
*1. પ્રથમ પત્ની કોસલના રાજાની પુત્રી અને પ્રસેનજિતની બહેન કોસલ દેવી હતી(આ પત્ની દહેજમાં કાશી નગરી લાવી હતી)*
*2. બીજી પત્ની વૈશાલીના લીચ્છવીઓની પુત્રી ચલ્હના હતી*
* 3. ત્રીજી રાણી પંજાબના મુદ્ર કુળના વડાની દીકરી હતી*

●મગધની કટ્ટર શત્રુતા કોની સાથે હતી
*અવન્તિ(તેનો રાજા ચંડપ્રદ્યોત હતો)*

●બિંબિસારનો પોતાનો રાજવૈદ્ય કોણ હતો
*જીવક*

●બિંબિસારે કેટલો સમય શાસન કર્યું
*ઇ.પૂ. 544 થી ઇ.પૂ.492 સુધી*

●બિંબિસારની હત્યા થતા કોણ રાજા બન્યો
*તેમનો પુત્ર અજાતશત્રુ (અજાતશત્રુએ જ હત્યા કરાવી હતી)*

●અજાતશત્રુ બાદ સત્તામાં કોણ આવ્યો
*તેનો પુત્ર ઉદાયિન*

●ઉદાયિને કયા સંગમ પર દુર્ગ બનાવ્યો હતો
*પટના, ગંગા અને સોન*

●કયા રાજાએ અવન્તિને હરાવી મગધનો ભાગ બનાવી દીધું
*શિશુનાગ*

●શિશુનાગ કયા શાસકને હરાવી રાજા બન્યો હતો
*નાગદાસક*

●શિશુનાગ બાદ કોણ રાજા બન્યો
*કાલાશોક*

●કાલાશોકની હત્યા કેવી રીતે થઈ હતી
*ગળામાં છરી મારીને*

●શિશુનાગ બાદ કયા વંશનું શાસન આવ્યું
*નંદ વંશ*

●નંદ વંશનો પ્રથમ રાજા કોણ હતો
*મહાપદ્મ*

●ઈતિહાસકારોના મત પ્રમાણે મહાપદ્મની માતા ............ હતી
*શુદ્ર*

●જૈનગ્રંથ પરિશિષ્ટપર્વન્ પ્રમાણે મહાપદ્મના પિતા ............. અને માતા .......... હતા
*પિતા વાળંદ અને માતા વેશ્યા*

●ઈતિહાસકાર કર્ટીયસ પ્રમાણે મહાપદ્મએ કોની હત્યા કરી હતી
*કાલાશોકની*

●મહાબોધિ વંશમાં મહાપદ્મ નંદને કયા નામે ઓળખવામાં આવે છે
*ઉગ્રસેન*

●ભારતમાં સૌપ્રથમ શક્તિશાળી રાજ્ય મગધ જ શા માટે બન્યુંબીજા એકેય કેમ નહીંએનું કારણ શું હતું
*કારણ કે મગધમાં લોખંડ આસાનીથી મળતું હતું. લોખંડનો ઉપયોગ હથિયાર બનાવવામાં થતો હતો*

●મગધની રાજધાની
*જૂની રાજધાની રાજગીર અને ત્યારબાદ પાટલીપુત્ર*

●મગધની જૂની રાજધાની રાજગીર
*પાંચ ટેકરીઓથી ઘેરાયેલી હતી*

●મગધની નવી રાજધાની પાટલીપુત્ર
*ચારે બાજુ નદીઓથી ઘેરાયેલી*
*ચારે બાજુ પાણીની કિલ્લેબંધી હોવાથી પાટલીપુત્રને જળદુર્ગ કહેવામાં આવતી*

●ભારતમાં આવેલો પ્રથમ આક્રમણખોર કોણ હતો
*ઈરાની શાસક દેરિયસ*
*ઇ.પૂ.516માં ભારતમાં ઘૂસ્યો હતો*

●ઇ.પૂ.530 પહેલા ઇરાનના હખામની સમ્રાટ સાઈરસે હિંદુ કુશ પર્વત પાર કરીને કયા પ્રદેશો જીત્યા હતા
*કંબોજ અને ગાંધાર*

●ઈતિહાસના પિતા કહેવાતા હેરોડોટ્સ મુજબ ગાંધાર હખામની સામ્રાજ્યનો કેટલામો પ્રાંત હતો
*20મો*
*ફારસ સામ્રાજ્યમાં કુલ 28 પ્રાંત હતા*

●ટેલેન્ટ મુદ્રા શું છે
*ભારતનું એક પ્રાચીન માપ*

●ગાંધારના સૈનિકો કોની સેનામાં જોડાઈને યુનાનીઓ સામે લડતા
*ફારસની*

●ઇરાનના લેખક કાતિબ ભારતમાં એક નવી લેખન શૈલી લઈને આવ્યા હતા. તે કઈ લિપિ કહેવાઈ
*ખરોષ્ઠિ લિપિ*
*આ લિપિમાં અરબી ભાષાની જેમ જામણેથી ડાબી બાજુ લખવાનું હોય છે*

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*

*🔥👇🏻પ્રાચીન ભારત લેખાંક-15 Coming soon...👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-09/11/2019🗞👇🏻*

●ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ માટે જાપાનના પ્રતિષ્ઠિત સન્માન ડેમિંગ પ્રાઇઝથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*TVS ગ્રુપના ચેરમેન વેણુ શ્રીનિવાસનને*

●2012માં પદ્મશ્રીથી સન્માનિત ગાયક જેમનું હાલમાં નિધન થયું
*રમાકાંત ગુંદેચા*

●કરતારપુર કોરિડોરમાં ભારત તરફથી બનેલા કેટલા કિમી. લાંબા કોરિડોરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુભારંભ કરશે
*3.8 કિમી.*

●ત્રિપુરાના ચીફ જસ્ટિસ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*જસ્ટિસ અકિલ કુરેશી*

●મેન્સ હોકી વર્લ્ડકપ 2023ની યજમાની કયો દેશ કરશે
*ભારત*
*સતત બીજી વખત ભારતની પસંદગી*

●મહિલા હોકી વર્લ્ડકપ 2022ની યજમાની કયા દેશ કરશે
*નેધરલેન્ડ અને સ્પેન સંયુક્ત રીતે*

●અમેરિકા અને બાંગ્લાદેશ વચ્ચે સૌથી મોટા નૌસેના અભ્યાસ ચાલી રહ્યો છે. તેનું નામ શું છે
*કો-ઓપરેશન અફલોટ રેડીનેસ એન્ડ ટ્રેનિંગ*

●2020માં રમાનાર ફિફા અંડર-17 મહિલા વર્લ્ડકપના સત્તાવાર લોગોનું અનાવરણ કયા દેશમાં કરવામાં આવ્યું
*ભારત*

●મિસ એશિયા ગ્લોબલ ટાઈટલ 2019ના વિજેતા કોણ બન્યું
*સારા દમનજનોવિક*
*તેઓ સર્બિયાના સૌંદર્ય સામ્રાજ્ઞઈ છે*
*કોચી ખાતે સ્પર્ધા યોજાઈ હતી*

●કયા રાજ્યએ તેના જંગલોના સુધાર માટે ફ્રાન્સ સાથે 400 કરોડ રૂપિયાની સંધિ કરી
*આસામે*

●વિશ્વમાં સૌથી વધુ સુવર્ણ ભંડાર ધરાવતો દેશ કયો જાહેર થયો
*અમેરિકા*

●નવેમ્બર મહિનાની કઈ તારીખે વિશ્વ સુનામી જાગૃકતા દિવસ મનાવામાં આવે છે
*5 નવેમ્બર*

●ઇન્ડ્સ ઇન બેન્કના CEO તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*સુમન કથપાલિયા*

●તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ATP રેન્કિંગમાં કયા ટેનિસ ખેલાડીનો ક્રમ પ્રથમ છે
*રાફેલ નડાલ*
*જોકોવિચ બીજા અને રોજર ફેડરર ત્રીજા ક્રમે*

●IMFના અહેવાલ પ્રમાણે 2020 સુધીમાં કયો દેશ વિશ્વમાં સૌથી ઝડપથી આર્થિક વૃદ્ધિ કરનારો દેશ બની જશે
*ગુયાના*

●ધ ફાર ફિલ્ડ નવલકથાને જેસીબી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.આ નવલકથાના લેખિકા કોણ છે
*માધુરી વિજય*

●કયા રાજ્યની સરકારે બેરોજગાર યુવાનો માટે રોજગાર હેલ્પલાઇન સેવાનો શુભારંભ કર્યો
*પંજાબ*

*👇🏻🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
1. મેલેરિયા થયેલ દર્દીની બ્લડ સ્લાઈડ લીધા બાદ તેને થિન સ્મિયર બનાવવા માટે કેટલા એંગલે સ્લાઈડને પકડવી અને સ્પ્રેડ કરવી જોઈએ
45 ડીગ્રી


2.પીવાના પાણીના એક માટલામાં 0.5 મિલિ. ક્લોરીનની કેટલી ગોળી નખાય છે
એક

3.મહિલા અને બાળ વિકાસના વિભાગનું એક અંગ છે......
આંગણવાડી વર્કર

4.પી.વાયએક્સમાં કેટલા દિવસની સારવાર આપવામાં આવે છે
દિન-14

5.ટી.બી.ના માઈક્રોસ્કોપિક નિદાન માટે કેટલા ગળફાના નમુનાની તપાસ થાય છે
2

6.બ્લડપ્રેસર માપવા માટે કયું સાધન વપરાય છે
સ્ફીગ્મોમેનોમીટર

7.પ્રથમવાર સગર્ભા થયેલ માતાને ધનુરના (TT) કેટલા ઈન્જેકશન આપવાના થાય છે
બે

8.પી.બી.દર્દીના નિદાન માટે આધાર........
ચાઠાં 6 થી ઓછા હોવા જોઈએ

9.ઝાડા રોગ શેનાથી ફેલાય છે
દૂષિત ખોરાક

10.હિપેટાઈટીસ-બી (ઝેરી કમળો) શેનાથી ફેલાય છે
લોહી


11.ડેન્ગ્યુ વિરોધી માસ કયા મહિનામાં ઉજવાય છે
જુલાઈ

12.હુકવર્મની સારવારમાં કઈ ટેબલેટ આપવામાં આવે છે
આલ્બેન્ડાઝોલ

13.ક્લોરીનેશન શેનું કરવામાં આવે છે
પાણી

14.લેપ્રારીએકશનમાં કઈ દવા ખૂબ અસરકારક છે
પ્રેડનિસોલોન

15.ન્યુટ્રીશન એનિમિયા કયા પોશાક તત્વની ઊણપથી થાય છે
આયર્ન

16.એમ.ડી.આર. ટી.બી.ની દવાનો સમયગાળો કેટલો છે
24 માસ

17.DDT નું આખું નામ શું છે
ડાયક્લોરો ડાયફીનાઇલ ટ્રાયક્લોરોઈથેન

18.NVBDCP શું છે
નેશનલ વેક્ટર બોર્ન ડિઝીસ કન્ટ્રોલ પ્રોગ્રામ

19.દવા લીધા પછી પેશાબ લાલ થવો તેવું કઈ દવાથી થાય છે
રિફામ્પિસીન

20.ડાયેરિયા પ્રોગ્રામ અંતર્ગત બાળકને ORS સાથે કઈ ગોળી આપવામાં આવે છે
ઝિંક



21.ડેન્ગ્યુના ટેસ્ટ માટે તાવ શરૂ થવાને કેટલા દિવસ બાદ લોહી દેવામાં આવે છે
પાંચ

22.ઓ.આર.એસ. ના 1 પેકેટમાં પોટેશિયમ ક્લોરાઈડની કેટલી માત્રા હોય છે
1.5 ગ્રામ

23.ટ્યુબરક્યુલોસીસ કયા જંતુથી ફેલાય છે
માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઈ

24.ઓરી કઈ રીતે ફેલાય છે
હવા

25.પોરાનાશક માટે કઈ દવાનો ઉપયોગ થાય છે
ટેમેફોસ

26.ટેમીફ્લુ નામની દવા કયા રોગની સારવાર માટે વપરાય છે
સ્વાઈન ફ્લુ

27.એ.આર.વી.નું પૂરું નામ શું છે
એન્ટિ રેબીઝ વેકસીન

28.એપેડેમિક એટલે શું
એક જ રોગના - એક સાથે ઘણા કેસ

29.રસીઓની કોલ્ડચેઈન જાળવવા કેટલા ઉષ્ણતામાને સાચવવામાં આવે છે
+2° સે.ગ્રે. થી +8° સે.ગ્રે.

30.મચ્છરદાની જંતુનાશક દવાયુક્ત કર્યા બાદ કેટલા માસ સુધી તેની અસર રહે છે
6



31.મેલેરિયાનો ઈકયુબેશન પિરિયડ કેટલો હોય છે
11 દિવસનો

32.ક્રિમિયન-કોંગો હેમરેજીક ફીવર (CCHF)નો ફેલાવો કોણ કરે છે
ઈતડી

33.બ્રેટયુ ઈન્ડેક્સ માટેનું સૂત્ર
પોઝિટિવ પાત્રો ÷ તપાસેલ કુલ ઘરો × 100

34.લેપ્ટોસ્પાઇરોસીસની રોકથામ (અટકાયત) માટે કઈ દવા આપવામાં આવે છે
ડોકસીસાઈકલીન

35.મેલેરિયા કયા સૂક્ષ્મ જીવથી થાય છે
પ્રજીવ

36.ડેન્ગ્યુનો ફેલાવો કયા મચ્છરથી થાય છે
એડીસ ઇજીપ્તિ

37.ટાઇફોઇડ શાનાથી થતો રોગ છે
જીવાણુ

38.IDSP માટે શું સાચું છે
ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ સર્વેલન્સ પ્રોગ્રામ

39.BCGની રસી કયા માર્ગે અપાય છે
ચામડીમાં (ઇન્ટ્રા ડર્મલ)

40.રક્તપિત્ત કયા સૂક્ષ્મજીવથી થાય છે
માઈકો બેક્ટેરિયમ લેપ્રાઈ

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥