સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*વીર સાવરકર*

નામ : વિનાયક દામોદર સાવરકર

જન્મ : ૨૮ મે,૧૮૯૩

નિધન : ૨૬ ફેબ્રુઆરી,૧૯૬૬

જન્મ સ્થળ : ભંગુર ગામમાં (નાસિક)

મુંબઇ યુનિવર્સિટીમાં પી.એચ.ડી. કર્યું.

સાવરકરે આપેલો શબ્દ 'હિંદુત્વ'

જ્યારે 'બંગભંગ' ની અસર દેશ પર થઈ ત્યારે સાવરકરે અંગ્રેજોનો વિરોધ કરવા ક્યાં વિદેશી વસ્તુઓની હોળી કરી હતી ? પૂનામાં

કયા વર્ષમાં અમદાવાદમાં 'હિન્દૂ મહાસભા'નું અધિવેશન ભરાયું જેમાં વીર સાવરકર અધ્યક્ષસ્થાને હતાં?1937માં

*💥રાગનો સમય 💥*

▪️પ્રત્યેક રાગનો એક વિશિષ્ટ સમય છે. દિવસમાં 24 કલાકના બે ભાગમાં વહેંચવામાં આવે છે.

*▪️પૂર્વા રાગ*
બપોરના 12 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધીના ભાગને પૂર્વાભાગ કહેવાય છે. આ સમયગાળા દરમિયાન ગાવામાં આવતા રાગને પૂર્વારાગ કહેવામાં આવે છે. પૂર્વ રાગમાં સપ્તકના 'સા, રે, ગ, મ' નો સમાવેશ થાય છે.

*▪️ઉત્તર રાગ*
રાતના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીના ભાગને ઉત્તર ભાગ કહેવાય છે અને આ સમયગાળા દરમિયાન ગાવામાં આવતા રાગોને ઉત્તર રાગ કહેવામાં આવે છે. ઉત્તર રાગમાં સપ્તકન 'પા, ધ, ની, સા' નો સમાવેશ થાય છે.

https://t.me/jnrlgk

💥💥
*👨🏻‍🏫કવિ અને તેમના જન્મસ્થળ*
*----------------------------------*
■ આનંદશંકર ધ્રુવ:અમદાવાદ

■ બ.ક.ઠાકોર:ભરૂચ

■ કલાપી:લાઠી

■ દલપતરામ:અમદાવાદ

■ પંડિત સુખલાલજી:લીંબડી

■ રણજિતરામ મહેતા:સુરત

■ કાકાસાહેબ કાલેલકર:સતારા

■ રામનારાયણ.વિ.પાઠક:ગાણોલ

■ સ્વામી આનંદ:શિયાણી

■ ક.મા.મુનશી:ભરૂચ

■ ર.વ.દેસાઈ:શિનોર

■ ગૌરીશંકર જોશી:વીરપુર

■ ઝવેરચંદ મેઘાણી:ચોટીલા

■ રસિકલાલ પરીખ:સાદરા

■ જયંતિ દલાલ:અમદાવાદ

■ હેમચંદ્રાચાર્ય:ધંધુકા

■ નરસિંહ મહેતા:તળાજા

■ મીરાંબાઈ:મેડતા

■ અખો:જેતલપુર

■ પ્રેમાનંદ:વડોદરા

■ શામળ:અમદાવાદ

■ દયારામ:ડભોઇ

■ રમણભાઈ નીલકંઠ:અમદાવાદ

■ મણિશંકર ભટ્ટ:ચાવંડ

■ નરસિંહરાવ દિવેટિયા:અમદાવાદ

■ મણિલાલ દ્વિવેદી:નડિયાદ

■ ગોવર્ધનરામ ત્રિપાઠી:નડિયાદ

■ નર્મદ:સુરત

■ એલેકઝેન્ડર ફાર્બ્સ:લંડન

■ દલપતરામ:વઢવાણ
*---------------------------------
*💥ગુજરાત💥*
◆◆◆◆◆
💥ગુજરાતના આર્થિક પાટનગર તરીકે અમદાવાદને ઓળખવામાં આવે છે.

💥અમદાવાદ માં આવેલી સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે.હોસ્પિટલનું નામ શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ છે.

💥અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ યાત્રાની શરૂઆત નૃસિંહદાસ દ્વારા થઈ હતી.

💥 જહાંગીર અમદાવાદમાં રોકાયેલા ત્યારે તેને અમદાવાદને ગરદાબાદ એટલે ધુળિયું શહેર કહેલું.

💥એલિસ બ્રિજનું મૂળ નામ સ્વામી વિવેકાનંદ પુલ છે,જેની રચના હિંમતલાલ ધીરજલાલે કરાવી હતી.

💥આણંદમાં આવેલ અમૂલ ડેરીની સ્થાપના ત્રિભુવનદાસ પટેલની ગણના થાય છે જેની સ્થાપનામાં યુનિસેફની મદદ મળી હતી.

💥ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ આણંદ નજીક આવેલા વલ્લભ વિદ્યાનગરમાં શરૂ થઈ હતી.

💥વલ્લભ વિદ્યાનગરને શિક્ષણનગરી તરીકે વિકસાવવાનો શ્રેય ભાઈલાલભાઈ પટેલને જય છે.

💥ખંભાતનું જૂનું નામ સ્તંભતીર્થ હતું.

💥મારકોપોલોએ ખંભાત બંદરની મુલાકાત લીધી હતી.

💥ઇ.સ.1721માં પીલાજીરાવ ગાયકવાડે વડોદરા જીતી મરાઠા શાસનની સ્થાપના કરી હતી.

💥વડોદરાને મહેલોનું શહેર કહેવામાં આવે છે.

💥વડોદરા ગુજરાતની સાંસ્કૃતિક નગરી છે.

💥ભારતના મૂળ ગુજરાતી એવાં વડાપ્રધાન મોરારજી દેસાઈએ ગોધરા ખાતે નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.

💥પંચમહાલ જિલ્લામાં આવેલું ચાંપાનેર ગુજરાતનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ થયેલું પ્રથમ સ્થળ છે.

💥ચાંપાનેરને શહેર-એ-મૂકરર્મ નામથી નવાજયું હતું.

💥દાહોદમાં પ્રતિ વર્ષ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે.

💥ગાય ગૌહરીનો મેળો દાહોદ જિલ્લામાં ભરાય છે.

💥ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓ ખેડા જિલ્લામાં છે.

💥ચરોતર પ્રદેશને સોનેરી પર્ણની ભૂમિ તથા ગુજરાતનો હરિયાળો બગીચો પણ કહેવામાં આવે છે.

💥1857માં સંગ્રામ દરમિયાન તાત્યા ટોપેએ છોટા ઉદેપુર કબજે કરી લીધું હતું.

💥પાલનપુર ગુજરાતના પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ છે.

💥પાલનપુરને સુગંધોનું શહેર અને નવાબીનગર પણ કહેવામાં આવે છે.

💥વડનગરને ગુજરાતનું સૌથી જુનું હયાત નગર માનવામાં આવે છે.

💥ગાંધીજીએ જે ગંગાબહેનને રેંટિયો શોધી લાવવા કહેલું, તે ગંગાબહેનને વિજાપુરમાંથી રેંટિયો મળી આવ્યો હતો.

💥મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે મહાગુજરાત આંદોલન માટે કાર્યરત મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક મળી હતી.

💥ગુજરાતનો પ્રથમ પાતાળ કૂવો મહેસાણામાં આવેલો છે.

💥 મહેસાણા જિલ્લાના ચંદ્રાસન ગામે નર્મદા નદી પર દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ આવેલો છે.

💥સિદ્ધપુરને દેવોના મોસાળ તરીકે ઓળખવામાં આવે છે.

💥પાટણને આચાર્ય હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ મનાય છે.

💥દેશની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામે આવેલી છે.

💥ગુજરાતની સ્થાપના પશ્ચાત સૌપ્રથમ જિલ્લા તરીકે ગાંધીનગરની રચના થઈ હતી.

💥કચ્છ જિલ્લાના ગાંધીધામ અને આદિપુર ખાતે નિર્વાસિતો માટે આવાસ ઉભા થયા હતા.

💥રાજકોટમાં આવેલા ભક્તિનગર GIDCને ગુજરાતની પ્રથમ G.I.D.C. માનવામાં આવે છે.

💥ભોગવો નદી સુરેન્દ્રનગર અને વઢવાણને અલગ કરે છે.

💥ચોટીલાને પાંચાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.

💥વઢવાણને કાઠિયાવાડનો દરવાજો કહેવામાં આવે છે.

💥ભાવનગર સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી છે.

💥એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ભાવનગરમાં આવેલું છે.

💥ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ભાવનગરમાં આવેલું છે.

💥જામ રાવળે ઇ.સ. 1540 માં નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે.

💥જામનગરને 'છોટે કાશી અને કાઠિયાવાડનું રત્ન' કહેવામાં આવે છે.

💥હસ્તકલા ઉદ્યોગ માટે જાણીતી રૂપાયતન સંસ્થા જૂનાગઢમા આવેલી છે.

💥સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્ય કરતું હોય તેવું પીપાવાવ બંદર (પોર્ટ આલ્બર્ટ વિક્ટર) અમરેલી જિલ્લામાં આવેલું છે.

💥પોરબંદરને 'બર્ડ સીટી' તરીકે ઓળખવામાં આવે છે.

💥બોટાદ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે.

💥સાળંગપુર મંદિરમાં આવેલી મૂર્તિની સ્થાપના ગોપાળનંદજી મહારાજે કરી હતી.

💥શ્રી કૃષ્ણએ હિરણ નદીના કિનારે દેહત્યાગ કર્યો હતો તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે.

💥સુરતને 'દિલબહાર નગરી' તરીકે ઓળખવામાં આવે છે.

💥ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ સુરત શહેરમાં જોવા મળે છે.

💥ભરૂચનું પ્રાચીન નામ ભૃગુતીર્થ હતું.

💥ગાંધારમાં ગુજરાતની પ્રથમ મસ્જિદ બંધાઈ હતી.

💥નર્મદા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે.

💥ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વધઇ બોટનીકલ ગાર્ડન ડાંગ જિલ્લામાં આવેલો છે.

💥કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો વ્યારામાં જોવા મળે છે.

💥ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે ઉમરગામની ગણના થાય છે જે વલસાડ જિલ્લામાં આવેલું છે.

💥ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ભિલાડ આર.ટી.ઓ. વલસાડ જિલ્લામાં આવેલી છે.
▪️અદ્વૈતવાદશંકરાચાર્ય
▪️વિશિષ્ટ દ્વૈતવાદરામાનુજાચાર્ય
▪️દ્વૈતા દ્વૈત/ભેદભાવનિમ્બકાચાર્ય
▪️શુદ્ધ દ્વૈતવાદ/પુષ્ટિમાર્ગવલ્લભાચાર્ય
▪️અજાતવાદગૌન્ડપાદાચાર્ય

https://t.me/jnrlgk

💥💥
*🔥CURRENT🔥*

*🔘Date:-11-12-13-14/07/2019👇🏻*

●11 જુલાઈવિશ્વ વસતી દિવસ

●વર્લ્ડકપ સેમીફાઇનલમાં ભારત કયા દેશ સામે હાર્યું
*ન્યૂઝીલેન્ડ*

●ફ્રાન્સની રાજધાની જ્યાં ક્લાઈમેટ ઇમરજન્સી લગાવાઈ
*પેરિસ*

●IGP મરિન ટાસ્કફોર્સ હવે કયા નામે ઓળખાશે
*IGP કમાન્ડો ફોર્સ*

●બાળ મૃત્યુદરમાં ગુજરાત ભારતમાં કેટલામાં ક્રમે છે
*11મા*
*ગુજરાતમાં દર 1000 એ 30 બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે*

●સૌથી ઓછો બાળમૃત્યુદર કયા રાજયમાં છે
*કેરળ*
*ત્યારબાદ દિલ્હી*

●ઈટાલીમાં યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ ગ્લોબલ ઈવેન્ટમાં દુતી ચંદે 100 મીટર રેસ કેટલી સેકન્ડમાં પુરી કરી આ ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની
*11.32 સેકન્ડ*

●અમિત જેઠવા હત્યાકેસમાં કયા મુખ્ય આરોપીને આજીવન કેદની સજા થઈ
*દિનુ બોઘા સોલંકી*

●ગુજરાતમાં આરોગ્ય વન કયા જિલ્લામાં બની રહ્યું છે
*દાહોદ જિલ્લામાં*
*આ વનમાં 71 પ્રકારની કુલ 3446 ઔષધિયો રોપવામાં આવી*

●ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BHEL)ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પદે કોની નિમણુક થઈ
*ડૉ.નલિન સિંઘલ*

●હાયાબૂસા અંતરિક્ષ યાન કયા દેશનું છે
*જાપાન*

●લક્ષ્મણ ઝુલા પુલ ક્યાં આવેલો છે જેને બંધ કરાયો
*ૠષિકેશ (દેહરાદૂન)*

●ઇન્ટરનેશનલ બુકર પ્રાઈઝ 2020ના 5 સભ્યોના જજમાં સામેલ એકમાત્ર ભારતીય કોણ
*જીત થાઈલ*

●હાલમાં રશિયા પાસેથી કયા દેશે એસ-400 મિસાઈલ સિસ્ટમ ખરીદી
*તુર્કી*

●મિશન ચંદ્રયાન-2
ભારત પહેલીવાર ચંદ્ર પર રોવર ઉતારશે
સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી
GSLV માર્ક-3 રોકેટ દ્વારા
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર યાન ઉતારનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બનશે
કુલ વજન-3877 કિલો

●ચંદ્રયાન-2 મિશન સાથે સંકળાયેલ અમદાવાદની PRLના વિજ્ઞાની
*ડૉ.મેઘા યુ.ભટ્ટ*

●વિમ્બલડન જીતનારી રોમાનિયાની પ્રથમ ટેનિસ ખેલાડી કોણ બની
*સિમોના હાલેપ*

●જળ નીતિને મંજૂરી આપનારું ભારતનું પહેલું રાજ્ય કયું બન્યું
*મેઘાલય*

●પોબિતોરા વાઈલ્ડલાઈફ સેન્ચુરી કયા રાજયમાં આવેલ છે
*આસામ*

●ભારતીય બેંકર જેમને હાલમાં વિશ્વબેન્ક જૂથના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરપદે નિયુક્તિ કરવામાં આવી
*અંશુલા કાંત*

●હાલમાં પ્રસ્તુત થયેલ આંકડા મુજબ ભારતમાં સરેરાશ અપેક્ષિત આયુ કેટલું છે
*68.7 વર્ષ*
*કેરળ 75.1 વર્ષ સાથે મોખરાનું રાજ્ય*

●ગુજરાતમાં એક વ્યક્તિની સરેરાશ અપેક્ષિત આયુ કેટલા વર્ષ છે
*69.5 વર્ષ*
*દેશમાં 10મા સ્થાનનું રાજ્ય*
*ગુજરાતમાં પુરુષો સરેરાશ 67 વર્ષ 4 મહિના અને મહિલાઓ 71 વર્ષ 8 મહિના જીવે છે*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*🔥CURRENT🔥*

*🔘Date:-15/07/2019👇🏻*

●ભારતીય બોક્સર વિજેન્દ્રસિંહે અમેરિકી પ્રોફેશનલ સક્રીટમાં કયા બોક્સરને હરાવી સતત 11મી જીત મેળવી
*માઈક સ્નાઈડર*

●ક્રિકેટ વર્લ્ડકપ-2019માં કયો દેશ ચેમ્પિયન બન્યો
*ઈંગ્લેન્ડ*
*ન્યૂઝીલેન્ડને હરાવ્યું*

●વિમ્બલડન ફાઇનલમાં કોણ ચેમ્પિયન બન્યું
*સરબિયાનો જોકોવિચ*
*સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરને હરાવ્યો*

●યાસર દોગૂ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની 53 kg. કેટેગરીમાં કઈ ભારતીય પહેલવાને ગોલ્ડ જીત્યો
*વીનેશ ફોગટ*

●ટિકટોક અને હેલો એપ કયા દેશની છે
*ચીન*

●હાલમાં બેરી વાવઝોડું ક્યાં આવ્યું
*અમેરિકા*

●નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગના સર્વે મુજબ અમદાવાદ દેશનું કેટલામાં નંબરનું સૌથી પ્રદુષિત શહેર
*ત્રીજા*

●બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ એફ-1 રેસ કોણ જીત્યું
*બ્રિટનના લુઈસ હેમિલ્ટન*

●ફિફા અંડર-17 વર્લ્ડકપ ક્યાં ચાલી રહ્યો છે
*બ્રાઝીલમાં*
*24 ટીમ ભાગ લઈ રહી છે*

●ફિફાનું ફુલ ફોર્મ
*ફેડરેશન ઇન્ટરનેશનલ દ ફુટબોલ એસોસિએશન*

●સૌથી વધુ કમાણી કરનારી 100 સેલિબ્રિટીની ફોર્બ્સ યાદીમાં પ્રથમ સ્થાન કોણે મળ્યું છે
*ટેલર સ્વિફ્ટ*
*તેમની વાર્ષિક આવક 19.5 કરોડ ડોલર*

●દુનિયાના સૌથી મોટા મેટલ ડોમનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*યુક્રેન*

●350 વન-ડે ક્રિકેટ મેચ રમનાર બીજા ભારતીય ખેલાડી કોણ બન્યા
*મહેન્દ્રસિંહ ધોની*
*પ્રથમ ખેલાડી સચિન તેંડુલકર*

●ભારતનું પ્રથમ હાથી પુનર્વાસ કેન્દ્ર કયા રાજ્યમાં ખોલવામાં આવ્યું
*કેરળ*

●ભારતે કયા દેશ સાથે કેફી પદાર્થોની હેરાફેરી રોકવા માટે સમજૂતી કરી
*મ્યાનમાર*

●મહિલા સ્ટાર્ટ અપ શિખર સંમેલનનું આયોજન ક્યાં થશે
*કેરળના કોચી ખાતે*

●મીડિયાની સ્વતંત્રતા પર પહેલું વૈશ્વિક સંમેલન ક્યાં યોજાયું
*લંડન*

●યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા બહુઆયામી ગરીબી સુચકાંક બહાર પાડવામાં આવ્યો.તેમાં જણાવાયું કે ભારત 10 વર્ષમાં કેટલા કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે
*27.1 કરોડ*
*ભારત અને કંબોડીયામાં ગરીબીમાં સૌથી ઝડપી ઘટાડો થઈ રહ્યો છે*

●તાજેતરમાં ખાર્ચી પૂજા તહેવાર ક્યાં મનાવામાં આવ્યો
*ત્રિપુરા*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 2

પ્રકરણ - 1 પ્રાચીન સમાજજીવન

1.સૌથી જૂનો વેદ કયો છે ?
જવાબ: ઋગ્વેદ

2.ઋચાઓના સમૂહને શું કહે છે ?
જવાબ: સૂક્ત

3.વૈદિક મંત્રોના દ્રષ્ટા કોણ હતા ?
જવાબ: ઋષિઓ

4.ક્યા ઋષિએ બિયાસ અને સતલુજ નદીઓ સાથે સંવાદ કર્યો હતો ?
જવાબ: વિશ્વામિત્રે

5.યજ્ઞો અને અનુષ્ઠાનો કરવાનું કામ કોણ કરતું ?
જવાબ: પુરોહિતો

6.પ્રાર્થનાઓના રચયિતા પોતાને શું કહેતા ?
જવાબ: આર્ય

7.મહાપાષાણ કબરો બનાવવાની પ્રથા આશરે કેટલાં વર્ષ પહેલાં શરૂ થઈ હતી ?
જવાબ: 3000

8.ક્યા ગામની કબરમાંથી 33 સોનાના મણકા અને શંખ મળ્યા છે ?
જવાબ: બ્રહ્મગીરીની

9.ક્યા ગામના લોકો મૃતદેહોને ઘરમાં જ દફનાવતા ?
જવાબ: ઇનામગામના

10.કયા ગામમાંથી પુરાતત્ત્વવિદોને અનાજનાં બી મળ્યાં છે ?
જવાબ: ઇનામગામમાંથી

11.વેદોની સંખ્યા કેટલી છે ?
જવાબ: 4

12.ઇન્દ્ર શાના દેવતા છે ?
જવાબ: યુદ્ધ

13.ઋગ્વેદના રચયિતાએ કોની સરખામણી ગાયો અને ઘોડા સાથે કરી છે ?
જવાબ: નદીઓ

14.વૈદિકકાળમાં દસ્યુ લોકો ક્યા પ્રદેશની આજુબાજુ રહેતા હતા ?
જવાબ: પંજાબ

15.પાષાણ એટલે શું ?
જવાબ: પથ્થર

16.વૈદિક સમય દરમિયાન યજ્ઞોમાં શાની આહુતી આપવામાં આવતી હતી ?
જવાબ: ઘી-અનાજ

17.સોમ એ શું છે ?
જવાબ: એક છોડ

18.ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે ?
જવાબ: 1000 થી વધુ

19.ઋગ્વેદની ભાષા શું કહેવાતી હતી ?
જવાબ: વૈદિક સંસ્કૃત

20.વેદોને છાપવાનું કામ ક્યારે થયું ?
જવાબ: 200 વર્ષ પહેલાં

21.રાજા ક્યું કામ કરતા હતા ?
જવાબ: આપેલ ત્રણેય

22.જનતા અથવા પુરા સમુદાય માટે કયા શબ્દોનો ઉપયોગ થતો હતો ?
જવાબ: જન-વિશ

23.અગ્નિ શાના દેવતા છે ?
જવાબ: આગના

24.નીચેનામાંથી કયો વેદ નથી ?
જવાબ: અર્થવેદ

25.વેદો હજારો વર્ષો સુધી માત્ર કર્ણોપકર્ણ સાંભળીને, કંઠસ્થ કરીને યાદ રખાયા હોવાથી શું કહેવાય છે ?
જવાબ: શ્રુતિગ્રંથો

26.ઋગ્વેદના અમુક સૂક્તો શાના રૂપમાં મુકાયેલા છે ?
જવાબ: સંવાદ

27.ઇનામગામ ક્યાં આવેલ છે ?
જવાબ: ઘોડ નદીના કિનારે

28.ઋગ્વેદની રચના આશરે કેટલા વર્ષ પહેલાં થયેલ હોવાનું મનાય છે ?
જવાબ: ઈ.સ. પૂર્વે 3000-3500

29.ઋગ્વેદમાં આવેલા સૂક્ત કોની સ્તુતિ માટેના મંત્રો છે ?
જવાબ: દેવી-દેવતાઓની
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 1

પ્રકરણ - 8 વિવિધતામાં એકતા

1.શાની કલ્પના આઝાદીની લડત દરમિયાન કરવામાં આવી હતી ?
જવાબ: તિરંગાની

2.આમાંથી કયો હિંદુનો તહેવાર નથી ?
જવાબ: નાતાલ

3.આમાંથી કયો મુસલમાનનો તહેવાર નથી ?
જવાબ: ઓણમ

4.આપણું રાષ્ટ્રગાન કયું છે ?
જવાબ: જન ગણ મન...

5.આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
જવાબ: વાઘ

6.આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
જવાબ: મોર

7.આપણું રાષ્ટ્રીય ગીત કયું છે ?
જવાબ: વંદે માતરમ્

8.આપણો રાષ્ટ્રધ્વજ કયો છે ?
જવાબ: તિરંગો

9.આમાંથી કયો પારસીનો તહેવાર છે ?
જવાબ: નવરોજ

10.આપણું રાષ્ટ્રીય કેલેન્ડર કયું છે ?
જવાબ: શક સંવત

11.ગુજરાતના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: ગરબો

12.મહારાષ્ટ્રના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: કોળી-નૃત્ય

13.રાજસ્થાનના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: ઘૂમર

14.પંજાબના લોકોનું નૃત્ય કયું છે ?
જવાબ: ભાંગડા

15.ગુજરાતનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: નવરાત્રિ

16.મહારાષ્ટ્રનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: ગણેશ ચતુર્થી

17.રાજસ્થાનનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: હોળી

18.પંજાબનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: બૈશાખી

19.પશ્ચિમ બંગાળનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
જવાબ: દુર્ગાપૂજા

20.આપણી રાષ્ટ્રીય મુદ્રા કઈ છે ?
જવાબ: સારનાથનો અશોક સ્તંભ
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 1

પ્રકરણ - 7 ગુજરાત: સ્થાન, સીમા અને ભૂપૃષ્ઠ

1.ભારતમાં ગુજરાતનું સ્થાન કઈ દિશામાં છે ?
જવાબ: પશ્ચિમ

2.ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિલોમીટર લાંબો છે ?
જવાબ: 1600 કિલોમીટર

3.ગુજરાતને કેટલા પ્રકારની સીમા છે ?
જવાબ: 2

4.ગુજરાતની પૂર્વ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
જવાબ: મધ્યપ્રદેશ

5.ગુજરાતની ઉત્તર દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
જવાબ: રાજસ્થાન

6.ગુજરાતની દક્ષિણ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
જવાબ: મહારાષ્ટ્ર

7.ગુજરાતની વાયવ્ય સરહદે ક્યો દેશ આવેલો છે ?
જવાબ: પાકિસ્તાન

8.ગુજરાતની ઉત્તર-દક્ષિણ લંબાઈ કેટલા કિમી છે ?
જવાબ: 590 કિમી

9.ગુજરાતનો કુલ વિસ્તાર કેટલા ચો.કિમી છે ?
જવાબ: '1,96,024 ચો.કિમી

10.ગુજરાતનો ભૂમિપ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો છે ?
જવાબ: 5

11.ભૂપૃષ્ઠની દ્રષ્ટીએ ગુજરાતના કેટલા ભાગ પડે છે ?
જવાબ: 5

12.ભારતમાં કયા રાજ્યની દરિયાઈ સીમા સૌથી લાંબી છે ?
જવાબ: ગુજરાતની

13.ભારતના રાજ્યોમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે ?
જવાબ: સાતમું

14.કચ્છનો ઘણો મોટો વિસ્તાર કયા પ્રદેશનો બનેલો છે ?
જવાબ: રણપ્રદેશનો

15.ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે ?
જવાબ: અરબ સાગર

16.ગુજરાતના દરિયાકિનારે કેટલા અખાત આવેલા છે ?
જવાબ: 2

17.ગુજરાતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ કેટલા કિમી છે ?
જવાબ: 500 કિમી

18.ગુજરાતમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?
જવાબ: કર્કવૃત્ત

19.કચ્છનું રણ એ શું છે ?
જવાબ: ખારોપાટ

20.સમુદ્રની સપાટીથી ઊંચે આવેલા મેદાન જેવા પ્રદેશને શું કહેવામાં આવે છે ?
જવાબ: ઉચ્ચપ્રદેશ

21.ગુજરાતનો વિસ્તાર ભારતના કુલ વિસ્તારના આશરે કેટલા ટકા છે ?
જવાબ: 6%

22.નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી ?
જવાબ: ખેડા

23.ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ કેટલાં ભાગમાં વહેંચાયેલો છે ?
જવાબ: 3

24.તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થતો નથી ?
જવાબ: શેત્રુંજો ડુંગર

25.સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
જવાબ: ચોટીલાનો ડુંગર

26.તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
જવાબ: સાપુતારાનો ડુંગર

27.કચ્છના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
જવાબ: ધીણોધરનો ડુંગર

28.નીચેનામાંથી ભૂપૃષ્ઠના કયા સ્વરૂપમાં સૌથી વધુ વસ્તી હોય છે ?
જવાબ: મેદાન પ્રદેશમાં

29.પ્રાચીન સમયમાં ગુજરાત અને ભારતનો વેપાર કયા બંદરેથી થતો નહોતો ?
જવાબ: કંડલા

30.નીચેનામાંથી ક્યો જિલ્લો દરિયાઈ સીમા ધરાવતો નથી ?
જવાબ: સુરેન્દ્રનગર
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 1

પ્રકરણ - 6 સ્થાયી જીવનની શરૂઆત

1.ગોમટુંને રોજ શિકારે જવામાં કોની વધારે હૂંફ મળે છે ?
જવાબ: ગૂલુની

2.ગોમટુંની આખી ટોળીને રોજ શિકાર માટે ભટકવાનું હોય છે, કારણ કે . . .
જવાબ: એમને ઘર જેવું કંઈ છે જ નહિ.

3.આદિમાનવ રહેઠાણના સ્થળ તરીકે મોટે ભાગે શું પસંદ કરતો ?
જવાબ: ગુફા

4.આદિમાનવનું ભટકતા રહેવાનું એકમાત્ર કારણ કયું હતું ?
જવાબ: ખોરાકની જરૂરિયાત

5.જોમાનું ઝૂંપડું પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહેતું, કારણ કે . . .
જવાબ: તેના પિતા કબીલાના નાયક હતા.

6.ખોદકામ કરતાં પુરાતત્ત્વવિદોને મળેલા અવશેષોમાં કઈ વસ્તુ નહોતી ?
જવાબ: રમકડાં

7.સંભવતઃ સૌથી પહેલાં ઘઉં અને જવ ઉગાડવાનું ક્યા પુરાતન સ્થળે શરૂ થયેલું મનાય છે ?
જવાબ: મેહરગઢમાં

8.પુરાતત્ત્વવિદોને ક્યા સ્થળેથી ઘેટાં-બકરાં અને ગાયોનાં હાડકાં વધુ પ્રમાણમાં મળ્યાં છે ?
જવાબ: મેહરગઢમાંથી

9.મેહરગઢમાંથી મળેલ ઘરના ઓરડા કેટલા છે ?
જવાબ: 4 કે તેથી વધુ

10.આદિમાનવ ખેતી અને પશુઓની સારસંભાળ રાખવાનું શીખતા કેવું જીવન જીવવા લાગ્યો ?
જવાબ: સ્થાયી

11.પુરાતન સ્થળ મેહરગઢ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: પાકિસ્તાનમાં

12.પુરાતન સ્થળ મહાગઢ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: ઉત્તરપ્રદેશમાં

13.પુરાતન સ્થળ બુર્જહોમ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: કશ્મીરમાં

14.પુરાતન સ્થળ ચિરાદ હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: બિહારમાં

15.પુરાતન સ્થળ હુલ્લર હાલ ક્યાં આવેલું છે ?
જવાબ: આંધ્રપ્રદેશમાં

16.મેહરગઢમાંથી મળેલી એક કબરમાં સામાનની સાથે શું દાટવામાં આવ્યું હતું ?
જવાબ: બકરી

17.પાલતું બનાવાયેલ સૌપ્રથમ પ્રાણી કયું હતું ?
જવાબ: કૂતરો

18.અનાજ અને વનસ્પતિઓ વાટવા માટે પુરાતત્ત્વવિદોને જમીનમાંથી શું મળ્યું હતું ?
જવાબ: ખરલ
vigyan


દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે ?
રેનિન

મોતીના મુખ્ય ઘટકો જણાવો ?
કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.

શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ?
ત્વચા

કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ?
કાર્બન ડાયોકસાઇડ

હેલીનો ધૂમકેતુ કઈ સાલ માં દેખાશે ?
ઇ.સ. 1962

રેડિયમની કાચી ધાતુનું નામ જણાવો ?
પીચ બ્લેંડી

વિટામીન B12 નું બીજું નામ શું છે ?
સાઈનોકોબાલેમીન

હાડકાની રાખમાં શું હોય છે ?
કેલ્શિયમ ફોસ્ફેટ

ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે ?
7.38 %

પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે ?
તેની ઘનતામાં ઘટાડો થાય છે.

કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે ?
સલ્ફર

લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે ?
વિટામીન -A

ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ?
ડૉ.સી.વી.રામન

વિશ્વની પ્રયોગ શાળા કઈ છે ?
એન્ટાર્કટિકા

લોજિક બોંબ શું છે ?
કોમ્પ્યુટર વાઇરસ

કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પર અસર થાય છે ?
ચેતાતંત્ર પર

લવિંગ શામાંથી મળે છે ?
ફૂલની કાળી માંથી

લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે ?
મુત્રપિંડ (કિડની )

ડાઇન એ શાનો એકમ છે ?
બળનો એકમ
🔘ડેન્માર્કનું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે
*રેતાળ દરિયા કિનારો*

🔘બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલું હોર્સા એરક્રાફ્ટ કયા પ્રકારનું હતું
*ગ્લાઈડર*

🔘"ધ બેટલ ઓફ સ્વરાજ" પુસ્તકના લેખકનું નામ શું છે
*એ.એમ.જૈદી*

🔘રશિયાનું કિલ કઈ નદીને કિનારે આવેલું છે
*નીપર*

🔘હિન્દ મહાસાગરનું મોતી એટલે કયો દેશ
*શ્રીલંકા*

🔘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુગરકેન રિસર્ચની હેડ ઓફીસ ક્યાં આવેલી છે
*લખનૌ*

🔘કયા કોમેડિયને નાકનો દસ લાખ ડોલરનો વીમો ઉતરાવ્યો હતો
*જીમ્મી દુરાન્ટ*

🔘"ધ ગોડ ધેટ ફેઈલ્ટ"ના લેખકનું નામ શું છે
*આર્થર કોએસ્લર*

🔘બાંગ્લાદેશનો મધ્યયુગીન ઈતિહાસ શું છે
*ભારતનો મધ્યયુગીન ઇતિહાસ એ જ બાંગ્લાદેશનો*

🔘સ્વતંત્ર ભારતમાં ચલણનું અવમૂલ્યન સૌપ્રથમ ક્યારે કરાયું હતું
*1949*

🔘ગુજરાતના વલ્લભીમાં 7મી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી
*હ્યુ આન સંગ*

🔘બ્રિટિશકાળ દરમિયાન મુંબઇ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક કયું હતું
*સુરત*

🔘19મી સદીમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી
*વડોદરા*

🔘ભારતમાં બેરોજગારી સમસ્યાના ઉકેલ માટે કઈ યોજના છે
*પ્રધાનમંત્રી કૌશલ યોજના*

🔘ચીનની પ્રખ્યાત દીવાલ કોણે બંધાવી હતી
*શી-હવાંગ-ટી*

🔘છાપકામ વિદ્યા કોણે વિકસાવી
*જ્હોન ગોટનબર્ગ*

🔘પૃથ્વીનો સરેરાશ વ્યાસ કેટલો
*12714 કિમી.*

🔘ગ્રીસના કયા કલાકારે દ્રાક્ષનું ચિત્ર દોરેલું જે જોઈને પક્ષીઓ તેને ખાવા આવેલા
*કેલિક્રેટસ*

🔘ગ્રાન્ડ ટ્રંક રોડ કયા બે શહેરોને જોડે છે
*દિલ્હી-કોલકાતા*

🔘વિશ્વનો સૌથી ઊંચો ધોધ કયો છે
*એન્જલનો*

🔘મુગલ સામ્રાજ્યનો કયો બાદશાહ બે વાર ગાદીએ બેઠો
*હુમાયુ*

🔘હમ્મુરાબી કોની સાથે સંકળાયેલ હતો
*બેબીલોન*

🔘સ્મરણ અને ચિંતનનું કાર્ય મગજના કયા ભાગમાં થાય છે
*સેરીબ્રીમ*

https://t.me/jnrlgk

~💥રણધીર💥~
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 2

પ્રકરણ - 2 ગુજરાતની આબોહવા અને કુદરતી સંસાધનો


1.ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર ક્યા કટિબંધમાં છે ?
જવાબ: ઉષ્ણ

2.ગુજરાતમાં કઈ ઋતુમાં માવઠું પડે છે ?
જવાબ: શિયાળામાં

3.ગુજરાતમાં મે મહિના પછી ક્યા પવનો વાય છે ?
જવાબ: નૈઋત્યના પવનો

4.ગુજરાતમાં ક્યા મહિનામાં સૌથી વધુ ઠંડી પડે છે ?
જવાબ: જાન્યુઆરી

5.ગુજરાતમાં ક્યા મહિનામાં સૌથી વધુ ગરમી પડે છે ?
જવાબ: મે

6.નીચેનામાંથી કઈ નદી અંત:સ્થ નદી નથી ?
જવાબ: મચ્છુ

7.ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?
જવાબ: નર્મદા

8.દાંતીવાડા યોજના કઈ નદી પર આવેલી છે ?
જવાબ: બનાસ

9.ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
જવાબ: કંડલા

10.આમાંથી ક્યા જિલ્લામાં મૅન્ગ્રુવ જંગલો આવેલાં છે ?
જવાબ: કચ્છ

11.કાગળ બનાવવા માટે ક્યા વૃક્ષનું લાકડું વપરાય છે ?
જવાબ: વાંસનું

12.પિરોટન ટાપુ પાસેથી કઈ માછલી મળે છે ?
જવાબ: કાલુ માછલી

13.ગુજરાતનો દરિયાકિનારો આશરે કેટલા કિલોમીટર લાંબો છે ?
જવાબ: 1600

14.દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા જિલ્લામાં આવેલો છે ?
જવાબ: જામનગર

15.કયું ખનીજ સિમેન્ટ ઉદ્યોગમાં વપરાય છે ?
જવાબ: ચૂનાનો પથ્થર

16.કયું ખનીજ ધાતુઓને ઓગાળવા માટે ખૂબ જ ઉપયોગી છે ?
જવાબ: ફ્લોરોસ્પાર

17.કયું ખનીજ પેન્સીલ બનાવવામાં વપરાય છે ?
જવાબ: ગ્રૅફાઈટ

18.એશિયાભરમાં સિંહો માટે જાણીતું અભ્યારણ્ય કયું છે ?
જવાબ: સાસણગીર અભ્યારણ્ય

19.કડાણા યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: મહી

20.નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: અમદાવાદ

21.આપણે ત્યાં મુખ્ય ઋતુઓ કેટલી છે ?
જવાબ: ત્રણ

22.કોઈપણ જગ્યા કે સ્થળની હવામાં રહેલા તાપમાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિને શું કહે છે ?
જવાબ: આબોહવા

23.દરિયાકિનારાનાં પ્રદેશોમાં કેવી આબોહવા અનુભવાય છે ?
જવાબ: સમઘાત

24.નીચેનામાંથી કયું દરિયાકિનારે આવેલું વિહારધામ નથી ?
જવાબ: સાપુતારા

25.ગુજરાતમાં શિયાળો ક્યારે હોય છે ?
જવાબ: ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી

26.ગુજરાતમાં ઉનાળો ક્યારે હોય છે ?
જવાબ: માર્ચથી મે સુધી

27.ગુજરાતમાં ચોમાસું ક્યારે હોય છે ?
જવાબ: જૂનથી સ્પ્ટેમ્બર સુધી

28.નીચેનામાંથી શિયાળામાં કયું ફળ ખવાય છે ?
જવાબ: બોર

29.નીચેનામાંથી ઉનાળામાં કયું ફળ ખવાય છે ?
જવાબ: કેરી

30.નીચેનામાંથી ચોમાસામાં કયું ફળ ખવાય છે ?
જવાબ: જાંબુ

31.આપણી પાસેની વિવિધ પ્રકારની સંપત્તિને શું કહે છે ?
જવાબ: સંસાધન

32.નીચેનામાંથી સંસાધનમાં કોનો સમાવેશ થાય છે ?
જવાબ: આપેલા બધા

33.નીચેનામાંથી કઈ નદી ગુજરાતની નદી નથી ?
જવાબ: કાવેરી

34.ઉકાઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: તાપી

35.કાકરાપાર યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: તાપી

36.વણાકબોરી યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: મહી

37.ધરોઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: સાબરમતી

38.સરદાર સરોવર યોજના કઈ નદી ઉપર આવેલી છે ?
જવાબ: નર્મદા

39.કચ્છ જિલ્લામાં કયું સરોવર આવેલું છે ?
જવાબ: નારાયણ સરોવર

40.વડોદરા જિલ્લામાં કયું સરોવર આવેલું છે ?
જવાબ: આજવા સરોવર

41.ગુજરાતના દરિયાકિનારે નાના મોટા કેટલાં બંદરો આવેલાં છે ?
જવાબ: 40

42.એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં આવેલું છે ?
જવાબ: ઓખા અને લાંબા ખાતે

43.કયા બે બંદર વચ્ચેનાં દરિયાકાંઠે કિંમતી એવી વ્હેલ અને શાર્ક માછલી શિયાળામાં દરિયાકાંઠે આવતી હોય છે ?
જવાબ: ઓખા અને વેરાવળ

44.120 સેમી કે તેથી વધુ વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: ભેજવાળાં પાનખર જંગલો

45.60 સેમી થી120 સેમી જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: સૂકાં પાનખર જંગલો

46.60 સેમી કરતાં ઓછા વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: સૂકાં ઝાંખરાવાળાં જંગલો

47.કચ્છના પશ્ચિમ તથા દરિયાકિનારે કાદવ-કીચડવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?
જવાબ: મેન્ગ્રુવના જંગલો

48.વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ: 5મી જૂન

49.વિશ્વ વન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ: 2જી માર્ચ

50.રણ અટકાવવા માટેનો દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ: 17મી જૂન

51.દીવાસળીની પેટી કયા વૃક્ષનાં લાકડામાંથી બનાવવામાં આવે છે ?
જવાબ: શીમળાનાં

52.કયા વૃક્ષના લાકડાંને લાંબા સમય સુધી ઊધઈ લાગતી નથી ?
જવાબ: સાલનાં

53.કયા વૃક્ષના લાકડાંમાંથી રેલવેના સ્લીપર અને રેલવેના ડબ્બા બનાવવામાં આવે છે ?
જવાબ: સાલનાં

54.કયા વૃક્ષના પાનમાંથી પડિયાં-પતરાળાં બનાવવામાં આવે છે ?
જવાબ: ખાખરાનાં

55.કયા વૃક્ષના ફળમાંથી તેલ કાઢી તેમાંથી સાબુ બનાવવામાં આવે છે ?
જવાબ: મહુડાનાં

56.જ્યાં પશુપંખી નિર્ભયતાથી રહી શકે, તેમનું સંવર્ધન થઈ શકે અને જ્યાં શિકાર પર પ્રતિબંધ હોય તેવા વિસ્તારને શું કહે છે
જવાબ: અભ્યારણ્ય

57.રીંછ માટેનું ડેડિયાપાડા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: નર્મદા જિલ્લામાં

58.ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ:
જામનગર જિલ્લામાં

59.ઘુડખર માટેનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: કચ્છ જિલ્લામાં

60.જેસોર રીંછ અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: બનાસકાંઠા જિલ્લામાં

61.બરડીપાડાનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: ડાંગ જિલ્લામાં

62.રતનમહાલ રીંછ અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: દાહોદ જિલ્લામાં

63.પાણિયા અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: અમરેલી જિલ્લામાં

64. હિંગોળગઢ અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: રાજકોટ જિલ્લામાં

65.થોળ ખાતે વિવિધરંગી પક્ષી અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: મહેસાણા જિલ્લામાં

66.વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: નવસારી જિલ્લામાં

67.વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ: ભાવનગર જિલ્લામાં

68.એલ્યુમિનિયમ આધારિત કારખાનામાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: બૉક્સાઇટ

69.દરિયાના પાણીના શુદ્ધિકરણમાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: ડોલોમાઈટ

70.શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: અકીક

71.તાપ વિદ્યુતનાં ઉત્પાદનમાં અને ડામર રસાયણ ઉદ્યોગમાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: લિગ્નાઈટ

72.સ્ટોરેજ બેટરી અને ઝીંક ઓક્સાઈડ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: સીસું

73.વીજળીના તાર બનાવવા અને વાસણો બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: તાંબું

74.ગેલ્વેનાઈઝ પતરાંમાં ઢોળ ચડાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: જસત

75.ડાયનાસોરનો અર્થ શું થાય છે ?
જવાબ: ભયાનક ગરોળી

76.ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય ક્યું છે ?
જવાબ: જૂનાગઢનું શક્કરબાગ

77.નીચેનામાંથી કઈ માછલી મોતી આપે છે ?
જવાબ: કાલુ માછલી

78.મેન્ગ્રુવ જંગલનું બીજું નામ શું છે ?
જવાબ: ભરતીનું જંગલ
Forwarded from Maru Gujarat official©
*SHORT TRICK*

*હિમાલય પર્વત જે પાંચ દેશોની સીમાઓ જોડે જોડાયેલા છે*

*ચીભા ને ભૂ પા*

*ચી*ચીન
*ભા*ભારત
*ને*નેપાળ
*ભૂ*ભૂતાન
*પા*પાકિસ્તાન


*પાકિસ્તાન સાથે જોડાયેલા રાજસ્થાનના ચાર જિલ્લા*

*બા જેસીબી*

*બા*બાડમેર
*જે*જેસલમેર
*સી*શ્રી ગંગાનગર
*બી*બિકાનેર


*પ્રધાનમંત્રીઓ જે રાજ્યસભાના સભ્યો હતા*

*ઇચગાર્ડ*

*ઇ*ઇન્દિરા ગાંધી
*ચ*એચ.ડી.દેવગોડા
*ગા*ઇન્દ્રકુમાર ગુજરાલ
*ર્ડ*ડૉ. મનમોહન સિંહ


*પરમાણુ તત્વના શોધક*

*ઈટ પર નાચET PR NC*

*ઈટ-ET*ઈલેક્ટ્રોન (થોમસ)
*પર-PR*પ્રોટોન (રૂધરફોર્ડ)
*નાચ-NC*ન્યુટ્રોન (ચેડવીક)


*પંજાબમાં મળતી પાંચ નદીઓ*

*સરાબિ ચીઝે*

*સ*સતલજ
*રા*રાવી
*બિ*બિયાસ
*ચિ*ચિનાબ
*ઝે*ઝેલમ


*ભારતની લાંબી નદીઓ ક્રમાનુસાર*

*ગંગો કૃષ્ણાય નમઃ*

*ગં*ગંગા- 2525 km.
*ગો*ગોદાવરી - 1465 km.
*કૃષ્ણા*કૃષ્ણા - 1401 km.
*ય*યમુના - 1375 km.
*નમઃ*નર્મદા - 1312 km.


*ગુજરાતના પાંચ જિલ્લાઓના નામ નદીઓના નામથી પડ્યા છે*

*બે સમાનતા*

*બે*બનાસકાંઠા
*સ*સાબરકાંઠા
*મા*મહિસાગર
*ન*નર્મદા
*તા*તાપી


*ગુજરાતના ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો*

*બા ગમવા *

*બા*બ્લેકબક નેશનલ પાર્ક, વેળાવદર (ભાવનગર)
*ગ*ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક, ગીર (સોમનાથ)
*મ*મરીન નેશનલ પાર્ક,કચ્છનો અખાત(દેવભૂમિ દ્વારકા)
*વા*વાંસદા નેશનલ પાર્ક,(નવસારી)


💥રણધીર ખાંટ💥