સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
1.ભારતના બંધારણનો તાત્કાલિક અમલ ક્યારથી કરવામાં આવ્યો
*26 નવેમ્બર,1949*

2.સુભાષચંદ્ર બોઝનો વિવાદાસ્પદ વિમાન અકસ્માત કયા સ્થળે થયો હતો
*(તૈહોકું)તાઈવાન*

3.મૃણાલિની સારાભાઈનો જન્મ કયા રાજયમાં થયો હતો
*કેરળ*

4.1967માં પશ્ચિમ બંગાળના નક્સલબારી ગામમાં શરૂ થયેલ ઘટનાએ વખત જતા 'નક્સલવાદ' નામની આતંકવાદી ચળવળનું સ્વરૂપ ધારણ કર્યું. આ ચળવળ હાલમાં ભારતની સૌથી મોટી આતંકવાદી ચળવળનું રૂપ પામી.ભારતમાં નક્સલવાદી પ્રભાવિત વિસ્તારને કયા નામે ઓળખવામાં આવે છે
*રેડ કોરિડોર*

5.વિશ્વનું 'અંતરિક્ષમાં તરતું મુકવામાં આવેલું સૌપ્રથમ ટેલિસ્કોપ' કયું છે
*હબલ*

6.ભારતમાં સૌથી વધુ વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ (FDI) કયા દેશમાંથી આવે છે
*મોરેશિયસ*

7.'સુભાષચંદ્ર કપૂર' કોણ છે
*મંદિરોમાં મૂર્તિઓ ચોરનાર*

8.'હિટ રિફ્રેશ' પુસ્તક શેને લગતું છે
*માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાની આત્મકથા*

9.યહૂદીઓનું ગુજરાતમાં એકમાત્ર ધર્મસ્થાન 'માગેન અબ્રાહમ સિનેગોગ' ક્યાં આવેલું છે
*ખાડિયા,અમદાવાદ*

10.'સેતુ ભારતમ પ્રોજેક્ટ' કયો લક્ષ્યાંક પાર પાડવા માંગે છે
*રાષ્ટ્રીય ધોરીમાર્ગોને રેલવે પુલોથી મુક્ત બનાવવા*

*ગુજરાત સમાચાર : શતદલ માંથી*


💥રણધીર ખાંટ💥
[10/10/2018, 11:46 am] Randheer: છંદ યાદ રાખો
17 અક્ષર વાળા છંદ યાદ રાખો:
*🖊મશિ પૃથ્વી🌍*
*મ*મંદાક્રાંતા
*શિ*શીખરિણી
*પૃથ્વી*પૃથ્વી

*અનુષ્ટુપ*અષ્ટ એટલે આઠ યાદ રાખો
દરેક ચરણમાં આઠ અક્ષર

*શાર્દૂલવિક્રીડિત*
એક માત્ર છંદ જેના 19 અક્ષર છે.

*સ્ત્રગ્ધરા*
રા એટલે ૨૧ યાદ રાખો. આ છંદમાં 21 અક્ષર આવે છે.

*દોહરો છંદ*
પહેલા ચરણમાં 13 માત્રા એટલે દ1-દો એટલે 13 માત્રા યાદ રાખો
બીજા ચરણમાં 11 માત્રા એટલે ર૧(બે એક)-૧૧ યાદ રાખો

*ચોપાઈ છંદ*
પા એટલે 1૫(પંદર) યાદ રાખો
ચાર ચરણ - દરેક ચરણમાં 15 અક્ષર


💥રણધીર ખાંટ💥
[10/10/2018, 10:12 pm] Randheer: ગુજરાતની અસ્મિતાનો જયઘોષ સૌપ્રથમ કોણે કર્યો
*પ્રેમાનંદ*

ગુજરાતની અસ્મિતાના ઉદ્દગાતા તરીકે કયા ગુજરાતી નવલકથાકાર જાણીતા છે
*કનૈયાલાલ મુનશી*

💥💥
[12/10/2018, 6:57 pm] Randheer: ગીર જંગલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે
*જૂનાગઢ*

ગીર અભ્યારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે
*ગીર સોમનાથ*


💥💥
[12/10/2018, 7:08 pm] Randheer: કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે
*સિલ્વર અયોડાઈડ*

તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત હોય છે
*સલ્ફર ડાયોક્સાઈડ*

💥💥
[25/10/2018, 11:36 pm] Randheer: વિષુવવૃત્તથી ઉત્તર તરફની આડી રેખા
*કર્કવૃત્ત*

વિષુવવૃત્તથી દક્ષિણ તરફની આડી રેખા
*મકરવૃત્ત*

પૃથ્વીની મધ્યમાંથી પસાર થતી આડી રેખા
*વિષુવવૃત્ત*


💥💥
[25/10/2018, 11:43 pm] Randheer: એટલેન્ટિક અને પેસેફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે
*પનામા નહેર*

રાતા સાગરને ભૂમધ્ય સાગર સાથે કઈ નહેર જોડે છે
*સુએજ નહેર*

💥💥
[25/10/2018, 11:55 pm] Randheer: *હિમાલય કયા પાંચ દેશોમાંથી પસાર થાય છે*

*ચીભા ને ભુ(પાણી) પા(આપ)*

*ચી*ચીન
*ભા*ભારત
*ને*નેપાળ
*ભુ*ભુતાન
*પા*પાકિસ્તાન


💥💥
[26/10/2018, 12:08 am] Randheer: બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેના સિદ્ધાંતોમાં બીગ બેંગ સિદ્ધાંત કોણે આપેલો છે
*ઈ.જ્યોર્જ લેમેત્ર દ્વારા*

બ્રહ્માંડની ઉત્પત્તિ અંગે સ્થાયી અવસ્થા સિદ્ધાંત કોણે આપેલો છે
*થોમસ ગોલ્ડ અને હર્મન બોન્ડી દ્વારા*

બ્રહ્માંડની ઉત્પત્તિ અંગે કંપન બ્રહ્માંડ સિદ્ધાંત કોણે આપેલો છે
*એલન સન્ડેસ દ્વારા*



સમશિતોષ્ણ ઘાસના મેદાનો એટલે
*પ્રેઈરિઝ*

ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો કહેવાય
*સવાના*

વિષુવવૃત્તીય પ્રદેશોમાં થતા ઘાસને કહેવાય
*સેલ્વા*


💥રણધીર ખાંટ💥
ખૂંપાવાળી પાઘડી કયા વિસ્તારમાં જોવા મળે છે
*બરડા*

ગુજરાતમાં ચાંચવાળી પાઘડી ક્યાં પહેરવામાં આવે છે
*ગોંડલ*

આંટીયાળી પાઘડી ક્યાં પહેરવામાં આવે છે
*ઓખા પ્રદેશ*

ઈંઢોણી આકારની ગોળમટોળ પાઘડી કયા વિસ્તારમાં જોવા મળે છે
*મોરબી મચ્છુકાંઠા*

👆🏻અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

💥💥
*ખગોળ વિજ્ઞાન*


તારાઓનું જન્મસ્થળ કયું ગણાય છે
નિહારિકા

ગ્રીક સંસ્કૃતિ મુજબ શુક્રને કયો ગ્રહ કહેવામાં આવે છે
પ્રેમ અથવા સૌંદર્યની દેવી

પૃથ્વીનો જુડવા ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે
શુક્રને

જળની ઉપસ્થિતિને કારણે કયા ગ્રહને ભૂરો ગ્રહ કહેવામાં આવે છે
પૃથ્વી

ફોબોસ અને ડિમોસ કયા ગ્રહના ઉપગ્રહો છે
મંગળ

માઉન્ટ એવરેસ્ટથી ત્રણ ઘણો ઊંચો પર્વત 'નિક્સ ઓલમ્પિયા' છે.જે સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત છે.તે કયા ગ્રહ પર આવેલો છે
મંગળ

મંગળને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે
યુદ્ધનો દેવતા

કયા ગ્રહનું બંધારણ સૂર્ય જેવું છે
ગુરુ

શનિ ગ્રહની ફરતે ત્રણ વલયો(A,B,C) આવેલા છે.A અને B વચ્ચેની ખાલી જગ્યાને શું કહે છે
કાશીની વિભાજન રેખા

વરસાદનો કે સમુદ્રનો ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે
નેપ્ચુન (વરુણ)

પ્લુટોની ગ્રહ તરીકેની માન્યતા ક્યારે રદ કરાઈ
2006 થી

મૃત્યુનો ગ્રહ કયા ગ્રહને કહેવાય છે
પ્લુટો

યુરેનસ (અરુણ) ગ્રહની શોધ કોને કરી હતી
1781માં સર વિલિયમ હર્ષલે

પ્લુટોને ગ્રહોની શ્રેણીમાંથી કેમ બહાર કાઢવામાં આવ્યો છે
કારણ કે પ્લુટો તેના ઉપગ્રહ કરતાં પણ નાનો હતો ઉપરાંત વૃત્તાકાર કક્ષા યોગ્ય ન હતી.

પ્લુટોનો એક માત્ર ગ્રહ કયો છે
શેરોન

કયા ગ્રહોને કોઈ ઉપગ્રહ નથી
બુધ અને શુક્રનો

ચંદ્રની સપાટી અને તેની આંતરિક સ્થિતિનું અધ્યયન કરતા વિજ્ઞાનને શું કહે છે
સેલેનોલોજી (Selenology)

ચંદ્ર પર આવેલા ધૂળના મેદાનોને શું કહેવામાં આવે છે
શાંતિસાગર


💥રણધીર ખાંટ💥
*ભારતની લાંબી નદીઓ ઉતરતા (લંબાઈમાં મોટીથી નાની) ક્રમમાં યાદ રાખવાની શોર્ટ ટ્રીક*

*🌊ગંગો કૃષ્ણાય નમઃ🌊*
*ગં*ગંગા - 2525 કિમી.

*ગો*ગોદાવરી - 1465 કિમી.

*કૃષ્ણા*કૃષ્ણા - 1401 કિમી.

*ય*યમુના - 1375 કિમી.

*નમઃ*નર્મદા - 1312 કિમી.


*ભારતના અગત્યના જળધોધ ઉતરતા (ઊંચાઈમાં મોટાથી નાના) ક્રમમાં યાદ રાખવાની શોર્ટ ટ્રીક*

*જોશિ હું ગોચિ*

*જો*જોગનો ધોધ - 253 મીટર

*શિ*શિવસમુદ્રમ ધોધ - 98 મીટર

*હું*હુંડરા ધોધ - 74 મીટર

*ગો*ગોકાક ધોધ - 55 મીટર

*ચિ*ચિત્રકોટ - 30 મીટર


💥રણધીર ખાંટ💥
*Degreesમાં કેટલાંક વિશેષણોના અનિયમિત રૂપો થાય છે*

*Positive* *Comparative* *Superlative*
1.little - less - least
2.much - more - most
3.good - better - best
4.bad - worse - worst
કવિ દલપતરામે ચૌદ વર્ષની ઉંમરે કયા સ્વામીથી પ્રભાવિત થઈને સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો હતો
*ભૂમાનંદ સ્વામીથી*

કવિ દલપતરામે કયા સ્વામી પાસે કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું હતું
*દેવાનંદ*

અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય 'બાપાની પીંપર' દલપતરામે ક્યારે લખ્યું હતું
*1845*

કવિ દલપતરામે 'જાદવાસ્થળી' કાવ્યકૃતિમાં શેની વાત કરી છે
*કેફી દ્રવ્યોથી થતા નુકસાનની વાત*

ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદોને વ્યાપક રીતે પ્રથમ વખત પ્રયોજવાનું અને ગુજરાતી કવિતાને સમાજાભિમુખ બનાવવાનું શ્રેય કયા કવિને મળે છે
*કવિ દલપતરામ*

'અર્વાચીનોમાં આદ્ય' અને 'નવયુગનો પ્રહરી' કોને ગણવામાં આવે છે
*નર્મદ*

નર્મદ પર કોની કવિતાઓ અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો
*વર્ડ્ઝવર્થની*

નર્મદના સુધારક ઝનૂન દાખવતા 'દાંડિયો' પખવાડિકનો આરંભ કયા વર્ષે થયો હતો
*1864માં*

કવિ કલાપીના લગ્ન 1889માં કોની સાથે થયા હતા
*રોહા (કચ્છ)ના રાજબા (રમા) તથા કોટડા સાંગાણીના આનંદીબા સાથે*

કલાપીને લાઠી સંસ્થાનનું રાજપદ ક્યારે સોંપાયું હતું
*1895માં*

કલાપીની કાવ્યરચનાઓને સમાવતા સંગ્રહ 'કલાપીનો કેકારવ'નું કાન્તને હાથે કયા વર્ષે મરણોત્તર પ્રકાશન થયું
*1903*

મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' 1923માં કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતા કઈ ટ્રેનમાં એમનું અવસાન થયું
*રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં*

કવિ ન્હાનાલાલની મૂળ અટક કઈ હતી
*ત્રિવેદી*

કવિ ન્હાનાલાલે કયા શહેરના સરન્યાયાધીશ અને નાયબ દિવાનની કામગીરી બજાવી હતી
*રાજકોટ*

1919માં ગાંધીજીની પચાસમી જન્મજયંતી નિમિત્તે ન્હાનાલાલે કઈ રચના કરી હતી
*'ગુજરાતનો તપસ્વી'*

ઠાકોર બળવંતરાય કલ્યાણરાયનું ઉપનામ
*'સેહેની' અને 'વલ્કલ'*


💥રણધીર ખાંટ💥
*🖌ગુજરાતના ચિત્રકલાકારો🖌*

ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો
*ઈ.સ.1892માં ભાવનગરમાં*

ઈ.સ.1917માં બોમ્બે આર્ટ સોસાયટી દ્વારા યોજાયેલ કલા-પ્રદર્શનમાં રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો
*બિલ્વમંગલ*

રવિશંકર રાવળે 'ગુજરાત કલા સંઘ'ની સ્થાપના ક્યારે કરી હતી
*ઈ.સ.1935માં*

રવિશંકર રાવળે 'કુમાર' માસિકની શરૂઆત ક્યારે કરી હતી
*ઇ.સ.1924*

રવિશંકર રાવળે કઈ ગુફાચિત્રોનો અભ્યાસ કર્યો હતો
*અજંતા (ઇ.સ.1926માં)*

ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી સોમલાલ શાહનો જન્મ ક્યાં થયો હતો
*કપડવંજ*

શ્રી સોમભાઈએ સૌરાષ્ટ્રની કઈ લોકશાળામાં કલાશિક્ષક તરીકે વર્ષો સુધી સેવા આપી હતી
*ભાવનગરની દક્ષિણામૂર્તિ લોકશાળામાં*

શ્રી સોમાલાલ શાહે કોની પ્રેરણાથી ત્રણ સો પક્ષીચિત્રોનો સંપુટ તૈયાર કર્યો હતો
*ભાવનગરના મહારાજાના નાના ભાઈ ધર્મેન્દ્રસિંહની પ્રેરણાથી*

શ્રી સોમાલાલ શાહ કયા નામે ઓળખાય છે
*રંગોના રાજા*

ગુજરાતના પ્રગતિશીલ ચિત્રકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે
*શ્રી યગ્નેશ્વર શુક્લ*

શ્રી રસિકલાલ પરીખનો જન્મ ક્યાં થયો હતો
*વાલિયા (ભરૂચ જિલ્લો)*

રસિકલાલ પરીખના ચિતરસર્જનનો પસંદગીનો વિષય શુ હતો
*મા અને બાળક*

ગુજરાતના લોકજીવનનો ધબકાર કયા ચિત્ર કલાકારના ચિત્રોમાં જોવા મળે છે
*શ્રી રસિકલાલ પરીખ*

રસિકલાલ પરીખની કલાસિદ્ધિનું દર્શન કરાવતો તેમનો કયો ચિત્ર સંગ્રહ પુસ્તકાકારે પ્રગટ થયો છે
*કલાસાધના*

કાર્ટૂનિસ્ટ-ચિત્રકાર શ્રી બંસીલાલ વર્માનો જન્મ કયા ગામમાં થયો હતો
*ચોટીલા*

શ્રી બંસીલાલ વર્માના વ્યંગચિત્રો ચિત્રો જોઈને કોણે કહ્યું હતું કે "શબ્દ કરતાં ચિત્રોનો અવાજ દૂર સુધી પહોંચે છે."
*ગાંધીજીએ*

ઈ.સ.1942 થી 1945 દરમિયાન ભારત છોડો આંદોલનમાં કોને અંગ્રેજ સરકાર વિરુદ્ધ કટાક્ષચિત્રો બનાવી સરકારને હચમચાવી મૂકી
*શ્રી બંસીલાલ વર્મા*

જન્મભૂમિ રજતજયંતિ પ્રસંગે બંસીલાલ વર્માએ શ્રી રાજાજીનું દોરેલું કેરીકેચર (ઠઠ્ઠાચિત્ર-હાસ્યજનક) જોઈને કોને કહ્યું હતું કે તેમણે જોયેલા સર્વોત્તમ કાર્ટુનોમાનું તે એક હતું
*જવાહરલાલ નહેરુ*

ઇ.સ.1997માં આઝાદીના સુવર્ણજયંતી વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બંસીલાલ વર્માને કયા એવોર્ડથી સન્માનિત કર્યા હતા
*'નગરભૂષણ'*

બંસીલાલ વર્માએ 'વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન'ની સ્થાપના ક્યારે કરી હતી
*ઇ.સ.1994*

ચિત્રકાર શ્રી જશુભાઈ નાયકનો જન્મ કયા ગામમાં થયો હતો
*મોહનપુર ગામમાં (વલસાડ)*

ઇ.સ.1978માં 'રૂપદા' દક્ષિણ ગુજરાત કલાવૃંદ તથા ઇ.સ.2006માં 'ગુજરાત કલા પ્રતિષ્ઠન' ની સ્થાપના કોણે કરી હતી
*શ્રી જશુભાઈ નાયક*

શ્રી જશુભાઈ નાયક કયા નામે જાણીતા બન્યા છે
*પોટ્રેટના રાજા*

શ્રી ખોડીદાસ પરમારનો જન્મ ક્યાં થયો હતો
*ભાવનગર*

'ધરતીના ચિત્રકાર' કે 'લોકકલાના ઉપાસક' તરીકે કયા ચિત્રકાર જાણીતા છે
*ખોડીદાસ પરમાર ('ધરતીનો ચિત્રકાર' પુસ્તક આપ્યું છે)*

"કલાનો જીવન સાથે ભીતરનો સંબંધ છે." એવું કયા ચિત્રકારે કહ્યું છે
*શ્રી નટુભાઈ પરીખ*

"શ્રી ખોડીદાસભાઈએ સૌરાષ્ટ્રની લોકકલાનું તેજ પારખ્યું છે." એવું કોણે કહ્યું છે
*શ્રી રવિશંકર રાવળ*

શ્રી નટુભાઈ પરીખનો જન્મ કયાં થયો હતો
*બાંધણી ગામ (જી.ખેડા)*

ગુજરાતના કલાજગતમાં 'સુદામા' તરીકે કોણ ઓળખાય છે
*શ્રી કનૈયાલાલ યાદવ*

શ્રી કનૈયાલાલ યાદવનો જન્મ કયા ગામમાં થયો હતો
*રતલામ*

શ્રી બંસીલાલ વર્માનું ઉપનામ
*'ચકોર'*


💥રણધીર ખાંટ💥
[09/09/2018, 6:55 pm] Randheer: ઉત્તર ભારતની અર્થવ્યવસ્થાની કરોડજ્જુ
*ગંગા નદી*

બ્લુ માઉન્ટેન
*નીલગીરીની ટેકરીઓ*

સમુદ્રપુત્ર
*લક્ષદ્વીપ*

જોડકાં શહેર
*હૈદરાબાદ-સિકંદરાબાદ*

કાલી નદી
*શારદા નદી*

ઈશ્વરનું નિવાસસ્થાન
*અલ્હાબાદ*

રાષ્ટ્રીય રાજમાર્ગોનું સ્થાન
*કાનપુર*

સુપર પ્રસારિત નગર
*ચેન્નઈ*

પુલોની નગરી
*શ્રીનગર*

ડાંગરની ડાળીઓ
*છત્તીસગઢ*

સરોવરનું નગર
*ઉદયપુર*

સરોવરોનું શહેર
*શ્રીનગર*


*મુખ્ય દેશોની વચ્ચે સરહદી રેખાઓ*

ભારત-ચીન વચ્ચે
*મેકમોહન રેખા*

ભારત-પાકિસ્તાન વચ્ચે
*રેડકલીફ રેખા*
*24મી પેરેલલ/સમાંતર રેખા*

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે
*ડુરંડ/દુરાન્દ રેખા*

જર્મની-પોલેન્ડ વચ્ચે
*હિંડનબર્ગ રેખા*
*ઓર્ડરનેસ રેખા*

જર્મની-ફ્રાન્સ વચ્ચે
*મૈજિનો/મૈગીનોટ રેખા*
*સેગફ્રીડ રેખા*

રશિયા-ફિનલેન્ડ વચ્ચે
*મેનરહીન રેખા*

ઉત્તર વિયેતનામ અને દક્ષિણ વિયેતનામ
*17મી અક્ષાન્સ રેખા*

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે
*38મી પેરેલલ/સમાંતર રેખા*

સં.રા.અમેરિકા અને કેનેડા વચ્ચે
*39મી સમાંતર રેખા*


💥રણધીર ખાંટ💥
[12/09/2018, 7:33 am] Randheer: *સૌરમંડળ🎇*

સૌથી મોટો ગ્રહગુરૂ
સૌથી નાનો ગ્રહબુધ
સૂર્યથી સૌથી નજીકનો ગ્રહબુધ
સૂર્યથી સૌથી દૂરનો ગ્રહનેપચ્યુન
સૌથી વધારે ચમકતો ગ્રહશુક્ર
સૌથી વધારે ઉપગ્રહવાળો ગ્રહશનિ
સૌથી વધારે ભારે ગ્રહગુરૂ
સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહગનિમેડે
લીલો ગ્રહપૃથ્વી
પ્રભાતનો તારોશુક્ર
પૃથ્વીની બહેનશુક્ર
મોટા લાલ નિશાનવાળો ગ્રહગુરૂ
પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહશુક્ર
સૌથી વધારે ચમકતો તારોસાઈરસ
સૌથી વધારે ઠંડો ગ્રહનેપચ્યુન
રાત્રે લાલ દેખાતો ગ્રહમંગળ
સૂર્યમંડળનો સૌથી નાનો ઉપગ્રહડિ મોસ
લાલ ગ્રહમંગળ
સાંજનો તારોશુક્ર
સુંદરતાનો દેવશુક્ર

💥રણધીર ખાંટ💥


*સૂર્ય🌤*

પૃથ્વીથી સરેરાશ અંતર14,95,98,000 કિમી.

વ્યાસ13,90,000 કિમી.

સૂર્યના કેન્દ્રનું તાપમાન1,50,00,000 ડિગ્રી સેન્ટિગ્રેડ (લગભગ)

પ્રકાશમંડળનું તાપમાન5,760 ડિગ્રી સેન્ટિગ્રેડ

પરિક્રમા સમય25.38 દિવસ(વિષુવવૃત્ત રેખા અનુસાર), 33 દિવસ (ધ્રુવો અનુસાર)

રાસાયણિક સંગઠન હાઇડ્રોજન 71% ,હિલિયમ 26.5% , અન્ય તત્વ 2.5 %

ઉંમર4.6 બિલિયન વર્ષ(લગભગ)

સૂર્યનો સંભવિત જીવનકાળ10 બિલિયન વર્ષ (લગભગ)

સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા લાગતો સમય8 મિનિટ 16.6 સેકન્ડ

પ્રકાશના કિરણની ગતિ3,00,000 કિમી. પ્રતિ સેકન્ડ


💥રણધીર ખાંટ💥
*ગુજરાત રાજ્યના જિલ્લાઓ*

સૌપ્રથમ બૃહદ મુંબઇ રાજ્યમાંથી 1 મે,1960 ના રોજ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.જેમાં 17 જિલ્લાઓનું નિર્માણ થયું. ત્યારબાદ-

1964 માં ગાંધીનગર જિલ્લો
1966માં વલસાડ જિલ્લો
1997માં નર્મદા,આણંદ, પોરબંદર,દાહોદ અને નવસારી જિલ્લાઓ અસ્તિત્વમાં આવ્યા.
👆🏻SHORT TRICK👆🏻
*ન આપો દાન*

2000માં પાટણ જિલ્લો
2007માં તાપી જિલ્લો
2013માં અરવલ્લી,બોટાદ,છોટા ઉદેપુર,દેવભૂમિ દ્વારકા,મહિસાગર, મોરબી અને ગીર સોમનાથ
👆🏻SHORT TRICK👆🏻
*ABCDMMG*


💥રણધીર ખાંટ💥
[06/09/2018, 2:13 pm] Randheer: તાપમાન માપવા માટે ત્રણ પ્રણાલીઓ-સેલ્શિયશ સ્કેલ, ફેરનહીટ સ્કેલ અને કેલ્વિન સ્કેલ ઉપયોગમાં લેવાય છે.

સેલ્શિયસ સ્કેલની શોધ ઇ.સ. 1742માં સ્વિડિશ ભૌતિક અને ખગોળ વિજ્ઞાની ઍન્ડર્સ સેલ્શિયસે કરી હતી.

ફેરનહીટ સ્કેલની શોધ જર્મનીમાં જન્મેલા વૈજ્ઞાનિક ગ્રોબિલ ડેનિયલ ફેરનહાઈટે લગભગ ઇ.સ. 1715માં કરી હતી.

કેલ્વિન સ્કેલને લાવવાનું કાર્ય બ્રિટિશ ભૌતિક વૈજ્ઞાનિક વિલિયમ થોમ્પસન કેલ્વિને કર્યું.


💥રણધીર ખાંટ💥
[06/09/2018, 2:38 pm] Randheer: ભારતે બંધારણનો સ્વીકાર ક્યારે કર્યો
*26 નવેમ્બર,1949*

સંપૂર્ણ બંધારણ ભારતમાં ક્યારથી લાગુ કરવામાં આવ્યું
*26 જાન્યુઆરી,1950*

ભારતીય બંધારણના પિતા કોણે માનવામાં આવે છે
*ડૉ. બી.આર. આંબેડકર*

ગણરાજયનો અર્થ શું થાય
*રાષ્ટ્રના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાશે તે વંશપરંપરાગત નહિ.*

જ્યારે બંધારણ લાગુ થયું ત્યારે તેમાં કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટ હતા
*395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ*

પહેલીવાર બંધારણસભાની કલ્પના કઈ પાર્ટીએ રજૂ કરી હતી
*સ્વરાજ પાર્ટીએ ઇ.સ.1935માં*

મુસ્લિમ લીગના ખસ્યા પછી બંધારણ સભાન સભ્યોની સંખ્યા કેટલી રહી હતી
*299*

બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે થઈ હતી
*9 ડિસેમ્બર,1946*

બંધારણ ઘડવા માટે કેટલી કમિટીઓની રચના કરવામાં આવી હતી
*13*

પ્રથમ બેઠક દરમિયાન બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ કોને ચૂંટવામાં આવ્યા હતા
*ડૉ. સચ્ચિદાનંદ સિન્હા*

બંધારણ સભાની રચના કઈ યોજનાના પ્રસ્તાવો પ્રમાણે કરાઈ હતી
*કેબિનેટ મિશન યોજના*

રચાયેલ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોણી નિમણુક કરાઈ હતી
*ડો.રાજેન્દ્ર પ્રસાદ*

બંધારણ સભા દ્વારા બંધારણ નિર્માણમાં કેટલો સમય લાગ્યો હતો
*2 વર્ષ,11 મહિના,18 દિવસ*

બંધારણ સભાના બંધારણ સલાહકાર પદ પર કોની નિમણુક કરવામાં આવી હતી
*શ્રી બી.એન.રાવની*

જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરી બંધારણ નિર્માણનું કાર્ય ક્યારે શરૂ થયું હતું
*13 ડિસેમ્બર,1946*

1947ના ઓગસ્ટમાં રચેલ ડ્રાફટીંગ કમિટીના અધ્યક્ષ કોણ હતું
*ડૉ. બી.આર. આંબેડકર*

બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે થઈ
*24 નવેમ્બર,1949*

બંધારણને લાગુ કરવા માટે 26 જાન્યુઆરીનો દિવસ શા માટે નક્કી કરાયો
*કારણ કે આ દિવસે કોંગ્રેસે 1930માં તેને આઝાદી દિવસ તરીકે ઉજવ્યો હતો.*

ભારતીય બંધારણ કેટલા ભાગોમાં વિભાજીત છે
*22*


💥રણધીર ખાંટ💥
[06/09/2018, 2:55 pm] Randheer: મેગેસ્થનીજ કોના સમયમાં ભારત આવ્યો હતો
*ચંદ્રગુપ્ત મૌર્ય*

મેગેસ્થનિજે કયું પુસ્તક લખ્યું છે
*ઇન્ડિકા*

ચીની યાત્રી ફાહિયાન કોના સમયમાં ભારત આવ્યો હતો
*ચંદ્રગુપ્ત દ્વિતીય*

હ્યુ-એન-સાંગ કોના શાસનકાળમાં ભારત આવ્યા હતા
*હર્ષવર્ધન*

ચીની વિદ્વાન ઇતસિંગે કઈ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો
*નાલંદા*

'કિતાબ-ઉલ-હિન્દ' અને 'તહકીક-એ-હિન્દ' નામના પુસ્તકોની રચના કોણે કરી છે
*તુર્કી વિદ્વાન અલબૈરૂની*

માર્કોપોલો કઈ શતાબ્દીમાં ભારત આવ્યા હતા
*13મી*

ઈબ્નેબતૂતાનું વાસ્તવિક નામ શું હતું
*અબુ અબ્દુલ્લાહ*

ઈબ્નેબતૂતાએ કયું પુસ્તક લખ્યું હતું
*'રેહલા'*

ઈટાલીના પર્યટક નિકોલી કોંટી કોના શાસનકાળમાં ભારત આવ્યા હતા
*દેવરાય પ્રથમ (ઇ.સ.1520)*

અબ્દુરઝઝાક ક્યાંના રાજદૂત હતા
*ઈરાન*


💥રણધીર ખાંટ💥
[07/09/2018, 8:41 am] Randheer: કામિયા માતાનું મંદિર ક્યાં આવેલું છે
ગુવાહાટી (આસામ)

ભારતનું પ્રથમ સબમરીન સંગ્રહાલય ક્યાં આવેલું છે
વિશાખપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)

ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક મલ્લિકાર્જુન મંદિર ક્યાં આવેલું છે
શ્રી શૈલમ (આંધ્ર પ્રદેશ)

તેલંગણાના હનમન કોંડા ટેકરી પર આવેલું એક હજાર સ્તંભવાળું અદ્ભૂત મંદિર કઈ શૈલીનું છે
ચાલુક્ય વાસ્તુ શૈલી

ભારતનું પ્રથમ અંડર વોટર સી-વોક કેન્દ્ર તથા નેશનલ એન્ટાર્કટિક મહાસાગર સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે
વાસ્કો(ગોવા)

સૌથી ઉચ્ચ કોટીનું લોખંડ કયું છે
હિમેટાઈટ

લોહ અયસ્કના કયા અયસ્કને કાળું અયસ્ક(Black ore) કહે છે
મેગ્નેટાઈટ

અબરખનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર દેશ કયો છે
ભારત

ભારતનું કયું રાજ્ય સીસાનું પ્રમુખ ઉત્પાદક રાજ્ય છે
રાજસ્થાન

સોનાની સૌથી જૂની ખાણ કઈ છે
કોલાર (1871)

ડોલોમાઈટ શું છે
એક પ્રકારનો ચુનાનો પથ્થર

યુરેનિયમનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે
ઝારખંડ

કોલસો કેવા ખડકોમાંથી મળે છે
જળકૃત (અવસાદી)

બોમ્બેહાઈમાં તેલ કાઢવાનું કાર્ય કયા જહાજથી કરવામાં આવે છે
સાગર સમ્રાટ

શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં કઈ નદીના કાંઠે વિકસ્યો છે
હુગલી

ઊની કાપડની સૌથી વધુ મિલો કયા રાજયમાં છે
પંજાબ

ભારતમાં કેટલા પ્રકારનું કુદરતી રેશમ પેદા કરવામાં આવે છેકયું કયું
ચાર પ્રકારનું
1.મલમલ
2.ટસર
3.ઇરી
4.મૂંગા

ભારતમાં સૌથી પહેલી કાગળની મિલ ક્યાં સ્થાપવામાં આવી હતી
1812મ
ાં સિરામપુર (પશ્ચિમ બંગાળ)

છાપાના કાગળનું સરકારી કારખાનું ક્યાં આવેલું છે
નેપાનગર (મધ્ય પ્રદેશ)

ભારતમાં જહાજ નિર્માણ પ્લાન્ટ કોના દ્વારા સ્થાપવામાં આવ્યો
1941 માં વિશાખપટ્ટનમમાં સિંધિયા સ્ટીમ એન્ડ નેવિગેશન દ્વારા



ભારતનું માન્ચેસ્ટર
અમદાવાદ

ઉત્તર ભારતનું માન્ચેસ્ટર
કાનપુર

દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર
કોઈમ્બતુર

💥રણધીર ખાંટ💥
[03/09/2018, 7:18 pm] Randheer: મુંબઈમાં આવેલ ગાંધીજીના મકાનનું નામ શું છે
મણિભવન

કોણ ગાંધીજીના 'આધ્યાત્મિક વારસદાર' ગણાય છે
વિનોબા ભાવે

ગાંધીજી કયા ગ્રંથને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા
ગીતા

ગાંધીજીએ કયા શહેર ખાતે કાયમ માથે મુંડન કરાવ્યું અને પોશાકમાં પોતડી અપનાવી
મદુરાઈ

'ઈન ધ શેડો ઓફ ધી મહાત્મા : અ પર્સનલ મેમરી' નામના પુસ્તકમાં કયા ઉદ્યોગપતિએ મહાત્મા સાથેના અનુભવો વર્ણવ્યા છે
ડી.જી.બિરલા

સ્વાતંત્ર ચળવળનું ચિહ્ન 'ચક્ર' રાખવાનું ગાંધીજીને કોને સૂચવ્યું હતું
ગંગાબેન મજમુદાર

મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કઈ નદીના કિનારે આવેલું છે
યમુના

ગાંધીજીના જીવન,કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરવાની કઈ ટ્રેન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી
ગાંધી દર્શન ટ્રેન


💥રણધીર ખાંટ💥
[06/09/2018, 1:54 pm] Randheer: શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી
*ગુરુ નાનકે*

સતીપ્રથા, પડદા પ્રથાની વિરુદ્ધ કયા શીખ ગુરુએ આંદોલન કર્યું હતું
*ગુરુ આગદ*

ઇ.સ.1577માં અમૃતસરની સ્થાપના કયા શીખ ગુરુએ કરી હતી
*ગુરુ રામદાસ*

ગુરુ રામદાસને અમૃતસરની સ્થાપના કરવા માટે કોને જમીન આપી હતી
*અકબરે*

સુવર્ણ મંદિર બનાવનાર અને 'આદિ ગ્રંથ'ની રચના કરનાર શીખ ગુરુ
*ગુરુ અર્જુનદેવ*

જુઝારુ સંપ્રદાય બનાવનાર,અકાલ તખ્તની સ્થાપના કરનાર તથા અમૃતસરની કિલ્લાબંધી કયા શીખ ગુરુએ કરી હતી
*ગુરુ હરગોવિંદ*

ખાલસા પંથની સ્થાપના કયા શીખ ગુરુએ કરી હતી
*ગુરુ ગોવિંદસિંહ*

ઇ.સ.1799માં લાહોરને જીતીને કોણે રાજધાની બનાવી હતી
*મહારાજા રણજીતસિંહ*


જહાંગીરે શીખ ધર્મના કયા ગુરુને ફાંસી પર લટકાવી દીધા હતા
*ગુરુ અર્જુનદેવને*

ઇસ્લામ ધર્મને ન સ્વીકારવાથી ઔરંગઝેબે કયા શીખ ધર્મના ગુરુને ફાંસી આપી હતી
*ગુરુ તેગ બહાદુર*


💥રણધીર ખાંટ💥
[06/09/2018, 2:05 pm] Randheer: *બ્રિટિશ કાળની કેટલીક આર્થિક પ્રથાઓ*

*●દાદની પ્રથા:*
આ પ્રથાના અંતર્ગત બ્રિટિશ વેપારી ભારતીય ઉત્પાદકો,કારીગરો અને શિલ્પીઓને અગ્રિમ સંવિદા (પેશગી) ના રૂપમાં રૂપિયા આપી દેતા હતા.

*●ત્રણ કાઠિયા પ્રથા:*
આ પ્રથાના અંતર્ગત ચંપારણ્ય (બિહાર)ના ખેડૂતોને પોતાના અંગ્રેજ માલિકોના કરાર મુજબ પોતાની જમીનની નજીક 3/20 પર નીલની ખેતી કરવી આવશ્યક હતી.

*●કમિયૌટી પ્રથા:*
બિહાર ઉપરાંત ઓરિસ્સામાં પ્રચલિત આ પ્રથાના અંતર્ગત કૃષિદાસના રૂપમાં ખેતી કરનાર કમિયા જાતિના લોકો પોતાના માલિકો દ્વારા લોન પર આપવામાં આવતી વ્યાજની રકમના બદલામાં જીવનભર એમની સેવા કરતા હતા.

*●દુબલા હાલી પ્રથા:*
ભારતના પશ્ચિમ ક્ષેત્ર, મુખ્યત્વે સુરતમાં પ્રચલિત આ પ્રથાના અંતર્ગત દુબલા હાલી ભૂ-દાસ પોતાના માલિકોને જ પોતાની સંપત્તિનો અને પોતાના સંરક્ષક માનતા હતા.


💥રણધીર ખાંટ💥
[06/09/2018, 2:13 pm] Randheer: તાપમાન માપવા માટે ત્રણ પ્રણાલીઓ-સેલ્શિયશ સ્કેલ, ફેરનહીટ સ્કેલ અને કેલ્વિન સ્કેલ ઉપયોગમાં લેવાય છે.

સેલ્શિયસ સ્કેલની શોધ ઇ.સ. 1742માં સ્વિડિશ ભૌતિક અને ખગોળ વિજ્ઞાની ઍન્ડર્સ સેલ્શિયસે કરી હતી.

ફેરનહીટ સ્કેલની શોધ જર્મનીમાં જન્મેલા વૈજ્ઞાનિક ગ્રોબિલ ડેનિયલ ફેરનહાઈટે લગભગ ઇ.સ. 1715માં કરી હતી.

કેલ્વિન સ્કેલને લાવવાનું કાર્ય બ્રિટિશ ભૌતિક વૈજ્ઞાનિક વિલિયમ થોમ્પસન કેલ્વિને કર્યું.


💥રણધીર ખાંટ💥
[02/09/2018, 8:22 pm] Randheer:

માઉન્ટ એવરેસ્ટ
8848 મીટર

K2 -(માઉન્ટ ગોડવિન ઓસ્ટિન)
8611 મીટર

કાંચનજંઘા
8598 મીટર

મકાલુ
8481 મીટર

ધવલગિરિ
8198 મીટર

અન્નપૂર્ણા
8070 મીટર



વિશ્વમાં સૌથી મોટો નદી-બેસીન
એમેઝોન નદીનો

ભારતમાં સૌથી મોટો નદી-બેસીન
ગંગા નદીનો



ગંગા નદીની જળ-પરિવાહની પ્રણાલી કેવી છે
*વૃક્ષાકાર*

નર્મદા નદીની જળ-પરિવાહની પ્રણાલી કેવી છે
*આયાતકાર*

સૌરાષ્ટ્રની નદીઓની જળ-પરિવાહની પ્રણાલીની ગોઠવણી કેવી છે
*કેન્દ્રત્યાગી (પર્વતાકાર)*


💥R. Khant💥
[03/09/2018, 11:23 am] Randheer: ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિને નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે. જેની શરૂઆત ક્યારે થઈ હતી
*1999*

નરસિંહ મહેતા કયો રાગ ગાતા હતા
*મલ્હાર*

ઉમાશંકર જોશી ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ક્યારે બન્યા હતા
*1970*

ઉમાશંકર જોશીને 1967માં 'નિશીથ' રચના માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. નિશીથનો અર્થ શું થાય
*મધ્યરાત્રિનો દેવતા*

રવીન્દ્રનાથ ટાગોરે 1878 થી 1932 દરમિયાન પાંચ ખંડોના કેટલા દેશોની મુલાકાત લીધી હતી
*13*

રવીન્દ્રનાથ ટાગોરે કુલ કેટલા કાવ્યોની રચના કરી છે
*2230*

નર્મદે ગુજરાતી સામાયિક "ડાંડિયો" ની સૌપ્રથમ શરૂઆત ક્યારે કરી હતી
*1864*

કનૈયાલાલ મુનશીનું એકમાત્ર નાટક કયું
*ધ્રુવસ્વામિની*

કનૈયાલાલ મુનશીએ રાજકારણમાંથી ક્યારે નિવૃત્તિ લીધી
*1960*

કવિ કલાપીનો રાજ્યાભિષેક કેટલા વર્ષની ઉંમરે થયો હતો
*21 વર્ષની*

બોટાદકર દામોદર ખુશાલદાસ 6 ધોરણના અભ્યાસ બાદ કેટલા વર્ષની વયે શિક્ષક બન્યા હતા
*13 વર્ષની વયે*

દત્તાત્રેય બાલકૃષ્ણ 'કાલેલકર' તરીકે શાથી ઓળખાયા
*વતન કાલેલી હોવાથી*

મનુભાઈ પંચોળી (દર્શક) ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કયા વર્ષે બન્યા હતા
*1970માં*

મનુભાઈ પંચોળીનું અંતિમ અધ્યાય કયું છે
*આપણો વારસો અને વૈભવ*

ગોવર્ધનરામને કવિ ન્હાનાલાલે કેવા કવિ કહ્યા છે
*જગત સાક્ષર*


💥રણધીર ખાંટ💥
[03/09/2018, 1:49 pm] Randheer: ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઈઓ કરવામાં આવેલ છે
*કલમ 131 થી 140*

ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલ છે
*405*

બેદરકારી અને ઉપેક્ષાથી કોઈનું મૃત્યુ થાય તો ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે
*304 A*

ઇન્ડિયન પિનલ કોડની કલમ 306માં કયા ગુનાની સજા દર્શાવેલ છે
*આપઘાતનું દુષપ્રેરણ*

ઇન્ડિયન પિનલ કોડ મુજબ કેટલા વર્ષથી નીચેની વય ધરાવતા બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી
*7 વર્ષ*

ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં આપેલ છે
*141*

ઇન્ડિયન પિનલ કોડમાં ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે
*40*

ઇન્ડિયન પિનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે
*300*

ઇન્ડિયન પિનલ કોડના કયા પ્રકરણમાં મિલકત વિરુદ્ધના ગુનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે
*17*

પોલીસને વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ મળેલ છે
*41*

ક્રિમિનલ પ્રોસીજર કોડ પ્રમાણે પોલીસ ધરપકડ કરેલ આરોપીને વધારેમાં વધારે કેટલા દિવસના રિમાન્ડ માંગી શકે છે
*14 દિવસ*

ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવી જોઈએ
*90*

અગૃહનીય ગુનો એટલે શું
*એવો ગુનો કે જેમાં પોલીસ વગર વોરંટે ધરપકડ કરી શકતી નથી*

ક્રિમિનલ પ્રોસીજર કોડમાં કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે
*43*

ક્રિમિનલ પ્રોસીજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની,બાળકો અને મા-બાપના ભરણપોષણનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે
*125*

FIR નું પૂરું નામ શું છે
*First Information Report*

આત્મહત્યા,ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે
*174*

ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આરોપીને રાજ્યના ખર્ચે કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ છે
*304*

ક્રિમિનલ પ્રોસીજર કોડ હેઠળના શિક્ષાપત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આપેલ છે
*320*

ક્રિમિનલ પ્રોસીજર કોડના કાયદા હેઠળ ગુનો કર્યો ન હોય પરંતુ ગુનો કરે તેવી શક્યતા હોય તો તેની પાસેથી સુલેહ અંગે વધુમાં વધુ કેટલા વર્ષ માટે બોન્ડ લઈ શકાય
*ત્રણ વર્ષ*

ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ પોલીસ ગુનો બન્યાની નોંધ કરે છે
*કલમ 154*

પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઈ ક્રિમિનલ પ્રોસીજર કોડના કયા પ્રકરણમાં કરવામાં આવેલ છે
*પ્રકરણ-12*

બિનવારસી મળેલ મિલકતને ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ કબજે કરી શકાય
*102*

ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં તાજના સાક્ષીની જોગવાઈ કરવામાં આવી છે
*306*

અપીલનો અધિકાર એ ...........અધિકાર છે.
*કાનૂની*

ભારતીય એવિડન્સ એક્ટની કઈ
કલમમાં ગૌણ પુરાવાને સ્વીકૃતિ આપવામાં આવી છે
*કલમ-65*

ઊલટ તપાસ સામાન્ય રીતે કયા પક્ષ દ્વારા થાય છે
*વિરોધ પક્ષ દ્વારા*

ભારતીય એવીડન્સ એક્ટના કાયદા મુજબ મારણોન્મુખ નિવેદન કઈ કલમ હેઠળ આવે છે
*કલમ-32*

કોઈ પણ સાક્ષીની સૌપ્રથમ કઈ તપાસ કરવામાં આવે છે
*સર તપાસ*

સ્ત્રી અત્યાચારને લગતો ગુનો ઇન્ડિયન પિનલ કોડ હેઠળ કઈ કલમ મુજબ બને છે
*498 (ક)*

કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઇન્ડિયન પિનલ કોડ વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે
*12 નોટિકલ માઈલ*

મૃત્યુ નિપજાવવાની ધમકી આપવી તે અંગેની સજા ઈન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે
*506 (2)*

જયારે કોઈ વ્યક્તિ SMS દ્વારા ધમકી આપે છે ત્યારે ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે
*507*

ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં 'સિક્કા' અને સરકારી સ્ટેમ્પને લગતા ગુનાઓ વિશે ઉલ્લેખ છે
*કલમ-230 થી કલમ-263*

ખોટો ભારતીય સિક્કો બનાવવા માટે કઈ કલમ લાગુ પડે છે
*કલમ-232*

જાહેર સલામતી અને સગવડને લગતા ગુનાઓ માટે ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ લાગુ પડે છે
*કલમ-279 થી કલમ-289*

અદાલતના તિરસ્કાર માટે કઈ કલમ લાગુ પડે છે
*કલમ-228*

કોઈ વ્યક્તિ /અન્ય વ્યક્તિને બળ/છેતરપિંડીથી કે જોરજુલમ દ્વારા કોઈ સ્થળેથી લઈ જાય ત્યારે કયો ગુનો બને છે
*અપનયન*


💥રણધીર ખાંટ💥


*ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ*


*નામ : અવુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ*

*રાષ્ટ્રપતિ :* 11 મા

*સમયગાળો :* 25 જુલાઈ,2002 થી 25 જુલાઈ ,2007

*જન્મ :* 15 ઓક્ટોબર , 1931

*જન્મસ્થળ :* રામેશ્વરમ, તમિલનાડુ

*નિધન :* 27 જુલાઈ,2015 (83 વર્ષ) શિલોન્ગ, મેઘાલય IIM ના સ્ટુડન્ટ સમક્ષ

*શિક્ષણ :* સેંટ જોસેફ કોલેજ, તિરુચિલ્લાપલ્લી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ

*અંતિમ વ્યક્તવ્ય:* Creative a Livable Planet On Earth

*ગમતું પુસ્તક:* લાઈટ ઓફ મેની લેમ્પસ

*ગુજરાતમાં વિશેષ સંબંધો:* ડૉ. વિક્રમ સારાભાઈ, શ્રી પ્રમુખ સ્વામીજી

*ત્રણ મિત્રો:* રામાનંદ શાસ્ત્રી,અરવિંદન,શિવ પ્રકાશન

*એવોર્ડ:* પદ્મભૂષણ (1981), પદ્મવિભૂષણ (1990) અને ભારતરત્ન (1997)

*બનાવેલ મિસાઈલો:*
યાદ રાખવા short Trick
*PATNA*
પૃથ્વી, અવકાશ, ત્રિશુલ, નાગ, અગ્નિ
💥R. Khant💥

*તેમના જન્મ દિવસ 15 ઓક્ટોબરને 'વર્લ્ડ સ્ટુડન્ટ ડે' યુનો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.*

*તમિલનાડુ ગવર્નમેન્ટ દ્વારા 15 ઓક્ટોબરને 'યુથ રેનેસાસ ડે' (યુવા નવજાગૃતિ દિવસ) જાહેર કર્યો છે.*

*જયારે ડૉ. કલામ સ્વિટ્ઝર્લેન્ડ ગયા તે દિવસ '26 મે' ને તે દેશે 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' જાહેર કરેલ છે.*

*પાઇલટ વિના કામગીરી બજાવતું દૂર સંચાલિત 'નિશાંત' વિમાન વિકસાવ્યું.*

*ડૉ. કલામે લખેલ પુસ્તકો:*
1.વીંગ્સ ઓફ ફાયર (આત્મકથા)
2.ઈન્ડિયા 2020 : અ વિઝન ફોર ધ ન્યુ મિલેનિયમ
3.ટર્નિંગ પોઇન્ટ : અ જર્ની થ્રુ ચેલેન્જીસ
4.ભારતીય ચેતના
5.ટ્રાન્સેડન્સ


💥R. Khant💥
નર્મદને 'આજીવન યોદ્ધા' તરીકે કોને કહ્યું છે
*શ્રી વિશ્વનાથ ભટ્ટ*

નર્મદે કયા શબ્દને પોતાના જીવનમંત્ર તરીકે અપનાવ્યો હતો
*પ્રેમશૌર્ય*

ગોવર્ધનરામ ત્રિપાઠીએ કોની પાસેથી સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો
*તેમના કાકા પંડિત મનસુખરામ ત્રિપાઠી પાસેથી*

ગોવર્ધનરામ ત્રિપાઠીએ ક્યાંના અંગત મંત્રી તરીકે કામ કર્યું હતું
*ભાવનગરના દીવાન શામળદાસના*

'શિક્ષાશતક' અને 'આત્મનિમજજન' આ બે કાવ્યસંગ્રહ કોણે આપ્યા છે
*મણિલાલ નભુભાઈ દ્વિવેદી*

ન્હાનાલાલના ગુરુ કોણ હતા
*કાશીરામ સેવકરામ દવે*

મણીશંકર રત્નજી ભટ્ટે 'કાન્ત' કયો ધર્મ ગ્રહણ કર્યો હતો
*ખ્રિસ્તી*

કવિ કાન્તનું અવસાન કઈ રીતે થયું હતું
*કાશ્મીરના પ્રવાસથી પાછા ફરતા ટ્રેનમાં*

મુંબઈ યુનિવર્સિટીનું ભાજી દાઉ પારિતોષિક મેળવનાર પહેલા ગુજરાતી કોણ હતા
*નરસિંહરાવ*

ન્હાનાલાલે કોણે ઉદ્દેશીને 'ગુરુદેવ' કાવ્ય લખ્યું છે
*પ્રો.કાશીરામ દવે*

ગુજરાતના કયા સાહિત્યકારે હૈદરાબાદના પોલિટિકલ એજન્ટ તરીકે સેવાઓ બજાવેલ છે
* કનૈયાલાલ મુનશી*

કાકાસાહેબ કાલેલકર કોની સાથે હિમાલયના પ્રવાસે ગયા હતા
*અનંતબુવા અને સ્વામી આનંદ*

કોલકાતાના એલ્યુમિનિયમના કારખાનામાં મેનેજરની નોકરી કોને કરી હતી
*ઝવેરચંદ મેઘાણી*

ઝવેરચંદ મેઘાણીની 'સૌરાષ્ટ્રની રસધાર' કેટલા ભાગમાં વહેંચાયેલી છે
*પાંચ*

બળવંતરાય ઠાકોરે ઉપનામ 'સેહની' ધારણ કર્યું હતું. કારણ કે.....
*પિતામહની અટક સેહની હતી.*

ત્રિભોવનદાસ પુરુષોત્તમ લુહાર 'સુંદરમ'ની કયા કાવ્યસંગ્રહથી તેઓ વિદ્રોહી યુવા Angry Young Man ની મુદ્રા વર્તાય છે
*'કોયા ભગતની કડવી વાણી'*

'ભીંત ફાટીને ઊગ્યો પીંપળો' કયા ગુજરાતી સર્જક માટે વપરાય છે
*પન્નાલાલ પટેલ*

'પન્નાલાલ એ સાહિત્ય જગતનો ચમત્કાર છે' એવું કોણે કહ્યું છે
*સુંદરમ*

પન્નાલાલ પટેલની કઈ કૃતિના સાત ભાગ એમના જીવન ચરિત્ર પર આધારિત છે
*જિંદગી-સંજીવની*

રાવજી પટેલ એમના કયા ગુજરાતી શિક્ષક પાસેથી કવિતા,છંદ,અલંકાર વગેરે શીખ્યા હતા
*અમુભાઈ પંડ્યા*

રાવજી પટેલને કયો રોગ થયો હતો જે તેમના અવસાનનું કારણ બન્યું
*ક્ષય*


💥રણધીર ખાંટ💥
*🇮🇳ભારતના 29 રાજ્યો યાદ રાખવાની SHORT TRICK🇮🇳*

*આમ તેમ કેઉઉ હિમ,*
*ગો પંજાબી છત્રી*
*ઓ અમી દિપક*
*અમે ગુજરાતના સિંહ*

👆🏻ગોખી નાખો યાદ રહી જશે.

*આ*આંધ્ર પ્રદેશ
*મ*મધ્ય પ્રદેશ
*તે*તેલંગણા
*મ*મહારાષ્ટ્ર
*કે*કેરળ
*ઉ*ઉત્તર પ્રદેશ
*ઉ*ઉત્તરાખંડ
*હિ*હિમાચલ પ્રદેશ
*મ*મણિપુર
*ગો*ગોવા
*પં*પંજાબ
*જા*ઝારખંડ
*બી*બિહાર
*છ*છત્તીસગઢ
*ત્રી*ત્રિપુરા
*ઓ*ઓરિસ્સા
*અ*અરુણાચલ પ્રદેશ
*મી*મિઝોરમ
*દિ*દિલ્હી (કેન્દ્રશાસિત પ્રદેશ)
*પ*પશ્ચિમ બંગાળ
*ક*કર્ણાટક
*અ*અસમ
*મે*મેઘાલય
*ગુ*ગુજરાત
*જ*જમ્મુ-કાશ્મીર
*રા*રાજસ્થાન
*ત*તમિલનાડુ
*ના*નાગાલેન્ડ
*સિં*સિક્કિમ
*હ*હરિયાણા

*👆🏻ગામની પ્રાથમિક શાળામાંથી*


💥રણધીર ખાંટ💥
[23/08/2018, 1:54 pm] Randheer: *🖼ચિત્રકલા પ્રેમી🖼*
*(જન્મવર્ષ-નિધનવર્ષ) અને જન્મસ્થળ*

1.રવિશંકર રાવળ (1892-1977)
ભાવનગર

2.ચંદ્ર ત્રિવેદી
(1922-1994)
ભાવનગર

3.ભુપેન ખખ્ખર
(1934-2003)
મુંબઈ

4.કનુ દેસાઈ
(1907-1980)
અમદાવાદ

5.પિરાજી સાગરા
(1931-2014)
અમદાવાદ

6.ખોડીદાસ પરમાર
(1930-)
ભાવનગર

7.બંસીલાલ વર્મા "ચકોર"
(1917-2003)
ચોટીયા (જી.મહેસાણા)


💥💥
[23/08/2018, 3:32 pm] Randheer: ગુજરાત રાજ્ય સરકારના રમતવીરો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે નીચે પ્રમાણેના એવોર્ડ્સ એનાયત કરે છે:-

*1.સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ:*
ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે

*2.એકલવ્ય એવોર્ડ:*
ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે

*3.જયદીપસિંહજી એવોર્ડ:*
ગુજરાતનો ખેલાડી રાજયકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે આ એવોર્ડ્સ પેટે નક્કી કરેલી રોકડ રકમ પણ આપવામાં આવે છે.


💥💥
[23/08/2018, 3:39 pm] Randheer: *ગુજરાત વિધાનસભાની બેઠકો*

પ્રથમ વિધાનસભા(1960) બેઠકો:-132

બીજી વિધાનસભા(1962) બેઠકો:- 154

ત્રીજી (1967) અને ચોથી (1972) વિધાનસભા બેઠકો :- 168

પાંચમી વિધાનસભા (1975)થી અત્યાર સુધીની બેઠકો :- 182

💥💥
વિખ્યાત 'કૈલાશનાથ મંદિર' જે દ્રવિડ વાસ્તુકળાનો નમૂનો છે એ ક્યાં આવેલ છે
*કાંચિપુરમ*

રાજ્ય વહીવટના ક્ષેત્રમાં ચોલ રાજવંશનું મુખ્ય પ્રદાન છે
*એક સંગઠિત સ્થાનિક સ્વવહીવટમાં*

મગધમાં શાહી મૌર્યના તરત પછી ઉત્તરાધિકારી કોણ હતા
*શુંગ*

પાંડયોનું રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર કયું હતું
*મદુરાઈ*

મહાન સમ્રાટ કનિષ્ક કયા વંશના હતા
*કુષાણ*

કનિષ્કના શાસનકાળમાં બૌદ્ધસભા કયા નગરમાં મળી હતી
*કાશ્મીર*

સાત વાહનોની રાજકીય ભાષા કઈ હતી
*પ્રાકૃત*

શક-કુષાણ યુગમાં સુવર્ણ-રજત સિક્કાઓનું પ્રમાણ હતું:
*14:1*

યુનાની,કુષાણ અને શકમાંથી અનેક લોકોએ હિન્દૂ ધર્મને બદલે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, કારણ કે-
*જાતિ પ્રથાથી વશ હિન્દૂ ધર્મ પ્રત્યે તેઓ આકર્ષિત થયા નહીં*

બુદ્ધની ઊભી પ્રતિમા કોના સમયમાં બનાવાઈ હતી
*કુષાણકાળ*

મૌર્ય પછી દક્ષિણ ભારતમાં સૌથી અસરકારક રાજ્ય કયું હતું
*સાતવાહન*

પ્રાચીન ભારતનો મહાન વ્યાકરણ લેખક પતંજલિ કોનો સમકાલીન હતો
*પુષ્યમિત્ર શુંગ*

ચૈત્ય.........
*પૂજા સ્થળ છે*

વિહાર..........
*નિવાસસ્થાન છે*

ત્રીજી શતાબ્દીમાં વારંગલ શા માટે પ્રખ્યાત હતું
*હાથીદાંતના કામ માટે*

હડપ્પાવાસી કઈ વસ્તુના ઉત્પાદનમાં સર્વ પ્રથમ હતા
*મુદ્રાઓ*

સિંધુ ખીણની સભ્યતા અનાર્ય સભ્યતા હતી,કારણ કે -
*આ એક શહેરી સભ્યતા હતી*

સિંધુ ખીણની સભ્યતા લિપિ હતી
*અત્યાર સુધી સાચી ઓળખ હજુ સુધી થઈ શકી નથી*

હડપ્પાકાળની સભ્યતાનો વિશાળ કોઠાર (અનાજનો) ક્યાં મળ્યો
*મોહેં-જો-દડો*

જૈન ધર્મનું આધારભૂત બિંદુ છે-
*અહિંસા*

ગૌતમ બુદ્ધે પોતાના મૃત્યુ પહેલા બૌદ્ધ સંઘના નેતૃત્વ માટે કોને નિમ્યા હતા
*મહાકશ્યપ*

"જીવો અને જીવવા દો" કોણે કહ્યું
*મહાવીર સ્વામી*

કઈ સંસ્કૃતિ અનુરૂપતા પર વધારે ભાર મૂકે છે
*સમૂહવાદી*

કઈ ભાષાનો વધારે પ્રયોગ 'બૌદ્ધવાદ'નાં પ્રચાર માટે કરવામાં આવ્યો
*પાલિ*

મહાવીરનો જન્મ કયા નામના ક્ષત્રિય ગોત્રમાં થયો હતો
*જનાત્રિકા*

'બુદ્ધ' શબ્દનો તાત્પર્ય (આશય) થાય છે:
*એક જ્ઞાન સંપન્ન વ્યક્તિ*

જાતક પવિત્ર ગ્રંથ છે:
*બૌદ્ધનો*


💥રણધીર ખાંટ💥