સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
▪️અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદે આવેલા નળ સરોવરમાં સ્થળાંતરિત (યાયાવર) પક્ષીઓ માટેનું 'પક્ષી અભયારણ્ય' આવેલું છે.

▪️કચ્છના નાના રણમાં ઘુડખર અને નારાયણ સરોવર વિસ્તારમાં ચિંકારાનું અભયારણ્ય તથા કચ્છનું ઘોરાડ પક્ષીનું અભયારણ્ય આવેલું છે.

▪️બનાસકાંઠામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે.

▪️ડાંગ જિલ્લામાં સાબર અને બરડીપાડાનું અભયારણ્ય આવેલું છે.

▪️નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા રીંછ અભયારણ્ય આવેલું છે.

▪️જામનગર જિલ્લામાં ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેના અભયારણ્ય આવેલા છે.

▪️દાહોદ જિલ્લામાં રતનમહાલ રીંછ અભયારણ્ય જાણીતું છે.

▪️અમરેલી જિલ્લામાં સિંહ,દીપડા તથા ચિંકારા માટે અભયારણ્ય આવેલું છે.

▪️રાજકોટ જિલ્લામાં નીલગાય અને ચિંકારા માટેનું રામપુરા અભયારણ્ય આવેલું છે અને હિંગોળગઢ ખાતે નિલગાયનું અભયારણ્ય આવેલું છે.

▪️પંચમહાલના જાંબુઘોડા ખાતે રીંછ,ઝરખ,દીપડાનું અભયારણ્ય આવેલું છે.

▪️મહેસાણા જિલ્લાના થોળ ખાતે વિવિધરંગી પક્ષી અભયારણ્ય આવેલું છે.

▪️સિંહ ભારતમાં માત્ર સાસણગીરમાં જોવા મળે છે.

💥💥
▪️સૂર્યાસ્ત પછીના એક કલાકમાં સિંહ ગર્જના કરે છે.

▪️ડાયનાસોરનો અર્થ ભયાનક ગરોળી થાય છે.

▪️ભારતનું સૌથી જૂનું પ્રાણીસંગ્રહાલય જૂનાગઢનું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય છે.જેની સ્થાપના ઇ.સ.1863માં થઈ હતી.

▪️રીંછને વાગવાથી કે મારવાથી તે મનુષ્યની માફક રડે છે.

💥💥