સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥Newspaper Current🔥*

*🗞️Date:- 26/11/2022 થી 30/11/2022🗞️*

26 નવેમ્બરરાષ્ટ્રીય દૂધ દિવસ, ડૉ. વર્ગીસ કુરિયનની 101મી જન્મજયંતી

ચૂંટણી પંચ દ્વારા 'પર્વ આવ્યું રે.....' થીમ સોંગ પસંદ કરવામાં આવ્યું છે. આ ગીત કોના દ્વારા લખવામાં આવ્યું છે
*☑️IAS અધિકારી મનીષ બંસલ દ્વારા*
*☑️હાલ ચૂંટણી પંચ દ્વારા 'અવસર લોકશાહીનો' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે*

તમામ જિલ્લામાં 5G નેટ ધરાવતું દેશનું પહેલું રાજ્ય કયું બન્યું
*☑️ગુજરાત*
*☑️રિલાયન્સ જિયોએ ગુજરાતમાં ટ્રુ 5G નેટવર્ક લોન્ચ કર્યું.*

ત્રણ વખત કેરમ વર્લ્ડ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય કોણ બન્યું
*☑️રશ્મિ કુમારી*

ગુજરાતના કેટલા કલાકારો સહિત કુલ 128ને સંગીત નાટ્ય એવોર્ડ જાહેર કરવામાં આવ્યો
*☑️ગુજરાતના 4 કલાકારો*
*☑️રાષ્ટ્રીય સંગીત નાટ્ય અકાદમીએ 2019, 2020 અને 2021ના વર્ષ માટે આ પુરસ્કારોની જાહેરાત કરી*
*☑️ભારતના સાંસ્કૃતિક મંત્રાલયની જાહેરાત પ્રમાણે જે કલાકારોની વય 75ની નજીક છે તેમને આ એવોર્ડ આપવામાં આવશે*
*☑️ગુજરાતના દર્શનાબહેન ઝવેરી, મંજુબહેન મહેતા, શંકરભાઇ ધારજીયા અને મહેશ ચંપકલાલને આ એવોર્ડ મળશે*

વર્ષ 2023ના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે ભારતે મુખ્ય મહેમાન તરીકે કોણે આમંત્રણ આપ્યું
*☑️ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સિસિને*

તાજેતરમાં ઇસરોએ પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ-સી 54 (PSLV) દ્વારા 9 સેટેલાઇટ ક્યાંથી અંતરિક્ષમાં તરતા મુક્યા
*☑️શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી*
*☑️ભૂતાનનો 1 સેટેલાઇટ અને ભારતના ખાનગી ક્ષેત્ર દ્વારા તૈયાર થયેલા સેટેલાઇટ 'આનંદ'નો પણ સમાવેશ*

હાલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ IPL-2022ની ફાઇનલમાં સૌથી વધુ દર્શકોની હાજરી માટે ગિનિસ બુકમાં સામેલ કરવામાં આવ્યું.આ ફાઇનલમાં કુલ કેટલા દર્શકો હાજર હતા
*☑️1,01,566 દર્શકો*

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમને પોતાના ગુરુ માનતા તેમનું તાજેતરમાં તાજેતરમાં નિધન થયું
*☑️રાસ બિહારી મણિયાર*

તાજેતરમાં ડેવિસ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવી કઈ ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની
*☑️કેનેડા*

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અક્રમની આત્મકથા
*☑️સુલ્તાન - આ મેમોઈર*

દેશના પ્રથમ ખાનગી રોકેટ લૉન્ચપેડ અને મિશન કંટ્રોલ સેન્ટરનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*☑️શ્રીહરિકોટા*

ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ પદે કોની વરણી કરવામાં આવી
*☑️અજય પટેલ*

વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્રની ટીમ તરફથી રમતા ઋતુરાજ ગાયકવાડે કયા બોલરના એક ઓવરમાં 7 છગ્ગા ફટકારી વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો
*☑️શિવા સિંઘ (ઉત્તરપ્રદેશ)*
*☑️અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં*

ભારતીય સેનાએ ગરૂડને દુશ્મનોના ડ્રોનનો શિકાર કરવા માટે તાલીમ આપી. આ ગરૂડનું નામ શું છે
*☑️અર્જુન*

💥💥
*📝ડિસેમ્બર મહિનાના મહત્વના દિવસો📝*

1 ડિસેમ્બરવિશ્વ એઇડ્સ દિવસ

2 ડિસેમ્બરરાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ

3 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ, ભોપાલ ગેસ દુર્ઘટના દિવસ

4 ડિસેમ્બરભારતીય નૌસેના દિવસ

5 ડિસેમ્બરવિશ્વ મુદ્રા દિવસ

7 ડિસેમ્બરસશસ્ત્ર સેના ધ્વજ દિવસ, નાગરિક ઉડ્ડયન દિવસ

9 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધ દિવસ

10 ડિસેમ્બરમાનવ અધિકાર દિવસ

14 ડિસેમ્બરરાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ

16 ડિસેમ્બરવિજય દિવસ

18 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ

23 ડિસેમ્બરકિસાન દિવસ

24 ડિસેમ્બરગ્રાહક અધિકાર દિવસ

29 ડિસેમ્બરજૈવ વિવિધતા દિવસ

💥💥
*📒ધોરણ-12 : ગુજરાતી : લેખક અને કવિ📒*

ગુજરાતી ભાષાના આદ્યકવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ.
'શામળશાહનો વિવાહ, હાર, હૂંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચારિત્રાત્મક રચનાઓ છે.
તેમને ઝૂલણા છંદમાં પ્રભાતિયાં લખ્યા છે.

ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો.
જન્મભૂમિ દૈનિકમાં જોડાયા હતા.
વ્યાજનો વારસ, વેળા વેળાની છાંયડી, લીલુડી ધરતી ભાગ 1/2, સધરા જેસંગનો સાળો વગેરે નવલકથાઓ ; ઘૂંઘવતાં પૂર, શરણાઈના સૂર, અંતઃસ્ત્રોત વગેરે વાર્તાસંગ્રહો ; રંગદા, શૂન્યશેષ, રામલો રોબિનહૂડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્યસંગ્રહો આપ્યા છે.
ચોપાટીને બાંકડે હળવી શૈલીના નિબંધો, વાર્તાવિમર્શ, શાહમૃગ સુવર્ણમૃગ વગેરે વિવેચનસંગ્રહો આપ્યા છે.
તેઓ રણજિતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા છે.

ઉત્તમ આખ્યાનકાર તથા માણભટ્ટ કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો.
રામાયણ, મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરીને એમાંથી કથાવસ્તુ લઈને આખ્યાનો રચ્યા.
ઓખાહરણ, ચંદ્રહાસાખ્યાન, અભિમન્યુઆખ્યાન, સુદામાચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમસ્કંધ વગેરે આખ્યાનો આપ્યા.
તેઓ કવિ શિરોમણિનું સન્માન પામ્યા છે.

વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ નરહરિ ભાવે હતું.
તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં થયો હતો.
ગીતા પ્રવચનો, કુરાનસાર, શિક્ષણવિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મ જેવા પુસ્તકો લખ્યા છે.
ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા.

શ્રી ધના ભગત ધોળા ગામ, તા. ઉમરાળાના વતની હતા.
તેમનું આખું નામ ધનાભગત હરિભગત કાકડીયા હતું.

નટવરલાલ પ્રભુલાલ બુચનો જન્મ ગોંડલ (સૌરાષ્ટ્ર)માં થયો હતો.
ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં અંગ્રેજી શિક્ષક તથા લોકભારતી સણોસરામાં પ્રાધ્યાપક અને ઉપનિયામક રહ્યા.
રામરોટી પહેલી, રામરોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો, રામરોટી ત્રીજી, છેલવેલ્લુ, હળવા ફૂલ, કાગળના કેસૂડાં એમના નોંધપાત્ર પુસ્તકો છે.
ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક પ્રાપ્ત થયું છે. દર્શક ફાઉન્ડેશન તરફથી એમને દર્શક એવોર્ડ આપી સન્માનિત કરાયા છે.

દયારામનો જન્મ નર્મદા કાંઠે આવેલા ચાણોદ ગામમાં થયો હતો. એમણે ત્રણ વાર ભારતના તીર્થધામોની યાત્રા કરી હતી.

વિનોદીની નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો.
'રસદ્વાર' નિબંધસંગ્રહ
આરસીની ભીતર, કાર્પાસી અને બીજી વાતો, દિલ દરિયાનાં મોતી, અંગુલિનો સ્પર્શ જેવા વાર્તાસંગ્રહ
શિશુરંજના, મેંદીની મંજરી, બાળકોની દુનિયામાં ડોકિયું, સફરચંદ બાળસાહિત્યના નોંધપાત્ર પુસ્તકો છે.

કવિવર ઉમાશંકર જોશીનો જન્મ અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં થયો હતો.
વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંતવર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર અને સપ્તપદી એમના કાવ્યસંગ્રહો છે.આ બધાં જ કાવ્યો 'સમગ્ર કવિતા' નામે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયા છે.
'પુરાણોમાં ગુજરાત' તેમનો સંશોધન ગ્રંથ
'અખો : એક અધ્યયન, શૈલી અને સ્વરૂપ, સમસંવેદન, કવિની સાધના, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા એમના વિવેચનગ્રંથો છે.
'શ્રાવણી મેળો' તેમજ 'વિસામો' તેમના નવલિકાગ્રંથો છે.
'ગોષ્ઠિ' તેમજ 'ઉઘાડી બારી' તેમના હળવા ગંભીર નિબંધોના સંગ્રહો છે.
'આંદામાનમાં ટહુક્યા મોર', 'યુરોપયાત્રા', 'ચીનમાં 54 દિવસ' અને 'યાત્રી' તેમના પ્રવાસપુસ્તકો છે.
'સાપના ભારા' તથા 'હવેલી' એકાંકીના સંગ્રહો છે.
'હદયમાં પડેલી છબીઓ'ના બે ભાગ, 'ઈસામુ શિદા અને અન્ય' તેમના ચરિત્રાત્મક લેખોના સંગ્રહો છે.
તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.
કન્નડ કવિ પુટપ્પા સાથે સંયુક્તરૂપે તેમના 'નિશીથ' કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
'કવિની શ્રદ્ધા' વિવેચનગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

ગૃહ અને ગ્રામજીવનને કવિતાનો વિષય બનાવનાર કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો.
તેમને 'સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણી, રાસતરંગિણી' અને 'શૈવલિની' નો સમાવેશ થાય છે.
'રાસ' પ્રકારની રચનાઓ પણ આપી છે.

સૂક્ષ્મ સાહિત્યસૂઝ અને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિ શ્રી મુકુન્દરાય પારાશર્યનો જન્મ મોરબીમાં થયો હતો.
'અર્યન' (પ્રબોધ ભટ્ટ સાથે), 'સંસૃતિ', 'ભદ્રા' કાવ્યસંગ્રહો આપ્યા છે.
'ફૂલ ફાગણનાં' ગીતસંગ્રહ
'દીપમાલા' મુક્તક સંગ્રહ
'કંઠ ચાતકનો સને પ્રાણ બપૈયાનો' પદસંગ્રહો આપ્યા છે.
'સત્યકથા : 1, 2, 3' , 'સત્વશીલ' , 'મારાં મોટી બા અને બીજી સત્યકથાઓ' તથા 'મારી મા' જેવા વ્યક્તિચરિત્રો આપ્યા છે.
'સત્વશીલ'ને 1978નો નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે.
ધીરૂબહેન ગોરધનભાઇ પટેલનો જન્મ વડોદરામાં થયો હતો.
'અધુરો કોલ', 'એક લહર' , 'વિશ્રભકથા' અને 'જાવલ' એમની ટૂંકી વાર્તાના સંગ્રહો છે.
'વડવાનલ' , 'શિમળાનાં ફૂલ' , 'વાવંટોળ' , 'વમળ' , 'કાદંબરીની મા' , 'સંશયબીજ' એમની નવલકથાઓ છે.
'વાંસનો અંકુર' , 'આંધળી ગલી' , 'આગંતુક' , 'અનુસંધાન' અને 'એક ભલો માણસ' તેમની લઘુનવલકથાઓ છે.
'પરદુઃખભંજન પેસ્તનજી' , 'ગગનનાં લગન' તેમના હાસ્યરસના પુસ્તકો છે.
'પંખીનો માળો' , 'પહેલું ઇનામ' અને 'વિનાશને પંથે' તેમના નાટ્યના સંગ્રહો છે.
'મનનો મોરલો' અને 'માયાપુરુષ' એ બે સંગ્રહો રેડિયોનાટિકાનાં છે.
ધીરૂબહેને 'ભવની ભવાઈ' ફિલ્મનું પટકથાલેખન પણ કર્યું છે.
'નમણી નાગરવેલ' એમનો એકાંકી સંગ્રહ છે.
'બતકનું બચ્ચું' , 'અંડેરીગંડેરી ટીપરીટેન' તેમજ 'મિત્રાના જોડકણાં' તેમના બાળસાહિત્યના પુસ્તકો છે.

જયંતભાઈ સુખલાલ કોઠારીનો જન્મ રાજકોટ (સૌરાષ્ટ્ર)માં થયો હતો.
'ભારતીય કાવ્યસિદ્ધાંત' અને 'પ્લેટો- એરિસ્ટોટલની કાવ્યવિચારણા' , 'ઉપક્રમ' , 'અનુક્રમ' એ એમના પ્રકાશનો છે.
'આસ્વાદ અષ્ટાદશી' એ જુદાં જુદાં કાવ્યો પરના આસ્વાદ-વિવેચનનું જયંતભાઈ કોઠારીનું નોંધપાત્ર પુસ્તક છે.

શ્યામ સાધુનું મૂળ નામ શામળદાસ મૂળદાસ સોલંકી છે.તેમનું વતન જૂનાગઢ
'યાયાવરી' તેમનો પ્રથમ ગઝલસંગ્રહ છે.
તેમનું સમગ્ર કાવ્યસર્જન 'ઘર સામે સરોવર' નામે પ્રકાશિત થયું છે.

'ઇવા ડેવ' ઉપનામ ધરાવતા લેખક પ્રફુલ્લ નંદશંકર દવેનો જન્મ વડોદરામાં થયો હતો.
'આગંતુક' , 'તરંગિણીનું સ્વપ્ન' , 'તહોમતદાર' તેમના ટૂંકીવાર્તાના સંગ્રહો છે.
'ઈસુના ચરણે' નામની લઘુનવલ પણ આપી છે.

નિરંજન નરહરિ ભગત અમદાવાદના વતની છે.
'છંદોલય' , 'કિન્નરી' , 'અલ્પવિરામ' , '33 કાવ્યો' વગેરે સંગ્રહો દ્વારા પ્રગટ થયેલા તેમનાં બધા કાવ્યો 'છંદોલય બૃહત્' ગ્રંથમાં સંગ્રહાયાં છે.

દિલીપ નાગજીભાઈ રાણપુરાનો જન્મ તેમના વતન ધંધુકામાં થયો હતો.
'સૂકી ધરતી, સૂકા હોઠ' , 'આંસુભીનો ઉજાસ' , 'મીરાંની રહી મહેક' , 'આ કાંઠે તરસ' , 'પીઠે પાંગર્યો પીપળો' , 'ઊંડા ચીલા' , 'મને પૂછશો નહીં' તેમની પ્રશસ્ય નવલકથાઓ છે.
'રાતોરાત' , 'સરનામું' અને મારી શ્રેષ્ઠ વાર્તાઓ' તેમની નવલિકા ગ્રંથો છે.
'લાગણીનાં ફૂલ' , 'છવિ' તથા 'સુગંધ સંબંધોની' તેમના રેખાચિત્રના સંગ્રહો છે.
'વાત એક માણસની'માં ચરિત્ર નિબંધો છે.
'આ ભવની ઓળખ' , 'દિવા તળે ઓછાયા' , 'ભીતર ભીતર' તેમજ 'શિક્ષક કથાઓ'માં સંસ્મરણોની અનુભવકથાઓ છે.

આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવનું વતન અમદાવાદ.
તેઓ 'સુદર્શન' અને 'વસંત' સામયિકોના તંત્રીપદે પણ હતા.
'સાહિત્યવિચાર' અને 'કાવ્યતત્વવિચાર' તેમના સાહિત્યમીમાંસાના ગ્રંથો છે.
'દિગ્દર્શન' , 'વિચારમાધુરી' , 'આપણો ધર્મ' , 'હિન્દુ વેદધર્મ' ગ્રંથોમાં તેમણે ધર્મ અને સિદ્ધાંતોની ચર્ચા કરી છે.
'ધર્મવર્ણનો' જગતના ધર્મો વિશેનો તેમનો ગ્રંથ છે.
'હિન્દુધર્મની બાળપોથી' અને 'નીતિશિક્ષણ'માં પણ તેમણે ધર્મ અંગેની તાત્વિક છતાં સરળ ભાષામાં ચર્ચા કરી છે.
'શ્રીભાષ્ય' અને 'સુદર્શન ગ્રંથાવલિ' તેમનાં સંપાદનો છે.

મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી-ઈડર (જિ.સાબરકાંઠા) ખાતે થયો હતો.
'કાગળને પ્રથમ તિલક' , 'ત્રાણ' તેમજ 'બે પંક્તિના ઘરમાં' એમના નોંધપાત્ર કાવ્યસંગ્રહો છે.
'જળ અભિષેક' , 'આંતરયાત્રા' , 'એક સાંવરિયો બીજો બાવરિયો' , 'રૂપિયાનો રાણી ને ડોલરિયો રાજા' એમના નાટકો છે.

ઇન્દુલાલ ફુલચંદ ગાંધી મકનસર(મોરબી)ના વતની છે.
'તેજરેખા' , 'જીવનનાં જળ' , 'ખંડિત મૂર્તિઓ' , 'શતદલ' , 'ગોરસી' , 'ઈંધણાં' , 'ઉન્મેષ' એમનાં કાવ્યસંગ્રહો છે.

શ્રી કિશોર મકવાણાનો જન્મ ધોળકામાં થયો હતો.
' સ્વામી વિવેકાનંદ' , 'સામાજિક ક્રાંતિના મહાનાયક : ડૉ.બાબાસાહેબ આંબેડકર' , 'સમર નહિ, સમરસતા' , 'સ્વાભિમાનનાં તીર્થસ્થાનો' , 'રમણ મહર્ષિ' , 'મળવા જેવા માણસ' - એ એમના પુસ્તકો છે.

એન્ટવ પાવલોવિયા ચેખોવ રશિયાના ખ્યાતનામ નાટ્યકાર તેમજ વાર્તાકાર હતા.
'ધ સીગલ' , 'ધ એરી ઓરયાર્ડ' એમનાં વિશ્વવિખ્યાત નાટકો છે.
તેમની વાર્તા 'The bet'નો 'શરત' નામે અનુવાદ ડૉ.રમેશ ઓઝાએ કર્યો છે.

બંગાળી કવિ રવીન્દ્રનાથ ટાગોર. વતન કોલકાતા - જોરાસાંકો.
'ગીતાંજલી'નાં કાવ્યો માટે નોબેલ પારિતોષિક મળેલું. (1913)
'ગોરા' એમની સુખ્યાત નવલકથા છે.

દરબારશ્રી પુંજાવાળા એભલવાળાનો જન્મ સાંણથળી જિ.અમરેલી ખાતે થયો હતો.
'આતમરામની અમરવેલડી' , 'પીયૂષ-ઝરણાં' , '19 વાર્તાઓ તથા 6 સંત-ચરિત્રો' એમનાં પુસ્તકો છે.

💥💥
*📖પદ્ય સાહિત્યસ્વરૂપો📖*


*🖊️1.આખ્યાન🖊️*
આખ્યાનમાં કોઈ પૌરાણિક કથા, અવતારની કથા, પુણ્યશાળી ચારિત્રોની કથા કે ભક્તોની કથામાં લોકભોગ્ય ફેરફારો કરીને આલેખન કરે છે.
એમાં વીર, કરુણ, અદ્ભૂત, શૃંગાર, હાસ્ય વગેરે રસોનું વૈવિધ્ય હોય છે.
તેના એક પ્રકરણને 'કડવું' નામ અપાય છે.
મધ્યકાળમાં કવિ ભાલણે આખ્યાનની શરૂઆત કરી હતી. તે 'આખ્યાનનો પિતા' કહેવાય છે.
ત્યારબાદ નાકરે તેને આગળ વધાર્યું અને પ્રેમાનંદે તેને સૌથી વધારે લોકભોગ્ય બનાવ્યું.

*🖊️2.પદ🖊️*
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ઊર્મિકાવ્ય એટલે પદ.
એમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતો મુખ્ય હોય છે.
નરસિંહ મહેતાના પદો પ્રભાતિયાં તરીકે જાણીતા છે.

*🖊️3.મધ્યકાળનાં અન્ય સ્વરૂપો🖊️*
મધ્યકાળમાં એટલે કે નરસિંહ મહેતાથી શરૂ કરીને છેક દયારામ સુધીના સમયગાળામાં ભક્તિ સાહિત્ય પુષ્કળ રચાયેલું છે.
આ ભક્તિ સાહિત્યમાં અખાના છપ્પાઓ, શામળની પદ્યવાર્તાઓ, ભોજાના ચાબખા, ધીરાની કાફી, દયારામની ગરબીઓ મુખ્ય છે.

*🖊️4.ખંડકાવ્ય🖊️*
સમગ્ર કથાપ્રસંગના કોઈ એકાદ ખંડનું વર્ણન એટલે ખંડકાવ્ય.
ખંડકાવ્યમાં પ્રકૃતિની આલેખન હોય છે. તેમાં છંદોનું પણ વૈવિધ્ય હોય છે.
ગુજરાતી સાહિત્યમાં કવિ 'કાન્ત' 'ખંડકાવ્યના પિતા' કહેવાય છે.

*🖊️5.સૉનેટ🖊️*
ઈટાલી દેશમાં ઉદ્દભવેલો આ ઊર્મિકાવ્ય પ્રકાર અંગ્રેજી સાહિત્યમાંથી ગુજરાતીમાં આવ્યો છે.
સૉનેટ ચૌદ પંક્તિનું હોય છે.
બ.ક.ઠાકોરે ગુજરાતીમાં પ્રથમ સૉનેટ 'ભણકારા' રચ્યું હતું.

*🖊️6.હાઈકુ🖊️*
જાપાનમાંથી ઊતરી આવેલો કાવ્યપ્રકાર હાઈકુ છે.
5-7-5 અક્ષરોની ગોઠવણીથી રજૂ થતો વિચાર ચિંતાનપ્રદ બની રહે છે.
'સ્નેહરશ્મિ'નું નામ હાઈકુ માટે જાણીતું છે.
એક જ કડીમાં સંપૂર્ણ એક વિચાર આપ્યો હોય તેવો પદ્ય પ્રકાર મુક્તકનો છે.

*🖊️7.ગઝલ🖊️*
તે અરબી અને ફારસી ભાષામાંથી ગુજરાતીમાં ઊતરી આવી છે.
ગઝલમાં પ્રેમ, વિરહ, પ્રભુભક્તિ, વગેરે વિષયો મુખ્ય હોય છે.
તેના મુખ્ય બે પ્રકારો છે - 'ઇશ્કેહકીકી' એટલે ઈશ્વર તરફનો પ્રેમ અને 'ઇશ્કેમિજાજી' એટલે પ્રિયતમા તરફનો સ્નેહ.
તેની પ્રત્યેક બે પંક્તિ શેર કહેવાય છે.
ગઝલનો પહેલો શેર મત્લા અને છેલો શેર મક્તા કહેવાય છે.

💥💥
*📖ગદ્ય સાહિત્યસ્વરૂપો📖*

*1.🖊️નવલકથા🖊️*
તેને અંગ્રેજીમાં 'Novel' કહે છે.
ઇ.સ.1866માં શ્રી નંદશંકર મહેતાએ 'કરણઘેલો' નવલકથા લખી.તેને પ્રથમ નવલકથાનું સન્માન મળ્યું છે.
નવલકથા કલ્પનોત્થ સાહિત્યપ્રકાર છે.

*🖊️2.નવલિકા🖊️*
નવલિકા એટલે ટૂંકીવાર્તા.
જીવનના કોઈ રહસ્યને ઓછામાં ઓછા બનાવોથી, ઓછામાં ઓછા શબ્દોમાં, વાર્તાશૈલીએ નિરૂપવું તે.
આજની ટૂંકી વાર્તાનો પ્રારંભ કંચનલાલ વાસુદેવ મહેતા 'મલયાનિલ'ની 'ગોવાલણી' વાર્તાથી થયો હતો.

*🖊️3.નાટક🖊️*
નાટકમાં સર્જક, અભિનેતાઓ અને પ્રેક્ષકો એમ ત્રણની અપેક્ષા હોય છે.
નવલકથા જેમ મોટી વાર્તા છે, તેમ નાટકમાં વિસ્તૃત વૃતાંત હોય છે.
નાટકનું નાનું સ્વરૂપ એટલે એકાંકી.સમય અને વૃતાંત બંને રીતે તેમાં ટૂંકાણ હોય છે.

*🖊️4.નિબંધ🖊️*
નિબંધ એટલે નિઃબંધ. કોઈપણ પ્રકારના બંધન વિના જે-તે વિષય પર વિચારો રજૂ કરવા એનું નામ જ નિબંધ.
કલ્પના, અવલોકન અને મૌલિક વિચારો એ નિબંધના લક્ષણો છે.
'મંડળી મળવાથી થતા લાભ' એ પ્રથમ નિબંધ લખી નર્મદે શુભારંભ કર્યો હતો.

*🖊️5.જીવનચરિત્ર🖊️*
વ્યક્તિના જીવનની સમગ્ર ઘટનાઓનો ઇતિહાસ એટલે જીવનચરિત્ર.
જાણીતી વ્યક્તિઓ વિશે આપણે ત્યાં ઘણાં જ જીવનચરિત્રો લખાયાં છે.એક જ વ્યક્તિ વિશે એકથી વધારે લેખકો દ્વારા પણ જીવનચરિત્રો લખાય છે.

*🖊️6.આત્મકથા🖊️*
વ્યક્તિ પોતાના જીવનની ઘટનાઓ પોતે જ વર્ણવે, એનું આલેખન કરે તે પ્રકાર એટલે આત્મકથા.
આત્મકથા પૂરી લખી શકાતી નથી. તે જીવનમાં અમુક વર્ષોથી કથા જ બની રહે છે.
'મારી હકીકત' એ પ્રથમ આત્મકથા નર્મદે લખી હતી.
ગાંધીજીની આત્મકથા 'સત્યના પ્રયોગો' વિશ્વવિખ્યાત બની છે.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01/12/2022 થી 07/12/2022🗞️*

WHOએ 'મન્કીપોક્સ'નું નામ બદલીને શું કર્યું
*✔️એમપોક્સ*

રમત પુરસ્કાર 2022
*✔️ટેબલ ટેનિસ સ્ટાર શરત કમલ અચંતને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ*
*✔️25 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો*
*✔️ગુજરાતની શૂટર ઇલાવેનિલ વલારિવાનને અર્જુન એવોર્ડ*
*✔️મૂળ રાજકોટની અને મહારાષ્ટ્ર તરફથી રમતી પેરા બેડમિન્ટન ખેલાડી માનસી જોશીને અર્જુન એવોર્ડ*

ટોયોટો કીર્લોસ્કર મોટરના વાઈસ ચેરમેન જેમનું હાલમાં નિધન થયું
*✔️વિક્રમ કીર્લોસ્કર*

15મી ગુજરાત વિધાનસભાની રચના પ્રથમ તબક્કામાં કેટલા મતક્ષેત્રોમાં મતદાન થયું
*✔️89*

સમગ્ર રાજ્યની મતદાર યાદીમાં પ્રથમ નામ ધરાવતા મતદાર
*✔️ભાટી ચંપાબેન લાખાજી (કચ્છના અબડાસા બેઠકના કપુરાશી-લખપત ગામના)*

ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ દિવસે જ સૌથી વધુ રન 506 કયા દેશની ટીમે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
*✔️ઈંગ્લેન્ડ*
*✔️પાકિસ્તાન સામે*
*✔️રાવલપિંડી ખાતે*

બાળકને જન્મ આપતી વખતે દેશમાં દર વર્ષે 1 લાખે કેટલી માતાઓ મૃત્યુ પામે છે
*✔️97*
*✔️આસામમાં સૌથી વધુ 195 અને મધ્યપ્રદેશમાં 173 માતાના મૃત્યુ*

ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા બેઠકના ગીર વિસ્તારમાં આવેલ બાણેજ તીર્થધામના એક જ મતદાર ધરાવતું મતદાન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું. આ મતદારનું નામ શું છે
*✔️મહંત હરિદાસ ગુરુ દર્શનદાસ બાપુ*

ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટના 172 દેશોના સર્વે કરવામાં આવ્યો જે મુજબ રહેવા માટે વિશ્વના સૌથી મોંઘા શહેરો કયા છે
*✔️ન્યૂયોર્ક અને સિંગાપોર*

વિજય હજારે ટ્રોફી (ક્રિકેટ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️સૌરાષ્ટ્ર*
*✔️મહારાષ્ટ્રને હરાવ્યું*
*✔️સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટ*
*✔️અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ રમાઈ હતી*

તાજેતરમાં બ્લેક-નેપ્ડ ફિઝન્ટ પિજન પક્ષી 140 વર્ષ બાદ ફરીથી મળ્યું.અમેરિકાના પક્ષી નિષ્ણાત જોર્ડન બોએરર્સ અને તેની ટીમે પૂર્વ પપુઆ ન્યુ ગિનીના કયા ટાપુ પર આ પક્ષી જોવા મળ્યું
*✔️ફર્ગ્યુસન ટાપુ*
*✔️આ પક્ષી છેલ્લે 1882માં દેખાયું હતું*

5 ડિસેમ્બરવિશ્વ જમીન દિવસ
થીમ :- જમીન જ્યાં ખોરાક બને છે

નાસાનું કયું યાન પૃથ્વી તરફ પરત ફરી રહ્યું છે
*✔️ઓરાયન*

ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પીચાઈને હાલમાં સાનફ્રાન્સિસ્કો ખાતે વર્ષ 2022ના કયા ભારતીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
*✔️પદ્મ ભૂષણ*

કયા રાજયમાં ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં હોર્નિબલ મહોત્સવની શરૂઆત થઈ
*✔️નાગાલેન્ડ*

3 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ
1992માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી

કોણ ક્યાં મતદાન કરશે
*✔️વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપ*
*✔️અમિત શાહ નારણપુર*
*✔️મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શીલજથી*

કયો દેશ પોતાની સંસ્કૃતિ સાથે જોડવા દરેક યુવાનને ૱18 હજાર આપશે
*✔️જર્મની*

તાજેતરમાં ઇન્ડોનેશિયામાં કયો જ્વાળામુખી ફાટ્યો
*✔️સેમેરુ જ્વાળામુખી*

ભારત અમેરિકા પાસેથી સૌથી આધુનિક કયા ડ્રોન ખરીદશે
*✔️એમક્યુ-9 બી પ્રિડેટર*

દેશનો પ્રથમ વર્ટિકલ બ્રિજ ક્યાં બની રહ્યો છે
*✔️રામેશ્વરમ*
*✔️તમિલનાડુને જોડતો 2.05 કિમી લાંબો*

ભારતનું પ્રથમ ગોલ્ડ એટીએમ અને વિશ્વનું પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમ ક્યાં શરૂ કરાયું
*✔️હૈદરાબાદના બેગમપેટમાં*

પહેલીવાર ભારતની અધ્યક્ષતામાં G-20 દેશોની મુખ્ય શેરપા સભા ક્યાં થઈ
*✔️ઉદયપુર*

વર્ષ 2022 ઓક્સફર્ડ વર્ડ ઓફ ધ યર કયો શબ્દ ઘોષિત કરવામાં આવ્યો
*✔️ગોલ્બિન મોડ*
*✔️આ શબ્દનો અર્થ :- પોતાની જાત સાથે થોડા વધારે પડતાં દયાળુ બનીને થતું આળસુ વર્તન*

ભારતની આઝાદી-વિભાજન મુદ્દે 'ફ્રીડમ એટ મિડનાઈટ' બુક લખનારા જાણીતા લેખક જેમનું હાલમાં નિધન થયું
*✔️ફ્રાન્સના ડોમિનિક લેપિયર*
*✔️આ પુસ્તકના સહ લેખક હેનરી કોલીન્સ હતા*

સંયુકત રાષ્ટ્રના સર્વોચ્ચ પર્યાવરણ એવોર્ડ 'ચેમ્પિયન ઓફ ધ અર્થ'થી કોણે નવાજવામાં આવ્યા
*✔️ડૉ.પૂર્ણિમા દેવી બર્મન*
*✔️આ એવોર્ડની શરૂઆત સ્થાપના 2005માં થઈ હતી.*

ફોર્બ્સ યાદી : એશિયાના મોટા દાનવીરોમાં કયા ત્રણ ભારતીયોનો સમાવેશ થાય છે
*✔️ગૌતમ અદાણી, શિવ નાદર અને અશોક સુતા*

તાજેતરમાં જાણીતા અર્થશાસ્ત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યોગીન્દર કે. અઘલનું નિધન થયું. તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, આણંદ (ઈરમા) કયા વર્ષ દરમિયાન ચેરમેનપદે રહ્યા હતા
*✔️2006 થી 2012*

ઓસ્ટ્રેલિયામાં સાયન્સ એન્ડ ટેકનોલોજીના સુપરસ્ટાર તરીકે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જીનિયરિંગ અને ગણિત (STEM)ના ટોચના 60 વૈજ્ઞાનિકોની યાદીમાં કયા ત્રણ ભારતીય મૂળની મહિલાઓને સ્થાન મળ્યું છે
*✔️નિલીમા કડીયાલા, ડૉ.અન્ના બાબુરામણી અમે ડૉ.ઈન્દ્રાણી મુખર્જી*

તાજેતરમાં કયા ત્રણ એરપોર્ટ પર યાત્રિકો માટે પેપરલેસ ડીજી યાત્રા શરૂ કરવામાં આવી
*✔️દિલ્હી, બેંગલુરુ અને વારાણસી*
તાજેતરમાં ભારતે કયા પડોશી દેશને 100 મિલિયન અમેરિકન ડોલરની સહાય કરી
*✔️માલદીવ*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-08/12/2022 થી 13/12/2022🗞️*

મુંબઈ ખાતે કેટલામો એશિયન ફિલ્મ ફેસ્ટિવલ મનાવામાં આવશે
*✔️19મો*
*✔️5 ગુજરાતી ફિલ્મો દર્શાવાશે*

ફોર્બ્સની 100 મોસ્ટ પાવરફુલ વિમેનના લિસ્ટમાં કેટલી ભારતીય મહિલાઓને સ્થાન મળ્યું
*✔️છ*
*✔️નાણાં પ્રધાન નિર્મલા સીતા રામનનો પણ સમાવેશ*
*✔️રશિયા-યુક્રેન યુદ્ધમાં કુનેહપૂર્વકની કામગીરી બજાવનારા ઉર્સુલા વાન ડેર યાદીમાં ટોચના સ્થાને*

ટાઈમ મેગેઝીને 'પર્સન ઓફ ધ યર' તરીકે કોને જાહેર કર્યા
*✔️ઝેલેન્સ્કી*

હાલમાં કયા બે રાજ્યો વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે
*✔️મહારાષ્ટ્ર અને કર્ણાટક*

તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ કેટલી બેઠકો જીતી
*✔️156*
*✔️1985માં કોંગ્રેસે 149 બેઠકો જીતી હતી*

ચૂંટણી પંચે તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS)નું નામ બદલીને નવું કયું નામ આપવાની મંજૂરી આપી
*✔️ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)*

તાજેતરમાં ભારતના સ્વદેશી ડ્રોન 'તપસ' એ સતત 18 કલાક ઉડ્ડયન કર્યું. 'તપસ' નું પૂરું નામ શું છે
*✔️ટેક્નિકલ એરબોર્ન પ્લેટફોર્મ ફોર એરિયલ સર્વેલન્સ બિયોન્ડ હોરાઈઝન્સ*

નેપાળમાં લણણી અંત થવા પૂર્વે કયો ઉત્સવ ઉજવાય છે
*✔️જયપુ ડે*

તાજેતરમાં તમિલનાડુમાં કયું ચક્રવાતી વાવાઝોડું આવ્યું
*✔️મેન્ડોસ*

આમ આદમી પાર્ટી દેશમાં કેટલામી નેશનલ પાર્ટી બની
*✔️9મી*
*✔️નેશનલ પાર્ટી બનવા ત્રણ માપદંડોમાંથી કોઈ એક માપદંડમાં ખરા ઉતરવું પડે*
*1.લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં કુલ બેઠકની 2% બેઠકોમાં વિજય પ્રાપ્ત થવો જોઈએ*
*2.લોકસભા કે વિધાનસભાની ચૂંટણીઓમાં 4 રાજ્યોમાં ઓછામાં ઓછા 6% વોટશેર જરૂરી*
*3.ચાર રાજ્યમાં સ્ટેટ પાર્ટીનો દરજ્જો મેળવનાર પાર્ટી નેશનલ પાર્ટી બની શકે*
*આમ આદમી પાર્ટીને દિલ્હી, પંજાબ, ગોવા અને ગુજરાતમાં 6% વોટશેર મળ્યો*

ભારતીય સૈન્ય અને મલેશિયાના દળો વચ્ચે મલેશિયાના ક્લુઆંગના પુલાઈ વિસ્તારમાં સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવ્યું હતું. આ કવાયતનું નામ શું છે
*✔️હરિમાઉ શક્તિ 2022*

10 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ

તાજેતરમાં વન-ડે ક્રિકેટ મેચમાં કયા ભારતીય ખેલાડીએ 126 બોલમાં ફાસ્ટેસ્ટ બેવડી સદીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
*✔️ઈશાન કિશન*
*✔️બાંગ્લાદેશ સામે*
*✔️સૌથી યુવા વયે બેવડી સદીનો પણ રેકોર્ડ બનાવ્યો*

11 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય પર્વત દિવસ
થીમ :- વુમન મુવ માઉન્ટેન

ભારતીય ઓલિમ્પિક સંઘના સૌપ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા
*✔️પી.ટી.ઉષા*

આર્ટન કેપિટલ યાદી મુજબ સૌથી શક્તિશાળી પાસપોર્ટવાળા દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️69મા*
*✔️વિશ્વનો સૌથી તાકતવર પાસપોર્ટ UAEનો*
*✔️બીજા ક્રમે 11 દેશો*

હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ બન્યા
*✔️સુખવિંદર સિંહ સૂક્ખુ*
*✔️હિમાચલ પ્રદેશના 15મા મુખ્યમંત્રી*
*✔️મુકેશ અગ્નિહોત્રી નાયબ મુખ્યમંત્રી*

3200 કિમી.ની મા નર્મદા સેવા પરિક્રમા કોણ કરી રહ્યું છે
*✔️દાદા ગુરૂ (સંત સમર્થ ગુરૂ*

વિશ્વની સૌથી મોટી પ્રકાશન કંપની પેગ્વિન રેન્ડમ હાઉસે ભારતીય મૂળના કયા વ્યક્તિની વચગાળાના CEO તરીકેની નિમણૂક કરી
*✔️નિહાર માલવીયા*

કર્ણાટકના અમુક મંદિરોમાં 300 વર્ષથી કરાતી સલામ આરતીનું નામ બદલીને શું કરવામાં આવ્યું
*✔️સંધ્યા આરતી*

ભુપેન્દ્રભાઈ રજનીકાંત પટેલે ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
*✔️18મા*

સીજેઆઈ ડી.વાય.ચંદ્રચુડે બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેવડાવ્યા. હવે સર્વોચ્ચ અદાલતમાં જજોની સંખ્યા કેટલી થઈ
*✔️28*
*✔️સીજેઆઈ સહિત સુપ્રીમ કોર્ટમાં જજોની કુલ સ્વીકૃત પદોની સંખ્યા 34 છે*

નાસાના આર્ટેમિસ મિશનનું ઓરિયન ચંદ્ર પરથી પરત ફર્યું.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-14/12/2022 થી 21/12/2022🗞️*

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે અમદાવાદના એસ.પી.રિંગ રોડ ખાતે 600 એકરમાં પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નગરની રચના અને ડિઝાઇનિંગ કોણે કરી છે
*✔️શ્રીસ્વરૂપદાસજી સ્વામીજી*

બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ મુજબ દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા
*✔️ફ્રાન્સની ફેશન જાયન્ટ LVMH કંપનીના માલિક બર્નાર્ડ અરનોલ્ટ (18 લાખ કરોડ સંપત્તિ)*
*✔️ઇલોન મસ્ક બીજા નંબરે*
*✔️ગૌતમ અદાણી ત્રીજા ક્રમે*

ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ (ઈઆઇયુ)ના વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ મુજબ વિશ્વના સૌથી મોંઘા શહેર કયા છે
*✔️સિંગાપોર અને ન્યૂયોર્ક*

તાજેતરમાં કયા દેશમાં દુનિયાનું પહેલું તમાકુ પ્રતિબંધ બિલ પાસ થયું
*✔️ન્યુઝીલેન્ડ*
*✔️વર્ષ 2023થી અમલ*

મિસ ઇન્ટરનેશનલ 2022 કોણ બન્યા
*✔️જર્મનીની જાસ્મિન સેલ્બર્ગ*

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નૌકાદળના નવા ધ્વજ અને ડિઝાઇનને મંજૂરી આપી. આ ધ્વજ કેવો છે
*✔️સેન્ટ જ્યોર્જ ક્રોસને હટાવી દેવામાં આવ્યો, નવા ઝંડામાં સફેદ પૃષ્ઠભૂમિ પર લાલ આડી અને ઉભી રેખાઓ સાથે વાદળી અષ્ટકોણ*

હોલીવુડ ક્રિટીક્સ એસોસિએશનમાં (આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ) કઈ ફિલ્મને સ્પોટલાઈટ એવોર્ડ મળ્યો
*✔️દક્ષિણની RRR*

ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક ઉડ્ડયન સુરક્ષા રેન્કિંગમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️48મા*

સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ દ્વારા વિશ્વના દસ મોટા અભિયાનોમાં ભારતના કયા અભિયાનને સામેલ કરવામાં આવ્યું છે
*✔️નમામિ ગંગે*

તાજેતરમાં DRDO અને ભારત ડાયનેમિક્સ લિમિટેડે કયા પરમાણુ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
*✔️અગ્નિ-5*
*✔️1500 કિલો વિસ્ફોટકો સાથે 5 હજાર કિમી.દૂર ત્રાટકી શકે છે*
*✔️વજન 50 હજાર કિલો*

પેરુના રાષ્ટ્રપતિ જેમને હાલમાં પદ પરથી હટાવ્યા
*✔️પેડ્રો કેસ્ટીલોને*

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️શંકર ચૌધરી*
*✔️જેઠા ભરવાડ ઉપાધ્યક્ષ*

ઈતિહાસમાં પહેલીવાર કોના દ્વારા 2023માં છોકરીઓ માટે ગુરુકુળ શરૂ થશે
*✔️રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ*

તાજેતરમાં કયા દેશમાંથી ભારતમાં 3 જિરાફ લાવવામાં આવ્યા
*✔️દક્ષિણ આફ્રિકા*

યુરોપિયન દેશ આયર્લેન્ડના બીજી વખત વડાપ્રધાન કોણ બન્યા
*✔️લિયો વરાડકર*

ટી20 બ્લાઈન્ડ વર્લ્ડકપમાં બાંગ્લાદેશને હરાવી ભારત કેટલામી વાર ચેમ્પિયન બન્યું
*✔️ત્રીજી વખત*
*✔️યજમાન દેશ ભારત*

ભારતીય એરફોર્સની કઈ ટુકડીમાં મહિલાઓને જોડાવાની મંજૂરી આપવામાં આવી
*✔️ગરૂડ કમાન્ડો*

પ્રોજેક્ટ 15B હેઠળનું આધુનિક યુદ્ધજહાજ જેને હાલમાં નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું
*✔️માર્મુગાઓ*

તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ ગુજરાતમાં કેટલા ટકા લોકો પાસપોર્ટ ધરાવે છે
*✔️9.50 % (67.61 લાખ લોકો)*
*✔️દેશમાં છઠ્ઠા ક્રમે*

કતારમાં યોજાયેલ ફિફા વર્લ્ડકપમાં (ફૂટબોલ) કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️આર્જેન્ટિના (ત્રીજી વખત ચેમ્પિયન)*
*✔️ફ્રાન્સને હરાવ્યું*
*✔️કતારના લુસેલ સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાઈ હતી*

મિસિસ વર્લ્ડ 2022 કોણ બની
*✔️ભારતની જમ્મુ કાશ્મીરની સરગમ કૌશલ*
*✔️અમેરિકાના લાસ વેગાસમાં યોજાયેલ સ્પર્ધામાં 63 દેશોની સુંદરીઓએ ભાગ લીધો હતો*

ફિફા ટ્રોફીનું અનાવરણ કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યા
*✔️દીપિકા પાદુકોણ*

પ્રો કબડ્ડી લીગ (PKL) સિઝન-9માં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️જયપુર પિંક પેન્થર્સ*
*✔️પુણેરી પલટનને હરાવ્યું*

મિસ ઈકો ટીનનો ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય ટીનેજર કોણ બની
*✔️17 વર્ષીય ચેરીસા ચંદા*

1971ના ભારત પાકિસ્તાન યુદ્ધના હીરો જેમનું હાલમાં નિધન થયું
*✔️ભૈરોસિંહ રાઠોડ*
*✔️'બોર્ડર' ફિલ્મમાં સુનિલ શેટ્ટીએ તેમનું પાત્ર ભજવ્યું હતું.*

2026નો ફિફા વર્લ્ડકપ ક્યાં યોજાશે
*✔️અમેરિકા, કેનેડા અને મેક્સિકો*

ઈંગ્લેન્ડની નવી ચલણી નોટો પર વર્ષ 2024 સુધીમાં કોની તસવીરો પ્રકાશિત થશે
*✔️સમ્રાટ ચાર્લ્સ-3*

પ્રોજેક્ટ 75 હેઠળ ઘરઆંગણે બનેલી સ્કોર્પિન ડિઝાઇનની વાગીર સબમરીન મઝદાવ ડોક શિપબિલ્ડર્સ, મુંબઈએ કયા દેશ સાથેના સહયોગથી બનાવી
*✔️ફ્રાન્સ*

તાજેતરમાં ગુજરાતના કયા બે સ્થળોને UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો
*✔️ઐતિહાસિક વડનગર અને મોઢેરાના સૂર્યમંદિરને*
*✔️ત્રિપુરાના ઉનાકોટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો*

અમેરિકાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશનના સાયન્સ એન્ડ એન્જીનિયરિંગ ઇન્ડિકેટર્સ 2022ના રિપોર્ટ અનુસાર ભારત સાયન્ટિફિક પબ્લિકેશન્સના ગ્લોબલ રેન્કિંગમાં કેટલામાં ક્રમે છે
*✔️ત્રીજા*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-22/12/2022 થી 31/12/2022 🗞️*

'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' અને 'મા યોજના' હેઠળ હાલમાં અપાતી 5 લાખ સુધીની સારવારની રકમ વધારી કેટલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
*✔️10 લાખ*

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ રમીઝ રાજાને સસ્પેન્ડ કરાય.નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️નઝીમ સેઠી*

સાહિત્ય અકાદમીએ ગુજરાતી સાહિત્યકાર ગુલામ મોહમ્મદ શેખને તેમની કઈ કૃતિ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર આપ્યો
*✔️આત્મકથનાત્મક નિબંધ 'ઘરે જતાં' માટે*

હાલમાં થયેલી હરાજીમાં IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો
*✔️ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર ખેલાડી સેમ કરેન*
*✔️18.5 કરોડમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો*
*✔️જોશ લિટીલ IPLમાં સામેલ થનારો પહેલો આઈરિશ ખેલાડી બન્યો (ગુજરાતે ખરીદ્યો)*

તાજેતરમાં સિક્કિમના કયા વિસ્તારમાં અકસ્માત થતા 16 જવાનો મૃત્યુ પામ્યા
*✔️જેમા વિસ્તારમાં*

ગુજરાત સરકારમાં પગાર ભથ્થા કે બીજા કોઈ વેતન-ભથ્થા નહિ સ્વીકારવાનો નિર્ણય કોણે લીધો કે જેઓ વેતન ભથ્થા નકારનાર કેબિનેટના પ્રથમ મંત્રી બન્યા
*✔️ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત*

તાજેતરમાં સમ્મેદ શિખરને પર્યટન સ્થળ જાહેર કરવા સામે જૈનોએ રેલી કાઢી. આ સ્થળ કયા રાજયમાં આવેલ છે
*✔️ઝારખંડ*

અમેરિકાના અનેક વિસ્તારોમાં ત્રાટકેલું બર્ફીલું તોફાન
*✔️બૉમ્બ*

24 ડિસેમ્બરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

ગુજરાતમાં પ્રથમ વખત દેશી રમત 'નાગોલચા' અથવા 'સતોડિયું'ની નેશનલ ચેમ્પિયનશિપનો પ્રારંભ ક્યાં થયો
*✔️વડોદરા ખાતે*

25 ડિસેમ્બરગુડ ગવર્નન્સ ડે (સુશાસન દિવસ), અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી

ફીજી દેશના નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️સિત્વિની રાબુકા*

નેપાળમાં વડાપ્રધાન કોણ બન્યા
*✔️પુષ્પકમલ દહલ પ્રચંડ*

ગુજરાત રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું
*✔️વડોદરા*

કચ્છના નાના રણમાં વેડફાતા કયા નદીના પાણીનો સંગ્રહ કરવા 80 કરોડના પ્રોજેકટને સરકારે મંજૂરી આપી
*✔️રૂપેણ*

ટેસ્ટ એટલાસ અનુસાર 2022માં વિશ્વની શ્રેષ્ઠ વાનગીઓમાં ભારતીય વાનગીઓને કેટલામું સ્થાન મળ્યું
*✔️પાંચમું*
*✔️ઈટાલીના વ્યંજનો પહેલા, ગ્રીસ બીજા અને સ્પેનના ત્રીજા ક્રમે*

વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ ક્યાં બની રહ્યો છે
*✔️મણિપુરમાં જિરિબામ-ઈમ્ફાલ રેલવેલાઈન પર*

ગુજરાત મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️હસમુખ અઢિયા*
*✔️કે.કૈલાશનાથન મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી અને ડૉ.સત્યનારાયણસિંહ રાઠોડ સલાહકાર*

વિશ્વમાં દરિયાઈ કરચલાની નવી પ્રજાતિની શોધ કરવામાં આવી. આ નવી પ્રજાતિનું નામ શું છે
*✔️બેલાયરા પરસિકમ*
*✔️ભારતમાં કરચલાની કુલ 910 પ્રજાતિ છે*

તાજેતરમાં કયા દેશમાં દરેક નાગરિક માટે એક વર્ષની મિલિટરી ટ્રેનિંગ ફરજિયાત કરવામાં આવી
*✔️તાઈવાન*

મહિલા ટી20 વર્લ્ડકપ-2023 ક્યાં યોજાશે
*✔️સાઉથ આફ્રિકા*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું. મોદીએ મુખાગ્નિ આપી કયા બે સ્થળો વચ્ચેના વંદે ભારત ટ્રેનની લીલી ઝંડી આપી
*✔️પશ્ચિમ બંગાળના હાવડા-ન્યુ જલપાઈ ગુડી વચ્ચે*
*✔️દેશની સાતમી વંદે ભારત ટ્રેન*

ત્રિ-દિવસીય શરદ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું
*✔️હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં*

બ્રાઝિલને 3 વર્લ્ડકપ જીતાડનાર મહાન ફૂટબોલર જેમનું હાલમાં નિધન થયું
*✔️પેલે*
*✔️પેલેનું મૂળ નામ :-એડ્સન એરાન્ટેસ ડો નાસીમેન્ટો*
*✔️જન્મ :- 23 ઓક્ટોબર, 1940, ટ્રેસ કારાકોસ, મીરાસ જેરાઇસ, બ્રાઝીલ ખાતે*

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોવિડ મહામારી દરમિયાન કરેલ ઉત્કૃષ્ટ કામગીરી માટે જીનિવામાં દસ લાખ જેટલી આશા બહેનોને કયા એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા
*✔️ગ્લોબલ હેલ્થ લીડરશિપ એવોર્ડ-2022*
*✔️ASHAAccredited Social Health Activists*
*✔️ભારતમાં આશા કાર્યક્રમનો પ્રારંભ 2005-06માં રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશનના એક ભાગ તરીકે થયો હતો*

ચૂંટણી પંચ દ્વારા શ્રમિકો ગમે ત્યાંથી મતદાન કરી શકે તે માટે રિમોટ વોટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી.

💥💥
*સીડીએસજન. અનિલ ચૌહાણ*

*સેના પ્રમુખજન.મનોજ પાંડે*

*વાયુસેના પ્રમુખએરચીફ માર્શલ વિવેક આર.ચૌધરી*

*નૌસેના પ્રમુખએડમિરલ આર.હરિકુમાર*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01/01/2023 થી 07/01/2023🗞️*

1 જાન્યુઆરીવિશ્વ પરિવાર દિવસ

WHOની ગાઈડલાઈન મુજબ વિશ્વ કક્ષાનું સર્પ સંશોધન કેન્દ્ર ક્યાં બનશે
*✔️વલસાડના ધરમપુરમાં*

બ્રાઝિલના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા
*✔️લુઇઝ ઇનાસિયો લુલા દ સિલ્વા*

ગુજરાત રાજ્યના પ્રથમ અને એકમાત્ર મહિલા મુખ્ય સચિવ જેમનું હાલમાં નિધન થયું
*✔️મંજુલા સુબ્રહ્મણયમ*

અમદાવાદ અક્ષરધામ મંદિર અને દિલ્હીના અક્ષરધામ મંદિરને જોડતી ગુજરાત સંપર્કક્રાંતિ એક્સપ્રેસ ટ્રેન હવેથી કયા નામે ઓળખાશે
*✔️અક્ષરધામ એક્સપ્રેસ*

દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર 15,632 ફૂટની ઊંચાઈ પર સિયાચેનમાં પ્રથમ વખત મહિલા સૈન્ય અધિકારીની ફરજ પર નિમણૂક કરવામાં આવી.આ મહિલાનું નામ શું છે
*✔️કેપ્ટન શિવા ચૌહાણ*

કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા કઈ યોજના લાગુ કરવાની તૈયારી છે જે મુજબ દેશભરમાં ક્યાંય પણ ટ્રાફિક નિયમ તોડ્યો તો ઘરે મેમો આવશે
*✔️એક દેશ , એક ચલાન*

સમેત શિખર બચાવવા આમરણ ઉપવાસ પર બેઠેલા જૈન મુનિ જેઓ હાલમાં કાળધર્મ પામ્યા
*✔️સુજ્ઞેય સાગરજી*
*✔️અનશન પર બેઠેલા જૈન મુનિ સમર્થ સાગર પણ કાળધર્મ પામ્યા*

108મી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્દઘાટન ક્યાં કર્યું
*✔️નાગપુરમાં*

રણજી ટ્રોફીના ઈતિહાસમાં પહેલી ઓવરમાં હેટ્રિક મેળવનાર પ્રથમ બોલર કોણ બન્યા
*✔️જયદેવ ઉનડકટ*

રોલિંગ સ્ટોનની 200 શ્રેષ્ઠ સિંગર્સની યાદીમાં કયા ભારતીય ગાયક કલાકારને સ્થાન આપવામાં આવ્યું
*✔️લતા મંગેશકર(84મુ સ્થાન)*


આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️ઇસુદાન ગઢવી*

ગુજરાતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડશે
*✔️બીલીમોરા-વઘઈ નેરોગેજ લાઈન પર*

ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા કયા બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી જે મુજબ 144મી કલમ લાગુ હોય ત્યાં દેખાવો કરાશે તો ગુનો નોંધાશે
*✔️કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર બિલ*

ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સમય (IST)ની દરેક નેટવર્ક અને કોમ્પ્યુટર સાથે જોડવા ભારત સરકાર કઈ નીતિ અપનાવશે
*✔️એક દેશ એક સમય*

હોકી વર્લ્ડકપ 2023 ક્યાં રમાશે
*✔️ભારત (ઓડિશામાં)*

સ્નૂકરમાં નેશનલ ચેમ્પિયન બનનાર પ્રથમ ગુજરાતી મહિલા ખેલાડી કોણ બની
*✔️આન્યા પટેલ*

એવિએશન એનલિટિક્સ ફર્મ સિરિયમના રિપોર્ટ પ્રમાણે સમયપાલન કરવામાં કયું એરપોર્ટ પહેલા ક્રમે છે
*✔️ટોક્યો એરપોર્ટ*
*✔️બીજા સ્થાને બેંગલુરુ*
*✔️દિલ્હી સાતમા સ્થાને*

ગૃહપ્રધાન અમિત શાહે માર્જિગ પોલોની 120 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*✔️મણિપુરના પાટનગર ઈમ્ફાલમાં*

ચિત્રલેખાના સ્થાપક તંત્રી વજુ કોટકના પત્ની અને સહસંસ્થાપક જેમનું હાલમાં અવસાન થયું
*✔️મધુરીબહેન કોટક*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :- 08/01/2023 થી 12/01/2023🗞️*

વિદેશમાં વોર ગેમ્સમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા પાઈલટ કોણ બનશે
*✔️અવની ચતુર્વેદી*
*✔️જાપાનમાં યોજાનાર યુદ્ધ અભ્યાસમાં ભાગ લેશે*

17મુ પ્રવાસી ભારતીય સંમેલન ક્યાં યોજાયું
*✔️ઇન્દોર (મધ્યપ્રદેશ)*

હાલમાં જોશીમઠમાં જમીન ધસી રહી છે, તિરાડો પડી છે. આ સ્થળ કયા રાજયમાં સ્થિત છે
*✔️ઉત્તરાખંડ (ચમોલી જિલ્લામાં)*
*✔️જોધીમઠ ગેટ વે ઓફ હિમાલય કહેવાય છે*
*✔️બદ્રીનાથના દ્વાર પણ કહેવાય છે*

ભારત અને જાપાનની એરફોર્સ વચ્ચે પ્રથમ વખત યુદ્ધ અભ્યાસ કરશે.આ અભ્યાસનું નામ શું છે
*✔️વીર ગાર્ડિયન-2023*
*✔️જાપાનના એરબેઝ હાયકુરીમાં*

9 જાન્યુઆરીપ્રવાસી ભારતીય દિવસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વનું સૌથી લાંબું રિવર ક્રૂઝ રવાના કરાવશે.આ ક્રૂઝનું નામ શું છે
*✔️એમવી ગંગા વિલાસ*
*✔️ભારત અને બાંગ્લાદેશથી પસાર થતી 27 નદીઓમાંથી 3200 કિમી.લાંબી યાત્રા કરશે*

તાજેતરમાં 'માય કેસ સ્ટેટ્સ' સેવાનો પ્રારંભ કયા રાજ્યની હાઇકોર્ટે કર્યો
*✔️ગુજરાત*

પોરબંદરમાં થતી રાષ્ટ્રીય તરણ સ્પર્ધા કોના દ્વારા યોજાય છે
*✔️શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ*

ગુજરાતમાં ઓબીસી પંચાયત અનામત અંગેનો રિપોર્ટ કઈ સમિતિને સોંપવામાં આવ્યો છે
*✔️જસ્ટિસ ઝવેરી પંચ*

ભારત જાપાનને પછાડી વિશ્વનું કેટલામું સૌથી મોટું ઓટો માર્કેટ બન્યું
*✔️ત્રીજું*
*✔️ચીન પ્રથમ અને અમેરિકા બીજા ક્રમે*

ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢીએ રાજીનામુ આપતા કાર્યકારી એમ.ડી. તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️જયેન મહેતા*

ICFAI હૈદરાબાદે કયા પ્રસિદ્ધ વાસ્તુકારને માનદ ઉપાધિથી સન્માનિત કર્યા
*✔️બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી*

દેશમાં ઘરેલુ હિંસાના કેસમાં મહિલાઓ સામેના ગુનામાં કયા રાજયમાં સૌથી વધુ ગુના નોંધાયા છે
*✔️ઉત્તરપ્રદેશ*
*✔️દિલ્હી બીજા અને મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે*

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા અનુસાર 2022માં દેશનું સૌથી પ્રદૂષિત શહેર કયું
*✔️દિલ્હી*
*✔️બીજા ક્રમે ફરીદાબાદ અને ત્રીજા ક્રમે ગાઝિયાબદ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુવા દિવસે 26મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્દઘાટન ક્યાં કરશે
*✔️કર્ણાટકના હુબલીમાં*

ક્રોએશિયાએ તેનું ચલણ કુનાને નાબૂદ કરી નવા ચલણ તરીકે કયું અપનાવ્યું
*✔️યુરો*

બેસ્ટ ઓરીજીનલ સોન્ગ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2023નો ખિતાબ કયા ભારતીય ગીતને મળ્યો
*✔️તેલુગુ ફિલ્મ 'આરઆરઆર'ના ગીત નાટુ-નાટુ (નાચો-નાચો)*

રેટિંગ એજન્સી કેર એજ રિપોર્ટ મુજબ આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ દેશનું શ્રેષ્ઠ રાજ્ય કયું છે
*✔️મહારાષ્ટ્ર*
*✔️ગુજરાત બીજા સ્થાને અને તમિલનાડુ ત્રીજા સ્થાને*

13મો પુરુષ હોકી વર્લ્ડકપની શરૂઆત ક્યાં થઈ
*✔️ઓડિશા (ભારત)*
*✔️ઓડિશાના કટકમાં આવેલા બારામતી સ્ટેડિયમમાં શુભારંભ*
*✔️થીમ સોંગ :- સંગીતકાર પ્રીતમ દ્વારા 'હોકી હે દિલ મેરા*

12 જાન્યુઆરીરાષ્ટ્રીય યુવા દિવસ
✔️સ્વામી વિવેકાનંદની 160મી જયંતી

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેફ એડમિનિસ્ટ્રેટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️ઉદિત અગ્રવાલ*

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2023 રિપોર્ટ અનુસાર સૌથી શક્તિશાળી પાસપોર્ટમાં ભારતીય પાસપોર્ટ વિશ્વમાં કેટલામાં ક્રમે છે
*✔️85મા*
*✔️ભારતીય પાસપોર્ટથી 59 દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી*
*✔️ગત વર્ષે ભારતીય પાસપોર્ટ 83મા ક્રમે હતો*
*✔️જાપાન પ્રથમ ક્રમે યથાવત (193 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી)*
*✔️દક્ષિણ કોરિયા અને સિંગાપોર બીજા ક્રમે (192 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી)*
*✔️ત્રીજા સ્થાને જર્મની અને સ્પેન (190 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી)*
*✔️અફઘાનિસ્તાનનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી નબળો*

તાતાએ ફોર્ડનો સાણંદ પ્લાન્ટ ખરીદ્યો.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-13/01/2023 થી 20/01/2023🗞️*

અંડર-19 મહિલા ટી20 ક્રિકેટનો પહેલો વર્લ્ડકપ ક્યાં રમાઈ રહ્યો છે
*✔️દક્ષિણ આફ્રિકા*

ગુજરાતમાં વેદાંતા અને ફોક્સકોનના સેમિકંડક્ટર અને ગ્લાસ ડિસ્પ્લે પ્લાન્ટ ક્યાં સ્થપાશે
*✔️ધોલેરા*

પાનસિંહ તોમર, આઇ એમ કલામ, સાહિબ,બીવી ઓર ગેંગસ્ટર, ધૂપ જેવી ફિલ્મોના પટકથા લેખક જેમનું હાલમાં નિધન થયું
*✔️સંજય ચૌહાણ*

ગુજરાત રાજ્યનું પહેલું સ્મશાનગૃહ ક્યાં બનશે
*✔️રાજકોટ*

પદ્મવિભૂષણ વિભૂષિત રત્નસુંદરસુરી મહારાજ સાહેબ લિખિત 400મા પુસ્તકનો વિમોચન સમારોહ
*✔️સ્પર્શ*

તાજેતરમાં મિસ યુનિવર્સ કોણ બની
*✔️અમેરિકાની બોની ગ્રેબિયલ*
*✔️ભારતની દિવિતા રાય અંતિમ 16માં રહી*

ઊંટડીના દૂધમાંથી દુર્ગંધ દૂર કરવામાં ગુજરાતની કઈ ડેરીને સફળતા મળી
*✔️કચ્છની સરહદ ડેરી*
*✔️કચ્છના અંજાર તાલુકાના ચંદ્રાણી ગામે સફળ પ્રયોગ કરવામાં આવ્યો*

તાજેતરમાં ભારતે વન-ડેમાં રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત કયા દેશ સામે મેળવી
*✔️શ્રીલંકા સામે*
*✔️317 રનથી જીતી વર્લ્ડરેકોર્ડ બનાવ્યો*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આઠમી કયા બે સ્થળો વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી આપી
*✔️સિકંદરાબાદ અને વિશાખપટ્ટનમ વચ્ચેની*

15મી જાન્યુઆરીએ આર્મી ડે નિમિત્તે પરેડ પહેલીવાર દિલ્હીની બહાર આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું
*✔️બેંગલુરુ*

કયા રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીનીઓને માસિક ધર્મની રજા આપવામાં આવશે
*✔️કેરળ*

ગૂજરાત વિદ્યાપીઠના ઇન્ચાર્જ કુલનાયક તરીકે કોણે ચાર્જ સોંપવામાં આવ્યો
*✔️ડૉ.ભરત જોશી*

તાજેતરમાં કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્બઈએ આદિયોગીની 112 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું
*✔️બેંગલુરુ નજીક ચિકબલ્લાપુરમાં*

સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાની ત્રાસવાદી સંગઠનના લશ્કર-એ-તોયબાના ઉપપ્રમુખ જેને આતંકવાદી જાહેર કર્યો
*✔️અબ્દુલ રહેમાન મક્કી*

કોંગ્રેસે વિપક્ષના નેતા પદે કોની પસંદગી કરી
*✔️અમિત ચાવડા*

કાશ્મીરના પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા જેમનું હાલમાં નિધન થયું
*✔️પ્રોફેસર રહેમાન રાહી*
*✔️'સિયાહ રૂડ જાયરેન માંઝ' કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ મળ્યો*
*✔️2000માં પદ્મશ્રી મળ્યો હતો*

બેન્કિંગ સેવાઓમાં સંપૂર્ણપણે રીતે ડિજિટલ બનનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*✔️કેરળ*

આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં બેવડી સદી કરનારો વિશ્વનો સૌથી યુવાન અને ભારત દેશનો પાંચમો ખેલાડી કોણ બન્યો
*✔️શુભમન ગિલ (23 વર્ષ, 132 દિવસ)*
*✔️ન્યુઝીલેન્ડ સામે બેવડી સદી ફટકારી*
*✔️સૌથી ઓછી ઇનિંગમાં 1000 રન કરનારો ભારતીય બેટ્સમેન બન્યો (19 ઇનિંગ)*

'શ્રી દ્વારકાપ્રસાદ અગ્રવાલ' એવોર્ડ 2023 કોણે અપાશે
*✔️ગીતકાર ઈરશાદ કામિલ*
*✔️1 લાખ રૂપિયા અને પ્રશસ્તિપત્ર*

સરકારની નવી યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને પ્રથમ કલાક (ગોલ્ડન અવર)ની અંદર હોસ્પિટલ/ટ્રોમા સેન્ટરમાં પહોંચાડવા મદદરૂપ થનાર વ્યક્તિને ગુડ સમેરિટનને કેટલા રૂપિયા રોકડ પુરસ્કાર તથા પ્રશંસાપત્ર આપવામાં આવશે
*✔️૱5000*
*✔️રાષ્ટ્રીય કક્ષાએ ૱1 લાખ પુરસ્કાર*

કેન્દ્ર સરકારના હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ 2021-22 ના રિપોર્ટ અનુસાર WHO ના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ કે જે 2030 સુધીમાં માતા મૃત્યુદર 1 લાખ જન્મે 70થી ઓછો કરવાનો ગોલ હાંસલ કરવામાં ભારતના ગુજરાત સહિત કેટલા રાજ્યોએ આ લક્ષ્ય પ્રાપ્ત કર્યું
*✔️8 રાજ્યોએ*
*✔️ગુજરાતમાં માતા મૃત્યુદર 2020માં 57 થયો*
*✔️ગુજરાતમાં આ દર 2016માં 91 હતો*
*✔️કેરાલા 19ના રેશિયા સાથે ટોચ પર*

ગોસાબારા વેટલેન્ડ ક્યાં આવેલું છે
*✔️પોરબંદર*

રણજી ઈતિહાસમાં ચેઝ ન થયેલા સૌથી નિમ્ન ટાર્ગેટનો રેકોર્ડ કોણે બનાવ્યો
*✔️ગુજરાત*
*✔️વિદર્ભ ટીમ સામે ગુજરાતની ટીમની હાર થઈ*
*✔️73 રનના ટાર્ગેટ સામે ગુજરાતની ટીમ 54 રનમાં ઓલઆઉટ થઈ ગઈ*

એન્ટાર્કટિકામાંથી વિજ્ઞાનીઓની આંતરરાષ્ટ્રીય ટીમને કેટલા કિલો વજનની ઉલ્કા મળી આવી
*✔️7.6 કિલો*

ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેમને હાલમાં રાજીનામુ આપવાની જાહેરાત કરી
*✔️જેસીન્ડા એર્ડન*
*✔️સૌથી યુવા મહિલા વડાપ્રધાન*
*✔️37 વર્ષે 2017માં વડાપ્રધાન બન્યા હતા*

વર્ષ 2023માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં આરઆરઆર ફિલ્મના ગીત 'નાટુ નાટુ'ને સર્વશ્રેષ્ઠ ઓરીજીનલ સોંગનો પુરસ્કાર મળ્યો.આ ગીતના ગીતકાર કોણ છે
*✔️એમ.એમ.કિરવાની*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-21/01/2023 થી 25/01/2023🗞️*

રૂરલ હેલ્થ સ્ટેટીસ્ટિક 2021-22 ના રિપોર્ટ મુજબ 2011માં ગુજરાતમાં શહેરી વસતીનું પ્રમાણ 42.6% હતું જે 2022માં વધીને કેટલું થયું
*✔️48.4%*
*✔️ગુજરાતમાં શહેરી વસતી 3.43 કરોડ અને ગ્રામ્ય વસતી 3.66 કરોડ*

તાજેતરમાં 17 રાજ્યના 56 બાળકોને વીરતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. જેમાં વર્ષ 2020 માટે 22,વર્ષ 2021 માટે 16 અને આ વર્ષ માટે 18 બાળકોને આપવામાં આવ્યો. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે
*✔️એનજીઓ ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઈલ્ડ વેલ્ફેર (ICCW)*

પ્રજાસત્તાક દિને રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ક્યાં યોજાશે
*✔️બોટાદ*

પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ કોણ છે
*✔️ઈજિપ્તના રાષ્ટ્રપ્રમુખ અબ્લેદ ફતેહ અલ-સિસી*

આંદામાન-નિકોબારના કેટલા ટાપુઓને પરમવીર ચક્ર વિજેતાઓના નામ આપવામાં આવશે
*✔️21 ટાપુઓ*
*✔️23 જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે*
*✔️આંદામાન-નિકોબારના કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય ટાપુ 'રોસ આઇલેન્ડ'નું 2018માં 'સુભાષદ્વીપ' નામકરણ થયું હતું.*

BBCની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી ફિલ્મ જેને યુટ્યુબ વિડિઓ અને સોશિયલ મીડિયા પોસ્ટને બૅન કરવામાં આવી
*✔️ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ન*
*✔️આ ડોક્યુમેન્ટરી ફિલ્મ 2002ના ગુજરાત રમખાણો પર આધારિત હતી*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ પ્રિન્સિપલ સેક્રેટરી ડો.પી.કે મિશ્રા અને ડૉ.એન.કે.સિંહના પુસ્તક જેનું હાલમાં વિમોચન કરવામાં આવ્યું તે પુસ્તકનું નામ શું
*✔️રિકેલિબ્રેટ : ચેન્જિંગ પેરાડાઈમ્સ*

તાજેતરમાં કયા દેશે ભારત સાથેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી
*✔️નેપાળ*

તાજેતરમાં કયા રાજયમાં આદિવાસી સમુદાયનો જોનબિલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી
*✔️આસામ*

કેન્દ્ર સરકારના હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ 2021-22 ના રિપોર્ટ અનુસાર 5 વર્ષમાં ગુજરાત સહિતના 19 રાજ્યમાં દીકરી જન્મદરમાં વધારો થયો છે. ગુજરાતમાં 2016-17ની તુલનામાં દીકરીના જન્મનું પ્રમાણ 910થી વધીને કેટલું થયું છે
*✔️927*

જી-20 હેઠળની 15 સમિટ પૈકી બી-20 (બિઝનેસ)ઈન્સેપ્શનની પ્રથમ બેઠક ક્યાં યોજાશે
*✔️મહાત્મા મંદિર, ગાંધીનગર*
*✔️થીમ :- RAISE*
*✔️R=રિસ્પોન્સિબલ , A=એક્સીલરેટેડ, I= ઈનોવેટિવ, S=સસ્ટેનેબલ, E=ઈકવીટેબલ*

ભારતમાં 100 ટકા મહિલાઓની માલિકી ધરાવતો પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ક્યાં કાર્યાન્વિત થયો
*✔️હૈદરાબાદ*

પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં કયા વિષય પર ગુજરાતની ઝાંખી (ટેબ્લો) દર્શાવાશે
*✔️ક્લીન ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત*

તાજેતરમાં એન્ટાર્કટિકામાં 1397 કિમીનો પ્રવાસ કરીને કોણે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો
*✔️બ્રિટનમાં મૂળ ભારતીય મહિલા શીખ સૈન્ય અધિકારી હરપ્રિત ચાંડી*

IIMAના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️પ્રોફેસર ભરત ભાસ્કર*

ભારતીય સૈન્યની ત્રણેય પાંખોનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ એમ્ફેક્સ-23 ક્યાં યોજાયો
*✔️આંધ્રપ્રદેશના કાકીનાડામાં*

કલવરી ક્લાસની સંપૂર્ણ સ્વદેશી બનાવટની 5મી સબમરીન જેને હાલમાં નૌસેનામાં સામેલ કરવામાં આવી
*✔️INS વાગીર*
*✔️આ સબમરીનને 'સેન્ડ શાર્ક' પણ કહેવામાં આવે છે*

કયા રાજયમાં 14 વર્ષથી નાની બાળકી સાથે લગ્ન કરનાર વિરુદ્ધ પોક્સો (પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન અગેન્સ્ટ સેક્સુઅલ ઓફેન્સ) હેઠળ કેસ નોંધાશે
*✔️આસામ*

સ્થાપત્યકલા ક્ષેત્રે અદ્વિતીય યોગદાન થકી વિશ્વના મહાન સ્થપતિઓમાં સામેલ અમદાવાદના આર્કિટેક્ટ જેમનું હાલમાં નિધન થયું
*✔️ડૉ.બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી*
*✔️2018માં આર્કિટેક્ચનો પ્રિત્ઝકર પ્રાઇઝથી સન્માનિત થયા હતા*
*✔️2020માં પદ્મભૂષણ, 1976માં પદ્મશ્રી, 2022માં રોયલ યુકે સરકાર દ્વારા રોયલ ગોલ્ડ મેડલ*

*✔️ભારતમાં ડો.બી.વી. દોશી દ્વારા ડિઝાઇન થયેલા મુખ્ય પ્રોજેક્ટ્સ👇🏻*
*✔️●1962 : ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી*
*✔️●1967 : ટાગોર હોલ, ●1972 : હૈદરાબાદની એસિલ ટાઉનશીપ, ●1973 : ઈફકો ટાઉનશીપ, કલોલ, ●1976 :પ્રેમાભાઈ હોટેલ, અમદાવાદ, ●1977 : IIM બેંગ્લોર, ●1979 :- જબલપુર ઇલેક્ટ્રિસિટી બોર્ડની વહીવટી કચેરી-શક્તિભવન , ●1979 :- મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ, ●1982 :- ઓછી આવક ધરાવતા પરિવારો માટે ઇન્દોર ખાતે બનાવેલી અરણ્યા હાઉસિંગ કોલોની , ●1984 :- જયપુર ખાતે આવેલું વિદ્યાનગર , ●1989 :- દિલ્હી ખાતે નિફ્ટ બિલ્ડીંગ ●1990 :- અમદાવાદની ગુફા ●2002 :- કોલકાતા ખાતે હાઉસીંગની સ્કીમોમાં ઉદીતા, ઉત્સવ, ઉત્સર્ગ વગેરે વગેરે....*

ગુજરાત વકફ બોર્ડમાં પ્રથમ મુસ્લિમ મહિલા ડિરેક્ટર કોણ બન્યા
*✔️ગોધરાના મુસ્લિમ મહિલા શફિયાબેન જમાલ*

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના ચેરમેનપદે કોણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા
*✔️શામળજી પટેલ*
*✔️વાઈસ ચેરમેનપદે વાલમજી હુંબલ*

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ કયા રાજ્યમાં યોજાશે
*✔️મધ્યપ્રદેશ*
*✔️27 રમતો, 6 હજાર ખેલાડી*
25 જાન્યુઆરી13મો રાષ્ટ્રીય મતદાતા દિવસ
*✔️થીમ :- વોટ જેવું કંઈ નથી, અમે ચોક્કસ મતદાન કરીશું*

તાજેતરમાં કેન્દ્ર સરકાર સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ BharOS (ભારઓસ) ચલાવવા તૈયારી કરી રહી છે.આ ઓપરેટિંગ સિસ્ટમ કઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવવામાં આવી છે
*✔️ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) મદ્રાસ*

ભારતીય નૌકાદળ દ્વારા ભારતીય સમુદ્રમાં કવાયત કરવામાં આવી તેનું નામ શું
*✔️ટ્રોપ્લેક્સ*

ભારતનો કયો પડોશી દેશ તેના 75મા સ્વતંત્રતા દિવસના રોજ જવાહરલાલ નહેરુના ચિત્ર સાથે સ્ટેમ્પ રજૂ કરશે
*✔️શ્રીલંકા*
*✔️સ્વતંત્રતા દિવસ 4 ફેબ્રુઆરી, 2023ના રોજ સ્ટેમ્પ બહાર પાડશે*

ભારતનો પ્રથમ બંધારણ સાક્ષર જિલ્લો કયો જાહેર કરવામાં આવ્યો
*✔️કેરળનો કોલ્લમ જિલ્લો*

ભારત અને ફ્રાન્સ વચ્ચેની નૌકા કવાયત
*✔️વરૂણ - 23 (VARUNA)*
*✔️આ વર્ષે 21મી આવૃત્તિ*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-26/01/2023 થી 31/01/2023🗞️*

26 જાન્યુઆરી74મો પ્રજાસત્તાક દિન

ગ્લોબલ કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઇન્ડેક્સ રિપોર્ટ અનુસાર રોકાણ, જોબ સિક્યુરિટી અને અર્થતંત્ર જેવી બાબતે વિશ્વના 23 દેશની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️ત્રીજા*
*✔️પ્રથમ ચીન અને સાઉદી અરબ બીજા ક્રમે*

ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️IAS ઓફિસર રાજકુમાર*

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન શ્રેષ્ઠ સુરક્ષા વ્યવસ્થા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસે રાષ્ટ્રપતિના હસ્તે કોણે વિશિષ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
*✔️એજીડીપી નરસિમ્હા કોમર*
*✔️દેશના કુલ 10 અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા*

ICCનો ટી20 પ્લેયર ઓફ ધ યર એવોર્ડ 2022 કોણે કયા ભારતીય ક્રિકેટરને આપવામાં આવ્યો
*✔️સૂર્યકુમાર યાદવ*

તાજેતરમાં ભારતે કયા દેશ સાથે વર્ષ 2023માં મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા
*✔️બ્રિટન*

વિમેન્સ IPL ટી20માં સૌથી મોંઘી 1289 કરોડમાં અમદાવાદ ફ્રેન્ચાઇઝીની ખરીદી કોને કરી
*✔️અદાણી*

ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️ક્રિસ હિપકીન્સ*
*✔️ન્યુઝીલેન્ડના 41મા વડાપ્રધાન બન્યા*

વર્ષ 2023 માટે કુલ કેટલી હસ્તીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા
*✔️106*
વર્ષ 2023 માટે 106 હસ્તીઓને પદ્મ પુરસ્કાર
*✔️6 હસ્તીઓને પદ્મવિભૂષણ, 9 હસ્તીઓને પદ્મભૂષણ અને 91 હસ્તીઓને પદ્મશ્રી સન્માન*

*🎖️પદ્મવિભૂષણ મેળવનારા 6 મહાનુભાવો🎖️*

1.બાલકૃષ્ણ દોશી (આર્કિટેક્ચર)(ગુજરાત)સ્થાપત્ય
2.ઝાકીર હુસૈન (મહારાષ્ટ્ર)આર્ટ
3.એસ.એમ.કૃષ્ણા (કર્ણાટક)રાજકારણ
4.દિલીપ મહાલનોબીસ (પશ્ચિમ બંગાળ)દવા
5. શ્રીનિવાસ વર્ધન (અમેરિકા)સાયન્સ એન્જીનિયરિંગ
6. મુલાયમસિંહ યાદવ (સપાના સ્થાપક) (ઉત્તરપ્રદેશ)રાજકારણ

*🎖️પદ્મભૂષણ મેળવનારા 9 મહાનુભાવો🎖️*
1.એસ.એલ.ભયરપ્પા
2.કુમાર મંગલમ બિરલા
3.દિપક ધર
4.વાણી જયરામ
5.સ્વામી ચીન્ના જીયર
6.સુમન કલ્યાણપુર
7. કપિલ કપૂર
8. સુધા મૂર્તિ
9. કમલેશ ડી.પટેલ

*🎖️ગુજરાતમાંથી પદ્મશ્રી પુરસ્કાર મેળવનારા મહાનુભાવો🎖️*

1.હીરાબાઈ લોબી
ગુજરાતમાં ગીરના જંગલમાં સિદી જાતિના હીરાબાઈ લોબીને મહિલા સશક્તિકરણ, સિદી જાતિમાં સ્વનિર્ભરતા ઉપરાંત બાળકોમાં શિક્ષણકાર્યના કામગીરીને નોંધ લઈને પદ્મશ્રી એવોર્ડ અપાયો.

2.પરેશ રાઠવા
12 હજાર વર્ષ જૂની આદિવાસી ચિત્રકલા પીઠોરા ચિત્રકલામાં નિપુણતા ધરાવવા બદલ પદ્મશ્રી એવોર્ડ

3.ભાનુભાઈ ચિતારા
400 વર્ષ જૂની ચિત્રકલા માટે પદ્મશ્રી એવોર્ડ
માતાની પછેડી થકી ટ્રેડિશનલ ચિત્ર દોરનારા કલાકાર

4.હેમંત ચૌહાણ
ભજનિક લોકગાયક માટે પદ્મશ્રી

5.મહિપત કવિ
પપેટ આર્ટિસ્ટ માટે પદ્મશ્રી

6.પ્રો.મહેન્દ્ર પાલ
વેટરનરી પબ્લિક હેલ્થ (પદ્મશ્રી)

7. અરિઝ ખંભાતા (મરણોત્તર)
રસનાના ફાઉન્ડર (પદ્મશ્રી)

✔️રાકેશ ઝુનઝુનવાલાને મરણોપરાંત, આરઆરઆર ફિલ્મના સંગીતકાર એમ.એમ.કિરાવની, અભિનેત્રી રવીના ટંડન પણ 91 પદ્મશ્રી પુરસ્કારમાં મેળવવામાં સામેલ છે.

QR (ક્વિક રિસ્પોન્સ) કોડ શોધનાર
*✔️જાપાનીઝ એન્જીનિયર માસાહીરો*

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દેશની સૌથી ઊંચી સરકારી બિલ્ડીંગનું ખાતમુહૂર્ત ક્યાં કરશે
*✔️સુરતમાં*

રાજ્યનું પ્રથમ અને સૌથી ઊંચું 41 માળનું બિલ્ડીંગ (145 મીટર) અમદાવાદના મકરબા વિસ્તારમાં બનશે.આ પ્રોજેક્ટનું નામ શું છે
*✔️ટાઈટેનિયમ વર્લ્ડ ટાવર*

ઓસ્ટ્રેલિયન ઓપન 👇🏻
*✔️વિમેન્સ સિંગલ્સ - બેલારુસની અરિના સબાલેન્કા ચેમ્પિયન (રાયબકિનાને હરાવી*
*✔️મેન્સ સિંગલ્સ - સર્બિયન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ ચેમ્પિયન (ગ્રીસના સ્ટીફાનોસ સિત્સિપાસને હરાવ્યો*
*✔️જોકોવિચે 10મી વખત આ ખિતાબ જીત્યો*

ગુજરાતમાં કયા હડપ્પીય વૈશ્વિક વિરાસત ખાતે પ્રથમ વખત ક્રાફટ ઓફ આર્ટની ઉજવણી કરવામાં આવી
*✔️ધોળાવીરા*

રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુઘલ ગાર્ડનનું નામ બદલીને શું કરવામાં આવ્યું
*✔️અમૃત ગાર્ડન*

ગુજરાતના ખ્યાતનામ 'પ્રિયદર્શી' તખલ્લુસ ધરાવતા લેખક જેમનું હાલમાં અવસાન થયું
*✔️મધુસૂદન પારેખ*
*✔️પૂરું નામ :- મધુસૂદન હીરાલાલ પારેખ*

*મધુસૂદન હીરાલાલ પારેખ - જીવન ઝરમર*
જન્મ :- 14 જુલાઈ, 1923
1958માં 'ગુજરાતી નવલકથા સાહિત્યમાં પારસીઓનો ફાળો' પર પી.એચ.ડી.
1961 થી 'બુદ્ધિપ્રકાશ'ના તંત્રી
1974થી ગુજરાતી સાહિત્ય સભાના મંત્રી,
1972માં કુમાર ચંદ્રક
'હું શાણી અને શકરાભાઈ' (1965)
સૂડી સોપારી' (1967)
રવિવારની સવાર (1971)
હું, રાધા અને રાયજી (1974)
આપણે બધા (1975)
વિનોદાયન (1982)
પેથાભાઈ પુરાણ (1985) વગેરે પ્રકાશિત થયા.
પત્ની કુસુમબહેન વિશે તેમણે 'કુસુમાખ્યાન' પુસ્તક લખ્યું હતું.
હાસ્યરસિક એકાંકીઓ 'નાટયકુસુમો' (1962)
'પ્રિયદર્શીનાં પ્રહસનો' (1981)
શેક્સપિયરના નાટકો પરથી વાર્તાતંરો સ્વરૂપે 'શેક્સપિયરની નાટ્યકથાઓ' (1965) એમણે આપી.
એમના અનુવાદ અને સંપાદનગ્રંથો👇🏻
અમેરિકન સમાજ (1966)
હેનરી જેમ્સની વાર્તાઓ (1969)
કનૈયાલાલ મા. મુનશી સાહિત્ય જીવન અને પ્રતિભા (1967)
અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આસ્વાદ (1981)
હિન્દુસ્તાન મધ્યેનું એક ઝૂંપડું (1968)
2003માં રણજીતરામ સુવર્ણચંદ્રક

સૂર્યનું સંશોધનાત્મક અભ્યાસ માટે ભારતનું પ્રથમ અવકાશયાન ઈસરો આ વર્ષે અવકાશમાં તરતું મુકશે.આ અવકાશયાનનું નામ શું છે
*✔️આદિત્ય-એલ 1*

દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત યોજાયેલ મહિલા અંડર-19 ટી20 વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમે કયા દેશની ટીમને હરાવી ચેમ્પિયન બની
*✔️ઈંગ્લેન્ડ*
*✔️ફાઇનલ પોચેફેસ્ટ્રુમ ખાતે રમાઈ હતી*
*✔️ભારતીય મહિલા ટીમના બેટિંગ કોચ - અપૂર્વ દેસાઈ ગુજરાતી છે*

ઓરિસ્સાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેમને તાજેતરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી
*✔️નબા કિશોરપ્રસાદ*

રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા ક્યાં સમાપ્ત કરવામાં આવી
*✔️જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે*
*✔️ભારત જોડો યાત્રાની કન્યાકુમારીથી શરૂઆત કરી હતી*

ઉદ્યોગ ક્ષેત્રની ડાયનેમિક વુમન તરીકેનો એવોર્ડ આ વર્ષે કોને મળ્યો
*✔️યાસ્મિન મિસ્ત્રી*

મેન્સ હોકી વર્લ્ડકપમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️જર્મની*
*✔️બેલ્જીયમને હરાવ્યું*

ભરતી પરીક્ષાનું પેપર વેચનારને હવે કેટલા વર્ષની સજા થશે
*✔️7 વર્ષ*
*✔️ખરીદનારને 3 વર્ષ જેલની સજા થશે*
*✔️પેપર ખરીદનાર પર કાયમી ભરતી પ્રતિબંધ મૂકાશે*

ઓલ ઈન્ડિયા સરવે ઓફ હાયર એજ્યુકેશનના આંકડા મુજબ ગુજરાતમાં પ્રતિ કેટલા વિદ્યાર્થીઓએ એક શિક્ષક છે
*✔️27*
*✔️દેશમાં ત્રીજા સ્થાને*

દિલ્હીના મુગલ ગાર્ડનનું નામ બદલીને શું કરવામાં આવ્યું
*✔️ગૌતમ બુદ્ધ સેન્ટેનરી ગાર્ડન*

ગાંધી નિર્વાણ દિને 1 હજાર બાળકોએ ગાંધી ડ્રેસકોડમાં કયા સ્થળે સંગીતના તાલ સાથે ચિત્ર સ્પર્ધા અને પ્રાણાયામ જેવા 5 મિનિટમાં 5 પર્ફોમન્સ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો
*✔️પાટણ*

દર વર્ષે બોર્ડર ફેસ્ટિવલની ઉજવણી ક્યાં કરવામાં આવે છે
*✔️આસામ-અરુણાચલ પ્રદેશમાં*

ભારતીય મેન્સ હોકી ટીમના કોચ જેમને હાલમાં રાજીનામુ આપ્યું
*✔️ગ્રેહામ રીડ*

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શ્રી સ્વામિનારાયણ સંસ્થાન વડતાલ દ્વારા નિર્મિત એસજીએમએલ આઈ હોસ્પિટલનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ક્યાં ઉદ્દઘાટન કર્યું
*✔️ઉજ્જૈન*

💥💥
*🇮🇳આપણું ગૌરવ🇮🇳*

1. ભારતીય નૌકાદળ
2 સપ્ટેમ્બર, 2022ના રોજ દેશના નૌકાદળે નવો ધ્વજ અપનાવ્યો.ધ્વજમાં શિવાજી મહારાજનો શાહી સિક્કો લેવાયો છે.
ધ્યેય વાક્ય :- 'શં નૌ વરૂણ:'

2. ભારતીય થલસેના
લાલ રંગનો ધ્વજ, એક તરફ તિરંગો અને પાયદળનું પ્રતીક ચિહ્ન
ધ્યેય વાક્ય :- 'સેવા પરમો ધર્મ:'

3.ભારતીય વાયુસેના
આસમાની રંગ, એક તરફ ભારતીય તિરંગો
પ્રતીક ચિહ્ન રાઉન્ડલ 1933માં પ્રથમવાર અપનાવાઈ, ત્યારપછી ચાર વાર ફેરફાર

4.રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG)
બ્લેક કેટ પણ કહેવાય છે.
ધ્વજ કાળા રંગનો, વચ્ચે ગોળ રંગના ઘેરામાં અશોકચક્ર અને એનએસજીનું પ્રતીક
ધ્યેય વાક્ય :- 'સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા'

5.ઇન્ડિયન આર્મડ ફોર્સીસ
ત્રણેય પાંખો અને અન્ય ટુકડી સામેલ
ધ્વજમાં લાલ, ઘાટો વાદળી અને આસમાની રંગ ત્રણેય સેનાઓનું પ્રતિનિધિત્વ

6.ટેરેટોરિયલ આર્મી
અંશકાલીન સ્વયંસેવકોનું સહાયક સૈન્ય સંગઠન
લીલા રંગનો ધ્વજ, જેના પર સેનાનું પ્રતીક ચિહ્ન
મોટો :- 'સાવધાની વ શૂરતા'

7.સરહદ સુરક્ષા દળ (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)
1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ પછી તેની રચના
ધ્વજ ઘાટા લાલ અને વાદળી બે રંગના
મોટો :- 'જીવન પર્યંત કર્તવ્ય'

8.સશસ્ત્ર સરહદ દળ
1963માં ભારત-ચીન યુદ્ધ પછી સ્થાપના
ધ્વજ લાલ રંગનો
મોટો :- 'સેવા-સુરક્ષા-બંધુત્વ'

💥રણધીર💥