સામાન્ય જ્ઞાન
1.48K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝દાહોદ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●દાહોદ જિલ્લાનું દેવગઢબારિયા જૂનું રજવાડી શહેર છે.*

*●ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદ જિલ્લામાં થાય છે.*

*●ઇ.સ.1618માં મોગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો હતો.*

*●દાહોદમાં પ્રતિવર્ષ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે.*

*●દાહોદ જિલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સાથે જોડાયેલી છે.*

*●દાહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં મકાઈના ઉત્પાદન માટે જાણીતો છે.*

*●ગાય ગૌહરીનો મેળો દાહોદ જિલ્લામાં ભરાય છે.*

*●2 ઓક્ટોબર-1997ના રોજ નવરચિત જિલ્લાઓ મુજબ દાહોદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો.*

*●રતનમહાલ રીંછ અભયારણ્ય લીમખેડા ખાતે આવેલું છે.*

*👉🏻 Continue....*

💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝છોટા ઉદેપુર📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●વર્ષ-2013માં નવરચિત જિલ્લાઓ મુજબ છોટા ઉદેપુર જિલ્લાની રચના થઈ.*

*●1857નાં સંગ્રામ દરમિયાન તાત્યા ટોપેએ છોટા ઉદેપુર કબજે કરી લીધું હતું.*

*●છોટા ઉદેપુર જિલ્લામાં આવેલા હાંફેશ્વર સ્થળેથી ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા ગુજરાતમાં પ્રવેશે છે.*

*●છોટા ઉદેપુરમાં ફ્લોરસ્પારનો મોટો જથ્થો મળી આવે છે અને કડીપાણીમાં ફ્લોરસ્પારના શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે.*

*●લાકડાંના કલાત્મક ફર્નિચર અને રમકડાં માટે છોટા ઉદેપુર જિલ્લાનું સંખેડા જાણીતું છે.*

*●ડોલોમાઈટ (લીલા રંગનો આરસ) છોટા ઉદેપુર જિલ્લાના છુછાપુરામાંથી મળી આવે છે.*

*👉🏻Continue....*

💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝મહિસાગર📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●વર્ષ-2013માં જાહેર નવરચિત સાત જિલ્લાઓ મુજબ મહિસાગર જિલ્લાની રચના થઈ.*

*●પંચમહાલ અને ખેડા જિલ્લામાંથી મહિસાગરની રચના થઈ.*

*●મહિસાગર જિલ્લામાં આવેલા બાલાસિનોર પાસે રૈયોલી ખાતેથી પ્રાગૈતિહાસિક કાળનાં ડાયનાસોરનાં ઈંડા મળી આવ્યા છે.*

*●લોકવાયકા અનુસાર પાંડવો લુણાવાડા ખાતે આવેલા લુણેશ્વર મંદિરમાં રહ્યા હશે તેવું મનાય છે.*

*●ગોકુલનાથના પગલાં વીરપુરમાં આવેલાં છે.*

*👉🏻Continue....*

💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝સાબરકાંઠા📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●હિંમતનગરનું જૂનું નામ અહમદનગર હતું.બાદશાહ, અહમદશાહે જેમ સાબરમતી નદીના કિનારે અહમદાબાદની રચના કરી હતી તેમ હાથમતી નદીના કિનારે અહમદનગરની રચના કરી હતી. જે સમયાંતરે હિંમતનગર તરીકે ઓળખાયું.*

*●ઈડર તાલુકામાં આવેલું આરસોડિયા ચિનાઈ માટી માટે જાણીતું છે.*

*●સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસેથી કર્કવૃત પસાર થાય છે. (હિંમતનગર અને પ્રાંતિજ વચ્ચેથી)*

*●દેશની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામે આવેલી છે.*

*●રાજસ્થાનના પુષ્કર સિવાય બીજું એક બ્રહ્માજીનું મંદિર સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવેલું છે.*

*●જે ખેડબ્રહ્મામાં અંબાજીનું મંદિર પણ આવેલું છે, જેને અંબાજી માતાનું મૂળ સ્થાનક માનવામાં આવે છે.*

*●બ્રાહ્મણોના સાત કુળદેવીઓના મંદિર પ્રાંતિજમાં આવેલા છે.*

*●સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતેથી શિલાલેખો મળી આવ્યા છે.*

*●સાબર ડેરી હિંમતનગરમાં આવેલી છે. (સ્થાપક - ભોળાભાઈ પટેલ)*

*●રણમલ ચોકી સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે આવેલ છે.*

*●કાજીવાવ હિંમતનગરમાં આવેલી છે.*

*●જામા મસ્જિદ હિંમતનગર ખાતે આવેલી છે.*

*👉🏻Continue.....*

💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝અરવલ્લી📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●15 ઓગસ્ટ, 2013નાં રોજ નરેન્દ્ર મોદીએ 7 નવા જિલ્લાઓની રચનાની જાહેરાત કરી તે સંદર્ભે સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લાની રચના થઈ.*

*●સૌથી પ્રાચીન મનાતી પર્વતીય શ્રેણી અરવલ્લીના નામ પરથી જિલ્લાનું નામ રાખવામાં આવ્યું છે.*

*●મેશ્વો નદીના કિનારે શામળાજી તીર્થધામ આવેલું છે. જ્યાં આદિવાસીઓનાં મેળા તરીકે ઓળખાતા શામળાજીનાં મેળાનું આયોજન થાય છે.*

*●બૌદ્ધ લોકો રહેતા હોય તેવું સ્થળ દેવની મોરી શામળાજીની નજીક આવેલું છે.*

*અરવલ્લી જિલ્લાના મહત્વના સ્થળો*

*●દેવાયત પંડિતની સમાધિ :- મોડાસા*

*●જૈન તીર્થ સ્થળ:- ભિલોડા*

*●હીરવાવ, વણઝારીવાવ :- મોડાસા*

*●કર્માબાઈનું તળાવ :- શામળાજી*

*●ગાંધીજીનું સમાધિ સ્થળ :- મહાદેવ બાકરોલ (ઝુમ્મર અને મેશ્વો નદીના કિનારે*

*👉🏻Continue...*

💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝અમરેલી📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●અમરેલી જીલ્લામાં આવેલું લાઠી સુરતાની વાડીનો મીઠો મોરલોના કવિ કલાપીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે.*

*●અમરેલી જિલ્લાનું જાફરાબાદ મત્સ્યોદ્યોગ માટે તેમજ જાફરાબાદી ભેંસો માટે જાણીતું છે.*

*●અમરેલી જીલ્લાના સાવરકુંડલા ખાતે તોલમાપના કાંટાનો ઉદ્યોગ વિકસેલો છે.*

*●સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્ય કરતું હોય તેવું પીપાવાવ બંદર (પોર્ટ આલ્બર્ટ વિક્ટર) અમરેલી જીલ્લામાં આવેલું છે.*

*●કાંતિલાલ વોરા કે જેઓ કે.લાલ જાદુગર તરીકે જાણીતા છે, તેઓ બગસરા સાથે સંબંધિત છે.*

*●અમરેલી ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ.જીવરાજ મહેતાનું જન્મસ્થળ છે.*

*●સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના તાબા હેઠળના અમરેલીએ સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ લાગુ કર્યું હતું.*

*~અમરેલી જીલ્લાના કેટલાક મહત્વના સ્થળો~*

*●મહાત્મા મૂળદાસની સમાધિ - અમરેલી*

*●પાંડવ કુંડ - બાબરા*

*●ચાંચ બંગલો - રાજુલા*

*●અલ્ટ્રાટેક સિમેન્ટની ફેક્ટરી - રાજુલા*

*●શિયાળ બેટનું મંદિર - જાફરાબાદ*

*●ભુરખિયા હનુમાન મંદિર - ભુરખિયા (લાઠી)*

*●સંત વેલનાથની સમાધિ અને કુકાશાપીરની દરગાહ - ખડખડ*

*●ગિરધરભાઈ મહેતા બાળ સંગ્રહાલય - અમરેલી*

*●ચાવંડ દરવાજો - લાઠી*

*●ખોડિયાર ડેમ - ધારી*

*👉🏻Continue...*



💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝પોરબંદર📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●2 ઓક્ટોબર, 1997ના રોજ નવરચિત જિલ્લાઓ મુજબ પોરબંદર જિલ્લાની રચના થઈ.*

*●પોરબંદર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ (કીર્તિમંદિર) છે.જે કીર્તિમંદિર ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે તેને બંધાવ્યું હતું.*

*●પોરબંદરને 'બર્ડ સિટી' તરીકે પણ ઓળખવામાં આવે છે.*

*●માણાવદરથી નવી બંદર વચ્ચેનો ભાગ ઘેડ તરીકે ઓળખાય છે. જે ઘેડનો ભાગ પોરબંદર જિલ્લામાં આવેલો છે. ઘેડ પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે.*

*●પોરબંદરને 'સુદામાપુરી' તરીકે ઓળખવામાં આવે છે.*

*~પોરબંદર જિલ્લાના કેટલાક મહત્વના સ્થળો~*

*●નેહરુ પ્લેનેટોરિયમ (તારામંદિર - પોરબંદર)*

*●ગાંધી સ્મૃતિ*

*●ભારત મંદિર*

*●હર્ષદ માતાનું મંદિર - મિયાણી*

*●બાયો વિલેજ ગામ - મોછા*

*●બરડો ડુંગર*

*●માધવરાય મંદિર - માધવપુર*

*●રાજા ભોજ અને શેઠ જગડુશા સાથે સંબંધિત સ્થળ - મિયાણી*

*●સાંદિપની આશ્રમ અને સાંદિપની વિદ્યાનિકેતન*

*●સફેદ સિમેન્ટ માટે જાણીતી હિમાલયા સિમેન્ટ ઇન્ડસ્ટ્રી - રાણા વાવ*

*●પોરબંદર પક્ષી અભયારણ્ય*

*👉🏻Continue...*



💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝બોટાદ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●વર્ષ-2013માં જાહેર નવરચિત સાત જિલ્લાઓ પૈકી બોટાદને નવો જિલ્લો બનાવવામાં આવ્યો.*

*●બોટાદ જિલ્લાની રચના ભાવનગર અને અમદાવાદ જિલ્લામાંથી થઈ છે.*

*●બોટાદ જિલ્લાને સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર (ગેટ વે ઓફ કાઠિયાવાડ) તરીકે ઓળખવામાં આવે છે.*

*●બોટાદ જિલ્લામાં આવેલું ગઢડા સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયનું મુખ્ય મથક છે.*

*●ચોટીલામાં જન્મ, પરંતુ બોટાદ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રહેલું છે.*

*●બોટાદમાં દર વર્ષે મેઘાણી મહોત્સવનું આયોજન થાય છે.*

*●બોટાદ જિલ્લામાં સાળંગપુર ખાતે હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. સાળંગપુર મંદિરમાં આવેલી મૂર્તિની સ્થાપના ગોપાળાનંદજી મહારાજે કરી હતી.*

*👉🏻Continue...*



💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-07/03/2020🗞👇🏻~*

*📝7 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*બૃહદ પરિક્રમા : બાલમુકુંદ દવે*
*જન્મ:-* 7 માર્ચ, 1916 , વડોદરામાં
*નિધન:-* 28 ફેબ્રુઆરી, 1993
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં લીધું.
મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી તેઓ સસ્તું સાહિત્ય કાર્યાલય સાથે જોડાયા.
નવજીવન સામયિક દ્વારા પણ તેઓએ લાંબો સમય પત્રકારત્વ ખેડ્યું હતું.
ત્યાંથી ત્રણ દાયકે નિવૃત્ત થઈ 'લોકજીવન'ના સંપાદક બન્યા હતા.
દરમિયાન વેણીભાઈ પુરોહિતની મિત્રતાથી બાલમુકુંદની કવિ પ્રતિભા નિખરી હતી.
બાલમુકુંદ દવેની કવિતાના પ્રકૃતિ, પ્રણય અને ભક્તિ પ્રધાન વિષયો રહ્યા છે.
ધ્રુવાખ્યાન, સોન ચંપો, ઘરમાં ગંગા, ઝરમરિયા, પરિક્રમા, પ્યાસ અને પરબ, અલ્લક દલ્લક વગેરે તેમના ગ્રંથો છે.
ફંફોસ્યું સૌ ફરી ફરીને હાથમાં લાગ્યું ખાસ્સું (જૂનું ઘર ખાલી કરતાં), હરિનો હંસલો, ઝાકળની પિછોડી, શ્રાવણ નિતર્યો વગેરે તેમની પ્રસિદ્ધ રચનાઓ છે.
તેમાં બાલમુકુંદ દવેની 'હરિનો હંસલો' ઘણી પ્રસિદ્ધ રચના છે.

આજે (7 માર્ચ) નરિમાન કોન્ટ્રાકટર, કવિ અજ્ઞેયજીનો જન્મદિવસ અને ગોવિંદ વલ્લભ પંત અને વિખ્યાત ગાયિકા અમીરબાઈ કર્ણાટકીની પુણ્યતિથિ છે.


●મુખ્ય માહિતી કમિશનર તરીકે કોણે શપથ લીધા
*બિમલ ઝુલકા*

●દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવામાં આવે છે
*4 માર્ચ*

●મંગળ ગ્રહની સપાટી પર મળતું જેરોસાઈટ ખનિજ ક્યાંથી મળી આવ્યું
*ગુજરાતના કચ્છના આશાપુરાના સ્થાનક માતાના મઢમાં*
*બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઈટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ*

●વર્લ્ડ મેરેથોન ચેલેન્જ પુરી કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યો
*આદિત્ય રાજ*
*આ સ્પર્ધામાં સ્પર્ધકોએ 7 દિવસમાં, 7 મહાદ્વીપમાં 7 મેરેથોનમાં હિસ્સો લેવાનો હોય છે*

●યસ બેંકમાં નાણાકીય ગેરરીતી પછી રિઝર્વ બેંકે અનેક પ્રતિબંધ લગાવ્યા છે.યસ બેન્કના સ્થાપક કોણ છે
*રાણા કપૂર*

●હુરુન રિચ લિસ્ટ 2020ની યંગેસ્ટ સેલ્ફમેન બિલિયોનરની યાદીમાં સ્થાન મેળવનાર ભારતીય
*રિતેશ અગ્રવાલ*

●પ્રથમ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનો પ્રારંભ ક્યાં થયો
*જમ્મુના ગુલમર્ગમાં*

●વિશ્વ પ્રસિદ્ધ સામયિક ટાઈમે સદીની સૌથી શક્તિશાળી 100 મહિલાઓની યાદી જાહેર કરી. જેમાં કઈ બે ભારતીય મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે
*અમૃતા કૌર અને ઇન્દિરા ગાંધી*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢથી ખેડૂતોને દિવસે વીજળી આપવા ગુજરાત સરકારે જાહેર કરેલી કઈ યોજનાનો આરંભ કરાવશે
*દિનકર*

●તાજેતરમાં જાહેર થયેલા FIH (ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ હોકી) રેન્કિંગમાં કયો દેશ પ્રથમ નંબર પર રહ્યો
*બેલ્જિયમ*
*ભારતે ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું*

●કયા રાજ્યની વિધાનસભાને ઇ-વિધાન બનાવી દેવામાં આવ્યું
*અરૂણાચલ પ્રદેશ*

●સાઉદી અરેબિયાનું ગ્રીન કાર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા
*એમ.એ.યુસુફઅલી*
*તેઓ લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલના ચેરમેન છે*

●મધ્યપ્રદેશમાં અનોખો મરચાં મહોત્સવ પ્રતિ વર્ષ કયા શહેરમાં યોજાય છે
*કસરવાદ શહેરમાં*

●મધ્યપ્રદેશના કયા અભયારણ્યને ઇકો સેન્સેટિવ જાહેર કરવામાં આવ્યો
*ચંબલ અભયારણ્ય*

●વર્લ્ડ બેંકે કોરોના વાઈરસ પ્રભાવિત દેશોને કેટલા રૂપિયા આપવાની જાહેરાત કરી છે
*1 કરોડ 20 લાખ ડોલર*
*એશિયન ડેવલપમેન્ટ બેંકે 40 લાખ ડોલર આપવાની જાહેરાત કરી છે*

●108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ ક્યાં યોજાશે
*પુણે*

●અખિલ ભારતીય પોલીસ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી
*હરિયાણા*

●કયા રાજ્યની સરકારે ઓનલાઈન ફૂડ સપ્લાય પર રોક લગાવવાની જાહેરાત કરી છે
*પંજાબ*

●જમ્મુ કાશ્મીર યુનિવર્સિટીને કયું નામ આપવામાં આવ્યું છે
*મહારાજા સૂરજમલ*

●તાજેતરમાં બૌદ્ધ ધર્મ ગુરુ શુદ્ધાનંદ મહાત્રોનું નિધન થયું હતું.

●બેડમિન્ટન ખેલાડી તસમીન મીર મહેસાણાના છે.


●Only Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For More GK and Current Update 👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝મોરબી📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●નવરચિત સાત જિલ્લાઓ મુજબ મોરબી જિલ્લાની રચના થઈ.*

*●મોરબી જિલ્લાની રચના રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાંથી થઈ છે.*

*●ભારતભરમાં દીવાલ ઘડિયાળો અને ચિનાઈ માટીના વાસણો તેમજ મેંગલોરી નળિયા બનાવવા માટે મોરબી જાણીતું છે. જે મોરબી સિરામિક ઉદ્યોગ માટે જાણીતું છે.*

*●ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઇ પટેલના શાસનમાં વર્ષ 1979માં મોરબી પાસે મચ્છુ નદી પર આવેલા મચ્છુ ડેમ તૂટી ગયો હતો.*

*●અમર પેલેસ મોરબીના વાંકાનેરમાં આવેલું છે.*

*●મણિમંદિર પણ મોરબીમાં આવેલું છે.*

*●આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા પણ મોરબી જિલ્લામાં આવેલું છે.*

*●શ્રીમદ્દ રાજચંદ્રની જન્મભૂમિ વવાણિયા મોરબી જિલ્લામાં આવેલું છે.*


💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝નર્મદા📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●2 ઓક્ટોબર, 1997ના રોજ નવરચિત જિલ્લાઓ મુજબ ભરૂચ જિલ્લામાંથી નર્મદા જિલ્લો બનાવવામાં આવ્યો.*

*●નર્મદા જિલ્લામાં નવાગામ પાસે સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે.*

*●ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવતા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની જાહેરાત કરી હતી.*

*●સ્ટેચ્યુ ઓફ યુનિટી સાધુ બેટ પાસે આવેલું છે.*

*●નર્મદા જિલ્લાને મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે.*

*●એક હજાર બારીવાળો રાજમહેલ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલો છે.*

*●હરસિદ્ધ માતાનું મંદિર પણ રાજપીપળા ખાતે આવેલું છે.*


💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝તાપી📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●2 ઓક્ટોબર, 2007માં સુરત જિલ્લામાંથી તાપી જિલ્લાની રચના થઈ.*

*●તાપી નદી તાપી જિલ્લાના હરણફાળ સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે.*

*●કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો વ્યારામાં જોવા મળે છે.*

*●તાપી જિલ્લામાં તાપી નદી પર ઉકાઈ બંધ આવેલો છે.*

*●તાપી જિલ્લાનું વાલોદ સહકારી મંડળીની પ્રવૃત્તિઓ માટે જાણીતું છે.*

*●ગાયકવાડનો મહેલ તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલો છે.*

*●પિલાજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલો છે.*

*●વલ્લભસાગર સરોવર તાપી જિલ્લામાં આવેલ છે.*

*●જુગતરામ દવેનો આશ્રમ વેડછી તાપી જિલ્લામાં આવેલ છે.*

*●લોકનાયક જયપ્રકાશ નારાયણ દ્વારા પ્રેરિત અને નારાયણ દેસાઈ દ્વારા સ્થાપિત સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય તાપી જિલ્લાના વેડછી ખાતે આવેલ છે.*

*●લિજ્જત પાપડ બનાવવાનું કારખાનું તાપી જિલ્લાના વાલોદ ખાતે આવેલું છે.*


💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝નવસારી📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●2 ઓક્ટોબર, 1997ના રોજ નવરચિત જિલ્લાઓ મુજબ વલસાડ જિલ્લામાંથી નવસારી જિલ્લો બનાવવામાં આવ્યો.*

*●ભારતનાં ગ્રાન્ડ ઓલ્ડમેન દાદાભાઈ નવરોજી અને ઉદ્યોગ માંધાતા જમશેદજી તાતાનું જન્મસ્થળ નવસારી છે.*

*●અમદાવાદથી શરૂ થયેલ દાંડીના રૂટને દાંડી હેરિટેજ રૂટ જાહેર કરવામાં આવ્યો છે. જેને નેશનલ હાઈ-વે નંબર 228 (નવો હાઈ-વે નંબર-64) અપાયો છે.*

*●ગુજરાતની પુસ્તક નગરી તરીકે નવસારીને ઓળખવામાં આવે છે.*

*●ગુજરાતમાં આવેલી ચાર કૃષિ યુનિવર્સિટીઓ પૈકી એક નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે.*

*●નવસારી જિલ્લાનું ગણદેવી ગોળ માટે જાણીતું છે.*

*●રમણીય દરિયા કિનારો ઉભરાટ નવસારી જિલ્લામાં આવેલો છે.*

*●કસ્તુરબા સેવાશ્રમ નવસારી જિલ્લાના મરોલી ખાતે આવેલો છે.*

*●સતી મંદિર નવસારી જિલ્લાના ગણદેવી ખાતે આવેલ છે.*

*●ગરમ પાણીના ઝરા માટેનું જાણીતું સ્થળ ઉનાઈ નવસારી જિલ્લામાં આવેલું છે.*

*●ગાંધી કુટીર સંસ્થા નવસારી જિલ્લાના કરાડી ખાતે આવેલ છે.*


💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝ડાંગ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વઘઇ બોટનિકલ ગાર્ડન ડાંગ જિલ્લામાં આવેલો છે.*

*●ડાંગ વસતી અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે.*

*●ડાંગ જિલ્લામાં ડાંગ દરબારનું આયોજન થાય છે.*

*●ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે.*

*●સાપુતારા શબ્દનો અર્થ સાપનો નિવાસ થાય છે.*

*●સાપુતારા સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે.*

*●ડાંગ જિલ્લામાં વસતી મુખ્યત્વે આદિવાસીઓની છે.ડાંગ જિલ્લાની વરલી ચિત્રકલા જાણીતી છે.*

*●ડાંગના પ્રવેશદ્વાર તરીકે વઘઈને ઓળખવામાં આવે છે.*

*●ડાંગ જિલ્લામાં આદિવાસીઓ સાપની પૂજા કરે છે.*

*●કસ્તુરબા ગાંધીને જેલમાં અક્ષરજ્ઞાન આપનાર પૂર્ણિમાબેન પકવાસાએ સાપુતારામાં ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી.*

*●પૂર્ણિમાબેન પકવાસાને 'ડાંગના દીદી' તરીકે ઓળખવામાં આવે છે.*

*●ગાંધીજીએ પૂર્ણિમાબેનને હથિયાર રાખવાની છૂટ આપી હતી.*

*●મધમાખી ઉછેર કેન્દ્ર ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આવેલું છે.*

*●વાઘબારી, ત્રિફળા વન અને દીપકલા ઉદ્યાન પણ સાપુતારામાં આવેલું છે.*

*👉🏻Continue...*


💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝ખેડા📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદ ભારતનાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે.*

*●ખેડા જિલ્લામાં લોઅસ બેસર જમીન આવેલી હોવાથી ખેડા જિલ્લાનો ચરોતર પ્રદેશ તમાકુના પાક માટે જાણીતો છે.*

*●ગુજરાતના સૌથી ફળદ્રુપ પ્રદેશ તરીકે ચરોતરના પ્રદેશની ગણતરી થાય છે.*

*●ચરોતર પ્રદેશને સોનેરી પર્ણની ભૂમિ તરીકે ઓળખાય છે.*

*●ચરોતર પ્રદેશને ગુજરાતનો હરિયાળો બગીચો પણ કહે છે.*

*●ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ ખેડા જિલ્લામાં થાય છે.*

*●ચરોતરનો પ્રદેશ મહી અને શેઢી નદી વચ્ચે આવેલો વિસ્તાર છે.*

*●ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝનની શરૂઆત ખેડા જિલ્લાના પીજ કેન્દ્ર પરથી (15 ઓગસ્ટ, 1975) થઈ હતી.*

*●નડિયાદને ગુજરાતની સાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે.*

*●ચરોતરના મોતી તરીકે ઓળખ મેળવનાર મોતીભાઈ અમીને ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી.*

*●ખેડા જિલ્લામાં ડાકોર ખાતે રણછોડરાયજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.*

*●મહંમદ બેગડાએ વાત્રક નદીના કિનારે મુહમ્મદાબાદ નગર વસાવ્યું હતું, જેને હાલ મહેમદાવાદ તરીકે ઓળખવામાં આવે છે.*

*●વર્ષ 1917માં પડેલા દુષ્કાળના કારણે 1918માં ખેડા સત્યાગ્રહ થયો હતો.*

*●નડિયાદ 'સરસ્વતીચંદ્ર' નવલકથાના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીનું નિવાસસ્થાન છે.*

*●ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓ ખેડા જિલ્લામાં છે.*

*●સંતરામ મહારાજનું મંદિર નડિયાદ ખાતે આવેલું છે.*

*●ધર્મસિંહજી પોલીટેકનિક કોલેજ નડિયાદ ખાતે આવેલી છે.*

*●ચાંદા-સૂરજ મહેલ અને ભમ્મરિયો કૂવો ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે આવેલ છે.*

*●ગોપાળદાસની હવેલી ખેડા જિલ્લાના વસો ખાતે આવેલી છે.*

*●રાણીવાવ, સીગરવાવ, કુંકાવાવ અને ઐતિહાસિક કલાત્મક તોરણ ખેડા જિલ્લાના કપડવંજ ખાતે આવેલ છે.*

*●ભાથીજી મહારાજનું મંદિર ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે આવેલું છે.*

*●સોલંકી યુગનું ગળતેશ્વર મંદિર ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે આવેલું છે.*

*●ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુન્દ્રા ખેડા જિલ્લામાં આવેલું છે.*

*👉🏾Continue...*


💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝વડોદરા📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●ઇ.સ.1721માં પીલાજીરાવ ગાયકવાડે વડોદરા જીતી મરાઠા શાસનની સ્થાપના કરી.*

*●વડોદરા ગાયકવાડ શાસનની રાજધાની હતી.*

*●ઇ.સ.1734માં વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધાની બની હતી.*

*●ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વડોદરા ખાતે આવેલી છે.*

*●ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મીવિલાસ પેલેસ વડોદરા ખાતે આવેલો છે.*

*●ગુજરાતની સૌથી મોટી લાયબ્રેરી સેન્ટ્રલ લાયબ્રેરી વડોદરા ખાતે આવેલી છે.*

*●વડોદરાને મહેલોનું શહેર કહેવામાં આવે છે.*

*●વડોદરા ગુજરાતની સાંસ્કૃતિક નગરી છે.*

*●વડોદરામાં આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ વગેરે જેવી શાખાઓ વિશ્વભરમાં જાણીતી છે.*

*●વડોદરા જિલ્લામાં આવેલું ચાંદોદ પિતૃ શ્રાદ્ધવિધિ માટે જાણીતું છે જેને દક્ષિણના કાશી તરીકે ઓળખવામાં આવે છે.*

*●મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઇ.સ.1939માં વડોદરા ખાતે ગુજરાતનું સૌપ્રથમ રેડિયો કેન્દ્ર સ્થાપ્યું હતું.*

*●મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ વડોદરામાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કર્યું હતું.*

*●ભારતને સ્વતંત્રતા મળતા વડોદરાના શાસક પ્રતાપસિંહરાવ ગાયકવાડે અલગ રાજ્યનો ગણગણાટ શરૂ કર્યો હતો. જેને પ્રજા મતે નકારી કાઢ્યો હતો.*

*●ભારતનું સૌપ્રથમ પેટ્રો કેમિકલ્સ સંકુલ ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પોરેશન લિ. (IPCL) વડોદરા ખાતે1969માં સ્થપાયું હતું.*

*●મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્થાપેલી બેંક ઓફ બરોડાનું વડુંમથક વડોદરામાં આવેલું છે.*

*●ભારતીય સૈન્ય દ્વારા ચાલિત EME (દક્ષિણામૂર્તિ) મંદિર વડોદરામાં આવેલું છે.*

*●ગુજરાતમાં સૌપ્રથમ દવા બનાવવાની ફેક્ટરી ત્રિભુવનદાસ ગજ્જરે વડોદરામાં સ્થાપી હતી.*

*●અલકાપુરી નામક બજાર વડોદરામાં આવેલું છે.*

*~વડોદરા જિલ્લામાં આવેલા કેટલાક મહત્વના સ્થળો~*

*પ્રેમાનંદ સાહિત્ય સભા (પહેલા વડોદરા સાહિત્ય સભા)*

*નિષ્કલંક માતાનું મંદિર (ખ્રિસ્તી ધર્મ)*

*મકરપુરા પેલેસ*

*કમાટી બાગ*

*મુહમ્મદ તળાવ*

*પૂજયશ્રી મોટાનો આશ્રમ - સાવલી*

*ડભોઈનો ઐતિહાસિક કિલ્લો - ડભોઈ*

*આજવા ડેમ તેમજ આજવા તળાવ - આજવા*

*નજરબાગ પેલેસ*

*સૂરસાગર તળાવ*

*સાયકલ ઉદ્યોગ - વાઘોડિયા*

*કરનાળી અને કુબેરેશ્વર મંદિર - ચાંદોદ*

*હીરા ભાગોળ - ડભોઈ*

*શ્રીરંગ અવધૂતનો આશ્રમ - નારેશ્વર*

*યોગ મંદિર - કાયાવરોહણ (સ્વામી કૃપાલા નંદજી મહારાજ દ્વારા સ્થાપિત યોગ મંદિર)*

*પાશુપાત સંપ્રદાયનું મુખ્યમથક અને ભગવાન લકુલીશનું જન્મસ્થળ - કાયાવારોહણ*

*ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કંપની લી. - બાજવા*

*ખનિજ તેલ શુદ્ધિકરણ રિફાઇનરી - કોયલી*

*ડોંગરેજી મહારાજ સાથે સંકળાયેલુ સ્થળ - માલસર*

*ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર - ગોરજ*

*કવિ દયારામની જન્મભૂમિ - ડભોઈ*

*👉🏻Continue...*



💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝જામનગર📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●જામરાવળે ઇ.સ.1540માં નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે.*

*●જામનગરને 'સૌરાષ્ટ્રના પેરિસ' તરીકે પણ ઓળખવામાં આવે છે.*

*●જામનગરને 'છોટે કાશી અને કાઠિયાવાડનું રત્ન' કહેવાય છે.*

*●ગુજરાતની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર જિલ્લાના સિક્કામાં આવેલી છે.*

*●ગુજરાતમાં ભાવનગર જિલ્લાના અલંગ સિવાય જામનગર જિલ્લાના સચાણા ખાતે જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસેલો છે.*

*●જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની નજીક આવેલા પીરોટન ટાપુ પાસેથી મોતી આપતી માછલી પર્લફિશ મળી આવે છે.*

*●જામનગરના કંકુ, મેશ અને બાંધણી વિશ્વભરમાં જાણીતા છે.*

*●આયુર્વેદ યુનિવર્સિટી (1967) જામનગર ખાતે આવેલી છે અને ઝંડુ ભટ્ટજીએ સ્થાપેલી ઝંડુ ફાર્મસી પણ જામનગરમાં આવેલી છે.*

*●ઝંડુ ભટ્ટજીએ જામનગર અને પોરબંદર સરહદ પર આવેલો બરડો ડુંગર સરકાર પાસે ઈજારાશાહીએ માંગેલો.*

*●જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પીરોટન ટાપુ વિસ્તારને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (મરીન નેશનલ પાર્ક) જાહેર કરવામાં આવ્યો છે.*

*~જામનગર જિલ્લાના કેટલાક મહત્વના સ્થળો~*

*માણેકબાઈ મુક્તિધામ*

*રણમલ તળાવ*

*પ્રતાપ પેલેસ*

*લખોટા મહેલ*

*વિભા પેલેસ*

*સોલેરિયમ*

*નૌકાદળનું તાલીમ કેન્દ્ર - વાલસુરા*

*બાલા હનુમાન મંદિર (જામનગર) જ્યાં વર્ષ 1964થી સતત રામધૂન ચાલે છે.*

*આયુર્વેદ કોલેજ અને આયુર્વેદ યુનિવર્સિટી - જામનગર*

*ખંભાળિયાનો દરવાજો*

*વાયુદળનું તાલીમ કેન્દ્ર - બેડી*

*સૈનિક સ્કૂલ - બાલાછડી*

*👉🏻Continue...*



💥રણધીર💥
*~ગુજરાતના જિલ્લાઓ~*


*📝ગાંધીનગર📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●ગુજરાતની સ્થાપના પશ્ચાત જિલ્લા તરીકે ગાંધીનગરની રચના થઈ હતી.*

*●ચીમનભાઈ પટેલનું સમાધિ સ્થળ નર્મદા ઘાટ ગાંધીનગર ખાતે આવેલું છે.*

*●ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે.ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું, જેના સ્થાને વર્ષ 1964માં અમદાવાદ અને મહેસાણામાંથી અલગ ગાંધીનગર જિલ્લો બન્યો અને મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ઇ.સ.1971માં ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું.*

*●ગાંધીનગર સુવ્યવસ્થિત શહેર (પ્લાન્ડ સિટી) છે, જેનું આયોજન ફ્રેન્ચ આર્કિટેક્ટ લા કાર્બુઝિયરે કર્યું હતું.*

*●ગાંધીનગર કુલ 30 સેક્ટરોમાં વિભાજીત થયેલું છે.*

*●ગુજરાતનું સૌથી મોટું પક્ષી ગૃહ ઇન્ડ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે આવેલું છે.*

*●ગુજરાત રાજ્યની વિધાનસભા અને સચિવાલય ગાંધીનગર ખાતે આવેલા છે, ગુજરાત વિધાનસભાનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે.*

*●ગાંધીનગર પાસે આવેલું પેથાપુર રાજા પેથાસિંહે વસાવ્યું હતું.*

*●ગાંધીનગર ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર છે. જેને ગુજરાતના હરિયાળા શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે.*

*●ગાંધીનગર જિલ્લામાં મહુડી ખાતે દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરની પ્રતિમા આવેલી છે. જે દેરાસર સુખડીના પ્રસાદ માટે જાણીતું છે.*

*●રાણી રૂડાબાઈએ તેના પતિ વીરસિંહના સ્મરણાર્થે અડાલજની વાવ બંધાવી હતી.જે વાવના સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાપુત્ર માસણ હતા.*

*●ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ઇન્ડિયન ફામર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. (IFFCO) રાસાયણિક ખાતરનું કારખાનું આવેલું છે.*

*●મધુર અને મધર ડેરી ગાંધીનગર જિલ્લામાં આવેલી છે.*

*●ગાંધીનગર જિલ્લામાં આવેલું સ્વામિનારાયણ સંપ્રદાયનું અક્ષરધામ મંદિર જોવાલાયક છે.*

*~⭕️ગાંધીનગર જિલ્લાના કેટલાક મહત્વના સ્થળો⭕️~*

*ડૉ.જીવરાજ મહેતા ભવન (જૂનું સચિવાલય)*

*સ્વર્ણિમ સંકુલ - 1 (મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની ઓફીસ)*

*સ્વર્ણિમ સંકુલ-2 (રાજયકક્ષાના મંત્રીઓની ઓફીસ)*

*રાજભવન*

*GIFT સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)*

*ઇન્ફોસિટી*

*મહાત્મા મંદિર*

*જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન*

*વનચેતના કેન્દ્ર*

*સરિતા ઉદ્યાન*

*પુનીત વન*

*હરણી ઉદ્યાન*

*બાળ ઉદ્યાન*

*દાદા ભગવાન સાથે સંબંધિત ત્રિમૂર્તિ મંદિર*

*કોટાયર્ક સૂર્ય મંદિરના અવશેષો - મહુડી*

*પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી - રાયસણ*

*ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી*

*ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી*

*ધ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન*

*સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી*

*ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર - દહેગામ*

*ખેતી અર્થે લોખંડના ઓજારો બનાવવાનો ઉદ્યોગ - દહેગામ*

*વરદાયીની માતાનું મંદિર - રૂપાલ - પલ્લીનો મેળો , જ્યાં માતાજીની પલ્લીને શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે.*

*👉Continue...*



💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝રાજકોટ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●ઇ.સ.1610માં ઠાકોર વિભોજી જાડેજાએ રાજકોટ શહેરની સ્થાપના કરી હતી.*

*●ગુજરાતનું સૌથી મોટું હેમુ ગઢવી નાટ્યગૃહ રાજકોટમાં આવેલું છે.*

*●ગોંડલના રાજા ભગવતસિંહજીએ ભગવદ્દગોમંડળની રચના કરી હતી.*

*●રાજકોટને સૌરાષ્ટ્રની શાન તરીકે ઓળખવામાં આવે છે.*

*●ભારતભરમાં ડીઝલ એન્જીન બનાવવા માટે રાજકોટ જાણીતું છે.*

*●રાજકોટમાં આવેલા ભક્તિનગર GIDCને ગુજરાતની પ્રથમ G. I. D. C. માનવામાં આવે છે*

*●સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે આવેલી છે.*

*●રાજકોટ જિલ્લાના વીરપુરમાં પ્રસિદ્ધ સંત શ્રીજલારામ બાપાનું મંદિર આવેલું છે.*

*●રાજકોટ જિલ્લામાં જેતપુર સાડીઓના રંગકામના ઉદ્યોગ માટે જાણીતું સ્થળ છે.*

*●વર્ષ 1947માં રાજકોટમાં કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના થઇ હતી.*

*●જૂનાગઢને સ્વતંત્ર બનાવવા આરઝી હકૂમતના સશસ્ત્ર સૈનિકોએ રાજકોટમાં આવેલું જૂનાગઢ હાઉસ કબજે લીધું હતું.*

*~રાજકોટ જિલ્લામાં આવેલા કેટલાક મહત્વના સ્થળો~*

*મહાત્મા ગાંધી હાઈસ્કૂલ - (આલ્ફ્રેડ)*

*કબા ગાંધીનો ડેલો*

*આજી ડેમ*

*વોટ્સન મ્યુઝિયમ*

*રાજકુમાર કોલેજ*

*રામકૃષ્ણ પરમહંસ મંદિર*

*નવલખા દરબાર - ગોંડલ*

*લાલપરી તળાવ*

*વૃક્ષ મંદિર*

*ઢીંગલી મ્યુઝિયમ*

*ભુવનેશ્વરી શક્તિપીઠ - ગોંડલ*

*રામદેવ પીરનું મંદિર - નવા રણુજા*

*ઘેલા સોમનાથનું મંદિર - ઘેલા સોમનાથ - જસદણ તાલુકો*

*રેસકોર્સ*

*👉🏻Continue...*



💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝સુરેન્દ્રનગર📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●સુરેન્દ્રનગરના વિસ્તારને પ્રાચીન સમયમાં ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવતો હતો.*

*●સુરેન્દ્રનગર નજીક આવેલા રજવાડી શહેર વઢવાણનું જૂનું નામ વર્ધમાનપુર હતું.*

*●સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું થાનગઢ ચિનાઈ માટીના વાસણોના ઉદ્યોગ માટે ગુજરાતનું મોટું કેન્દ્ર છે.*

*●ભોગાવો નદી સુરેન્દ્રનગર અને વઢવાણને અલગ કરે છે.*

*●સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ચામુંડા માતાનું મંદિર આવેલું છે. જે માંડવની ટેકરીઓમાં ચોટીલા સૌથી ઊંચું શિખર છે.*

*●સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં તરણેતરનો મેળો ભરાય છે. જ્યાં અર્જુને મત્સ્યવેધ કર્યો હોવાની માન્યતા છે.*

*●જે તરણેતરના મેળાનું આયોજન ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠના રોજ થાય છે. જે મેળામાં ભરત ભરેલી છત્રીઓ આકર્ષણનું કેન્દ્ર છે.*

*●સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના રંગપુર ખાતેથી હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.*

*●ભગતનું ગામ (લાલજી ભગત) સાયલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે.*

*●ચોટીલાને પાંચાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.*

*●વઢવાણને 'કાઠિયાવાડનો દરવાજો' કહેવામાં આવે છે.*

*●વઢવાણ ખાતે સતી થયેલા રાણક દેવીનું મંદિર આવેલું છે.*

*●સિદ્ધરાજ જયસિંહે બંધાવેલો ગઢ વઢવાણ ખાતે આવેલો છે.*

*●મીઠા ઉત્પાદનનું સ્થળ ખારાઘોડા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે.*

*●પિન્ક સિટી અને પથ્થર માટે જાણીતું સ્થળ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે.*

*👉🏻Continue...*



💥રણધીર💥