સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🌳ભારત જંગલ સર્વેક્ષણ (FSI) : 2019 રિપોર્ટ અનુસાર👇🏻🌳*

ભારતના 20.40 ટકા જંગલો આગનું જોખમ ધરાવે છે.

2004 થી 2017 દરમિયાન જંગલોના કયા પ્રદેશો પર આગનું જોખમ હોય છે તે મુદ્દે અભ્યાસ મુજબ ઉત્તર-પૂર્વ પ્રદેશ અને મધ્ય ભારતના જંગલો પર આગનું સૌથી વધુ જોખમ છે.

આ પ્રદેશોના પ્રત્યેક રાજ્યોને નવેમ્બર 2018 થી જૂન 2019 દરમિયાન કુલ 29,547 ચેતવણી આપવામાં આવી છે. તે પૈકી મિઝોરમને સૌથી વધુ 2,795 ચેતવણી મળી. ઉત્તર-પૂર્વ પ્રદેશના સાત રાજ્યોને આ દરમિયાન કુલ આગ અંગે 10,210 વાર ચેતવણી અપાઈ હતી.

જંગલ અને વૃક્ષોથી લદાયેલા દેશના કુલ ભૂભાગમાં વર્ષ 2017ને મુકાબલે 5,188 ચો.કિ.મી. વિસ્તારનો વધારો થયો છે. ભારતનો કુલ જંગલ વિસ્તાર આ વધારાને કારણે 8,07,276 ચો.કિ.મી. થયો છે. દેશનો 24.39 ટકા ભૌગોલિક વિસ્તાર તેને પગલે જંગલ આચ્છાદિત થઈ ગયો છે.

વર્ષ 2009 પછી પૂર્વોત્તરનો 3,199 ચો.કિ.મી. વિસ્તાર ઘટ્યો છે.

અરુણાચલ પ્રદેશ વૃક્ષો, વનસ્પતિ અને ઔષધોને મોરચે દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય છે. તે પછીના ક્રમે તમિલનાડુ અને કર્ણાટક આવે છે.

FSFR અહેવાલ 2019 મુજબ જે પાંચ રાજ્યોમાં સૌથી વધુ જંગલ ક્ષેત્રનો વિસ્તાર થયો છે તેમાં કર્ણાટક (2015 ચો.કિ.મી.), આંધ્રપ્રદેશ, કેરળ (823 ચોકિમી.) જમ્મુ કાશ્મીર (371 ચોકિમી.) અને હિમાચલ પ્રદેશ (334 ચોકિમી.)નો સમાવેશ થાય છે.

જંગલ વિસ્તાર ક્ષેત્રફળની વાત કરવામાં આવે તો દેશમાં મધ્યપ્રદેશ મોખરે છે.તે પછીના ક્રમે અનુક્રમે અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને મહારાષ્ટ્ર આવે છે.

પોતાના રાજ્ય વિસ્તારના પ્રમાણમાં આવેલા જંગલ વિસ્તારના મુદ્દે મિઝોરમ મોખરે છે.અહીં 85.41 ટકા રાજ્ય વિસ્તારમાં જંગલો આવેલા છે. તે પછીના ક્રમે અરુણાચલ પ્રદેશ (79.63%), મેઘાલય (76.33%) અને નાગાલેન્ડ (75.31%) રહે છે.

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-07/01/2020🗞👇🏻~*

*📝7 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*સ્વતંત્રતા સૈનિક જાનકી દેવી બજાજ*
*જન્મ:-* 7 જાન્યુઆરી, 1893, મધ્યપ્રદેશના જાવરામાં વૈષ્ણવ પરિવારમાં
*નિધન:-* 21 મે, 1979
તેમના લગ્ન 8 વર્ષની વયે 'મહાત્મા ગાંધીના પાંચમા પુત્ર' જમનાલાલ બજાજ સાથે થયા હતા.
ઘરેણાં, વૈભવી જીવન, ઘૂંઘટપ્રથાને તિલાંજલિ આપી ખાદી અપનાવી, ખાદી કાંતતા પણ શીખ્યા.
વર્ધામાં વિદેશી વસ્ત્રોની હોળી પણ કરી હતી.
જાનકી દેવીએ ખાદી, ચરખા, અસ્પૃશ્યતા નિવારણ, હરિજનોનો મંદિર પ્રવેશ, સ્ત્રી શિક્ષણ અને ગૌ સેવાને પોતાનું વિશેષ કાર્યક્ષેત્ર બનાવ્યું હતું.
ભારતમાં દલિતો માટે પારિવારિક મંદિરો અને ઘરના રસોડા તો સૌપ્રથમ વખત બજાજ પરિવારે ખુલ્લા કર્યા હતા.
અખિલ ભારતીય ગૌ સેવા સંઘના પ્રમુખ અને પદ્મ વિભૂષણથી વિભૂષિત થયા હતા.

આજે અભિનેતા ચંદ્રકાન્ત ગોખલેનો પણ જન્મદિન છે.

આજે શંકરલાલ બેન્કર તથા ભીલ સેવક લક્ષ્મીદાસ શ્રીકાંતની પુણ્યતિથિ છે.


●77મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ મોશન પિક્ચર (ડ્રામા) શ્રેણીમાં વિજેતા જાહેર કરાઈ
*પહેલા વિશ્વયુદ્ધની પૃષ્ઠ ભૂમિ પર બનેલી ફિલ્મ '1917'*
*બેસ્ટ એક્ટર:- જોકિન ફિનિક્સ (જોકર ફિલ્મ માટે)*
*બેસ્ટ પર્ફોમન્સ (એક્ટ્રેસ):- મ્યુઝિકલ એન્ડ કોમેડી - એક્વાફિના*

●ગુજરાત રાજ્યમાં માર્ગ સલામતી સપ્તાહ ક્યારે ઉજવાશે
*11 થી 17 જાન્યુઆરી*

●100 કરોડના ખર્ચે પુષ્ટિ સંસ્કાર ધામ ક્યાં બનશે
*જૂનાગઢ પાસે વડાલ-કાથરોટા રોડ પર*

●પ્રથમ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ક્યાં રમાશે
*ભુવનેશ્વર*

●વિશ્વ બ્રેઈલ દિવસ ક્યારે મનાવામાં આવે છે
*4 જાન્યુઆરી*

●એન્ટાર્કટિકાના સર્વોચ્ચ શિખર પર પહોંચનારી વિશ્વની સૌથી નાની વયની મહિલા કોણ બની
*ભારતીય પર્વતારોહક માલાવથ પૂર્ણા*

●તાજેતરમાં સંપૂર્ણપણે ઓટોમેટીક કાર પાર્કિંગનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*દિલ્હીમાં*

●એસોસિએશન ઓફ ટેનિસ પ્લેયર્સને ઈયર ઓફ નર્સ એન્ડ મિડવાઈફસ કઈ વૈશ્વિક સંસ્થાએ ઘોષિત કર્યું
*વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન*

●ઈરાનમાં કાસિમ સુલેમાનીના સ્થાને કમાન્ડર તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*ઈસ્માઈલ કાની*

●ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા દૃષ્ટિહીનો માટે કઈ એપ લોન્ચ કરવામાં આવી
*મની (MANI)*

●તાજેતરમાં લાઈ હારાઓબા પર્વની ઉજવણી ક્યાં થઈ હતી
*ત્રિપુરા*
*લાઈ હારાઓબાનો અર્થ થાય છે ઈશ્વરને પ્રસન્ન કરવા*

●કયા રાજ્યની સરકારે સાઈબર સેફ વુમન ઇનીશીએટિવનો પ્રારંભ કર્યો
*મહારાષ્ટ્ર*

●તાજેતરમાં સાહિત્યકાર રત્ન ઓઝાનું નિધન થયું. તેમણે કયા રાજયમાં શેરી નાટકોને ભારે લોકપ્રિય બનાવ્યા હતા
*આસામ*

●રાષ્ટ્રીય આઈસ હોકી 2020નો પ્રારંભ ક્યાં થયો
*લેહ ખાતે*

●CAAના વિરોધમાં વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*કેરળ*

●ઇસરોએ નાના ઉપગ્રહોના પ્રક્ષેપણ માટે નવું પ્રક્ષેપણ કેન્દ્ર ક્યાં સ્થાપિત કર્યું
*તમિલનાડુ*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
Photo from Mahi Arohi
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-08/01/2020🗞👇🏻~*

*📝8 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*સેવામૂર્તિ : પરીક્ષિતલાલ મજમુદાર*
*પૂરું નામ:-* પરીક્ષિતલાલ લલ્લુભાઇ મજમુદાર
*જન્મ:-* 8 જાન્યુઆરી, 1901 પાલીતાણામાં
*નિધન:-* 12 સપ્ટેમ્બર, 1965
1920-22 ના અસહકાર આંદોલનમાં હજારો યુવાનોની પેઠે સરકારી કોલેજનો ત્યાગ કરી અભ્યાસ છોડી ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા, સ્નાતક થયા અને ગાંધી-સરદારના પ્રભાવમાં સાબરમતી આશ્રમમાં જોડાયા અને હરિજન સેવાને જ જીવન વ્રત બનાવ્યું તે પછી નાગપુર ઝંડા સત્યાગ્રહ, સવિનય કાનૂન ભંગ આંદોલન જેવા અનેક આંદોલનોમાં ભાગ લઈ જેલવાસ ભોગવ્યો હતો.
દાંડીકૂચ વેળાએ તેમને 2 વર્ષ સજા થઈ હતી.
તેમના જીવનનું બીજું ઉજળું પાસું તે તેઓની રચનાત્મક પ્રવૃતિઓ, દુષ્કાળ રાહત, અસ્પૃશ્યતા નિવારણ અને અત્યંત ઉદ્ધાર જેવી અનેક રચનાત્મક પ્રવૃત્તિઓમાં તેઓ પ્રવૃત્ત રહ્યા હતા.

આજે જ્ઞાનપીઠ પુરસ્કૃત આશાપુર્ણા દેવીનો પણ જન્મદિવસ છે.

આજે બ્રહ્મોસમાજી કેશવચંદ્ર સેન અને વિદેશી પ્રવાસી માર્કો પોલોની પુણ્યતિથિ છે.


●નિર્ભયાના ચાર દોષીતોને ફાંસીની સજા સંભળાવનાર જજ
*સતીષ અરોરા*
*દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં*

●1984માં સિયાચીનમાં ઓપરેશન મેઘદૂતની આગેવાની કરનારા લેફ્ટનન્ટ જનરલ જેમનું હાલમાં નિધન થયું
*પ્રેમનાથ હુણ*
*પીએન હુણનો જન્મ પાકિસ્તાનમાં આવેલા એબોટાબાદમાં 1929માં થયો હતો*

●હાલમાં અકબર પદમશીનું નિધન થયું. તેઓ કોણ હતા
*પ્રખ્યાત ચિત્રકાર*

●દેશની પ્રથમ ઇન્ડિયન બાસ્કેટબોલ લીગ (IBL)નું આયોજન ક્યાં કરાયું
*છત્તીસગઢના રાજનાંદગામમાં*

●2020માં અમદાવાદમાં કેટલામો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આરંભ થયો
*31મો*

●ભારતીય મૂળના બે વકીલ મહિલા જેમની ન્યુયોર્કની કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ
*દીપા અંબેકર અને અર્ચના રાવ*

●ગુજરાત સરકારે જમીન સુધારણા કમિશનર તથા સચિવ તરીકે કોણે નિયુક્ત કર્યા
*આરસી મીના*

●ગગનયાન મિશન માટે તાજેતરમાં એરફોર્સમાંથી 4 લોકોની પસંદગી કરવામાં આવી છે. આ હવાઈ દળના જવાનોને રશિયામાં અવકાશયાત્રાની તાલીમ આપવામાં આવશે. ગગનયાન મિશન અંતર્ગત ભારત કયા વર્ષમાં અવકાશયાત્રીઓને પ્રથમ વખત અવકાશમાં મોકલશે
*2022*

●રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે MANI એપ લોન્ચ કરી.MANI નું ફૂલ ફોર્મ શું છે
*મોબાઈલ એઈડ નોટ આઇડેન્ટિફાયર એપ્લિકેશન*
*આ એપ પ્રજ્ઞાચક્ષુઓને ચલણી નોટો ઓળખવામાં મદદ કરશે*
*આ એપમાં મોબાઈલ કેમેરા નોટને સ્કેન કરે છે અને ઓડિયો દ્વારા વ્યક્તિને નોટનું મૂલ્ય જણાવે છે*

●માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા અને વાહનોના પ્રદૂષણને ઘટાડવા માટે કયા રાજ્યએ પરિવહન વિભાગે મહિનાના પહેલા દિવસને 'નો વ્હિકલ ડે' તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે
*રાજસ્થાન*
*પરિવહન વિભાગના કર્મચારીઓ ઓફિસમાં આવવા માટે તેમના વાહનને બદલે સાયકલ અથવા જાહેર ટ્રાફિકનો ઉપયોગ કરશે*

●ભારતીય રેલવેએ હિમદર્શન એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે. આ ટ્રેન કયા બે સ્ટેશનો વચ્ચે દોડે છે
*હરિયાણા (કાલકા) થી હિમાચલ પ્રદેશ (શિમલા) વચ્ચે*
*આ ટ્રેનમાં 6 એસી વિસ્ટાડોમ કોચ છે*
*છત અને દિવાલોમાં પારદર્શક કાચ એ આ ટ્રેનની વિશેષતા છે*

●ફોરેસ્ટ સરવે ઓફ ઇન્ડિયા (FSI)ના રિપોર્ટ અનુસાર મધ્યપ્રદેશમાં ક્ષેત્રની દ્રષ્ટિએ સૌથી વધુ વન આવરણ છે.આ સિવાય અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને મહારાષ્ટ્રમાં વિશાળ વન ક્ષેત્ર છે.FSI દ્વારા આ રિપોર્ટ દર કેટલા વર્ષે જાહેર કરવામાં આવે છે
*બે વર્ષે*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ની યુવાન વૈજ્ઞાનિકોની 5 પ્રયોગ શાળાઓનું ઉદ્દઘાટન કર્યું.આ 5 પ્રયોગશાળાઓ કયા કયા સ્થળે સ્થળે કાર્યરત કરવામાં આવશે
*બેંગલુરુ, મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ અને કોલકાતા*

●જનરલ બિપિન રાવત ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે કઈ તારીખે નિમાય
*30 ડિસેમ્બર, 2019*
*CDS એ 4-સ્ટાર રેન્ક છે*

●'જાગરણ'ના મુખ્ય સંપાદક સંજય ગુપ્તાએ તાજેતરમાં કયો એવોર્ડ જીત્યો
*લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પત્રકારત્વ એવોર્ડ*
*પત્રકારત્વ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી રહેલા લોકોને સન્માન આપવાના હેતુથી પુણે સ્થિત કેસરી મરાઠા ટ્રસ્ટ દ્વારા આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી*
*'કેસરી' અખબારની સ્થાપનાના સમારોહમાં આ એવોર્ડ અર્પણ કરવામાં આવે છે.*
*'કેસરી' અખબારની સ્થાપના મહાન સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય તિલક દ્વારા કરવામાં આવી હતી*

●પશ્ચિમ આફ્રિકા સ્થિત દેશ ગિની બીસાઉમાં નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા
*ભૂતપૂર્વ વડાપ્રધાન અને લશ્કરી જનરલ ઉમારો સિસોકો એમ્બેલો*
*ગિની બીસાઉ દેશ 1974માં પોર્ટુગલથી સ્વતંત્ર થયો હતો*

●રોકેટની મદદથી ચીને તાજેતરમાં જ પોતાના સૌથી ભારે અને સૌથી અદ્યતન કયા સંદેશા વ્યવહાર ઉપગ્રહનું લોન્ચિંગ કર્યું
*શિજિયન-20*
*આ રોકેટ પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં 25 ટન પેલોડ વહન કરવામાં સક્ષમ છે*

●સરકારે તાજેતરમાં જારી કરેલા આ
ંકડા મુજબ નાણાકીય વર્ષ 2019-20ના પહેલા ભાગમાં કયો દેશ ભારતમાં સીધા વિદેશી રોકાણનો સૌથી મોટો સ્ત્રોત છે
*8 અરબ ડોલરના રોકાણ સાથે સિંગાપોર*
*6.36 અરબના રોકાણ સાથે મોરેશિયસ બીજા સ્થાને*

●ભારતીય અવકાશ સંશોધન સંગઠને તાજેતરમાં જ દેશના ત્રીજા ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3'ની પુષ્ટિ કરી છે. સરકારે 'ચંદ્રયાન-3'ને મંજૂરી આપી છે.

●ઈસરોના અધ્યક્ષે તાજેતરમાં જાહેરાત કરી હતી કે ભારત 17 જાન્યુઆરી, 2020ના રોજ ભારે સેટેલાઇટ જીસેટ-30 લોન્ચ કરશે.આ સેટેલાઈટ ભારત દ્વારા 2020માં લોન્ચ કરવામાં આવનાર પ્રથમ ઉપગ્રહ હશે.આ સેટેલાઈટ એરીએન 5 ઇસીએ પ્રક્ષેપણ વાહનની મદદથી ફ્રેન્ચ ગુઆનાથી લોન્ચ કરવામાં આવશે. તે એક કમ્યુનિકેશન સેટેલાઈટ છે.

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*🌳પર્યાવરણની ચળવળ:(આંદોલન)🌴*

19મી સદીમાં રાજસ્થાનમાં કોની આગેવાની હેઠળ 84 બિશનોઈ સમાજના ગામડાઓ વૃક્ષછેદનની પ્રવૃત્તિ સામે આંદોલને ચડ્યા હતા
અમ્રિતાદેવી

ચીપકો આંદોલનની શરૂઆત કયા વર્ષથી થઈ હતી
1970

1973માં ચીપકો આંદોલનમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કઈ ખીણના ભાગમાં આવેલા જંગલોના કેટલાક ભાગના વૃક્ષો કાપવાની મંજૂરી આપી હતી
અલકનંદા ખીણના

1973માં ચીપકો આંદોલનમાં ઉત્તર પ્રદેશ સરકારે રમતગમતના સાધનો બનાવતી કઈ કંપનીને લાકડા કાપવાની મંજૂરી આપી હતી
સાયમન નામની કંપનીને

ચીપકો આંદોલનમાં એપ્રિલ 1973માં કયા ગામના લોકો વૃક્ષોને વીંટળાઈને ઉભા રહેવાનું શરૂ કરી દીધું હતું
દાસોલી

ચીપકો આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું
ચંડીપ્રસાદ ભટ્ટ

ચીપકો આંદોલનમાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને કોને અપીલ કરી હતી કે જેથી વૃક્ષછેદનની પ્રવૃત્તિ અટકાવી દેવામાં આવી
સુંદરલાલ બહુગુણાએ

ચીપકો આંદોલન હેઠળ ચંડીપ્રસાદ ભટ્ટે વન સંપદાની જાળવણી સાથે આર્થિક ઉપાજન થઈ શકે તેવા પ્રકારના ઉદ્યોગો કયા ગામમાં વિસાવ્યા
માંડલ

ચીપકો આંદોલને કયા વર્ષે વિજય મેળવ્યો
1980

નર્મદા બચાવ આંદોલનની શરૂઆત કયા વર્ષથી થઈ હતી
1985

નર્મદા આંદોલન કોણી આગેવાની હેઠળ થયું હતું
મેઘા પાટકર

ચિલકા બચાવ આંદોલનની શરૂઆત કોણે કરી હતી
બાંકા બહેરીદાસે

90 ના દાયકામાં કયા ગ્રુપે ચિલકા સરોવરમાં ઝીંગા ઉછેર કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી હતી
ટાટા ગ્રુપે

ચિલકા સરોવર(એશિયાનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર) કયા રાજ્યમાં આવેલું છે
ઓડિશા

સાઈલન્ટ વેલી કયા રાજ્યમાં આવેલું છે
કેરળ

સાઈલન્ટ વેલી ચળવળ શા માટે કરવામાં આવ્યું
1960માં કુંતીપ્રજા નદી પર ડેમ બાંધવાનું આયોજન

સાઈલન્ટ વેલી ચળવળની આગેવાની કોને લીધી હતી
કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ

કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ શુ છે
સ્થાનિક ગ્રામીણ શિક્ષકો અને સ્થાનિકોનું એક નેટવર્ક જે ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણીય વિજ્ઞાનનો પ્રચાર કરે છે.

સાઈલન્ટ વેલી ચળવળ માટે કઈ કમિટીની ઉચ્ચસ્તરીય તપાસ માટે નિમણુક કરવામાં આવી હતી
સ્વામીનાથન કમિટી

સાઈલન્ટ વેલી ચળવળ માટેનો પ્રોજેકટ કયા વર્ષે પડતો મુકવાનું નક્કી કરાયું
1983


💥રણધીર ખાંટ💥
*જૈન ધર્મની સભાઓ*

*(1)પ્રથમ સભા*
સમય : ઇ.પૂ.298
સ્થળ : પાટલીપુત્ર
શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
અધ્યક્ષ : સ્થુલીભદ્ર
કાર્ય : શ્વેતાંબર-દિગંબર ફાંટા પડ્યા, જૈનધર્મ ગ્રંથોની મૌખિક રચના થઈ

*(2)બીજી સભા*
સમય : ઇ.સ.512
સ્થળ: વલ્લભી
શાસક : ધ્રુવસેન-1
અધ્યક્ષ : દેવાર્ધિ-શ્રમાશ્રવણ
કાર્ય : જૈનધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા


*બૌદ્ધ ધર્મ પરિષદો*

*1.પ્રથમ પરિષદ*

સમય : ઇ.પૂ.483
સ્થળ : રાજગૃહી
અધ્યક્ષ : મહાકશ્યપ
શાસક : અજાતશત્રુ
કાર્ય : સુતપિટક અને વિનયપિટકની રચના

*2.બીજી પરિષદ*

સમય : ઇ.પૂ.383
સ્થળ : વૈશાલી
અધ્યક્ષ : સર્વકામિની
શાસક : કાલાશોક
કાર્ય : સ્થાવરવાદી, મહાસંધિક બે પંથો પડ્યા

*3.ત્રીજી પરિષદ*

સમય : ઇ.પૂ.251
સ્થળ : પાટલીપુત્ર
અધ્યક્ષ : માંગલી પુત્તીસ
શાસક : અશોક
કાર્ય : અભિધમપિટકની રચના,બંને પંથો રદ થયા

*4.ચોથી પરિષદ*

સમય : 1 સદી ઇ.સ.
સ્થળ : કુંડળવન
અધ્યક્ષ : વસુમિત્ર (કાશ્મીર)
શાસક : કનિષ્ક અશ્વઘોષ
કાર્ય : હિનયાન,મહાયાન બે ફાંટા પડ્યા


💥રણધીર ખાંટ💥
*વિવિધ ઝડપ*


પ્રકાશની ઝડપ
1,86,400 માઈલ/કલાક (3×10^8 મી./સેકન્ડ)

હવામાં અવાજની ઝડપ (0℃)
1120 ફૂટ/સેકન્ડ (330મી./સે.)

સામાન્ય પાણીમાં અવાજની ઝડપ
1400 મી./સેકન્ડ

સમુદ્રના પાણીમાં અવાજની ઝડપ
1500 મી/સેકન્ડ

બરફમાં અવાજની ઝડપ
3200 મી./સેકન્ડ

લોખંડમાં અવાજની ઝડપ
5000 મી./સેકન્ડ

ચંદ્ર પર અવાજની ઝડપ
શૂન્ય

હાઇડ્રોજનમાં અવાજની ઝડપ
1260 મી./સેકન્ડ

તોફાનમાં અવાજની ઝડપ
100 માઈલ/કલાક

સૌથી ઝડપી ચાલતા માણસની ઝડપ
10 માઈલ/કલાક

પૃથ્વી પર પલાયન વેગ
11.2 કિમી./સેકન્ડ

પૃથ્વીની ભ્રમણ ગતિ
1 લાખ કિમી./કલાક

સૂર્યની ઝડપ
250 કિમી./સેકન્ડ

સુપર સોનિકની ઝડપ
2200 કિમી./કલાક



*શરીરના અવયવોનું વજન*


મૂત્રપિંડ (દરેક)150 ગ્રામ

બરોળ175 ગ્રામ

સ્ત્રીનું હદય250 ગ્રામ

પુરુષનું હદય300 ગ્રામ

ડાબું ફેફસું400 ગ્રામ

જમણું ફેફસું460 ગ્રામ

સ્ત્રીનું મગજ1275 ગ્રામ

પુરુષનું મગજ1400 ગ્રામ

યકૃત1650 ગ્રામ



*અંતઃસ્રાવ ગ્રંથિઓ *


*માથામાં*
પિનિયલ
પીટ્યુટરી

*ગળામાં*
થાઈરોક્સિન
પેરાથાઇરોઇડ
થાયમસ

*પેટમાં*
એડ્રિનલ
પેન્ક્રીયાસ
લેંગર હેન્સથ્રિપો

*પેડુમાં*
ટેસ્ટીસ
ઓવરી

💥રણધીર ખાંટ💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-09-10/01/2020🗞👇🏻~*

*📝9 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*પાર્શ્વ ગાયક મહેન્દ્ર કપૂર*
*જન્મ:-* 9 જાન્યુઆરી, 1934 પંજાબના અમૃતસરમાં
*નિધન:-* 2008, મુંબઈમાં
1958માં નવરંગ ફિલ્મના 'આધા હૈ ચંદ્રમાં રાત આધી' ગીતથી તેમની ફિલ્મી ગાયક કારકિર્દી આરંભાઈ.
ગીતકાર તરીકેની કારકિર્દીમાં મહેન્દ્ર કપૂરે હિન્દી, ગુજરાતી, પંજાબી, મરાઠી અને ભોજપુરી જેવી ભાષાઓના અઢી હજારથી વધુ ગીતો ગાયા હતા.
ચલો એક બાર ફિરસે અજનબી બન જાયે હમ દોનો, નીલે ગગન કે તલે, મેરે દેશ કી ધરતી જેવા ગીતો ઘણા લોકપ્રિય થયા હતા.

આજે અમેરિકી પ્રમુખ રિચર્ડ નિક્સન, પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા, વૈજ્ઞાનિક ડોક્ટર હરગોવિંદ ખુરાનાનો પણ જન્મદિવસ છે.


*📝10 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ઇતિહાસકાર : લોર્ડ એક્ટન*
*પૂરું નામ:-* એડવર્ડ દલબર્ગ એક્ટન
*જન્મ:-* 10 જાન્યુઆરી, 1834, જર્મનીના નેપલ્સમાં
*નિધન:-* 19 જૂન,1902
યુરોપના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર હતા.
તેમણે 'દિ રેમ્બલર' અને દિહોમ એન્ડ ફોરેઇન રિવ્યુ' જેવા સામયિકોમાં અનેક લેખો અને નિબંધો લખ્યા છે.
'મુક્તિનો ઈતિહાસ' પુસ્તક લખવાનું શરૂ કર્યું હતું પરંતુ પૂરું કરી શક્યા નહી.
તેઓ 1859 થી 1865 સુધી બ્રિટિશ સંસદના સભ્ય રહ્યા હતા.


●કેન્દ્ર સરકારના સેન્ટ્રલ બોર્ડ ઈરીગેશન એન્ડ પાવર દ્વારા કઈ સિંચાઈ યોજનાને બેસ્ટ ઇમ્પીલીમેન્ટેશન ઓફ વોટર રિસોર્સિસ પ્રોજેકટ CBIP-2020નું સન્માન મળ્યું
*કડાણા-દાહોદ ઉદવહન સિંચાઈ યોજના*

●ઈરાનમાં યુક્રેનનું કયું વિમાન ક્રેશ થતા તમામ પ્રવાસીઓ (176 પ્રવાસીઓ)ના મોત થયા
*બોઈંગ 737*

●ઈરાને ઈરાકમાં આવેલા અમેરિકી સૈન્યના મથકો પર કઈ મિસાઈલો છોડી હોવાનો દાવો કર્યો છે
*ફતેહ-313*

●તાજેતરમાં યોજાયેલી 63મી રાષ્ટ્રીય નિશાનબાજ ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો કે જે એશિયન ગેમ્સમાં સૌથી નાની ઉંમરે આ મેડલ પ્રાપ્ત કરનારો શૂટર છે
*સૌરભ ચૌધરી (17 વર્ષ)*

●5મું વિશ્વ ડ્રોસોફિલા સંમેલન ક્યાં યોજાશે
*પુણે*
*ડ્રોસોફિલા એટલે ફળ માખી*

●મિસ ટીન ઇન્ટરનેશનલ 2019નો ખિતાબ કોણે જીત્યો
*આયુષી ધોળકિયા*

●તાજેતરમાં ઉત્તર મેસેડોનિયાના પ્રધાનમંત્રી જેમને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું
*જોરાન જેવે*
*ઉત્તર મેસેડોનિયા દક્ષિણ પૂર્વ યુરોપમાં આવેલું છે*
*યુગોસ્લાવિયામાંથી સપ્ટેમ્બર 1991માં અલગ થયું હતું.*
*તેની રાજધાની છે સ્કોપજે*
*તેની કરન્સી છે મેસેડોનિયન દીનાર*

●ભારતે કયા દેશને સોલાર પાર્કની સ્થાપના માટે 7.5 કરોડ ડોલરની લોન આપી
*ક્યુબા*

●ઈસરોએ પ્રાદેશિક શિક્ષણ કેન્દ્ર ક્યાં શરૂ કર્યું
*કર્ણાટક*

●હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2020ના રિપોર્ટ મુજબ સારા પાસપોર્ટના રેન્કિંગમાં ભારત કેટલામાં ક્રમે છે
*84મા*
*જાપાન ટોચના સ્થાને, સિંગાપોર બીજા સ્થાને*
*સૌથી ખરાબ પાસપોર્ટમાં અફઘાનિસ્તાન પહેલા સ્થાને, બીજા સ્થાને ઈરાક, ત્રીજા સ્થાને સિરીયા અને પાકિસ્તાન ચોથા સ્થાને*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:- 11/01/2020🗞👇🏻~*

*📝11 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*વી.એસ.ખાંડેકર*
*પૂરું નામ:-* વિષ્ણુ સખારામ ખાંડેકર
*જન્મ:-* 11 જાન્યુઆરી, 1898 મહારાષ્ટ્રમાં સાંગલી ખાતે
*નિધન:-* 2 સપ્ટેમ્બર, 1976
મરાઠી ભાષાના પહેલા જ્ઞાનપીઠ વિજેતા
તેમને શાળામાં શિક્ષક તરીકે વર્ષો સુધી કામ કર્યું હતું.
સાહિત્ય સર્જન ક્ષેત્રે તેમણે નવલકથા, નિબંધ, નાટકો, વાર્તાઓ અને વિવેચન લેખો પર પોતાની કલમ ચલાવી હતી.
*જાણીતી કૃતિઓ:-* યયાતિ, ઉલ્કા, હદયાચી હાક, કોચવધ, કંચન મૃગ, પહિલે પ્રેમ, અમૃત વેલ અશ્રુ, તીસરા પહર, જીવન શિલ્પી, મંદાકિની, વામન મલ્હાર જોશી : વ્યક્તિ વિચાર, વાયુ લહરી વગેરે.


●દેશમાં ન્યુટ્રિશિયન વિશેની માહિતી આપતો દેશનો પ્રથમ થીમ પાર્ક ક્યાં બન્યો
*સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે*
*20 હજાર સ્કેરફુટમાં વિકસાવેલો*

●ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની ત્રીજી સિઝનનો પ્રારંભ કયા રાજયમાં થયો
*આસામ*

●રેસ એક્રોસ અમેરિકા માટે ક્વોલિફાય થનાર પ્રથમ ગુજરાતી સાઈકિલિસ્ટ કોણ બન્યો
*અમદાવાદનો વિવેક શાહ*

●ભારત અને ઓમાન વચ્ચે દ્વિપક્ષીય નૌસૈનિક અભ્યાસ યોજાશે.તેનું નામ શું હશે
*નસીમ અલ બહ્ર*

●વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટરની સ્થાપના કયા રાજયમાં કરવામાં આવશે
*ગુજરાત*

●કયા રાજ્યમાં ચોથો બુક્સા બર્ડ ફેસ્ટિવલ યોજાયો હતો
*પશ્ચિમ બંગાળ*
*અલી પુરુદંર ડિસ્ટ્રીકટના બુક્સા નેશનલ પાર્ક ખાતે*
*આ અંતર્ગત ભારત અને અન્ય દેશોના 50 પક્ષીવિદો ભાગ લઈ રહ્યા છે*

●નેશનલ સ્ટેટીસ્ટિક્સ ઓફિસે જારી કરેલા અનુમાન પ્રમાણે 2019-20માં ભારતનો જીડીપી દર કેટલા ટકા રહેશે
*5%*

●કયા દેશે હાલમાં પાંચ વર્ષની સમય મર્યાદાવાળા મલ્ટી એન્ટ્રી ટુરિસ્ટ વિઝાને મંજૂરી આપી
*UAE*

●દર્દીઓની સાર-સંભાળ મામલે કયું રાજ્ય દેશના તમામ રાજ્યોમાં ટોચ પર છે
*જમ્મુ કાશ્મીર*

●ફૂટબોલર ડેનિયલ ડી.રોસીએ સંન્યાસની ઘોષણા કરી.તેઓ કયા દેશના છે
*ઇટલી*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*🗞Date:-12/01/2020🗞👇🏻*

*📝12 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*સ્વામી વિવેકાનંદ*
*જન્મ:-* 12 જાન્યુઆરી, 1863, અંગ્રેજોની જૂની રાજધાની કલકત્તામાં
*પિતા:-* વિશ્વનાથ દત્ત (કલકત્તા હાઈકોર્ટમાં વકીલ)
*માતા:-* ભુવનેશ્વરી દેવી
*બાળપણનું નામ:-* નરેન્દ્રનાથ દત્ત
*નિધન:-* 4 જુલાઈ, 1902
નરેન્દ્રની સ્મરણશક્તિ એટલી તેજ હતી કે કોઈ ગ્રંથ તેમને બીજીવાર વાંચવો પડતો નહિ.
તેઓ અઢાર વર્ષના હતા ત્યારે રામકૃષ્ણ પરમહંસના પહેલીવાર દર્શન થયા.
1893માં શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહી વિશ્વના ધર્મધુરંધરોને પોતાના પ્રવચનથી પ્રભાવિત કર્યાં હતાં.
બંગાળના સુપ્રસિદ્ધ આચાર્ય ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર પાસે તેમણે શિક્ષણ મેળવ્યું હતું.
ઇતિહાસ અને તત્ત્વદર્શન તેમનાં પ્રિય વિષયો હતા.
"ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" નો પ્રેરણાદાયી અદ્ભૂત સંદેશો તેમને લોકોને આપ્યો છે.
તેમનો જન્મદિન રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે.
અમેરિકાની શિકાગો પરિષદ પછી તેમને તોફાની હિન્દુ કહેતા.


●ભારતમાં 2700 કરોડમાં પ્રથમ અંતરિક્ષ યાત્રી ટ્રેનિંગ સેન્ટર ક્યાં બની રહ્યું છે
*બેંગલુરુના ચલ્લકેરેમાં*
*3 લોકોની ક્ષમતા*
*આવું કરનાર ભારત છઠ્ઠો દેશ બનશે*

●અમિત શાહે સાઈબર ક્રાઇમને નાથવા આશ્વસ્ત અને વિડિઓ ઇન્ટિગ્રેશન આધારિત સલામતીનો વિશ્વાસ પ્રોજેક્ટ લોન્ચ કર્યો.વિશ્વાસનું ફૂલ ફોર્મ શું છે
*વીડિયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેટ વાઈડ એડવાન્સ સિક્યુરિટી*

●અમેરિકી વાયુસેનામાં ભારતીય મૂળના કયા વ્યક્તિ નાસાના અંતરિક્ષ યાત્રીઓમાં સામેલ થયા
*રાજા જોન વુપુતુર ચારી*

●બુક ટ્રસ્ટ (NBT)ના ડાયરેક્ટર કોણે બનાવાયા
*લેફ્ટનન્ટ જનરલ યુવરાજ મલિક*

●કયા રાજ્યની સરકાર એસિડ એટેક પીડિતાઓને 5 થી 6 હજાર રૂપિયા માસિક પેન્શન આપશે
*ઉત્તરાખંડ*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેનો જન્મ મહારાષ્ટ્રના કયા ગામમાં થયો હતો
*બાલકેશ્વર*

ખડિયા માટે ફારસી ભાષામાં કયો શબ્દ છે
*દવાત*

મીનાબક્કમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે
*ચેન્નઈ*

એસ્કિમોની કામધેનુ કોણ છે
*રેન્ડિયર*

ભારતના રાષ્ટ્રચિહ્નમાં સિંહની નીચે કયા બે પ્રાણી જોવા મળે છે
*બળદ અને ઘોડો*

મૌરી જનજાતિ કયા દેશની છે
*મલેશિયા*

રેગ્મા લોકનૃત્ય કયા પ્રદેશનું છે
*નાગાલેન્ડ*

ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ કયો
*લક્ષદ્વીપ*

યુરોપથી હિંદના જળમાર્ગની શોધ કોણે કરી હતી
*વાસ્કો-ડી-ગામા*

બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક કોણ છે
*મદનમોહન માલવિયા*

આપણા રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન અધિનાયક.....'ના રચયિતા કોણ હતા
*કવિવર રવીન્દ્રનાથ ટાગોર*

ભારત અને પાકિસ્તાનને છૂટી પાડતી રેખાનું નામ શું છે
*લાઈન ઓફ કંટ્રોલ*

હરિપ્રસાદ ચૌરસિયા શું વગાડે છે
*વાંસળી*

'ત્રિન્કોમાલી' બંદર ભારતના કયા પાડોશી દેશમાં છે
*શ્રીલંકા*

કયા રાજાના જાણીતા ઘોડાનું નામ 'ચેતક' હતું
*મહારાણા પ્રતાપ*

'આનંદ' , 'ગુડ્ડી' , 'અભિમાન' જેવી ક્લાસિક ફિલ્મોના સર્જક કોણ હતા
*ૠષિકેશ મુખર્જી*

'ઓલવી નાખવું' અથવા 'બુઝાવી નાખવું' એ અંગ્રેજીમાં શું કહેવાય
*Put out*

સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલીનો સમાવેશ કયા ક્રિકેટ એસોસિએશનમાં થાય છે
*બરોડા*

ભારતમાં એક રથયાત્રા અમદાવાદથી નીકળે છે અને બીજી રથયાત્રા ક્યાંથી નીકળે છે
*જગન્નાથપુરી*

આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇન્ટરપોલ શું છે
*પોલીસ સંસ્થા*

સૂર્યના કિરણોમાંથી કયું વિટામિન મળે જે હાડકાંને મજબૂત બનાવે
*વિટામિન ડી*

ભારતના રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને મળેલ છે
*ઝવેરચંદ મેઘાણી*

1969માં 'ભુવન સોમ' નામના પિક્ચરમાં પોતાનો અવાજ આપી કયા અભિનેતાએ પોતાની કારકિર્દી શરૂ કરી
*અમિતાભ બચ્ચન*

બ્રિટનની 'રોયલ સોસાયટી'માં કઈ ભારતીય સાયન્ટિસ્ટ મહિલાને હમણાં પ્રથમ વખત સ્થાન મળ્યું
*ગગનદીપ કાંગ*

જીવરામ જોશીની એક પ્રખ્યાત બાળવાર્તાનું નામ પૂરું કરો. 'મિયાં ફુસકી......'
*007*

*Find right word*

The bus............from here is Rs.50.
*Fare*
Fair

He played the.............. Of Santa Claus in the play.
Roll
*Role*

I read a wonderful...........Of a city mouse and a country mouse.
*Tale*
Tail

Jack and Jill went to fetch a.............. Of water.
pale
*Pail*

The man was released on...............
*Bail*
bale

Our team.............the other team by 8 points.
Beet
*Beat*

Did you.............the dough well ?
*Knead*
need

The guard ............the whistle.
Blue
*Blew*

Can I come along............,please??
*Too*
Two

...........is a fruit.
Pair
*Pear*
Yuvirajsinh Jadeja:
સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ કયું છે
ફ્લોરિન

સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કયું છે
સિઝિયમ



સૌથી હલકું તત્વ કયું છે
હાઇડ્રોજન

સૌથી હલકું ધાતુ તત્વ કયું છે
લિથીયમ



સૌથી ભારે તત્વ કયું છે
કાર્બન ડાયોક્સાઇડ

સૌથી ભારે ધાતુ તત્વ કયું છે
ઓસ્મિયમ



પ્રવાહી ધાતુ તત્વ કયું છે
પારો અને ગેલિયમ

પ્રવાહી અધાતુ તત્વ કયું છે
બ્રોમીન


💥રણધીર ખાંટ💥

વીનેગરમાં કયું એસિડ હોય છે
એસિટીક એસિડ

દૂધમાં કયું એસિડ હોય છે
લેક્ટિક એસિડ

લીંબુ અને નારંગીમાં કયું એસિડ હોય છે
સાઈટ્રિક એસિડ

આમલીમાં કયું એસિડ હોય છે
ટાર્ટરિક એસિડ

ટામેટામાં કયું એસિડ હોય છે
ઓક્ઝેલિક એસિડ


💥રણધીર ખાંટ💥

*🔎વિજ્ઞાન*🔍


ચાંદી વિદ્યુતની સર્વશ્રેષ્ઠ સુચાલક હોય છે.

પ્લેટેનિયમ 'સફેદ સોનું' કહેવામાં આવે છે.

યુરેનિયમને આશા ધાતુ કહે છે.

આયર્ન પાયરાઇટ્સને ખોટું સોનું કહે છે.

સિલ્વર ક્લોરાઈડને હોર્ન સિલ્વર કહેવામાં આવે છે.

સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ ફોટોગ્રાફીમાં થાય છે.

પોટેશિયમ કાર્બોનેટને પર્લ એશ કહે છે.

ધાતુઓનું વેલ્ડીંગ કરવા ,કાપવા માટે હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે.

નિયોનનો ઉપયોગ લેમ્પ તથા ટ્યુબલાઈટોમાં થાય છે.

બોર્ટ નામક કાળા હીરાનો ઉપયોગ કાચ કાપવા માટે થાય છે.

ગ્રેફાઈટને કાળો કાચ પણ કહે છે.

મિથેનને માર્સ વાયુ કહે છે.

સેક્રીન ખાંડથી પાંચસો ગણુ ગળ્યું છે.

પૃથ્વી પર સૌથી વધુ મળતું તત્વ ઓક્સિજન છે.


💥રણધીર ખાંટ💥
કવિ દલપતરામે ચૌદ વર્ષની ઉંમરે કયા સ્વામીથી પ્રભાવિત થઈને સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો હતો
*ભૂમાનંદ સ્વામીથી*

કવિ દલપતરામે કયા સ્વામી પાસે કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું હતું
*દેવાનંદ*

અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય 'બાપાની પીંપર' દલપતરામે ક્યારે લખ્યું હતું
*1845*

કવિ દલપતરામે 'જાદવાસ્થળી' કાવ્યકૃતિમાં શેની વાત કરી છે
*કેફી દ્રવ્યોથી થતા નુકસાનની વાત*

ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદોને વ્યાપક રીતે પ્રથમ વખત પ્રયોજવાનું અને ગુજરાતી કવિતાને સમાજાભિમુખ બનાવવાનું શ્રેય કયા કવિને મળે છે
*કવિ દલપતરામ*

'અર્વાચીનોમાં આદ્ય' અને 'નવયુગનો પ્રહરી' કોને ગણવામાં આવે છે
*નર્મદ*

નર્મદ પર કોની કવિતાઓ અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો
*વર્ડ્ઝવર્થની*

નર્મદના સુધારક ઝનૂન દાખવતા 'દાંડિયો' પખવાડિકનો આરંભ કયા વર્ષે થયો હતો
*1864માં*

કવિ કલાપીના લગ્ન 1889માં કોની સાથે થયા હતા
*રોહા (કચ્છ)ના રાજબા (રમા) તથા કોટડા સાંગાણીના આનંદીબા સાથે*

કલાપીને લાઠી સંસ્થાનનું રાજપદ ક્યારે સોંપાયું હતું
*1895માં*

કલાપીની કાવ્યરચનાઓને સમાવતા સંગ્રહ 'કલાપીનો કેકારવ'નું કાન્તને હાથે કયા વર્ષે મરણોત્તર પ્રકાશન થયું
*1903*

મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' 1923માં કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતા કઈ ટ્રેનમાં એમનું અવસાન થયું
*રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં*

કવિ ન્હાનાલાલની મૂળ અટક કઈ હતી
*ત્રિવેદી*

કવિ ન્હાનાલાલે કયા શહેરના સરન્યાયાધીશ અને નાયબ દિવાનની કામગીરી બજાવી હતી
*રાજકોટ*

1919માં ગાંધીજીની પચાસમી જન્મજયંતી નિમિત્તે ન્હાનાલાલે કઈ રચના કરી હતી
*'ગુજરાતનો તપસ્વી'*

ઠાકોર બળવંતરાય કલ્યાણરાયનું ઉપનામ
*'સેહેની' અને 'વલ્કલ'*


💥રણધીર ખાંટ💥
*🖌ગુજરાતના ચિત્રકલાકારો🖌*

ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો
*ઈ.સ.1892માં ભાવનગરમાં*

ઈ.સ.1917માં બોમ્બે આર્ટ સોસાયટી દ્વારા યોજાયેલ કલા-પ્રદર્શનમાં રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો
*બિલ્વમંગલ*

રવિશંકર રાવળે 'ગુજરાત કલા સંઘ'ની સ્થાપના ક્યારે કરી હતી
*ઈ.સ.1935માં*

રવિશંકર રાવળે 'કુમાર' માસિકની શરૂઆત ક્યારે કરી હતી
*ઇ.સ.1924*

રવિશંકર રાવળે કઈ ગુફાચિત્રોનો અભ્યાસ કર્યો હતો
*અજંતા (ઇ.સ.1926માં)*

ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી સોમલાલ શાહનો જન્મ ક્યાં થયો હતો
*કપડવંજ*

શ્રી સોમભાઈએ સૌરાષ્ટ્રની કઈ લોકશાળામાં કલાશિક્ષક તરીકે વર્ષો સુધી સેવા આપી હતી
*ભાવનગરની દક્ષિણામૂર્તિ લોકશાળામાં*

શ્રી સોમાલાલ શાહે કોની પ્રેરણાથી ત્રણ સો પક્ષીચિત્રોનો સંપુટ તૈયાર કર્યો હતો
*ભાવનગરના મહારાજાના નાના ભાઈ ધર્મેન્દ્રસિંહની પ્રેરણાથી*

શ્રી સોમાલાલ શાહ કયા નામે ઓળખાય છે
*રંગોના રાજા*

ગુજરાતના પ્રગતિશીલ ચિત્રકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે
*શ્રી યગ્નેશ્વર શુક્લ*

શ્રી રસિકલાલ પરીખનો જન્મ ક્યાં થયો હતો
*વાલિયા (ભરૂચ જિલ્લો)*

રસિકલાલ પરીખના ચિતરસર્જનનો પસંદગીનો વિષય શુ હતો
*મા અને બાળક*

ગુજરાતના લોકજીવનનો ધબકાર કયા ચિત્ર કલાકારના ચિત્રોમાં જોવા મળે છે
*શ્રી રસિકલાલ પરીખ*

રસિકલાલ પરીખની કલાસિદ્ધિનું દર્શન કરાવતો તેમનો કયો ચિત્ર સંગ્રહ પુસ્તકાકારે પ્રગટ થયો છે
*કલાસાધના*

કાર્ટૂનિસ્ટ-ચિત્રકાર શ્રી બંસીલાલ વર્માનો જન્મ કયા ગામમાં થયો હતો
*ચોટીલા*

શ્રી બંસીલાલ વર્માના વ્યંગચિત્રો ચિત્રો જોઈને કોણે કહ્યું હતું કે "શબ્દ કરતાં ચિત્રોનો અવાજ દૂર સુધી પહોંચે છે."
*ગાંધીજીએ*

ઈ.સ.1942 થી 1945 દરમિયાન ભારત છોડો આંદોલનમાં કોને અંગ્રેજ સરકાર વિરુદ્ધ કટાક્ષચિત્રો બનાવી સરકારને હચમચાવી મૂકી
*શ્રી બંસીલાલ વર્મા*

જન્મભૂમિ રજતજયંતિ પ્રસંગે બંસીલાલ વર્માએ શ્રી રાજાજીનું દોરેલું કેરીકેચર (ઠઠ્ઠાચિત્ર-હાસ્યજનક) જોઈને કોને કહ્યું હતું કે તેમણે જોયેલા સર્વોત્તમ કાર્ટુનોમાનું તે એક હતું
*જવાહરલાલ નહેરુ*

ઇ.સ.1997માં આઝાદીના સુવર્ણજયંતી વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બંસીલાલ વર્માને કયા એવોર્ડથી સન્માનિત કર્યા હતા
*'નગરભૂષણ'*

બંસીલાલ વર્માએ 'વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન'ની સ્થાપના ક્યારે કરી હતી
*ઇ.સ.1994*

ચિત્રકાર શ્રી જશુભાઈ નાયકનો જન્મ કયા ગામમાં થયો હતો
*મોહનપુર ગામમાં (વલસાડ)*

ઇ.સ.1978માં 'રૂપદા' દક્ષિણ ગુજરાત કલાવૃંદ તથા ઇ.સ.2006માં 'ગુજરાત કલા પ્રતિષ્ઠન' ની સ્થાપના કોણે કરી હતી
*શ્રી જશુભાઈ નાયક*

શ્રી જશુભાઈ નાયક કયા નામે જાણીતા બન્યા છે
*પોટ્રેટના રાજા*

શ્રી ખોડીદાસ પરમારનો જન્મ ક્યાં થયો હતો
*ભાવનગર*

'ધરતીના ચિત્રકાર' કે 'લોકકલાના ઉપાસક' તરીકે કયા ચિત્રકાર જાણીતા છે
*ખોડીદાસ પરમાર ('ધરતીનો ચિત્રકાર' પુસ્તક આપ્યું છે)*

"કલાનો જીવન સાથે ભીતરનો સંબંધ છે." એવું કયા ચિત્રકારે કહ્યું છે
*શ્રી નટુભાઈ પરીખ*

"શ્રી ખોડીદાસભાઈએ સૌરાષ્ટ્રની લોકકલાનું તેજ પારખ્યું છે." એવું કોણે કહ્યું છે
*શ્રી રવિશંકર રાવળ*

શ્રી નટુભાઈ પરીખનો જન્મ કયાં થયો હતો
*બાંધણી ગામ (જી.ખેડા)*

ગુજરાતના કલાજગતમાં 'સુદામા' તરીકે કોણ ઓળખાય છે
*શ્રી કનૈયાલાલ યાદવ*

શ્રી કનૈયાલાલ યાદવનો જન્મ કયા ગામમાં થયો હતો
*રતલામ*

શ્રી બંસીલાલ વર્માનું ઉપનામ
*'ચકોર'*


💥રણધીર ખાંટ💥
ભારતે બંધારણનો સ્વીકાર ક્યારે કર્યો
*26 નવેમ્બર,1949*

સંપૂર્ણ બંધારણ ભારતમાં ક્યારથી લાગુ કરવામાં આવ્યું
*26 જાન્યુઆરી,1950*

ભારતીય બંધારણના પિતા કોણે માનવામાં આવે છે
*ડૉ. બી.આર. આંબેડકર*

ગણરાજયનો અર્થ શું થાય
*રાષ્ટ્રના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાશે તે વંશપરંપરાગત નહિ.*

જ્યારે બંધારણ લાગુ થયું ત્યારે તેમાં કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટ હતા
*395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ*

પહેલીવાર બંધારણસભાની કલ્પના કઈ પાર્ટીએ રજૂ કરી હતી
*સ્વરાજ પાર્ટીએ ઇ.સ.1935માં*

મુસ્લિમ લીગના ખસ્યા પછી બંધારણ સભાન સભ્યોની સંખ્યા કેટલી રહી હતી
*299*

બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે થઈ હતી
*9 ડિસેમ્બર,1946*

બંધારણ ઘડવા માટે કેટલી કમિટીઓની રચના કરવામાં આવી હતી
*13*

પ્રથમ બેઠક દરમિયાન બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ કોને ચૂંટવામાં આવ્યા હતા
*ડૉ. સચ્ચિદાનંદ સિન્હા*

બંધારણ સભાની રચના કઈ યોજનાના પ્રસ્તાવો પ્રમાણે કરાઈ હતી
*કેબિનેટ મિશન યોજના*

રચાયેલ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોણી નિમણુક કરાઈ હતી
*ડો.રાજેન્દ્ર પ્રસાદ*

બંધારણ સભા દ્વારા બંધારણ નિર્માણમાં કેટલો સમય લાગ્યો હતો
*2 વર્ષ,11 મહિના,18 દિવસ*

બંધારણ સભાના બંધારણ સલાહકાર પદ પર કોની નિમણુક કરવામાં આવી હતી
*શ્રી બી.એન.રાવની*

જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરી બંધારણ નિર્માણનું કાર્ય ક્યારે શરૂ થયું હતું
*13 ડિસેમ્બર,1946*

1947ના ઓગસ્ટમાં રચેલ ડ્રાફટીંગ કમિટીના અધ્યક્ષ કોણ હતું
*ડૉ. બી.આર. આંબેડકર*

બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે થઈ
*24 નવેમ્બર,1949*

બંધારણને લાગુ કરવા માટે 26 જાન્યુઆરીનો દિવસ શા માટે નક્કી કરાયો
*કારણ કે આ દિવસે કોંગ્રેસે 1930માં તેને આઝાદી દિવસ તરીકે ઉજવ્યો હતો.*

ભારતીય બંધારણ કેટલા ભાગોમાં વિભાજીત છે
*22*


💥રણધીર ખાંટ💥
શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી
*ગુરુ નાનકે*

સતીપ્રથા, પડદા પ્રથાની વિરુદ્ધ કયા શીખ ગુરુએ આંદોલન કર્યું હતું
*ગુરુ આગદ*

ઇ.સ.1577માં અમૃતસરની સ્થાપના કયા શીખ ગુરુએ કરી હતી
*ગુરુ રામદાસ*

ગુરુ રામદાસને અમૃતસરની સ્થાપના કરવા માટે કોને જમીન આપી હતી
*અકબરે*

સુવર્ણ મંદિર બનાવનાર અને 'આદિ ગ્રંથ'ની રચના કરનાર શીખ ગુરુ
*ગુરુ અર્જુનદેવ*

જુઝારુ સંપ્રદાય બનાવનાર,અકાલ તખ્તની સ્થાપના કરનાર તથા અમૃતસરની કિલ્લાબંધી કયા શીખ ગુરુએ કરી હતી
*ગુરુ હરગોવિંદ*

ખાલસા પંથની સ્થાપના કયા શીખ ગુરુએ કરી હતી
*ગુરુ ગોવિંદસિંહ*

ઇ.સ.1799માં લાહોરને જીતીને કોણે રાજધાની બનાવી હતી
*મહારાજા રણજીતસિંહ*


જહાંગીરે શીખ ધર્મના કયા ગુરુને ફાંસી પર લટકાવી દીધા હતા
*ગુરુ અર્જુનદેવને*

ઇસ્લામ ધર્મને ન સ્વીકારવાથી ઔરંગઝેબે કયા શીખ ધર્મના ગુરુને ફાંસી આપી હતી
*ગુરુ તેગ બહાદુર*


💥રણધીર ખાંટ💥

*બ્રિટિશ કાળની કેટલીક આર્થિક પ્રથાઓ*

*●દાદની પ્રથા:*
આ પ્રથાના અંતર્ગત બ્રિટિશ વેપારી ભારતીય ઉત્પાદકો,કારીગરો અને શિલ્પીઓને અગ્રિમ સંવિદા (પેશગી) ના રૂપમાં રૂપિયા આપી દેતા હતા.

*●ત્રણ કાઠિયા પ્રથા:*
આ પ્રથાના અંતર્ગત ચંપારણ્ય (બિહાર)ના ખેડૂતોને પોતાના અંગ્રેજ માલિકોના કરાર મુજબ પોતાની જમીનની નજીક 3/20 પર નીલની ખેતી કરવી આવશ્યક હતી.

*●કમિયૌટી પ્રથા:*
બિહાર ઉપરાંત ઓરિસ્સામાં પ્રચલિત આ પ્રથાના અંતર્ગત કૃષિદાસના રૂપમાં ખેતી કરનાર કમિયા જાતિના લોકો પોતાના માલિકો દ્વારા લોન પર આપવામાં આવતી વ્યાજની રકમના બદલામાં જીવનભર એમની સેવા કરતા હતા.

*●દુબલા હાલી પ્રથા:*
ભારતના પશ્ચિમ ક્ષેત્ર, મુખ્યત્વે સુરતમાં પ્રચલિત આ પ્રથાના અંતર્ગત દુબલા હાલી ભૂ-દાસ પોતાના માલિકોને જ પોતાની સંપત્તિનો અને પોતાના સંરક્ષક માનતા હતા.


💥રણધીર ખાંટ💥

તાપમાન માપવા માટે ત્રણ પ્રણાલીઓ-સેલ્શિયશ સ્કેલ, ફેરનહીટ સ્કેલ અને કેલ્વિન સ્કેલ ઉપયોગમાં લેવાય છે.

સેલ્શિયસ સ્કેલની શોધ ઇ.સ. 1742માં સ્વિડિશ ભૌતિક અને ખગોળ વિજ્ઞાની ઍન્ડર્સ સેલ્શિયસે કરી હતી.

ફેરનહીટ સ્કેલની શોધ જર્મનીમાં જન્મેલા વૈજ્ઞાનિક ગ્રોબિલ ડેનિયલ ફેરનહાઈટે લગભગ ઇ.સ. 1715માં કરી હતી.

કેલ્વિન સ્કેલને લાવવાનું કાર્ય બ્રિટિશ ભૌતિક વૈજ્ઞાનિક વિલિયમ થોમ્પસન કેલ્વિને કર્યું.


💥રણધીર ખાંટ💥
નર્મદને 'આજીવન યોદ્ધા' તરીકે કોને કહ્યું છે
*શ્રી વિશ્વનાથ ભટ્ટ*

નર્મદે કયા શબ્દને પોતાના જીવનમંત્ર તરીકે અપનાવ્યો હતો
*પ્રેમશૌર્ય*

ગોવર્ધનરામ ત્રિપાઠીએ કોની પાસેથી સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો
*તેમના કાકા પંડિત મનસુખરામ ત્રિપાઠી પાસેથી*

ગોવર્ધનરામ ત્રિપાઠીએ ક્યાંના અંગત મંત્રી તરીકે કામ કર્યું હતું
*ભાવનગરના દીવાન શામળદાસના*

'શિક્ષાશતક' અને 'આત્મનિમજજન' આ બે કાવ્યસંગ્રહ કોણે આપ્યા છે
*મણિલાલ નભુભાઈ દ્વિવેદી*

ન્હાનાલાલના ગુરુ કોણ હતા
*કાશીરામ સેવકરામ દવે*

મણીશંકર રત્નજી ભટ્ટે 'કાન્ત' કયો ધર્મ ગ્રહણ કર્યો હતો
*ખ્રિસ્તી*

કવિ કાન્તનું અવસાન કઈ રીતે થયું હતું
*કાશ્મીરના પ્રવાસથી પાછા ફરતા ટ્રેનમાં*

મુંબઈ યુનિવર્સિટીનું ભાજી દાઉ પારિતોષિક મેળવનાર પહેલા ગુજરાતી કોણ હતા
*નરસિંહરાવ*

ન્હાનાલાલે કોણે ઉદ્દેશીને 'ગુરુદેવ' કાવ્ય લખ્યું છે
*પ્રો.કાશીરામ દવે*

ગુજરાતના કયા સાહિત્યકારે હૈદરાબાદના પોલિટિકલ એજન્ટ તરીકે સેવાઓ બજાવેલ છે
* કનૈયાલાલ મુનશી*

કાકાસાહેબ કાલેલકર કોની સાથે હિમાલયના પ્રવાસે ગયા હતા
*અનંતબુવા અને સ્વામી આનંદ*

કોલકાતાના એલ્યુમિનિયમના કારખાનામાં મેનેજરની નોકરી કોને કરી હતી
*ઝવેરચંદ મેઘાણી*

ઝવેરચંદ મેઘાણીની 'સૌરાષ્ટ્રની રસધાર' કેટલા ભાગમાં વહેંચાયેલી છે
*પાંચ*

બળવંતરાય ઠાકોરે ઉપનામ 'સેહની' ધારણ કર્યું હતું. કારણ કે.....
*પિતામહની અટક સેહની હતી.*

ત્રિભોવનદાસ પુરુષોત્તમ લુહાર 'સુંદરમ'ની કયા કાવ્યસંગ્રહથી તેઓ વિદ્રોહી યુવા Angry Young Man ની મુદ્રા વર્તાય છે
*'કોયા ભગતની કડવી વાણી'*

'ભીંત ફાટીને ઊગ્યો પીંપળો' કયા ગુજરાતી સર્જક માટે વપરાય છે
*પન્નાલાલ પટેલ*

'પન્નાલાલ એ સાહિત્ય જગતનો ચમત્કાર છે' એવું કોણે કહ્યું છે
*સુંદરમ*

પન્નાલાલ પટેલની કઈ કૃતિના સાત ભાગ એમના જીવન ચરિત્ર પર આધારિત છે
*જિંદગી-સંજીવની*

રાવજી પટેલ એમના કયા ગુજરાતી શિક્ષક પાસેથી કવિતા,છંદ,અલંકાર વગેરે શીખ્યા હતા
*અમુભાઈ પંડ્યા*

રાવજી પટેલને કયો રોગ થયો હતો જે તેમના અવસાનનું કારણ બન્યું
*ક્ષય*


💥રણધીર ખાંટ💥
*🌈ગુજરાત🌈*

દેશી રજવાડાંઓનાં વિલીનીકરણ સમયે કયા રાજાએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું
*ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ*

ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ક્યાં આવેલું છે
*ભાવનગર*

જામરાવળે ક્યારે નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે
*ઈ.સ.1540માં*

ગુજરાતની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે
*જામનગર જિલ્લાના સિક્કામાં*

જામનગરની કઈ વસ્તુઓ વિશ્વભરમાં જાણીતી છે
*કંકુ,મેશ અને બાંધણી*

જામનગર અને પોરબંદર સરહદ પર આવેલો બરડો ડુંગર સરકાર પાસે ઈજરાશાહીએ કોણે માંગેલો
*ઝંડુ ભટ્ટજીએ*

જામનગર જિલ્લાના બાલા હનુમાન મંદિરમાં કયા વર્ષથી સતત રામધૂન ચાલે છે
*1964થી*

સહજાનંદ સ્વામીએ જૂનાગઢના કયા ગામે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી
*લોજ ગામે*

અમરેલી જિલ્લાના કે.લાલ જાદુગરનું સાચું નામ શું છે
*કાંતિલાલ વોરા*

પોરબંદરનો કયો પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે
*ઘેડ પ્રદેશ*

સફેદ સિમેન્ટ માટે જાણીતી હિમાલયા સિમેન્ટ ઈન્ડસ્ટ્રી ક્યાં આવેલી છે
*રાણાવાવ (પોરબંદર)*

ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ પ્રમાણમાં ટાપુઓ ધરાવતો દરિયા કિનારો મળેલો છે
*દેવભૂમિ દ્વારકા*

બાર જ્યોતિર્લિંગો પૈકી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે
*દ્વારકા*

મેંગલોરી નળિયા બનાવવા માટે કયું શહેર જાણીતું છે
*મોરબી*

સુરત બંદરને મોગલ શાસન સમયે મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવતું હતું. જેનો અન્ય કયા નામથી પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો
*બંદ મુબારક,મક્કા-એ-બંદર, બાબુલ મક્કા અને મક્કાબારી તરીકે*

સુરતને 'ડાયમંડ સિટી' તેમજ _____ તરીકે પણ ઓળખવામાં આવે છે
*દિલબહાર નગરી*

ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું
*બારડોલી*

ભરૂચનું પ્રાચીન નામ શું હતું
*ભૃગુતીર્થ*

ભરૂચ જિલ્લાના કયા ગામે સાસુ અને વહુના દેરા આવેલા છે
*જંબુસર તાલુકાના કાવી ગામે*

અમદાવાદથી શરૂ થયેલ દાંડીના રૂટને દાંડી હેરિટેજ રૂટ જાહેર કરવામાં આવ્યો છે જેને કયો નેશનલ હાઈ-વે નંબર અપાયો છે
*228(નવો હાઈ-વે નંબર-64)*

ગુજરાતના કયા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે
*નર્મદા*

ડાંગ જિલ્લાની કઈ ચિત્રકલા જાણીતી છે
*વરલી*

કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો ક્યાં જોવા મળે છે
*વ્યારામાં (તાપી જિલ્લો)*

તાપી જિલ્લાનું કયું ગામ સહકારી મંડળીની પ્રવૃતિઓ માટે જાણીતું છે
*વાલોદ*

તાપી જિલ્લામાં પિલજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો ક્યાં આવેલો છે
*સોનગઢ*

પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ વલસાડ જિલ્લાના કયા ગામમાં થયો હતો
*ભાદેલી*

દાંડીકૂચ પશ્ચાત ધરાસણા સત્યાગ્રહ કયા જિલ્લામાં થયો હતો
*વલસાડ*

દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે
*વલસાડ*

ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે કયા ગામની ગણના થાય છે
*ઉમરગામ*

ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ક્યાં આવેલી છે
*ભીલાડ આર.ટી.ઓ. (વલસાડ)*


💥રણધીર ખાંટ💥
શબ્દસમૂહ માટે એક શબ્દનો ઉપયોગ કરવાથી કઈ બાબતમાં શબ્દોની ભારે કરકસર થઈ શકે છે
*લખવા/બોલવામાં*

'શબ્દસમૂહ માટે એક શબ્દ' વાપરવો તેને વ્યાકરણની ભાષામાં કેવો શબ્દ કહેવાય
*સામાસિક*

શબ્દસમૂહને બદલે સામાસિક શબ્દ વાપરવાથી ભાષાની અભિવ્યક્તિમાં શું આવે છે
*લાઘવ*

શબ્દસમૂહને બદલે સામાસિક શબ્દ વાપરવાથી શાનો બચાવ થાય છે
*સમય/શક્તિનો*

શબ્દસમૂહ માટે એક શબ્દ વાપરવાથી શાની સ્પષ્ટતા વધુ અસરકારક બને છે
*અર્થની*

સામાસિક શબ્દનો પ્રયોગ કરવાથી ભાવોની અભિવ્યક્તિ કેવી બને છે
*સઘન*


💥💥