સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
્રેષ્ઠ ફિલ 'રેવા' ધ્રુવ ભટ્ટની કઈ નવલકથા પર આધારિત બની છે
*A. તત્વમસિ*
B. સમુદ્વાન્તિકે
C. અકૂપાર
D. અતરાપી

●ગુજરાતી પત્રકાર અને કટાર લેખક કાંતિ ભટ્ટનું હુલામણું નામ શું હતું
A. ચકોર
*B. બચુ*
C. ઘનશ્યામ
D. ચેતન

●ભારતની કઈ એથ્લેટીક્સ 'ધીંગ એક્સપ્રેસ' તરીકે ઓળખાય છે
A. પી.ટી.ઉષા
B. સરિતા ગાયકવાડ
*C. હિમાદાસ*
D. દૂતીચંદ

●કયા વેદમાં 'સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિ'નો ઉલ્લેખ જોવા મળે છે
A. અથર્વવેદ
B. સામવેદ
C. યજુર્વેદ
*D. ઋગ્વેદ*

●'નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન' આ પંક્તિના રચયિતા કોણ છે
A. કલાપી
*B. બ.ક.ઠાકોર*
C. સુન્દરમ્
D. નરસિંહ દિવેટિયા

●ગુજરાતમાં ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે
*A. બનાસકાંઠા*
B. સાબરકાંઠા
C. અરવલ્લી
D. દાહોદ

💥રણધીર💥
*🌊વર્તમાનમાં ગુજરાતના કુલ 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. જે નીચે મુજબ છે :-🌊*
1. કચ્છ
2. મોરબી
3. જામનગર
4. દેવભૂમિ દ્વારકા
5. પોરબંદર
6. જૂનાગઢ
7. ગીર સોમનાથ
8. અમરેલી
9. ભાવનગર
10. અમદાવાદ
11. આણંદ
12. ભરૂચ
13. સુરત
14. નવસારી
15. વલસાડ
●ગુજરાતમાં નાની-મોટી 185 નદીઓ આવેલી છે.

●ભૂપૃષ્ઠ અને આબોહવા જેવી ભૌગોલિક વિશિષ્ટતાઓના કારણે ગુજરાતના નદી તંત્રને ત્રણ ભાગમાં વહેંચી શકાય.

1.કચ્છનું નદીતંત્ર, 2.સૌરાષ્ટ્રનું નદીતંત્ર, 3.તળગુજરાતનું નદીતંત્ર

નદીતંત્રના પ્રકારો મુજબ કચ્છનું નદીતંત્ર- *શુષ્ક નદીતંત્ર*

સૌરાષ્ટ્રનું નદીતંત્ર- *અપકેન્દ્રીય / ત્રિજ્યાકાર નદીતંત્ર*

તળગુજરાતનું નદીતંત્ર- *વૃક્ષાકાર / પાદયાકાર નદીતંત્ર*

કચ્છમાં નાની-મોટી લગભગ 97 જેટલી નદીઓ છે.

💥રણધીર💥
*◆અલ્લાહ બંધ :-*

આ કોઈ નદી ઉપરનો બંધ નથી. ઇ.સ.1819માં કચ્છમાં આવેલા ભૂકંપના કારણે સુનામીના મોજાં ઉત્પન્ન થયાં. દરમિયાન ભૂકંપના ભૂસંચલનના કારણે ધરતી પરનો કેટલોક ભાગ ઊપસી આવ્યો, જેના પર લોકોએ શરણ લેતાં સુનામીથી તેમનો બચાવ થયો. અલ્લાહે બચાવ માટે આ ટેકરાનું નિર્માણ કર્યું. એ ઉપરથી આ ઉપસેલા ભાગને અલ્લાહ બંધ કહેવાય છે.

*◆સૂરજબારી બંધ :-*

કચ્છના નાના રણને અટકાવવા માટે ગાંડા બાવળનો ઉછેર કર્યો તથા તેને દૂરથી જોતા બંધ જેવો લાગે છે.

💥રણધીર💥
*🌪પાછા ફરતા મોસમી પવનોની ઋતુ:-🌪*

ઓક્ટોબર-નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખાય છે.
ચોમાસાની ઋતુ દરમિયાન નૈઋત્યના ભેજવાળા પવનો અરબ સાગર પરથી પ્રવેશતા હોય છે. તે વાતાવરણની દબાણની પરિસ્થિતિ બદલાતા જમીન પરથી સમુદ્ર તરફ પાછા ફરવા લાગે છે.

💥રણધીર💥
*🏜જમીનના ઘટકો🏜*

હવા - 25%
ભેજ - 25%
સેન્દ્રીય પદાર્થ - 5%
ખનીજ, ચીકણી માટી, ઝીણી રેતી, મોટી રેતી - 45%

*◆યાદ રાખો:-*

ખેતીની જમીનમાં સેન્દ્રીય પદાર્થનું પ્રમાણ - 5%

ખેતીની જમીનમાં ખનીજ પદાર્થનું પ્રમાણ - 45%

કાળી જમીનમાં ચીકણી માટીનું પ્રમાણ - 60-70%

સૌથી વધુ સેન્દ્રીય પદાર્થ - જંગલની જમીનમાં

રેતાળ જમીનમાં છિદ્રાવકાશ સૌથી વધુ હોય છે.

જમીનનો નમૂનો લેવા કયું ઓજાર વપરાય છે ? - ઓગર

સૌથી વધુ ભેજ ધારણ શક્તિ - માટીયાળ જમીનમાં

ઊંડા મૂળવાળા પાક માટે જમીનનો નમૂનો કેટલી લંબાઈ - 15 થી 25 સે.મી.

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*~🗞Date:-03/01/2020🗞~*

*📝3 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*મહાનાયિકા : સાવિત્રીબાઈ ફૂલે*
*જન્મ:-* 3 જાન્યુઆરી, 1831, મહારાષ્ટ્રના નયગાંવમાં
*નિધન:-* 10 માર્ચ, 1897
19મા સૈકાના મહાનાયિકા, ભારતમાં પહેલી પેઢીના નારીવાદી કર્મશીલ અને મરાઠીના આદ્ય કવયિત્રી
તેમના લગ્ન 9 વર્ષની વયે જોતિબા ફૂલે સાથે થયા હતા
જોતિબા ફૂલેએ 1848માં પોતે સ્થાપેલી શાળામાં શિક્ષિકા તરીકે પણ સાવિત્રીબાઈને નિયુક્ત કર્યા હતા. પણ તે જમાનામાં શિક્ષિકા સાવિત્રીબાઈની સફર સહેલી ન હતી.ઘરથી શાળાએ જતા તેમના પર રૂઢિચુસ્તો, છાણ-મળ-મૂત્ર વગેરે ફેંકતા.તેમને જવાબ આપવા તેઓ બે સાડીઓ રાખતા જેથી એક સાડી ખરાબ થાય તો શાળાએ જઈ બીજી પહેરી શકાય.
આ સંઘર્ષ યાત્રાએ સાવિત્રીબાઈને સુધારક બનાવ્યા.પતિનાં સધિયારામાં બાળલગ્ન, વિધવાઓની કફોડી સ્થિતિ, વિધવા વિવાહની મનાઈ, અસ્પૃશ્યતા વગેરે જેવા લિંગ અને જ્ઞાતિને આધારે ચાલતા સામાજિક દુષણો વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો.
વિધવાઓએ ફરજિયાત માથું મુંડાવવા જેવી કુરીતિઓ વિરુદ્ધ તો તેઓએ હજામો સામે પણ આંદોલન કર્યું હતું.

આજે ભારતની આઝાદીનો માર્ગ મોકળો કરનાર ક્લેમેન્ટ એટલીનો પણ જન્મ દિવસ છે.

આજે સાહિત્યકાર વેણીભાઈ પુરોહિત અને સ્વતંત્રતા સેનાની સુશીલાબેન નાયરની પુણ્યતિથિ છે.



●રેલવે સંબંધી તમામ કામ માટે હવે કયો એક જ હેલ્પલાઇન નંબર
*139*

●ચીનમાં દુનિયાની પ્રથમ ડ્રાઈવરલેસ હાઈસ્પીડ સ્માર્ટ ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડી
*બેઇજિંગ અને ઝાંગજિયાકો*

●ગુજરાતની 54.9% મહિલાઓ એનિમિયાથી પીડાય છે.દેશભરમાં ગુજરાત કેટલામાં સ્થાને છે
*13મા*
*ડાંગમાં સૌથી વધુ 72.3%*
*સુરતમાં સૌથી ઓછું 39%*
*રક્તકણોમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઉંમર પ્રમાણે ખૂબ જ ઓછું હોય તેને એનિમિયા કહેવામાં આવે છે*

●ગુજરાતની પ્રથમ સરકારી સ્માર્ટ સ્કૂલ ક્યાં બનાવાઈ
*અમદાવાદમાં કાંકરિયા ખાતે*

●ભારતીય મહિલા હોકી ટીમની પૂર્વ કેપ્ટન જેમને હાલમાં નિવૃત્તિ લીધી
*સુનીતા લકડા*

●યુનિસેફનો અહેવાલ : વિશ્વભરમાં નવા વર્ષના પ્રારંભે 4 લાખ બાળકો જન્મ્યા. સૌથી વધુ ભારતમાં 67,385 બાળકો જન્મ્યા, વિશ્વવિક્રમ

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
ભૂકંપ વિશેનું વિજ્ઞાન *સિસ્મોલોજી*

ભૂકંપ માપવાનું સાધન *સિસ્મોગ્રાફ*

ભૂકંપનું માપન *રિક્ટરસ્કેલ*

ભૂકંપનો વ્યાસ માપવા માટે *મરક્યુરી સ્કેલ*

ભૂકંપની લહેરો ત્રણ પ્રકારની છે:-
1.પ્રાથમિક લહેરો (P-Waves)
2.સેકન્ડરી લહેરો (S-Waves)
3.લંબગત લહેરો (L-Waves)

💥રણધીર💥
*ઉચ્ચપ્રદેશોના પ્રકારો*

◆અંતરાપર્વતીય :
બે પર્વતોની વચ્ચે આવેલા

◆પર્વતપદીય :
પર્વત અને મેદાન વચ્ચે આવેલા

◆તટીય :
સમુદ્રના કિનારાના ભાગના

◆મહાદ્વિપીય :
ઘસારણના કારણે બનેલા

◆ગુંબદાકાર :
પ્લેટોની હલન-ચલનના કારણે જમીનનો ભાગ ઉપસી આવે તે

*ઘસારણથી રચાયેલા મેદાનો*

●લોએસ :
જમીનના ઘસારાથી રચાયેલ

●કાર્સ્ટ :
ચૂનાના પથ્થરના ઘસારાથી રચાયેલ

●સમપ્રાય :
સમુદ્ર કિનારાના મેદાનો

●ગ્લેશિયર્સ :
હિમ નદીઓ દ્વારા રચાયેલા મેદાનો

●રણપ્રદેશ :
રેતીના કણોથી રચાયેલા મેદાનો

💥રણધીર💥
*વાતાવરણમાં રહેલા અગત્યના વાયુઓનું પ્રમાણ*

★નાઇટ્રોજન - 78%

★ઓક્સિજન - 21%

★ઓર્ગોન - 0.93%

★કાર્બન ડાયોક્સાઇડ - 0.03%

💥રણધીર💥
*વિશ્વના જાણીતા ઉષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો :*
બન્ની : કચ્છ (ભારત)
સહારા : ઉત્તર-મધ્ય અમેરિકા
કમ્પાઝ : બ્રાઝીલ
લાનોસ : વેનેઝુએલા (દક્ષિણ આફ્રિકા)

*વિશ્વના જાણીતા સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો :*

પ્રેયરી : યુ.એસ.એ., કેનેડા
પમ્પાસ : આર્જેન્ટિના
વેલ્ડ : દક્ષિણ આફ્રિકા
ડાઉન્સ : ઓસ્ટ્રેલિયા
સ્ટેપી : એશિયા

ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે
*અરવલ્લી*

ભારતની સૌથી યુવા પર્વતમાળા કઈ છે
*હિમાલય*

💥રણધીર💥
*વાતાવરણમાં અગત્યના સ્તરો નીચેથી ઉપર ચડતા ક્રમમાં*

1.ક્ષોભાવરણ 16 થી 18 કિમી.

2.સમતાપ આવરણ 18 થી 35 કિમી.

3. મધ્ય આવરણ 80 કિમી.

4. આયનાવરણ 200 કિમી.

5. બાહ્યાવરણ 400 કિમી. થી 800 કિમી.

*ઈગ્લુ, જ્યુપીક, ઉમીયાક શું છે*

*ઈગ્લુ:-* એસ્કિમો લોકો શિયાળામાં બરફના ઘરમાં રહેતા હોય છે તેને ઈગ્લુ તરીકે ઓળખવામાં આવે છે.

*જ્યુપીક:-* એસ્કિમો લોકો ઉનાળામાં ચામડાના તંબુમાં રહે છે. જેને જ્યુપીક કહે છે.

*ઉમીયાક:-* એસ્કિમો લોકો શિકાર કરવા માટે જે હોડી અથવા ગાડીનો ઉપયોગ કરે છે તેને ઉમીયાક કહે છે.

💥રણધીર💥
*🕳કોલસાના પ્રકારો અને તેમાં કાર્બનનું પ્રમાણ🕳*

*🕳શોર્ટ ટ્રીક : એબીલીપી🕳*

*1. એન્થ્રેસાઈટ :-* 90% થી પણ વધુ કાર્બન.

*2. બીટુમીન્સ:-* 60-90% કાર્બન.

*3.લિગ્નાઈટ:-* 40-60% કાર્બન.

*4.પીટ:-* 40% થી પણ ઓછું કાર્બન.

💥💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-04/01/2019~*

*📝4 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*લુઈ બ્રેઈલ*
*જન્મ:-* 04/01/1809, કુપ્રે ગામમાં (ફ્રાન્સ)
*નિધન:-* 06/01/1951
ફ્રાન્સના શિક્ષણશાસ્ત્રી અને સંશોધક હતા.
બાળવયે પિતાની લોઢાની અણીદાર આર લઈને રમતાં- રમતાં અકસ્માતે એની આર એમની આંખમાં ભોંકાઈ અને એક આંખ ફૂટી ગઈ. ચેપને લીધે બીજી આંખ પણ જતી રહી. તેથી ચાર વર્ષની નાની વયે તેઓ સંપૂર્ણ અંધ બની ગયા.
પેરિસની અંધ શાળામાં દાખલ થયા અને શિક્ષણ પૂરું કર્યું. એ પછી એ જ શાળામાં શિક્ષક બન્યા.
1829માં તેમણે પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેઈલ લિપિ વિકસાવી.તેમણે શોધેલી આ પદ્ધતિ વિશ્વભરમાં 'બ્રેઈલ' તરીકે જાણીતી થઈ.આ લિપિ માત્ર છ ટપકાં પર જ રચાયેલી છે.
તેઓ ઉત્તમ પ્રકારના સંગીતકાર પણ હતા અને પેરિસના સર્વશ્રેષ્ઠ ઓર્ગેનિસ્ટોમાં તેમની ગણના થતી હતી.આમ, લૂઈ બ્રેઈલ પ્રજ્ઞાચક્ષુઓ માટે આંખ બન્યા.


*ગાંધીવાદી અર્થશાસ્ત્રી : જે.સી.કુમારાપ્પા*
*મૂળ નામ:-* જોસેફ ચેલાદુરાઈ કોર્નેલિયસ કુમારાપ્પા
*જન્મ:-* 4 જાન્યુઆરી, 1892, તમિલનાડુના થન્જાવુરમાં ઈસાઈ પરિવારમાં
*નિધન:-* 30 જાન્યુઆરી, 1960
અર્થશાસ્ત્ર અને ચાર્ટર એકાઉન્ટસીના ઉચ્ચ અભ્યાસ માટે બ્રિટન ગયા.
સમયાંતરે ભારતના આર્થિક પ્રવાહો વિશે લેખો લખવાનું ચાલુ કર્યું.
1928માં અમેરિકાની સિરાક્સ અને કોલમ્બિયા યુનિવર્સિટીઓમાં બિઝનેસ મેનેજમેન્ટ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો.
1929માં મહાત્મા ગાંધીના પ્રભાવમાં ગ્રામોદ્યોગ, ગ્રામ સ્વરાજ, ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત વગેરેના ચુસ્ત સમર્થક બન્યા.
ગૂજરાત વિદ્યાપીઠમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે પણ કામ કર્યું હતું.

આજે સર આઈઝેક ન્યૂટન, અભિનેત્રી નિરૂપા રોયનો પણ જન્મદિન છે.

આજે ગોવર્ધનરામ ત્રિપાઠી અને ઉપેન્દ્ર ત્રિવેદીની પુણ્યતિથિ છે.



●અમેરિકી હુમલામાં ઈરાની સેનાના ઇરાનિયન રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ કુદ્સ ફોર્સના જનરલ જેમનું મોત થયુ તેમનું નામ શું
*કાસીમ સુલેમાની*

●રાજસ્થાનમાં નાગોરના પાંચલા સિદ્ધા ગામમાં કયો આંતરરાષ્ટ્રીય ઉત્સવ ચાલી રહ્યો છે
*માં*

●તાજેતરમાં જાહેર થયેલા FSI રિપોર્ટ પ્રમાણે ભારતમાં સૌથી વિશાળ વનવિસ્તાર કયા રાજયમાં આવેલો છે
*મધ્યપ્રદેશ*

●એસડીજી સુચકાંક 2019-20માં ભારતનો સ્કોર કેટલો છે
*60*
*એસડીજીનું ફૂલ ફોર્મ :- સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ*
*તે યુએન દ્વારા નક્કી કરવામાં આવે છે અને તમામ સભ્ય દેશોએ અનુસરવાના થાય છે.*

●કયા રાજયમાં ધાનુ જાત્રા મહોત્સવનો પ્રારંભ થયો હતો
*ઓડિશા*
*ધાનુ જાત્રા સૌથી મોટું ઓપન એર થિએટ્રીકલ પર્ફોમન્સ છે.*
*ઓડિશાના બારાગઢ શહેરમાં 8 કિલોમીટરની ત્રિજ્યામાં આ નાટય આધારિત મહોત્સવ ઉજવવામાં આવે છે*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*🍾વ્હિસ્કી, વાઈન, બીયર, જીન, શેમ્પેઈન, ફેની, શેડર, વોડકા અને સ્કોચ વચ્ચેનો તફાવત🍷🍻*

*🍷વ્હિસ્કી:-* ઘઉં, જવ, જુવારમાંથી બને છે. કડવી હોય છે. ઓલ્કોહોલનું પ્રમાણ 34-40% હોય છે.

*🍷વાઈન:-* દ્રાક્ષમાંથી બને છે. સ્વાદમાં તુરી હોય છે. આલ્કોહોલનું પ્રમાણ 40 થી 45% હોય છે.

*🍷બીયર:-* જવમાંથી બને છે. આલ્કોહોલનું પ્રમાણ 5% હોય છે.

*🍷જીન:-* લેડી ડ્રિન્ક, દેખાવમાં પાણી જેવું હોય છે. દુર્ગંધ રહિત હોય છે.

*🍷શેમ્પેઈન:-* ફ્રાન્સમાં આવેલો વિસ્તાર છે.જ્યાંની દ્રાક્ષમાંથી આ પીણું બને છે. મોંઘુ હોય છે.

*🍷રોડર:-* કેનેડામાં સફરજનમાંથી બને છે.

*🍷ફેની:-* કાજુમાંથી બને છે.

*🍷વોડકા:-* ફ્રાન્સમાં બને છે. પાણી જેવું હોય છે.

*🍷સ્કોચ:-* ઘઉંમાંથી બને છે.

💥R.K.💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-05-06/01/2020🗞👇🏻~*

*📝5 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ક્રાંતિવીર : બારિન્દ્રકુમાર ઘોષ*
*જન્મ:-* 5 જાન્યુઆરી, 1880 લંડનમાં પાસે કોયડનમાં
*નિધન:-* 18 એપ્રિલ, 1959
મહાન ક્રાંતિકારી અને અધ્યાત્મ પુરુષ શ્રી અરવિંદના નાના ભાઈ
શિક્ષણ દેવગઢ અને પટણામાં
1902માં ક્રાંતિકારી ગતિવિધિઓમાં ઝંપલાવનાર બારિન્દ્ર 1906માં 'યુગાંતર' પત્રના સ્થાપક બન્યા.
અંગ્રેજ અધિકારી કિંગ્સફોર્ડની હત્યાનું કાવતરું કે જે અલીપુર કાવતરા કેસ તરીકે જાણીતું છે તેમાં તેમની ધરપકડ થઈ પછી તે સજા જન્મટીપમાં ફેરવવામાં આવી.જે તેમણે અંદામાનની સેલ્યુલર જેલમાં કાપી અને 1920માં છૂટ્યા પછી પત્રકારત્વ શરૂ કર્યું.


*📝6 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*નાટ્યકાર : વિજય તેંડુલકર*
*જન્મ:-* 6 જાન્યુઆરી, 1928 મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં
*નિધન:-* 19 મે, 2008
તેમને 6 વર્ષની ઉંમરે પહેલી વાર્તા લખી હતી.
11 વર્ષની વયે પહેલું નાટક લખ્યું અને ભજવ્યું.
'ઘાસીરામ કોતવાલ'(6 હજારથી વધુ વખત ભજવાયેલું) નાટકની સફળતા પછી ભારતીય સાહિત્ય જગતમાં તેમનું નામ ગુંજતું રહ્યું.
સમયાંતરે ગિદ્ધે ગિદ્ધે, ઢાઈ પન્ને, શાતાતા ! કોર્ટ ચાલુ આહે, કમલા, કન્યાદાન જેવા અનેક નાટકો રચ્યાં.
અર્ધસત્ય, નિશાંત, આક્રોશ જેવી ફિલ્મોની પટકથા પણ લખી હતી.

આજે 'દિ પ્રોફેટ'ના સર્જક ખલિલ જિબ્રાનનો પણ જન્મ દિવસ છે.

આજે બ્રહ્મકુમાર ભટ્ટ, કવિ લાભશંકર ઠાકર, ભારતેન્દુ હરિશ્ચંદ્ર અને અમેરિકાના પૂર્વ પ્રમુખ થિયોડર રોઝવેલ્ટની પુણ્યતિથિ છે.


●ઈસરોનું અંતરિક્ષ માટે નવું કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું
*કર્ણાટક*

●અમેરિકાએ સુલેમાનીને મારી નાખવા કયું ડ્રોન વાપર્યું હતું
*એમ-ક્યુ રેપ્ટર ડ્રોન*
*આ ડ્રોન અમેરિકાની કંપની જનરલ એટોમિક્સ એરોનોટિક સિસ્ટમ (GAAS) દ્વારા તૈયાર કરાયેલું*

●વર્ષ 2020માં અમદાવાદમાં કેટલામો ફ્લાવર-શોનો પ્રારંભ થયો
*8મો*
*2013માં ફ્લાવર-શો નો પ્રારંભ થયો હતો*

●દુનિયાનું સૌથી મોટું ખીલેલું ફૂલ ક્યાંથી મળ્યું
*ઇન્ડોનેશિયાના સુમાત્રા આઇલેન્ડ પરથી*
*ફુલનું નામ:- રેફલિસિયા*
*વ્યાસ:- 4 ફૂટ*

● ભારતના પૂર્વ ઓલ રાઉન્ડર જેમને હાલમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી
*ઈરફાન પઠાણ*

●પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલશક્તિ પુરસ્કાર કોણે આપવામાં આવશે
*રાજસ્થાનના જયપુરના હદયેશ્વર ભાટીને*

●દક્ષિણ અમેરિકાનું સૌથી ઊંચું શિખર અકોંકાગોઆ હાલમાં ભારતની કઈ પર્વતારોહકે સર કર્યું
*હરિયાણાના હિસારના ફરીદપુર ગામની વિશ્વપ્રસિદ્ધ પર્વતારોહક અનિતા કુંડુંએ*

●જૂનાગઢના ભવનાથ તળેટીમાં કેટલામી અખિલ ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ
*35મી*

●નૌકાદળની 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' અને 'બિગ ડેટા લેબોરેટરી'નું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*જામનગર*

●ન્યૂઝીલેન્ડનો લિયો કાર્ટર એક ઓવરમાં છ છગ્ગા ફટકારનાર વિશ્વનો કેટલામો બેટ્સમેન બન્યો
*સાતમો*
*સુપર સ્મેશ ટી-20માં*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*🌳ભારત જંગલ સર્વેક્ષણ (FSI) : 2019 રિપોર્ટ અનુસાર👇🏻🌳*

ભારતના 20.40 ટકા જંગલો આગનું જોખમ ધરાવે છે.

2004 થી 2017 દરમિયાન જંગલોના કયા પ્રદેશો પર આગનું જોખમ હોય છે તે મુદ્દે અભ્યાસ મુજબ ઉત્તર-પૂર્વ પ્રદેશ અને મધ્ય ભારતના જંગલો પર આગનું સૌથી વધુ જોખમ છે.

આ પ્રદેશોના પ્રત્યેક રાજ્યોને નવેમ્બર 2018 થી જૂન 2019 દરમિયાન કુલ 29,547 ચેતવણી આપવામાં આવી છે. તે પૈકી મિઝોરમને સૌથી વધુ 2,795 ચેતવણી મળી. ઉત્તર-પૂર્વ પ્રદેશના સાત રાજ્યોને આ દરમિયાન કુલ આગ અંગે 10,210 વાર ચેતવણી અપાઈ હતી.

જંગલ અને વૃક્ષોથી લદાયેલા દેશના કુલ ભૂભાગમાં વર્ષ 2017ને મુકાબલે 5,188 ચો.કિ.મી. વિસ્તારનો વધારો થયો છે. ભારતનો કુલ જંગલ વિસ્તાર આ વધારાને કારણે 8,07,276 ચો.કિ.મી. થયો છે. દેશનો 24.39 ટકા ભૌગોલિક વિસ્તાર તેને પગલે જંગલ આચ્છાદિત થઈ ગયો છે.

વર્ષ 2009 પછી પૂર્વોત્તરનો 3,199 ચો.કિ.મી. વિસ્તાર ઘટ્યો છે.

અરુણાચલ પ્રદેશ વૃક્ષો, વનસ્પતિ અને ઔષધોને મોરચે દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય છે. તે પછીના ક્રમે તમિલનાડુ અને કર્ણાટક આવે છે.

FSFR અહેવાલ 2019 મુજબ જે પાંચ રાજ્યોમાં સૌથી વધુ જંગલ ક્ષેત્રનો વિસ્તાર થયો છે તેમાં કર્ણાટક (2015 ચો.કિ.મી.), આંધ્રપ્રદેશ, કેરળ (823 ચોકિમી.) જમ્મુ કાશ્મીર (371 ચોકિમી.) અને હિમાચલ પ્રદેશ (334 ચોકિમી.)નો સમાવેશ થાય છે.

જંગલ વિસ્તાર ક્ષેત્રફળની વાત કરવામાં આવે તો દેશમાં મધ્યપ્રદેશ મોખરે છે.તે પછીના ક્રમે અનુક્રમે અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને મહારાષ્ટ્ર આવે છે.

પોતાના રાજ્ય વિસ્તારના પ્રમાણમાં આવેલા જંગલ વિસ્તારના મુદ્દે મિઝોરમ મોખરે છે.અહીં 85.41 ટકા રાજ્ય વિસ્તારમાં જંગલો આવેલા છે. તે પછીના ક્રમે અરુણાચલ પ્રદેશ (79.63%), મેઘાલય (76.33%) અને નાગાલેન્ડ (75.31%) રહે છે.

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-07/01/2020🗞👇🏻~*

*📝7 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*સ્વતંત્રતા સૈનિક જાનકી દેવી બજાજ*
*જન્મ:-* 7 જાન્યુઆરી, 1893, મધ્યપ્રદેશના જાવરામાં વૈષ્ણવ પરિવારમાં
*નિધન:-* 21 મે, 1979
તેમના લગ્ન 8 વર્ષની વયે 'મહાત્મા ગાંધીના પાંચમા પુત્ર' જમનાલાલ બજાજ સાથે થયા હતા.
ઘરેણાં, વૈભવી જીવન, ઘૂંઘટપ્રથાને તિલાંજલિ આપી ખાદી અપનાવી, ખાદી કાંતતા પણ શીખ્યા.
વર્ધામાં વિદેશી વસ્ત્રોની હોળી પણ કરી હતી.
જાનકી દેવીએ ખાદી, ચરખા, અસ્પૃશ્યતા નિવારણ, હરિજનોનો મંદિર પ્રવેશ, સ્ત્રી શિક્ષણ અને ગૌ સેવાને પોતાનું વિશેષ કાર્યક્ષેત્ર બનાવ્યું હતું.
ભારતમાં દલિતો માટે પારિવારિક મંદિરો અને ઘરના રસોડા તો સૌપ્રથમ વખત બજાજ પરિવારે ખુલ્લા કર્યા હતા.
અખિલ ભારતીય ગૌ સેવા સંઘના પ્રમુખ અને પદ્મ વિભૂષણથી વિભૂષિત થયા હતા.

આજે અભિનેતા ચંદ્રકાન્ત ગોખલેનો પણ જન્મદિન છે.

આજે શંકરલાલ બેન્કર તથા ભીલ સેવક લક્ષ્મીદાસ શ્રીકાંતની પુણ્યતિથિ છે.


●77મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ મોશન પિક્ચર (ડ્રામા) શ્રેણીમાં વિજેતા જાહેર કરાઈ
*પહેલા વિશ્વયુદ્ધની પૃષ્ઠ ભૂમિ પર બનેલી ફિલ્મ '1917'*
*બેસ્ટ એક્ટર:- જોકિન ફિનિક્સ (જોકર ફિલ્મ માટે)*
*બેસ્ટ પર્ફોમન્સ (એક્ટ્રેસ):- મ્યુઝિકલ એન્ડ કોમેડી - એક્વાફિના*

●ગુજરાત રાજ્યમાં માર્ગ સલામતી સપ્તાહ ક્યારે ઉજવાશે
*11 થી 17 જાન્યુઆરી*

●100 કરોડના ખર્ચે પુષ્ટિ સંસ્કાર ધામ ક્યાં બનશે
*જૂનાગઢ પાસે વડાલ-કાથરોટા રોડ પર*

●પ્રથમ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ક્યાં રમાશે
*ભુવનેશ્વર*

●વિશ્વ બ્રેઈલ દિવસ ક્યારે મનાવામાં આવે છે
*4 જાન્યુઆરી*

●એન્ટાર્કટિકાના સર્વોચ્ચ શિખર પર પહોંચનારી વિશ્વની સૌથી નાની વયની મહિલા કોણ બની
*ભારતીય પર્વતારોહક માલાવથ પૂર્ણા*

●તાજેતરમાં સંપૂર્ણપણે ઓટોમેટીક કાર પાર્કિંગનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*દિલ્હીમાં*

●એસોસિએશન ઓફ ટેનિસ પ્લેયર્સને ઈયર ઓફ નર્સ એન્ડ મિડવાઈફસ કઈ વૈશ્વિક સંસ્થાએ ઘોષિત કર્યું
*વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન*

●ઈરાનમાં કાસિમ સુલેમાનીના સ્થાને કમાન્ડર તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*ઈસ્માઈલ કાની*

●ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા દૃષ્ટિહીનો માટે કઈ એપ લોન્ચ કરવામાં આવી
*મની (MANI)*

●તાજેતરમાં લાઈ હારાઓબા પર્વની ઉજવણી ક્યાં થઈ હતી
*ત્રિપુરા*
*લાઈ હારાઓબાનો અર્થ થાય છે ઈશ્વરને પ્રસન્ન કરવા*

●કયા રાજ્યની સરકારે સાઈબર સેફ વુમન ઇનીશીએટિવનો પ્રારંભ કર્યો
*મહારાષ્ટ્ર*

●તાજેતરમાં સાહિત્યકાર રત્ન ઓઝાનું નિધન થયું. તેમણે કયા રાજયમાં શેરી નાટકોને ભારે લોકપ્રિય બનાવ્યા હતા
*આસામ*

●રાષ્ટ્રીય આઈસ હોકી 2020નો પ્રારંભ ક્યાં થયો
*લેહ ખાતે*

●CAAના વિરોધમાં વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*કેરળ*

●ઇસરોએ નાના ઉપગ્રહોના પ્રક્ષેપણ માટે નવું પ્રક્ષેપણ કેન્દ્ર ક્યાં સ્થાપિત કર્યું
*તમિલનાડુ*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
Photo from Mahi Arohi
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-08/01/2020🗞👇🏻~*

*📝8 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*સેવામૂર્તિ : પરીક્ષિતલાલ મજમુદાર*
*પૂરું નામ:-* પરીક્ષિતલાલ લલ્લુભાઇ મજમુદાર
*જન્મ:-* 8 જાન્યુઆરી, 1901 પાલીતાણામાં
*નિધન:-* 12 સપ્ટેમ્બર, 1965
1920-22 ના અસહકાર આંદોલનમાં હજારો યુવાનોની પેઠે સરકારી કોલેજનો ત્યાગ કરી અભ્યાસ છોડી ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા, સ્નાતક થયા અને ગાંધી-સરદારના પ્રભાવમાં સાબરમતી આશ્રમમાં જોડાયા અને હરિજન સેવાને જ જીવન વ્રત બનાવ્યું તે પછી નાગપુર ઝંડા સત્યાગ્રહ, સવિનય કાનૂન ભંગ આંદોલન જેવા અનેક આંદોલનોમાં ભાગ લઈ જેલવાસ ભોગવ્યો હતો.
દાંડીકૂચ વેળાએ તેમને 2 વર્ષ સજા થઈ હતી.
તેમના જીવનનું બીજું ઉજળું પાસું તે તેઓની રચનાત્મક પ્રવૃતિઓ, દુષ્કાળ રાહત, અસ્પૃશ્યતા નિવારણ અને અત્યંત ઉદ્ધાર જેવી અનેક રચનાત્મક પ્રવૃત્તિઓમાં તેઓ પ્રવૃત્ત રહ્યા હતા.

આજે જ્ઞાનપીઠ પુરસ્કૃત આશાપુર્ણા દેવીનો પણ જન્મદિવસ છે.

આજે બ્રહ્મોસમાજી કેશવચંદ્ર સેન અને વિદેશી પ્રવાસી માર્કો પોલોની પુણ્યતિથિ છે.


●નિર્ભયાના ચાર દોષીતોને ફાંસીની સજા સંભળાવનાર જજ
*સતીષ અરોરા*
*દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં*

●1984માં સિયાચીનમાં ઓપરેશન મેઘદૂતની આગેવાની કરનારા લેફ્ટનન્ટ જનરલ જેમનું હાલમાં નિધન થયું
*પ્રેમનાથ હુણ*
*પીએન હુણનો જન્મ પાકિસ્તાનમાં આવેલા એબોટાબાદમાં 1929માં થયો હતો*

●હાલમાં અકબર પદમશીનું નિધન થયું. તેઓ કોણ હતા
*પ્રખ્યાત ચિત્રકાર*

●દેશની પ્રથમ ઇન્ડિયન બાસ્કેટબોલ લીગ (IBL)નું આયોજન ક્યાં કરાયું
*છત્તીસગઢના રાજનાંદગામમાં*

●2020માં અમદાવાદમાં કેટલામો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આરંભ થયો
*31મો*

●ભારતીય મૂળના બે વકીલ મહિલા જેમની ન્યુયોર્કની કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ
*દીપા અંબેકર અને અર્ચના રાવ*

●ગુજરાત સરકારે જમીન સુધારણા કમિશનર તથા સચિવ તરીકે કોણે નિયુક્ત કર્યા
*આરસી મીના*

●ગગનયાન મિશન માટે તાજેતરમાં એરફોર્સમાંથી 4 લોકોની પસંદગી કરવામાં આવી છે. આ હવાઈ દળના જવાનોને રશિયામાં અવકાશયાત્રાની તાલીમ આપવામાં આવશે. ગગનયાન મિશન અંતર્ગત ભારત કયા વર્ષમાં અવકાશયાત્રીઓને પ્રથમ વખત અવકાશમાં મોકલશે
*2022*

●રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે MANI એપ લોન્ચ કરી.MANI નું ફૂલ ફોર્મ શું છે
*મોબાઈલ એઈડ નોટ આઇડેન્ટિફાયર એપ્લિકેશન*
*આ એપ પ્રજ્ઞાચક્ષુઓને ચલણી નોટો ઓળખવામાં મદદ કરશે*
*આ એપમાં મોબાઈલ કેમેરા નોટને સ્કેન કરે છે અને ઓડિયો દ્વારા વ્યક્તિને નોટનું મૂલ્ય જણાવે છે*

●માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા અને વાહનોના પ્રદૂષણને ઘટાડવા માટે કયા રાજ્યએ પરિવહન વિભાગે મહિનાના પહેલા દિવસને 'નો વ્હિકલ ડે' તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે
*રાજસ્થાન*
*પરિવહન વિભાગના કર્મચારીઓ ઓફિસમાં આવવા માટે તેમના વાહનને બદલે સાયકલ અથવા જાહેર ટ્રાફિકનો ઉપયોગ કરશે*

●ભારતીય રેલવેએ હિમદર્શન એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે. આ ટ્રેન કયા બે સ્ટેશનો વચ્ચે દોડે છે
*હરિયાણા (કાલકા) થી હિમાચલ પ્રદેશ (શિમલા) વચ્ચે*
*આ ટ્રેનમાં 6 એસી વિસ્ટાડોમ કોચ છે*
*છત અને દિવાલોમાં પારદર્શક કાચ એ આ ટ્રેનની વિશેષતા છે*

●ફોરેસ્ટ સરવે ઓફ ઇન્ડિયા (FSI)ના રિપોર્ટ અનુસાર મધ્યપ્રદેશમાં ક્ષેત્રની દ્રષ્ટિએ સૌથી વધુ વન આવરણ છે.આ સિવાય અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને મહારાષ્ટ્રમાં વિશાળ વન ક્ષેત્ર છે.FSI દ્વારા આ રિપોર્ટ દર કેટલા વર્ષે જાહેર કરવામાં આવે છે
*બે વર્ષે*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ની યુવાન વૈજ્ઞાનિકોની 5 પ્રયોગ શાળાઓનું ઉદ્દઘાટન કર્યું.આ 5 પ્રયોગશાળાઓ કયા કયા સ્થળે સ્થળે કાર્યરત કરવામાં આવશે
*બેંગલુરુ, મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ અને કોલકાતા*

●જનરલ બિપિન રાવત ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે કઈ તારીખે નિમાય
*30 ડિસેમ્બર, 2019*
*CDS એ 4-સ્ટાર રેન્ક છે*

●'જાગરણ'ના મુખ્ય સંપાદક સંજય ગુપ્તાએ તાજેતરમાં કયો એવોર્ડ જીત્યો
*લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પત્રકારત્વ એવોર્ડ*
*પત્રકારત્વ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી રહેલા લોકોને સન્માન આપવાના હેતુથી પુણે સ્થિત કેસરી મરાઠા ટ્રસ્ટ દ્વારા આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી*
*'કેસરી' અખબારની સ્થાપનાના સમારોહમાં આ એવોર્ડ અર્પણ કરવામાં આવે છે.*
*'કેસરી' અખબારની સ્થાપના મહાન સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય તિલક દ્વારા કરવામાં આવી હતી*

●પશ્ચિમ આફ્રિકા સ્થિત દેશ ગિની બીસાઉમાં નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા
*ભૂતપૂર્વ વડાપ્રધાન અને લશ્કરી જનરલ ઉમારો સિસોકો એમ્બેલો*
*ગિની બીસાઉ દેશ 1974માં પોર્ટુગલથી સ્વતંત્ર થયો હતો*

●રોકેટની મદદથી ચીને તાજેતરમાં જ પોતાના સૌથી ભારે અને સૌથી અદ્યતન કયા સંદેશા વ્યવહાર ઉપગ્રહનું લોન્ચિંગ કર્યું
*શિજિયન-20*
*આ રોકેટ પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં 25 ટન પેલોડ વહન કરવામાં સક્ષમ છે*

●સરકારે તાજેતરમાં જારી કરેલા આ