સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🌈ગુજરાત🌈*

દેશી રજવાડાંઓનાં વિલીનીકરણ સમયે કયા રાજાએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું
*ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ*

ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ક્યાં આવેલું છે
*ભાવનગર*

જામરાવળે ક્યારે નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે
*ઈ.સ.1540માં*

ગુજરાતની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે
*જામનગર જિલ્લાના સિક્કામાં*

જામનગરની કઈ વસ્તુઓ વિશ્વભરમાં જાણીતી છે
*કંકુ,મેશ અને બાંધણી*

જામનગર અને પોરબંદર સરહદ પર આવેલો બરડો ડુંગર સરકાર પાસે ઈજરાશાહીએ કોણે માંગેલો
*ઝંડુ ભટ્ટજીએ*

જામનગર જિલ્લાના બાલા હનુમાન મંદિરમાં કયા વર્ષથી સતત રામધૂન ચાલે છે
*1964થી*

સહજાનંદ સ્વામીએ જૂનાગઢના કયા ગામે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી
*લોજ ગામે*

અમરેલી જિલ્લાના કે.લાલ જાદુગરનું સાચું નામ શું છે
*કાંતિલાલ વોરા*

પોરબંદરનો કયો પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે
*ઘેડ પ્રદેશ*

સફેદ સિમેન્ટ માટે જાણીતી હિમાલયા સિમેન્ટ ઈન્ડસ્ટ્રી ક્યાં આવેલી છે
*રાણાવાવ (પોરબંદર)*

ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ પ્રમાણમાં ટાપુઓ ધરાવતો દરિયા કિનારો મળેલો છે
*દેવભૂમિ દ્વારકા*

બાર જ્યોતિર્લિંગો પૈકી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે
*દ્વારકા*

મેંગલોરી નળિયા બનાવવા માટે કયું શહેર જાણીતું છે
*મોરબી*

સુરત બંદરને મોગલ શાસન સમયે મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવતું હતું. જેનો અન્ય કયા નામથી પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો
*બંદ મુબારક,મક્કા-એ-બંદર, બાબુલ મક્કા અને મક્કાબારી તરીકે*

સુરતને 'ડાયમંડ સિટી' તેમજ _____ તરીકે પણ ઓળખવામાં આવે છે
*દિલબહાર નગરી*

ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું
*બારડોલી*

ભરૂચનું પ્રાચીન નામ શું હતું
*ભૃગુતીર્થ*

ભરૂચ જિલ્લાના કયા ગામે સાસુ અને વહુના દેરા આવેલા છે
*જંબુસર તાલુકાના કાવી ગામે*

અમદાવાદથી શરૂ થયેલ દાંડીના રૂટને દાંડી હેરિટેજ રૂટ જાહેર કરવામાં આવ્યો છે જેને કયો નેશનલ હાઈ-વે નંબર અપાયો છે
*228(નવો હાઈ-વે નંબર-64)*

ગુજરાતના કયા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે
*નર્મદા*

ડાંગ જિલ્લાની કઈ ચિત્રકલા જાણીતી છે
*વરલી*

કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો ક્યાં જોવા મળે છે
*વ્યારામાં (તાપી જિલ્લો)*

તાપી જિલ્લાનું કયું ગામ સહકારી મંડળીની પ્રવૃતિઓ માટે જાણીતું છે
*વાલોદ*

તાપી જિલ્લામાં પિલજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો ક્યાં આવેલો છે
*સોનગઢ*

પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ વલસાડ જિલ્લાના કયા ગામમાં થયો હતો
*ભાદેલી*

દાંડીકૂચ પશ્ચાત ધરાસણા સત્યાગ્રહ કયા જિલ્લામાં થયો હતો
*વલસાડ*

દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે
*વલસાડ*

ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે કયા ગામની ગણના થાય છે
*ઉમરગામ*

ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ક્યાં આવેલી છે
*ભીલાડ આર.ટી.ઓ. (વલસાડ)*


💥રણધીર ખાંટ💥
સ્વામિનારાયણે ઇ.સ.1824માં લક્ષ્મીનારાયણ મૂર્તિની સ્થાપના ક્યાં કરી હતી
*વડતાલ*

કયા શહેરમાં આવેલ રણછોડરાયનું મંદિર હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યનો વિરલ સહયોગ છે
*ડાકોર*

વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે કોનું મંદિર છે
*બ્રહ્મસાવિત્રીનું*

ઇ.સ.1940-41 દરમિયાન અમદાવાદમાં બહાઈ ધર્મનો પ્રચાર કોણે કર્યો હતો
*શિરીન ફોજદાર*

ઇ.સ.1594માં ખ્રિસ્તીઓએ ગુજરાતના કયા શહેરમાં દેવળ બાંધ્યું હતું
*ખંભાત*

ગિરનાર પર આવેલ જૈનમંદિર સિદ્ધરાજ જયસિંહના કયા દંડકે બંધાવ્યું હતું
*સજ્જન મહેતા*

સૌરાષ્ટ્રમાં આવેલ સોમનાથ મંદિરનો નાશ છેલ્લે કોણે કર્યો હતો
*નાદિરશાહ*

ગીરનાર જૈન મંદિરની નીચે ઊતરતા કઈ ગુફા આવે છે
*નેમ-રાજુલ ગુફા*

ગુજરાતના પાવાગઢના મંદિરની ઉપર કયા પીરની દરગાહ છે
*સદનશાપીર*

કયા ગુજરાતીએ સાતવાહન ખારવેલના લેખો ઉકેલી આપ્યા હતા
*ત્રિભુવનદાસ ગજ્જર - રસાયણશાસ્ત્રી*

ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન છે
*ગુણભાખરી*

મસ્જિદની અંદર જવા-આવવાનો રસ્તો એટલે.......
*ગલિયારા*

મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા દર્શાવતા ભાગને શું કહે છે
*મહેરાબ*

ઇસ્લામ ધર્મના અનુયાયીઓ જ્યાં નમાજ માટે એકત્ર થાય તે મસ્જિદના પ્રાંગણને શું કહેવાય
*સહન*


💥રણધીર ખાંટ💥
ઋગ્વેદના કયા સુકતમાં વર્ણવ્યવસ્થાની માહિતી આપવામાં આવી છે
*પુરુષ સુક્ત*

ભગવાન બુદ્ધે માનવજાત માટે દુઃખોનું મૂળ કારણ કયું બતાવ્યું છે
*તૃષ્ણા*

શામળાજી પાસે કયા સ્તૂપમાંથી અભિલેખયુક્ત અસ્થિપાત્રમાં ભગવાન બુદ્ધના અવશેષો મળ્યા હતા
*ઈટેરી સ્તૂપ*

જૂનાગઢની કઈ ગુફાઓ જૈનધર્મી ગણાય છે
*બાવા-પ્યારાની ગુફા*

કયા સંતને પ્રસન્ન કરીને અહમદશાહે ભદ્રના કિલ્લામાં નિવાસ કર્યો હતો
*સંત માણેકનાથ*

ઇડરમાં આવેલ ઇડરિયાગઢનું પ્રાચીન નામ કયું હતું
*ઈલ્વ દૂર્ગ*

શેત્રુંજય ગિરિ પર રાજા કુમારપાળ અને અમાત્ય ઉદયને આપેલ આદેશ અનુસાર આરસના મંદિરોનું કાર્ય કોણે પરિપૂર્ણ કર્યું હતું
*વાગભટ્ટ*

શેત્રુંજયગિરિ પર કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલી છે
*અંગારશા*

સમરથપુર કોનું પ્રાચીન નામ હતું
*ગિરનાર*

વિનોદિની નીલકંઠની કઈ વાર્તા પરથી બનેલ ફિલ્મે 13 એવોર્ડ જીત્યા
*કાશીનો દીકરો*

"કહ્યું કરે તે શાનો કવિ ? શીખી વાતને શાને નવી" આ કાવ્ય પંક્તિ કોની છે
*શામળ*

'હરિયો' પાત્ર મધુરાયની કઈ વાર્તામાં આવે છે
*ઈંટોના સાત રંગ*

મુનશીનું કયું નાટક રંગભૂમિની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે
*કાકાની શશી*

ગુજરાતીમાં પ્રવાસ સાહિત્યની સૌથી પ્રાચીન કૃતિ કઈ છે
*સંદેશક રાસ*

ગુજરાતી સાહિત્યસર્જન માટેનો પ્રથમ કુમાર સુવર્ણચંદ્રક કયા સાહિત્યકારને મળ્યો
*હરિપ્રસાદ દેસાઈ*

નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા
*જ્યોતિન્દ્ર દવે*


💥રણધીર ખાંટ💥
અમદાવાદ-કંડલાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે
*નં.8A*

મગદલ્લા બંદર કઈ નદીના મુખ પાસે છે
*તાપી*

ગુજરાતના કયા બંદરેથી પ્રવાહી રસાયણોની હેરફેર થાય છે
*દહેજ*

ગુજરાતની કઈ નદીને 'સોમોદભવા' તરીકે ઓળખવામાં આવે છે
*નર્મદા*

પોયણીનો ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે
*પંચમહાલ*

'ગુજરાત ગૅસ ક્રેકર પ્લાન્ટ' ક્યાં સ્થિત છે
*હજીરા*

ગોલ્ડન કોરિડોરનો તમે શું અર્થ કાઢશો
*ભારતના ચાર મહાનગરોને જોડતો મહામાર્ગ*

IPCLની સ્થાપના ક્યાં અને કઈ સાલમાં થઈ હતી
*1969માં વડોદરા ખાતે*

મોલાસિસમાંથી શું બનાવવામાં આવે છે
*આલ્કોહોલ*

ગુજરાતમાં સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલના સ્થાપક કોણ હતા
*વાલચંદ હિરાચંદ*

ગુજરાતમાં લાકડાં વહેરવાની સૌથી વધુ મિલો ક્યાં આવેલી છે
*ખેડા જિલ્લામાં*

અમદાવાદમાં પ્રથમ કાપડ મિલ કઈ સાલમાં શરૂ થઈ હતી
*ઇ.સ.1860*

હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડનો પ્લાન્ટ ક્યાં આવેલ છે
*ખારાઘોડા*

મોલાસિસનું ઉત્પાદન શામાંથી થાય છે
*શેરડી*

આદિવાસીઓ 'શીમગા'ને કયા તહેવાર તરીકે ઉજવે છે
*હોળીનો તહેવાર*

કચ્છનો બન્ની વિસ્તાર કયા ઉદ્યોગ માટે જાણીતો છે
*ડેરી ઉદ્યોગ*

💥રણધીર ખાંટ💥

'નીલ ગાય'ને ગામઠી ભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે
*રોઝ*

પ્રાચીન હિન્દૂ કાનૂનના જનક કોણ હતા
*મનુ*

'ૐ' શબ્દનું સર્વપ્રથમ નિશ્ચિત વર્ણન કયા ઉપનિષદમાં કરવામાં આવ્યું છે
*બૃહદારણ્ય ઉપનિષદમાં*

'ખાલસા'ની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી
*આનંદપુરમાં*

'રામાયણ'નો ફારસીમાં અનુવાદ કોણે કર્યો હતો
*અબ્દુલ કાદિર બદાયુનીએ*

કોના સિક્કાઓ 'બોડીયા રાજાના સિક્કા' તરીકે ઓળખાતા હતા
*એડવર્ડ સાતમાના*

કર્ણની પાલક માતાનું નામ શું હતું
*અનુરાધા*

કયા ધર્મનું તત્વજ્ઞાન અનેકાંતવાદ કે સ્યાદવાદના નામથી ઓળખાય છે
*જૈન*


💥રણધીર ખાંટ💥
*રાષ્ટ્રપતિ દ્વારા સંસદમાં નિમણૂક પામતા સભ્યો*


*રાજ્યસભા*

12 સભ્યો

કલા,વિજ્ઞાન,સાહિત્ય,સમાજ-સેવા જેવા ક્ષેત્રોમાં નિષ્ણાત વ્યક્તિઓ

આ સભ્યોની જરૂરિયાત

જો રાજ્યસભામાં નિષ્ણાત સભ્યો હશે તો દેશને દરેક ક્ષેત્રે આગળ વધવામાં મદદ મળશે



*લોકસભા*

2 સભ્યો

એન્ગલો-ઈન્ડિયન લોકો (એન્ગલો-ઇન્ડિયન એટલે જેની માતા ભારતીય હોય અને પિતા વિદેશી હોય)

આ સભ્યોની જરૂરિયાત

જો લોકસભામાં આ સભ્યો હશે તો દેશમાં રહેલા આ સમૂહને મદદ મળશે અને તેઓનો વિકાસ થશે


💥રણધીર ખાંટ💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-13/01/2020🗞👇🏻~*

*📝13 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*સંસ્કૃતિવિદ્ : પ્રિયબાળા શાહ*
*પૂરું નામ:-* પ્રિયબાળાબેન જીવણલાલ શાહ
*જન્મ:-* 13 જાન્યુઆરી, 1920, અમદાવાદમાં
*નિધન:-* 2011
1950માં 'વિષ્ણુધર્મોત્તર પુરાણ' શીર્ષકથી પીએચડીની પદવી હાંસલ કરી.
'ધ સન ઇમેજિસ' શીર્ષક તળે ડી.લિટ્ટની ડિગ્રી મેળવી.
વ્યવસાયી રીતે પ્રિયબાળાબેન અમદાવાદની રામાનંદ કોલેજ (આજની એચ.કે.કોલેજ) અને રાજકોટની વીરબાઈ કોલેજમાં આચાર્ય રહ્યા હતા.
*લખેલા પુસ્તકો:-* શ્રી વિષ્ણુધર્મોત્તર, પથ્થર બોલે છે, શ્રી અને સંસ્કૃતિ, ચાંદલો-બિંદી-તિલક, ટેમ્પલ્સ ઓફ ગુજરાત ટ્રેડિશનલ વેર ઓફ ઇન્ડિયન વુમન, હિન્દુ મૂર્તિ વિધાન, તિબેટ, જૈન મૂર્તિ વિધાન જેવા 17 થી વધુ પુસ્તકો લખ્યા છે.
**

*અબુલફઝલ*
*જન્મ:-* 13 જાન્યુઆરી, 1551, આગ્રામાં
*પિતા:-* શેખ મુબારક
*મોટા ભાઈ:-* અબુલફૈઝી
*નિધન:-* ઇ.સ.1600 (ખૂન થયું હતું)
મોગલ શહેનશાહ અકબરના વિશ્વાસુ મંત્રી
'અકબરનામા'તેમનો મહત્વનો ફારસી ગ્રંથ છે.તેમાં અકબરનું શાસન વર્ણવાયું છે.
'આઈન-એ-અકબરી' માં અકબરનું રાજ્ય, રાજ્ય બંધારણ, ધર્મ વિષયક નીતિ રજૂ કરી છે.


●કોલકાતા પોર્ટ ટ્રસ્ટની 150મી વર્ષગાંઠ પર તેનું નામ બદલીને શું કરવામાં આવશે
*શ્યામા પ્રસાદ મુખરજી પોર્ટ ટ્રસ્ટ*

●BCCI ની વાર્ષિક પુરસ્કારોમા બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટરનો પોલી ઉમરીગર એવોર્ડ કોણે અપાયો
*ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ*
*જસપ્રીત બુમરાહને દિલીપ સરદેસાઈ એવોર્ડ પણ મળ્યો*
*મહિલા ક્રિકેટરમાં પુનમ યાદવને બેસ્ટ ક્રિકેટરનો એવોર્ડ*

●કયા દેશે દુનિયાનું સૌથી મોટું અને સંવેદનશીલ રેડિયો ટેલિસ્કોપ 3 વર્ષની ટ્રાયલ પછી શરૂ કર્યું
*ચીન*

●ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન્સી કોણ કરશે
*હરમનપ્રીત કૌર*

●ઓમાનના સર્વોચ્ચ શાસક સુલતાન કાબુસ અલ સઈદના અવસાન બાદ નવા શાસક તરીકે કોણે પદ સંભાળ્યું
*સુલતાન હલથામ બિન તારીક અલ સઈક*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-14/01/2020🗞👇🏾~*

*📝14 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*હાસ્યકાર વિનોદ ભટ્ટ*
*જન્મ:-* 14 જાન્યુઆરી, 1938, નાંદોદ (અમદાવાદ)
*નિધન:-* 2018
નાનપણમાં તોફાની બાળક તરીકેની છાપ ધરાવતા
કોલેજની ચૂંટણીમાં ગધેડાના ગળામાં 'હું વિનોદ ભટ્ટને મત નથી આપવાનો'જેવા રમૂજી તુક્કાઓ પણ કરેલા
'પહેલું સુખ તે મૂંગી નાર'થી પોતાની હાસ્ય સર્જન યાત્રા શરૂ કરી
*લખેલાં પુસ્તકો:-* વિનોદના પ્રેમપત્રો, ઇદમ તૃતીયમ્, ઇદમ ચતુર્થમ્, સુનો ભાઈ સાધો, વિનોદની નજરે, અને હવે ઇતિ-હાસ, નરો વા કુંજરો વા, શેખાદમ...ગ્રેટાદમ....,અમદાવાદ એટલે અમદાવાદ, અથથી ઇતિ, પ્રસંગોપાત્ત, વગેરે, વગેરે, વગેરે..., આંખ આડા કાન, ગ્રંથની ગરબડ, વિનોદ વિમર્શ, ભૂલચૂક લેવીદેવી, આજની લાત,
'વિનોદ વિમર્શ' ગુજરાતી ભાષાનું હાસ્યનું સૌપ્રથમ ગંભીર પુસ્તક છે.
'વિનોદની નજરે' પુસ્તકનું ચરિત્ર ચિત્રણ શૈલીના પુસ્તકોમાં જોટો જડે તેમ નથી
*સન્માન:-* 1989-રણજિતરામ સુવર્ણચંદ્રક, કુમાર ચંદ્રક, જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક, નીલકંઠ પુરસ્કાર વગેરે.


●સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની આઠમી અજયબીનું સ્થાન કોણે આપ્યું
*શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)*

●આ વર્ષે (વર્ષ 2020) રાજયકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી ક્યાં કરવામાં આવશે
*રાજકોટ ખાતે*

*●ઘવાયેલાં પક્ષીઓની સારવાર માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ~1962~*

●સ્પેનિશ સુપર કપ (ફુટબોલ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*રિયલ મેડ્રિડ (11મી વખત)*
*એટલેટિકો મેડ્રિડને હરાવ્યું*

●બ્રિટનમાં કયું વાવાઝોડું આગળ વધી રહ્યું છે
*બ્રેન્ડન*

●ફિલિપાઈન્સમાં કયો જ્વાળામુખી ફાટ્યો
*તાલ જ્વાળામુખી*

●હાલના TRAI ના અધ્યક્ષ કોણ છે
*આર.એસ.શર્મા*

●દર વર્ષે વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવામાં આવે છે
*10મી જાન્યુઆરી*

●તાજેતરમાં જારી કરવામાં આવેલા હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2020માં કયો દેશ પ્રથમ નંબર પર રહ્યો
*જાપાન*

●હાલમાં પ્રસિદ્ધ નૃત્યાંગના મીનતી મિશ્રાનું અવસાન થયું. તેઓ કયા રાજ્યના હતા
*ઓડિશા*

●હાલમાં વિશાખપટ્ટનમ ખાતે નૌસૈનિક અભ્યાસ આયોજિત થયો.તેનું નામ શું હતું
*મિલન*

●7મી રાષ્ટ્રીય આઈસ હોકી મહિલા ચેમ્પિયનશિપમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*લડાખ ટીમ*

●કયા રાજયમાં લોકપ્રિય રથ મહોત્સવનો પ્રારંભ થયો
*તમિલનાડુ*

●SBI એ 2020માં ભારતનો આર્થિક વિકાસ દર કેટલા ટકા રહેવાનો અંદાજ બાંધ્યો છે
*4.6%*

●હાલમાં દિલ્હી ભાજપ નેતા જય ભગવાન ગોયલે લખેલું કયું પુસ્તક મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે
*આજ કે શિવાજી : નરેન્દ્ર મોદી*

●પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફને લાહોર હાઇકોર્ટે ફાંસીની સજા માફ કરી.

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
● .bmpબિટ મૅપ ઇમેજ - bit map image

● .jpg જૉઇન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ - Joint Photographic Experts group

● .png પોર્ટેબલ નેટવર્ક ગ્રુપ - Portable Network Group

● .gif ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ - Graphics Interchange Format

● .tiff ટેગ્ડ ઇમેજ ફાઇલ ફોર્મેટ - Tagged image File Format

💥રણધીર💥
*~👁‍🗨સામાન્ય જ્ઞાન👁‍🗨~*


◆ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે
*આચાર્ય દેવવ્રત*

◆યુનેસ્કોએ ભારતના કયા શહેરનો સમાવેશ 'વર્લ્ડ હેરિટેજ સાઈટ'માં કર્યો છે
*જયપુર*

◆'વિમ્બલ્ડન-2019'માં પુરુષ વિભાગમાં ચેમ્પિયન કોણ બન્યું છે
*યોકોવિચ*

◆હિન્દુ ધર્મના અઢાર પુરાણોના રચયિતા કોણ છે
*મહર્ષિ વેદવ્યાસ*

◆એશિયાનો સૌથી મોટો પશુમેળો કયા સ્થળે ભરાય છે
*સોનપુર*

◆ભારતમાં 'કૃત્રિમ પગ' માટે પ્રખ્યાત શહેર કયું છે
*જયપુર*

◆2 પાઉન્ડ = ..............ગ્રામ.
*900*

◆ભારતના કયા રાજ્યમાં લગ્ન નોંધણી અગાઉ HIVનું પરીક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું છે
*ગોવા*

◆ગુજરાતમાં સૌપ્રથમ 'હેલ્થ ATM' કયા શહેરમાં શરૂ થયું છે
*ભાવનગર*

◆અત્યાર સુધીમાં ભારતના કેટલા સ્થળોને યુનેસ્કોની 'વર્લ્ડ હેરિટેજ સાઈટ'માં સ્થાન મળ્યું છે
*38*

◆સ્વતંત્રતા દેવીનું પૂતળું અમેરિકાને કયા દેશે આપ્યું હતું
*ફ્રાન્સ*

◆ભારતનું 'રાષ્ટ્રીય જળચર પ્રાણી' કયું છે
*ડોલ્ફિન*

◆'વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ-2019'માં હેટ્રિકની કેટલી ઘટનાઓ નોંધાઈ હતી
*2*

◆'માનવ અધિકાર દિન'ની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે
*10 ડિસેમ્બર*

◆લોકસભાની કાર્યવાહી માટે કેટલા સંસદ સભ્યોની હાજરી જરૂરી હોય છે
*10 ટકા*

◆હોમિયોપથી ચિકિત્સા પદ્ધતિની શોધ કયા દેશમાં થઈ હતી
*જર્મની*

◆લોકસભાના વર્તમાન સ્પીકર કોણ છે
*ઓમ બિરલા*

◆ભારતની પ્રખ્યાત ખેલાડી દુતીચંદ કઈ રમત સાથે સંકળાયેલ છે
*એથ્લેટીક્સ*

◆કપૂર એ કેવો પદાર્થ છે
*ઉર્ધ્વપાતી*

◆ફેસબુકનું વડુમથક ક્યાં આવેલું છે
*અમેરિકામાં*

◆વાતાવરણમાં ઓઝોન વાયુ (O3)ના ભંગાણ માટે કયો વાયુ મુખ્ય જવાબદાર છે
*CFC*

◆મનુષ્યના પાચનતંત્રનો સૌથી લાંબો ભાગ કયો છે
*નાનું આંતરડું*

◆પ્રખ્યાત તીર્થધામ 'અંબાજી' ગુજરાતના કયા તાલુકામાં આવેલું છે
*દાંતા*

◆લેખક એલેક્ઝાન્ડર ફાર્બસને ગુજરાતી લખતા વાંચતા કોણે શીખવાડ્યું હતું
*દલપતરામ*

◆'આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિન' કઈ તારીખે ઉજવવામાં આવે છે
*3 ડિસેમ્બર*

◆'જે વ્યક્તિને માણસ ઓળખતા આવડે છે, તે સફળ બિઝનેસમેન છે.'- આ વિધાન કોનું છે
*ચાણક્ય*

◆'આયુષ્યમાન ભારત' યોજના હેઠળ ગરીબ પરિવારોને કેટલા રૂપિયાનું વાર્ષિક હેલ્થ કવર મળે છે
*5 લાખનું*

◆ગુજરાતી ફિલ્મ 'કંકુ' કયા ગુજરાતી લેખકની નવલકથા પર આધારિત છે
*પન્નાલાલ પટેલ*

◆પુસ્તક : 'લિસનિંગ, લર્નિંગ એન્ડ લીડિંગ' ના લેખક કોણ છે
*વૈકેયા નાયડુ*

◆માતા-પિતાની સેવાચાકરી નહીં કરનાર સંતાનને જેલની સજા થશે.- એવો કાયદો ભારતના કયા રાજ્યમાં અમલી બન્યો છે
*બિહાર*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-16-17/01/2020🗞👇🏻~*

*📝16 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*સંગીતકાર ઓ.પી.નૈયર*
*પૂરું નામ:-* ઓમકાર પ્રસાદ નૈયર
*જન્મ:-* 16 જાન્યુઆરી, 1926 પાકિસ્તાનમાં લાહોરમાં
*નિધન:-* 2007
તેમની પહેલી ફિલ્મ 1949ની 'કનીજ'માં બેકગ્રાઉન્ડ સંગીતથી સંગીત યાત્રા શરૂ કરી.
કઝરા મોહબ્બતવાલા, યહ દેશ હૈ વીર જવાનો કા, એક પરદેશી મેરા દિલ લે ગયા, લે કે પહેલા પહેલા પ્યાર, બાબુજી ધીરે ચલના, કભી આર કભી પાર જેવા અનેક કર્ણપ્રિય ગીતો નૈયર સાહેબે આપ્યા છે.

આજે નાની પાલખી વાળાનો પણ જન્મ દિવસ છે.

આજે કવિ સુંદરજી બેટાઈ, પત્રકારત્વના ઇતિહાસકાર રતન રૂસ્તમ માર્શલ, ડાંગના ગાંધી ઘેલુભાઈ નાયક અને ઇતિહાસકાર એડવર્ડ ગીબનની પુણ્યતિથિ છે.


*📝17 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*એમ.જી.આર. : એમ.જી.રામચંદ્રન*
*પૂરું નામ:-* મરુધર ગોપાલન રામચંદ્રન
*જન્મ:-* 17 જાન્યુઆરી, 1917, શ્રીલંકાના કેન્ડીમાં
*નિધન:-* 24 ડિસેમ્બર, 1987 મદ્રાસમાં
તેઓની પહેલી ઓળખ અભિનેતા તરીકેની છે.
1936માં સાથી લીલાવથી ફિલ્મથી ફિલ્મોમાં પ્રવેશ કર્યો.
1950માં મન્થીરકુમારી ફિલ્મ દ્વારા તમિલ ફિલ્મોમાં પ્રકાશમાં આવ્યા.
1972માં ફિલ્મફેર એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
ડીએમકે પક્ષના સભ્ય, ધારાસભ્ય, એસઆઈડીએમકે (ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનેત્ર કઝગમ) પક્ષની સ્થાપના અને તમિલનાડુના મુખ્યમંત્રી વગેરે એમ.જી.આર.ની રાજકીય વિકાસ અવસ્થાઓ હતી.
તેમના મુખ્યમંત્રી કાળ (1977-1987) દરમિયાન કન્યાઓ માટે સ્કૂલ બસ અને મધ્યાહન ભોજન યોજનાઓ અસ્તિત્વમાં આવી હતી.
લોક કલ્યાણકારી યોજનાઓના કારણે એમ.જી.આર. 'મક્કલ થીલાગલ' (લોકોનો રાજા) તરીકે જાણીતા બન્યા હતા.

આજે અમેરિકન ક્રાંતિના થિંક ટેન્ક બેન્જામિન ફ્રેન્કલીનનો પણ જન્મ દિવસ છે.


●15 જાન્યુઆરીસેના દિવસ
15 જાન્યુઆરી, 1949ના રોજ જનરલ કે.એમ.કરિઅપ્પાએ સેનાના કમાન્ડર ઇન ચીફ તરીકે પદભાર સંભાળ્યું ત્યારથી સેના દિવસ ઉજવાય છે.

●દેશની ત્રીજી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ (IIS) ક્યાં નિર્માણ પામશે જેનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
*કલોલ તાલુકાના નાસ્મેદ ગામે*

●મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં કેટલામી આર્થિક ગણતરીનો પ્રારંભ કરાવ્યો
*7મી*

●2019નો ICC ક્રિકેટર ઓફ ધી યર એવોર્ડ કોણે મળ્યો
*ઈંગ્લેન્ડના બેન સ્ટોકસને*
*રોહિત શર્મા વન-ડે અને ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધી યર એવોર્ડ*
*વિરાટ કોહલીને સ્પિરિટ ઓફ ધ ક્રિકેટ એવોર્ડ*

●પુરુષ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં થર્ડ અમ્પાયરની ભૂમિકા ભજવનાર પ્રથમ મહિલા કોણ બની
*વેસ્ટઇન્ડિઝની જેક્લિન વિલિયમ્સ*

●આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં કેટલામો 'ધર્મજ ડે' મનાવાયો
*14મો*

●ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ 1 કલાકથી વધુ મોડી પડે તો કેટલા રૂપિયા વળતર આપશે
*૱100*
*2 કલાકથી વધુ મોડી પડે તો ૱250 વળતર મળશે*

●કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે સુરતના હજીરામાં કેટલામી હોવિત્ઝર વજ્ર ટી ગન રાષ્ટ્રને અર્પણ કરી
*51મી*
*એલ એન્ડ ટી અને દક્ષિણ કોરિયા સાથે મળીને નિર્માણ પામી*

●વિદેશી ધરતી પર 500 ટેસ્ટ મેચ રમનાર પ્રથમ ટીમ કઈ બની
*ઈંગ્લેન્ડ*

●કયા રાજ્યના વિવિધ વિસ્તારોમાં જલ્લિકટ્ટુ રમતનું આયોજન કરવામાં આવે છે
*તમિલનાડુ*

●ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ)ના ચેરમેનપદે કોણ બિન હરીફ ચૂંટાઈ આવ્યા
*ગોવિંદ પરમાર*

●કયા બે પુલિત્ઝર એવોર્ડ વિજેતા પત્રકારોએ ટ્રમ્પની ભૂલો અંગેનું પુસ્તક 'અ વેરી સ્ટેબલ જીનિયસ' લખ્યું છે
*ફિલિપ રૂકર અને કેરોલ લિયોનિંગ*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-18/01/2020🗞👇🏻~*

*📝18 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*મહાદેવ ગોવિંદ રાનડે*
*જન્મ:-* 18 જાન્યુઆરી, 1842, મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના નિફાડ ગામે
*નિધન:-* 16 જાન્યુઆરી, 1901
શિક્ષણ કોલ્હાપુર અને મુંબઈમાં
1859માં મેટ્રિકની પરીક્ષામાં મુંબઈ યુનિવર્સિટીમાં પહેલા સ્થાને રહ્યા હતા.
અર્થશાસ્ત્ર અને ઇતિહાસ સાથે બીએ, એમએ અને એલએલબી થયા
અક્કલદોહ અને કોલ્હાપુર રાજ્યમાં દીવાન તરીકે પણ રહ્યા હતા.
મુંબઈની એલ્ફિન્સ્ટન્ટ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા હતા.
1883માં મુંબઇ હાઈકોર્ટમાં ન્યાયાધીશ બન્યા પછી તેઓ ન્યાયમૂર્તિ તરીકે જાણીતા બન્યા હતા.
તે સમયના ભારતીય સમાજમાં વિધવા વિવાહ પર પ્રતિબંધ, અસ્પૃશ્યતા, બાળલગ્ન વગેરે જેવા સામાજિક કુરિવાજો સામે પ્રજાને જાગૃત કરવાનું કાર્ય તેમને કર્યું.
તેમણે પત્ની રમાબાઈને શિક્ષણ આપી સમાજ સુધારક બનાવ્યા હતા.
31 માર્ચ, 1867ના રોજ પ્રાર્થના સમાજની સ્થાપના કરી હતી.



●સંયુક્ત રાષ્ટ્ (UN)એ 2019-20 માટે ભારતનો વિકાસદર 1.9 ટકા ઘટાડીને કેટલો કર્યો
*5.7%*

●અમદાવાદના જાસપુરમાં કેટલા ફૂટ ઊંચું વિશ્વનું સૌથી મોટું ઉમિયા મંદિર બનશે
*431 ફૂટ*

●ભારતના સૌથી શક્તિશાળી કયા કોમ્યુનિકેશન સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું
*જીસેટ-30*
*ફ્રેન્ચ ગુઆનાના કૌરુ ખાતે આવેલા સ્પેસ સેન્ટર યુરોપિયન એરિયન 5 -વીટી 252 થી લોન્ચ કરાયો*
*3357 કિલો વજન*
*આ સેટેલાઈટથી ઈન્ટરનેટની સ્પીડ વધશે*

●રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નવા ડેપ્યુટી ગવર્નરપદે કોની નિમણુક કરવામાં આવી
*માઈકલ દેવવ્રત પાત્રા*

●DTH ગ્રાહકોને હવે કોઈપણ ચેનલ માટે મહત્તમ 19 ને બદલે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
*12 ૱*

●યોગી સરકારે ઘાઘરા નદીનું નામ બદલીને શું કર્યું
*સરયૂ*

●સાઉદી અરબમાં યોજાયેલી ડકાર રેલીમાં કોણ ચેમ્પિયન બન્યું
*સ્પેનિશ ડ્રાઈવર કાર્લોસ સેન્જે ત્રીજીવાર ચેમ્પિયન*
*તેઓ બહરીન જેસીડબ્લ્યુ X-રેડ ટીમનો ડ્રાઈવર છે.*
*ડકાર રેલી 11 સ્ટેજમાં 7800 કિમીની રેસ હોય છે*

●ટેસ્ટ મેચમાં 4000 રન અને 100 વિકેટની સિદ્ધિ મેળવનાર વિશ્વનો સાતમો ખેલાડી કોણ બન્યો
*ઈંગ્લેન્ડનો બેન સ્ટોકસ*

●ટેકનોલોજી રિવ્યુ કંપની કમ્પેરિટેકના રિપોર્ટ અનુસાર ઈન્ટરનેટની આઝાદી મામલે સૌથી સારા 175 દેશમાં ભારત કેટલામાં ક્રમે છે
*48મા*
*સૌથી વધુ આઝાદી સિરીયામાં*
*પાકિસ્તાન 9મો સૌથી ખરાબ*

●ગૂગલની કઈ પેરન્ટ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન વધીને 1 ટ્રીલિયન (1000 અબજ) ડૉલરને પાર કરી દુનિયાની છઠ્ઠી મોટી કંપની બની
*આલ્ફાબેટ*

●રોહિત શર્માએ ઓપનર તરીકે ફાસ્ટેસ્ટ 7000 વન-ડે રનની સિદ્ધિ કેટલી ઇનિંગમાં મેળવી દક્ષિણ આફ્રિકાના અમલાનો રેકોર્ડ તોડ્યો
*137 ઇનિંગમાં*

●હાલમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર (સ્પિન બોલર) બાપુ નાડકર્ણીનું નિધન થયું.1964માં તેમને 1 ટેસ્ટમાં સળંગ કેટલી ઓવર મેડન નાખી હતી
*21 ઓવર*

●દેશની સૌથી મોટી ઇન્ડિયન ડેરીનો એવોર્ડ કઈ ડેરીને મળ્યો
*મહેસાણાની દૂધસાગર ડેરીને*

●રશિયા ભારતને 2025 સુધીમાં વિશ્વની સૌથી ખતરનાક કઈ મિસાઈલ આપશે
*S-400*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-19-20/01/2020🗞👇🏻~*

*📝19 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*સમાજવિજ્ઞાની : ઓગસ્ટ કોમ્તે*
*પૂરું નામ:-* કોમ્ત ઈસ્ત્દોર ઓગસ્ટ મારિયા ફ્રાન્સિસ ઝેવિયર્સ
*જન્મ:-* 19 જાન્યુઆરી, 1798, દક્ષિણ ફ્રાન્સનું મોંતપેલિયર
*નિધન:-* 5 સપ્ટેમ્બર, 1857
બચપણમાં ખૂબ બીમાર રહેતા
1814માં 'ઇકોલે પોલિટિકલ'ની પરીક્ષા પસાર કરી પોતાનું કાર્યક્ષેત્ર પેરિસની બનાવ્યું હતું
જ્ઞાનપ્રાપ્તિનો આધાર વૈજ્ઞાનિક એટલે કે પ્રત્યક્ષ પ્રમાણ પર હોવો જોઈએ તેવી પ્રત્યક્ષવાદી વિચારણા પ્રસ્તુત કરી
કોર્સ ઓફ પોઝિટિવ ફિલોસોફી, ધી સિસ્ટમ ઓફ પોઝિટિવ પોલિટી જેવા ગ્રંથો અને 1848માં પોઝિટિવ સોસાયટી સંસ્થાની સ્થાપના કરી
પ્રત્યક્ષવાદી સિદ્ધાંતને વૈશ્વિક બનાવ્યો.


*📝20 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*કમલ કાન્તિ ગુહા*
*જન્મ:-* 20 જાન્યુઆરી, 1928, કુચબિહારના દીહાન્તમાં
*નિધન:-* 2 ઓગસ્ટ, 2007
ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક વતી દીન્હાતા વિધાનસભા મતવિસ્તારથી ચૂંટણી લડી કમલ ગુહા 8 વખત ધારાસભ્ય બન્યા હતા.
તેઓ 1962, 1977, 1982 અને 2001માં રાજ્ય મંત્રીમંડળમાં મંત્રી પણ બન્યા હતા.
ગેરકાયદેસર ભરતી, શાળા અને વિદ્યુત બોર્ડના પ્રશ્નો માટે તેમને ફોરવર્ડની સામે પણ બાંયો ચડાવી હતી.
ઉત્તર બંગાળમાં તેઓ ફોરવર્ડ બ્લોકના સીમા સ્તંભ કહેવાતા.
બંગાળમાં લોકનેતાનું બિરુદ પામેલા


●બાળઉછેરમાં શ્રેષ્ઠ દેશોમાં ભારત વિશ્વમાં કેટલામાં સ્થાને છે
*59મા*
*ડેન્માર્ક, સ્વીડન અને નોર્વે ટોપ થ્રી*

●ભારતે પરમાણુ હુમલો કરવા સક્ષમ કઈ બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
*K-4*
*3500 કિમીની મારક ક્ષમતા*
*આંધ્રપ્રદેશના દરિયા કિનારે ચાંદીપુરથી પરીક્ષણ કર્યું*

●તાજેતરમાં કયા દેશમાં લશ્કરી છાવણીમાં આવેલી મસ્જિદ પર થયેલા મિસાઈલ અને ડ્રોન હુમલામાં 80 જવાનોના મોત થયા
*યમન*

●કુપ્રથાઓ સામેના વિરોધમાં 16000 કિમી. લાંબી માનવસાંકળ રચી કયા રાજ્યએ વિશ્વ વિક્રમ રચ્યો
*બિહાર*

●વિશ્વના 130 ડાયનેમિક શહેરોની યાદીમાં ભારતના કયા બે શહેરો મોખરાના સ્થાને છે
*હૈદરાબાદ અને બેંગલુરુ*
*ટોચના 20 શહેરોમાં સાત ભારતીય શહેરોનો સમાવેશ*

●કયા રાજ્યએ રેલવે સ્ટેશનો પર આવેલા સાઈનબોર્ડ પર ઉર્દૂ ભાષાને બદલે સંસ્કૃત ભાષાને સ્થાન આપવાનો નિર્ણય કર્યો છે
*ઉત્તરાખંડ*

●દર વર્ષે ભારતીય મોસમ વિભાગનો સ્થાપના દિવસ ક્યારે મનાવામાં આવે છે
*15 જાન્યુઆરી*
*તેને અંગ્રેજીમાં મિટિરિયોલોજીકલ સાયન્સ કહે છે*

●દુનિયાનો સૌથી મોટો રેડીઓ ટેલિસ્કોપ બનાવવાની ઉપલબ્ધી કયા દેશે હાંસલ કરી
*ચીન*

●કયા રાજયમાં સુપ્રસિદ્ધ પરશુરામ કુંડ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે
*અરૂણાચલ પ્રદેશ*

●તાજેતરમાં મનમોહન મહાપાત્રાનું અવસાન થયું. તેઓ જાણીતા ઓડિયો ફિલ્મકાર હતા.તેઓ કયા રાજ્યના મશહૂર ફિલ્મ નિર્દેશક હતા
*ઓડિશા*
*તેઓ 8 નેશનલ એવોર્ડ જીતી ચુક્યા હતા*

●15મી જાન્યુઆરીએ કેટલામો ભારતીય સેના દિવસ મનાવામાં આવ્યો
*72મો*

●એમેઝોને ભારતમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે કેટલું રોકાણ કરવાની ઘોષણા કરી છે
*1 અબજ ડોલર (અંદાજે ૱7000 કરોડ)*

●ગ્લોબલ ચાઈલ્ડ પ્રોડગી એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*ઈશ્વર શર્મા*
*યોગ ક્ષેત્રે અવનવી સિદ્ધિ હાંસલ કરવા બદલ*
*તેઓ બ્રિટનની શાળાઓમાં યોગને અભ્યાસ ક્રમમાં સમાવવામાં આવે તે માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે*

●જાણીતા તીર્થધામ પુરીને હાલમાં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે
*સ્વચ્છતા દર્પણ પુરસ્કાર 2019*

●આવનારા ગણતંત્ર દિવસ પર પહેલી વખત કોઈ મહિલા સૈન્ય અધિકારી પરેડ એડઝુટેન્ટની ભૂમિકા ભજવશે.તેમનું નામ શું છે
*તાનીયા શેરગિલ*

●ક્રિકેટ ટીમ ઇન્ડિયા ઘરઆંગણે કેટલી વન-ડે મેચ જીતનારી એશિયાની પ્રથમ અને વિશ્વની બીજી ટીમ બની
*200 વન-ડે મેચ*
*ઇન્ટરનેશનલ ક્રિકેટ (ટેસ્ટ, વન-ડે અને ટી-20)માં 750મી જીત મેળવનાર ત્રીજી ટીમ બની*

●હોબાર્ટ ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટમાં ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો
*ભારતની સાનિયા મિર્ઝા અને યુક્રેનની નાદિયા કિચેનૉક*

●નાની બહેનને જંગલી હાથીઓથી બચાવનારી છત્તીસગઢની કાંતિને વીરતા પુરસ્કાર આપવામાં આવશે.

●વિશ્વની સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા નેપાળના ખગેન્દ્ર થાપાનું અવસાન થયું.

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
■કયા અંગ્રેજ વિદ્વાને ઋગ્વેદનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે
*મેક્સમૂલર*

■ચાર વેદોમાં કયો વેદ બીજા ત્રણ કરતા જુદો તરી આવે છે
*અથર્વવેદ*

■આર્યો બહારથી આવીને સર્વપ્રથમ કયા પ્રદેશમાં સ્થિર થયા
*સપ્તસિંધુ*

■ઋગ્વેદના નવમા મંડળમાંના બધા સૂકતો કોઈ એક જ દેવને ઉદ્દેશીને રચેલા છે.એ દેવનું નામ .....
*સોમ*

■કયા વેદની રચના ગદ્ય-પદ્ય બંનેમાં થયેલી છે
*યજુર્વેદ*

■ગાયત્રી મંત્ર કયા વેદ સાથે સંલગ્ન છે
*ઋગ્વેદ*

■એશિયા માઈનોરના કયા સ્થળેથી પ્રાપ્ત અભિલેખોમાં વેદના દેવોને ઉલ્લેખ થયેલો જોવા મળે છે
*બોધજકોઈ*

■વેદને બીજા કયા નામે ઓળખવામાં આવે છે
*શ્રુતિ*

■હાલની રાજ્યસભાને મળતી આવતી વેડકાળની સંસ્થા
*સભા*

■આર્યો ઉત્સવ પ્રસંગે 'સુરા' નામે માદક પીણું પીતા. આ પીણું કઈ વનસ્પતિમાંથી બનતું
*જવ*

■વેદકાલીન સમાજમાં આર્ય સ્ત્રી-પુરુષો જેનો નિયમિત ઉપયોગ કરતા તે 'નિવિ' અને 'વાસ'નો સંબંધ આધુનિક કઈ વસ્તુ સાથે છે
*વસ્ત્ર*

■કોને 'પરમાત્માની વાણી' કહે છે
*ઉપનિષદોને*

■કોને 'વેદાંન્ત' કહે છે
*ઉપનિષદો*

■આર્યોના જીવનમાં 'બુદ્ધિનો પ્રદાતા દેવ' કોણ
*સૂર્ય*

■ઇન્દ્રને અસુરોનો સંહાર કરવામાં સહાય કરનારા દેવ તે...
*મરુત*

■વેદ પરંપરા અનુસાર દેવી અદિતિ કોણ હતી
*સૂર્યની માતા*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*🗞Date:-21/01/2020🗞👇🏻*

*📝21 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*લોકહિત ચિંતક : દલપતરામ*
*પૂરું નામ:-* દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી
*જન્મ:-* 21 જાન્યુઆરી, 1820 વઢવાણમાં
*ઓળખ:-* લોકહિત ચિંતક, ગુજરાતી રાણીના વકીલ, કવીશ્વર
*નિધન:-* 25 માર્ચ, 1898
તેઓ પોતાને ગુજરાતી રાણીના વકીલ તરીકે ઓળખાવતા હતા.
તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાય અપનાવ્યો હતો.
દલપતરામે બાળ કાવ્યો લખવાથી શરૂઆત કરી હતી.
તેઓ ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમી તરીકે ઓળખાતા એલેકઝાન્ડર ફાર્બસના સંપર્કમાં આવ્યા અને તેના દ્વારા સ્થાપિત વર્નાક્યુલર સોસાયટીના સામયિક 'બુદ્ધિપ્રકાશ'ના પ્રથમ તંત્રી પદે રહ્યા.
દલપતરામે ગુજરાતી ભાષાની સૌપ્રથમ કરુણપ્રશસ્તિ 'ફાર્બસ વિરહ' ફાર્બસના મૃત્યુ સમયે લખી હતી.
જ્યારે 'બાપાની પીંપર'ને અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ માનવામાં આવે છે.
ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક 'લક્ષ્મી' મૌલિક નાટક 'મિથ્યાભિમાન' તથા પ્રથમ કાવ્ય સંગ્રહ 'કાવ્ય દોહન' છે.
દલપતરામને અર્વાચીન ગુજરાતી કવિતાની શરૂઆત કરનાર મનાય છે.
તેમને 'જીવરામ ભટ્ટ' પાત્રને અમર બનાવ્યું.
નર્મદે દલપતરામને 'ગરબી ભટ્ટ' અને વિજયરાય વૈદ્ય તેઓને 'સમર્થ ઉપકવિ' કહે છે.
*વ્યવસાય:-* ફાર્બસ સાહેબ માટે 'રાસમાળા'ની સામગ્રી માટે પરિભ્રમણ , ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં મંત્રી , 1855-બુદ્ધિપ્રકાશનું સંપાદન , 1858- 'હોપ' વાંચનમાળાની કામગીરીમાં મદદ
*પ્રદાન:-* કવિતા, હાસ્ય કવિતા, નિબંધ, પિંગળ શાસ્ત્ર, નાટક
*મુખ્ય કૃતિઓ:-*
*કવિતા:-* ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઈ, માના ગુન્ન , દલપત કાવ્યો ભાગ-1,2.
*નિબંધ:-* ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ
*નાટક:-* મિથ્યાભિમાન, લક્ષ્મી
*વ્રજ ભાષામાં:-* વ્રજ ચાતુરી
*વ્યાકરણ:-* દલપત પિંગળ, કાવ્ય દોહન, બાપાની પીંપર
*અન્ય:-* શામળ સતસઇ, ઊંટ અને શિયાળ, માખીનું બચ્ચું, ભોળો ભાભો, ફાર્બસ વિલાસ, હરીલીલામૃત, તાર્કિક બોધ વગેરે..
'હાલતા દંડે ચાલતા દંડે દંડે સારા દિન, છાતી ઉપર પથ્થર મૂકી પૈસા લેતા છીન' અને 'દેખ બિચારી બકરીનો પણ કોઈના જાતા પકડે કાન એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' જેવી પંક્તિઓ દ્વારા તેમણે અનુક્રમે મરાઠી અને બ્રિટિશ શાસનનું મૂલ્યાંકન કરી દીધું હતું.


●IMFએ દેશનો વર્ષ 2019-20નો GDP ગ્રોથ ઘટાડીને કેટલો કર્યો
*4.8%*

●કેનેડામાં બરફનું તોફાન આવ્યું તેનું નામ શું
*બૉમ્બ સાઈકલોન*

●મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિરના સાનિધ્યમાં ઉત્તરાર્ધ ઉત્સવ કયા વર્ષથી ઉજવાય છે
*1992થી*

●જગત પ્રકાશ નડ્ડા (જે.પી.નડ્ડા) ભાજપના કેટલામાં અધ્યક્ષ બન્યા
*11મા*
*તેઓ હિમાચલ પ્રદેશના 1993, 1998 અને 2007 એમ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે*

●વાયુસેનાએ દક્ષિણ ભારતમાં સુખોઈ-30નું પહેલું ફાઇટર પ્લેન સ્ક્વોડ્રન તહેનાત કર્યું.તેનું નામ શું રાખવામાં આવ્યું છે
*ટાઇગર શાર્ક*

●દાવોસમાં 'વર્લ્ડ ઇકોનોમિક ફોરમ'ની કેટલામી વાર્ષિક બેઠક શરૂ થઇ
*50મી*

●મલેશિયાના વડાપ્રધાન કોણ છે
*મહાતિર મોહમ્મદ*

●વિદેશમાં 150 ટેસ્ટ મેચ જીતનારી સૌપ્રથમ ટીમ કઈ બની
*ઈંગ્લેન્ડ*

●વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જારી કરવામાં આવેલા નવા સોશિયલ મોબિલિટી ઇન્ડેક્સ (સામાજિક પરિવર્તન સુચકાંક)માં 82 દેશો પૈકી ભારતનો ક્રમ કેટલામો છે
*76મો*
*ડેન્માર્ક પ્રથમ*

●ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠક ક્યાં શરૂ થઈ
*પેઈચિંગ*

●આંધ્રપ્રદેશમાં હવે કઈ ત્રણ જગ્યાએ પાટનગર બનશે
*અમરાવતીમાં વૈધાનિક પાટનગર, વિશાખપટ્ટનમમાં વહીવટી અને કર્નુલમાં ન્યાયકીય પાટનગર*

●રાજ્ય સરકારે રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરી
*ડૉ. બિમલ એન.પટેલ*

●દર વર્ષે કઈ તારીખે ભૂતપૂર્વ સૈનિક દિવસ મનાવવામાં આવે છે
*14 જાન્યુઆરી*
*2017થી આ ઉજવણી થઈ રહી છે*
*2017 પહેલા પણ આ ઉજવણી થતી હતી, પરંતુ ત્યારે તેને યુદ્ધ વિરામ દિવસ કહેવામાં આવતો હતો*

●તાજેતરમાં જાપાનનું કયું જહાજ ચેન્નાઇ દરિયા કિનારે આવ્યું હતું
*ઈચિગો જહાજ*

●ભારતીય નૌસેના માટે વિશેષ પ્રકારનું ડીઝલ કઈ કંપનીએ બનાવ્યું
*IOCL*

●કેન્ટો મોમોટા મલેશિયા માસ્ટર્સ 2020ના વિજેતા બન્યા છે. તેઓ કયા દેશના સુખ્યાત બેડમિન્ટન પ્લેયર છે
*જાપાન*

●અમેરિકાએ કયા દેશને કરન્સી મેનિપ્યુલેટરની યાદીમાંથી હટાવ્યું છે
*ચીનને*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
◆નિર્ગ્રંથોનો સંબંધ કઈ ધર્મની પરંપરા સાથે રહેલો છે
*જૈન*

◆જૈનોના 24 તીર્થંકરો પૈકી કયા તીર્થંકર કાશીના રાજકુમાર હોવાનું કહેવાય છે
*પાર્શ્વનાથ*

◆જૈન પરંપરામાં ચાર મહાવ્રતોમાં મહાવીરે ઉમેરેલું પાંચમું મહાવ્રત કયું
*બ્રહ્મચર્ય*

◆થોડાં વર્ષો પહેલા ભારતમાં બહુમૂલ્ય પ્રદાન કરનાર આચાર્ય તુલસીજી જૈન ધર્મના કયા સંપ્રદાયના અગ્રેસર હતા
*તેરાપંથી*

◆રાજસ્થાનનું કયું નગર તેરાપંથી જૈન સંપ્રદાયનું મહત્વનું કેન્દ્ર છે
*લાડનૂ*

◆'બાળ સિદ્ધાર્થ નિઃશંક સમ્યક બુદ્ધ થશે' એવી ભવિષ્યવાણી કયા બ્રાહ્મણે કરી હતી
*કૌન્ડીન્ય*

◆સિદ્ધાર્થને ગૃહત્યાગ પછી સાત જેટલી ધ્યાનાવસ્થા શીખવનાર યોગીનું નામ શું હતું
*આલાર કાલામ*

◆સિદ્ધાર્થે કયા સ્થળે ઉગ્ર તપશ્ચર્યા આદરી હતી
*ઉરૂવેલા*

◆બુદ્ધને જ્યાં જ્ઞાનપ્રાપ્તિ થઈ એ સ્થળ બોધિગયાનું મૂળ નામ શું હતું
*ઉરૂવેલા*

◆બૌદ્ધ ધર્મમાં બુદ્ધના વ્યક્તિત્વથી આકર્ષાઈને ગણિકા જીવનનો ત્યાગ કરનાર વૈશાલીની કઈ સ્ત્રીની વાત જાણીતી છે
*આમ્રપાલી*

◆બુદ્ધને મગધના કયા રાજાએ વેળુવન નામે ઉપવન અર્પણ કર્યું હતું
*અજાતશત્રુ*

◆બુદ્ધને તેમના કયા એક અનુયાયીએ જેતવન નામની વિશાળ ભૂમીનું દાન કર્યું હતું
*અનાથપિંડક*

◆બૌદ્ધ ધર્મના બે ગ્રંથો- દીપવંશ અને મહાવંશ કયા દેશમાં લખાયેલા ગ્રંથો છે
*શ્રીલંકા*

◆હિંદુ પરંપરા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામનું બીજું નામ કયું છે
*સંકર્ષણ*

◆શિવપુત્ર કાર્તિકેયનું બીજું નામ શું છે
*સ્કંદ*

◆કયા વંશના રાજાઓ પોતાને 'પરમ ભાગવત' તરીકે ઓળખાવતા
*ગુપ્ત*

💥રણધીર💥
કોનો જન્મ યુરોપમાં, મૃત્યુ એશિયામાં અને દફનવિધિ આફ્રિકામાં થયા હતા
*એલેક્ઝાન્ડર (સિકંદર)*

અર્થશાસ્ત્ર કૌટિલ્ય કૃત કયા વિષયનો ગ્રંથ છે
*રાજ્યશાસ્ત્ર*

ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ કયા સ્થળે થયું હતું
*ચંદ્રગિરિની ટેકરી શ્રવણબેલગોલા*

જૈનગ્રંથો અનુસાર ચંદ્રગુપ્ત મૌર્ય ક્ષત્રિયનો વંશજ નહીં, પણ નંદરાજા ધનનંદની ઉપપત્ની (દાસી)નો પુત્ર માને છે.એ દાસીનું નામ...
*મુરા*

ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગુજરાત-સૌરાષ્ટ્રનો સૂબો (માંડલિક) કોણ હતો
*પુષ્યગુપ્ત*

ચંદ્રગુપ્ત અને અન્ય મૌર્ય રાજાઓના સમયમાં ગુજરાત-સૌરાષ્ટ્રનું પાટનગર કયું હતું
*ગિરિનગર*

મૌર્ય વહીવટી તંત્રમાં દાન અને ધર્મખાતાનો મંત્રી કયા નામે ઓળખાતો
*સમાહર્તા*

મૌર્ય શાસનમાં હસ્તી, પત્તી અને અશ્વ દળ પૈકી પત્તીદળ કોનું બનેલું હતું
*સૈનિકો (લડવૈયાઓ)નું*

મૌર્ય સામ્રાજ્યમાં પ્રાંતોના વડા કયા નામે ઓળખાતા
*માંડલિક (સુબો)*

મૌર્ય સમય દરમિયાન પ્રાંતો (મંડળ)થી નાનું એકમ કયું હતું
*સ્થાનીય*

મૌર્ય વહીવટી તંત્રમાં તાલુકો કયા નામે ઓળખાતો
*સંગ્રહણ*

મૌર્ય વહીવટી તંત્રમાં સંગ્રહણનો વડો કોણ હતો
*ગોપ*

મૌર્ય વહીવટી તંત્રમાં સૌથી નાનું એકમ કયું હતું
*ગ્રામ*

મૌર્ય વહીવટી તંત્રમાં પાયદળ, હયદળ, ગજદળ, રથદળ અને નૌકાદળ ઉપરાંત છઠ્ઠું દળ કયું હતું
*પુરવઠો અને સેવાદળ*

અશોકકાલીન ગુજરાત-સૌરાષ્ટ્રનું પાટનગર કયું હતું
*ભૃગુકચ્છ*

મૌર્ય સમ્રાટ અશોકનો રાજ્યાભિષેક કઈ સાલમાં થયો
*ઇ.સ.પૂ.269*

એક સર્વધર્મસમભાવી રાજા તરીકે મૌર્ય અશોકે કઈ ટેકરીઓ ઉપરની ગુફાઓ આજીવક સંપ્રદાયને ભેટ આપી હતી
*બર્બર (બારાબર)*

'બધાં મનુષ્યો મારા સંતાન છે અને મારા સંતાનો આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત કરે એવી મારી અભિલાષા છે' - આમ કહેનાર એકમાત્ર ભારતીય રાજા તે...
*અશોક*

'હું જમતો હોઉં, અંતઃપુરમાં હોઉં કે શયનગૃહમાં હોઉં... સર્વ સ્થાને લોકસેવાના કાર્યો માટે તત્પર હોઉં છું' - આમ કહેનાર ભારતીય રાજવી કોણ હતા
*અશોક*

મૌર્ય અશોકે કોતરાવેલા શિલાલેખોની લિપિ ઉકેલનાર (વાંચનાર) સૌપ્રથમ અંગ્રેજ વિદ્વાન કોણ હતા
*જેમ્સ પ્રિન્સેપ*

અશોકે કોતરાવેલ ગિરનાર શિલાલેખો શોધી કાઢનાર વિદ્વાન કોણ હતા
*ટૉડ*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-22/01/2020🗞👇🏻~*

*📝22 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*આચાર્ય આનંદ શંકર ધ્રુવ*
*પૂરું નામ:-* આનંદશંકર બાપુભાઈ ધ્રુવ
*જન્મ:-* 22 જાન્યુઆરી, 1869 અમદાવાદમાં
*ઓળખ:-* ઉત્તમ કેળવણીકાર, ધર્મ ચિંતક, વિદ્વાન વિવેચક
*બિરુદ:-* પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ
*નિધન:-* 1942
એમ.એ., એલ.એલ.બી. સુધીનું શિક્ષણ
1893માં અમદાવાદની ગુજરાત કોલેજથી સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે શૈક્ષણિક કારકિર્દી શરૂ કરી
1936માં બનારસ વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ પદે પણ રહ્યા
તેમને 'વસંત' નામક સામયિક શરૂ કર્યું હતું અને 'મધુદર્શી સમન્વયકાર' તરીકે સાહિત્યમાં જાણીતા છે.
ગુજરાતના વિદ્યા જગતમાં તેઓ સુદર્શન અને વસંત જેવા સાહિત્યિક સામયિકોના તંત્રી તરીકે જાણીતા છે
*મહત્વની કૃતિઓ:-* આપણો ધર્મ, હિન્દુ ધર્મની બાળપોથી, હિન્દુ (વેદ) ધર્મ, સાહિત્ય વિચાર, કાવ્યતત્વ વિચાર, દિગ્દર્શન, વિચાર માધુરી જેવા અનેક ચિંતન ગ્રંથો તેમણે લખ્યા છે.


●71મા પ્રજાસત્તાક દિને મુખ્ય અતિથિ તરીકે કોણ આવશે
*બ્રાઝિલના પ્રમુખ જાઈર મેસિયાલ બાલ્સોનારો*

●દેશમાં ડિજિટલ પેમેન્ટમાં કયું રાજ્ય ટોપ પર છે
*કર્ણાટક*
*મહારાષ્ટ્ર બીજા અને દિલ્હી ત્રીજા સ્થાને*

●ચીનના વુહાનમાં કયો જીવલેણ વાયરસ ફેલાયો છે
*કોરોના વાયરસ*

●તાજેતરમાં સ્પેનમાં કયું વાવાઝોડું આવ્યું
*ગ્લોરિયા*

●2492 કરોડ રૂપિયામાં 'ઉબર ઇટ્સ'નો ભારતીય બિઝનેસ કોણે ખરીદી લીધો
*ચીનની ઓનલાઈન કંપની 'ઝોમેટો'એ*
*ઝોમેટો અને ઉબર ઓનલાઈન ફૂડ ડિલવરી કરતી મોબાઈલ એપ છે*

●'સ્વચ્છ ભારત અભિયાન' માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાને કયો એવોર્ડ મળ્યો
*ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડ*

●ઈંગ્લેન્ડ અને વેલ્સની ક્વિન એલિઝાબેથે તેમના સલાહકાર તરીકે કોને નિયુક્ત કર્યા
*ભારતના વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ સોલિસીટર જનરલ હરીશ સાલ્વેને*

●ભારતીય પાસપોર્ટ ધારકો અગાઉથી વિઝા લીધા વિના કેટલા દેશોમાં મુસાફરી કરી શકે છે
*58 દેશોમાં*

●17 જાન્યુઆરી, 2020ના રોજ મુંબઈ અને અમદાવાદ વચ્ચે નવી તેજસ એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરવામાં આવી. તે દેશની પ્રથમ કોર્પોરેટ ટ્રેન છે.પહેલી તેજસ એક્સપ્રેસ કયા બે સ્થળો વચ્ચે શરૂ થઇ ગઇ છે
*લખનૌથી દિલ્હી*

●અમેરિકન ટેલિકમ્યુનિકેશન્સ કંપની વેરીઝનના એકમ, વેરાઈઝન મીડિયાએ તાજેતરમાં ગોપનીયતા પર ધ્યાન કેન્દ્રિત કરતું એક નવું સર્ચ એન્જીન લોન્ચ કર્યું છે. તેનું નામ શું છે
*વન સર્ચ*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતા બંદર ટ્રસ્ટની 150મી વર્ષગાંઠ નિમિત્તે તેનું નામ બદલીને શું રાખવામાં આવ્યું
*શ્યામાપ્રસાદ મુખર્જી*

●પશ્ચિમ રેલવે ઝોનના જનરલ મેનેજર તરીકે કોને નીમવામાં આવ્યા
*1983 બેચના ભારતીય રેલવે એન્જીનિયર સર્વિસ ઓફિસર આલોક કંસલને*
*પશ્ચિમ રેલવે મુંબઈને ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે જોડે છે*

●સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*IPS અધિકારી એ.પી.મહેશ્વરી*

●કેન્દ્ર સરકારે RBIના ચોથા નાયબ ગવર્નર તરીકે કોની નિમણૂક કરી
*ભારતીય રિઝર્વ બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માઈકલ પાત્રા*

●રશિયાના વડાપ્રધાન દિમિત્રી મેદવેદેવે મંત્રીમંડળની સાથે રાજીનામુ આપ્યું.રશિયાના નવા વડાપ્રધાન કોણે બનાવવામાં આવ્યા
*મિખાઈલ મિશુસ્તાન*

●ભારતીય બાળ ચિકિત્સક એકેડેમીએ તાજેતરમાં કયા રાજયમાં ટીબી ફ્રી એર ફોર એવરી ચાઈલ્ડ પ્રોગ્રામનો પ્રારંભ કર્યો હતો
*કેરળ*

●છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે તાજેતરમાં રાજ્યના લાખો બેરોજગાર યુવાનો રોજગાર મેળવી શકે તે માટે કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી
*રોજગાર સાંગી*
*આ એપ્લિકેશન નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરની મદદથી બનાવવામાં આવી છે*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*વિશ્વની મુખ્ય ગુપ્તચર સંસ્થાઓ*


સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી(CIA) અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(FBI)યુ.એસ.એ

MI-56 (મિલિટરી ઈન્ટેલિજન્સ) અને સ્પેશિયલ બ્રાન્ચ, જોઈન્ટ ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન યુ.કે.

રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (IB)ભારત

મોસાદઈઝરાયેલ

નાઈચોજાપાન

મુખબરાતઈજીપ્ત

સાવાકઈરાન

ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ(ISI)પાકિસ્તાન

અલ મુખબરાતઇરાક


💥રણધીર ખાંટ💥



બંગાળના પ્રથમ ગવર્નરરોબર્ટ કલાઈવ

બંગાળના પ્રથમ ગવર્નર જનરલવોરન હેસ્ટિંગસ

ભારતના પ્રથમ ગવર્નર જનરલલોર્ડ વિલિયમ બેન્ટિક

ભારતના પ્રથમ વાઈસરોયલોર્ડ કેનિંગ

સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ અને ભારતના અંતિમ ગવર્નર જનરલ અને વાઇસરોયલોર્ડ માઉન્ટ બેટન



વિશ્વની સૌથી પ્રાચીન યુનિવર્સિટીતક્ષશિલા વિદ્યાપીઠ

ભારતની પ્રથમ યુનિવર્સિટી નાલંદા



ભારતનું પ્રથમ જહાજINS કાવેરી

ભારતનું પ્રથમ પરમાણુ જહાજINS ચક્ર



ભારતની પ્રથમ મૂંગી ફિલ્મરાજા હરિશ્ચંદ્ર(1912)

ભારતની પ્રથમ બોલતી ફિલ્મઆલમઆરા (1931)



ભારતનું પ્રથમ સમાચાર પત્રબંગાળ ગેઝેટ (1780) (જેમ્સ હિક્કી)

ભારતમાં પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર મુંબઇ સમાચાર (1822)



ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહઆર્યભટ્ટ (1975-રશિયન યાન દ્વારા)

ભારતના યાન દ્વારા પ્રથમ કૃત્રિમ ઉપગ્રહરોહિણી (1980)



સૌથી વધુ ગીત ગાનારલતા મંગેશકર

સૌથી વધુ ગીતો લખનારસમીર અંજાન



લોકનાયક ઉપનામજયપ્રકાશ નારાયણ

જનનાયક ઉપનામકરપૂરી ઠાકુર



અદ્વૈતવાદની સ્થાપનાશંકરાચાર્ય

દ્વૈતવાદની સ્થાપનાનિમ્બાકાચાર્ય


💥રણધીર ખાંટ💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-23/01/2020🗞👇🏻~*

*📝23 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*~સુભાષચંદ્ર બોઝ~*

*જન્મ:-* 23 જાન્યુઆરી, 1897
*જન્મસ્થળ:-* ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં
*પિતા:-* રાયબહાદુર જાનકીનાથ બોઝ કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ
*માતા:-* શ્રીમતી પાર્વતીદેવી(ધાર્મિક વૃત્તિવાળા)
*શિક્ષણ:-* કોલકાતાની પ્રેસિડન્સી કોલેજમાંથી ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કરી વધુ અભ્યાસ અર્થે ઈંગ્લેન્ડ ગયેલા
ઈંગ્લેન્ડમાં ખૂબ અઘરી ગણાતી ICS (ઇન્ડિયન સિવિલ સર્વિસ)ની પરીક્ષા ચોથા નંબરે ઉત્તીર્ણ કરીને તેઓ કોલકાતા પાછા ફર્યા
*કારકિર્દી:-* કોલકાતાની પ્રેસિડન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક તરીકે શરૂઆત કરી
અહીં રંગભેદની નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવોએ તેમના માનસમાં ક્રાંતિના બીજ રોપ્યા

તેઓ હિંદી મહાસભાના સક્રિય કાર્યકર્તા બન્યા હતા
ઇ.સ.1923માં તેઓ 'રાષ્ટ્રીય સ્વરાજ પક્ષ'માં જોડાયા
સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે રહ્યા હતા જેમાં તેઓએ જેલવાસ વેઠ્યો હતો
ઇ.સ.1938માં માત્ર 41 વર્ષની યુવાન વયે હરિપુરા (સુરત) 51મા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા એમને દર્શાવી હતી.
સુભાષબાબુના વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો ન હતો.
તેમણે ગાંધીજી સાથે મતભેદ થતા કોંગ્રેસ છોડી અને 'ફોરવર્ડ બ્લોક' નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી.
ઇ.સ.1940માં હિંદ સંરક્ષણ ધારાને આગળ ધરી તેમની ધરપકડ કરી તેઓને કારાવાસમાં પુરવામાં આવ્યા.
તેઓ પઠાણના છુપા વેશે કોલકાતાથી પેશાવર, કાબૂલ, ઈરાન, રશિયા થઈ બર્લિન (જર્મની) 28 માર્ચ, 1942ના રોજ પહોંચ્યા.
બર્લિન રેડીયો પરથી તેમણે પોતાના દેશ બાંધવોને બ્રિટન સામે જેહાદ જગાવવા અનુરોધ કર્યો.
જર્મનીમાં હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી.
તેઓએ પહેલાં રોમ અને પેરિસમાં ભારતને લગતા લશ્કતી એકમો સ્થાપી 3000 ભારતીયોની ભરતી કરી.
જુલાઈ, 1944ના રોજ આઝાદ હિન્દ રેડિયોના પ્રસારણમાં સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને 'રાષ્ટ્રપિતા' કહીને સંબોધ્યા.
તેમને જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે મુલાકાત કરી હતી.
2 જુલાઈ, 1943ના રોજ સુભાષચંદ્ર જાપાનથી સિંગાપોર ગયા.
સિંગાપોરમાં સર્વસંમતિથી 4 જુલાઈ, 1943ના રોજ "ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ"ના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ.
સુભાષચંદ્ર બોઝને અહીં "નેતાજી"નું હુલામણું નામ મળ્યું.
સુભાષચંદ્ર બોઝે 1943માં આંદામાન-નિકોબાર ટાપુઓની મુલાકાત લઈ આ ટાપુઓને અનુક્રમે 'શહીદ' અને 'સ્વરાજ્ય' નામ આપ્યા.
*નિધન:-* 18 ઓગસ્ટ, 1945
નેતાજી વિમાન મારફતે બેંગકોક-સાયગોન-ફાર્માસા તાઈપાઈ વિમાન મથકે પહોંચ્યા પણ વિમાનમાં અકસ્માતથી આગ લાગતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા.
અલબત્ત સુભાષબાબુનું આ વિમાન અકસ્માતમાં અવસાન થયું તે બાબત આજે પણ એક વણ-ઉકલ્યું રહસ્ય છે.

*સુભાષચંદ્ર બોઝે આપેલા સૂત્રો:-*
"ચલો દિલ્હી"
"તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દુંગા"
"જય હિન્દ"

"ભગતસિંહ અને ઈકબાલનો એક જ અર્થ છે"સુભાષચંદ્ર બોઝ


●ઈસરોએ માનવરહિત અંતરિક્ષ મિશન ગગનયાન માટે અંતરિક્ષમાં જનારી હ્યુમનોઈડ રોબોટ મોકલશે.આ રોબોટનું નામ શું છે
*વ્યોમમિત્ર*

●મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પોષણ અભિયાન-2020-22નો શુભારંભ ક્યાંથી કરાશે
*દાહોદ ખાતે*

●ધ ઇકોનોમિસ્ટે ડેમોક્રસી ઇન્ડેક્સ (વૈશ્વિક લોકશાહી) જાહેર કર્યો. આ ઇન્ડેક્સમાં 167 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*51મા (સ્કોર 6.90)*
*2006માં ઇન્ડેક્સ શરૂ થયાના 13 વર્ષમાં ભારતનો સૌથી ખરાબ રેન્ક*
*ભારત પહેલીવાર ટોપ-50 માંથી બહાર*
*નોર્વે સૌથી શ્રેષ્ઠ*
*આઈસલેન્ડ બીજા, સ્વીડન ત્રીજા, ફિનલેન્ડ ચોથા અને ન્યૂઝીલેન્ડ પાંચમા સ્થાને*
*ઉત્તર કોરિયા સૌથી ખરાબ*
*5 માપદંડોને આધારે આ ઇન્ડેક્સ તૈયાર થાય છે:-1.ચૂંટણી પ્રક્રિયાની સ્થિતિ, 2.સરકારની કાર્યપ્રણાલી, 3.રાજકીય ભાગીદારી, 4.રાજકીય સંસ્કૃતિ અને 5.સામાજિક સ્વતંત્રતા*

●ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ (ફિચ સમૂહ)એ નાણાકીય વર્ષ 2020-21માં ભારતનો GDP દર ઘટાડી કેટલા ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે
*5.5%*

●યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ ડેવલપમેન્ટના અહેવાલ મુજબ 2019માં સૌથી વધુ FDI લાવનારા ટોચના દસ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે.2019માં ભારતમાં FDI 16% વધીને કેટલા અબજ ડોલર રહ્યું
*49 અબજ ડોલર*

●ભારતે દેશની સૌથી મોટી કઈ તોપનું સફળ પરીક્ષણ કર્યું
*સારંગ*
*ઓર્ડિનન્સ ફેક્ટરી કાનપુર દ્વારા બનાવવામાં આવેલી*
*જબલપુર સ્થિત ખમરિયા રેન્જમાં સફળ પરીક્ષણ*
*ભગવાન વિષ્ણુના ધનુષ સારંગના નામે આ તોપનું નામ સારંગ રખાયું છે*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેનો જન્મ મહારાષ્ટ્રના કયા ગામમાં થયો હતો
*બાલકેશ્વર*

ખડિયા માટે ફારસી ભાષામાં કયો શબ્દ છે
*દવાત*

મીનાબક્કમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે
*ચેન્નઈ*

એસ્કિમોની કામધેનુ કોણ છે
*રેન્ડિયર*

ભારતના રાષ્ટ્રચિહ્નમાં સિંહની નીચે કયા બે પ્રાણી જોવા મળે છે
*બળદ અને ઘોડો*

મૌરી જનજાતિ કયા દેશની છે
*મલેશિયા*

રેગ્મા લોકનૃત્ય કયા પ્રદેશનું છે
*નાગાલેન્ડ*

ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ કયો
*લક્ષદ્વીપ*

યુરોપથી હિંદના જળમાર્ગની શોધ કોણે કરી હતી
*વાસ્કો-ડી-ગામા*

બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક કોણ છે
*મદનમોહન માલવિયા*

આપણા રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન અધિનાયક.....'ના રચયિતા કોણ હતા
*કવિવર રવીન્દ્રનાથ ટાગોર*

ભારત અને પાકિસ્તાનને છૂટી પાડતી રેખાનું નામ શું છે
*લાઈન ઓફ કંટ્રોલ*

હરિપ્રસાદ ચૌરસિયા શું વગાડે છે
*વાંસળી*

'ત્રિન્કોમાલી' બંદર ભારતના કયા પાડોશી દેશમાં છે
*શ્રીલંકા*

કયા રાજાના જાણીતા ઘોડાનું નામ 'ચેતક' હતું
*મહારાણા પ્રતાપ*

'આનંદ' , 'ગુડ્ડી' , 'અભિમાન' જેવી ક્લાસિક ફિલ્મોના સર્જક કોણ હતા
*ૠષિકેશ મુખર્જી*

'ઓલવી નાખવું' અથવા 'બુઝાવી નાખવું' એ અંગ્રેજીમાં શું કહેવાય
*Put out*

સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલીનો સમાવેશ કયા ક્રિકેટ એસોસિએશનમાં થાય છે
*બરોડા*

ભારતમાં એક રથયાત્રા અમદાવાદથી નીકળે છે અને બીજી રથયાત્રા ક્યાંથી નીકળે છે
*જગન્નાથપુરી*

આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇન્ટરપોલ શું છે
*પોલીસ સંસ્થા*

સૂર્યના કિરણોમાંથી કયું વિટામિન મળે જે હાડકાંને મજબૂત બનાવે
*વિટામિન ડી*

ભારતના રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને મળેલ છે
*ઝવેરચંદ મેઘાણી*

1969માં 'ભુવન સોમ' નામના પિક્ચરમાં પોતાનો અવાજ આપી કયા અભિનેતાએ પોતાની કારકિર્દી શરૂ કરી
*અમિતાભ બચ્ચન*

બ્રિટનની 'રોયલ સોસાયટી'માં કઈ ભારતીય સાયન્ટિસ્ટ મહિલાને હમણાં પ્રથમ વખત સ્થાન મળ્યું
*ગગનદીપ કાંગ*

જીવરામ જોશીની એક પ્રખ્યાત બાળવાર્તાનું નામ પૂરું કરો. 'મિયાં ફુસકી......'
*007*

*Find right word*

The bus............from here is Rs.50.
*Fare*
Fair

He played the.............. Of Santa Claus in the play.
Roll
*Role*

I read a wonderful...........Of a city mouse and a country mouse.
*Tale*
Tail

Jack and Jill went to fetch a.............. Of water.
pale
*Pail*

The man was released on...............
*Bail*
bale

Our team.............the other team by 8 points.
Beet
*Beat*

Did you.............the dough well ?
*Knead*
need

The guard ............the whistle.
Blue
*Blew*

Can I come along............,please??
*Too*
Two

...........is a fruit.
Pair
*Pear*



💥રણધીર ખાંટ💥