#BIG_BREKING_NEWS
CM ભુપેન્દ્ર પટેલની પ્રજાલક્ષી ‘મહાજાહેરાત’ : “ હવે ઉનાળો ચાલુ થયો; તેથી લોકો ખુલતા તેમજ સુતરાઉ કપડાં પહેરી શકશે !”
પટેલ ની ગુજરાતને ભેટ,
ઠેર ઠેર લોકોમાં ખુશીનો માહોલ. ઉનાળાને આવકારવા ગામડે ગામડે "ગરમી સંકલ્પ યાત્રા"ની તૈયારી.
પ્રતિક્રિયાઓ :
જીતુભાઈ : “ભાજપ હંમેશા પ્રજાની લાગણીનું ધ્યાન રાખે છે અને ઉનાળાની જાહેરાતથી હજારો લોકોને રાતે મફતમાં ઠંડી હવાનો લાભ મળશે !”
નીતિનભાઈ : “કોંગ્રેસ આટલા વર્ષો સુધી લોકોને છેતરીને ક્યારેય ઉનાળાની જાહેરાત કરી નથી, અમારી BJPની સરકારે લોકોની તબિયતનું હંમેશા ધ્યાન રાખ્યું છે; કેરીની સિઝન પણ ચાલુ કરીશું !”
ભુપેન્દ્રસિંહ : “ઉનાળામાં શાળામાં બાળકોને વેકેશન આપવામાં આવશે અને સરકારે નિર્ણય લીધો છે કે વેકેશન દરમ્યાન બાળકોએ શાળામાં જવાનું રહેશે નહીં. કોઈ કાયદાનો ભંગ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.”
પ્રદિપસિંહ : “ઉનાળા દરમ્યાન AC નો ઉપયોગ કરી શકાશે અને AC વાપરતા લોકોને પોલીસ પકડશે નહિ.”
કુંવરજીભાઈ : “આ ઉનાળો ખૂબ ઐતિહાસિક મહત્વ ધરાવતો ઉનાળો છે; કેમ કે આ ઉનાળામાં ચૂંટણી છે. ભાજપા સરકારના આવા વિકાસલક્ષી કાર્યોને હું બિરદાવુ છું.”
પાટીલ: “ છેલ્લા 30 કોંગ્રેસમાં હોવા છતાંય મેં ક્યારે આવો વૈવિધ્યસભર ઉનાળો જોયો ન હતો. યશસ્વી પૂજય મોદીજી અને પ્રાત:સ્મરણીય અમિત શાહના માર્ગદર્શન અને પ્રેરણા નીચે આ વખતનો ઉનાળો પ્રજાલક્ષી બની રહેશે. ખાસ તો લોકોને, સુતરાઉ કપડાં પહેરવાની રાજ્ય સરકારે છૂટ આપી છે, તેને હું આવકારું છું.”
ભક્તગણ : “ અત્યાર સુધી 70 વર્ષમાં ક્યારે ઉનાળો આવે અને ક્યારે પૂરો થઈ જાય; એની ખબર પડતી ન હતી. બધો યશ મોદી સાહેબને જાય છે. નહેરુએ લોકોનો ગરમીનો અધિકાર છીનવી લીધો હતો; પરંતુ મોદીજીએ ગરીબોને/વંચિતોને ઉનાળાની ગરમીનો અહેસાસ આપવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે.”
IT Cell/વ્હોટસએપ ગેંગ : “આ ઉનાળાને યુનેસ્કો દ્વારા ‘વર્લ્ડ બેસ્ટ ઉનાળો’ જાહેર કરવામાં આવ્યો‼️
#DirectFromWhattsappUniversity
CM ભુપેન્દ્ર પટેલની પ્રજાલક્ષી ‘મહાજાહેરાત’ : “ હવે ઉનાળો ચાલુ થયો; તેથી લોકો ખુલતા તેમજ સુતરાઉ કપડાં પહેરી શકશે !”
પટેલ ની ગુજરાતને ભેટ,
ઠેર ઠેર લોકોમાં ખુશીનો માહોલ. ઉનાળાને આવકારવા ગામડે ગામડે "ગરમી સંકલ્પ યાત્રા"ની તૈયારી.
પ્રતિક્રિયાઓ :
જીતુભાઈ : “ભાજપ હંમેશા પ્રજાની લાગણીનું ધ્યાન રાખે છે અને ઉનાળાની જાહેરાતથી હજારો લોકોને રાતે મફતમાં ઠંડી હવાનો લાભ મળશે !”
નીતિનભાઈ : “કોંગ્રેસ આટલા વર્ષો સુધી લોકોને છેતરીને ક્યારેય ઉનાળાની જાહેરાત કરી નથી, અમારી BJPની સરકારે લોકોની તબિયતનું હંમેશા ધ્યાન રાખ્યું છે; કેરીની સિઝન પણ ચાલુ કરીશું !”
ભુપેન્દ્રસિંહ : “ઉનાળામાં શાળામાં બાળકોને વેકેશન આપવામાં આવશે અને સરકારે નિર્ણય લીધો છે કે વેકેશન દરમ્યાન બાળકોએ શાળામાં જવાનું રહેશે નહીં. કોઈ કાયદાનો ભંગ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.”
પ્રદિપસિંહ : “ઉનાળા દરમ્યાન AC નો ઉપયોગ કરી શકાશે અને AC વાપરતા લોકોને પોલીસ પકડશે નહિ.”
કુંવરજીભાઈ : “આ ઉનાળો ખૂબ ઐતિહાસિક મહત્વ ધરાવતો ઉનાળો છે; કેમ કે આ ઉનાળામાં ચૂંટણી છે. ભાજપા સરકારના આવા વિકાસલક્ષી કાર્યોને હું બિરદાવુ છું.”
પાટીલ: “ છેલ્લા 30 કોંગ્રેસમાં હોવા છતાંય મેં ક્યારે આવો વૈવિધ્યસભર ઉનાળો જોયો ન હતો. યશસ્વી પૂજય મોદીજી અને પ્રાત:સ્મરણીય અમિત શાહના માર્ગદર્શન અને પ્રેરણા નીચે આ વખતનો ઉનાળો પ્રજાલક્ષી બની રહેશે. ખાસ તો લોકોને, સુતરાઉ કપડાં પહેરવાની રાજ્ય સરકારે છૂટ આપી છે, તેને હું આવકારું છું.”
ભક્તગણ : “ અત્યાર સુધી 70 વર્ષમાં ક્યારે ઉનાળો આવે અને ક્યારે પૂરો થઈ જાય; એની ખબર પડતી ન હતી. બધો યશ મોદી સાહેબને જાય છે. નહેરુએ લોકોનો ગરમીનો અધિકાર છીનવી લીધો હતો; પરંતુ મોદીજીએ ગરીબોને/વંચિતોને ઉનાળાની ગરમીનો અહેસાસ આપવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે.”
IT Cell/વ્હોટસએપ ગેંગ : “આ ઉનાળાને યુનેસ્કો દ્વારા ‘વર્લ્ડ બેસ્ટ ઉનાળો’ જાહેર કરવામાં આવ્યો‼️
#DirectFromWhattsappUniversity