WebSankul Surat
2.79K subscribers
2.19K photos
17 videos
558 files
1.58K links
Download Telegram
☑️બજેટ મા સરકાર નું વધુ ધ્યાન વિકાસ પર....

☑️વૈશ્વિક સ્તરે તણાવ થી ગ્લોબલ ગ્રોથ પર થોડી અસર...

☑️બજેટ મા 10 પ્રકાર ની થીમ પર વધુ ધ્યાન...

☑️ગરીબ, મહિલા, યુવા, ના વિકાસ પર વધુ ધ્યાન...

☑️ગ્રામીણ વિકાસ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વિકાસ માટે વધુ જોર આપવામાં આવશે.

☑️ફાઇનાન્સિયલ સેક્ટર મા વધુ રિફોર્મ લાવવામાં આવશે...

☑️100 જિલ્લા મા ધન ધાન્ય યોજના ની શરૂઆત....

☑️તુવેર, અડદ, અને મસુર દાળ માટે 6 વર્ષ નું સ્પેશિયલ મિશન...

☑️બિહાર મા મખાના બોર્ડ બનાવવામાં આવશે

☑️કેન્દ્રીય એજન્સીઓ 4 વર્ષ સુધી દાળ ની ખરીદી કરશે:

☑️શાકભાજી અને ફળ ના ઉત્પાદન માટે રાજ્યો સાથે મળી ને યોજના બનાવવામાં આવશે:

☑️મરીન સેક્ટર નો વિકાસ કરવામાં આવશે....

☑️કિસાન ક્રેડિટ કાર્ડ ની લિમિટ 5 લાખ કરવામાં આવશે....

☑️આસામ મા યુરિયા પ્લાન્ટ ની સ્થાપના કરવામાં આવશે

☑️INDIA POST ને મોટી LOGISTICS સંસ્થા બનાવવામાં આવશે...

☑️નાની કંપનીઓ માટે સ્પેશિયલ ક્રેડિટ કાર્ડ....

☑️ખાદ્ય તેલ મા આત્મનિર્ભરતા કરવા પ્રયાસ કરવામાં આવશે....

☑️ફુટવેર અને લેધર માટે ખાસ યોજના લાવવામાં આવશે....

☑️રમકડાં માટે ભારત ને ગ્લોબલ હબ બનાવવામાં આવશે....

☑️પછાત વર્ગ ની મહિલાઓ માટે ખાસ યોજના લાવવામાં આવશે....

☑️લેધર સ્કીમ થકી 22 લાખ નવા રોજગાર ઉત્પન્ન થશે.

☑️નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન ની શરૂઆત કરવામાં આવશે....

☑️અભ્યાસ મા ભારતીય ભાષાઓ ને વધુ મહત્ત્વ આપવામાં આવશે

☑️IIT ઈન્સ્ટિટ્યૂટ ની સંખ્યા વધારવામાં આવશે....

☑️5 વર્ષ મા મેડિકલ ક્ષેત્રમાં 75,000 સિટો વધારવામાં આવશે....

☑️AI માટે સ્પેશિયલ સેન્ટર ની સ્થાપના કરવામાં આવશે...

☑️નાના વર્કર માટે હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ લાવવામાં આવશે....

☑️નાના વિક્રેતાઓ માટે UPI LINKED CARD આવશે:

☑️UPI LINKED CREDIT CARD ની LIMIT 30,000 થશે:

☑️રાજ્યો ને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના વિકાસ માટે વ્યાજ મુકત રકમ આપવામાં આવશે:

☑️શહેરી વિકાસ માટે 1 લાખ કરોડ ના ફંડ ની ઘોષણા...

☑️2047 સુધી વધુ મા વધુ ન્યુક્લિયર એનર્જી ઉત્પન્ન કરવા પ્રયાસ...

☑️ન્યુક્લિયર એનર્જી માટે ખાસ સ્કીમ....

☑️શીપ બ્રેકિંગ ઉદ્યોગ માટે ખાસ યોજના.......

☑️"ઉડાન" સ્કીમ હેઠળ વધુ મા વધુ શહેરો ને જોડવામાં આવશે....

☑️બિહાર મા નવા એરપોર્ટ નું નિર્માણ કરવામાં આવશે....

☑️SWAMIH સ્કીમ હેઠળ વધુ 40,000 યુનિટ બનાવવામાં આવશે....

☑️રાજ્યો સાથે મળી ને 52 નવા પ્રવાસન સ્થળ વિકસાવવામાં આવશે....

☑️માઇનીંગ માટે નવી પોલિસી લાવવામાં આવશે...

☑️પ્રાઈવેટ સેક્ટર મા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે 20,000 કરોડ

☑️તમામ સરકારી સેકન્ડરી શાળાઓ ને બ્રોડબેન્ડ થી જોડવામાં આવશે....

☑️એક્સપોર્ટ ને પ્રોત્સાહન આપવા નવી યોજનાઓ....

☑️ભગવાન બુદ્ધ થી જોડાયેલા સ્થળ ને વિકસાવવામાં આવશે....

☑️ભારતીય લિપિઓ ના સંરક્ષણ માટે ખાસ યોજના

☑️એક્સપોર્ટ ને પ્રોત્સાહન આપવા સહેલાઈથી પૈસા મળશે....

☑️આવતા અઠવાડિયે નવું ઇન્કમ ટેક્સ બિલ રજૂ કરવામાં આવશે...

☑️ઇન્સ્યોરન્સ મા 100% FDI LIMIT થશે.

☑️RE KYC ની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે....

☑️ઇન્સ્યોરન્સ સેક્ટર મા FPI LIMIT 100% કરવામાં આવશે...

☑️36 જીવન રક્ષક દવા પર થી કસ્ટમ ડયુટી હટાવવામા આવશે....

☑️ઈલેક્ટ્રિક સમાન પર કસ્ટમ ડયુટી મા બદલાવ કરવામાં આવશે...

☑️LEAD અને ZINC પર પ્રાથમિક ડયુટી નહીં લાગે....

☑️ક્રસ્ટ લેઘર પરથી ડયુટી હટાવવામાં આવશે...

☑️સહેલાઈ સાથે નું નવું ઇન્કમ ટેક્સ બિલ લાવવામાં આવશે....

☑️નવો ઇન્કમ ટેક્સ કાયદો સહેલો અને ટૂંકો હશે....

☑️TDS દરો ને સરળ બનાવવામાં આવશે

☑️સિનિયર સિટીઝન માટે ટેક્સ મા મોટી રાહત....

☑️"વરિષ્ઠ નાગરિકો માટે કર કપાતની મર્યાદા બમણી કરીને રૂ. 1 લાખ કરવામાં આવશે"

☑️ભાડા પર TDS ની LIMIT વધારી ને 6 લાખ કરવામાં આવી..

☑️TCS ની મોડી ચુકવણી પર કોઈ કેસ નહીં થાય....

☑️સૌથી મોટી જાહેરાત.....

☑️12 લાખ ની આવક સુધી કોઈ TAX નહીં....
🔆આર્થિક સર્વેક્ષણ 2025: જીડીપી વૃદ્ધિ દર 6.4% હોવાનો અંદાજ છે.

✓ નાણાકીય વર્ષ 2025: ભારતનો વાસ્તવિક જીડીપી 6.4% હોવાનો અંદાજ છે.
✓ નાણાકીય વર્ષ 2026: જીડીપી વૃદ્ધિ 6.3% - 6.8% ની રેન્જમાં રહેવાની સંભાવના છે.

CPI આધારિત ફુગાવો: FY24 (એપ્રિલ-ડિસેમ્બર 2024) માં 5.4% થી 4.9% સુધી ઘટાડો
બેરોજગારી દર: 2017-18માં 6% → 2023-24માં 3.2% (PLFS રિપોર્ટ)
🔆 ભારતે 4 નવી રામસર સાઇટ્સ ઉમેર્યા, કુલ સંખ્યા 89 થઈ! 

  જેમ જેમ વિશ્વ વિશ્વ વેટલેન્ડ્સ દિવસની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે ભારત ગર્વથી આના સમાવેશની જાહેરાત કરે છે: 

1.સક્કારકોટ્ટાઈ પક્ષી અભયારણ્ય, તમિલનાડુ 

2.થેરથંગલ પક્ષી અભયારણ્ય, તમિલનાડુ 

3.ખેચિયોપાલરી વેટલેન્ડ, સિક્કિમ 

4.ઉધવા તળાવ, ઝારખંડ

ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ્સ (20) સાથે તમિલનાડુ રાજ્ય બન્યું છે.
તાજેતરમાં WHO દ્વારા જ્યોર્જિયા ને મલેરીયા મુક્ત દેશ જાહેર કરાયો.
નમો સરસ્વતી યોજના

• સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શિક્ષણ માટે વધુ વિકલ્પો અને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023-24માં ધોરણ 6થી 12 માટે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ અને ધોરણ 9થી 12 માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનાઓ અમલીકૃત કરવામાં આવી છે.

તેની સફળતાને ધ્યાને રાખી, વર્ષ 2024-25થી ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્વતી યોજના અંતર્ગત વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ શરૂ કરવાની જોગવાઇ કરેલ છે.

• વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ અંતર્ગત દર વર્ષે ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહ લેનાર વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ સ્કોલરશીપ આપવામાં આવશે, જે માટે વર્ષ 2024-25 માટે રૂ. 250 કરોડની જોગવાઇ કરવામાં આવશે.

• કોઇપણ શાળામાંથી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 50%થી વધુ ટકા સાથે પાસ કરનાર વિદ્યાર્થીને ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર સ્કોલરશીપ મળશે -

0 ધોરણ 11 માટે વાર્ષિક રૂ. 10,000/- તેમજ ધોરણ 12 માટે વાર્ષિક રૂ.15,000/-આપવામાં આવશે.

આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિધાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષીક ૨ લાખથી વધુ ૫ લાખ થવાનો અંદાજ છે.
🏆 ભારતરત્નથી સન્માનિત વડાપ્રધાન

1⃣ જવાહરલાલ નહેરુ (1955)

2⃣ લાલબહાદુર શાસ્ત્રી (1966)

3⃣ ઇન્દિરા ગાંધી (1971)

4⃣ રાજીવ ગાંધી (1991)

5⃣ મોરારજી દેસાઈ (1991)

6⃣ ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) (1997)

7⃣ અટલબિહારી બાજપાઈ (2015)



🏆 ભારતરત્નથી સન્માનિત રાષ્ટ્રપતિ

1⃣ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન (1954)

2⃣ ડો. રાજેન્દ્ર પ્રસાદ (1962)

3⃣ ડો. ઝાકીર હુસેન (1963)

4⃣ ડો. વી. વી. ગિરી (1975)

5⃣ ડો. અબ્દુલ કલામ (1997)

6⃣ પ્રણવ મુખર્જી (2019)
મહાનુભાવોની સમાધી સ્થળના નામ

(1) ચૌધરી ચરણસિંહ : કિશાન ઘાટ,                      

(2) લાલબહાદુર શાસ્ત્રી : વિજય ઘાટ,                 

(3) બાબુ જગજીવનરામ : સમતા ઘાટ,
                 
(4) જ્ઞાની ઝૈલસિંહ : એકતા સ્થળ,               

(5) ઇંદિરા ગાંધી : શકિત સ્થળ,                                  

(6) રાજીવ ગાંધી : વીર ભૂમિ,                                     

(7) ચીમનભાઇ પટેલ : નર્મદા ઘાટ,                

(8) મોરારજીભાઈ દેસાઈ : અભય ઘાટ,                   

(9) મહાત્મા ગાંધી : રાજ ઘાટ,                                  

(10) બી. આર. આંબેડકર : ચૈતન્ય ભૂમિ /ચૈત્રા ભૂમિ,                                 

(11) ગુલઝારીલાલ નંદા : નારાયણ ઘાટ,        

(12) જવાહરલાલ નહેરુ : શાંતિવન,                  


(13) સંજય ગાંધી : શાંતિવન,                        

(14) શંકરદયાલ શર્મા : કર્મ ભૂમિ,                  

(15) ડૉ. રાજેન્દ્ર : મહાપ્રયાણ ઘટ,       

(16) મહાદેવભાઈ દેસાઇ : ઓમ સમાધી.
👍4👌1
🔶મહિલા U-19 T20 વર્લ્ડ કપ🔶

• ભારત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું.

• ભારતે, સાઉથ આફ્રિકાને હરાવ્યું.

• પ્લેયર ઑફ ધ મેચ - ત્રિશા

• પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ - ત્રિશા
👍42
નવું કૌશલ્ય બનાવવા માટે નો
30 For 30નો અભિગમ

જો તમે તમારા દિવસની માત્ર 30 મિનિટ જ કાઢો છો. તમે એવી આદત બનાવી શકો છો જે તમે હંમેશા બાંધવા માંગતા હોવ. સુસંગતતા આમાં મોટી ભૂમિકા ભજવે છે, માત્ર થોડા દિવસો માટે જ નહીં. તમારે તેને 30 દિવસ સુધી સીધું કરવું પડશે....


Good morning future officers💐💐
👍3
☀️ 4 નવી રામસર સાઇટ્સ:-

1.સક્કારકોટ્ટાઇ અભયારણ્ય, તમિલનાડુ

2.થેરથંગલ પક્ષી અભયારણ્ય, તમિલનાડુ

3.ખેચિયોપાલરી વેટલેન્ડ, સિક્કિમ

4.ઉધવા તળાવ, ઝારખંડ


☀️અંડર 19 મહિલા વિશ્વ કપ: ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત બન્યું ચેમ્પિયન ( બીજી  વખત)

આ ટુર્નામેન્ટ ની ખાસ વાત એ હતી કે ભારતે ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી ન હતી અને બધી મેચ જીતીને ટાઇટલ જીતનાર પ્રથમ ટીમ બની હતી.

☀️વલસાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (VIMS) હોસ્પિટલનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ના હસ્તે લોકાર્પણ


☀️ક્રિકેટના મહાનાયક સચિન તેંડુલકરને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો.  

તેંડુલકરને BCCIએ શનિવારે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરેલ છે.

2023માં આ સન્માન પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રી અને વિકેટકીપિંગના દિગ્ગજ ફારુખ એન્જિનિયરને આપવામાં આવ્યો હતો.


☀️તાજેતરમાં, ન્યુઝીલેન્ડના માઉન્ટ તરનાકી, જેને તરનાકી મૌંગા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને સત્તાવાર રીતે કાનૂની વ્યક્તિ તરીકે માન્યતા આપવામાં આવી હતી.


#current
2👎1
🔥🔥 IMP Points 🔥🔥

📚 સામાન્ય વિજ્ઞાન.📚

સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ કયું છે
👉ફ્લોરિન

સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કયું છે
👉સિઝિયમ

સૌથી હલકું તત્વ કયું છે
👉હાઇડ્રોજન

સૌથી હલકું ધાતુ તત્વ કયું છે
👉લિથીયમ

સૌથી ભારે તત્વ કયું છે
👉કાર્બન ડાયોક્સાઇડ

સૌથી ભારે ધાતુ તત્વ કયું છે
👉ઓસ્મિયમ

🆘  વાંચીને 👍 કરવાનું ભૂલતા નહિ

╭────────────────╮
    ☞ જોડાઓ અમારી સાથે ☜ ╰────────────────╯
●═════⊱◈✿◈⊰═══════● 
https://t.me/websankul_surat
●═════⊱◈✿◈⊰═══════●
👍5
વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day)
કેન્સર જેવા જીવલેણ રોગ અને તેના લક્ષણો વિશે જાગરૂકતા લાવવા માટે દર વર્ષે સમગ્ર વિશ્વમાં 4 ફેબ્રુઆરીએ 'વિશ્વ કેન્સર દિવસ' ની ઉજવણી કરવામાં આવે છે.

વર્ષ 2025 થી 2027 - સુધીના વિશ્વ કેન્સર દિવસના અભિયાનની थीम - "United by Unique"
2
☀️ શુભાંશુ શુક્લા - IAF અધિકારી ISS માટે ખાનગી મિશન માટે પ્રથમ ભારતીય અવકાશયાત્રી બન્યા.


☀️ નિયમિત સ્માર્ટફોનનો ઉપયોગ કરીને વિશ્વનો પ્રથમ સેટેલાઇટ વિડિયો કોલ કરતી કંપની બની વોડાફોન.


☀️ગ્રેમી 2025: ભારતીય મૂળની ચંદ્રિકા ટંડને 'ત્રિવેણી' આલ્બમ માટે એવોર્ડ જીત્યો.

67મા ગ્રેમી એવોર્ડ સમારોહ લોસ એન્જલસના ડાઉનટાઉનમાં ક્રિપ્ટોટાઉન એરિના ખાતે યોજાયો હતો.

જ્યાં સંગીત જગતના પ્રતિભાશાળી કલાકારો અને પોપ સંગીતના મોટા દિગ્ગજોનું સન્માન કરવામાં આવ્યું હતું..

ચંદ્રિકા ટંડન, વાઉટર કેલરમેન અને એરુ માત્સુમોતોએને ત્રિવેણી' માટે બેસ્ટ ન્યૂ એજ આલ્બમનો ગ્રેમી એવોર્ડ મળ્યો છે.

બિયોન્સેને તેના પ્રખ્યાત આલ્બમ 'કાઉબોય કાર્ટર' માટે સૌથી વધુ નોમિનેશન મળ્યા હતા. તેણીએ પોતાની કારકિર્દીમાં 32 ગ્રેમી એવોર્ડ જીત્યા છે.


☀️વડોદરાની દીકરી, નિશાકુમારીએ તાજેતરમાં વડોદરાથી લંડન(16000 કિમી) ની મહાવિકટ અને પડકારો થી ભરેલી સાયકલ યાત્રા, મુસીબતો થી હતાશ થયા વગર અને વિષમ વાતાવરણ થી ડગ્યા વગર પુરી કરી.


☀️દક્ષિણ આફ્રિકા ખાતે BAPS દ્વારા સૌથી મોટા હિન્દુ મંદિરનું ઉદઘાટન

2 ફેબ્રુઆરીના રોજ જોહાનિસબર્ગના નોર્થરાઇડિંગમાં આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ હિંદુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલનો મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ સમારોહ સંપન્ન થયો હતો.


#current
કુંભમેળો

કુંભ અથવા કળશ. એક માન્યતા મુજબ સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયેલા 'અમૃત કળશ' સાથે સંબંધિત છે. આ કળશને દાનવોથી બચાવવા માટે ભગવાન ઈન્દ્રના પુત્ર જયંત જ્યારે કળશ લઈને ભાગી રહ્યા હતા ત્યારે અમૃતના ટીંપા પૃથ્વી ઉપર ચાર સ્થળે પડયા. આ ચાર સ્થળો પ્રયાગરાજ, હરિદ્વાર, નાશિક અને ઉજ્જૈન નામે જાણીતા થયા. હિંદુઓની આસ્થાના પ્રતિક એવો કુંભ મેળો સૌથી મોટો અને પવિત્ર મેળો છે. પવિત્ર નદીઓના સંગમતીર્થ સ્થાને ભરાતો આ મેળો ધાર્મિક દ્રષ્ટિએ પણ અતિમહત્વનો છે.

કુંભમેળા વિશેની પૌરાણિક માહિતી ભાગવતપુરાણ, વિષ્ણુપુરાણ, મહાભારત, રામાયણ જેવા ગ્રંથોમાંથી મળે છે. આ ઉપરાંત હ્યુ-એન-ત્સાંગના સી-યુ-કી પુસ્તકમાંથી કુંભમેળા વિશેની ઔતહાસિક માહિતી પ્રાપ્ત થાય છે.

કુંભમેળો અલગ અલગ સ્થળે દર ૩ વર્ષે એક વાર તથા એકના એક સ્થળે દર 12 વર્ષે ભરાય છે. હરિદ્વાર અને પ્રયાગરાજ (અલાહાબાદ)માં દર 6 વર્ષે અર્થકુંભમેળો ભરાય છે, અને એક મહાકુંભ 144 વર્ષે એક જ વાર ભરાય છે. ગુરૂ ગ્રહ સિંહ રાશિમાં સ્થિત હોય છે ત્યારે નાસિક અને ઉજજૈનમાં આ કુંભમેળો ભરાય છે તેને 'સિંહસ્થ કુંભ' પણ કહેવાય છે.

વર્ષ 2017 માં યુનેસ્કોએ કુંભમેળાને 14મા અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કર્યો છે.

1. પ્રયાગરાજ (ઉતરપ્રદેશ)

નદી: ગંગા, જમુના અને પૌરાણિક સરસ્વતી નદીનો સંગમ.

મહીનો:માધ (જાન્યુઆરી-ફેબ્રુઆરી)

2. હરિદ્વાર(ઉત્તરાખંડ)

નદી: ગંગા

મહીનો: ચૈત્ર (માર્ચ-એપ્રિલ)

3.નાસિક-ત્રયંમ્બક(મહારાષ્ટ્ર)

નદી: ગોદાવરી

મહીનો: ભાદરવો (ઓગસ્ટ-સપ્ટેમ્બર)

4.ઉજ્જૈન (મધ્યપ્રદેશ)

નદી: ક્ષિપ્રા

મહીનો: વૈશાખ (એપ્રિલ-મે)
🔆 ઈતિહાસમાં પ્રથમ વખત, દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન 12 ફેબ્રુઆરીએ લગ્ન સમારોહનું આયોજન કરવા માટે તૈયાર છે.

અસાધારણ ઈશારામાં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ CRPF સહાયક કમાન્ડન્ટ પૂનમ ગુપ્તાને રાષ્ટ્રપતિ ભવનની અંદર લગ્ન કરવાની મંજૂરી આપી.

રાષ્ટ્રપતિના અસાધારણ નિર્ણય પાછળનું કારણ પૂનમ ગુપ્તાનું સારું વર્તન હતું. 

અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ મુર્મુ ગુપ્તાની વિશિષ્ટ સેવાથી પ્રભાવિત થયા હતા. 

આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પૂનમ ગુપ્તા, જેઓ હાલમાં રાષ્ટ્રપતિ ભવનમાં પર્સનલ સિક્યુરિટી ઓફિસર (પીએસઓ) તરીકે તૈનાત છે, તેમણે 74મા ગણતંત્ર દિવસ સમારોહ દરમિયાન CRPFની તમામ મહિલા ટુકડીનું નેતૃત્વ કર્યું હતું.

  રાષ્ટ્રપતિ ભવન ખાતે મધર ટેરેસા ક્રાઉન કોમ્પ્લેક્સમાં યોજાનાર લગ્ન સમારોહમાં સંબંધીઓ અને નજીકના મિત્રો સહિત પસંદગીના મહેમાનોની યાદી હશે.
👍3🥰1
ગુજરાતમાં સૌપ્રથમ સર સંશોધન કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવી
Anonymous Quiz
15%
ગોધરા
43%
ધરમપુર
38%
નખત્રાણા
3%
સુરત
1
ગુજરાત રાજ્ય સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન ની ગવર્નિંગ પ્રથમ બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું
Anonymous Quiz
23%
અમદાવાદ
57%
ગાંધીનગર
16%
સુરત
4%
વડોદરા
2