સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-4*

*📝હડપ્પા સંસ્કૃતિ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●ભારતમાં સર્વપ્રથમ જો કોઈ મહાન સભ્યતા અસ્તિત્વમાં આવી હોય તો તે કઈ સભ્યતા છે
*સિંધુ ખીણની સભ્યતા*

●1921માં પશ્ચિમ પંજાબ પ્રાંતમાં (જે હવે પાકિસ્તાનમાં છે) એક પ્રાચીન શહેર મળી આવ્યું, જેનું નામ
*હડપ્પા*

●હડપ્પાની સાઈટ પશ્ચિમ પંજાબના કયા જિલ્લામાં આવેલી છે
*મોન્ટગોમરી*

●કઈ સભ્યતા જ્યારે અસ્તિત્વમાં હતી ત્યારે આખી પૃથ્વી પર તેના જેવડી બીજી કોઈ સભ્યતા નહોતી
*હડપ્પા સભ્યતા*

●મિસરની સંસ્કૃતિનું સિંચન કઈ નદીએ કર્યું
*નાઈલ*

●હડપ્પાના ટેકરાનો સૌપ્રથમ ઉલ્લેખ કોણે કર્યો હતો
*ચાર્લ્સ મેસન*

●હડપ્પીય લોકો ........ જાતિના હતા
*મિશ્ર*

●સિંધુ ખીણની સંસ્કૃતિની આધારશીલા ક્યારે મુકાઈ
*ઇ.પૂ.3500માં*

●હડપ્પા કાલીન સભ્યતાને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવે છે
*1.પ્રારંભિક કાળઇ.પૂ.3500 થી ઇ.પૂ.2800*
*2.મધ્ય કાળઇ.પૂ. 2809 થી ઇ.પૂ.2200*
*3.ઉત્તર કાળઇ.પૂ.2200 થી ઇ.પૂ.1500*

●હડપ્પા સંસ્કૃતિના લોકો તાંબાને બદલે કઈ ધાતુનો ઉપયોગ કરતા હતા
*કાંસા*
*આથી તે કાંસ્યકાલીન સભ્યતા કહેવાય છે*

●હડપ્પા સભ્યતાના લોકો સોનું, ચાંદી ક્યાંથી મંગાવવામાં આવતું
*અફઘાનિસ્તાન તથા ઈરાન*

●હડપ્પા વાસીઓ તાંબું ક્યાંથી મંગાવતા
*રાજસ્થાન*

●હડપ્પાવાસીઓ......
*શંખ અને છીપલા કાઠિયાવાડના દરિયાકાંઠેથી તથા દેવદારનું લાકડું હિમાલયમાંથી પ્રાપ્ત કરતા*

●મેસોપોટેમિયાના કયા વિસ્તારમાં હડપ્પીય યુગની છાપ મળી છે
*દજલા અને ફરાતથી*

●શૃંગારના સાધનો ક્યાંથી ભારતમાં આવતા
*મેસોપોટેમિયા*

●મેસોપોટેમિયાના ઇ.પૂ.2350 આસપાસના શિલાલેખો પર લખ્યું છે કે તેમને મેલુહા સાથે વ્યાપારી સંબંધો હતા.મેલુહા કયા પ્રદેશનું પ્રાચીન નામ હોવાનું અનુમાન છે
*સિંધ પ્રદેશ*

●હડપ્પીય સભ્યતાના મહત્વના સ્થળો
*મોહેં જો ડેરો*
*ચહુન્દડો*
*ખંભાતની ખાડી સમીપ આવેલું લોથલ*
*રાજસ્થાનમાં આવેલું કાલીબંગા*
*હરિયાણાના હિસાર જિલ્લામાં આવેલું બનવાલી*

●હડપ્પીય સભ્યતાના પ્રારંભિક કાળના દર્શન ક્યાં થાય છે
*કાલીબંગા અને બનવાલીમાં*

●હડપ્પા નગરની વિશેષતા શી
*કાંસુ, માટી અને તાંબાના સાધનો, પકાવેલી ઈંટો, અલગ અલગ આકારની છાપ, તાંબાની બનેલી ઇક્કાગાડી (યાને એક ઘોડા વડે ચાલતી ઘોડાગાડી)*
*મોહેં જો ડેરો માંથી સ્ત્રીઓની મૂર્તિ વધુ મળી આવી છે જ્યારે હડપ્પા ખાતેથી પુરુષોની મૂર્તિ અધિક મળી આવી છે*

●મોહેં જો ડેરો એટલે
*મરેલાઓનો ટેકરો*
*મૂળ આ સિંધી શબ્દ છે*
*રખાલદાસ બેનર્જીએ 1922માં તેની શોધ કરી હતી*

●હડપ્પા કાળના ખેડાયેલા ખેતરો ક્યાંથી મળી આવેલ છે
*રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં આવેલી કાલીબંગા સાઈટ ખાતેથી*

●હડપ્પા લિપિ કેવી રીતે લખાતી
*જમણેથી ડાબે(ઉર્દુની જેમ)*
*આ લિપિ હજી ઉકેલી શકાઈ નથી*

●કાલીબંગા નામ શાથી પડ્યું
*કાળા રંગની બંગળી પરથી*

●સિંધુ સભ્યતાનું વ્યાપારિક કેન્દ્ર કયું હતું
*લોથલ*
*1954માં એસ.આર.રાવે શોધ્યું હતું*
*હડપ્પા યુગનું મહત્વનું વ્યાપારી બંદર હતું*
*અહીંથી વજનિયાં મળ્યા છે*
*214 મીટર બાય 36 મીટર બાય 3.3 મીટરનું ડોકયાર્ડ મળ્યું છે*

●હડપ્પા યુગની સભ્યતા તેની ........ માટે વખણાય છે
*નગર રચના*

●હડપ્પા યુગમાં મુખ્ય માર્ગ કેટલો પહોળો રહેતો
*33 ફૂટ*

●હડપ્પા યુગમાં અનાજનો સૌથી મોટો કોઠાર ક્યાં આવેલો છે
*મોહેં જો ડેરો*

●હડપ્પા કાળમાં ગટરની ઈંટોને એકબીજા સાથે જોડવા શેનો ઉપયોગ થતો
*ચુનાવાળી માટી*

●હડપ્પાની વૈદિક સભ્યતા કેવી હતી
*ગ્રામીણ*

●હડપ્પા સભ્યતાના લોકો કોની પૂજા કરતા
*માતૃદેવી*

●હડપ્પા કાળના લોકો આંખ કાનન રોગો મટાડવા શેનો ઉપયોગ કરતા
*માછલાના હાડકાં*
*હરણના શીંગડા, મૂંગા તથા લીંબડાના પાનનો પણ ઉપયોગ કરતા*

●હડપ્પા કાલીન લોકો તલ અને સરસવ કયા વિસ્તારમાં ઉગાડતા
*બનવાલી*

●હડપ્પા કાળમાં ટેક્સ રૂપે શુ વસુલવામાં આવતું
*અનાજ*

●પૃથ્વીના પટ પર કઇ સભ્યતાના લોકોએ સૌથી પહેલી વખત કપાસની ખેતી કરી
*હડપ્પા સભ્યતાના*

●યુનાનીઓએ કપાસને શું નામ આપ્યું હતું
*સિન્ડોન*
*તેની ઉત્પત્તિ સિંધુ શબ્દ પરથી થયેલી*

●હડપ્પા સભ્યતામાં ક્યાંના નિવાસીઓએ ઘોડા પડેલા
*સુરકોટડા*

●મિસરની સંસ્કૃતિના લોકો નાઈલ નદીની દેવી આઈસીસની પૂજા કરતા એવી રીતે હડપ્પન સંસ્કૃતિના લોકો કોની પૂજા કરતા
*ધરતી દેવી*

*🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞*

*🔥Coming up next પ્રાચીન ભારત લેખાંક-5👇🏻*

*https://t.me/jnrlgk*

💥રણધીર💥
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-5*

*📝હડપ્પન સંસ્કૃતિસિંધુ ખીણની સંસ્કૃતિ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●હડપ્પીય સભ્યતાના લોકો વૃક્ષ, પશુ અને દેવતાઓની પૂજા કરતા, પરંતુ............
*દેવતાઓ માટે મંદિર બંધતા નહોતા*
*તેની સમકાલીન મિસર અને મેસોપોટેમિયા સભ્યતામાં મંદિરો બાંધવામાં આવતા*

●હડપ્પન સભ્યતાના લોકો .........
*ભૂતપ્રેતમાં માનતા*

●કયા વેદમાં રોગ અને ભૂતપ્રેતના નિવારણ માટે અનેક તંત્ર મંત્ર આપવામાં આવ્યા છે
*અથર્વવેદ*

●ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ આર્યોએ રચ્યા છે જ્યારે અથર્વવેદ કોના દ્વારા રચવામાં આવ્યો હોવાનું કહેવાય છે
*આર્યેત્તર*

https://t.me/jnrlgk

*●સિંધુ ખીણની સભ્યતાના લોકો .....*
નૃત્યના શીખીણ હતા
નાચવા અને ગાવામાં કુશળ હતા
સંગીતમાં તેમની રુચિ હતી
તબલા જેવું વાદ્ય, ઢોલ અને વાજુ મળી આવ્યા છે
તેઓ મૂર્તિ બનાવવામાં માહેર હતા
ચિત્રકળામાં પણ પ્રવિણ હતા
આખલા અને ભેંસના ચિત્રો બનાવતા
માટીના વાસણ અને રમકડાં બનાવવામાં નિપુણ હતા
પથ્થર, ધાતુ અથવા હાથી દાંતની છાપ બનાવાતી હતી
મૂલ્યવાન રત્નોને આકાર આપી આભૂષણો બનાવતા
સોના, ચાંદી અને તાંબાનો ઉપયોગ કરતા

●સિંધુ ખીણની સભ્યતાની બે રાજધાની કઈ કઈ હતી
*1.હડપ્પાઉત્તરીય નગરોની અને 2.મોહેં જો ડેરોદક્ષિણીય નગરોની રાજધાની*

●સિંધુ સભ્યતાના લોકો........
*શાંતિપ્રિય હતા*

●સિંધુ સભ્યતાનો અવનતિકાળ કયો છે
*ઇ.પૂ.2200 થી ઇ.પૂ.1500*

●માર્શલ, એમ.આર. સાહની, રેઇક્સ વગેરે વિદ્વાનોના મત મુજબ સિંધુ સભ્યતાનો વિનાશ કેવી રીતે થયો હતો
*પૂર અથવા ભૂકંપને કારણે*

●ઓરેલ સ્ટીન અને એમલાનંદ ઘોષના મત મુજબ સિંધુ સભ્યતાનો વિનાશ કેવી રીતે થયો
*ક્લાઈમેટ ચેન્જને કારણે*

●ઇ.સ.1934માં ગાર્ડન ચાઇલ્સે સંભાવના વ્યક્ત કરી હતી કે હડપ્પીય સભ્યતાના પતન માટે કોનું આક્રમણ જવાબદાર છે
*આર્યોનું*

●ભારતમાં તામ્ર, કાંસ્ય બાદ કયા યુગની સંસ્કૃતિનો ઉદ્દભવ થયો
*લોહ યુગ*

https://t.me/jnrlgk

●વિશ્વમાં સૌપ્રથમ કઈ જાતિના લોકોએ લોઢાનો ઉપયોગ પ્રારંભ કર્યો
*હિત્તિ*
*આ જાતિ એશિયામાં વસતી હતી*

●તજજ્ઞોના મત મુજબ ભારતમાં લોઢાનો ઉપયોગ ક્યારે થયો
*ઇ.પૂ.1000માં*

●લોહ ઉદ્યોગનો પ્રારંભ કઈ સંસ્કૃતિથી થયો
*માળવા તેમજ બનાસ સંસ્કૃતિથી*

●કર્ણાટકના કયા વિસ્તારમાંથી ઇ.પૂ.1000ના લોખંડના અવશેષો મળ્યા
*ધારવાર ખાતેથી*

●અતરંજીખેડા ખાતેથી કયા અવશેષ પ્રાપ્ત થયા છે
*ધાતુ ગાળવાની ભઠ્ઠી*

●સોનપુર અને ચિરાંદ ખાતેથી કયા અવશેષ પ્રાપ્ત થયા છે
*છીની અને ખીલા*

●લોઢાની કોદાળી અને દાંતરડું ક્યાંથી મળી આવેલ છે
*જખેડા*

●દિલ્લી પાસે લોહયુગની એક સાઈટનું નામ છે...........
*હસ્તિનાપુર*
*અહીંથી ચોખાના, પશુઓના અને ઘોડાના હાડકાં મળ્યા છે*

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*

*🔥👇🏻Next પ્રાચીન ભારત લેખાંક-6👇🏻*

*https://t.me/jnrlgk*

💥રણધીર💥
▪️પુરાતત્વવિદોએ સિંધુ નદીના ખીણ પ્રદેશમાં સંસ્કૃતિના સંશોધન માટે સૌપ્રથમ કયા સ્થળે ખોદકામ કરાવ્યું હતું
*✔️હડપ્પા*

▪️સિંધુ સંસ્કૃતિ તરફ 1826માં સર્વપ્રથમ કયા અંગ્રેજ વિદ્વાનનું ધ્યાન દોરાયું હતું
*✔️ચાર્લ્સ મેસન*

▪️સિંધુ સંસ્કૃતિ તરફ ધ્યાન દોરવામાં પ્રેરક બનતા પ્રથમ પ્રાપ્ત અવશેષો કયા હતા
*✔️ઈંટો*

▪️સિંધુ સંસ્કૃતિ તરફ ધ્યાન દોરનાર અંગ્રેજ વિદ્વાનોમાં કનિંગહામ હતા.તેઓ ભારતમાં સર્વપ્રથમ 1848માં કયા હોદ્દા પર હતા
*✔️એન્જીનીયર*

▪️હડપ્પાનું ખોદકામ કયા ભારતીય પુરાતત્વવિદના માર્ગદર્શન હેઠળ થયું હતું
*✔️દયારામ સાહની*

▪️મોહેં જો દડોના રસ્તાઓની મુખ્ય વિશેષતા શું હતી
*✔️90°ના ખૂણે મળતા*

▪️મોહેં જો દડો પાકિસ્તાનના સિંધ પ્રાંતના કયા જિલ્લામાં આવેલું છે
*✔️લારખાના*

▪️હડપ્પા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કયા જિલ્લામાં આવેલું છે
*✔️મોન્ટગોમરી*

▪️મોહેં જો દડોમાં 12 મીટર લાંબું, 7 મીટર પહોળું અને 2 મીટર ઊંડા કુંડ વાળું જે વિશાળ બાંધકામ વાળા સ્થાપત્યના અવશેષ મળ્યા છે તેને........ કહે છે
*✔️સ્નાનાગાર*

▪️સિંધુ ખીણના લોકોની એક પ્રિય રમત કઈ હતી
*✔️સોગઠા (શતરંજ)*

▪️દક્ષિણ ગુજરાતમાં ભાગાતળાવ નામના સ્થળે સિંધુ સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. ભાગાતળાવ કઈ નદીના કિનારે આવેલું છે
*✔️કીમ*

▪️સિંધુ સંસ્કૃતિના લોકો કયા દેશમાંથી ચાંદી, કલાઈ, સીસું અને સોનુ વગેરેની આયાત કરતા
*✔️અફઘાનિસ્તાન*

▪️સિંધુ સંસ્કૃતિના લોકો ભારતના કયા રાજ્યમાંથી તાંબું મેળવતા
*✔️રાજસ્થાન*

▪️ઉત્તરપ્રદેશના કયા સ્થળેથી સિંધુ સંસ્કૃતિના અવશેષો મોટા પ્રમાણમાં હાથ લાગ્યા છે
*✔️આલમગીરપુર*

▪️સિંધુ સંસ્કૃતિના રસ્તા આશરે કેટલા મીટર પહોળા રાખવામાં આવતા
*✔️3 થી 10 મીટર*

▪️ચંદીગઢ નજીક પંજાબમાં કયા સ્થળેથી સિંધુ સંસ્કૃતિના અવશેષ મળે છે
*✔️રૂપડ*

▪️સિંધુ સંસ્કૃતિના સમયમાં ભારતનું કાપડ બેબીલોનમાં કયા નામે ઓળખાતું
*✔️સિંધુ*

▪️સિંધુ સંસ્કૃતિના સમકાલીન સુમેર અને એલમ હાલના કયા દેશમાં આવેલા હતા
*✔️ઈરાક*

▪️મોહેં જો દડોના ખોદકામમાંથી ત્રણ મુખવાળા, યોગાસનમાં બેઠેલા એક દેવની મૂર્તિ મળે છે. આ મૂર્તિ વિદ્વાનો કયા દેવની હોવાનું જણાવે છે
*✔️શિવ*

▪️પુરાતત્વવિદોને કયા સ્થળના ખોદકામમાંથી પથ્થરની ઘંટીના અવશેષ મળે છે
*✔️લોથલ*

▪️હડપ્પામાંથી પ્રાપ્ત વાસણો કયા રંગના મળે છે
*✔️આછાં પીળાં*

https://t.me/jnrlgk*

💥 રણધીર💥
*🍁વન લાઈનર🍁*

🌸આર્યોનું મૂળ વતન ભારત હતું. એમ કહેનાર
*લોકમાન્ય ટિળક*

🌸મોટા ભાગના વિદ્વાનો આર્યોનું મૂળ વતન કયું ગણે છે
*મધ્ય એશિયા*

🌸કયા અંગ્રેજ વિદ્વાને ઋગ્વેદનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે
*મેક્સમૂલર*

🌸આર્યો બહારથી આવીને સર્વપ્રથમ કયા પ્રદેશમાં સ્થિર થયા
*સપ્તસિંધુ*

🌸વેદયુગમાં ધર્મરક્ષક અધિકારીનું ફરજ કોણ બજાવતા
*પુરોહિત*

🌸વેદયુગમાં રાજાની સાથે વનમાં જનાર અધિકારી કયા નામે ઓળખાતો
*ગોવિકર્તા*

🌸'ધ આર્કટિક હોમ ઓફ ધ વેદાઝ' નામે પુસ્તક કોણે લખેલું છે
*લોકમાન્ય ટિળક*

🌸ઋગ્વેદના નવમા મંડળના બધા સૂક્તો કોઈ એક જ દેવને ઉદ્દેશીને રચેલા છે. એ દેવનું નામ......
*સોમ*

🌸કયા વેદની રચના ગદ્ય-પદ્ય બંનેમાં થયેલી છે
*યજુર્વેદ*

🌸આર્યો ઉત્સવ પ્રસંગે 'સુરા' નામનું માદક પીણું પીતા. આ પીણું કઈ વનસ્પતિમાંથી બનતું
*જવ*

🌸વેદકાલીન સમયમાં આર્ય સ્ત્રી-પુરુષો જેનો નિયમિત ઉપયોગ કરતા તે 'નિવિ' અને 'વાસ'નો સંબંધ આધુનિક કઈ વસ્તુ સાથે છે
*વસ્ત્ર*

🌸વેદકાલીન સમાજમાં 'નિષ્ક' એ શું હતું
*નાણું(સિક્કો)*

🌸કોને 'પરમાત્માની વાણી' કહે છે
*ઉપનિષદોને*

🌸કોને 'વેદાંત' કહે છે
*ઉપનિષદો*

🌸ઋગ્વેદના કયા સૂક્તમાં જગતની ઉત્પત્તિ વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે
*નાસદીય સૂકત*

🌸આર્યોના જીવનમાં 'બુદ્ધિનો પ્રદાતા દેવ' કોણ
*સૂર્ય*

🌸ઇન્દ્રને અસુરોનો સંહાર કરવામાં સહાય કરનાર દેવ તે
*મરુત*

🌸આર્યો પૃથ્વી ઉપર વરસાદ લાવવા કયા દેવની આરાધના કરતા
*પર્જન્ય*

🌸વેદ ગ્રંથોમાં ઉલ્લેખ પ્રમાણે સભા અને સમિતિ એ બે સંસ્થાઓને કયા દેવની પુત્રીઓ ગણવામાં આવી છે
*પ્રજાપતિ*

🌸કયા વેદના બે વિભાગ પડે છે
*યજુર્વેદ*

🌸આર્યો સ્વર્ગપ્રાપ્તિ માટે કયો યજ્ઞ કરાવતા
*બ્રહ્મયજ્ઞ*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*Singular - Plural*
*એકવચન - બહુવચન*
*In English*

*Irregular Plurals have no rules*

child - children
Datum - data
Fungus - fungi
Index - indices
Man - men
Medium - media
Mouse - mice
Ox - oxen
sister-in-law - sisters-in-law
Stadium - stadia
Thesis - theses
Tooth - teeth
Woman - women
Crisis - crises
Phenomenon - phenomena


*Only Plural*

Sheep
Fish
Police
Deer
Cattle
People
Crew
Vermin
Jeans
Thanks


*Always Singular*

Scenery
News
Furniture
Government
Billiards
Money
Work
Bowls
Darts
Dominoes
Draughts
Innings
Measles
Population
The United States


💥Randheer Khant💥
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-6*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●ભારતમાં લોહ યુગીન સ્થળ નાગદા અને એરણ કયા રાજયમાં આવેલું છે
*મધ્ય પ્રદેશ*
*ત્યાં કાળા રંગના વાસણોનો ઉપયોગ થતો*
*ભારતમાં પહેલી વખત બેધારી તલવાર અહીંથી મળી હતી*

●એરણ (મધ્ય પ્રદેશ)માં લોહ યુગના જે ઓજાર મળી આવ્યા છે તે કઈ સદી સુધીના છે
*ઇ.પૂ.800 થી ઇ.પૂ.100ના*

●મહિષદલ (પશ્ચિમ બંગાળ)માંથી ફાઉન્ડ્રિ મળી આવી છે. ફાઉન્ડ્રિ એટલે શું
*ધાતુ ઢાળવાનું કારખાનું*

https://t.me/jnrlgk

●દક્ષિણ ભારતમાં નવ-પાષાણ કાલીન વસ્તી તથા તામ્ર -પાષાણ કાળની વસતી લોહયુગના આરંભ સુધી જેમની તેમ હતી તે વસતી
*બ્રહ્મગિરી (મહારાષ્ટ્ર), પીક્લિહલ (કર્ણાટક), સંગનાકુલ્લુ (હિમાચલ પ્રદેશ), માસ્કી (કર્ણાટક), હલ્લુર (કર્ણાટક), પોયમપલ્લી (તમિલનાડુ)*

●ભારતમાં લોખંડનો સર્વપ્રથમ ઉપયોગ કયા વિસ્તારમાં થયો હતો
*દક્ષિણ ભારત*

●વિદ્વાવાનોના મત મુજબ લોહ યુગના લોકો ક્યાંથી આવ્યા હતા
*પામીર ઉચ્ચ પ્રદેશ તરફથી*

●કયા સ્થળેથી એવા પાત્રો મળ્યા છે જેમાં હથિયાર, ઓજાર, આભૂષણ અને અન્ય સામગ્રી સાચવવામાં આવતી હતી
*મદ્રાસના તિન્નેવેલી જિલ્લાના અદિચલ્લુરમાંથી*
*અહીંથી વસ્તુઓના સ્ટોરેજ માટેના પાત્રોની શરૂઆત થઈ*

●ઉત્તર ભારતમાં કયા સ્થળેથી એક મોટા પથ્થરવાળી સમાધિ મળી આવી છે
*બાંદા અને મિર્ઝાપુર*
*ઉત્તર ગુજરાતમાં દારાપુટમાં*
*દારાપુટમાં એક પ્રાર્થનાલય પણ મળી આવ્યું છે*

●કયા સ્થળેથી એવી સમાધિ મળી છે જેમાં મૃતકની સાથે તેના પાલતુ પશુઓની અસ્થિઓને પણ કુંભમાં મૂકીને દફન કરી દેવામાં આવી છે
*મહારાષ્ટ્રના બોલગાંવ અને ચિંગલપેટમાં*

●હડપ્પીય સંસ્કૃતિના પતન બાદ ભારતમાં કઈ સંસ્કૃતિનો ઉદય થયો
*વૈદિક સંસ્કૃતિ*

●આર્ય સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ શું થાય
*શ્રેષ્ઠ*

●આર્ય શબ્દનો સૌપ્રથમ પ્રયોગ શેમાં થયો છે
*વેદોમાં*

●આર્યો પોતાના માટે આર્ય તથા તેમના વિરોધીઓને શું કહેતા
*દસ્યુ અથવા દાસ*

●આર્યો કયા કટિબંધના નિવાસી હતા
*શીતોષ્ણ કટિબંધ*
*દૂધ, માંસ અને ઘઉં તેમનો પ્રિય ખોરાક હતો*

https://t.me/jnrlgk

●આર્યો .......... પ્રિય હતા
*યુદ્ધ*

●પિતૃ, પિદર, પેટર તથા ફાદર અને માતૃ, માદર, મેટર તથા મધર શબ્દ અનુક્રમે કઈ ભાષાના છે
*સંસ્કૃત, ફારસી, લેટિન અને અંગ્રેજી*

●યુરોપીય ધારણા મુજબ આર્યો ક્યાંના છે
*યુરોપ*

●ડૉ. પી.ગાઇલ્સના મત મુજબ આર્યોનું મૂળ નિવાસસ્થાન કયું છે
*ઓસ્ટ્રીયા-હંગેરી (હિટલરનું વતન)*

●પેંકાના મત મુજબ આર્યોનું મૂળ નિવાસસ્થાન
*જર્મની*

●નેહરિંગના મત મુજબ આર્યોનું મૂળ નિવાસસ્થાન
*રશિયા*

●જર્મન વિદ્વાન મેક્સમૂલરના મત મુજબ આર્યોનું આદિ નિવાસસ્થાન કયું હતું
*મધ્ય એશિયા*

●લોહ યુગના કેટલાક સ્થળો
*ઢીબી (પશ્ચિમ બંગાળ), મહિષદલ (પશ્ચિમ બંગાળ), ચિરન્ડ (બિહાર), સોનપુર (બિહાર)*

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*

*🔥👇🏻Next પ્રાચીન ભારત લેખાંક-7👇🏻*

*https://t.me/jnrlgk*

💥રણધીર💥
🍁બુલ ફાઇટ કયા દેશની રાષ્ટ્રીય રમત છે
*સ્પેન*

🍁2014ના ફિફા વર્લ્ડકપ માટેના દડાનું નામ શું રાખવામાં આવ્યું હતું
*બ્રાઝુકા*

🍁પહેલો ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવામાં આવ્યો હતો
*1948માં*

🍁મંજીરા નૃત્ય કયા લોકોનું જાણીતું નૃત્ય છે
*પઢાર*

🍁 કયા મેદાનમાં કેથકોરનો ડુંગર આવેલો છે
*વાગડના મેદાનમાં*

🍁મૈત્રકવંશનો કયો રાજા 'ધર્માદિત્ય' તરીકે ઓળખાય છે
*શીલાદિત્ય પહેલો*

🍁ભારતમાં બેન્કિંગ લોકપાલ નિયુક્ત કરવાનો અધિકાર કોની પાસે છે
*રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા*

🍁ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેઝર્સ ક્યાં આવેલ છે
*પેરિસ-ફ્રાન્સ*

🍁ગુપ્ત વંશના કયા રાજાએ હુણોને ભારતમાં આક્રમણ કરતા રોક્યા હતા
*ચંદ્રગુપ્ત*

🍁તમિલનાડુ રાજ્યના રાજ્યપ્રાણીનું નામ શું છે
*નીલગીરી તહર*

🍁ગુજરાતમાં પ્રાગૈતિહાસિક માનવો અંગેનું સંશોધન કરનાર વિદ્વાનોમાં સૌપ્રથમ કોણ હતા
*રોબર્ટ બ્રુસ ફુટ*

🍁આઈએનએસ વિક્રમાદિત્ય નામના જહાજનું મૂળ રશિયન નામ શું હતું
*બાકુ*

🍁ચીન દેશે કઈ તારીખે એક સંતાનની નીતિ બદલવાનો નિર્ણય કરેલ હતો
*28 ડિસેમ્બર, 2013*

🍁વિયેતનામના ગાંધીવાદી રાષ્ટ્રપ્રમુખ કોણ હતા
*હો.ચી.મિન્હ*

🍁કૈલાશનાથ નામનું મંદિર કયા રાજવંશે બંધાવ્યું હતું
*પલ્લવ રાજવંશ*

🍁ઓડિશાના કોણાર્ક મંદિર કોણે બંધાવ્યું હતું
*નરસિંહ દેવ*

*🗞કળશ : દિવ્યભાસ્કર🗞*

https://t.me/jnrlgk

💥રણધીર💥
'પીટર રેબિટ' બાળકો માટેનું આ પુસ્તક કોણે લખ્યું છે
*🖋બિચેસ્ટ્રીક્સ પોટર*

જ્યોર્જ બર્નાડ શોના 'પિગ્મેલીન' પરથી બનેલી ફિલ્મ કઈ
*🖋માય ફેર લેડી*

'ફાયબર રિસર્ચ સેન્ટર' ક્યાં આવેલું છે
*🖋કોઈમ્બતુર*

ભારતમાં રેશમનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું
*🖋કર્ણાટક*

બિહારના કયા જિલ્લાની સાક્ષરતા સૌથી ઓછી છે
*🖋કિશનગંજ*

બાંગ્લાદેશ ક્યારે સ્વતંત્ર થયો
*🖋ઇ.સ.1972*

ભારતના કયા સમ્રાટે ગિરનારની તળેટીમાં શિલાલેખો કોતરાવ્યાં છે
*🖋અશોક*

દર વર્ષે નોબેલ પારિતોષિકો કયા દેશ તરફથી આપવામાં આવે છે
*🖋સ્વીડન*

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
🔫ISISનું ફુલ ફોર્મ
*💣ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા*

🔫અમેરિકાની સેનાએ બગદાદીને કયા સ્થળે મોતને ઘાટ ઉતાર્યો
*💣સીરિયાના બરીશા નામના ગામડામાં*

🔫 અમેરિકાની કઈ કમાન્ડો ટીમે બગદાદીને માર્યો હતો
*💣ડેલ્ટા ફોર્સ*

🔫બગદાદીનું મોત કેવી રીતે થયું
*💣બગદાદીનું મોત જ્યારે નજીક અને નિશ્ચિત દેખાયું ત્યારે તેણે તેની કમર ફરતે પહેરેલ આત્મઘાતી બૉમ્બ ધડાકો કરીને*

🔫અમેરિકાએ બગદાદીનું ઢીમ ઢાળવા માટેના મિશનનું કોડ નેમ શું આપ્યું હતું
*💣ઓપરેશન કેયલા મુલેર*
*💣કેયલા મુલેર 26 વર્ષીય સેવાભાવી અમેરિકન યુવતી હતી*

*🍁દેશ અને રાષ્ટ્રીય રમત🍁*

ઓસ્ટ્રેલિયાક્રિકેટ

જાપાનજુડો

ભારતહોકી

અમેરિકાબેઝબોલ

કેનેડાઆઈસ હોકી

ચીનટેબલ ટેનિસ

સ્પેનબુલ ફાઇટ

બ્રાઝીલફૂટબોલ

*🗞સંદેશ : અર્ધસાપ્તાહિક🗞*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-7*

*આર્યો*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●આર્યોની સભ્યતા વિશે આપણને વેદો તથા ઈરાનના પ્રાચીન ધર્મગ્રંથ ......... માંથી જાણવા મળે છે
*અવેસ્તા*

●આર્ય ગ્રંથોમાં કયા પાકનો ઉલ્લેખ જોવા મળે છે
*ઘઉં અને જવ*

●આર્યોના આગમન અને નિવાસસ્થાન અંગેની આર્કટિક પ્રદેશની થિયરીના પુરસ્કર્તા કોણ હતા
*લોકમાન્ય તિલક*

●લોકમાન્ય તિલકના મત મુજબ આર્યોનો આદિ દેશ કયો હતો
*ઉત્તર ધ્રુવ*

●અવેસ્તામાં લખ્યું છે કે તેમના દેવતા અહુરમજ્દ જે દેશનું નિર્માણ કર્યું હતું તેમાં કેટલા મહિના ઠંડી અને કેટલા મહિના ગરમી પડતી
*10 મહિના ઠંડી અને 2 મહિના ગરમી*

https://t.me/jnrlgk

●કોના મત મુજબ સપ્ત સિંધુ આર્યોનો મૂળ પ્રદેશ હતો
*અવિનાશ ચંદ્ર વ્યાસ*

●આર્યોનો મુખ્ય ખોરાક કયો હતો
*ઘઉં અને જવ*

●ઇરાકમાં ઇ.સ.પૂર્વે 1600માં લખાયેલા કયા શિલાલેખમાં આર્યો નામનો ઉલ્લેખ મળે છે
*કસ્સી*

●ઇરાકમાં ઇ.પૂ.1400ના કયા શિલાલેખોમાં આર્ય નામનો ઉલ્લેખ મળે છે
*મિતન્ની*

●ઋગ્વેદમાં અફઘાનિસ્તાનની કઈ નદીનો ઉલ્લેખ જોવા મળે છે
*કુભા*

●અવેસ્તાના પ્રધાન દેવતા
*અહરમજ્દ*

●વિદ્વાનોના મત મુજબ અસુર શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો
*અહુર*

●ભારતીય આર્યગ્રંથોમાં દેવાસુર સંગ્રામનો ઉલ્લેખ જોવા મળે છે, તે સંભવતઃ કયા દેશના આર્યો વચ્ચેનો સંગ્રામ હતો
*ભારતીય અને ઈરાની*
*આ રીતે ભારતીય આર્યો દેવ અને ઈરાની આર્યો અસુર કહેવાયા*

●ઋગ્વેદમાં ઇન્દ્રને શું કહેવામાં આવ્યા છે
*પુરંદર*
*પુરંદર એટલે અનેક દુર્ગ તોડનારો*

●સૌથી પહેલા કઈ સભ્યતાના લોકો લિંગપૂજા કરતું હતું
*હડપ્પીય*

●આર્યો વિદેશથી આવીને પહેલા સપ્તસિંધુમાં વસેલા.સપ્તસિંધુ એટલે આજનું.......
*પંજાબ*

https://t.me/jnrlgk

●પંજાબ શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે
*પંચામ્બુ*
*એટલે પાંચ જળ અથવા પાંચ નદીઓનો દેશ*

●એ વખતે પંજાબમાં સાત નદીઓ વહેતી હતી. તે કઈ કઈ
*1.શતુદ્રી (સતલજ), 2.વિપાસા (વ્યાસ), 3.પરુશ્ણી (રાવી), 4.અસીક્રી (ચિનાબ), 5.ઝેલમ (વિતસ્તા), 6.સરસ્વતી અને 7.દશદ્વતી.*
*છેલ્લી બે નદીઓ આજે લુપ્ત થઈ ગઈ છે*

●આર્યોએ બ્રહ્મવર્ત નામ આપ્યું હતું એ આજનું કયું રાજ્ય
*ઉત્તર પ્રદેશ*

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*

*🔥👇🏻Coming up next પ્રાચીન ભારત લેખાંક-8👇🏻*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-06/11/2019🗞👇🏻*

●હાલમાં રાષ્ટ્રપતિએ GUJCTOC (ગુજસીટોક) નામના કાયદાને મંજૂરી આપી. તેનું ફૂલ ફોર્મ શું છે
*ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઈમ એક્ટ*
*આ કાયદા પ્રમાણે હવે સરકાર શંકાસ્પદ લાગતી વ્યક્તિના કોલ કે સંદેશા આંતરીને રેકોર્ડ કરી શકે છે*
*2003માં તાત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બિલ તૈયાર કર્યું હતું*

●મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ગુજરાતની રિપ્રેઝન્ટર કોણ બનશે
*ભિલોડાના માંકરોડાની કેયા*

●ગુજરાતમાં GTU ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ કઈ કંપની શરૂ કરશે
*રફાલ ફાઇટર વિમાન બનાવનારી ફ્રાન્સની દસોલ્ટ કંપની*

●14મી એશિયન ચેમ્પિયનશિપ ક્યાં ચાલી રહી છે
*કતારમાં*

●કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા આર્મ્સ એક્ટ 1959માં સુધારો કરાશે. જેમાં ઉજવણીમાં ફાયરિંગ માટે કેવા દંડની જોગવાઈ કરવામાં આવશે
*2 વર્ષની સજા અને 1 લાખ દંડ*

●તાજેતરમાં ટોચના CEOની યાદી જાહેર થઈ.તેમાં કોનું નામ સૌથી ટોપ પર રહ્યું
*જેન્સેન હુઆંગ*

●કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે કોની સ્મૃતિમાં સિક્કો બહાર પાડ્યો
*પરમહંસ યોગાનંદ*

●બાંગ્લાદેશ ભારત મૈત્રી યાત્રાની 9મી આવૃત્તિનું આયોજન ક્યાં થયું હતું
*કૉક્સ*

●ICCએ હાલમાં કયા ક્રિકેટર પર 2 વર્ષનો પ્રતિબંધ જાહેર કર્યો
*બાંગ્લાદેશના ઓલ રાઉન્ડર શાકીબ અલ હસન*

●તાજેતરમાં કઈ સોશિયલ મીડિયાએ હેલ્થ પ્રિવેન્ટીવ ટુલ લોન્ચ કર્યું
*ફેસબુક*

●કોન્ટ્રાકટર ફાર્મિંગ પર કાયદો બનાવનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*તમિલનાડુ*

●હેમન બોર્ગોહિનને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.તેઓ કયા રાજ્યના દિગ્ગજ કવિ, વાર્તાકાર અને નવલકથાકાર છે
*આસામ*

●2024ના ઓલિમ્પિક્સ ખેલનો લોગો ક્યાં લોન્ચ કરવામાં આવ્યો
*પેરિસમાં*

●QS ઇન્ડિયા યુનિવર્સિટી રેન્કિંગમાં કઈ ઇન્સ્ટિટ્યૂટનો પ્રથમ નંબર આવ્યો
*IIT-બોમ્બે*

●CISM વિશ્વ સૈન્ય ખેલમાં કોણે 100 મીટર અને 400 મીટર દોડમાં બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યો
*આનંદન ગુણસેકરન*
*મધ્ય ચાઇનાના વુહાન શહેરમાં સ્પર્ધા યોજાઈ હતી*

●દેશનું પહેલું મહિલાઓ દ્વારા સંચાલિત ઑટોમોબાઈલ સર્વિસ સ્ટેશન ક્યાં ખુલ્યું
*જયપુરમાં*

●દિવાળીના અવસર પર ભારતની લક્ષ્મીની એમ્બેસેડર કોણે ઘોષિત કરવામાં આવ્યા
*બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુ અને અભિનેત્રી દીપિકા પદુકોણ*

●કયો દેશ ભારતીય ઉદ્યોગપતિઓને વિઝા વગર પ્રવેશ આપશે
*બ્રાઝીલ*

●બિહાર અને રાજસ્થાન પછી કયું રાજ્ય ગુટખા અને પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેનાર ત્રીજું રાજ્ય બન્યું
*પશ્ચિમ બંગાળ*

●કયા રાજ્યની સરકારે નાના ખેડૂતોને મદદ કરવા માટે વર્લ્ડ બેંક સાથે 165 મિલિયન ડોલરના લોનકરાર પર હસ્તાક્ષર કર્યા
*ઓડિશા*

●ઓડિશા સરકારે ABADHA યોજના પર 3208 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજનાનું ફૂલ ફોર્મ શું છે
*Augmentation of Basic Amenities and Development of Heritage and Architecture*

●કયા રાજ્યએ ધનતેરસ પ્રસંગે મુખ્યમંત્રી કન્યા સુમંગળા યોજના શરૂ કરી છે
*ઉત્તર પ્રદેશ*
*આ યોજના અંતર્ગત જન્મ સમયે દરેક પરિવારને ૱15,000 આપવામાં આવશે*

●યુરોપિયન યુનિયન સંસદ દ્વારા જેલમાં બંધ માનવ અધિકારવાદી જેમને માનવાધિકાર માટે સખારોવ પુરસ્કાર એનાયત કરાયો
*ઈલ્હમ તોહતી*

●ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક સ્ટડીઝ દ્વારા ઉદ્યોગ રત્ન એવોર્ડ 2019 થી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*ઠાકુર અનુપસિંઘને*
*વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલી કામગીરી બદલ*

●યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WEP) એ ભારતમાં ભૂખ અને કુપોષણ સામે જાગૃતિ લાવવા અને કાર્યવાહી કરવાના હેતુથી સિનેમા માટે કયું અભિયાન શરૂ કર્યું
*'ફીડ અવર ફ્યુચર'*
*ફેસબુકની ભાગીદારીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું*

●વર્લ્ડ બેંકે તાજેતરમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સંબંધિત અહેવાલ બહાર પાડ્યો. આ અહેવાલમાં ભારત કેટલામાં સ્થાને છે
*63*

●2019ના મેલબોર્ન મર્સર ગ્લોબલ પેન્શન ઇન્ડેક્સમાં 32 દેશોના સુચકાંકમાં ભારત કેટલામાં ક્રમે છે
*32મા*

●શાંઘાઈમાં યોજાયેલી 15મી વુશુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા
*પ્રવિણ કુમાર*
*48 કિગ્રા. કેટેગરીમાં*

●સ્ટાફ પસંદગી આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી
*બી.આર.શર્મા*

●ભારત ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ પદે સૌરવ ગાંગુલીએ કાર્યભાર સંભાળ્યો.ગાંગુલી BCCIના કેટલામાં અધ્યક્ષ બન્યા
*39મા*

●ફોર્બ્સે તાજેતરમાં ભારતના 100 ધનિક લોકોની સૂચિ બહાર પાડી છે.આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત કેટલા વર્ષથી પ્રથમ ક્રમે છે
*12 વર્ષથી*
*ગયા વર્ષની તુલનામાં અંબાણીની કુલ સંપત્તિમાં 4 મિલિયન ડોલરનો વધારો*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-07/11/2019🗞👇🏻*

●ગુજરાત સરકારે મુખ્યમંત્રી તથા અન્ય વીઆઈપી જેવા કે રાજ્યપાલ, નાયબ મુખ્યમંત્રી માટે 191 કરોડ રૂપિયાનું કયું વિમાન ખરીધ્યું
*બોમ્બાર્ડિયર ચેલેન્જર 650*
*બોમ્બાર્ડિયર એ કેનેડાના ક્યુબેક પ્રાંત સ્થિત એવિએશન કંપની છે*
*870 કિમી. પ્રતિ કલાક ઝડપ*
*7000 કિમી. પ્રવાસ કરી શકે*
*મહત્તમ 12 પેસેન્જર પ્રવાસ કરી શકે*
*હાલ મુખ્યમંત્રી માટે બીચક્રાફ્ટ સુપરકિંગ પ્લેનનો ઉપયોગ કરવામાં આવે છે*

●મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી બૃહદ મુંબઇ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)એ 37 જેટલી કઈ બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે
*તેજસ્વીની*

●સ્કૂલ અભ્યાસક્રમમાં ક્લાઈમેટ ચેન્જ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો
*ઈટાલી*

●તાનારીરી મહોત્સવમાં એક દિવસમાં કેટલા વર્લ્ડ રેકોર્ડ બન્યા
*ત્રણ*
*વડનગરમાં 150 તબલાંવાદકોએ 30 મિનિટમાં 28 રાગ રજૂ કર્યા*
*108 વાંસળી વાદકોએ વૈષ્ણવજન અને રાષ્ટ્રગીત 5 મિનિટમાં ખમાજ રાગમાં રજૂ કર્યું*
*1 મિનિટમાં ભરતનાટ્યમ શૈલીમાં 9 રસ રજૂ કર્યા*
*તાનારીરી મહોત્સવ 2003 થી શરૂ થયો*

●100 ટી-20 મેચ રમનાર પ્રથમ ભારતીય અને વિશ્વનો બીજો ખેલાડી કોણ બન્યો
*રોહિત શર્મા*
*પાકિસ્તાનનો શોએબ મલિક સૌથી વધુ ટી-20 (100 થી વધુ)મેચ રમનાર પ્રથમ ખેલાડી છે*

●ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)આંધ્ર પ્રદેશના વિશાખપટ્ટનમ કિનારે કઈ અંડર વોટર ન્યુક્લિયર મિસાઈલનું પરીક્ષણ કરશે
*કે-4 ન્યુક્લિયર મિસાઈલ*
*મારક ક્ષમતા 3500 કિમી.*

●ભાવનગરની દક્ષિણા મૂર્તિ બાલમંદિરને 100 પૂર્ણ થયા.1920માં આ બાલમંદિરનું ઉદ્દઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું
*કસ્તુરબા*
*નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદી સહિત કેળવણીકારોએ સાથે મળીને બાલમંદિર શરૂ કરી હતી*

●સૈયદ મુસ્તાક અલી ટી-20નો પ્રારંભ થઇ ચુક્યો છે.આ ટુર્નામેન્ટમાં કેટલી ટીમો ભાગ લેશે
*38*

●નેશનલ રેન્કિંગ (સેન્ટ્રલ ઝોન) ટેબલ ટેનિસ પ્રારંભ ક્યાં થયો
*ભાવનગર*
*દેશભરમાંથી 750 ખેલાડીઓ ભાગ લેશે*

*👆🏾🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-8*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●આર્યોએ પૂર્વ રાજસ્થાન તથા ગંગા-યમુનાના પ્રદેશ પર આધિપત્ય જમાવ્યું. આ પ્રદેશને શુ નામ આપ્યું
*બ્રહ્મર્ષિ દેશ*

●આર્યો હિમાલય અને વિંધ્ય પર્વત વચ્ચેની ભૂમિ હસ્તગત કરી તેને શું નામ આપ્યું
*મધ્ય પ્રદેશ*

●આર્યોએ જ્યારે સમગ્ર ઉત્તર ભારત કબજામાં કર્યું.તેને શું નામ આપવામાં આવ્યું
*આર્યવર્ત*

●આર્ય સંસ્કૃતિનો સંદેશ લઈ સૌપ્રથમ દક્ષિણ ભારત કોણ ગયા હતા
*અગસ્ત્ય ઋષિ*

●અગસ્ત્ય ઋષિએ દક્ષિણ ભારતને શું નામ આપ્યું
*દક્ષિણા પથ*

●ભરત અને તત્સુ કયા કુળના શાસક હતા
*આર્યકુળ*

●ભરત નામનો ઉલ્લેખ સૌપ્રથમ કયા વેદમાં વાંચવા મળે છે
*ઋગ્વેદમાં*

●વિશ્વામિત્ર કયા રાજાના પુરોહિત હતા
*સુદાસ*

●રાજા અને પુરોહિતો વચ્ચે અણબનાવ બનતા સદાસ રાજાએ વિશ્વામિત્રના સ્થાને કોણે પુરોહિત બનાવ્યા
*વસિષ્ઠ*

●ભરત અને અનાર્ય રાજાઓ વચ્ચે જે યુદ્ધ થયું તેને કયું યુદ્ધ કહે છે
*દશરાજ્ઞ*
*આ યુદ્ધ પરુશ્ણી એટલે કે રાવી નદીના તટ પર ખેલાયું હતું*
*આ યુદ્ધમાં ભરત કુળના રાજાનો વિજય થયો*

●ભરત રાજ્યના લોકો કયા નામે ઓળખાતા
*ભરતો*
*પૂરુ રાજ્યના લોકો પુરુઓ*

●ભરતો અને પુરુઓ એકબીજામાં ભળી જતા કયા નામનો નવો કબીલો અસ્તિત્વમાં આવ્યો
*કુરુ*

●આર્યોએ કયા સમય દરમિયાન વૈદિક ગ્રંથોની રચના કરી
*ઇ.પૂ.2500 થી ઇ.પૂ.600 દરમિયાન*

●ઋગ્વેદની રચના કયા સમય દરમિયાન થઈ હોવાનું મનાય છે
*ઇ.પૂ.2500 થી ઇ.પૂ.1000*

●વૈદિક ગ્રંથોને કેટલા ભાગમાં વિભાજીત કરવામાં આવે છે
*ત્રણ*
*1.સંહિતા અથવા વેદ, 2.બ્રાહ્મણ, 3.સૂત્ર*

●વેદ અને બ્રાહ્મણ ગ્રંથોને શું કહેવામાં આવે છે
*શ્રુતિ*
*શ્રુતિનો અર્થ છે સાંભળવામાં આવ્યું છે તે*

https://t.me/jnrlgk

●સૂત્રનો અર્થ શું
*સંક્ષેપમાં કહેવું*
*જે ગ્રંથોમાં મોટી મોટી વાત નાના નાના સુત્રોમાં કહેવામાં આવી છે તે સૂત્ર ગ્રંથ કહેવાયા*

●સંગ્રહિત પુસ્તક એટલે
*સંહિતા*

●વેદ શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે
*સંસ્કૃતની વિદ્ ધાતુ પરથી*
*વિદ્ નો અર્થ થાય છે જાણવું અથવા જ્ઞાન પ્રાપ્ત કરવું*

●સંસ્કૃત સાહિત્યની જનની કોણે માનવામાં આવે છે
*વેદને*

●ઋકનો અર્થ શું થાય છે
*સ્તુતિ-મંત્ર*

●ઋગ્વેદ કેટલા મંડળમાં વિભક્ત છે
*10*

●ઋગ્વેદના પ્રત્યેક મંડળમાં અનુવાક છે, અનુવાકનો અર્થ
*જે બાદમાં કહેવામાં આવેલું છે તે*

●ઋગ્વેદમાં કેટલા સૂક્ત છે
*1008*

●ઋગ્વેદમાં કુલ કેટલી ઋચા છે
*10,580*

●ઋગ્વેદની રચના કયા ક્ષેત્રમાં થઈ હતી
*સપ્તસિંધુ (આજનું પંજાબ)ની આસપાસ*

●"વિશ્વના ઈતિહાસમાં વેદ એ ખાલી જગ્યા પૂરે છે જે કોઈપણ ભાષાનો કોઈપણ સાહિત્યિક ગ્રંથ નથી પુરી શકતો"- આ વિધાન કોનું છે
*મેક્સમૂલર*

●યજુર્વેદ કેવો ગ્રંથ છે
*કર્મકાંડ પ્રધાન*
*તેમાં બલિની પ્રથા, તેની મહત્તા અને વિધિઓનો ઉલ્લેખ છે*

●યજુર્વેદમાં સૂકત ઉપરાંત .......... છે
*અનુષ્ઠાન*

https://t.me/jnrlgk

●યજુર્વેદ કેટલા ભાગમાં વિભાજીત છે? કયા કયા
*બે ભાગમાં*
*પહેલો ભાગ છે, શુક્લ યજુર્વેદ અને બીજો ભાગ છે, કૃષ્ણ યજુર્વેદ*

●યજુર્વેદની રચના ક્યાં થઈ હતી
*કુરુક્ષેત્રમાં*

●સામના કયા બે અર્થ થાય છે
*શાંતિ અને ગીત*
*સામવેદ એટલે ગાઈ શકાય તેવો વેદ*

●સામવેદમાં માત્ર કેટલા નવા મંત્રો છે
*66*
*શેષ મંત્રો ઋગ્વેદમાંથી લેવામાં આવ્યા છે*

●અથનો અર્થ શું થાય
*મંગલ અથવા કલ્યાણ*

●અથર્વનો અર્થ શું થાય
*અગ્નિ*

●અથર્વન્ નો અર્થ શું થાય
*પૂજારી*

●અથર્વવેદમાં કેવા મંત્રો છે
*ભૂત-પિશાચોને ભગાડી મનુષ્યોનું કલ્યાણ કરતા મંત્રો*

●બ્રાહ્મણ ગ્રંથોમાં કેવા મંત્રોની વ્યાખ્યા કરવામાં આવી છે
*વૈદિક મંત્રો*
*તેમાં યજ્ઞોના સ્વરૂપ અને તેની વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે*
*આ ગ્રંથોની રચના બ્રહ્મર્ષિ દેશમાં થઈ હતી*

https://t.me/jnrlgk

●કૌષીતકી, તૈતિરીય, શતપથ વગેરે કેવા ગ્રંથો છે
*બ્રાહ્મણ*

●બ્રાહ્મણ ગ્રંથો કયા સ્વરૂપે લખાયેલા છે
*ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે*

●આરણ્યક ગ્રંથોની સૌથી મોટી વિશેષતા શું છે
*આધ્યાત્મ ચિંતન*

●ઉપનિષદ કેટલા શબ્દોમાંથી બનેલો શબ્દ છે
*ત્રણ*
*ઉપ + નિ + ષદ*
*ઉપ એટલે સમીપ, નિ એટલે નીચે અને ષદ એટલે બેસવું*

●મહત્વના 12 ઉપનિષદો કયા કયા છે
*1.ઈશ, 2.કેન, 3.કઠ, 4.પ્રશ્ન, 5.મુન્ડક, 6.માન્ડુક્ય, 7.તૈતરીય, 8.ઐતરેય, 9.છાંદોગ્ય, 10.બૃહદારણ્ય, 11.કૌશિતકી, 12.શ્વેતાશ્વતર*

●મહર્ષિ પાણિનિએ સુત્રોની કેટલી વિશેષતા ગણાવી છે
*ત્રણ*
*1.તે ઓછા શબ્દોમાં લખવામાં આવે છે, 2.તે સ્પષ્ટ હોય છે અને 3.તે સાર ગર્ભિત હોય છે*

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*

*🔥👇🏻Next પ્રાચીન ભારત લેખાંક-9👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-08/11/2019🗞👇🏻*

●એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા થયેલા કસ્ટમર સેટીસ્ફેક્શન સર્વેમાં વેસ્ટર્ન રિજીયનના 19 એરપોર્ટમાં કયું એરપોર્ટ પ્રથમ નંબરે આવ્યું
*વડોદરા*
*દેશમાં 48 એરપોર્ટમાં બીજા નંબરે*

●હાલ બંગાળના અખાતમાં ઉઠેલું વાવાઝોડું
*બુલબુલ*

●ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ અનુસાર દેશમાં સૌથી શ્રેષ્ઠ કાયદો-વ્યવસ્થામાં કયું રાજ્ય સૌથી બહેતર છે
*મહારાષ્ટ્ર*
*ઉત્તર પ્રદેશ સૌથી ખરાબ*
*નાના રાજ્યોમાં ગોવા સૌથી બહેતર અને ત્રિપુરા સૌથી ખરાબ*

●કયા દેશમાં ભીષણ દુકાળથી સેંકડો હાથીઓના મોત થયા
*ઝિમ્બાબ્વે*
*માના પુલ્સ નેશનલ પાર્ક અને બીજા જંગલી વિસ્તારોમાં*

●વન-ડે મેચમાં સૌથી ઝડપી 2000 રન કરનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની
*સ્મૃતિ મંધાના*
*51 વન-ડે ઇનિંગ્સમાં*

●ટી-20 માં 2500+ રન કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો
*ભારતનો રોહિત શર્મા*

*🗞👆🏾Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*~📚પ્રાચીન ભારત (ઈતિહાસ)📚~*

*લેખાંક-9*

*ઋગ્વૈદિક કાળ*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●સાંખ્ય દર્શન લખનારકપિલ મુનિ

●યોગદર્શનમહર્ષિ પતંજલિ

●વૈશેષીક દર્શનકણ્વ

●ન્યાય દર્શનગૌતમ

● પૂર્વ મીમાંસાજૈમિની

●ઉત્તર મીમાંસાબદરાયણ

●કયો એકમાત્ર ધર્મ છે જેમાં નિરિશ્વરવાદને પણ સ્થાન આપવામાં આવ્યું છે
*હિંદુ*

●આધુનિક ભારતમાં સ્ત્રી વિરોધી અને જાતિવાદી વિચારોને લીધે કઈ સ્મૃતિની ભરપૂર ટીકા થઈ હતી
*મનુસ્મૃતિ*

●વૈદિક સાહિત્યમાં ભૌતિક જીવન કરતા કયા જીવનને વધારે મહત્વ આપવામાં આવ્યું છે
*આધ્યાત્મિક જીવનને*

●વૈદિક સાહિત્યની ભાષા કઈ હતી
*સંસ્કૃત*

●વૈદિક સાહિત્યનો રચના કાળ કયો ગણાય છે
*ઇ.પૂ.2500 થી ઇ.પૂ.1000*

●ઉત્તર વૈદિક કાળનો સમયગાળો
*ઇ.પૂ.1000 થી ઇ.પૂ.600*

●ઋગ્વૈદિક રાજયવ્યવસ્થા સમાજમાં કુંટુંબને અન્ય કયા નામે ઓળખવામાં આવતું
*કબીલો*

●ઋગ્વૈદિક કાળમાં અનેક કુંટુંબ ભેગા થાય ત્યારે એક ગ્રામ રચાતું.ગ્રામના વડાને શું કહેવામાં આવતું
*ગ્રામીણ*

●આ કાળમાં કેટલાય ગ્રામ ભેગા થાય ત્યારે શું બનતું
*વિસ*
*વિસનો વડો વિસપતિ કહેવાતો*

●અનેક વિસ મળીને ....... બનતું
*જન*
*જનનો વડો રાજન્ય કહેવાતો*

●ઋગ્વેદનું શાસન કેવું હતું
*રાજ તંત્રાત્મક*
*આ કાળમાં કેટલાક રાજ્યોમાં સમિતિ અને સભા દ્વારા રાજાને ચૂંટવામાં આવતો*

●રાજન્યનું મુખ્ય કામ શું હતું
*કબીલાવાસીઓની રક્ષા કરવાનું*

●રાજન્યના કેટલા પ્રધાન રહેતા અને કયા કયા
*ત્રણ*
*1.પુરોહિત, 2.સેનાની અને 3.પ્રામણી*

●પુરોહિતનું કામ શું હતું
*ધર્મગુરુ તરીકે કાર્ય કરતા અને રાજન્યનું માર્ગદર્શન કરતા*
*તેઓ મંત્રો તથા પ્રાર્થનાઓ દ્વારા રાજાને વિજય માટે સહાયક બનતા*

●સેનાનીનું કામ શું રહેતું
*સૈન્ય સંચાલન*
*ડિફેન્સ સેક્રેટરી કે ડિફેન્સ મિનિસ્ટર જેવું*

●પ્રામણીનું કામ શું હતું
*રાજ્ય વ્યવસ્થાપન*
*પ્રાઈમ મિનિસ્ટર અથવા પ્રિન્સિપાલ સેક્રેટરી જેવું*

●કુળના વડાને શુ કહેવામાં આવતું
*કુલપ*

●ગોચર ભૂમિના અધિકારીને શું કહેવામાં આવતા
*વ્રાજપતિ*

●ભારતમાં ઋગ્વૈદિક આર્યોની સફળતાનું મુખ્ય કારણ શું હતું
*ઘોડાથી ચાલતા રથ અને લોઢાના હથિયારો*

●ઋગ્વેદમાં કઈ કઈ સંસ્થાઓનો ઉલ્લેખ છે
*સભા,સમિતિ, ગણ અને વિદથ*

●ઋગ્વેદમાં જન શબ્દનો વિનિયોગ કેટલી વાર થયો છે
*275 વાર*
*પણ જનપદનો ઉલ્લેખ નથી*

●ઋગ્વેદમાં વિશ શબ્દનો ઉપયોગ કેટલી વખત થયો છે
*170*

●વૈશ્ય શબ્દ કયા શબ્દ પરથી આવ્યો
*વિશ્*

●બે ગ્રામ એકબીજા સાથે લડે તે ઘટના શુ કહેવાતી
*સંગ્રામ*

●પૂર્વ વૈદિક કાળમાં પરિવાર માટે કયા શબ્દનો ઉપયોગ થતો હોવાનું મનાય છે
*ગૃહ*

●ઋગ્વૈદિક કાળનું 13 ઓરડાવાળુ મકાન કયા સ્થળેથી મળી આવ્યું છે
*ઉત્તરાખંડના ભગવાનપુરમાં*

●વૈદિક યુગમાં કેટલી સ્ત્રીઓએ લખેલા સુક્ત મળી આવે છે
*20 સ્ત્રીઓએ*

●ઋગ્વૈદિક કાળમાં મનુષ્યો કેવા કપડાં પહેરતા
*સુતરાઉ*

●ઋગ્વૈદિક કાળમાં લોકો સોમ અને સુરા પીતાં. સોમ નશાકારક નહોતું.સુરા હતી. સુરા અનાજને સડાવીને બનાવાતી.

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*

*🔥Next પ્રાચીન ઈતિહાસ લેખાંક-10👇🏻*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-10*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●આર્ય સમાજમાં .............. ને અપરાધ માનવામાં આવતો હતો.
*સુરાપાન*
*સોમરસની ગણના સુટેવમાં થતી*

●ઋગ્વેદ કાળમાં ઔષધિ શાસ્ત્રના દેવતા કોણે માનવામાં આવતા
*અશ્વિન*
*અશ્વિની કુમાર એટલે દેવતાઓના ફિઝિશિયન*

●ઋગ્વેદ કાળમાં કઈ ત્રણ આશ્રમ વ્યવસ્થા હતી
*બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ*

●ઋગ્વૈદિક કાળમાં મૃતકોના અગ્નિસંસ્કાર થતા.માત્ર .........ને દફન કરવામાં આવતી
*વિધવાઓ*

●બ્રાહ્મણ આદિપુરુષના મુખમાંથી, ક્ષત્રિય તેમની ભુજાઓમાંથી, વૈશ્ય તેમની જંઘામાંથી અને શુદ્રો તેમના પગમાંથી ઉત્પન્ન થયા છે.- આ વિધાન (શ્લોક) ઋગ્વેદના કયા સૂકતમાં છે
*પુરુષ સૂકતમાં*

●ઋગ્વૈદિક કાળમાં પુરોહિતોને દક્ષિણા રૂપે શુ આપવામાં આવતું
*દાસ અને દાસી*

●હડપ્પીય સંસ્કૃતિના કયા સ્થળેથી ચાસવાળી જમીન મળી આવી હતી
*કાલીબંગા(રાજસ્થાન સ્થિત સાઈટ)*

●ઋગ્વેદ કાળમાં ગાયને શુ કહેવાતું
*અઘન્યા*
*અર્થાત હણી ન શકાય એવી*

●ઋગ્વેદ કાળમાં વાસણો કેવા રંગના બનાવતા
*ધૂળિયા રંગના અને ઉપર ભાત કરેલા*

●ઋગ્વેદ કાળમાં રાજસ્થાનની કઈ ખાણમાંથી તાંબું પ્રાપ્ત કરાતું
*ખેતડીની*

●વેદ ...........માં લખાયેલા છે
*પદ્ય*

●ઋગ્વેદમાં કેટલા દેવતાઓની પ્રાર્થના કરવામાં આવી છે
*33*

●ઋગ્વૈદિક કાળમાં......
આકાશના સર્વશ્રેષ્ઠ દેવતાસૂર્ય
મધ્યસ્થાનના સર્વશ્રેષ્ઠ દેવતાવાયુ
પૃથ્વીના પ્રમુખ દેવતાઅગ્નિ
ઋગ્વેદના પ્રમુખ દેવતાઇન્દ્ર(આર્યોના યુદ્ધ નેતા)

●કયા દેવતાને દેવતાઓ અને મનુષ્યના મધ્યસ્થી ગણવામાં આવતા
*અગ્નિ*

●પૌરાણિક કથા અનુસાર કયા દેવતા અસુર બની ગયા હતા બાદમાં ઇન્દ્રએ તેમને ફરી દેવતા બનાવ્યા
*વરુણ*
*વૃત્રાસુરે વરુણને બંદી બનાવેલો*

●આર્યો ઉષા કાળનું પ્રતિનિધિત્વ કરતી કઈ દેવીઓની પૂજા કરતા
*ઉષસ્ અને અદિતિ*

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*

*👇🏻🔥Next પ્રાચીન ભારત લેખાંક-11👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-11*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બ્રાહ્મણ ગ્રંથો એવં સૂત્ર ગ્રંથોની રચના કયા કાળમાં થઈ
*ઉત્તર વૈદિક કાળમાં*
*ઉત્તર વૈદિક કાલીન ગ્રંથો ગંગાની ઉત્તર ઘાટીમાં ઇ.પૂ.1000 થી 600 દરમિયાન લખાયા*

●વૈદિક કાળનું પંચાલ એટલે આજના કયા વિસ્તાર
*ફર્રુખાબાદ, બદાયૂ અને બરેલી જિલ્લા*
*હસ્તિનાપુર સાઈટ મેરઠ જિલ્લામાં આવેલી છે*

●મહાભારતનું યુદ્ધ ક્યારે લડાયું હતું
*ઇ.પૂ.950માં*

●કોશલ અને વિદેહમાં વૈદિક આર્યોના આગમન પહેલાથી રહેતા લોકો કઈ ધાતુના ઓજારનો ઉપયોગ કરતા હતા
*લાલ તાંબું*
*કાળા-લાલ રંગના માટીના વાસણોનો ઉપયોગ કરતા*

●વૈદિક કાળમાં કયો યજ્ઞ કરવાથી રાજાને દિવ્ય શક્તિ પ્રાપ્ત થતી હોવાનું માનવામાં આવે છે
*રાજસૂય*

●કયા યજ્ઞમાં સગોત્રીય બંધુઓ સાથે રથની દોડ થતી
*વાજપેય યજ્ઞ*

●વૈદિક કાળમાં રાજ્યને શું કહેવામાં આવતું
*જનપદ*

●કયા શબ્દનો પ્રથમ પ્રયોગ વૈદિક કાળમાં થયો
*રાષ્ટ્ર*

●વૈદિક કાળમાં રાજ્યના અમુક ભાગનું શાસન કોના હાથમાં રહેતું
*સ્થપતિ*

●આદિવાસીઓ પર શાસન કરનારા અધિકારીને શુ કહેવામાં આવતા
*નિષાદ સ્થપતિ*

●શતપતિના તાબામાં કેટલા ગામ રહેતા
*100*

●વૈદિક કાળમાં ગામડાના ન્યાયાધીશને શુ કહેવામાં આવતું
*ગ્રામ્યવાદિન*

●પહેલું એવું કયું યુદ્ધ હતું જે જમીનની પ્રાપ્તિ માટે લડવામાં આવેલું
*મહાભારત*

●ઉત્તર વૈદિક કાળના અંતિમ તબક્કાના આદિમ નગરો કોને કહી શકાય
*હસ્તિનાપુર અને કૌશાંમ્બિ*

●મનુને કેટલી પત્ની હતી
*10*

●ગાર્ગી અને મૈત્રીયી જેવી વિદુષીઓ કયા કાળમાં થઈ ગઈ
*ઉત્તર વૈદિક કાળમાં*

●વૈદિક કાળના ચાર વર્ણો ચાર જાતિમાં ફેરવાઈ ગયા હતા અને એ સિવાયની કઈ બે જાતિઓ અસ્તિત્વમાં આવી ચૂકી હતી
*નિષાદ અને વ્રાત્ય*

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*

*👇🏻🔥પ્રાચીન ભારત લેખાંક-12 next👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥રૂઢિપ્રયોગ🔥*
""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
📝નસેનસમાં ઊતરી જવુંજીવનમાં વણાઈ જવું

📝પુરાણ નીકળવુંએક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી

📝આંખ ફાટી જવીઅવાચક બની જોઈ રહેવું

📝આકુળવ્યાકુળ થવુંખૂબ ગભરાઈ જવું

📝પોબારા ગણી જવુંનાસી જવું

📝પાશેરામાં પહેલી પૂણીતદ્દન શરૂઆત

📝શ્રાવણ ભાદરવો વહેવોચોધાર આંસુ વહેવા

📝પ્રાણ નિચોવવાખૂબ પરિશ્રમ કરવો

📝ધનોત-પનોત નીકળી જવુંસર્વસ્વ નાશ પામવું

📝મોઢાં ચડી જવારિસાઈ જવું

📝 હ્યદયનો કુચો કરી નાખવોલાગણીઓ કચડી નાખવી

📝છેલ્લે પાટલે બેસવુંઆત્યંતિક નિર્ણય લેવો

📝દોમ દોમ સાહ્યબી હોવીઅતિશય સાધન સંપન્ન હોવું

https://t.me/jnrlgk

💥રણધીર💥