સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
સામાન્ય જ્ઞાન:
*👮🏻‍♂️ Police Constable👮🏻‍♂️*

*📚પ્રકરણ ~ 2 : સામાન્ય સ્પષ્ટીકરણ - વ્યાખ્યાઓ (કલમ 6 થી 52 A)📚*

*👉🏻Part-1 કલમ-6 થી 30👇🏻*

*●કલમ - 6* અધિનિયમની વ્યાખ્યાઓ અપવાદોને આધીન છે એમ સમજવું.
✔️આ અધિનિયમમાં 7 વર્ષથી ઓછી વ્યનું બાળક એવા ગુના કરી શકતું નથી એમ દર્શાવતી નથી પરંતુ 7 વર્ષથી ઓછી વયના બાળકે કરેલું કોઈપણ કૃત્ય ગુનો ગણાશે નહીં એવા સામાન્ય અપવાદને ધ્યાને રાખી વ્યાખ્યા સમજવી પડે છે.

*●કલમ - 7* એકવાર સમજૂતી આપેલા શબ્દપ્રયોગનો ભાવ

*●કલમ - 8* જાતિ
✔️'તે' અને તેના સાધિત રૂપો નર (પુરુષ) કે નારી (સ્ત્રી) માટે વપરાય છે.
✔️આપણે પુરુષ માટે તે અને સ્ત્રી માટે તેણીનો ઉપયોગ કરીએ પરંતુ અહીં 'તે'માં તેણીનો પણ સમાવેશ થઈ જાય છે.

*●કલમ - 9* : વચન

*●કલમ - 10* : પુરુષ, સ્ત્રી

*●કલમ - 11* :- વ્યક્તિ
✔️વ્યક્તિ શબ્દમાં કોઈ કંપની, એસોસિએશન કે વ્યક્તિના મંડળનો પણ સમાવેશ થાય.
✔️કૃત્રિમ અથવા ન્યાયિક અથવા વૈધિક પણ સમાવિષ્ટ
✔️મૂર્તિ વૈધિક વ્યક્તિ છે, તે મિલકત ધારણ કરી શકે.
✔️મ્યુનિસિપાલિટી એક વ્યક્તિ છે.
✔️પૂરેપૂરી રીતે વિકસિત થયેલું ગર્ભમાંનું બાળક કે તેનું અલગ વ્યક્તિત્વ હોય તે પણ વ્યક્તિ છે.
✔️ભાગીદારી પેઢીને વ્યક્તિ ગણી શકાય નહીં (ગુના માટે જવાબદાર ન ઠેરવાય)
✔️માત્ર દંડ કરી શકાય તેવા ગુના માટે ફોજદારી થાય.
✔️માત્ર શિક્ષા સ્વરૂપે કેદ હોય તો કંપની સામે ફરિયાદ થઈ શકે નહીં.

*●કલમ - 12* : લોકો (પબ્લિક)
✔️શબ્દમાં લોકોના કોઈ વર્ગ અથવા કોઈ કોમનો સમાવેશ થાય.

*●કલમ - 13* રાણીની વ્યાખ્યા (એ.ઓ.1950થી રદ)

*●કલમ - 14* સરકારી નોકર
✔️સરકારના અધિકારથી ભારતમાં નોકરી ચાલુ રાખવામાં આવેલા, નિમેલા કે નોકરીમાં રાખેલા કોઈપણ અધિકારી અથવા નોકરનો નિર્દેશ કરે છે.

*●કલમ - 15* : (બ્રિટિશ ઇન્ડિયાની વ્યાખ્યા) રદ

*●કલમ - 16* : (ભારત સરકારની વ્યાખ્યા) રદ

*●કલમ - 17* : સરકાર
✔️કેન્દ્ર સરકાર અને કોઈ રાજ્ય સરકારને દર્શાવે

*●કલમ - 18* : ભારત
✔️ભારત એટલે જમ્મુ કાશ્મીર સિવાયનું ભારતનું રાજ્યક્ષેત્ર. (નોંધ :- તાજેતરમાં બંધારણની કલમ - 370 રદ થતાં હવે આ કલમમાં ભારત એટલે જમ્મુ કાશ્મીર સહિતનું ભારતનું રાજ્યક્ષેત્ર ગણાશે.

*●કલમ - 19* : ન્યાયાધીશ
✔️1859થી કોઈ દાવામાં હકુમત ભોગવતા કલેક્ટર ન્યાયાધીશ છે.
✔️કોઈ તહોમત અંગે હકુમત ભોગવતા મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ છે.
✔️મદ્રાસ અધિનિયમ, 1816માં પંચાયતને દાવા ચલાવી નિર્ણય કરવાની સત્તા છે, તે ન્યાયાધીશ છે.
✔️અન્ય ન્યાયાલયમાં કેસ કમિટ કરવાની સત્તા હોય તે મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ નથી.

*●કલમ - 20* : કોર્ટ (અદાલત)
✔️મદ્રાસ કોડ, 1816 હેઠળ પંચાયત ન્યાયાલય છે.કારણ કે તે દાવાઓ ચલાવી તેનો ફેંસલો (નિર્ણય) આપે છે.

*●કલમ - 21* : રાજ્ય સેવક
✔️ભારતીય ભૂમિદળ, નૌકાદળ, હવાઇદળના દરેક કમિશન ધરાવતા અધિકારી
✔️ન્યાય નિર્ણય કરવાનું કાર્ય કરતાં દરેક ન્યાયાધીશ
✔️ન્યાયાલયે ખાસ અધિકાર આપેલો હોય તે દરેક વ્યક્તિ
✔️દરેક જ્યૂરી સભ્ય, મૂલ્યાંકન કરનાર અથવા પંચાયતના સભ્ય
✔️કોઈ નિર્ણય કરવા જાહેર અધિકારીએ મોકલેલ લવાદ કે અન્ય વ્યક્તિ
✔️કોઈને અટકાયતમાં રાખવાની સત્તા ધરાવતો દરેક વ્યક્તિ
✔️ગુનો અટકાવે, માહિતી આપે, ગુનેગારોને ઇન્સાફ માટે લાવનાર, જાહેર આરોગ્ય કે સલામતીનું રક્ષણ કરતો દરેક અધિકારી
✔️સરકારના નાણાકીય હિતોની જાળવણી કરતો દરેક અધિકારી
✔️ગામ, શહેર કે જિલ્લામાં સમાન બિનસાંપ્રદાયિક હેતુ માટે કોઈ વેરો નાખવાની સત્તા ધરાવતો અધિકારી, લોકોના હકો નિશ્ચિત કરવા દસ્તાવેજ કરવાની કે પ્રમાણિત કરવાની સત્તા ધરાવતો દરેક વ્યક્તિ
✔️મતદાર યાદી તૈયાર, જાહેર કે જાળવણી કરવાની કે સુધારવાની અથવા ચૂંટણી કાર્યમાં સંચાલન કે જવાબદારી સોપાઈ હોય તે દરેક વ્યક્તિ
✔️સરકાર કોઈ કાર્ય માટે ફી કે કમિશન ચૂકવતી હોય તે દરેક વ્યક્તિ

*●કલમ - 22* : જંગમ મિલકત
✔️જમીન અને જમીન સાથે જોડાયેલી વસ્તુઓ તથા જમીન સાથે કાયમ જકડાયેલી વસ્તુઓ સિવાયની દરેક પ્રકારની મૂર્ત મિલકતનો સમાવેશ થાય.

*●કલમ - 23* : ગેરકાયદે લાભ

*●કલમ - 24* : બદદાનતથી
✔️જો ક નામનો વ્યક્તિ ખ ને ગેરકાયદે લાભ કરાવવાના હેતુ સાથે અને ગ ને ગેરકાયદે નુકસાન કરવાના હેતુથી કઈ કૃત્ય કરે તો ક એ બદદાનતથી કર્યું કહેવાય.

*●કલમ -25* : કપટપૂર્વક
✔️કોઈ વ્યક્તિ કપટ કરવાના ઈરાદાથી કોઈ કૃત્ય કરે તો તેણે તે કૃત્ય કપટપૂર્વક કર્યું કહેવાય, અન્યથા નહીં.

*●કલમ - 26* : માનવાને કારણ
✔️કોઈ વ્યક્તિને કોઈ વાત માનવાનું પૂરતું કારણ હોય તો તે વાત માનવાને કારણ છે એમ કહેવાય, અન્યથા નહીં.

*●કલમ - 27* : પત્ની, કારકુન કે નોકરના કબજામાંની મિલકત
✔️કોઈ મિલકત કોઈ વ્યક્તિ થકી તેની પત્ની, કારકુન કે નોકરના કબજામાં હોય તો તે મિલકત તે વ્યક્તિના કબજામાં કહેવાય.
✔️કારકુન કે નોકર હંગામી ધોરણે અમુક પ્રસંગ પૂરતી નોકરીમાં રાખેલ વ્યક્તિ છે.આ કલમ મુજબ તે કારકુન કે નોકર કહેવાય.
*●કલમ - 28* : ખોટી બનાવટ કરવા અંગે
✔️છેતરપિંડીના ઈરાદાથી કોઈ વ્યક્તિ એક વસ્તુને બીજી વસ્તુ સાથે મળતી આવે તેવ

ી બનાવે અથવા કરે તેને ખોટી બનાવટ કરી કહેવાય.
✔️ખોટી બનાવટ કરવા નકલ આબહુબ હોય તેવું જરૂરી નથી.

*●કલમ - 29* : દસ્તાવેજ
✔️કોઈ બાબતના પુરાવા તરીકે વાપરવા ધારેલા કે વાપરી શકાય તેવા અક્ષરો, અંકો કે નિશાનીઓ અથવા એકથી વધુ સાધનો વડે કોઈ પદાર્થ ઉપર વર્ણવેલી બાબતો દસ્તાવેજ કહેવાય.
✔️કરારની વિગતો વ્યક્ત કરતું લખાણ, બેંક ઉપરનો ચેક, મુખત્યરનામું, લઈ શકાય તેવો નકશો કે પ્લાન, આદેશવાળા લખાણ વગેરે...

*●કલમ - 29 A* : ઇલેક્ટ્રોનિક રેકર્ડ
✔️ઇલેક્ટ્રોનિક રેકર્ડ એટલે ઇન્ફર્મેશન ટેકનોલોજી અધિનિયમ, 2000ની કલમ -2 (1)(T) મુજબ
✔️ઇલેક્ટ્રોનિક રેકર્ડ એટલે એવી માહિતી કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ઉત્પન્ન કરાઈ હોય અથવા અવાજ સ્વરૂપે સંગ્રહિત કરી હોય તેવી બાબત

*●કલમ - 30* : કીંમતી જામીનગીરી
✔️જો ક ભાઈ કોઈ વિનિમય પત્ર પાછળ પોતાનું નામ લખે છે. જે વ્યક્તિ વિનિમયપત્ર કાયદેસર રીતે ધરાવતી હોય તેને તેનો હક તબદીલ થવાની આ મહોરને કીંમતી જામીનગીરી કહેવાય.

*●પ્રકરણ - 2ની કલમ -31 થી 52 A part-2 માં*

*👉🏻Continue......*


💥રણધીર💥
*👮🏻‍ Police Constable👮🏻‍♂️*

*📚પ્રકરણ ~ 2 : સામાન્ય સ્પષ્ટીકરણ - વ્યાખ્યાઓ (કલમ 6 થી 52 A)📚*

*👉🏻Part-2 કલમ - 31 થી 52 A👇🏻*

*●કલમ - 31 : વીલ (વસિયતનામું)*
✔️વીલ વસીયતી દસ્તાવેજનો નિર્દેશ કરે છે.

*●કલમ - 32 : કૃત્યના ઉલ્લેખ કરતા શબ્દોમાં ગેરકાયદેસરના કાર્યલોપનો સમાવેશ થાય.*
✔️આ કાયદામાં દરેક ભાગમાં સંદર્ભથી વિરુદ્ધ ઈરાદો જણાતો ન હોય તો કરેલા કૃત્યોનો ઉલ્લેખ કરતાં શબ્દો ગેરકાયદેસરના કાર્યલોપને પણ લાગુ પડે છે.

*●કલમ - 33 : 'કૃત્ય કાર્યલોપ'*
✔️કૃત્ય કોઈ એક જ કૃત્ય અને અનેક કૃત્યોનો તેમજ કાર્યલોપ કોઈ એક જ કાર્યલોપ અને અનેક કાર્યલોપનો નિર્દેશ કરે છે.

*●કલમ - 34 : જુદી જુદી વ્યક્તિઓએ સામાન્ય ઈરાદો બર લાવવા કરેલા કૃત્યો*
✔️ક, ખ, ગ વગેરે વ્યક્તિઓ તેમનો બધાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે કોઈ ગુનાહિત કૃત્ય કરે તો દરેક વ્યક્તિએ તે કૃત્ય પોતે એકલાએ જ કર્યું હોય તે રીતે કૃત્ય માટે જવાબદાર છે.
✔️ગુનો કરવા માટેનો સમાન ઈરાદો
✔️ગુનો કરવામાં ભાગ લેવો

*●કલમ - 35 : ગુનાહિત જાણકારી સાથે કે ઈરાદાથી કર્યું હોવાના કારણે એવું કૃત્ય ગુનાહિત હોય ત્યારે*

*●કલમ - 36 : અંશતઃ કૃત્યથી અને અંશતઃ કાર્યલોપથી નિપજેલું પરિણામ*
✔️અંશતઃ ક ને ગેરકાયદેસર રીતે ખોરાક ન આપીને અંશતઃ તેને માર મારીને ક એ ખ નું મૃત્યુ નિપજાવે છે તો ક એ ખ નું ખૂન કર્યું છે.

*●કલમ - 37 : જે કૃત્યથી ગુનો બનતો હોય તેવા જુદા જુદા કૃત્યો પૈકીનું એક કૃત્ય કરીને સાથ આપવા અંગે*
✔️ક અને ખ બંને અલગ અલગ રીતે અલગ અલગ સમયે ગ ને થોડા થોડા પ્રમાણમાં ઝેર આપી ખૂન કરવા સહમત થાય અને આ સહમતી અનુસાર ગ ને ઝેર આપે.ઝેરની માત્રાથી ગ મૃત્યુ પામે છે તો ક અને ખ એ ઈરાદાપૂર્વક એકબીજાને સાથ આપ્યો કહેવાય. આમ કૃત્ય અલગ હોવા છતાં ખૂન માટે બંને દોષિત છે.

*●કલમ - 38 : ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલી વ્યક્તિઓ જુદા જુદા ગુનાઓ માટે દોષિત હોઈ શકે*

*●કલમ - 39 : સ્વેચ્છાપૂર્વક*
✔️ક નામનો વ્યક્તિ લૂંટના ગુનામાં મદદરૂપ થવા રાત્રે એક ઘરમાં આગ લગાડે છે અને તે આગના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે ક ને દિલગીર પણ થાય છે પરંતુ ક ને આગથી મૃત્યુ પણ થઈ શકે તે વિશે ખબર હતી, આથી ક એ સ્વેચ્છાપૂર્વક મૃત્યુ નિપજાવ્યું કહેવાય.

*●કલમ - 40 : ગુનો*
✔️કાયદા હેઠળ શિક્ષાપાત્ર ઠરાવેલા કૃત્યનો નિર્દેશ કરે છે.

*●કલમ -41 : ખાસ કાયદો*
✔️અમુક બાબતોને લાગુ પડતો કાયદો છે.

*●કલમ - 42 : સ્થાનિક કાયદો*
✔️ભારતમાં અમુક ભાગમાં લાગુ પડતો કાયદો છે.

*●કલમ - 43 : ગેરકાયદેસર કરવા માટે કાયદેસર બંધાવા અંગે*
✔️જે કૃત્ય ગુનો હોય અથવા કૃત્યની કાયદાથી મનાઈ કરવામાં આવી હોય અથવા કૃત્યથી દીવાની રાહે પગલું ભરવાને કારણ મળતું હોય તેવા દરેક કૃત્યને લાગુ પડે. જે કૃત્ય ન કરવું કોઈ વ્યક્તિ માટે ગેરકાયદેસર હોય તે કરવા માટે તે કાયદેસર બંધાયેલી તેમ કહેવાય.

*●કલમ - 44 : ઈજા*
✔️કોઈ વ્યક્તિના શરીર, મન, પ્રતિષ્ઠા, મિલકતને ગેરકાયદેસર રીતે પહોંચાડેલી કોઈપણ હાનિ છે.

*●કલમ - 45 : જીવન*
✔️સંદર્ભથી કોઈ વિરુદ્ધ ન હોય તો તે માનવીના જીવનનો નિર્દેશ કરે છે.

*●કલમ - 46 : મૃત્યુ*
✔️સંદર્ભથી કોઈ વિરુદ્ધ ન હોય તો તે માનવીના મૃત્યુનો નિર્દેશ કરે છે.

*●કલમ - 47 : પશુ*
✔️પશુ એટલે માણસ સિવાયનું કોઈપણ જીવંત પ્રાણી

*●કલમ - 48 : વહાણ*
✔️વહાણ એટલે માણસો અને માલને જળ માર્ગે લાવવા લઈ જવા માટે બનાવેલું કોઈ સાધન.

*●કલમ - 49 : 'વષ' 'મહિનો'*
✔️વર્ષ અથવા મહિનો શબ્દનો ઉપયોગ થાય ત્યારે તેને બ્રિટિશ કેલેન્ડરને અનુસરીને ગણવાના છે.

*●કલમ - 50 : કલમ*
✔️અધિનિયમના કોઈ પ્રકરણની આંકડા મૂકીને જુદો દર્શાવવામાં આવે તેનો નિર્દેશ કરે છે.

*●કલમ - 51 : સોગંદ*
✔️સોગંદના બદલે કાયદાથી ગંભીરતાપૂર્વક લેવાની પ્રતિજ્ઞાનો અને કોઈ રાજ્યસેવક સમક્ષ જે કરવાનું કાયદા મુજબ જરૂરી હોય અથવા કોર્ટમાં કે તેની બહાર સાબિતી માટે ઉપયોગમાં લેવાના એકરારનો સમાવેશ થાય છે.

*●કલમ - 52 : શુદ્ધબુદ્ધિ*
✔️યોગ્ય કાળજી અને ધ્યાન રાખ્યા સિવાય કરેલી કે માનેલી બાબત શુદ્ધબુદ્ધિથી કરી કે માની કહેવાય નહીં.

*●કલમ - 52 (A) : આશરો આપવા અંગે*
✔️કલમ-157 મુજબ હોય તે સિવાય અને આશરો પામેલી વ્યક્તિની પત્ની કે પતિએ આશરો આપ્યો હોય ત્યારે કલમ-130ના દાખલામાં, પકડાઈ જતી કોઈ વ્યક્તિને બચાવવા માટે આશ્રય, ખોરાક, નાણાં, પીણું, કપડાં, હથિયારો, દારૂગોળો અથવા આવા બીજા કોઈ સાધનો વડે મદદ કરવી તેમ થાય.

💥રણધીર💥
*👮🏻‍♂️કોન્સ્ટેબલ👮🏻‍♂️*

*અગાઉની પરીક્ષામાં પૂછાયેલ ત્રણેય કાયદાના પ્રશ્નો👇🏾*

*તારીખ :- 23/10/2016*

◆ભારતના પુરાવાના સંદર્ભે, સહતહોમતદાર કોને ગણી શકાય
*ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર*

◆ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગેરકાયદેસર મંડળી"માં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ
*પાંચ*

◆'અ' અને 'બ' જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે
*બખેડો*

◆'અ' ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ ગુનાની જાણ થાય છે.
*'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.*

◆ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલું છે
*લોર્ડ મેકોલે*

◆ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવતરા"માં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ
*બે*

◆'અ' , 'બ'ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' કયા ગુના માટે જવાબદાર ઠરશે
*ગંભીર ઈજા*

◆ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે
*1 થી 511*

●'ખૂન' માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે
*302*

●'અ' ઘરેણાંની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે.પરંતુ પેટીમાં ઘરેણાં નથી.અહીં 'અ' .............
*ચોરી કરવાનો પ્રયત્નમાં ગુના માટે જવાબદાર છે*

●'અ' , 'બ'ની માલિકીના બળદને મારી નાખે છે. અહીં 'અ' ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે
*બગાડ*

●પત્ની, સંતાનો અને માતા-પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી.ની કઈ કલમમાં છે
*સી.આર.પી.સી.કલમ - 125*

●CRPCની કલમ - 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદ્દત શું છે
*એક વર્ષ*

◆CRPCની જોગવાઈઓ અનુસાર, કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને ,નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય
*જયુડિશિયલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટક્લાસ*

◆CRPCના પ્રબંધો અનુસાર, 'ફેરારી' માટેના જાહેરનામાની મુદ્દત કેટલા દિવસની હોય છે
*ત્રીસ દિવસ*

◆CRPCના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે
*આરોપીને ગુના અંગેની જાણ કરવી*

◆"દસ્તાવેજ"ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે
A)શિલાલેખ
B)ધાતુપત્ર
C)મુદ્રિત સામગ્રી
*D) ઉપરના તમામ A, B અને C*

◆ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે
*ઉલટ તપાસ સમયે*

◆સર તપાસ એટલે શું
*સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ*

💥R. K.💥
સામાન્ય જ્ઞાન:
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚પ્રકરણ ~ 3 : શિક્ષા વિશે (કલમ 53 થી 75)📚*

*●કલમ - 53 : શિક્ષા*
✔️ગુનેગારો નીચે પ્રમાણે શિક્ષાને પાત્ર થશે.
✔️પહેલી : મોત (મૃત્યુ)
✔️બીજી : આજીવન કેદ
✔️ત્રીજી : રદ
✔️ચોથી : કેદ 1.સખત કેદ 2.સાદી કેદ
✔️પાંચમી : મિલકત જપ્ત કરવી
✔️છઠ્ઠી : દંડ
આજીવન દેશ નિકલનો અર્થ આજીવન કેદ છે એમ થશે.
1955 પહેલા દેશ નિકાલની શિક્ષા થઈ હોય તો તેટલી જ મુદત માટે સખત કેદની સજાની જેમ કામ લેવાતું.
દેશ નિકાલનો અથવા ટૂંકી મુદત માટે દેશ નિકાલનો ઉલ્લેખ કાઢી નાખવામાં આવ્યો છે.
ટૂંકી મુદતનો દેશનિકાલ અર્થ હોય તો તેને કાઢી નાખવામાં આવ્યું છે.

*●કલમ - 54 : મોતની સજા હળવી કરવા અંગે*
✔️મોતની સજાના કિસ્સામાં યોગ્ય સરકાર, ગુનેગારની સંમતિ વગર હળવી કરવી તથા અધિનિયમમાં ઠરાવેલી બીજી ગમે તે શિક્ષામાં ફેરવી શકાશે.

*●કલમ - 55 : આજીવન કેદની સજા હળવી કરવા અંગે*
✔️આજીવન કેદના કેસમાં યોગ્ય સરકાર, ગુનેગારની સંમતિ વિના તેને હળવી કરી 14 વર્ષ સુધીની બે પૈકી કોઈ એક પ્રકારની કેદની શિક્ષામાં ફેરવાઈ શકે.

*●કલમ - 56 (A) : યોગ્ય સરકાર*
✔️કલમ - 54 અને 55માં દર્શાવેલ યોગ્ય સરકારનો અર્થ
✔️મોતની સજા હોય અથવા સંઘની કારોબારી સત્તા જે બાબત સુધી વિસ્તરેલી હોય ત્યારે કાયદા વિરુદ્ધ ગુના માટે સજા હોય તેવા કેસમાં કેન્દ્ર સરકાર.
✔️સજા (મોતની હોય કે ન હોય) રાજ્યની કારોબારી સત્તા જે બાબત સુધી પહોંચતી હોય તેને લગતા કાયદા વિરુદ્ધના કેસોમાં જે રાજ્યમાં ગુનેગારને સજા ફરમાવાઈ હોય તે રાજ્ય સરકાર.

*●કલમ - 56 : રદ*
✔️યુરોપિયનો તથા અમેરિકનોને કઠોર પરિશ્રમની સજા હતી.
✔️6 એપ્રિલ, 1949થી રદ કરવામાં આવી.

*●કલમ - 57 : શિક્ષાની મુદતના ભાગો*
✔️ગણતરી પ્રમાણે આજીવન કેદની શિક્ષાને 20 વર્ષની કેદની શિક્ષા બરાબર ગણવામાં આવશે.

*●કલમ - 58 : રદ*

*●કલમ - 59 : રદ*

*●કલમ - 60 : (કેદના અમુક કેસોમાં) બધી અથવા અંશતઃ સજા સખત અથવા સાદી કરી શકાશે*
✔️કોર્ટને સત્તા રહેશે કે કેદની શિક્ષા થઈ હોય ત્યારે દરેક કેસમાં બધી કેદ સખત અથવા બધી કેદ સાદી અથવા તેનો થોડો ભાગ સખત અને બાકીનો ભાગ સાદી રાખી શકાશે.

*●કલમ - 61 : રદ*

*●કલમ - 62 : રદ*

*●કલમ - 63 : દંડની રકમ*
✔️કેટલો દંડ થઈ શકે તે ન ઠરાવ્યું હોય ત્યારે ગુનેગાર માટે દંડની રકમ અમર્યાદિત છે પણ તે વધુ પડતી હોવી જોઈએ નહીં.

*●કલમ - 64 : દંડ ન ભરાય તો કેદની સજા*
✔️ગુનેગારને કેદ સાથે અથવા કેદ વગર દંડની સજા થઈ હોય તેવા કેદની તથા દંડની શિક્ષાના પાત્ર ગુનાના દરેક કેસમાં
✔️ગુનેગારને દંડ ન ભરે તો અમુક મુદત સુધી કેદ ભોગવવી તે હુકમ ફરમાવવાની સત્તા કોર્ટને રહેશે.ગુનેગારને બીજી કોઈ કેદની સજા થઈ હોય તે ઉપરાંત અથવા સજા હળવી કરવાના હુકમ હેઠળ જે કેદને તે પાત્ર હોય તે ઉપરાંતની રહેશે.

*●કલમ - 65 : કેદની અને દંડની શિક્ષાને પાત્ર હોય ત્યારે, દંડ ન ભરાય તો કેદની મુદત*
✔️કેદની તથા દંડની એમ બંને શિક્ષા હોય ત્યારે દંડ ન ભરાય તો કોર્ટ તે ગુનેગારને કેદમાં રાખવાનું ફરમાવે તે ગુના માટે નક્કી થયેલી વધુમાં વધુ મુદતના 1/4 કરતાં વધુ હોવી જોઈએ નહીં.

*●કલમ - 66 : દંડ ન ભરવા માટે કેદનો પ્રકાર*
✔️દંડ ન ભરાય તો તે ગુના માટે ગુનેગારને જે પ્રકારની કેદની સજાનો હુકમ થઈ શકે તે કોઈપણ પ્રકારની રહેશે.

*●કલમ -67 : ગુનો માત્ર દંડની શિક્ષાને પાત્ર હોય ત્યારે દંડ ન ભરે તો કેદની મુદત*
✔️માત્ર દંડની શિક્ષાને પાત્ર ગુનો હોય અને ગુનેગાર દંડ ન ભરે તો કોર્ટ જે કેદની શિક્ષા કરે તે સાદી હોવી જોઈએ અથવા તે નીચેના પ્રમાણમાં હોવી જોઈએ.
દંડની રકમ 50 ૱ કરતાં વધુ ન હોય ત્યારે - વધુમાં વધુ 2 મહિનાની મુદત
દંડની રકમ 100 ૱ કરતાં વધુ ન હોય ત્યારે - વધુમાં વધુ 4 મહિનાની મુદત
(બીજા કોઈ કેસમાં વધુમાં વધુ 6 મહિનાની મુદત)

*●કલમ - 68 : દંડ ભરી આપતા કેદનો અંત લાવવા અંગે*
✔️દંડ ન ભરે તો કેદની જે સજા કરી હોય, તે સજાઓ તે દંડ આપવામાં આવે અથવા કાયદાની રાહે તે વસૂલ કરવામાં આવે ત્યારે અંત આવશે.

*●કલમ - 69 : દંડનો પ્રમાણસરનો ભાગ આપતા કેદનો અંત આવવા અંગે*
✔️જો ક ભાઈને ૱100નો દંડ થયો હોય અને તે ન ભરપાઈ કરતા 4 માસની કેદની સજા થઈ હોય ત્યારે એક મહિનો પૂરો થાય તે પહેલાં દંડના 75 ૱ આપવામાં કે વસૂલ થાય તો એક મહિનો પૂરો થતાં તુરંત જ ક ભાઈને છોડી મૂકાશે. જો એક મહિનો પૂરો થયો હોય અને કેદ ચાલુ હોય અને 75 ૱ ચુકવવામાં આવે તો તુરંત ક ભાઈને છોડી દેવાશે. જો કેદના બે મહિના પુરા થાય તે પહેલાં દંડના ક ભાઈ ૱ 50 ચુકવી આપે તો બે મહિના પુરા થતા તુરંત છોડી મૂકાશે તેમ છતાં બે મહિનાથી વધુ કેદ હજી ચાલુ છે અને ક ભાઈ ૱ 50ની ચુકવણી કરી આપે તો તેને તુરંત જ છોડી મૂકાશે.
*●કલમ - 70 : 6 વર્ષની અંદર અથવા કેદની મુદત દરમિયાન દંડ વસૂલ કરી શકાય.મૃત્યુ થતા મિલકત બોજામાંથી મુક્ત નહીં થાય*
✔️દંડ અથવા દંડનો જેટલો ભાગ આપવાનો બાકી હોય, તે સજાના હુકમ પછી 6 વર્ષની અંદર કોઈપણ સમયે વસૂલ કરી શકાશે. જો ગુનેગાર 6 વર્ષ કરતા વધુ સમયની કેદ પાત્ર હોય ત્યારે

મુદત પૂરી થતાં પહેલાં કોઈપણ સમયે વસૂલ કરી શકાય અથવા ગુનેગારના મૃત્યુ પછી કાયદેસર રીતે તેનું દેવું જે મિલકતમાંથી વસૂલ કરી શકાય તેમાંથી થાય અને તેના મૃત્યુથી પણ તેની મિલકત દેવાના બોજામાંથી મુક્ત થતી નથી.

*●કલમ - 71 : કેટલાક ગુના મળીને બનેલા ગુનાની શિક્ષાની મર્યાદા*
✔️ક ભાઈને એક લાકડી વડે ખ ભાઈ 25 ફટકા મારે ત્યારે દરેક ફટકાથી ખ ભાઈ ક ભાઈને વ્યથા કરવાનો ગુનો કર્યો છે અને ખ ભાઈને એક ફટકા માટે એક વર્ષ તેમ ગણી 25 વર્ષ સુધી કેદમાં નાખી શકાય પણ એકદંર માર માટે ખ ભાઈ એક જ શિક્ષાને પાત્ર થશે.પરંતુ ક ભાઈને ખ ભાઈ મારતો હોય ત્યારે ગ ભાઈ વચ્ચે પડે અને ખ ભાઈ ઈરાદાપૂર્વક ગ ભાઈને ફટકા મારે તો ક ભાઈએ ખ ભાઈને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરી તે કૃત્યનો ગ ભાઈને મારેલો ફટકો કોઈ ભાગ ન હોવાથી ક ભાઈને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા માટે એક શિક્ષાને તથા ગ ભાઈને ફટકો મારવા માટે બીજી શિક્ષાને ખ ભાઈ પાત્ર છે.

*●કલમ - 72 : કેટલાક ગુનાઓ પૈકી એકને માટે દોષિત ઠરેલી વ્યક્તિ તે કયા ગુના માટે દોષિત છે એ વિશે શંકા હોવાનું ફેંસલામાં જણાવ્યું હોય ત્યારે તેને કરવાની શિક્ષા*
✔️એવો ફેંસલો અપાય કે અમુક વ્યક્તિ જુદા જુદા ગુનાઓ પૈકી એક ગુનામાં દોષિત છે તે વિશે શંકા છે અને તે દરેક ગુના માટે એકસમાન શિક્ષા ન હોય તો ઓછામાં ઓછી શિક્ષા ઠરાવી હોય તે માટે ગુનેગારને શિક્ષા કરાશે.

*●કલમ - 73 : એકાંત કેદ*
✔️જે ગુના માટે સખત કેદની શિક્ષા થઈ શકે તે માટે સજા પામેલા ગુનેગારને સજા કરવામાં આવી છે તેના કોઈ ભાગ કે ભાગોની મુદત સુધી નીચે મુજબ એકદંર 3 મહિનાથી વધુ નહીં તેવી એકાંત કેદ રાખવામાં આવશે.
જો કેદની મુદત 6 મહિના કરતા વધુ ન હોય તો - 1 મહિના કરતા વધુ નહીં.
જો કેદની મુદત 6 મહિનાથી વધુ પણ 1 વર્ષ કરતા ઓછી હોય તો - બે મહિનાથી વધુ નહીં.
જો કેદની મુદત 1 વર્ષ કરતા વધુ હોય - 3 મહિના કરતા વધુ સમય સુધી નહીં.

*●કલમ - 74 : એકાંત કેદની મુદત*
✔️એકાંત કેદની સજાના અમલ કરવામાં એક વખતે એવી કેદ 14 દિવસ કરતા વધુ નહીં હોય અને તે કેદની મુદતોની વચ્ચે તે મુદત કરતા ઓછો ગાળો હોવો જોઈએ નહીં, અપાયેલી કેદ 3 મહિના કરતાં વધુ હોય ત્યારે અપાયેલી કેદ દરમિયાન કોઈ એક મહિનામાં એકાંત કેદ 7 દિવસ કરતાં વધુ હોવી જોઈએ નહીં અને તે એકાંત કેદની મુદતો વચ્ચે મુદત કરતા ઓછો ગાળો હોવો જોઈએ નહીં.

*●કલમ - 75 : અગાઉ દોષિત ઠર્યા પછી, પ્રકરણ-12 (સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના) અને પ્રકરણ-17 (મિલકત વિરુદ્ધના ગુનાઓ વિશે (ચોરી વિશે)) હેઠળ અમુક ગુનાઓ માટે વધારે શિક્ષા*
✔️કોર્ટ દ્વારા અધિનિયમના પ્રકરણ-12 અને પ્રકરણ-17 હેઠળ 3 વર્ષની અથવા તેથી વધુ મુદતની બે માંથી ગમે તે એક પ્રકારની કેદની શિક્ષાને પાત્ર ગુના માટે.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01/01/2022 થી 03/01/2022🗞️*

અંડર-19 એશિયા કપ(ક્રિકેટ)માં ભારતીય ટીમ કયા દેશની ટીમને હરાવી ચેમ્પિયન બની
*✔️શ્રીલંકા*
*✔️ભારત રેકોર્ડ 8મી વાર ચેમ્પિયન*

સાઉથ આફ્રિકાના ક્રિકેટર જેમને હાલમાં અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
*✔️ક્વેન્ટન ડી કોક*

ચીનના કયા સ્થળેથી ભગવાન બુદ્ધ અને તેમના જીવનને દર્શાવતી 300 મૂર્તિઓ મળી
*✔️શાંકસી પ્રાંતમાં ફેનહી નદીની નજીક*

કેન્દ્ર સરકારમાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW - રૉ)ના ડેપ્યુટશન પર 4 વર્ષ માટે કોની નિમણૂક કરવામાં આવી
*✔️ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ના DIG હિમાંશુ શુક્લા*

હાલમાં કયા દેશમાંથી 6 કરોડ વર્ષ પહેલાના ડાયનાસોરના ઈંડાં મળી આવ્યા
*✔️બ્રાઝીલ*

તાજેતરમાં અમેરિકાના કયા રાજ્યમાં ફેલાયેલી ભીષણ આગના કારણે 1000 હજાર મકાન બળીને ખાક થઈ ગયા અને 3 લાખ લોકો ગુમ થઈ ગયા
*✔️કોલોરાડો રાજ્યમાં ડેનવર જંગલમાં*

મહિલાઓની લગ્નની કાયદાકીય ઉંમર 18 થી 21 વર્ષ કરવા માટે બાળ વિવાહ નિષેધ (સંશોધન) બીલની સમીક્ષા કરનારી સંસદીય સમિતિમાં માત્ર એક જ મહિલા સાંસદ કોણ છે
*✔️TMCની સુસ્મિતા દેવ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠમાં પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો.આ યુનિવર્સિટીનું નામ શું છે
*✔️મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી*

વર્ષ 2021માં વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ્લિકેશન કઈ બની
*✔️ટિક-ટોક*

કયા રાજયમાં જલજીવન મિશન માટે કેન્દ્ર સરકાર દ્વારા ૱15,381 કરોડની ફાળવણી કરવામાં આવી
*✔️મધ્યપ્રદેશ*

કેનેડાના 'ઓર્ડર ઓફ કેનેડા' પુરસ્કારથી કયા કયા ભારતીયોને સન્માનિત કરવામાં આવ્યા
*✔️ડૉ.પ્રદીપ મર્ચન્ટ, ડો. વેક્ટમ અય્યર લક્ષ્મણન અને નવજોતસિંહ ઢીલ્લો*

વર્લ્ડ CEO વિનર ઓફ ધ ઈયર 2021 પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️કિશોર યેદમ*

સુરાઈ ઈકો ટુરિઝમ ઝોનનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*✔️ઉત્તરાખંડ*

બ્રિક્સની ન્યુ ડેવલપમેન્ટ બેંકના ચોથો સદસ્ય કયો દેશ બન્યો
*✔️ઈજીપ્ત*

ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી અર્બન મિશનના અમલીકરણમાં કયું રાજ્ય દેશમાં અવ્વલ રહ્યું છે
*✔️તેલંગણા*

કયા દેશે વિશ્વનું સૌપ્રથમ ડ્યુઅલ મોડ વેહિકલ બહાર પાડ્યું છે
*✔️જાપાન*

કયા દેશે હિંદુ મંદિરોની દેખરેખ માટે પ્રથમ વખત સંસ્થાની સ્થાપના કરી
*✔️પાકિસ્તાન*

ઓડિશામાં રમાઈ રહેલી ચોથી પેરા બેડમિન્ટન રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં નિતેશ કુમાર ગોલ્ડમેડલ વિજેતા બન્યા.

તેલંગણામાં 100% વસ્તીને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

ભારતીય બોલર જસપ્રીત બુમરાહે વિદેશી ધરતી પર 100 વિકેટ ખેરવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

💥રણધીર💥
સામાન્ય જ્ઞાન:
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚પ્રકરણ ~ 4 : સામાન્ય અપવાદો (કલમ 76 થી 106)📚*

*★●કલમ - 76 : કાયદાથી બંધાયેલી અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતાને કાયદાથી બંધાયેલી માનતી વ્યક્તિએ કરેલું કૃત્ય (હકીકત અંગેની ભૂલ)*
✔️જો રણજીત નામક સૈનિક પોતાના ઉપરી અધિકારીના હુકમથી કાયદાના આદેશને સુસંગત રહી એક ટોળા ઉપર ગોળીબાર કરે તો રણજીતે ગુનો કર્યો નથી.

*★●કલમ - 77 : ન્યાયિક રીતે કાર્ય કરતાં ન્યાયાધીશનું કૃત્ય*
✔️કાયદાથી મળેલી બાબત અનુસાર સત્તાની રૂએ ન્યાયાધીશ કોઈ ન્યાયિક રીતે કાર્ય કરે અને શુદ્ધબુદ્ધિથી પોતે માનતા હોય તો ન્યાયાધીશે કરેલું કૃત્ય ગુનો નથી.

*●કલમ - 78 : કોર્ટના ફેંસલા અથવા હુકમ અનુસાર કરેલું કૃત્ય*
✔️કોર્ટનો ફેંસલો અથવા હુકમ અમલમાં હોય તે દરમિયાન તે ફેંસલા અથવા હુકમ અનુસાર કરેલું અથવા તેની રૂએ કરવું જોઈએ તેવું કૃત્ય ગુનો નથી પછી ભલે તે કોર્ટને તે ફેંસલો કરવાની હકૂમત ન હોય પરંતુ તે કૃત્ય કરનાર વ્યક્તિ શુદ્ધબુદ્ધિથી માનતી હોવી જોઈએ કે તે કોર્ટને એવી હકૂમત હતી.

*●કાયદાનુમત હોય અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતે કાયદાનું મત હોવાનું માનતી હોય તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય*
✔️જો રણજીતને રાજેશ ખૂન કરી રહ્યો હોય એવું લાગે. ખૂનીઓને ખૂન કરતાં પકડવાની તમામ વ્યક્તિઓને કાયદાએ આપેલી સત્તા શુદ્ધબુદ્ધિથી કરેલા નિર્ણય મુજબ વાપરીને રણજીત રાજેશને યોગ્ય અધિકારી સમક્ષ હાજર કરવા પકડે છે. રાજેશ પોતાનો બચાવ કરી રહ્યો હતો તેવું પાછળથી માલુમ પડે તો પણ રણજીતે કોઈ ગુનો કર્યો નથી.

*★●કલમ - 80 : કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત*
✔️જો રણજીત પાવડા વડે કામ કરતો હોય અને પાવડાનું ફળ છટકીને નજીકમાં ઉભેલા રાજેશનો જીવ લે તો રણજીત દ્વારા સાવચેતીનો યોગ્ય અભાવ ન હોય તો તે કૃત્ય ક્ષમ્ય છે - ગુનો નથી.

*●કલમ - 81 : જો કૃત્યથી હાનિ થવા સંભવ હોય તેવું પણ ગુનાહિત ઈરાદા વિના અને બીજી હાનિ થતી અટકાવવા કરેલું કૃત્ય*
✔️ગુનાહિત ઈરાદા વિના તથા શુદ્ધબુદ્ધિથી માત્ર તે કૃત્યથી હાનિ થવાનો સંભવ છે તેવું જાણી કર્યું હોવાના કારણે તે કૃત્ય કોઈ ગુનો નથી.

*★●કલમ - 82 : 7 વર્ષની અંદરના બાળકનું કૃત્ય*
✔️7 વર્ષની અંદરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી.

*★●કલમ - 83 : 7થી વધુ અને 12થી ઓછી વયના અપરિપકવ સમજવાળા બાળકનું કૃત્ય*
✔️વર્તણુકનો પ્રકાર અને પરિણામોનો પ્રસંગ સાચો ખ્યાલ કરવા કરવા પૂરતી જેની સમજશક્તિ પરિપક્વ થઈ નથી તેવા 7 વર્ષથી વધુ અને 12 વર્ષથી ઓછી વયના બાળકનું કોઈ કૃત્ય ગુનો નથી.

*★●કલમ - 84 : અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય*
✔️અસ્થિર મગજના કારણે પોતાનું કૃત્ય કયા પ્રકારનું છે કે તે અપકૃત્ય છે અથવા કાયદા વિરુદ્ધનું છે તેવું તે કૃત્ય કરતી વખતે જાણવાને અશક્તિમાન હોય તે વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો નથી.

*●કલમ - 85 : પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાના કારણે નિર્ણય ન કરી શકે તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય*
✔️વ્યક્તિને નશો ચડ્યો હોય તે વસ્તુ તેની જાણ વિના અથવા તેની ઈચ્છા વિરુદ્ધ આપવામાં આવી હોય અને નશાના કારણે તે વ્યક્તિએ કરેલું કૃત્ય અપકૃત્ય છે, કાયદા વિરુદ્ધનું છે તે જાણવા અશક્તિમાન હોય તે વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો નથી.

*●કલમ - 86 : નશામાં હોય તેવી વ્યક્તિએ કરેલો ગુનો જેમાં ખાસ કોઈ ઈરાદો અથવા જાણકારી હોવી આવશ્યક છે.*

*●કલમ - 87 : સંમતિથી કરેલું કૃત્ય જેનાથી મૃત્યુ નિપજાવવાનો કે મહાવ્યથા કરવાનો ઈરાદો ન હોય અથવા તેમ થવાનો સંભવ હોવાની જાણ ન હોય*
✔️તે કૃત્ય ગુનો નથી.

*●કલમ - 88 : મૃત્યુ નિપજાવવાનો ઈરાદો ન હોય તેવું કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિથી શુદ્ધબુદ્ધિથી કરેલું કૃત્ય*
✔️તે કૃત્ય ગુનો નથી.

*●કલમ - 89 : કોઈ બાળક અથવા પાગલ વ્યક્તિના ફાયદા માટે તેના વાલીએ અથવા વાલીની સંમતિથી શુદ્ધબુદ્ધિથી કરેલું કૃત્ય*
✔️તે કૃત્ય ગુનો નથી.
✔️જો રાજેશ ઓપરેશન સમયે તેના બાળકનું મૃત્યુ થવાનું સંભવ હોવાનું જાણતો હોય પરંતુ બાળકનો રોગ મટાડવા બાળકની સંમતિ વિના રાજેશ સર્જન પાસે ઓપરેશન કરાવે તો રાજેશ અપવાદમાં આવી જાય છે કારણ કે ઓપરેશનનો હેતુ બાળકનો રોગ મટાડવાનો હતો.

*●કલમ - 90 : સંમતિ, જે ભયના લીધે અથવા ખોટા ખ્યાલના લીધે આપી હોવાનું જાણવામાં હોય*

*●કલમ - 91 : હાનિ થયા વિના પણ જે કૃત્યો ગુનો બને છે તે કૃત્યો બાકાત રાખવા અંગે*
✔️કૃત્યોને કલમો 87, 88 અને 89ના અપવાદો લાગુ પડશે નહીં.

*●કલમ - 92 : કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિ વિના શુદ્ધબુદ્ધિથી કરેલું કૃત્ય*
✔️રણજીત તેના ઘોડા પરથી બેભાન થઈ ગયો છે અને સર્જન રાજેશને લાગે કે તેની ખોપરીનું ઓપરેશન કરવું જરૂરી છે ત્યારે રાજેશ મોત નિપજાવવાના ઈરાદાથી નહીં પણ શુદ્ધબુદ્ધિથી રણજીત ભાનમાં આવે તે પહેલાં તેની ખોપરીનું ઓપરેશન કરે તો રાજેશે કોઈ ગુનો કર્યો ન કહેવાય.
*●કલમ - 93 : શુદ્ધબુદ્ધિથી જણાવેલી અંગે*
✔️જો રાજેશ નામક સર્જન રણજીત નામક દર્દીને જે જીવી શકશે નહીં તેવો અભિપ્રાય આપે અને આઘાતથી રણજીતનું મૃત્યુ થાય તો રાજેશ જાણતો હતો કે રણજીતનું મૃત્યુ થઈ શકે ત

ે સંભવ છે છતાં રાજેશે ગુનો કર્યો નથી.

*●કલમ - 94 : ધમકીથી જે કરવાની કોઈ વ્યક્તિને ફરજ પાડી હોય તે કૃત્ય*
✔️ખૂન અને રાજ્ય વિરુદ્ધના મોતની શિક્ષાને પાત્ર ગુના સિવાયનું કૃત્ય કરતી વખતે તેમ ન કરે તો તત્કાળ મારી નાખવાની દહેશત ઉભી કરાય અને ધમકીથી તેમ કરવાની ફરજ પડાય ત્યારે કરેલું કૃત્ય ગુનો નથી.તે વ્યક્તિ ઓછી હાનિ થવાની દહેશત કે આમ કરવું જ પડે એવી પરિસ્થિતિમાં મુકાયો ન હોવો જોઈએ.

*●કલમ - 95 : જેથી નજીવી હાનિ થાય તેવું કૃત્ય*
✔️સમાન્ય સમજવાળી અને સ્વભાવની કોઈ વ્યક્તિ તેવી હાનિ માટે ફરિયાદ કરે નહિ તો તે હાનિને કારણે કોઈ કૃત્ય ગુનો નથી.

*📚ખાનગી બચાવનો હક (કલમ 96 થી 106)📚*

*★●કલમ - 96 : ખાનગી બચાવમાં કરેલા કૃત્યો*
✔️ખાનગી બચાવનો હક વાપરતા કરેલું કૃત્ય ગુનો નથી.

*●કલમ - 97 : શરીર અને મિલકતના ખાનગી બચાવનો હક*
✔️પહેલું :- મનુષ્યના શરીરને અસરકર્તા ગુના સામે પોતાને અને બીજી કોઈ વ્યક્તિના શરીરનો બચાવ કરવાનો
✔️બીજું :- ચોરી, લૂંટ, બગાડ કે ગુનાહિત અપ-પ્રવેશની વ્યાખ્યામાં આવી જતો ગુનો હોય તેવા કૃત્ય સામે પોતાની અથવા બીજી વ્યક્તિની સ્થાવર કે જંગમ મિલકત બચાવવાનો.

*●કલમ - 98 : અસ્થિર મગજની વગેરે વ્યક્તિઓએ કૃત્ય સામે ખાનગી બચાવનો હક*

*★●કલમ - 99 : કયા કૃત્યો સામે ખાનગી બચાવનો હક નથી*
✔️કોઈ રાજ્યસેવક હોદ્દાની રૂએ કામ કરતો હોય અને જેમાં મોત અથવા મહાવ્યથાની દહેશત હોય ત્યારે ખાનગી બચાવનો હક નથી.
✔️સરકારી અધિકારીઓનું રક્ષણ મેળવવાનો સમય હોય તેવા સમયે ખાનગી બચાવનો હક નથી.

*★●કલમ - 100 : શરીરના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોંચે છે :*
✔️પહેલું :- દહેશત ઉભી થાય કે બચાવ ન કરવાથી મૃત્યુ થશે એવો હુમલો.
✔️બીજું :- દહેશત ઉભી થાય કે બચાવ ન કરવાથી મહાવ્યથા થશે.
✔️ત્રીજું :- બળાત્કાર કરવાના ઇરાદે કરેલો હુમલો.
✔️ચોથું :- સૃષ્ટિશ્રમ વિરુદ્ધ કામ વાસના સંતોષવાના ઈરાદે કરેલો હુમલો
✔️પાંચમું :- અપહરણ કે અપનયન ઇરાદે કરેલો હુમલો.
✔️છઠ્ઠું :- ગેરકાયદે અટકાયતમાં રાખવાના ઈરાદે કરેલો હુમલો.
✔️સાતમું :- એસિડ ફેંકવાનું અથવા એસિડ પીવડાવવાનું કૃત્ય જેનાથી મહાવ્યથા થવાની વાજબી દહેશત ઉભી થાય.

*●કલમ - 101 : એવો હક મૃત્યુ સિવાયની કોઈ હાનિ કરવા સુધી ક્યારે પહોંચે છે*
✔️ઉપરની કલમમાં ગણાવેલ પ્રકારો પૈકી કોઈ પ્રકાર ન હોય તો.

*●કલમ - 102 : શરીરના ખાનગી બચાવની હકની શરૂઆત અને તે ચાલુ રહેવા અંગે*
✔️ગુનો કરવામાં ન આવ્યો હોય પણ ગુનો કરવાની કોશિશ અથવા ધમકીથી શરીરને જોખમમાં પહોંચવાનો વાજબી ભય પેદા થાય કે તરત ખાનગી બચાવનો હક શરૂ થાય અને શરીરને જોખમ પહોંચવાનો ભય ચાલુ રહે ત્યાં સુધી તે ચાલુ રહે છે.

*★●કલમ - 103 : મિલકતના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોંચે છે.*
✔️પહેલું :- લૂંટ
✔️બીજું :- રાત્રે ઘરફોડ
✔️ત્રીજું :- મકાન, તંબુ અથવા વહાણ માણસના રહેણાંકની જેમ વપરાતું હોય અથવા સુરક્ષિત રાખવાના સ્થળ તરીકે હોય તેનો આગથી બગાડ
✔️ચોથું :- ખાનગી બચાવનો હક વાપરવામાં ન આવે તો પરિણામે મૃત્યુ, મહાવ્યથા થવાનો વાજબી ભય લાગે એવા સંજોગોમાં ચોરી, બગાડ અથવા ગૃહ અપ-પ્રવેશ.

*●કલમ - 104 : એવો હક મૃત્યુ નિપજાવવા સિવાયની બીજી હાનિ કરવા સુધી ક્યારે પહોંચે છે.*

*●કલમ - 105 : મિલકતના ખાનગી બચાવના હકની શરૂઆત અને તે ચાલુ રહેવા અંગે.*
✔️મિલકતને જોખમ પહોંચવાનો વાજબી ભય લાગે ત્યારથી મિલકતના ખાનગી બચાવનો હક શરૂ થાય.

*●કલમ - 106 : નિર્દોષ વ્યક્તિને હાનિ થવાનું જોખમ હોય ત્યારે જીવલેણ હુમલા સામે ખાનગી બચાવનો હક*
✔️જો કોઈ ટોળું રણજીતનું ખૂન કરવા હુમલો કરે અને ટોળા પર ગોળીબાર વિના ખાનગી બચાવ થઈ શકે તેમ નથી ત્યારે ટોળામાં સામેલ નાના બાળકોને હાનિ પહોંચે તેવા જોખમ વિના ગોળીબાર થાય તેમ નથી અને એ ગોળીબારથી કોઈ હાનિ થાય તો રણજીતે ગુનો કર્યો ગણાય નહીં.

*👉🏻નોંધ :- '★' નિશાની વાળી કલમો મહત્વની છે.*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-04-05/01/2022🗞️*

ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટના રિપોર્ટ અનુસાર ભારત પ્રેસની આઝાદીના મામલે 180 દેશોમાં કેટલામાં સ્થાને છે
*✔️142*

ઉત્તરાખંડ રાજ્ય સરકારે વૃદ્ધાવસ્થા પેન્શન ૱1200 થી વધારીને કેટલું કર્યું
*✔️૱1400*

પહેલી જાન્યુઆરીએ DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન)એ કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો
*✔️64મો*

કયા દેશે 2026 સુધીમાં કૃત્રિમ સૂર્ય બનાવવાની ઘોષણા કરી છે
*✔️દક્ષિણ કોરિયા*

મિસ ઇન્ડિયા ગેલેક્સી-2021ની વિજેતા કોણ બની
*✔️નિકિતા સોકલ*

કયા રાજ્યની સરકારે મોંઘવારી ભથ્થું 17%થી વધારી 31% કરી નાખ્યું
*✔️તમિલનાડુ*

દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી કઈ ભારતીય મૂળની બ્રિટિશ મહિલાએ ઈતિહાસ રચ્યો જે પ્રથમ અશ્વેત મહિલા બની
*✔️હરપ્રિત ચાંડી*

વિશ્વની સૌથી જૂની ક્રિપ્ટો કરન્સી બીટકોઈને તાજેતરમાં 3 જાન્યુઆરીએ કેટલા વર્ષ પૂર્ણ કર્યા
*✔️13 વર્ષ*
*✔️સાતોષી નકામોતો દ્વારા*
*✔️3 જાન્યુઆરી,2009માં માન્યતા મળી હતી*

સરકારી કંપની ONGCના પહેલા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મહિલા કોણ બન્યા
*✔️અલકા મિત્તલ*
*✔️વર્તમાનમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના માનવ સંશાધન વિભાગના નિર્દેશક*
*✔️મિતુલ સુભાષકુમારનું સ્થાન લેશે*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના કયા ઓઇલ ટેન્ક સાથે કરાર કર્યા
*✔️ત્રિન્કોમાલી*

તાજેતરમાં અભિનેત્રી આલિયા ભટ્ટને પેટા પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવે. PETAનું ફૂલ ફોર્મ શું છે
*✔️પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ*
*✔️આલિયા ભટ્ટને મંદિરમાં ચડાવાતાં ફૂલોમાંથી શાકાહારી ચામડું બનાવવા માટે પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવી*
*✔️આ પૂર્વે PETA દ્વારા અભિનેતા જોન અબ્રાહમ, અનુષ્કા શર્મા, આર.માધવન અને શશિ થરૂરને આ સન્માન મળ્યું છે*

આરબ દેશોમાં નિકાસ કરવામાં કયા દેશને પાછળ છોડી ભારત પ્રથમ સ્થાન પર પહોંચ્યું
*✔️બ્રાઝિલ*

FATF ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સનું વડુમથક ક્યાં છે
*✔️પેરિસ*

તાજેતરમાં WHOએ દુનિયાના કયા એશિયાઈ દેશને 'ઓરીમુક્ત' રાષ્ટ્ર જાહેર કર્યું
*✔️શ્રીલંકા*

14 દેવી-દેવતાની પૂજાનો તહેવાર ખચ્ચી પૂજા ભારતના કયા રાજયમાં ઉજવાય છે
*✔️ત્રિપુરા*

INSનું જહાજ સાગરધ્વનિ તાજેતરમાં કયા મિશન પર ગયેલું છે
*✔️સાગરમૈત્રી*

DRDOએ તાજેતરમાં નાગ મિસાઈલના પરીક્ષણ કઈ જગ્યાએ કર્યા હતા
*✔️રાજસ્થાનના પોખરણ*

તાજેતરમાં ભારત સરકારે 'રો' ના નવા વડા તરીકે કોની નિમણૂક કરી
*✔️સામંત ગોયલ*

2020 ફિફા વિમેન્સ અંડર-20 કયા દેશમાં યોજાયો હતો
*✔️નાઇજિરિયા*

ઇન્ટરનેશનલ MSME ડે ક્યારે ઉજવાયો
*✔️27 જૂન*

ભારતના કયા રાજ્યમાં નહેરોનું પ્રમાણ સૌથી વધુ છે
*✔️ઉત્તરપ્રદેશ*

ઈટાલીના ગાંધી તરીકે ખ્યાતિ પામનારનું નામ શું
*✔️દાનો લો-દોલ્ચી*

વૈષ્ણોદેવી મંદિરમાં ધક્કામુક્કીથી 12ના મોત.

💥રણધીર💥
સામાન્ય જ્ઞાન:
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚પ્રકરણ ~ 5 : દુષ્પ્રેરણ (કલમ 107 થી 120)📚*

*★●કલમ - 107 : કૃત્યનું દુષ્પ્રેરણ*
✔️પહેલું :- કોઈ કૃત્ય કરવા માટે કોઈ બીજી વ્યક્તિને ખોટી રીતે પ્રેરે
✔️બીજું :- કૃત્ય કરવા માટે બીજી એક કે વધુ વ્યક્તિઓ સાથે કાવતરામાં સામેલ થાય, કાવતરાને અનુસરીને અને તે કરવા માટે કોઈ કરવામાં આવે કે કરવાનું ગેરકાયદેસર રીતે ટાળવામાં આવે.
✔️ત્રીજું :- કૃત્ય કરીને કે કરવાનું ગેરકાયદેસર રીતે ટાળીને કૃત્ય કરવામાં ઈરાદાપૂર્વક મદદ કરે તો. (તે વ્યક્તિએ તે કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું કહેવાય)

*★●કલમ - 108 : દુષ્પ્રેરણ*
✔️રણજીતનું ખૂન કરવા રાજેશ સાહિલને ખોટી રીતે ઉશ્કેરે છે, સાહિલ તેમ કરવા ના પાડે છે. રાજેશ સાહિલને ખૂન કરવાનું દુષ્પ્રેરણ કરવાનો ગુનો કરે છે.

*★●કલમ - 108 (A) : ભારત બહાર કરેલા ગુનાઓનું ભારતમાં દુષ્પ્રેરણ*
✔️હૈદરાબાદમાં જોસેફ નામક વિદેશીને હૈદરાબાદમાં ખૂન કરવા માટે રણજીત ભારતમાં ઉશ્કેરે છે.તો રણજીત ખૂનનું દુષ્પ્રેરણ કરવા માટે દોષિત છે.

*●કલમ - 109 : દુષ્પ્રેરણ કરવાના પરિણામે કૃત્ય કરવામાં આવે તો અને તે માટે શિક્ષાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ન હોય ત્યારે દુષ્પ્રેરણ શિક્ષા*
✔️રણજીત નામક રાજ્યસેવકને તેના હોદ્દાના કાર્યો બજાવવા પોતાને કંઈ ફાયદો કરી આપવા માટે રાજેશ લાંચ આપે છે., રણજીત તે લાંચ લે છે તો રાજેશ કલમ-161માં વ્યાખ્યા કર્યા મુજબ ગુનાનું દુષ્પ્રેરણ કર્યું છે.

*●કલમ - 110 : દુષ્પ્રેરિત વ્યક્તિ, દુષ્પ્રેરકનો ઈરાદો હોય તેથી જુદા ઈરાદાથી કૃત્ય કરે તો દુષ્પ્રેરણની શિક્ષા*
✔️દુષ્પ્રેરિત વ્યક્તિનો ઈરાદો દુષ્પ્રેરકે જેટલું કૃત્ય કરવા માટે દુષ્પ્રેરણ કરેલ હોય તેટલા અંશે જવાબદાર ગણાશે.

*●કલમ - 111 : એક કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું હોય અને તેથી જુદું કૃત્ય થાય ત્યારે દુષ્પ્રેરણની જવાબદારી*
✔️જો રણજીતના ખોરાકમાં ઝેર નાખવા રાજેશ બાળકને ઉશ્કેરે છે અને ભુલથી બાળકથી બાજુના સાહિલના ખોરાકમાં ઝેર નંખાય છે તો સાહિલના ખોરાકમાં ઝેર નાખવા પોતે તે બાળકને ઉશ્કેરની કરી હોય તે રીતે અને તેટલે અંશે રાજેશ જવાબદાર છે.

*●કલમ - 112 : દુષ્પ્રેરિત કૃત્ય અને થયેલા કૃત્ય માટે દુષ્પ્રેરક એકત્રિત શિક્ષાને પાત્ર ક્યારે ગણાય*
✔️કોઇ રાજ્યસેવક દ્વારા થતી ધરપકડનો બળપૂર્વક સામનો કરવા રણજીત રાજેશને ઉશ્કેરે છે, જે પરિણામે રાજેશ ધરપકડનો સામનો કરતાં રાજેશ અધિકારીને સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરે તો રાજેશ ધરપકડનો સામનો કરવા અને મહાવ્યથા કરવાનો એમ બંને ગુના માટે શિક્ષાને પાત્ર છે. રાજેશ દ્વારા મહાવ્યથાનો સંભવ હોવાનું રણજીત જાણતો હોય તો રણજીત પણ તે ગુના માટે શિક્ષાને પાત્ર થશે.

*●કલમ - 113 : દુષ્પ્રેરિત કૃત્યથી દુષ્પ્રેરકે ધાર્યું હોય તેથી જુદા પરિણામ માટે દુષ્પ્રેરકની જવાબદારી*
✔️રણજીતને મહાવ્યથા કરવા માટે રાજેશ સાહિલને ઉશ્કેરે છે.સાહિલ રણજીતને મહાવ્યથા કરે છે અને તેના પરિણામે રણજીતનું મૃત્યુ થાય છે. ત્યારે રાજેશ દુષ્પ્રેરિત મહાવ્યથાથી મૃત્યુ થવાનો સંભવ હતો તેમ જાણતો હતો તેથી ખૂન માટે કરાયેલી શિક્ષાને પાત્ર બંને છે.

*★●કલમ - 114 : ગુનો કરવામાં આવે ત્યારે દુષ્પ્રેરકની હાજરી*
✔️પોતે હાજર ન હોય અને પોતે કરેલા દુષ્પ્રેરણના પરિણામે થયેલા કૃત્ય માટે દુષ્પ્રેરક તરીકે કોઈ વ્યક્તિને શિક્ષાને પાત્ર એવું કૃત્ય, પોતાની હાજરીમાં થાય તો તેણે પણ તે કૃત્ય અથવા ગુનો કર્યો એમ ગણાશે.

*●કલમ - 115 : મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનામાં દુષ્પ્રેરણ, જો ગુનો કરવામાં આવ્યો ન હોય તો*
✔️રણજીતનું ખૂન કરવા માટે રાજેશ સાહિલને ઉશ્કેરે છે.સાહિલે રણજીતનું ખૂન કર્યું હોત તો તે મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર થાત.રાજેશ 7 વર્ષ સુધીની કેદની શિક્ષા અને દંડને પાત્ર છે, દુષ્પ્રેરણના પરિણામે રણજીતને કાંઈ વ્યથા કરવામાં આવે તો 14 વર્ષ સુધીની કેદ અને દંડને પાત્ર થશે.

*●કલમ - 116 : કેદની શિક્ષાપાત્ર ગુનાનું દુષ્પ્રેરણ, જો ગુનો કરવામાં આવ્યો ન હોય તો*
✔️રણજીત નામક રાજ્યસેવકને તેના હોદ્દાના કાર્યો બજાવવા પોતાની તરફેણ કરવા રાજેશ લાંચ ધરે છે. રણજીત તે લેવાની ના પાડે છે. રાજેશ આ કલમ હેઠળ શિક્ષાને પાત્ર છે.

*●કલમ - 117 : લોકોને અથવા 10થી વધુ વ્યક્તિઓને ગુનો કરવામાં દુષ્પ્રેરણ કરવા અંગે*
✔️કોઈ વિરોધી સભ્યોએ સરઘસ કાઢ્યું હોય, ત્યારે તેમના ઉપર હુમલો કરવાના હેતુ માટે અમુક સમયે જગ્યાએ ભેગા થવા માટે 10થી વધુ સભ્યોના બનેલા કોઇ પંથને ઉશ્કેરણી કરતું ચોપાણિયું રણજીત કોઈ જાહેર જગ્યાએ લગાડે તો રણજીતે આ કલમ મુજબ ગુનો કર્યો કહેવાશે.

*🔫શિક્ષા :-* 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
*●કલમ - 118 : મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની યોજના છુપાવવા અંગે*
✔️આંબલી રોડ નામની જગ્યાએ ધાડ પાડવાની તૈયારી છે, તે જાણતાં હોવા છતાં રણજીત લીમડા નામક જગ્યાએ ધાડ પાડવાની છે તેવી ખોટી ખબર આપે તો ગુનો કરવામાં સરળતા કરી આપવાના હેતુથી મેજિસ્ટ્રેટને ઊંધે ચડાવવા તરફ દોરે છે આમ યોજના અનુસાર આંબ

લી રોડ પર ધાડ પડે છે તો રણજીત કલમ હેઠળ શિક્ષાને પાત્ર છે.

*🔫શિક્ષા :-*
✔️ગુનો કરવામાં આવે તો
7 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️ગુનો કરવામાં ન આવે તો
3 વર્ષ સુધીની કેદ અને દંડ
જામીનપાત્ર

*●કલમ - 119 : ગુનો થતો અટકાવવાની પોતાની ફરજ હોય તે ગુનો કરવાની યોજના રાજ્યસેવકે છુપાવવા અંગે*
✔️રણજીત લૂંટની યોજના કરે છે અને રાજેશ નામના પોલીસ અધિકારીની જાણમાં છે, તે રાજેશ માહિતી આપવા બંધાયેલા છે પરંતુ લૂંટમાં સરળતા કરી આપવા ગેરકાયદેસરનો કાર્યલોપ કરી રણજીતની યોજના છુપાવે છે આથી તે શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️ગુનો કરવામાં આવે તો
ગુના માટે ઠરાવેલી કેદની વધુમાં વધુ મુદ્દતના અડધા ભાગની મુદ્દત સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️ગુનો મોતની શિક્ષાને પાત્ર હોય તો
10 વર્ષ સુધીની કેદ (બિન જામીની)
✔️ગુનો કરવામાં ન આવે તો
ગુના માટે ઠરાવેલી કેદની વધુમાં વધુ મુદ્દતના ચોથા ભાગની મુદ્દતની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 120 : કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની યોજના છુપાવવા અંગે*
✔️ગુનો કરવામાં સરળતા કરી આપવાના ઈરાદાથી અથવા તેમ કરવાથી સરળતા થશે તેમ જાણતા હોવા છતાં અથવા યોજના અંગેની રજુઆત ખોટી હોવાનું જાણવા છતાં રજુઆત કરે.

*🔫શિક્ષા :-*
✔️ગુનો કરવામાં આવે તો
ગુના માટે વધુમાં વધુ મુદ્દતની 1/4 મુદ્દત સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️ગુનો કરવામાં ન આવે તો
ગુના માટે ઠરાવેલી મુદ્દતની 1/8 સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*👉🏻નોંધ :- '★' નિશાનીવાળી કલમો મહત્વની છે.*

💥રણધીર💥
સામાન્ય જ્ઞાન:
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 6 : રાજ્ય વિરુદ્ધના ગુના [કલમ 121 થી 130]📚*

*★●કલમ -121 : ભારત સરકાર સામે લડાઈ કરવા અથવા લડાઈ કરવાની કોશિશ કરવા અથવા લડાઈ કરવાનું દુષ્પ્રેરણ કરવા અંગે*
✔️જો રણજીત ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ જાહેર કરે અથવા યુદ્ધ કરવા પ્રયત્ન કરે અથવા ભારત સરકાર વિરુદ્ધમાં મદદગારી કરી હોય તો રણજીત ગુનાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️મોત અથવા જન્મટીપ અથવા દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા

*●કલમ - 121 (A) : કલમ - 121 મુજબ શિક્ષાને પાત્ર ગુના કરવાનું કાવતરું*
✔️ભારતમાં અથવા ભારત બહાર કલમ - 121 મુજબ શિક્ષાને પાત્ર ગુનાઓ પૈકી કોઈ ગુનો કરવાનું અથવા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર પર ગુનાહિત બળ કે ગુનાહિત બળના દેખાવથી ધાક બેસાડવાનું કરે તો.

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અથવા દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા

*●કલમ - 122 : ભારત સરકાર સામે લડાઈ કરવાના ઈરાદાથી હથિયારો વગેરે એકઠા કરવા અંગે*
✔️જો રણજીત ભારત સરકાર સામે લડાઈ કરવાના ઈરાદાથી માણસો, હથિયારો, દારૂગોળો એકત્રિત કરે કે યુદ્ધ કરવાના ઈરાદાથી તૈયારી અથવા તેના વિરુદ્ધ યુદ્ધ કરવા માટેની તૈયારી કરે તો

*🔫 શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અથવા દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા

*●કલમ - 123 : લડાઈની યોજનામાં સરળતા કરી આપવાના ઈરાદાથી તે છુપાવવા અંગે*
✔️જો રાજેશ ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવા માટેની ગોઠવણનું અસ્તિત્વ છુપાવે તેમજ સરળતા કરી આપવાના ઈરાદાથી ગોઠવણની જાણકારી છુપાવે તો.

*🔫શિક્ષા :-*
✔️10 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા

*●કલમ - 124 : કાયદેસરની કોઈ સત્તા વાપરવાની ફરજ પાડવાના અથવા વાપરવામાં અવરોધ કરવાના ઈરાદાથી રાષ્ટ્રપતિ, રાજ્યપાલ વગેરે ઉપર હુમલો કરવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ અથવા રાજ્યના રાજ્યપાલને તેમની સત્તા વાપરતા અટકાવે અથવા અટકાવવા પ્રેરે, હુમલો કરે, ગેરકાયદેસર અવરોધ કરે કે તેની કોશિશ કરે, ગુનાહિત બળ દાખવીને ધાક બેસાડે કે કોશિશ કરે તો.

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા

*★●કલમ - 124 (A) : રાજદ્રોહ*
✔️જો કોઈ વ્યક્તિ બોલેલા, લખેલા શબ્દો કે ચિહ્નો વડે અથવા જોઈ શકાય તેવી નિશાનીઓ દ્વારા ભારતમાં કાયદાથી સ્થપાયેલી સરકાર પ્રત્યે ધિક્કાર અથવા તિરસ્કાર કે અનાદર પેદા કરે કે તેમ કરવાની કોશિશ કરે તો.

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અને દંડ અથવા 3 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા

◆સ્પષ્ટીકરણ - 1 : બિનવફાદારી અને દુશ્મનાવટની દરેક લાગણીનો સમાવેશ.

◆સ્પષ્ટીકરણ - 2 : સરકારના પગલામાં ધિક્કાર, તિરસ્કાર અને બિનવફાદારી ફેલાવ્યા વિના નાપસંદવાળી ટીકા કલમમાં ગુનો બનતી નથી.

◆સ્પષ્ટીકરણ - 3 : સરકારના વહીવટી અથવા બીજા કાર્યો પ્રત્યે ધિક્કાર, તિરસ્કાર કે બિનવફાદારી ફેલાવ્યા વિના નાપસંદ કરતી ટીકા ગુનો બનતી નથી.

*●કલમ -125 : ભારત સરકાર સાથે મૈત્રીનો સંબંધ ધરાવતી કોઈ એશિયાઈ સત્તા સામે લડાઈ કરવા અંગે*
✔️જો રાજેશ ભારત સાથે મૈત્રી સંબંધ ધરાવતી એશિયાઈ સત્તા સામે યુદ્ધ કરે અથવા તે માટે પ્રયત્ન કરે કે યુદ્ધ કરવામાં મદદગારી કરે તથા તે એશિયાઈ સત્તા પર ભારત સાથે સંલગ્ન હોય કે ભારત સરકાર સાથે શાંતિ બાબત સમજૂતી કરી હોય તો રાજેશ શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અને દંડ અથવા 7 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા

*●કલમ - 126 : ભારત સરકાર સાથે સુલેહનો સંબંધ ધરાવતી સત્તાના રાજ્યક્ષેત્રમાં લૂંટફાટ કરવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ ભારત સાથે મૈત્રી અથવા સુલેહનો સંબંધ ધરાવતા રાજ્યક્ષેત્રમાં લૂંટફાટ કરે તો તે વ્યક્તિને કેદની શિક્ષા અને દંડ થશે અને લૂંટફાટથી મેળવેલ મિલકત પણ જપ્ત થશે.

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ અને કેટલીક મિલકત જપ્ત
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા

*●કલમ - 127 : કલમ 125 અને 126માં જણાવેલી લડાઈ અથવા લૂંટફાટથી મેળવેલી મિલકત રાખવા અંગે*
✔️જો વ્યક્તિને જાણ હોય કે કલમ 125 કે 126 મુજબ તે મિલકત મેળવાઈ છે અને તે તેને રાખે તો શિક્ષા થશે અને મિલકત જપ્ત થશે.

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ અને કેટલીક મિલકત જપ્તી
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા
*★●કલમ - 128 : રાજ્યસેવકે સ્વેચ્છાપૂર્વક રાજ્ય કેદી કે યુદ્ધ કેદીને નાસી જવા દેવા અંગે*
✔️જો કોઈ રાજ્યસેવક પાસે રાજ્ય કેદી કે યુદ્ધ કેદીનો હવાલો હોય અને રાજ્યસેવક તે અટકાયતમાં રખાયેલા કેદીને સ્વેચ્છાપૂર્વક ન

ાસી જવા દે તો શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા

*●કલમ - 129 : રાજ્યસેવક ગફલતથી એવા કેદીને નાસી જવા દે તે અંગે*
✔️કોઈ રાજ્યસેવક પાસે રાજ્ય કેદી કે યુદ્ધ કેદીનો હવાલો હતો અને કેદી અટકાયતમાં હતો ત્યારે ગફલતથી કેદી નાસી ગયો તો શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 130 : એવા કેદીને નાસી જવામાં મદદ કરવા, છોડાવવા કે આશરો આપવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ રાજ્ય કેદી કે યુદ્ધ કેદીને કાયદેસરના હવાલામાંથી નાસી જવા મદદ કરે કે સહાય કરે અથવા છોડાવે કે છોડાવવાની કોશિશ કરે અથવા નાસી ગયેલા કેદીને આશરો આપે કે છુપાવે અથવા તેને ફરીથી પકડવામાં સામનો કરે કે કોશિશ કરે તે શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા

*👉🏻નોંધ :- '★' નિશાનીવાળી કલમો મહત્વની છે.*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-06-07/01/2022🗞️*

કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કરી દેવામાં આવ્યું
*✔️એકતા નગર રેલવેસ્ટેશન*

ગુજરાત વીજ નિયમન પંચ -'જર્ક' ના ચેરમેન તરીકે કોણે હોદ્દો સંભાળ્યો
*✔️અનિલ મુકિમ*

તાજેતરમાં અમેરિકાના વર્જિનિયામાં આવેલું બર્ફીલું તોફાનનું નામ શું
*✔️ફ્રિડા*

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીખર્ચની મર્યાદા 20 લાખ રૂપિયાથી વધારી કેટલા કર્યા
*✔️28 લાખ રૂપિયા*
*✔️લોકસભા ચૂંટણીમાં 70 લાખ રૂપિયાની જગ્યાએ 95 લાખ રૂપિયા ખર્ચ કરી શકશે*

ઉજાલા યોજનાના સાત વર્ષ પુરા થયા. 4.14 કરોડ LED વિતરણ સાથે ગુજરાત કેટલામાં ક્રમે છે
*✔️દ્વિતીય*
*✔️ઓડિશા પ્રથમ અને ઉત્તરાખંડ ત્રીજા સ્થાને*
*✔️વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 જાન્યુઆરી,2015ના રોજ આ યોજના લોન્ચ કરી હતી*

મહિલા વન ડે વર્લ્ડકપ કયા દેશમાં રમાશે
*✔️ન્યુઝીલેન્ડ*
*✔️મિતાલી રાજ ભારતીય મહિલા ટીમની કેપ્ટન*

વન્યપ્રાણી હુમલાથી માનવમૃત્યુના કિસ્સાની સહાયમાં 1 લાખ રૂપિયા વધારો કરી કેટલા કરવામાં આવ્યા
*✔️4 લાખથી વધારી 5 લાખ કરાયા*
*✔️માનવ ઈજા સંદર્ભે 40% થી 60% અપંગતાના કિસ્સામાં*
*✔️ગાય-ભેંસ માટે 50 હજાર*

1 જાન્યુઆરીવિશ્વ પરિવાર દિવસ

બ્રીડ પ્રોટેકશન અને પશુ ચિકિત્સા માટે કયા રાજ્યના પશુ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલયને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે
*✔️કેરળ*

જાપાને તાજેતરમાં કયા કોમ્યુનિકેશન ઉપગ્રહનું લોન્ચિંગ કર્યું
*✔️ઈનમાર્સ સેટ-6એફ-1*

સાર્વજનિક શૌચાલયોની સ્થિતિ સુધારવા માટે કયા રાજયમાં રાઈટ ટુ પી અભિયાન શરૂ કરવામાં આવ્યું
*✔️મહારાષ્ટ્ર*

કયા દેશમાં ફ્લોરોનાનો પહેલો કેસ નોંધાયો છે
*✔️ઈઝરાયેલ*

કયા દેશે સૌથી લાંબી મેટ્રો લાઈનનું નિર્માણ કર્યું
*✔️ચીન*

ભારતીય સેનાએ કયા રાજયમાં ક્વોન્ટમ લેબની સ્થાપના કરી છે જેનો ઉપયોગ શસ્ત્રોથી માંડીને ગુપ્ત સંદેશા પહોંચાડવા સુધીના વિવિધ કાર્યો થશે
*✔️મધ્યપ્રદેશ*

વોટર ટેક્સી સર્વિસ ક્યાં શરૂ કરવામાં આવી
*✔️મુંબઈ*

પહેલી વખત યુરોપિય સંઘ પરિષદનું અધ્યક્ષ કયો દેશ બન્યો
*✔️ફ્રાન્સ*

દેશનું પ્રથમ LPG યુક્ત અને ધુમાડા મુક્ત રાજ્ય કયું બન્યું
*✔️હિમાચલ પ્રદેશ*

કલ્પના ચાવલા સ્પેસ સાયન્સ રિસર્ચ સેન્ટરનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*✔️ચંદીગઢ*

કઈ ભારતીય મહિલા ક્રિકેટરને પ્લેયર ઓફ ધ યર જાહેર કરવામાં આવી
*✔️સ્મૃતિ મંધાના*

તાજેતરમાં વિજ્ઞાની રિચર્ડ લિકીનું અવસાન થયું.

તાજેતરમાં વિજ્ઞાની ઇ.ઓ.વિલ્સનનું અવસાન થયું હતું.

ચીને 5 મીટર રિઝોલ્યુશનવાળા કેમેરા ધરાવતો ઉપગ્રહ લોન્ચ કર્યો.

સોમાલિયાના પ્રધાનમંત્રી મોહમ્મદ હુસેન રોબલને બરતરફ કરવામાં આવ્યા.

અજયકુમારને પ્રતિષ્ઠિત કેબીઈ સન્માન જાહેર કરવામાં આવ્યું.

💥રણધીર💥
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 7 : ભૂમિદળ, નૌકાદળ, હવાઈદળ સંબંધી ગુના 【કલમ 131 થી 140】📚*

*●કલમ - 131 : બળવામાં મદદગારી કરવા અથવા કોઈ સૈનિક, નાવિક કે વિમાનીને પોતાની ફરજમાંથી ભ્રષ્ટ કરવાની કોશિશ કરવા અંગે*
જો કોઈ વ્યક્તિ ભારત સરકારના ભૂમિદળ, નૌકાદળ, હવાઈદળના કોઈ અધિકારી કે સૈનિક, નાવિક, વિમાનીને બળવો કરવામાં મદદ કરે અથવા તેમને તેની રાજ્યનિષ્ઠા કે ફરજમાંથી ચલિત કરવાની કોશિશ કરે તે શિક્ષાને પાત્ર થશે.
ભૂમિદળ અધિનિયમ, 1950
નૌકાદળ શિસ્ત અધિનિયમ, 1934
હવાઈદળ અધિનિયમ, 1950

*🔫શિક્ષા :-*
જનમટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ
પોલીસ અધિકારનો ગુનો
બિનજામીની ગુનો
સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા

*★●કલમ - 132 : બળવો કરવામાં મદદગારી (દુષ્પ્રેરણ) જો તેના પરિણામે બળવો થાય તો*
✔️જોઈ કોઈ વ્યક્તિ ભારતના ભૂમિદળ, નૌકાદળ કે હવાઈદળના કોઈ અધિકારી, સૈનિક, નાવિક કે વિમાનીને બળવો કરવામાં મદદ કરે તે પરિણામે બળવો થાય તો શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
મોત અથવા જનમટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ
પોલીસ અધિકારનો ગુનો
બિનજામીની ગુનો
સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા

*●કલમ - 133 : કોઈ સૈનિક, નાવિક કે વિમાનીને તેના ઉપરી અધિકારી પોતાના હોદ્દાની ફરજ બજાવતા હોય ત્યારે તેના ઉપર હુમલો કરવામાં મદદગારી કરવા અંગે*
✔️તે શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
3 વર્ષ સુધીની કેદ અને દંડ
પોલીસ અધિકારનો ગુનો
બિનજામીની ગુનો
પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 134 : એવા હુમલામાં મદદગારી (દુષ્પ્રેરણ), જો હુમલો થાય તો*
✔️ભારતના ભૂમિદળ, નૌકાદળ કે હવાઈદળના કોઈ અધિકારી,સૈનિક, નાવિક કે વિમાનીને કોઈ ઉપરી અધિકારી ફરજ બજાવતા હોય ત્યારે તેના ઉપર હુમલો કરવામાં વ્યક્તિ મદદ કરે અને તેના પરિણામે હુમલો થાય તો શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
7 વર્ષ સુધીની કેદ અને દંડ
પોલીસ અધિકારનો ગુનો
બિનજામીની ગુનો
પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ -135 : સૈનિક, નાવિક કે વિમાનીને નાસી જવામાં મદદગારી (દુષ્પ્રેરણ કરવા અંગે)*
✔️શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
પોલીસ અધિકારનો ગુનો
જામીની ગુનો
કોઈ પણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*★●કલમ - 136 : નાસી ગયેલાને આશરો આપવા અંગે*
✔️ત્રણેય ભારતીય સેનાના કોઈ પણ અધિકારી સૈનિક, નાવિક કે વિમાની નાસી આવ્યા હોય તેમ છતાં તેને આશરો આપે તો તે શિક્ષાને પાત્ર થશે.

✔️અપવાદ :- કોઈ પત્ની પોતાના પતિને આશરો આપે તો તે સંજોગોમાં આ જોગવાઈ લાગુ પડતી નથી.

*🔫શિક્ષા :-*
2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
પોલીસ અધિકારનો ગુનો
જામીની ગુનો
કોઈ પણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 137 : માસ્ટરની ગફતલી વેપારી વહાણમાં નાસી જનાર છુપાયો હોય, તો*
✔️ત્રણેય ભારતીય સેનામાંથી નાસી જનાર વેપારી વહાણમાં છુપાયા હોય તે વહાણના માસ્ટર કે ઇન્ચાર્જ વ્યક્તિ પોતાની ફરજ બજાવવા ગફલત ન કરી હોત અથવા વહાણ પર શિસ્તનું બરાબર પાલન થયું હોત અથવા વહાણમાં છુપાયેલ વિશે જાણી શક્યા હોત અથવા છુપાયાની વાત તેઓ જાણતા ન હોત તો તે વ્યક્તિ દંડને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️૱500 સુધીનો દંડ
પોલીસ અધિકારનો ગુનો
જામીની ગુનો
કોઈ પણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 138 : કોઈ સૈનિક, નાવિક કે વિમાનીને નાફરમાનીનું કૃત્ય કરવામાં મદદગારી કરવા અંગે*
✔️જોઈ કોઈ વ્યક્તિ ત્રણેય ભારતીય સેનાના કર્મચારીઓને અમુક કૃત્ય નાફરમાનીના છે એમ જાણીને તેમાં મદદ કરે અને તેના પરિણામે નાફરમાનીનું કૃત્ય થાય તો તે વ્યક્તિ દંડ અથવા શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
પોલીસ અધિકારનો ગુનો
જામીની ગુનો
કોઈ પણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 138 (A) : રદ*

*●કલમ - 139 : અમુક અધિનિયમોને આધીન વ્યક્તિઓ*
✔️ત્રણેય ભારતીય સૈન્યના અધિનિયમ હેઠળ આધીન હોય તેવી કોઈપણ વ્યક્તિ આ પ્રકરણમાં વ્યાખ્યા કર્યા મુજબ કોઈ પણ ગુના માટે આ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર નથી.

*●કલમ - 140 : સૈનિક, નાવિક કે વિમાનીને પોશાક પહેરવા અથવા તે વાપરતો હોય તેવું ટોકન રાખવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ સૈનિક, નાવિક, વિમાની ન હોવા છતાં માનવામાં આવે એવા ઈરાદાથી સૈનિક, નાવિક કે વિમાની પહેરતો હોય તેવો પોષાક પહેરે અથવા તે રાખતો હોય તેવું ટોકન રાખે તો દંડ અને શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️3 મહિના સુધીની કેદ અથવા ૱500 સુધીનો દંડ અથવા તે બંને
પોલીસ અધિકારનો ગુનો
જામીની ગુનો
કોઈ પણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*👉🏻નોંધ :- '★' નિશાનીવાળી કલમો મહત્વની છે.*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-08/01/2022🗞️*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્તરંજન ઇન્સ્ટિટ્યૂટનું બીજા પરિસરનું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*✔️કોલકાતા*

4 જાન્યુઆરીવિશ્વ બ્રેઈલ દિવસ

5 જાન્યુઆરીવિશ્વ પક્ષી દિવસ

3 ટ્રીલિયન ડોલરની માર્કેટ કેપ ધરાવતી અમેરિકાની અને દુનિયાની સૌપ્રથમ કંપની કઈ બની
*✔️એપલ*

કોવિડ-19ના નવા વેરિયન્ટ IHUની ઓળખ કયા દેશે કરી છે
*✔️ફ્રાન્સ*

1971ના યુદ્ધમાં ભારતીય નૌસેનામાંથી પાકિસ્તાન સામે લડત આપનારા તાત્કાલિન વાઈસ એડમિરલ જેમનું હાલમાં 100 વર્ષની ઉંમરે અવસાન થયું
*✔️એસ.એચ.શર્મા*

આ વર્ષે જી-7 દેશોની બેઠક કયા દેશમાં મળશે
*✔️જર્મની*

ભારતે બહુરાષ્ટ્રીય નૌસૈનિક અભ્યાસમાં ભાગ લેવા માટે 46 દેશોને આમંત્રિત કર્યા છે. આ અભ્યાસનું નામ શું છે
*✔️મિલન*

રશિયાએ 10 નવી કઈ હાઈપર મિસાઈલનું પરીક્ષણ કર્યું
*✔️ઝર્કોન મિસાઈલ*

ટેસ્લા માટે કામ કરનારા ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ કોણ બન્યા
*✔️અશોક એલુસ્વામી*
*✔️ટેસ્લાની ઓટો પાઇલોટ ટીમમાં કામ કરશે*

તાજેતરમાં પરંપરાગત નવવર્ષ લોસર મહોત્સવની ઉજવણી ક્યાં કરાઈ
*✔️લદાખ*

પદ્મશ્રીથી સન્માનિત સમાજ સેવિકા જેમનું હાલમાં અવસાન થયું
*✔️સિંધુ તાઈ સપકાલ*

યુએનની આતંકવાદ વિરોધી સમિતિના અધ્યક્ષ કોણ બન્યા
*✔️ટી.એસ.તિરુમૂર્તિ*

ઓમિક્રોન વેરિયન્ટનું પરીક્ષણ કરવા માટે પહેલી સ્વદેશી ટેસ્ટ કીટ બનાવવામાં આવી છે જેનું નામ શું છે
*✔️ઓમિશ્યોર*

અમેરિકી નૌસેનાના પરમાણુ જહાજનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા કોણ બની
*✔️એમિ બોર્ન શ્મિટ*

ઓડિશાનો કયો જિલ્લો બાળ વિવાહ મુક્ત બન્યો
*✔️ગંજમ*

આરબીઆઈ (RBI)ના નવા કાર્યકારી નિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️દિપકકુમાર અને અજયકુમાર ચૌધરી*

તાજેતરમાં ફિલ્મ નિર્માતા વિજય ગલાનીનું અવસાન થયું હતું.

💥રણધીર💥
સામાન્ય જ્ઞાન:
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 8 : જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના 【કલમ 141 થી 160】📚*

*★●કલમ - 141 : કાયદા વિરુદ્ધની કંપની*
✔️5 અથવા વધુ વ્યક્તિઓની મંડળી
✔️એકઠા થયા ત્યારે જે મંડળી કાયદા વિરુદ્ધની ન હોય તે પાછળથી કાયદા વિરુદ્ધની મંડળી બની શકે.

*★●કલમ - 142 : કાયદા વિરુદ્ધની મંડળીના સભ્ય હોવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ કોઈ મંડળીને કાયદા વિરુદ્ધની મંડળી બનાવે અને માહિતગાર હોવા છતાં ઈરાદાપૂર્વક તે મંડળીમાં ભળે અથવા તેમાં ચાલુ રહે તે કાયદા વિરુદ્ધની મંડળીનો સભ્ય કહેવાય.

*★●કલમ - 143 : શિક્ષા*
✔️કાયદા વિરુદ્ધની મંડળીનો સભ્ય હોય તો

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 144 : પ્રાણઘાતક હથિયાર સાથે સજ્જ થઈને કાયદા વિરુદ્ધની મંડળીમાં સામેલ થવા અંગે*
✔️આક્રમક હથિયાર તરીકે વાપરતા મૃત્યુ નિપજાવવાનું સંભવ હોય તેવી કોઈ વ્યક્તિ કાયદા વિરુદ્ધની મંડળીમાં સામેલ થાય તો

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ : 145 - કાયદા વિરુદ્ધની મંડળીને વિખેરાઈ જવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા છતાં તેમાં જોડાવા અથવા ચાલુ રહેવા અંગે*
✔️જો વિખેરાઈ જવાનો હુકમ કરવામાં આવ્યો હોય તેમ છતાં તેમાં ભળે અથવા ચાલુ રહે તો

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*★●કલમ - 146 : હુલ્લડ કરવું*
✔️કાયદા વિરુદ્ધની મંડળીનો સામાન્ય ઉદ્દેશ પાર પાડવામાં તે મંડળી અથવા તેનો કોઈ સભ્ય બળ અથવા હિંસાનો ઉપયોગ કરે ત્યારે મંડળીનો દરેક સભ્ય હુલ્લડ કરવાના ગુના માટે દોષિત છે.

*★●કલમ - 147 : હુલ્લડ કરવા માટે શિક્ષા*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*★●કલમ - 148 : પ્રાણઘાતક હથિયારથી સજ્જ થઈને હુલ્લડ કરવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ આક્રમક હથિયાર તરીકે વાપરતા મૃત્યુ થવાનો સંભવ હોય તે જાણવા છતાં એવી કોઈ વસ્તુથી પોતે સજ્જ થયેલી હોય અને હુલ્લડ કરે તો

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️પહેલા મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*★●કલમ - 149 : કાયદા વિરુદ્ધની મંડળીનો દરેક સભ્ય સમાન ઉદ્દેશ પાર પાડવામાં કરેલા ગુના માટે દોષિત છે*
✔️કાયદા વિરુદ્ધની મંડળીના સમાન ઉદ્દેશ પાર પાડવા તે મંડળીનો કોઈ સભ્ય કોઈ ગુનો કરે અને તે પાર પાડવામાં ગુનો સંભવ હોવાનું તે મંડળીના સભ્યો જાણતા હોય તેવો ગુનો હોય તો તે કરતી વખતે મંડળીનો દરેક સભ્ય ગુના માટે દોષિત છે.

*🔫શિક્ષા :-*
✔️તે ગુના માટે હોય તે જ શિક્ષા

*●કલમ - 150 : કાયદા વિરુદ્ધની મંડળીમાં સામેલ થવા માટે વ્યક્તિઓને ભાડે રાખવા અથવા ભાડે રખાય તેમાં આંખ આડા કાન કરવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ કાયદા વિરુદ્ધની મંડળીમાં બીજા કોઈ વ્યક્તિને પૈસા આપવાના કરીને રાખે કે રોકે કે નોકરીમાં રાખે અથવા પૈસા આપી પ્રોત્સાહન પૂરું પાડે અથવા આંખ આડા કાન કરી ભાડે રાખે અને તે સભ્ય દ્વારા કોઈ ગુનો થાય તો તે મંડળીના સભ્ય તરીકે ભાડે રાખનારે પોતે ગુનો કર્યો છે તેમ શિક્ષા કરવામાં આવશે.

*🔫શિક્ષા :-*
✔️મંડળીના સભ્ય માટે અને મંડળનો કોઈ સભ્ય જે ગુનો કરે તે માટે હોય તે શિક્ષા થશે.

*●કલમ - 151 : 5 અથવા વધુ વ્યક્તિઓની મંડળીને વિખેરાઈ જવાનો હુકમ થયા પછી જાણી જોઈને તે મંડળીમાં ભળવા અથવા ચાલુ રહેવા અંગે*
✔️જાહેર શાંતિનો ભંગ થાય અથવા થવાનો સંભવ હોવાનું જાણવા છતાં તેમાં ભળે અથવા ચાલુ રહે તો

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*★●કલમ -152 : હુલ્લડ વગેરે અટકાવવાનું કામ કરતા હોય ત્યારે રાજ્યસેવક ઉપર હુમલો કરવા અથવા તેને અડચણ કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા

*●કલમ - 153 : હુલ્લડ કરવાના ઈરાદાથી નાહક ઉશ્કેરાટ પેદા કરવા અંગે : હુલ્લડ થાય તો, હુલ્લડ ન થાય તો*
✔️જો કોઈ વ્યક્તિની ઉશ્કેરણીથી હુલ્લડ કરવામાં આવે એવા ઈરાદાથી અથવા સંભવ હોવાનું જાણવા છતાં કોઈને દ્વેષબુદ્ધિથી કે મનસ્વીપણે ઉશ્કેરે અને હુલ્લડનો ગુનો બને તો અથવા ન બને તો.

*🔫શિક્ષા :-*
◆ગુનો બને તો
✔️1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

◆ગુનો ન બને તો
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 153 (A) : ધર્મ, જાતિ, જન્મસ્થળ, નિવાસ, ભાષા વગેરે કારણોને લીધ

ે જુદાં જુદાં જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને સુમેળ જાળવી રાખવાને પ્રતિકુળ એવા કૃત્યો કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

◆જો ગુનો ધર્મસ્થાન વગેરેમાં કર્યો હોય
*🔫શિક્ષા :-*
✔️5 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 153 (AA) : જાણી જોઈને કોઈ સરઘસમાં હથિયાર રાખવા અથવા હથિયાર સહિતની કોઈ સમૂહ કવાયત અથવા સમૂહ તાલીમમાં હથિયાર એકઠાં કરવા અથવા ધરાવવા બદલ શિક્ષા*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અને 2000 ૱નો દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 153 (B) : રાષ્ટ્રીય એકતાને વિધાતક આક્ષેપો કે કથનો કરવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ ધાર્મિક, માનવજાતીય, ભાષાકીય અથવા પ્રાદેશિક જૂથ કે જ્ઞાતિના સભ્યો હોય અને ભારતના સંવિધાન ઉપર ખરી શ્રદ્ધા ન રાખે અથવા સાર્વભૌમત્વ કે એકતાને પુષ્ટિ ન આપે અને એવો આક્ષેપ કરે અથવા પ્રસિદ્ધ કરે કે ઉપરના સભ્યો તરીકે તેની પાસેથી ભારતના નાગરિકના હકો અપાય નહીં અથવા હકો લઈ લેવા જોઈએ તેવું સૂચન કરે, કથન કરે, સલાહ, પ્રચાર, પ્રસિદ્ધ કરે અથવા ઉપરના સભ્યો માટે વિખવાદ, દુશ્મનાવટ, ધિક્કાર કે દુર્ભાવની લાગણી જન્માવે તો શિક્ષાપાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

◆ધાર્મિક સ્થાનમાં ગુનો થાય તો
✔️5 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 154 : જે જમીન ઉપર કાયદા વિરુદ્ધની મંડળી હોય તેનો માલિક અથવા ભોગવટો કરનાર*
✔️કાયદા વિરુદ્ધની મંડળી દ્વારા જે જગ્યા-જમીન પર ગુનો થાય તો તે જગ્યાના માલિક કે તેના મેનેજર, એજન્ટને જાણમાં હોય કે ગુનો થયો છે, થવાનો સંભવ છે, થઈ રહ્યો છે તેવી બાબતોમાં પોલીસને બને તેટલી વહેલી તકે ખબર ન કરે અથવા તેને દાબી દેવા યોગ્ય ઉપાય ન કરે તો દંડને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️૱1000 સુધીનો દંડ
✔️જામીની ગુનો

*●કલમ - 155 : જે વ્યક્તિના ફાયદા માટે હુલ્લડ કરવામાં આવ્યું હોય તેની જવાબદારી*
✔️જે જમીન અંગે કોઈ હુલ્લડ થયું હોય, તે જમીનની જે વ્યક્તિ માલિકી અથવા ભોગવટો કરે અથવા હિતમાં દાવો કરે તે દોષિત છે થશે.

*🔫શિક્ષા:-*
✔️દંડ

*●કલમ - 156 : જે માલિક અથવા ભોગવટો કરનારના ફાયદા માટે હુલ્લડ કરવામાં આવ્યું હોય તેના એજન્ટની જવાબદારી*
✔️જમીન અંગે હુલ્લડ થયું હોય, તે જમીનની જે વ્યક્તિ માલિકી અથવા ભોગવટો કરે અથવા હિતમાં દાવો કરે તે વ્યક્તિના એજન્ટના અથવા મેનેજરને આવું હુલ્લડ થવાનો સંભવ છે તેમ જાણવા છતાં તેને દાબી દેવા કાયદેસરના પગલાં ન લે તો તેના એજન્ટની જવાબદારી રહેશે અને દંડને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️દંડ

*●કલમ - 157 : કાયદા વિરુદ્ધની મંડળી પૈસા આપવાના કરીને રાખેલી વ્યક્તિઓને આશરો આપવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિઓને કોઈ કાયદા વિરુદ્ધની મંડળીમાં ભળવા, રાખવા, રોકવા અથવા પૈસા આપીને રાખી, રોકવામાં આવનાર છે તેવું જાણવા છતાં પોતાના ભોગવટાના કે હવાલાના કે પોતાના નિયંત્રણ હેઠળના ઘર કે જગ્યામાં આશરો આપે, આવવા દે, એકઠાં કરે તો તે વ્યક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 158 : કાયદા વિરુદ્ધની મંડળી અથવા હુલ્લડમાં ભાગ લેવા માટે પૈસા લેવાના કરીને રહેવા અંગે*
✔️કલમ - 141માં દર્શાવ્યા મુજબ કોઈ કૃત્ય કરે અથવા પૈસા લેવાના કરીને રહે અથવા રોકવાની તૈયારી બતાવે કે તેમ કરવાની કોશિશ કરે તે દોષિત થશે.

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને

◆હથિયાર સજ્જ થઈને ફરે તો
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*★●કલમ - 159 : બખેડો*
✔️જ્યારે 2 અથવા વધુ વ્યક્તિઓ કોઈ જાહેર સ્થળમાં મારામારી કરીને જાહેર શાંતિનો ભંગ કરે ત્યારે તેઓએ બખેડો કર્યો કહેવાય. (આવી મારામારીથી જાહેર શાંતિમાં ખલેલ પહોંચી હોવી જોઈએ.)

*★●કલમ - 160 : બખેડો કરવા માટે શિક્ષા*
✔️જોઈ કોઈ વ્યક્તિ બખેડો કરે તો

*🔫શિક્ષા :-*
✔️1 મહિના સુધીની કેદ અથવા 100 ૱ દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*👉🏻નોંધ :- '★' નિશાનીવાળી કલમો મહત્વની છે.*

💥રણધીર💥
*🚩દ્વારકાધીશ મંદિર🚩*

ગુજરાતના ઉત્તર પશ્ચિમ રાજ્યમાં ગોમતી નદીના કિનારે આવેલું દ્વારકા પ્રાચીન મંદિર છે.
ભારતના સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તીર્થ સ્થાનોમાં દ્વારકાનો સમાવેશ થાય છે.
દ્વારકા કૃષ્ણના પ્રાચીન રાજ્યનો એક ભાગ હતો અને 12 જ્યોતિર્લિંગોમાનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર પણ દ્વારકામાં આવેલું છે.
કહેવાય છે કે દ્વારકા ભારતના સાત સૌથી પ્રાચીન ધાર્મિક શહેરોમાનું એક છે.
દ્વારકાનો અર્થ સંસ્કૃતમાં સ્વર્ગનું પ્રવેશદ્વાર એવો થાય છે, કારણ કે 'દ્વાર'નો અર્થ દ્વાર છે અને 'કા' ભગવાન બ્રહ્માનો ઉલ્લેખ કરે છે.
દંતકથા અનુસાર, દ્વારકાને ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની તરીકે વર્ણવવામાં આવી છે.શ્રીકૃષ્ણએ કંસની હત્યા કરી હતી. કંસના મૃત્યુનો બદલો લેવા માટે કંસના સસરા જરાસંઘે કૃષ્ણના રાજ્ય પર 17 વખત હુમલો કર્યો હતો. વારંવાર થતી અથડામણને ટાળવા માટે કૃષ્ણ ભગવાને તેમની રાજધાની મથુરાથી દ્વારકા સ્થળાંતરિત કરી હતી.
ધર્મગ્રંથો અનુસાર ભગવાન કૃષ્ણએ દ્વારકા નગરી વસાવી હતી.તેને શ્રીકૃષ્ણની કર્મભૂમિ પણ માનવામાં આવે છે. પુરાણકારો માને છે કે કૃષ્ણ 18 સાથીઓ સાથે દ્વારકા આવ્યા હતા. તેમણે 36 વર્ષ સુધી રાજ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે દ્વારકા નગરી સોનાની હતી અને શ્રીકૃષ્ણએ પશ્ચાતાપના ભાગરૂપે સોનાની નગરીને દરિયામાં ડુબાડી દીધી હતી.
લોકવાયકા એવી પણ છે કે કૃષ્ણના મૃત્યુ પછી દ્વારકા શહેર સમુદ્રમાં ડૂબી ગયું હતું. સુવર્ણ નગરી ડૂબી જવા અંગે મળેલી ઐતિહાસિક બાબતો પુરાતત્વ અને દરિયાઈ સંશોધન માટે રસપ્રદ છે.2000 વર્ષ જુના દ્વારકાધીશમાં દ્વારકા પીઠનું સ્થાન પણ છે. જે આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠમાંનું એક છે.
વિશ્વમાં તમામ કૃષ્ણ મંદિરોમાં સૌથી મોટામાં મોટી ધજા એટલે કે બાવન ગજની ધજા દ્વારકાધીશના મંદિર પર લાગે છે. બાવન ગજ એટલે કે આશરે 47 મીટર કાપડ થાય.બાવન ગજનું ગણિત સમજીએ તો 27 નક્ષત્ર, 12 રાશિના પ્રતીક, 4 મુખ્ય દિશા અને 9 મુખ્ય ગ્રહોનો આમાં સમાવેશ થાય છે. આ બધાનું ટોટલ 52 થાય એટલે બાવન ગજની ધજા ફરકાવવામાં આવે છે. ભગવાનની ધજામાં લીલો અને કાળો આ બંને રંગોને બાદ કરતાં બાકી બધા રંગોનો રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. કહેવાય છે કે ધજાને દિવસમાં પાંચ વખત બદલવામાં આવે છે.
દ્વારકાધીશનું મંદિર વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો હોવાનું મનાય છે. મંદિરમાં કુલ ત્રણ વિભાગ છે.એમાં સૌપ્રથમ જ્યાં પ્રભુ બિરાજે છે એ ભાગને ગર્ભગૃહ કહેવાય છે. બીજા વિભાગને નિજસભા અને ત્રીજા વિભાગમાં સભામંડપ આવેલો છે. પ્રભુ બિરાજે છે તેમાં તમામ ખૂણાઓ ખંડિત ન થાય એ રીતે નિર્માણ કરવામાં આવે છે. નિજસભા મંડપમાં 6 શિખર છે અને સભા મંડપ કે જ્યાંથી ભક્તો દર્શન કરી શકે છે ત્યાં એક મોટું શિખર છે.દ્વારકાધીશ મંદિરના શિખરને મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર આકારનું પિરામિડ કહે છે.

*🗞️કિડ્ઝ વર્લ્ડ : સંદેશ🗞️*

💥રણધીર💥