સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🙏🏻ડાકોર : માખણચોરનો ઈતિહાસ🙏🏻*

*👉🏾ખેડા જિલ્લામાં રણછોડરાયજીનું ભવ્ય અને ઐતિહાસિક તીર્થધામ ડાકોર આવેલું છે. શ્રી કૃષ્ણ દ્વારકાથી ડાકોર આવ્યા તેની પાછળ એવી કથા છે કે ડાકોરમાં વીરસિંહ અને રતનબાને ત્યાં વિજયસિંહ નામના બાળકનો જન્મ થયો તે જાતે રાજપૂત બોડાણા હતા.વિજયસિંહ બોડાણા અને તેના પત્ની ગંગાબાઈ દ્વારકા પગપાળા ગયા હતા. દ્વારકા પહોંચીને જ્યારે દ્વારકાધીશના દર્શન કર્યા ત્યારે ભક્ત બોડાણાએ જોયું કે ભગવાન દ્વારકાધીશની મૂર્તિ સોનાના આભૂષણથી સુશોભિત છે અને તે સિવાય તેના પર તુલસીમાળા રાખવામાં આવી છે. ભગવાન બોડાણાએ વિચાર્યું કે ભગવાન દ્વારકાધીશને તુલસી પસંદ છે તેથી તેમણે નક્કી કર્યું કે જ્યારે પણ દર્શને આવશે ત્યારે તુલસીનો છોડ લઈને આવશે.*

*👉🏾ભક્ત બોડાણા દ્વારકા જઈને ભગવાનની તુલસી વડે પૂજા કરતા હતા.72 વર્ષ સુધી આ ક્રમ ચાલુ રહ્યો.પરંતુ શરીર જીર્ણ થવા લાગતા પરિસ્થિતિને પારખીને ભગવાને બોડાણાને સ્વપ્નમાં ફરીથી જ્યારે દ્વારકા આવે ત્યારે ગાડું લઈને આવવા જણાવ્યું , જેથી તેઓ (દ્વારકાધીશ) ગાડામાં બેસીને તેમની સાથે ડાકોર આવી શકે.ગરીબ બોડાણા ગાડું લઈને ગયા ત્યારે દ્વારકાધીશ મંદિરના પૂજારીઓએ ગાડું લઈને આવવાનું કારણ પૂછતાં બોડાણાએ કહ્યું કે ભગવાનને હું મારી સાથે ડાકોર લઈ જવા આવ્યો છું. આ સાંભળીને પૂજારીઓએ મંદિરને તાળાં મારી દીધા જેથી બોડાણા મંદિરમાં પ્રવેશ જ ન કરી શકે.જોકે, ભગવાનની લીલા ન્યારી છે.તેઓ મૂર્તિ સ્વરૂપે બોડાણા સમક્ષ પ્રગટ થઈને ગાડામાં બેસી ડાકોર ચાલી નીકળ્યા.ભગવાન શ્રી કૃષ્ણએ વૃદ્ધ ભક્ત બોડાણાને આરામ કરવા જણાવ્યું અને પોતે ગાડું હંકાવ્યું હતું.*

*👉🏾(લોકવાયકા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ઉમરેઠ સુધી ગાડું ચલાવ્યું.બોડાણા જાગ્યા ત્યારે ડાકોર પહોંચવા આવ્યા હતા. ભગવાને આરામ કરવાનું નક્કી કર્યું અને ડાકોર-ઉમરેઠ રોડ ઉપર આવેલા બિલેશ્વર મહાદેવના મંદિર પાસે વિશ્રામ માટે રોકાયા ત્યાં ભગવાને દાતણ કરવા માટે લીમડાની એક ડાળમાંથી દાતણ તોડ્યું હતું એ ડાળીના સ્પર્શના કારણે લીમડાની એ ડાળ મીઠી થઈ ગઈ. આજેય આખો લીમડો કડવો છે, પરંતુ ભગવાનનો સ્પર્શ પામેલી એ ડાળી મીઠી છે.)*

*👉🏾ગાડું ચલાવીને એક જ રાતમાં તેઓ દ્વારકાથી ડાકોર સવારમાં આવી પહોંચ્યા.દ્વારકામાં મંદિરમાં પૂજારીઓએ દ્વાર ખોલ્યા ત્યારે તેમણે બોડાણા પર શંકા ગઈ અને મૂર્તિની શોધમાં દ્વારકાથી ડાકોર આવી પહોંચ્યા.બોડાણાએ ભયભીત થઈને ભગવાનના આદેશથી પ્રતિમાને ગોમતી તળાવમાં સંતાડી દીધી.ત્યારબાદ બોડાણાએ પૂજારીઓને સત્યથી વાકેફ કર્યા.ત્યારે હાંસી ઉડાવતા પૂજારીઓએ કહ્યું કે જો તેમણે (બોડાણા) ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું, કારણ કે પૂજારીઓ જાણતા હતા કે આ ગરીબ બોડાણા આટલું સોનું ક્યારેય નહીં આપી શકે અને શ્રી કૃષ્ણની મૂર્તિ દ્વારકામાં જ રહેશે.બોડાણા પાસે સોનાના નામે તેમની પત્ની ગંગાબાઈએ પહેરેલી નાકની ફક્ત એક વાળી હતી.ગોમતીતટે મૂર્તિને ત્રાજવાના એક પલ્લામાં મૂકી તેની સામેના પલ્લામાં આ વાળી મુકવામાં આવી ત્યારે તેનું વજન મૂર્તિના વજન કરતાં પણ વધારે થયું અને આ વાળી લઈને પૂજારીઓ ત્યાંથી વિદાય થયા.*

*👆🏻સંદેશના અંક સંસ્કારમાંથી*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :- 30-31/08/2021🗞️*
*&*
*🗞️01/09/2021 થી 06/09/2021🗞️*

રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કઈ એપ લોન્ચ કરી
*✔️ખેલ ઇન્ડિયા એપ*

હાલમાં અમેરિકામાં કયું વાવાઝોડું ત્રાટક્યું
*✔️ઈડા*

લદાખમાં 18699 ફૂટની ઊંચાઈએ વિશ્વનો સૌથી ઊંચો રોડ બનશે જે લેહના કયા સરોવરને જોડશે
*✔️પેંગોંગ*

ગૂગલ-એપલ એપ સ્ટોરનો ઇજારો ખતમ કરવા પહેલી વખત કયા દેશમાં બિલ પાસ કરીને નિર્ણય લેવાયો
*✔️દક્ષિણ કોરિયા*

અફઘાનિસ્તાનથી અમેરિકા પરત ફરી રહેલો અંતિમ અમેરિકી કમાન્ડર
*✔️ક્રિસ ડોનાહુ*

સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર જેને હાલમાં ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
*✔️ડેલ સ્ટેન*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોની 125મી જન્મજયંતી નિમિત્તે ૱125નો સ્મારક સિક્કો જાહેર કર્યો
*✔️શ્રીલ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ*
*✔️ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઈસ્કોન) ના સ્થાપક*
*✔️તેમણે 'હરે કૃષ્ણા આંદોલન' પણ ચલાવ્યું હતું.*

આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી કોણ બન્યો
*✔️પોર્ટુગલનો ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો*

અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકારનું નેતૃત્વ કોણ કરશે
*✔️મુલ્લા અબ્દુલ ગની બરાદર*

બે પેરાલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લિટ્ કોણ બની
*✔️અવની લેખરા*
*✔️50 મીટર રાઇફલ સ્પર્ધામાં*

30 ઓગસ્ટરાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ

ભારત અને જર્મનીની નૌસેનાએ કયા અખાતમાં સંયુક્ત નૌસેના અભ્યાસ કર્યો
*✔️એડનના અખાતમાં*

હાલમાં કયા દેશની અદાલતે 996 ઓવરટાઈમ પ્રથા ગેરકાયદે ઘોષિત કરી
*✔️ચીન*
*✔️996 એટલે સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી અને અઠવાડિયામાં 6 દિવસ કામ કરવાનું*

બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સ 2021ના વિજેતા કોણ બન્યા
*✔️મેક્સ વર્સ્ટપન*

ઓડિશા સરકારે બીજું પટનાયક ખેલ પુરસ્કારથી કોણે સન્માનિત કર્યા
*✔️અમિત રોહિદાસ*

નેપાળના નવા નૌસેના પ્રમુખ કોણ બન્યા
*✔️પ્રભુ શર્મા*

29 ઓગસ્ટરાષ્ટ્રીય ખેલ દિવસ

તમામ વયસ્કોનું રસીકરણ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*✔️હિમાચલ પ્રદેશ*

ટોક્યો પેરાલિમ્પિકનું સમાપન :ભારતે કેટલા મેડલ જીત્યા
*✔️5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ = 19 મેડલ*
*✔️ભારત મેડલ ટેલીમાં 24મા ક્રમે*
*✔️ચીને 96 ગોલ્ડ, 60 સિલ્વર અને 51 બ્રોન્ઝ સાથે ટોચનું સ્થાન હાંસલ કર્યું*

*🏆ટોક્યો પેરાલિમ્પિક મેડલ્સના ભારતના વિજેતાઓ :-👇🏾*

*🥇5 ગોલ્ડ મેડલ🥇*
1.અવની લેખરા (10 મી. એર રાયફલ સ્ટેન્ડિંગ)
2.પ્રમોદ ભગત (પુરુષ સિંગલ્સ બેડમિન્ટન)
3.કૃષ્ણા નાગર (પુરુષ સિંગલ્સ બેડમિન્ટન)
4.સુમિત અટીલ (પુરુષ ભાલાફેંક)
5. મનીષ નરવાલ (મિક્સ 50 મી. પિસ્તોલ)

*🥈8 સિલ્વર મેડલ🥈*
1.ભાવિકા પટેલ (મહિલા સિંગલ્સ કક્ષા-4 ટેબલ ટેનિસ)
2.સિંહરાજ (મિક્સ 50 મી. પિસ્તોલ)
3. યોગેશ કથુરિયા (ડિસ્ક થ્રો)
4. નિષાદ કુમાર (ઊંચી કૂદ T47)
5. મરીયપ્પન થગાવેલુ (ઊંચી કૂદ T63)
6. પ્રવીણ કુમાર (ઊંચી કૂદ T64)
7. દેવેન્દ્ર ઝાઝરિયા (ભાલાફેંક F46)
8. સુહાસ યતિરાજ (પુરુષ સિંગલ્સ બેડમિન્ટન SL4)

*🥉6 બ્રોન્ઝ મેડલ🥉*
1. અવની લેખરા (મહિલાઓની 50 મી. રાઇફલ)
2. હરવિંદર સિંહ (પુરુષની વ્યક્તિગત તીરંદાજી)
3. શરદ કુમાર (ઊંચી કૂદ T63)
4. સુંદરસિંહ ગુર્જર (ભાલાફેંક (F46)
5. મનોજ સરકાર (પુરુષ સિંગલ્સ બેડમિન્ટન SL3)
6. સિંહરાજ (પુરુષની 10 મી. એર પિસ્તોલ)

*🥈ગુજરાતની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં સિલ્વર જીત્યો. તે મહેસાણા નજીકના ગામની છે.*


વતનપ્રેમ યોજના :- દેશ-વિદેશના ગુજરાતીઓના 60 % અને સરકારના 40 %

તાજેતરમાં લેખક બુદ્ધદેવ ગુહાનું નિધન થયું.

ઇન્દોરની મુક બધિર યુવતી વર્ષા ડોંગરેએ મિસ ઇન્ડિયા સ્પર્ધા જીતી.

જાણીતા ટીવી સ્ટાર અને બિગ બોસ સિઝન-13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટએટેકથી અવસાન થયું.

💥રણધીર💥
1.ભારતનો સૌથી ટૂંકો નેશનલ હાઈ વે કયો
*✔️એનએચ 35*

2.રંગૂન શહેર કઈ નદી પર આવેલું છે
*✔️ઇરાવદી*

3. કેન્યા દેશની રાજધાની કઈ
*✔️નૈરોબી*

4. પવનાર સાથે કયા સત્યાગ્રહીનું નામ સંકળાયેલું છે
*✔️વિનોબા*

5. રાજસ્થાનનું કોટા શહેર કઈ નદી પર વસેલું છે
*✔️ચંબલ*

6.આગ્રાના તાજમહેલની ઊંચાઈ કેટલા મીટર છે
*✔️54 મીટર*

7. ખાવડા ગિરિમથક કયા જિલ્લામાં આવેલું છે
*✔️કચ્છ*

8.ઈક્વેડોરનું ચલણ કયું
*✔️સુકર*

9. 'ષ°ઢ' શબ્દનો અર્થ
*✔️નપુંસક*

10.'ગોલ્ડન ગર્લ' એ કઈ ખેલાડીની આત્મકથા છે
*✔️પી.ટી.ઉષા*

💥💥
👉🏿આખ્યાનના બીજ વાવ્યા
✔️નરસિંહ મહેતા

👉🏿આખ્યાનના પિતા
✔️કવિ ભાલણ

👉🏿ઉત્તમ આખ્યાન લખનાર
✔️પ્રેમાનંદ
👉🏿ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ મૃત્યુ ગીત
✔️મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
કવિ :- રાવજી પટેલ

👉🏿સૌથી વધારે પ્રવાસ નિબંધો લખનાર
✔️પ્રીતિસેન ગુપ્તા

👉🏿રામનારાયણ વિશ્વનાથ પાઠક
👉ઉપનામ :- દ્વિરેફ, શ્લેષ, સ્વૈરવિહારી

શ્લેષ ઉપનામથી કાવ્યો લખ્યા.
દ્વિરેફ ઉપનામથી વાર્તા લખી.
સ્વૈરવિહારી ઉપનામથી નિબંધ લખ્યા.

💥💥

▪️સુલતાન મહંમદ બેગડાએ ત્રણ શહેર વસાવ્યા હતા.તે જુના અને નવા નામ👇

1. મહમૂદાબાદમહેમદાવાદ
2. મુસ્તફાબાદ જૂનાગઢ
3. મુહમ્મદાબાદ ચાંપાનેર
▪️ગેટ વે ઓફ ઇન્ડિયા
✔️મુંબઈ

▪️ઇન્ડિયા ગેટ
✔️દિલ્હી
▪️ચિલી પાસેથી નીકળતો કયો ગરમ પ્રવાહ ભારતમાં દુષ્કાળ માટે જવાબદાર છે
✔️અલનીનો

▪️ઓસ્ટ્રેલિયા પાસેથી નીકળતો કયો ઠંડો પ્રવાહ ભારતમાં વધારે વરસાદ આપે છે
✔️લાલીનો
👉🏿Short Trick :- રામ લોક

▪️લોકસભાના સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા
✔️રામ સુભાગસિંહ

👉🏿Short Trick :- શ્યામ રાજ્ય

▪️રાજ્યસભામાં સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા
✔️શ્યામ નંદનપ્રસાદ મિશ્રા

💥💥
▪️સૌથી વધુ વખત વિટો પાવરનો ઉપયોગ કરનાર રાષ્ટ્રપતિ
✔️જ્ઞાની ઝૈલસિંહ

▪️ભારતમાં રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહે સૌપ્રથમ પોકેટ વિટોનો ઉપયોગ ક્યારે કર્યો હતો
✔️1986માં ભારતીય પોસ્ટના બંધારણીય સુધારામાં
▪️ઇન્દિરા ગાંધીનું મૂળ નામ
✔️પ્રિયદર્શીની

▪️સોનિયા ગાંધીનું મૂળ નામ
✔️એડવીજ એન્ટોનિયા અલ્બના માઈન
▪️માનવ વિકાસ આંકમાં ત્રણ પરિમાણોનો સમાવેશ થાય છે :-
1.આરોગ્ય
2.જ્ઞાન
3.જીવનધોરણ
▪️યુરોપિયન બેન્કિંગ પદ્ધતિ પર આધારિત ભારતની પ્રથમ બેંક
✔️બેન્ક ઓફ હિન્દુસ્તાન (1770, કલકત્તામાં, એલેક્ઝાન્ડર એન્ડ કંપની દ્વારા)

▪️પૂર્ણ સ્વરૂપે પ્રથમ ભારતીય બેંક
✔️પંજાબ નેશનલ બેન્ક (1894)

▪️ભારતની સૌથી મોટી અને સૌથી જૂની બેન્ક
✔️ભારતીય સ્ટેટ બેન્ક

▪️ભારતીય સ્ટેટ બેન્કની સ્થાપના કયા નામે અને ક્યારે થઈ હતી
✔️2 જૂન, 1806ના રોજ બેન્ક ઓફ કોલકાતા તરીકે
▪️યુરોપિયન બેન્કિંગ પદ્ધતિ પર આધારિત ભારતની પ્રથમ બેંક
✔️બેન્ક ઓફ હિન્દુસ્તાન (1770, કલકત્તામાં, એલેક્ઝાન્ડર એન્ડ કંપની દ્વારા)

▪️પૂર્ણ સ્વરૂપે પ્રથમ ભારતીય બેંક
✔️પંજાબ નેશનલ બેન્ક (1894)

▪️ભારતની સૌથી મોટી અને સૌથી જૂની બેન્ક
✔️ભારતીય સ્ટેટ બેન્ક

▪️ભારતીય સ્ટેટ બેન્કની સ્થાપના કયા નામે અને ક્યારે થઈ હતી
✔️2 જૂન, 1806ના રોજ બેન્ક ઓફ કોલકાતા તરીકે

▪️બેન્ક ઓફ કોલકાતાનું SBI નામ ક્યારે થયું
✔️1 જુલાઈ, 1955
▪️પ્રથમ પંચવર્ષીય યોજના (1951-1956) કયા મોડેલ પર આધારિત હતી?
✔️હેરોડ ડોમર

▪️દ્વિતીય પંચવર્ષીય યોજના (1956-1961) કયા મોડેલ પર આધારિત હતી?
✔️પી.સી.મહાલનોબીસ

▪️ત્રીજી પંચવર્ષીય યોજના.......... તરીકે પણ ઓળખાય છે.
✔️ગાડગીલ યોજના
▪️સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ રજૂ કરનાર?
✔️નાણાંમંત્રી આર.કે.ષણમુખમ શેટ્ટી દ્વારા (28 નવેમ્બર, 1947ના રોજ)

▪️પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ રજૂ કરનાર?
✔️જ્હોન મંથાઈ દ્વારા (1950માં)
👍👍👌👌👌
▪️આયાત નિકાસ થતી વસ્તુ પર લાગતો કર
✔️કસ્ટમ ડ્યૂટી

▪️દેશની અંદર નિર્મિત વસ્તુના ઉત્પાદન પર લાગતો કર
✔️એક્સાઈઝ ડ્યૂટી

▪️કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેની મિલકતના હસ્તાંતરણ સમયે સંપત્તિ પર લાગતો કર
✔️એસ્ટેટ ડ્યૂટી
▪️ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ
✔️ખેડા સત્યાગ્રહ

▪️ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ
✔️ચંપારણ સત્યાગ્રહ