સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*

*ગુજરાતનો મેદાની પ્રદેશ*
~~~~~~~~~~~~~~~~~~
મેદાની પ્રદેશોની રચનામાં નિક્ષેપણની ક્રિયા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.
ગુજરાતનો મેદાની પ્રદેશ 50%થી પણ વધુ ભૂમિભાગ રોકે છે.
તળગુજરાતનો મેદાની પ્રદેશ ભૂ-સંચલનથી નીચે બેસી જતાં તેમાં કાંપ પુરાતાં બન્યો છે.

*★ગુજરાતના મેદાનોને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકાય છે.*

A..કચ્છનું મેદાન
B.સૌરાષ્ટ્રનું મેદાન
C.તળગુજરાતનું મેદાન

*★A.કચ્છનું મેદાન :-*
તેમાં 'વાગડ' અને 'કંઠીના મેદાન'નો સમાવેશ કરવામાં આવે છે.

*★B.સૌરાષ્ટ્રનું મેદાન :-*
તેમાં મુખ્યત્વે શેત્રુંજી બેસિન અને ભાદર બેસિનનો સમાવેશ થાય છે, જેને ગીરની ટેકરીઓ અલગ પાડે છે તથા ભાદર બેસિનને અલેકની ટેકરીઓ બે ભાગમાં વહેંચે છે.
સૌરાષ્ટ્રના મેદાનો ટ્રેપ-ખડકોના ઘસારણથી બનેલાં હોવાથી કાળી જમીનના ફળદ્રુપ મેદાન છે.

*★3.તળગુજરાતનો મેદાની પ્રદેશ :-*
તેને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે :
1.ઉત્તર ગુજરાતનું મેદાન
2.મધ્ય ગુજરાતનું મેદાન
3.દક્ષિણ ગુજરાતનું મેદાન

*★1.ઉત્તર ગુજરાતનું મેદાન :-*
ઉત્તર ગુજરાતનું મેદાન બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ફેલાયેલું છે જેમાં ગ્રેનાઈટ અને વિકૃત ખડકોમાંથી છૂટી પડેલી જમીન આવેલી છે.
ઉત્તર ગુજરાતનું મેદાન બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીના કાંપથી રચાયેલું છે.
બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના પશ્ચિમ ભાગની રેતાળ, જ્યારે સાબરકાંઠામાં કાળી જમીન ધરાવે છે. આ મેદાની પ્રદેશમાં 'ગોઢ' અને 'વઢીયાર' પંથકનો સમાવેશ થાય છે.

*★2.મધ્ય ગુજરાતનું મેદાન :-*
મધ્ય ગુજરાતના મેદાનને "ગુજરાતનો બગીચો" કહેવાય છે.
મધ્ય ગુજરાતનું મેદાન સાબરમતી, મહી, વિશ્વામિત્રી, ઢાઢર અને ઓરસંગ નદીના કાંપથી બનેલું અને અમદાવાદથી ભરૂચ સુધી ફેલાયેલું છે.
આ મેદાનને મુખ્યત્વે 4 પેટાવિભાગોમાં વહેંચી શકાય છે.

*●a. સાબરમતીનું મેદાન અથવા અમદાવાદનું મેદાન :-*
મધ્ય ગુજરાતમાં ચરોતરની ઉત્તર અને પશ્ચિમમાં આવેલું છે.
લગભગ સમગ્ર અમદાવાદ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે.
કાળી અને ચીકણી જમીનવાળો "ભાલપ્રદેશ" આવેલો છે.
સાબરમતી અને તેની સહાયક નદીઓના નિક્ષેપણથી બનેલું છે.

*●b.ચરોતરનું મેદાન અથવા શેઢી અને મહી વચ્ચેનું મેદાન :-*
મહી, શેઢી અને વાત્રક નદીના કાંપથી રચાયેલું
મહી નદી દ્વારા આણંદ જિલ્લામાં ઊંડા કોતરોની રચના
ખેતીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી સમૃદ્ધ પ્રદેશ છે જે તમાકુની ખેતી માટે જાણીતો છે.

*●નર્મદા અને ઢાઢર દ્વારા રચાયેલું વડોદરાનું મેદાન (કાનમ) :-*
કપાસની ખેતી માટે જાણીતો
વડોદરાની ઉત્તર ભાગમાં રાતી જમીન અને દક્ષિણ ભાગમાં કાળી જમીન જોવા મળે છે જે નર્મદા, ઢાઢરના કાંપથી રચાયેલી છે.

*●d.વિરમગામનું મેદાન :-*
ભાલના નીચા પ્રદેશની ઉત્તરમાં વિરમગામનું મેદાન આવેલું છે.
અમદાવાદ અને મહેસાણા જિલ્લાના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.
આ મેદાનના પૂર્વ ભાગની જમીન મરડિયાવાળી છે જે રૂપેણ નદીના કાંપથી રચાયેલ મેદાન છે.

*★દક્ષિણ ગુજરાતનું મેદાન :-*
ભરૂચ જિલ્લાના દક્ષિણ ભાગથી વલસાડ સુધી વિસ્તરેલું છે.
દક્ષિણ ગુજરાતના મેદાની પ્રદેશને 'પૂરનું મેદાન' પણ કહેવાય છે.

*👉🏾Next :- સૌરાષ્ટ્ર અને કચ્છનો ઉચ્ચપ્રદેશ તથા ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ*


💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*

*સૌરાષ્ટ્ર અને કચ્છનો ઉચ્ચપ્રદેશ તથા ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ*
~~~~~~~~~~~~~~~~~~
સૌરાષ્ટ્રના આ ઉચ્ચપ્રદેશમાં ઉત્તરમાં માંડવની ટેકરીઓ અને દક્ષિણમાં ગીરની હારમાળા ઉપરાંત ગિરનાર અને બરડા ડુંગરનો સમાવેશ થાય છે.
આ ઉચ્ચપ્રદેશમાં ડાઈકના વિસ્તારો આવેલા છે જે 60 મીટરથી 60 કિમી.ના વિસ્તરેલા જોવા મળે છે.
સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ "બેસાલ્ટ ખડકો"નો બનેલો છે.

*★ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ :-*
સામાન્ય ભાષામાં ડુંગરાળ પ્રદેશ અર્થાત 300 મીટર કરતાં ઊંચો અને ખડકાળ પ્રદેશ એવો થાય છે.
જૂનાગઢ જિલ્લામાં આવેલો ગિરનાર ગુજરાતમાં સૌથી ઊંચામાં ઊંચો ડુંગર છે.
ગુજરાતના ડુંગરાળ પ્રદેશો મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે :
A. કચ્છનો ડુંગરાળ પ્રદેશ
B. સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ
C. તળગુજરાતનો ડુંગરાળ પ્રદેશ

*★A.કચ્છનો ડુંગરાળ પ્રદેશ :-*
કચ્છમાં નાના નાના ડુંગરોની હારમાળા આવેલી છે જેને 'ધાર' કહેવામાં આવે છે.

*●1.ઉત્તર ધાર :-*
કચ્છનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર (437.08 મીટર)છે જે ઉત્તર ધારમાં આવેલો છે.
ઉપરાંત ગારો, ખાડીયો વગેરે ડુંગર આવેલા છે. ઉત્તર ધારમાં પચ્છમ, ખદીર, બેલા ખાવડા વગેરે ટાપુઓ આવેલા છે.

*★2.મધ્ય ધાર :-*
મધ્ય ધાર વાગડ અંજારથી લખપત સુધી ફેલાયેલી અથવા ચાડવા ડુંગરથી ગર્દા ટેકરીઓ સુધી ફેલાયેલી છે.આ ડુંગર ધાર સળંગ નથી.
તેનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર (388 મીટર) (નખત્રાણા) છે.આ ઉપરાંત મધ ધારમાં ઉમિયા, ઝુરા, વરાર, રતનાલ, લીલિયો, ભુજિયો વગેરે ડુંગરો આવેલા છે.
કંથકોટનો ઐતિહાસિક ડુંગર વાગડના મેદાનમાં આવેલો છે.
મધ ધારના ખડકોમાં બેસાલ્ટનો જાડો થર જોવા મળે છે. મધ્ય ધારમાં બેટ એ ડુંગરો કરતાં ઊંચો છે તથા આ ધાર સળંગ નથી.

*★3.દક્ષિણ ધાર :-*
દક્ષિણ ધાર પાનન્ધ્રો અને માતાના મઢથી અંજાર સુધી ફેલાયેલી જે કચ્છની મુખ્યભૂમિ વચ્ચેથી પસાર થાય છે.
તેનો સૌથી ઊંચો પર્વત નનામો (નામ વગરનો) છે.આ ઉપરાંત વાગડની ટેકરીઓ, અધોઇની ટેકરીઓ, ગેડીપાદરની ટેકરીઓ વગેરે આવેલી છે. તેના ખડકો પર પરવાળાના થર જોવા મળે છે.
કચ્છના ડુંગરાળ પ્રદેશમાંથી મોટા પ્રમાણમાં ખનીજો મળી આવે છે.

*👉🏾Next :- સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ*


💥R. K.💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*

*સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ*
~~~~~~~~~~~~~~~~~~~
તેમાં બેસાલ્ટના ખડકો જોવા મળે છે.
ટ્રેપ ખડકોના અવશેષો જોવા મળે છે.
તેને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે.

*★1.ઉત્તરની ટેકરીઓ :-*

*◆માંડવની ટેકરીઓ :-*
માંડવની ટેકરીઓ રાજકોટમાં આનંદપુરથી સુરેન્દ્રનગરના ભાડલા સુધી વિસ્તરેલી છે.તેનું સૌથી ઊંચું શિખર - ચોટીલા (સુરેન્દ્રનગર) (340 મીટર) જે શંકુ આકારનો ડુંગર છે.
માંડવની ટેકરીઓનો દક્ષિણનો સાંકળો ભાગ ઠાંગાનો ડુંગર કહેવાય છે.

*◆બરડો ડુંગર :-*
બરડો ડુંગર પોરબંદર જિલ્લામાં આવેલો છે. તેનું સૌથી ઊંચું શિખર 'આભપરા' (637 મીટર) છે.આ ઉપરાંત અન્ય 'વેણુ' (625 મીટર) નામનું શિખર આવેલું છે.
આ ઉપરાંત ઉત્તરની ટેકરીઓમાં જામનગરની અલેકની ટેકરીઓ અને ગોપની ટેકરીઓનો સમાવેશ થાય છે.

*★2.દક્ષિણની ટેકરીઓ :-*

*◆ગિરનાર :-*
ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર છે તથા તેનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ (1117 મીટર) છે.
ગિરનાર "ડાયોરાઈટ" અને "મોન્ઝાનાઈટ" જેવા પાતાલિય અગ્નિકૃત ખડકોનો બનેલો છે.
આ ઉપરાંત ગિરનારમાં આવેલાં અન્ય શિખરોમાં અંબાજી, કાલકા, ઓઘડ, દાતારનો ડુંગર (847 મીટર)નો સમાવેશ થાય છે.

*◆ગીર :-*
ગિરનારની દક્ષિણે જતી ટેકરીઓની હારમાળા પૂર્વ તરફ અમરેલી જિલ્લાના મેદાન સુધીનો વિસ્તાર "ગીર" કહેવાય છે.

*◆ગીરની ટેકરીઓ :-*
ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર - સરકલા (643 મીટર) છે.આ ઉપરાંત અન્ય કનારા, સાસણ, નંદીવેલ, તુલસીશ્યામ જેવાં શિખરો આવેલાં છે.
ગીરની ટેકરીઓનો પ્રદેશ ગીચ જંગલોથી છવાયેલો છે જ્યાં ગીરનું અભયારણ્ય આવેલું છે.

*◆મોરધારનો ડુંગર :-*
ગીરના પૂર્વમાં અમરેલી જિલ્લામાં "નાનાગીર" તરીકે ઓળખાતો પ્રદેશ આવેલો છે. ત્યાં આવેલા ડુંગરાળ પ્રદેશને "મોરધારના ડુંગર" કહેવાય છે.

*◆શેત્રુંજો ડુંગર અને લોંચનો ડુંગર :-*
આ હારમાળા આગળ જઈ ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદી પાસે શેત્રુંજા ડુંગરની રચના કરે છે.

*◆ખોખરાનો ડુંગર :-*
ભાવનગર જિલ્લામાં ભાવનગરની ઉત્તરમાં ખોખરાના ડુંગરો આવેલા છે. આ ઉપરાંત દક્ષિણની ટેકરીઓમાં તળાજાલોરના ડુંગરો અને શાણાના ડુંગરો આવેલા છે.

*👉🏾Next :- તળગુજરાતનો ડુંગરાળ પ્રદેશ*


💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-14-15/04/2021🗞️*

14 એપ્રિલનેશનલ ફાયર સર્વિસ ડે

તાજેતરમાં બલબીરસિંઘનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા
*✔️હોકી*

વિશ્વ બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️ગુજરાત કેડરના IAS ડૉ.રાજેન્દ્રકુમાર*

બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રસાશિકા જેમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી
*✔️દાદી જાનકીજી*

2021ના બેસ્ટ કન્ટ્રી રિપોર્ટમાં કયો દેશ સૌપ્રથમવાર વિશ્વનો નંબર વન દેશ બન્યો
*✔️કેનેડા*
*✔️ભારત 25મા ક્રમે*

અમેરિકન પુરુષ ટીમના નવા કોચ તરીકે કયા ભારતીયની નિમણૂક કરવામાં આવી
*✔️ભારતીય હોકી ટીમના પૂર્વ કોચ હરેન્દ્રસિંઘ*
*✔️તેમને 2012માં દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો હતો*

ભારતીય સૈન્યના અધિકારી લેફ્ટનન્ટ કર્નલ જેમને સૌથી ઝડપી સિંગલ સાયકલિંગ માટે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યા
*✔️ભરત પન્નુ*

RBIએ પેમેન્ટ્સ બેંકમાં મહત્તમ બેલેન્સ મર્યાદા કેટલી કરી
*✔️૱2 લાખ*

સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા-સિડબીના નવા અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️એસ.રમન*

ક્લાઈમેટ ચેન્જ અંગેનો કાયદો લાગુ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો
*✔️ન્યૂઝીલેન્ડ*
*✔️2050 સુધીમાં ન્યૂઝીલેન્ડને કાર્બનમુક્ત કરાશે*

ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમ્સન ચોથી વખત સર રિચાર્ડ હેડલી મેડલથી સન્માનિત

ડીયુ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ.ઋષિરાજ પાઠક સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર માટે નામાંકિત થયા.

તરુણ બજાજની નવા મહેસુલ સચિવ તરીકે નિમણૂક

અજય શેઠની આર્થિક બાબતોના વિભાગના નવા સચિવ તરીકે નિમણૂક

અમેરિકન રેપર અને અભિનેતા અર્લ સીમન્સનું નિધન

ભાજપના પીરવ સાંસદ શ્યામચરણ ગુપ્તાનું નિધન

💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*

*તળગુજરાતનો ડુંગરાળ પ્રદેશ*
~~~~~~~~~~~~~~~~~~
તળ ગુજરાતમાં ઉત્તરથી દક્ષિણ સુધી પૂર્વ સરહદે બનાસકાંઠાથી વલસાડ સુધી ડુંગરાળ પ્રદેશ આવેલો છે.
તળ ગુજરાતનો આ ડુંગરાળ પ્રદેશ એ અરવલ્લી, વિંધ્યાચળ, સાતપુડા અને સહ્યાદ્રી (પશ્ચિમ ઘાટ)ના અવશેષરૂપે આવેલો છે.

*★1.અરવલ્લીનો ડુંગરાળ પ્રદેશ :-*

*◆બનાસકાંઠા જિલ્લો :-*
બનાસકાંઠા જિલ્લામાં જેસોરની ટેકરીઓ આવેલી છે જેનું સૌથી ઊંચું શિખર - આરાસુર (દાંતા) છે.તેમાંથી તાંબું, જસત, સીસું, આરસ પથ્થર મળી આવે છે.

*◆સાબરકાંઠા જિલ્લો :-*
ઇડરિયો ગઢ, ખેડબ્રહ્માની ટેકરીઓ, વિજયનગરની ટેકરીઓ, હિંમતનગરની ટેકરીઓનો સમાવેશ થાય છે. તેમાંથી બાંધકામ માટે પથ્થર મળી આવે છે.

*◆અરવલ્લી જિલ્લો :-*
શામળાજીની ટેકરીઓ, ભિલોડાની ટેકરીઓનો સમાવેશ થાય છે.
અરવલ્લીના આ ભાગમાં જુના સ્ફટિકમય ખડકો અથવા ધારવાડ સમયના વિકૃત ખડકો જોવા મળે છે.

*◆મહેસાણા જિલ્લો :-*
મહેસાણા જિલ્લામાં અરવલ્લી પર્વતમાળાની ભાગરૂપે 'તારંગા ડુંગર' આવેલો છે, જ્યાં કુમારપાળે બંધાવેલ અજિતનાથનું જૈન મંદિર આવેલું છે.

*★2.વિંધ્યાચળનો ડુંગરાળ પ્રદેશ :-*

*◆પંચમહાલ :-*
પાવાગઢનો ડુંગર (હાલોલ) (829 મીટર)

*◆દાહોદ :-*
રતનમહાલનો ડુંગર (લીમખેડા)

*◆વડોદરા :-*
છોટા ઉદેપુરની ટેકરીઓ જે ઓરસંગ નદીની પાસે આવેલી છે.
આ વિસ્તારમાં આંબાડુંગર, ડુંગરગામ અને નૈતિ ટેકરી વિસ્તારમાં ફ્લોરસ્પારનો વિશ્વનો સૌથી મોટો જથ્થો રહેલો છે.

*★3.સાતપુડાનો ડુંગરાળ પ્રદેશ :-*

*◆નર્મદા :-*
રાજપીપળાની ટેકરીઓ જેનું સૌથી ઊંચું શિખર - માથાસર (800 મીટર) છે.રાજપીપળાની ટેકરીઓ નર્મદા અને તાપી વચ્ચે આવેલી છે જે અકીકની ખાણો માટે જાણીતી છે.

*★4.સહ્યાદ્રી અથવા પશ્ચિમઘાટ અથવા સાતમાળા :-*
સહ્યાદ્રી પર્વતમાળા બેસાલ્ટના ખડકોની બનેલી છે.

*◆તાપી :-*
સોનગઢનો ડુંગર, ખાંડા આંબાનો ડુંગર, અસીકાનો ડુંગર, તારાપોરનો ડુંગર.

*◆ડાંગ :-*
સાપુતારા (1100 મીટર) જે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે.

*◆વલસાડ :-*
પારનેરાની ટેકરીઓ જેનું સૌથી ઊંચું શિખર વિલ્સન છે.

*👉🏾Next :- કચ્છનું નદીતંત્ર*


💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*

*કચ્છનું નદીતંત્ર*
~~~~~~~~~~~~~~~~~~
કચ્છનું નદીતંત્ર :- શુષ્ક નદીતંત્ર

કચ્છમાં નાની-મોટી લગભગ 97 જેટલી નદીઓ છે.કચ્છની નદીઓ ટૂંકી, સમાંતર અને બારેમાસ લગભગ શુષ્ક રહે છે. કચ્છની નદીઓ મધ્યની ડુંગરધારો માંથી નીકળી ઉત્તર-દક્ષિણ તરફ વહે છે. આથી તેને બે પ્રકારે વહેંચી શકાય છે.

*★1.ઉત્તરવાહિની નદીઓ :-*
આ મધ્ય ડુંગર ધારમાંથી ઉત્તર તરફ વહી કચ્છના મોટા રણમાં સમાય છે.જેમ કે કાળી, ઘુરુડ, સૂવિ, માલણ, સારણ, કાયલો, ચાંગ, નારા, ખારી વગેરે.

અહીં ખારી નદી ઉપર રુદ્રમાતા બંધ બાંધવામાં આવ્યો છે, જે કચ્છના નદીતંત્રની એકમાત્ર અગત્યની સિંચાઈ યોજના છે.

*★B.દક્ષિણવાહિની નદીઓ :-*
આ નદીઓ મધ્યની ધારોમાંથી નીકળી દક્ષિણ તરફ વહી અરબ સાગર, કચ્છના અખાત અને કચ્છના નાના રણમાં સમાય છે.

જેમ કે ખારી, કનકાવતી, રૂકમાવતી, ભૂખી, મિતિ, નૈયરા, સકરા, સાંગ, સાંઈ વગેરે.

*■યાદ રાખો :-*

*◆અલ્લાહ બંધ :-*
આ કોઈ નદી ઉપરનો બંધ નથી. ઇ.સ.1819માં કચ્છમાં આવેલા ભૂકંપના કારણે સુનામીના મોજાં ઉત્પન્ન થયા.દરમિયાન ભૂકંપના ભૂસંચલનના કારણે ધરતી પરનો કેટલોક ભાગ ઉપસી આવ્યો, જેના પર લોકોએ શરણ લેતાં સુનામીથી તેમનો બચાવ થયો.અલ્લાહે બચાવ માટે આ ટેકરાનું નિર્માણ કર્યું.એ ઉપરથી આ ઉપસેલા ભાગને અલ્લાહ બંધ કહેવાય છે.

*◆સૂરજબારી બંધ :-*
કચ્છના નાના રણને અટકાવવા માટે ગાંડા બાવળનો ઉછેર કર્યો તથા તેને દૂરથી જોતા બંધ જેવો લાગે છે.

*👉🏾Next :- સૌરાષ્ટ્રનું નદીતંત્ર*


💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*

*સૌરાષ્ટ્રની નદીઓ*
~~~~~~~~~~~~~~~~~~
સૌરાષ્ટ્રનું નદીતંત્ર :- અપકેન્દ્રીય / ત્રિજ્યાકાર જળ પરિવાહ વિકસેલો છે, જે મધ્યના ડુંગરાળ પ્રદેશમાંથી નીકળીને પૈડાંના આરાની જેમ ચારે તરફ વહે છે.

સૌરાષ્ટ્રમાં નાની-મોટી 71 નદીઓ આવેલી છે.
સૌરાષ્ટ્રમાં ભાદર, શેત્રુંજી, મચ્છુ અગત્યની નદીઓ છે.
સૌરાષ્ટ્રની મોટામાં મોટી અને લાંબામાં લાંબી નદી "ભાદર" છે, જે 260 કિમી. લાંબી છે.
સૌરાષ્ટ્રની નદીઓને ચાર ભાગમાં વહેંચી શકાય છે 👇🏾

*★ઉત્તર તરફ વહેતી નદીઓ :-*
ઘી, ફૂલઝર, સાસોઈ, નાગમતી, ઊંડું, આજી, મચ્છુ, બ્રાહ્મણી, ફાલ્કું, રંગમતી, રૂપારેણ, સિંહણ વગેરે.
તેમાં મચ્છુ, બ્રાહ્મણી અને ફાલ્કુ કચ્છના નાના રણને મળે છે. અર્થાત કુંવારિકા કે અંતઃસ્થ છે, જ્યારે બાકીની નદીઓ કચ્છના અખાતને મળે છે.

*◆આજી :-*
રાજકોટ જિલ્લામાં સરધાર પાસેના ડુંગરમાંથી નીકળી ઉત્તર તરફ કચ્છના અખાતને મળે છે.
રાજકોટ પાસે આજી ડેમ બાંધવામાં આવ્યો છે જેને "લાલપરી સરોવર" પણ કહેવામાં આવે છે.

*◆મચ્છુ :-*
રાજકોટમાં આનંદપુર પાસેથી નીકળે છે.મોરબી શહેર તેના પર વસેલું છે.
મોરબી જિલ્લાના જોધપુર ગામ પાસે મચ્છુ ડેમ આવેલો છે.

*★B.પશ્ચિમ તરફ વહેતી નદીઓ :-*
સની, ભાદર, ઓઝત, ઉબેણ વગેરે.
ગીરની ટેકરીઓમાંથી નીકળતી ઓઝત અને ઉબેણ એ પોરબંદરના નવીબંદર ખાતે ભાદર નદીને મળી જાય છે.

*◆ભાદર :-*
સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદી જે રાજકોટ જિલ્લાના આણંદપરાના ઉચ્ચપ્રદેશમાં જસદણના પૂર્વમાં મદાવાના ડુંગરમાંથી નીકળી જેતપુરથી પશ્ચિમ તરફ વહી પોરબંદરના નવીબંદર પાસે અરબ સાગરને મળે છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોમટા ગામ (નિખાલા) ખાતે ભાદર ડેમ બાંધવામાં આવ્યો છે.

*★C.દક્ષિણ તરફ વહેતી નદીઓ:-*

તેમાં પ્રભાસ પાટણ (સોમનાથ) પાસે સંગમ પામતી કપિલા, સરસ્વતી અને હિરણ મુખ્ય છે.
આ ઉપરાંત શિંગવડો, મચ્છુન્દ્રી, ધાતરવડી, રાવળ વગેરે નદીઓનો સમાવેશ કરી શકાય છે. તેઓ દક્ષિણ તરફ વહી અરબ સાગરને મળે છે. કોડીનાર એ શિંગવડો નદીના કિનારે આવેલું છે.

*★D.સૌરાષ્ટ્રની પૂર્વ તરફ વહેતી નદીઓ :-*

આ નદીઓ મોટા ભાગે ખંભાતના અખાતને મળે છે.
પૂર્વ તરફ વહેનારી નદીઓમાં સૂકભાદર, ભોગાવો, ઘેલો, શેત્રુંજી, કાળુભાર, રંઘોળી મુખ્ય છે.

સૂકભાદર ચોટીલા પાસેના ડુંગરમાંથી નીકળે છે તથા ધંધુકા પાસેથી પસાર થઈ ધોલેરા નજીક ખંભાતના અખાતને મળે છે.

ઘેલો નદી ફૂલઝર નજીકના ઉચ્ચપ્રદેશમાંથી નીકળી ખંભાતના અખાતને મળે છે.

કાળુભાર નદી સમઢીયાળા નજીક રાયપુરના ડુંગરમાંથી નીકળી ભાવનગર જિલ્લામાં ખંભાતના અખાતને મળે છે.

ભોગાવો (લીંબડી ભોગાવો) સૌરાષ્ટ્રની એકમાત્ર નદી જે સાબરમતીને મળે છે.
લીંબડી ભોગાવો નદી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ભીમોરાના ડુંગરમાંથી નીકળે છે.
સાયલા તાલુકાના થોરિયાળી ગામ પાસે બંધ બાંધવામાં આવ્યો છે.

વઢવાણ ભોગાવો નદી નળ સરોવરને મળે છે.
વઢવાણ ભોગાવો નદી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નવાગામ પાસેના ડુંગરોમાંથી નીકળી ચોટીલા, સાયલા, મૂળી અને વઢવાણ પાસેથી પસાર થઈ નળ સરોવરને મળે છે.

સુરેન્દ્રનગરમાં ગૌતમગઢ પાસે "નાયકા" અને સુરેન્દ્રનગર પાસે "ધોળીધજા" બંધ બાંધવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રની બીજા નંબરની નદી શેત્રુંજી છે જે 160 કિમી. લાંબી છે.
શેત્રુંજી નદી ગીરની ટેકરીઓમાંના ઢુંઢીના ડુંગરમાંથી નીકળી ધારી અને અમરેલી પાસેથી પસાર થઈ પૂર્વ તરફ વહી સુલતાનપુર પાસે (ભાવનગર જિલ્લામાં) ખંભાતના અખાતને મળે છે.

ભાવનગર જિલ્લામાં પાલીતાણા પાસે રાજસ્થળી બંધ આવેલો છે.
અમરેલી જિલ્લાના ધારી નજીક ખોડિયાર માતાના મંદિર પાસે ખોડિયાર બંધ આવેલો છે.

*👉🏾Next :- તળગુજરાતનું નદીતંત્ર*


💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-16/04/2021 થી 21/04/2021🗞️*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ.આંબેડકરના જીવન આધારિત ચાર પુસ્તકો વ્યક્તિ દર્શન, આયામ દર્શન, જીવન દર્શન અને રાષ્ટ્ર દર્શનનું વિમોચન કર્યું.આ પુસ્તકોના લેખક કોણ છે
*✔️કિશોર મકવાણા*

15 એપ્રિલે ઈઝરાયેલે તેનો કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો
*✔️73મો*

16 એપ્રિલના રોજ ભારતીય રેલવેએ તેની શરૂઆતના કેટલા વર્ષ પૂર્ણ કર્યા
*✔️168 વર્ષ*
*✔️મુંબઈના બોરી બંદર અને થાણા વચ્ચે દોડી હતી પ્રથમ ટ્રેન*
*✔️34 કિલોમીટર, 14 ડબ્બા, 400 મુસાફરો*

અમેઝોનના સ્થાપક જેફ બેઝોસે CEOનું પદ છોડ્યું.ત્યારબાદ નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️એન્ડી જેસી*

હાલમાં કરેલ સરવે મિજબ વિશ્વમાં સૌથી સસ્તું ઈન્ટરનેટ કયા દેશમાં મળે છે
*✔️ઈઝરાયેલ*
*✔️ભારત 28મા ક્રમે*
*✔️ભારતમાં ડેટાનો એવરેજ ભાવ 0.68 ડૉલર (50 ૱)*
*✔️ઈકવેટોરિયલ ગુયાના દેશમાં નેટ સૌથી મોંઘું (1 GB નો ભાવ 3700 ૱)*

પાકિસ્તાનમાં ડીએસપી બનનારા પ્રથમ હિન્દુ મહિલા કોણ બન્યા
*✔️મનિષા રોપેટા*

રાઉલ કાસ્ટ્રોએ કયા દેશની કોમ્યુનિસ્ટ પક્ષનું પ્રમુખપદ છોડવાની જાહેરાત સાથે 60 વર્ષે કાસ્ટ્રો શાસનનો અંત આવ્યો
*✔️ક્યૂબા*

18 એપ્રિલવર્લ્ડ હેરિટેજ ડે

PDFના સ્થાપક અને એડોબના સહ-સ્થાપક જેમનું હાલમાં નિધન થયું
*✔️ચાર્લ્સ ગેશ્કી*

નાસાએ મંગળ ગ્રહ પર ઊતરેલા પર્સેવેરન્સ યાન સાથે હેલિકોપ્ટરે પ્રથમ ઉડાન ભરી જે પરગ્રહ પર ફ્લાઈંગની પ્રથમ ઘટના છે.આ હેલિકોપ્ટરનું નામ શું છે
*✔️ઈન્જિન્યુઈટિ*
*✔️39.1 સેકન્ડ હવામાં 10 ફૂટ ઊંચે ઉડ્યું*

યુરોપિયન દેશ ગ્રીસમાં છ દેશોની સંયુક્ત લશ્કરી કવાયત શરૂ થઇ. આ કવાયતનું નામ શું છે
*✔️ઈનિઓક્સ-2021*

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના (HAL) સ્વદેશી બનાવટના કયા 3 હેલિકોપ્ટર નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા
*✔️એમકે-3*
*✔️શક્તિ એન્જીનથી સજ્જ*

વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 180 દેશોમાં ભારતનો રેન્ક કેટલામો છે
*✔️142મો*
*✔️નોર્વે સતત ચોથા વર્ષે ટોચ પર*

23 એપ્રિલવર્લ્ડ બુક ડે

બ્લડ કોટિંગની ફરિયાદોને પગલે રસી ઉપર બૅન મુકનાર યુરોપનો પ્રથમ દેશ કયો
*✔️ડેન્માર્ક*

અમેરિકાએ સાઈડ ઈફેક્ટસને જોતા કઈ રસી પર અસ્થાયી રૂપથી પ્રતિબંધ લાદ્યો
*✔️જોન્સન એન્ડ જોન્સન*


💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-22/04/2021 થી 30/04/2021🗞️*

જાપાનના વડાપ્રધાન જેમને ભારત પ્રવાસ રદ કર્યા
*✔️યોશિહિદે સુગા*

રાજસ્થાનના જયપુરના જાણીતા કવ્વાલ જેમનું હાલમાં નિધન થયું
*✔️ફરીદ સાબરી*

અમેરિકામાં ભારતીય મૂળના એસોસિએટ જનરલ કોણ બન્યા કે જેઓ આ હોદ્દા પર પહોંચનારા પ્રથમ એશિયન બન્યા
*✔️વનિતા ગુપ્તા*

માઉન્ટ અન્નપૂર્ણા ચડનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની
*✔️પર્વતારોહક પ્રિયંકા મોહિત*

એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ 2021માં ભારતને કેટલા મેડલ મળ્યા
*✔️14 (5 ગોલ્ડ, 3 સિલ્વર, 6 બ્રોન્ઝ)*
*✔️ઈરાન અને કિર્ગીસ્તાનને સૌથી વધુ 34-34 મેડલ*

હૈતીના વડાપ્રધાન જેમને હાલમાં રાજીનામું આપ્યું
*✔️જોસેફ જાઉથે*

ભારતીય વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુએ તાશ્કંદ ખાતે આયોજિત વેઇટ લીફ્ટિંગ ચેમ્પિયનશિપમાં કેટલા કિલો વજન ઊંચકી નવો નેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો
*✔️119 કિલો*

IPLમાં 6000 રન કરનારો સૌપ્રથમ ક્રિકેટર કોણ બન્યો
*✔️વિરાટ કોહલી*

નુતાલપતિ વેંકટ રમન્ના દેશના કેટલામાં ચીફ જસ્ટિસ તરીકે કાર્યભાર સંભાળ્યો
*✔️48મા*

'કાળજા કેરો કટકો' અને 'ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું' જેવી અનેક અમર રચનાઓના સર્જક જેમનું હાલમાં નિધન થયું
*✔️કવિ દાદ*
*✔️નામ :-દાદુદાન પ્રતાપદાન ગઢવી*
*✔️વતન :-વેરાવળ નજીક ઇશ્વરીયા ગામ*
*✔️2021માં ભારત સરકારે પદ્મશ્રી સન્માન જાહેર કર્યું હતું*
*✔️અગાઉ ગુજરાત ગૌરવ તથા ઝવેરચંદ મેઘાણી એવોર્ડ એનાયત કરાયા હતા*
*✔️હિરન હલકારી જોબનવાળી નદી રૂપાળી નખરાળી, જાત કમાણી કરીને ખાય એ સિંહની જાત, મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશ જેવા ગીતો આપ્યા હતા.*

93મા ઓસ્કાર એવોર્ડમાં કઈ ફિલ્મને બેસ્ટ પિક્ચરનો એવોર્ડ એનાયત થયો
*✔️નોમેડલેન્ડ*
*✔️ક્લાઈ ઝાઓ બેસ્ટ ડિરેક્ટર*
*✔️એન્થની હોપકિન્સ બેસ્ટ એક્ટર*

નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પર પહોંચાડનાર પાઇલોટ જેમનું અવસાન થયું
*✔️માઈકલ કોલિન્સ*

સંગીતકાર જોડી નદીમ-શ્રવણ પૈકીના શ્રવણ રાઠોડનું કોરોનાથી નિધન.

સંગીતકાર રાજન મિશ્રાનું કોરોનાથી નિધન, રાજન-સાજન મિશ્રાની શાસ્ત્રીય સંગીતની જોડી તૂટી.


💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-01/05/2021 થી 14/05/2021🗞️*

1 મેગુજરાત સ્થાપના દિવસ

દેશના પૂર્વ એટર્ની જનરલ જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું
*✔️સોલી સોરાબજી*
*✔️1980-90 અને 1998-2004 દરમિયાન એટર્ની જનરલ રહ્યા હતા*

1 થી 15 મેમારું ગામ કોરોનામુક્ત ગામ

બજાજ ગ્રુપના ચેરમેનપદેથી રાહુલ બજાજે રાજીનામું આપ્યું. નવા ચેરમેન કોણ બનશે
*✔️નિરજ બજાજ*

જાણીતા સિતારવાદક જેમનું હાલમાં નિધન થયું
*✔️દેવબ્રત ચૌધરી*

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના પહેલા મહિલા અધિકારી કોણ બન્યા
*✔️વૈશાલી હિવાસે*

1 મેઆંતરરાષ્ટ્રીય મજૂર દિવસ

સેલ્ફ ડ્રાઇવિંગ કારને પરવાનગી આપનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો
*✔️બ્રિટન*

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર કોણ બન્યા
*✔️ટી.રવિશંકર*

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જેમનું હાલમાં નિધન થયું
*✔️જગમોહન મલ્હોત્રા*

5 મેવર્લ્ડ અસ્થમા ડે

બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર કોરોના કાળમાં રહેવા માટે સૌથી શ્રેષ્ઠ દેશ કયો
*✔️સિંગાપુર*
*✔️ભારત 30મા ક્રમે*

ઊર્જા રૂપાંતરણમાં ભારત વિશ્વના 156 દેશોમાં કેટલામાં સ્થાને છે
*✔️140મા*

રાષ્ટ્રીય લોકદળ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું
*✔️ચૌધરી અજીતસિંહ*

સૌરાષ્ટ્ર સમાચારના સ્થાપક અને પૂર્વ નાણાંમંત્રી જેમનું હાલમાં નિધન થયું
*✔️પ્રતાપભાઈ શાહ*

પૃથ્વી પરના સૌથી જુના પ્રાણીઓના અશ્મિ ક્યાંથી મળી આવ્યા
*✔️મધ્યપ્રદેશ*

હાલમાં દિગ્ગજ સંગીત નિર્દેશક વનરાજ ભાટિયાનું નિધન થયું. તેમને કયા વર્ષમાં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો
*✔️2012*

કયા રાજયમાં દરેક પરિવારને 4 હજાર રૂપિયા કોરોના રાહત મળશે
*✔️તમિલનાડુ*

8 મેવિશ્વ રેડક્રોસ દિવસ

DRDO અને હૈદરાબાદ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મેલીક્યુલર બાયોલોજી સાથે મળીને તૈયાર કરેલી કોરોનાની દવાને શું નામ અપાયું
*✔️2-ડીઓક્સી-ડી-ગ્લુકોઝ (2ડીજી)*

1980ની ઓલિમ્પિક ગોલ્ડ મેડલ હોકી ટીમના બે ખેલાડીઓ જેમનું કોરોનાથી નિધન થયું
*✔️એમ.કે.કૌશિક અને રવિંદર પાલ સિંઘ*

નેપાળના કામી રિતા શેરપાએ વિક્રમી કેટલામી વાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું
*✔️25મી વાર*

ઓડિશાના વિખ્યાત મૂર્તિકાર અને રાજ્યસભા સાંસદ જેમનું હાલમાં નિધન થયું
*✔️રઘુનાથ મોહપાત્રા*

આસામમાં નવા મુખ્યમંત્રી કોણ બન્યા
*✔️હેમંત બીસ્વા*
*✔️સર્વાનંદ સોનોવાલનું રાજીનામુ*

WHOએ ચીનની કઈ રસીને ઇમરજન્સી યુઝ માટે મંજૂરી આપી
*✔️સીનોફાર્મ*

જોધપુરના મિયો કા બારા રેલવે સ્ટેશનનું નામ બદલીને શુ રાખવામાં આવ્યું
*✔️મહેશ નગર*

કયા રાજ્યએ હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડવા માટે સંજીવની ઓક્સિજન ટ્રક લોન્ચ કર્યો
*✔️ઝારખંડ*

પ્રતિષ્ઠિત નેશનલ એકેડેમી ઓફ સાયન્સ ઓફ અમેરિકા એવોર્ડ કોણે આપવામાં આવ્યો
*✔️શંકર ઘોષ*

તાજેતરમાં વિખ્યાત ટેનિસ પ્લેયર બાર્બરા સ્ટ્રીકોવા નિવૃત્ત થયા. તેઓ કયા દેશ તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા
*✔️ચેક રિપબ્લિક*

તમિલનાડુના મુખ્ય પ્રધાન કોણ બન્યા
*✔️એમ.કે.સ્ટાલિન*

જર્મનીએ કયા વર્ષ સુધીમાં કાર્બન ઉત્સર્જન ઝીરો ટકાએ લઈ જવાનું નિર્ધારિત કર્યું છે
*✔️2045*

8 મેવિશ્વ પ્રવાસી દિવસ

વિજ્ઞાનીઓ દ્વારા સર્વોચ્ચ કક્ષાનું યુરેનિયમ સંવર્ધિત કરવામાં આવ્યું છે તેનું નામ શું છે
*✔️યુરેનિયમ 214*

તાજેતરમાં પુટોલા નૃત્ય સમાચારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.આ મૂળે કયા રાજ્યની કઠપૂતળી કળા છે
*✔️આસામ*

જી20 મિનિસ્ટર્સની બેઠક ક્યાં યોજાઈ હતી
*✔️ઈટલી*

16 હજાર ફૂટની ઊંચાઈએ ભારતીય સેનાએ 56 KVMની ક્ષમતાવાળો પ્રથમ ગ્રીન સોલાર એનર્જી પ્લાન્ટ ક્યાં શરૂ કર્યો
*✔️સિક્કિમ*

ગુજરાત પર કયું વાવાઝોડું ત્રાટકવાની શકયતા છે
*✔️તૌકતે*

12 મેઆંતરરાષ્ટ્રીય નર્સ ડે

કોરોનામાં માતા-પિતા ગુમાવનારાં બાળકને કેટલા હજારની સહાય ચુકવાશે
*✔️4000*
*✔️બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી*

ભારતીય વિમેન્સ ટીમના હેડ કોચ તરીકે કોની વરણી કરવામાં આવી
*✔️રમેશ પોવાર*

કોરોનામાં અનાથ બનેલા બાળકોને મફત શિક્ષણ અને 5000 પેન્શન કયું રાજ્ય આપશે
*✔️મધ્યપ્રદેશ*

તમિલનાડુ સરકારે નવ મંત્રાલયોના નામ બદલી કાઢ્યા.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-15/05/2021 થી 20/05/2021🗞️*

15 મેઆંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ

કે.પી.શર્મા ઓલીએ નેપાળના વડાપ્રધાન પદના કેટલામી વાર શપથ લીધા
*✔️ત્રીજીવાર*

ભારતીય નૌસેનાએ કયા દેશ સાથે અરબ સાગર પાસેજ એક્સરસાઇઝ યોજી હતી
*✔️ઇન્ડોનેશિયા*

કેરળના સૌથી વૃદ્ધ એમએલએ જેમનું હાલમાં 102 વર્ષની ઉંમરે નિધન થયું
*✔️કે.આર.ગૌરી અમ્મા*

એટલાન્ટિકને પાર કરનારું દુનિયાનું સૌથી પહેલું માનવરહિત જહાજ કયું બન્યું
*✔️મેફ્લાવર 400*

શકુંતલા ખાદ્ય પુરસ્કાર 2021ના વિજેતા કોણ બન્યા
*✔️શકુંતલા થિલ્સટેડ*

અમેરિકાએ કઈ મિસાઈલ સંરક્ષણ સોદાને મંજૂરી આપી
*✔️એજીસ*

સીબીએસસીએ કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી
*✔️દોસ્ત ફોર લાઈફ*

11 મેરાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસ

કયા રાજ્યની સરકારે મ્યુકરમાઈકોસિસ દર્દીઓને નિઃશુલ્ક ઈલાજ કરવાની ઘોષણા કરી છે
*✔️મહારાષ્ટ્ર*

હાલમાં ઘરે ઘરે નળ કનેક્શન ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો
*✔️પુડુચેરી*

ઓનલાઈન પૂર રિપોર્ટિંગ અને માહિતી મેનેજમેન્ટ પ્રણાલી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી
*✔️મહારાષ્ટ્ર*

ટ્વિટરે ભારતમાં કોવિડ-19 સંકટ નાથવા માટે કેટલા મિલિયન ડોલરનું દાન કર્યું
*✔️15 મિલિયન ડોલર*

રેડિયમ જૂથના સંશોધન પ્રમાણે દુનિયામાં સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરતો દેશ કયો છે
*✔️ચીન*

MMA વિશ્વ ટાઈટલ હાંસલ કરનાર પ્રથમ મૂળ ભારતીય કોણ બન્યા
*✔️અર્જનસિંહ ભુલ્લર*

અમેરિકી રાષ્ટ્રપતિના વરિષ્ઠ સલાહકાર કોણ નિમાયા
*✔️ભારતીય મૂળના નિરા ટંડન*

તાજેતરમાં આવેલ તૌકતે વાવાઝોડાનું નામ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે
*✔️મ્યાંમાર*
*✔️તૌકતેનો અર્થ મોટો અવાજ ધરાવતી ગરોળી*
*✔️વાવાઝોડાનું નામ આપવાની શરૂઆત 2004થી થઈ હતી.*

મંગળ ગ્રહ પર રોવરનું ઉતરાણ કરનાર અમેરિકા પછી બીજો દેશ કયો બન્યો
*✔️ચીન*
*✔️રોવરનું નામ 'ઝુરોંગ' , ટીએનવન-1 મંગળની સપાટી પર પહોંચ્યું*

મિસ યુનિવર્સ 2020 કોણ બની
*✔️મેક્સિકોની એન્ડ્રિયા મેઝા*

પદ્મશ્રીથી સન્માનિત હદયરોગના નિષ્ણાત ડૉક્ટર જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું
*✔️ડૉ.કે.કે.અગ્રવાલ*

દિલ્હીમાં કોરોનાથી મૃત્યુમાં કેજરીવાલ સરકારે કેટલું પેન્શન આપવાની ઘોષણા કરી
*✔️2500*
*✔️50 હજાર વળતર*

તાજેતરમાં અભિનેતા મદમપુ કુંજકુટ્ટનનું નિધન થયું.

પોલ્સ પિકરીંગે એલીફન્ટ નામે પુસ્તક પ્રકાશિત કર્યું.

શકુર રાથેરે લાઈફ ઇન ધ ક્લોક ટાવર વેલી પુસ્તક લોન્ચ કર્યું.

જમ્મુ કાશ્મીર સરકારે MBBSના વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ આપવાની યોજના શરૂ કરી છે.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-21/05/2021 થી 25/05/2021🗞️*

પિનરાઈ વિજયને કેરળના મુખ્યમંત્રી તરીકે કેટલામી વાર શપથ લીધા
*✔️બીજી વાર*

રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના અને ગોધન ન્યાય યોજના કયા રાજયમાં ચાલી રહી છે
*✔️છત્તીસગઢ*

રાજસ્થાનના પ્રથમ દલિત મુખ્યમંત્રી જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું
*✔️જગન્નાથ પહાડીયા*

ચીપકો આંદોલનના પ્રણેતા જેમનું હાલમાં નિધન થયું
*✔️સુંદરલાલ બહુગુણા*

WHOના બાળકોમાં સ્થૂળતા અંગેની 24 સભ્યોની કમિટીમાં એકમાત્ર ન્યુટ્રીશનિસ્ટ તરીકે કોની પસંદગી કરવામાં આવી
*✔️એમ.એસ.યુનિ.ના ડૉ.વનિષા નમ્બિયાર*

ઈસરોના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) દ્વારા વિકસાવેલી મેડિકલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું નામ શું છે
*✔️શ્વાસ*

2023 વિમેન્સ ફિફા વર્લ્ડકપની યજમાની કયો દેશ કરશે
*✔️ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સંયુક્ત રીતે*
*✔️32 ટીમો ભાગ લેશે*

બોક્સિંગમાં ભારતના પ્રથમ દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા જેમનું હાલમાં નિધન થયું
*✔️ઓપી ભારદ્વાજ*
*✔️1985માં દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો હતો*

આરોગ્ય સર્વે મુજબ ગુજરાતમાં મહિલા અને પુરૂષોનું સરેરાશ આયુષ્ય કેટલું છે
*✔️મહિલાઓનું 73.3 અને પુરૂષોનું 70.7 વર્ષ*

'મેને પ્યાર કિયા' ફેમ સંગીતકાર રામલક્ષ્મણની જોડીના લક્ષ્મણ ગણાતા કોનું અવસાન થયું
*✔️વિજય પાટીલ*
*✔️200 થી વધારે ફિલ્મોમાં સંગીત આપ્યું છે.*

23 મે વિશ્વ કાચબા દિવસ

તાજેતરમાં 'યાસ' કયા રાજ્યોમાં ત્રાટક્યું
*✔️પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધપ્રદેશ*

23 મે આંતરરાષ્ટ્રીય તિબેટ મુક્તિ દિવસ

અમેરિકાના મહાન દોડવીર જેમનું તાજેતરમાં અવસાન થયું
*✔️લી ઈવાન્સ*

FIHના અધ્યક્ષ તરીકે કોણે પસંદ કરવામાં આવ્યા
*✔️નરિન્દર બત્રા*

MSN લેબે બ્લેક ફંગસની દવા બનાવી છે તેનું નામ શું છે
*✔️પોસ્કોન જોલ*

જો બાઈડેને ઉત્તર કોરિયાના વિશેષ રાજદૂત તરીકે કોણે નિયુક્ત કર્યા
*✔️સુંગ કિમ*

કોંગો રાજ્યના પ્રધાનમંત્રી તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*✔️કોલીનેટ માકોસો*

મહિલા રગ્બી વિશ્વકપ કયા દેશમાં યોજવામાં આવશે
*✔️ન્યૂઝીલેન્ડ*

સ્પુતનિક-Vનું ભારતમાં ઉત્પાદન કઈ કંપની કરશે
*✔️રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) અને પૈનેસિયા બાયોટેક*

જેફ બેઝોસને પછાડી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા
*✔️લૂઈ વિટનના માલિક બર્નાર્ડ આર્નોલ્ટ*

25 મે આંતરરાષ્ટ્રીય ગુમશુદા બાલ દિવસ

RBIએ મહારાષ્ટ્રમાં આવેલી PMN સહકારી બેંકને 1 લાખનો દંડ ફટકાર્યો.

https://t.me/jnrlgk

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-26-05-2021 થી 31-05-2021🗞️*

CBIના ડાયરેક્ટરપદે કોની નિમણૂક કરવામાં આવી
*✔️સુબોધકુમાર જયસ્વાલ*
*✔️માલેગાંવ વિસ્ફોટ કેસની તપાસ કરી હતી*

રાજ્ય ચૂંટણી આયોગના સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️બી.સી.બ્રહ્મભટ્ટ*

જી-7ની 47મી શિખર બેઠક ક્યાં યોજાશે
*✔️બ્રિટનના કાર્બિસ બૅ વિલેજમાં*

કચ્છના 19માં અને અંતિમ રાજવી જેમનું હાલમાં નિધન થયું
*✔️મહારાઓ પ્રાગમલજી ત્રીજા*

કેન્દ્ર સરકારે કોરોના મહામારીને ધ્યાને લઈને દરેક ટ્રાન્સજેન્ડરને કેટલા રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે
*✔️૱15,000*

મેઘાલયના ટોચના ખાસી ગીતકાર જેમનું હાલમાં નિધન થયું
*✔️રાણા ખરકોંગોર*

ભારતે કયા દેશ સાથે કૃષિ ક્ષેત્રે સહયોગ માટે ત્રણ વર્ષના કરાર કર્યા
*✔️ઈઝરાયેલ*

જૈવ વિવિધતા પુરસ્કાર 2021ના વિજેતા કોણ બન્યા
*✔️શાજી એન.એમ.*

શિવશંકર મેનને તાજેતરમાં એક પુસ્તક પ્રકાશિત કર્યું છે જેનું શીર્ષક શું છે
*✔️ઇન્ડિયા એન્ડ એશિયન જિયોપોલિટિક્સ : ધ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ*

આંતરરાષ્ટ્રીય ડબલિસ સાહિત્ય પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️વેલેરિયા લુસેલી*

વૈશ્વિક સ્વાસ્થ્ય શિખર સંમેલન - 2021ની યજમાની કયો દેશ કરી રહ્યું છે
*✔️ઈટલી*

મોનેકો ગ્રાં પ્રી 2021ના વિજેતા કોણ બન્યા
*✔️બેલ્જિયમના મેક્સ વર્સ્ટપ્પન*

વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશનના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયા
*✔️હેમત વિશ્વ શર્મા*

ઉત્તરાખંડ સરકારે અનાથ બાળકો માટે કઈ યોજના શરૂ કરી
*✔️વાત્સલ્ય યોજના*

નહેરુ, તિબેટ એન્ડ ચાઈના નામથી પુસ્તક કોણે લખ્યું છે
*✔️અવતારસિંઘ ભસીન*

સૌથી મોટી ઉંમરમાં એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ કોને બનાવ્યો
*✔️75 વર્ષના અમેરિકન આર્થર મુઈરો*
*✔️45 વર્ષીય હોંગકોંગની મહિલા શિક્ષક ત્સાંગ યિન હંગ સૌથી ઓછા સમયમાં એવરેસ્ટ સર કરનાર મહિલા બન્યા*

31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ

તાજેતરમાં વિજ્ઞાની યુઆન લોન્ગપિંગનું નિધન થયું.

કોરોનાના કારણે માતા પિતા ગુમાવી ચૂકેલા બાળકોને 10 લાખની મદદ
ગુજરાત સરકાર સગીરને દર મહિને 4000 અને પુખ્ત વયના બાળકને ૱6000 આપશે.
23 વર્ષ પછી 10 લાખ મળશે.
18 વર્ષની ઉંમર સુધી દર મહિને ભથ્થું આપશે.

https://t.me/jnrlgk


💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-01-02/06/2021🗞️*

અમદાવાદ શહેર પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️અમિત પોપટલાલ શાહ*

ચીન સરકારે ઐતિહાસિક બે બાળકોની નીતિમાં પરિવર્તન કરી દંપતીઓને કેટલા બાળકો પેદા કરવાની મંજૂરી આપી દીધી છે
*✔️3*
*✔️1979માં વન ચાઈલ્ડ, 2016માં ટુ ચાઈલ્ડ અને હવે થ્રી ચાઈલ્ડ પોલિસી*

30 મેગોવા સ્થાપના દિવસ

બેલગ્રેડ ઓપન 2021(ટેનિસ) ટાઈટલના વિજેતા કોણ બન્યું
*✔️નોવાક જોકોવિચ*

સેમ ખેદિરાએ ફૂટબોલમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. તેઓ કયા દેશના છે
*✔️જર્મની*

મહાત્મા બુદ્ધની સૌથી મોટી સૂતી પ્રતિમા ક્યાં સ્થાપિત કરવામાં આવશે
*✔️બોધગયા*

મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની ઘોષણા કયા રાજ્યએ કરી છે
*✔️ઉત્તર પ્રદેશ*
*✔️શિક્ષણ મંત્રાલયે યુવા લેખકોને સલાહ આપવા માટે યુવા પહલની શરૂઆત કરી છે*

હોલીવુડ સ્ટુડિયો એમજીએમને 8.54 અબજ ડોલરમાં કોણ ખરીદશે
*✔️એમેઝોન*

શિશુ સેવા યોજના કયા રાજ્યએ શરૂ કરી છે
*✔️આસામ*

UAE સરકારે કયા ભારતીય અભિનેતાને ગોલ્ડન વિઝા આપ્યો છે
*✔️સંજય દત્ત*
*✔️આ વિઝા મવળવનારો તે પહેલો ફિલ્મસ્ટાર છે*

તાજેતરમાં કર્નલ પંજાબસિહનું અવસાન થયું હતું. તેમને કઈ લડતમાં વીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું
*✔️પૂંચની લડાઈ*

2 જૂન વિશ્વ દૂધ દિવસ

એન્ટાર્કટિકામાં દુનિયાનો સૌથી મોટો હિમખંડ તૂટ્યો છે.જેમાં હિમશીલાની લંબાઈ કેટલી છે
*✔️લંબાઈ 170 કિલોમીટર*
*✔️પહોળાઈ 25 કિલોમીટર*

અક્ષય ઊર્જા સ્ત્રોત અનુસંધાને આંતરરાષ્ટ્રીય એની એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી છે
*✔️ભારતરત્ન પ્રોફેસર સીએનઆર રાવની*

https://t.me/jnrlgk

💥રણધીર💥
⭕️1 જૂન વિશ્વ દૂધ દિવસ👆
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-03/06/2021 થી 11/06/2021🗞️*

રાષ્ટ્રીય માનવાધિકાર પંચના ચેરમેનનો હોદ્દો કોણે સંભાળ્યો
*✔️સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ અરૂણ મિશ્રા*

5 જૂનવિશ્વ પર્યાવરણ દિવસ

મોરેશિયસના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ એમ બંને પદ પર રહેલા ભારતીય મૂળના વ્યક્તિ જેમનું હાલમાં અવસાન થયું
*✔️અનિરુદ્ધ જગન્નાથ*

એનવાયરમેન્ટ રિસ્ક આઉટલુક-2021ના અહેવાલ મુજબ વિશ્વમાં પર્યાવરણની દ્રષ્ટિએ સૌથી જોખમી 100 શહેરોમાં ભારતના કેટલા શહેરોનો સમાવેશ થાય છે
*✔️43*

સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાને પર્ફોમન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સમાં ગુજરાતને કયો ગ્રેડ મળ્યો છે
*✔️A+ ગ્રેડ*

સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ (ટકાઉ વિકાસ ઉદ્દેશ્યો)2021 માં ભારત કેટલામાં ક્રમે છે
*✔️117મા*
*✔️વાતાવરણીય પ્રદર્શન ઇન્ડેક્સની રીતે ભારત 180 દેશોમાંથી 168મા ક્રમે*

દેશનો પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન પ્લાન્ટ ક્યાં સ્થપાશે
*✔️વડોદરા*

નાસાએ શુક્રના અભ્યાસ માટે બે મિશનની ઘોષણા કરી છે. આ મિશનના નામ શું છે
*✔️દાવિન્ચી પ્લસ અને વેરિટ્સ*

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ગુજરાતની કઈ નદી પરિયોજનાને મંજૂરી આપી છે
*✔️વિશ્વામિત્રી નદી*

આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રતિષ્ઠિત બુકર પુરસ્કાર કોણે મળ્યો
*✔️ડેવિડ ડિયોપને ફિક્શન માટે*

ખનિજ સંશોધન ક્ષેત્રે સહયોગ માટે ભારત સરકારે કયા દેશ સાથે સમજૂતી કરી
*✔️આર્જેન્ટિના*

એશિયાનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ મેમરી સ્ટડીઝ વર્કશોપ ક્યાં યોજાશે
*✔️IIT મદ્રાસ*

રાષ્ટ્રીય સ્તરે લઘુતમ વેતન નક્કી કરવા માટે કોના નેતૃત્વમાં એક્સપર્ટ કમિટી નીમવામાં આવી છે
*✔️અજિત મિશ્રા*

ઈઝરાયલના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા
*✔️ઈસાક હરજોગ*

1 જૂનવિશ્વ દૂધ દિવસ

યુનાઈટેડ સ્ટેટ્સની સેનાના સૌપ્રથમ મહિલા સચિવ કોણ બન્યા
*✔️ક્રિસ્ટિન વર્મુર્થુ*

રવિ શાસ્ત્રીએ તાજેતરમાં એક પુસ્તક લખ્યું છે. તેનું શીર્ષક શું છે
*✔️સ્ટાર ગેઝિંગ : ધ પ્લેયર્સ ઇન માય લાઈફ*

સાહિત્યિક પુરસ્કાર જીતનાર પ્રથમ ગેરમલયાલી કવિ કોણ બન્યા
*✔️વૈરામુત્તુ ઓએન*

કયા રાજ્યની સરકારે સૌર ઊર્જા આધારિત ઇલેક્ટ્રિફિકેશન કાર્યક્રમ શરૂ કર્યો
*✔️ગોવા*

તાજેતરમાં વિક્રમ સંપથે એક પુસ્તક લખ્યું છે તેનું શીર્ષક શું છે
*✔️સાવરકર : એ કોન્ટેસ્ટ લેગસી (1924-1966)*

ડેન્માર્કના ભૂતપૂર્વ વડાપ્રધાન જેમનું હાલમાં નિધન થયું
*✔️પોલ સ્લુટર*

નાસા કયા વર્ષમાં ચંદ્ર પર પ્રથમ મોબાઈલ રોબોટ મોકલશે
*✔️2023*

ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના 140 દેશના રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા જેમાં વિશ્વમાં રહેવા માટે સૌથી શ્રેષ્ઠ શહેર કયું છે
*✔️ન્યૂઝીલેન્ડનું ઓકલેન્ડ*

10 હજાર મીટરની રેસ સૌથી ઓછા સમયમાં પુરી કરી વર્લ્ડ રેકોર્ડ કોણે નોંધાવ્યો
*✔️ઇથોપિયાની લેટેસેન બેટ ગિડી*
*✔️29 મિનિટ 1.03 સેંકડમાં પુરી કરી*

બીટકોઈનને કાયદેસર ચલણ તરીકે માન્યતા આપનાર પ્રથમ દેશ કયો બન્યો
*✔️અલ સાલ્વાડોર*

8 જૂન વિશ્વ મહાસાગર દિવસ

શિક્ષણમાં પર્ફોમન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સમાં દેશમાં ટોચની સ્થાન કયા રાજ્યએ પ્રાપ્ત કર્યું
*✔️પંજાબ*

76મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️અબ્દુલ્લા શાહિદ*

ધ ટાઈમ્સ દ્વારા 2020ના 50 મોસ્ટ ડિઝાયરેબલ મેનની યાદી જાહેર કરવામાં આવી છે તેમ ટોચના સ્થાને કોણ છે
*✔️સુશાંતસિંહ રાજપૂત*

ડેન્માર્કે 35,000 લોકોના વસવાટ માટે કૃત્રિમ ટાપુ બનાવવાની ઘોષણા કરી છે એ ટાપુનું નામ શું છે
*✔️લિટેનહોમ*

આસામનું છઠ્ઠું રાષ્ટ્રીય ઉદ્યાન કયું ઘોષિત કરવામાં આવ્યું
*✔️રાયમોના*

શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો
*✔️અરૂણાચલ પ્રદેશની વોટર બ્યુરિયલ*

11 દેશો યજમાની કરશે તે ફૂટબોલ ટુર્નામેન્ટ યુરો કપમાં કેટલી ટીમો ભાગ લેશે
*✔️24*

વિશ્વની સર્વોત્તમ 1300 યુનિવર્સિટીઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં વિશ્વની સર્વોત્તમ 200 યુનિવર્સિટીઓમાં ભારતની કેટલી સંસ્થાઓ છે
*✔️3*
*✔️પ્રથમ ક્રમે અમેરિકાની મેસેચ્યુસેટ્ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી*

ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને હોમ લર્નિંગ માટે કઈ એપ શરૂ કરાઇ
*✔️G-shala*

અમૂલના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.આર.એસ.સોઢીને જાપાનનો પ્રતિષ્ઠિત કયો એવોર્ડ મળ્યો
*✔️એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઈઝેશન (APO) રિજનલ એવોર્ડ*

તાજેતરમાં કવિ કાલી પટનમ રામારાવનું નિધન થયું.

બાંગ્લાદેશની સરકાર ટ્રાન્સજેન્ડર્સને કામ આપનારી કંપનીઓને પ્રોત્સાહન આપશે.

નાટો દ્વારા સ્ટડી ફાસ્ટ ડિફેન્ડર 21 વૉર ગેમ્સ સૈન્ય અભ્યાસ યોજવામાં આવ્યો હતો.

પેટીએમે 3 અબજ ડોલરનો IPO લાવવાની યોજના બનાવી છે, જે વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે.

મહારાષ્ટ્ર રાજ્ય સરકાર 'કોરોનામુક્ત ગ્રામ પ્રતિયોગિતા' ચલાવે છે.

ભારત-બાંગ્લાદેશ સીમાએ સુંદરવનના મેન્ગ્રોવ જંગલોમાં 70 વાઘોનો હત્યારો તાલુકદાર ઝડપાયો.


💥રણધીર💥
🙋‍♂ મનુ ભાકર કઈ ગેમ સાથે સંકળાયેલા છે:શૂટિંગ
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-12/06/2021 થી 14/06/2021🗞️*

કોરોનાકાળ દરમિયાન માતા પિતા બંનેનું મૃત્યુ થવાથી નિરાધાર બનેલા બાળકોને સહાય આપવા માટે રાજ્ય સરકારે કરેલી યોજનાનું નામ શું છે
*✔️મુખ્યમંત્રી બાળ સહાય યોજના*
*✔️18 વર્ષ સુધીના બાળકને દર મહિને 4 હજાર રૂપિયા મળશે*
*✔️બાળકો ભણે ત્યાં સુધી લાભ*
*✔️બાળકનું કુંટુંબ ગુજરાતનું મૂળ વતની હોય કે 10 વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતું હોય તેવા બાળકોને લાભ મળશે*

બિહાર રાજ્યમાં DSP બનનારી પ્રથમ મુસ્લિમ મહિલા કોણ બની
*✔️રઝિયા સુલ્તાના*

કોપા અમેરિકા ફૂટબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ ક્યાં થયો
*✔️બ્રાઝીલ*

30 મેગોવા સ્થાપના દિવસ

બેલગ્રેડ ઓપન 2021(ટેનિસ)ના વિજેતા કોણ બન્યા
*✔️નોવાક જોકોવિચ*

એનિમિયા ફ્રી ઇન્ડિયા ઇન્ડેક્સ 2020-21માં કયા રાજ્યએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું
*✔️મધ્યપ્રદેશ*

ભારત પાસે પરમાણુ હુમલો કરી શકે તેવી એકમાત્ર સબમરીન છે જે રશિયાનો પરત કરી રહ્યા છીએ આ સબમરીનનું નામ શું છે
*✔️INS ચક્ર*

વિજય ગોખલેએ તાજેતરમાં એક પુસ્તક લખ્યું છે, જેનું શીર્ષક શું છે
*✔️તિયાનનમેન સ્કવેર : મેકિંગ ઓફ એ પ્રોટેસ્ટ*

પોરબંદર કોસ્ટગાર્ડમાં સ્વદેશી બનાવટની કઈ શિપ કાર્યરત કરવામાં આવી
*✔️સજગ*

દેશનું સૌપ્રથમ એવિએશન પાર્ક ક્યાં બનશે
*✔️રાજકોટ*

ભારતીય મૂળના અમેરિકન પત્રકાર જેમને હાલમાં પુલિત્ઝર એવોર્ડ મળ્યો
*✔️મેઘા ગોપાલન*
*✔️બઝન્યૂઝમાં પત્રકાર તરીકે કાર્યભાર સંભાળે છે*
*✔️ચીનમાં ઉઈઘુર ડિટેન્શન કેમ્પની પોલ ખોલવા બદલ*
*✔️નીલ બેદીને પણ સ્થાનિક કેટેગરીનો પુલિત્ઝર એવોર્ડ મળ્યો*

ચીનની બેલ્ટ એન રોડ સામે જી7 રાષ્ટ્રોએ કઈ યોજના બનાવી છે
*✔️બિલ્ડ બેક બેટર વર્લ્ડ (બી3ડબલ્યુ)*

ફ્રેન્ચ ઓપન (ટેનિસ) 2021 વિજેતા કોણ બન્યા
*✔️સર્બિયાનો યોકોવિચ*
*✔️ગ્રીસના સિત્સિપાલને હરાવ્યો*

પાટણના કયા તાલુકામાં 100 કરોડના ખર્ચે ડાયનાસોર પાર્ક બનશે
*✔️સરસ્વતી તાલુકામાં*

https://t.me/jnrlgk


💥રણધીર💥
🙋‍♂ઊંચી મેડી તે મારા સંતની રે....પ્રસિદ્ધ પદરચનાના કવિ: નરસિંહ મહેતા
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-15/06/2021 થી 18/06/2021🗞️*

༻ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે RSSના પ્રચારક દિલીપ દેશમુખના પુસ્તકનું વિમોચન કર્યું.આ પુસ્તકનું નામ શું છે
*✔️મારી લીવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા - થર્ડ ઇનિંગ*

༻ઈઝરાયલમાં નવા વડાપ્રધાન કોણ બન્યા
*✔️નેફટાલી બેનેટ*

༻ બ્રિટિશ સરકારે સ્કૂલમાં ફ્રી પિરિયડ પ્રોડક્ટના પ્રચાર માટે પ્રતિષ્ઠિત મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધી બ્રિટિશ અમ્પાયર (MBE) એવોર્ડ કોણે આપ્યો
*✔️ભારતીય મૂળની અમિકા જ્યોર્જ*

༻100 મીટર બેકસ્ટ્રોકનો નવો વર્લ્ડ રેકોર્ડ કોણે સ્થાપિત કર્યો
*✔️ઓસ્ટ્રેલિયાની કાયલી મેકયોને*

༻13 જૂનઆંતરરાષ્ટ્રીય આલ્બેનિઝમ જાગૃકતા દિવસ

༻તાજેતરમાં કેરળમાંથી કૉફીની નવી પ્રજાતિ મળી આવી છે તેનું વૈજ્ઞાનિક નામ શું છે
*✔️એર્ગોસ્ટેના ક્વોરેન્ટના*

༻ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલ ટેનિસના આ વર્ષના વિજેતા કોણ બન્યું
*✔️બારબોર ક્રેઝીકોવા*

༻ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરનારી આસામની પ્રથમ મહિલા કોણ બની
*✔️લવલિના બોર્ગોહિન*

༻આઠમું આંતરરાષ્ટ્રીય નાઇટ્રોજન પહેલ સંમેલન કયા દેશમાં આયોજિત કરવામાં આવ્યું હતું
*✔️જર્મનીમાં*

༻માલી દેશના નવા વડાપ્રધાન કોણ બન્યા
*ચોગુએલ કોકલા માઈગા*

༻ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલના અંદાજ પ્રમાણે 2021-25 દરમિયાન પવન ઊર્જા થકી કેટલી વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા હાંસલ કરશે
*✔️20 ગીગા વોટ*

༻રશિયા વિશ્વની સૌપ્રથમ ફુલ્લી સ્ટીલ્થ વોરશિપ બનાવી રહી છે. સ્ટીલ્થ એટલે શું
*✔️રડારમાં ન દેખાય એવી*

༻કયા રાજ્યની સરકારે પ્રાણવાયુ દેવતા પેન્શન યોજના શરૂ કરી છે
*✔️હરિયાણા*

༻વર્ષ 2021ના પેન પિન્ટર પુરસ્કારના વિજેતા કોણ બન્યા
*✔️સિત્સિ ડાન્ગરેમ્બગા*

༻ઇન્ટરનેશનલ સ્વિમિંગ ફેડરેશનના અધ્યક્ષ કોણ બન્યા
*✔️હુસૈન અલ-મુસાલ્લમ*

༻ફોર્બ્સ દ્વારા દુનિયાની સર્વશ્રેષ્ઠ બેંકનો ખિતાબ કઈ બેંકને આપવામાં આવ્યો
*✔️DBS બેંક*

༻ગુજરાતમાં 15 જૂનથી લવ જેહાદ કાયદો લાગુ કરવામાં આવ્યો. આ કાયદો લાવનાર ગુજરાત કેટલામું રાજ્ય બન્યું
*✔️પાંચમું*

༻કોટેશ્વરમાં ગંગા આરતીની જેમ કઈ નદીની આરતી થશે
*✔️સરસ્વતી*

༻વિશ્વનો પહેલો માસ્ક ફ્રી દેશ કયો બન્યો
*✔️ઈઝરાયલ*

༻વિશ્વનો સૌથી પહેલા લાકડાના સેટેલાઇટને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) દ્વારા કયા દેશમાંથી લોન્ચ કરવામાં આવશે
*✔️ન્યુઝીલેન્ડ*

༻સંયુક્ત રાષ્ટ્ર (UN)ની બ્યુરોક્રેસીનું નેતૃત્વ કોણ સંભાળશે
*✔️ભારતીય વિદેશ અધિકારી કે.નાગરાજ*

༻વર્ષ 2021ના પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️ફ્રાન્સના ખૂબ જ જાણીતા નવલકથાકાર અને લેખક ડેવિડ ડીઓપને*
*✔️નવલકથા 'એટ નાઈટ ઓલ બ્લડ ઇઝ બ્લેક' માટે*

༻15 જૂનવિશ્વ બુઝુર્ગ દુર્વ્યવહાર જાગરૂકતા દિવસ

༻સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે કયા દેશની બિનકાયમી સભ્ય તરીકે ચૂંટણી કરી
*✔️બ્રાઝીલ*

༻કયા રાજ્યની સરકારે વૈદિક શિક્ષણ સંસ્કાર બોર્ડની રચના કરવાની ઘોષણા કરી છે
*✔️રાજસ્થાન*

༻તાજેતરમાં ક્રિકેટર સુરેશ રૈનાની આત્મકથા પ્રગટ થઈ છે. તેનું શીર્ષક શું છે
*✔️બિલિવ*

༻કયા રાજ્યની સરકારે ટ્રાન્સજેન્ડરોને પોલીસમાં ભરતીની પરવાનગી આપી છે
*✔️ઓડિશા*

༻કયા રાજ્યની સરકારે ભારત રત્ન અને પદ્મ પુરસ્કારની રાજયકક્ષાની આવૃત્તિ શરૂ કરવાની ઘોષણા કરી છે
*✔️આસામ*

༻હાલમાં કયા દેશમાં મહાત્મા ગાંધી પુસ્તકાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
*✔️કેન્યા*

༻તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા વર્લ્ડ ગિવીંગ ઇન્ડેક્સમાં કયા દેશે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે
*✔️ઇન્ડોનેશિયા*

༻તાજેતરમાં દોડવીર મિલ્ખાસિંઘના પત્ની નિર્મલ મિલ્ખા સિંઘનું અવસાન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા
*✔️વોલીબોલ*

༻ભારતે કયા દેશને જર્દાલુ આમની પ્રથમ ખેપ મોકલી છે
*✔️બ્રિટન*

༻ગેલફ્રેન્ડ ચેલેન્જ ચેસના વિજેતા કોણ બન્યા
*✔️ડી ગુકેશ*

༻તાજેતરમાં ખુલ્લામાં મળત્યાગથી મુક્ત કયો પ્રદેશ ઘોષિત કરવામાં આવ્યો
*✔️લદાખ*

༻ગુજરાતમાં સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર (સૌથી લાંબો ઓવરબ્રિજ) કયા શહેરમાં તૈયાર કરવામાં આવ્યો
*✔️બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં*
*✔️લંબાઈ 3.750 કિલોમીટર*

༻17 જૂનવિશ્વ મગર દિવસ

༻હાલમાં પેરા શૂટર રૂબીના ફ્રાન્સિસે ગોલ્ડ મેડલ જીત્યો.તે કયા રાજ્યની છે
*✔️મધ્યપ્રદેશ*

༻ધ ગ્રેટ ખલીનું મૂળ નામ શું છે
*✔️દિલીપસિંહ રાણા*

༻ફેસબુકે ગેમિંગ સ્ટુડિયો VR ખરીદી લીધો.

༻તાજેતરમાં ખ્યાત કવિ સિદ્ધલિંગૈયાનું નિધન થયું.

༻ગૂગલ દુનિયાના સૌથી લાંબા અંડર-સી કેબલનું નિર્માણ કરી રહી છે.

༻તાજેતરમાં ઓલિમ્પિયન સૂરતસિંહ માથુરનું નિધન થયું.

༻તાજેતરમાં અભિનેતા સંચારી વિજયનું નિધન થયું.

https://t.me/jnrlgk

༺༻༺༻༺༻༺༻༺༻
💥રણધીર💥