સામાન્ય જ્ઞાન
1.48K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
પોતાના સૌથી ભારે અને સૌથી અદ્યતન કયા સંદેશા વ્યવહાર ઉપગ્રહનું લોન્ચિંગ કર્યું
*શિજિયન-20*
*આ રોકેટ પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં 25 ટન પેલોડ વહન કરવામાં સક્ષમ છે*

●સરકારે તાજેતરમાં જારી કરેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ 2019-20ના પહેલા ભાગમાં કયો દેશ ભારતમાં સીધા વિદેશી રોકાણનો સૌથી મોટો સ્ત્રોત છે
*8 અરબ ડોલરના રોકાણ સાથે સિંગાપોર*
*6.36 અરબના રોકાણ સાથે મોરેશિયસ બીજા સ્થાને*

●ભારતીય અવકાશ સંશોધન સંગઠને તાજેતરમાં જ દેશના ત્રીજા ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3'ની પુષ્ટિ કરી છે. સરકારે 'ચંદ્રયાન-3'ને મંજૂરી આપી છે.

●ઈસરોના અધ્યક્ષે તાજેતરમાં જાહેરાત કરી હતી કે ભારત 17 જાન્યુઆરી, 2020ના રોજ ભારે સેટેલાઇટ જીસેટ-30 લોન્ચ કરશે.આ સેટેલાઈટ ભારત દ્વારા 2020માં લોન્ચ કરવામાં આવનાર પ્રથમ ઉપગ્રહ હશે.આ સેટેલાઈટ એરીએન 5 ઇસીએ પ્રક્ષેપણ વાહનની મદદથી ફ્રેન્ચ ગુઆનાથી લોન્ચ કરવામાં આવશે. તે એક કમ્યુનિકેશન સેટેલાઈટ છે.

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[12/01, 9:46 am] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*~🗞Date:-09-10/01/2020🗞👇🏻~*

*📝9 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*પાર્શ્વ ગાયક મહેન્દ્ર કપૂર*
*જન્મ:-* 9 જાન્યુઆરી, 1934 પંજાબના અમૃતસરમાં
*નિધન:-* 2008, મુંબઈમાં
1958માં નવરંગ ફિલ્મના 'આધા હૈ ચંદ્રમાં રાત આધી' ગીતથી તેમની ફિલ્મી ગાયક કારકિર્દી આરંભાઈ.
ગીતકાર તરીકેની કારકિર્દીમાં મહેન્દ્ર કપૂરે હિન્દી, ગુજરાતી, પંજાબી, મરાઠી અને ભોજપુરી જેવી ભાષાઓના અઢી હજારથી વધુ ગીતો ગાયા હતા.
ચલો એક બાર ફિરસે અજનબી બન જાયે હમ દોનો, નીલે ગગન કે તલે, મેરે દેશ કી ધરતી જેવા ગીતો ઘણા લોકપ્રિય થયા હતા.

આજે અમેરિકી પ્રમુખ રિચર્ડ નિક્સન, પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા, વૈજ્ઞાનિક ડોક્ટર હરગોવિંદ ખુરાનાનો પણ જન્મદિવસ છે.


*📝10 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ઇતિહાસકાર : લોર્ડ એક્ટન*
*પૂરું નામ:-* એડવર્ડ દલબર્ગ એક્ટન
*જન્મ:-* 10 જાન્યુઆરી, 1834, જર્મનીના નેપલ્સમાં
*નિધન:-* 19 જૂન,1902
યુરોપના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર હતા.
તેમણે 'દિ રેમ્બલર' અને દિહોમ એન્ડ ફોરેઇન રિવ્યુ' જેવા સામયિકોમાં અનેક લેખો અને નિબંધો લખ્યા છે.
'મુક્તિનો ઈતિહાસ' પુસ્તક લખવાનું શરૂ કર્યું હતું પરંતુ પૂરું કરી શક્યા નહી.
તેઓ 1859 થી 1865 સુધી બ્રિટિશ સંસદના સભ્ય રહ્યા હતા.


●કેન્દ્ર સરકારના સેન્ટ્રલ બોર્ડ ઈરીગેશન એન્ડ પાવર દ્વારા કઈ સિંચાઈ યોજનાને બેસ્ટ ઇમ્પીલીમેન્ટેશન ઓફ વોટર રિસોર્સિસ પ્રોજેકટ CBIP-2020નું સન્માન મળ્યું
*કડાણા-દાહોદ ઉદવહન સિંચાઈ યોજના*

●ઈરાનમાં યુક્રેનનું કયું વિમાન ક્રેશ થતા તમામ પ્રવાસીઓ (176 પ્રવાસીઓ)ના મોત થયા
*બોઈંગ 737*

●ઈરાને ઈરાકમાં આવેલા અમેરિકી સૈન્યના મથકો પર કઈ મિસાઈલો છોડી હોવાનો દાવો કર્યો છે
*ફતેહ-313*

●તાજેતરમાં યોજાયેલી 63મી રાષ્ટ્રીય નિશાનબાજ ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો કે જે એશિયન ગેમ્સમાં સૌથી નાની ઉંમરે આ મેડલ પ્રાપ્ત કરનારો શૂટર છે
*સૌરભ ચૌધરી (17 વર્ષ)*

●5મું વિશ્વ ડ્રોસોફિલા સંમેલન ક્યાં યોજાશે
*પુણે*
*ડ્રોસોફિલા એટલે ફળ માખી*

●મિસ ટીન ઇન્ટરનેશનલ 2019નો ખિતાબ કોણે જીત્યો
*આયુષી ધોળકિયા*

●તાજેતરમાં ઉત્તર મેસેડોનિયાના પ્રધાનમંત્રી જેમને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું
*જોરાન જેવે*
*ઉત્તર મેસેડોનિયા દક્ષિણ પૂર્વ યુરોપમાં આવેલું છે*
*યુગોસ્લાવિયામાંથી સપ્ટેમ્બર 1991માં અલગ થયું હતું.*
*તેની રાજધાની છે સ્કોપજે*
*તેની કરન્સી છે મેસેડોનિયન દીનાર*

●ભારતે કયા દેશને સોલાર પાર્કની સ્થાપના માટે 7.5 કરોડ ડોલરની લોન આપી
*ક્યુબા*

●ઈસરોએ પ્રાદેશિક શિક્ષણ કેન્દ્ર ક્યાં શરૂ કર્યું
*કર્ણાટક*

●હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2020ના રિપોર્ટ મુજબ સારા પાસપોર્ટના રેન્કિંગમાં ભારત કેટલામાં ક્રમે છે
*84મા*
*જાપાન ટોચના સ્થાને, સિંગાપોર બીજા સ્થાને*
*સૌથી ખરાબ પાસપોર્ટમાં અફઘાનિસ્તાન પહેલા સ્થાને, બીજા સ્થાને ઈરાક, ત્રીજા સ્થાને સિરીયા અને પાકિસ્તાન ચોથા સ્થાને*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[12/01, 11:06 am] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*~🗞Date:- 11/01/2020🗞👇🏻~*

*📝11 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*વી.એસ.ખાંડેકર*
*પૂરું નામ:-* વિષ્ણુ સખારામ ખાંડેકર
*જન્મ:-* 11 જાન્યુઆરી, 1898 મહારાષ્ટ્રમાં સાંગલી ખાતે
*નિધન:-* 2 સપ્ટેમ્બર, 1976
મરાઠી ભાષાના પહેલા જ્ઞાનપીઠ વિજેતા
તેમને શાળામાં શિક્ષક તરીકે વર્ષો સુધી કામ કર્યું હતું.
સાહિત્ય સર્જન ક્ષેત્રે તેમણે નવલકથા, નિબંધ, નાટકો, વાર્તાઓ અને વિવેચન લેખો પર પોતાની કલમ ચલાવી હતી.
*જાણીતી કૃતિઓ:-* યયાતિ, ઉલ્કા, હદયાચી હાક, કોચવધ, કંચન મૃગ, પહિલે પ્રેમ, અમૃત વેલ અશ્રુ, તીસરા પહર, જીવન શિલ્પી, મંદાકિની, વામન મલ્હાર જોશી : વ્યક્તિ વિચાર, વાયુ લહરી વગેરે.


●દેશમાં
િલા ક્રિકેટરમાં પુનમ યાદવને બેસ્ટ ક્રિકેટરનો એવોર્ડ*

●કયા દેશે દુનિયાનું સૌથી મોટું અને સંવેદનશીલ રેડિયો ટેલિસ્કોપ 3 વર્ષની ટ્રાયલ પછી શરૂ કર્યું
*ચીન*

●ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન્સી કોણ કરશે
*હરમનપ્રીત કૌર*

●ઓમાનના સર્વોચ્ચ શાસક સુલતાન કાબુસ અલ સઈદના અવસાન બાદ નવા શાસક તરીકે કોણે પદ સંભાળ્યું
*સુલતાન હલથામ બિન તારીક અલ સઈક*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[15/01, 10:13 am] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*~🗞Date:-14/01/2020🗞👇🏾~*

*📝14 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*હાસ્યકાર વિનોદ ભટ્ટ*
*જન્મ:-* 14 જાન્યુઆરી, 1938, નાંદોદ (અમદાવાદ)
*નિધન:-* 2018
નાનપણમાં તોફાની બાળક તરીકેની છાપ ધરાવતા
કોલેજની ચૂંટણીમાં ગધેડાના ગળામાં 'હું વિનોદ ભટ્ટને મત નથી આપવાનો'જેવા રમૂજી તુક્કાઓ પણ કરેલા
'પહેલું સુખ તે મૂંગી નાર'થી પોતાની હાસ્ય સર્જન યાત્રા શરૂ કરી
*લખેલાં પુસ્તકો:-* વિનોદના પ્રેમપત્રો, ઇદમ તૃતીયમ્, ઇદમ ચતુર્થમ્, સુનો ભાઈ સાધો, વિનોદની નજરે, અને હવે ઇતિ-હાસ, નરો વા કુંજરો વા, શેખાદમ...ગ્રેટાદમ....,અમદાવાદ એટલે અમદાવાદ, અથથી ઇતિ, પ્રસંગોપાત્ત, વગેરે, વગેરે, વગેરે..., આંખ આડા કાન, ગ્રંથની ગરબડ, વિનોદ વિમર્શ, ભૂલચૂક લેવીદેવી, આજની લાત,
'વિનોદ વિમર્શ' ગુજરાતી ભાષાનું હાસ્યનું સૌપ્રથમ ગંભીર પુસ્તક છે.
'વિનોદની નજરે' પુસ્તકનું ચરિત્ર ચિત્રણ શૈલીના પુસ્તકોમાં જોટો જડે તેમ નથી
*સન્માન:-* 1989-રણજિતરામ સુવર્ણચંદ્રક, કુમાર ચંદ્રક, જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક, નીલકંઠ પુરસ્કાર વગેરે.


●સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની આઠમી અજયબીનું સ્થાન કોણે આપ્યું
*શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)*

●આ વર્ષે (વર્ષ 2020) રાજયકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી ક્યાં કરવામાં આવશે
*રાજકોટ ખાતે*

*●ઘવાયેલાં પક્ષીઓની સારવાર માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ~1962~*

●સ્પેનિશ સુપર કપ (ફુટબોલ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*રિયલ મેડ્રિડ (11મી વખત)*
*એટલેટિકો મેડ્રિડને હરાવ્યું*

●બ્રિટનમાં કયું વાવાઝોડું આગળ વધી રહ્યું છે
*બ્રેન્ડન*

●ફિલિપાઈન્સમાં કયો જ્વાળામુખી ફાટ્યો
*તાલ જ્વાળામુખી*

●હાલના TRAI ના અધ્યક્ષ કોણ છે
*આર.એસ.શર્મા*

●દર વર્ષે વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવામાં આવે છે
*10મી જાન્યુઆરી*

●તાજેતરમાં જારી કરવામાં આવેલા હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2020માં કયો દેશ પ્રથમ નંબર પર રહ્યો
*જાપાન*

●હાલમાં પ્રસિદ્ધ નૃત્યાંગના મીનતી મિશ્રાનું અવસાન થયું. તેઓ કયા રાજ્યના હતા
*ઓડિશા*

●હાલમાં વિશાખપટ્ટનમ ખાતે નૌસૈનિક અભ્યાસ આયોજિત થયો.તેનું નામ શું હતું
*મિલન*

●7મી રાષ્ટ્રીય આઈસ હોકી મહિલા ચેમ્પિયનશિપમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*લડાખ ટીમ*

●કયા રાજયમાં લોકપ્રિય રથ મહોત્સવનો પ્રારંભ થયો
*તમિલનાડુ*

●SBI એ 2020માં ભારતનો આર્થિક વિકાસ દર કેટલા ટકા રહેવાનો અંદાજ બાંધ્યો છે
*4.6%*

●હાલમાં દિલ્હી ભાજપ નેતા જય ભગવાન ગોયલે લખેલું કયું પુસ્તક મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે
*આજ કે શિવાજી : નરેન્દ્ર મોદી*

●પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફને લાહોર હાઇકોર્ટે ફાંસીની સજા માફ કરી.

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
ન્યુટ્રિશિયન વિશેની માહિતી આપતો દેશનો પ્રથમ થીમ પાર્ક ક્યાં બન્યો
*સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે*
*20 હજાર સ્કેરફુટમાં વિકસાવેલો*

●ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની ત્રીજી સિઝનનો પ્રારંભ કયા રાજયમાં થયો
*આસામ*

●રેસ એક્રોસ અમેરિકા માટે ક્વોલિફાય થનાર પ્રથમ ગુજરાતી સાઈકિલિસ્ટ કોણ બન્યો
*અમદાવાદનો વિવેક શાહ*

●ભારત અને ઓમાન વચ્ચે દ્વિપક્ષીય નૌસૈનિક અભ્યાસ યોજાશે.તેનું નામ શું હશે
*નસીમ અલ બહ્ર*

●વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટરની સ્થાપના કયા રાજયમાં કરવામાં આવશે
*ગુજરાત*

●કયા રાજ્યમાં ચોથો બુક્સા બર્ડ ફેસ્ટિવલ યોજાયો હતો
*પશ્ચિમ બંગાળ*
*અલી પુરુદંર ડિસ્ટ્રીકટના બુક્સા નેશનલ પાર્ક ખાતે*
*આ અંતર્ગત ભારત અને અન્ય દેશોના 50 પક્ષીવિદો ભાગ લઈ રહ્યા છે*

●નેશનલ સ્ટેટીસ્ટિક્સ ઓફિસે જારી કરેલા અનુમાન પ્રમાણે 2019-20માં ભારતનો જીડીપી દર કેટલા ટકા રહેશે
*5%*

●કયા દેશે હાલમાં પાંચ વર્ષની સમય મર્યાદાવાળા મલ્ટી એન્ટ્રી ટુરિસ્ટ વિઝાને મંજૂરી આપી
*UAE*

●દર્દીઓની સાર-સંભાળ મામલે કયું રાજ્ય દેશના તમામ રાજ્યોમાં ટોચ પર છે
*જમ્મુ કાશ્મીર*

●ફૂટબોલર ડેનિયલ ડી.રોસીએ સંન્યાસની ઘોષણા કરી.તેઓ કયા દેશના છે
*ઇટલી*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[12/01, 1:37 pm] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*🗞Date:-12/01/2020🗞👇🏻*

*📝12 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*સ્વામી વિવેકાનંદ*
*જન્મ:-* 12 જાન્યુઆરી, 1863, અંગ્રેજોની જૂની રાજધાની કલકત્તામાં
*પિતા:-* વિશ્વનાથ દત્ત (કલકત્તા હાઈકોર્ટમાં વકીલ)
*માતા:-* ભુવનેશ્વરી દેવી
*બાળપણનું નામ:-* નરેન્દ્રનાથ દત્ત
*નિધન:-* 4 જુલાઈ, 1902
નરેન્દ્રની સ્મરણશક્તિ એટલી તેજ હતી કે કોઈ ગ્રંથ તેમને બીજીવાર વાંચવો પડતો નહિ.
તેઓ અઢાર વર્ષના હતા ત્યારે રામકૃષ્ણ પરમહંસના પહેલીવાર દર્શન થયા.
1893માં શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહી વિશ્વના ધર્મધુરંધરોને પોતાના પ્રવચનથી પ્રભાવિત કર્યાં હતાં.
બંગાળના સુપ્રસિદ્ધ આચાર્ય ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર પાસે તેમણે શિક્ષણ મેળવ્યું હતું.
ઇતિહાસ અને તત્ત્વદર્શન તેમનાં પ્રિય વિષયો હતા.
"ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" નો પ્રેરણાદાયી અદ્ભૂત સંદેશો તેમને લોકોને આપ્યો છે.
તેમનો જન્મદિન રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે.
અમેરિકાની શિકાગો પરિષદ પછી તેમને તોફાની હિન્દુ કહેતા.


●ભારતમાં 2700 કરોડમાં પ્રથમ અંતરિક્ષ યાત્રી ટ્રેનિંગ સેન્ટર ક્યાં બની રહ્યું છે
*બેંગલુરુના ચલ્લકેરેમાં*
*3 લોકોની ક્ષમતા*
*આવું કરનાર ભારત છઠ્ઠો દેશ બનશે*

●અમિત શાહે સાઈબર ક્રાઇમને નાથવા આશ્વસ્ત અને વિડિઓ ઇન્ટિગ્રેશન આધારિત સલામતીનો વિશ્વાસ પ્રોજેક્ટ લોન્ચ કર્યો.વિશ્વાસનું ફૂલ ફોર્મ શું છે
*વીડિયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેટ વાઈડ એડવાન્સ સિક્યુરિટી*

●અમેરિકી વાયુસેનામાં ભારતીય મૂળના કયા વ્યક્તિ નાસાના અંતરિક્ષ યાત્રીઓમાં સામેલ થયા
*રાજા જોન વુપુતુર ચારી*

●બુક ટ્રસ્ટ (NBT)ના ડાયરેક્ટર કોણે બનાવાયા
*લેફ્ટનન્ટ જનરલ યુવરાજ મલિક*

●કયા રાજ્યની સરકાર એસિડ એટેક પીડિતાઓને 5 થી 6 હજાર રૂપિયા માસિક પેન્શન આપશે
*ઉત્તરાખંડ*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[13/01, 2:13 pm] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*~🗞Date:-13/01/2020🗞👇🏻~*

*📝13 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*સંસ્કૃતિવિદ્ : પ્રિયબાળા શાહ*
*પૂરું નામ:-* પ્રિયબાળાબેન જીવણલાલ શાહ
*જન્મ:-* 13 જાન્યુઆરી, 1920, અમદાવાદમાં
*નિધન:-* 2011
1950માં 'વિષ્ણુધર્મોત્તર પુરાણ' શીર્ષકથી પીએચડીની પદવી હાંસલ કરી.
'ધ સન ઇમેજિસ' શીર્ષક તળે ડી.લિટ્ટની ડિગ્રી મેળવી.
વ્યવસાયી રીતે પ્રિયબાળાબેન અમદાવાદની રામાનંદ કોલેજ (આજની એચ.કે.કોલેજ) અને રાજકોટની વીરબાઈ કોલેજમાં આચાર્ય રહ્યા હતા.
*લખેલા પુસ્તકો:-* શ્રી વિષ્ણુધર્મોત્તર, પથ્થર બોલે છે, શ્રી અને સંસ્કૃતિ, ચાંદલો-બિંદી-તિલક, ટેમ્પલ્સ ઓફ ગુજરાત ટ્રેડિશનલ વેર ઓફ ઇન્ડિયન વુમન, હિન્દુ મૂર્તિ વિધાન, તિબેટ, જૈન મૂર્તિ વિધાન જેવા 17 થી વધુ પુસ્તકો લખ્યા છે.
**

*અબુલફઝલ*
*જન્મ:-* 13 જાન્યુઆરી, 1551, આગ્રામાં
*પિતા:-* શેખ મુબારક
*મોટા ભાઈ:-* અબુલફૈઝી
*નિધન:-* ઇ.સ.1600 (ખૂન થયું હતું)
મોગલ શહેનશાહ અકબરના વિશ્વાસુ મંત્રી
'અકબરનામા'તેમનો મહત્વનો ફારસી ગ્રંથ છે.તેમાં અકબરનું શાસન વર્ણવાયું છે.
'આઈન-એ-અકબરી' માં અકબરનું રાજ્ય, રાજ્ય બંધારણ, ધર્મ વિષયક નીતિ રજૂ કરી છે.


●કોલકાતા પોર્ટ ટ્રસ્ટની 150મી વર્ષગાંઠ પર તેનું નામ બદલીને શું કરવામાં આવશે
*શ્યામા પ્રસાદ મુખરજી પોર્ટ ટ્રસ્ટ*

●BCCI ની વાર્ષિક પુરસ્કારોમા બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટરનો પોલી ઉમરીગર એવોર્ડ કોણે અપાયો
*ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ*
*જસપ્રીત બુમરાહને દિલીપ સરદેસાઈ એવોર્ડ પણ મળ્યો*
*મહ
[18/01, 6:34 pm] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*~🗞Date:-16-17/01/2020🗞👇🏻~*

*📝16 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*સંગીતકાર ઓ.પી.નૈયર*
*પૂરું નામ:-* ઓમકાર પ્રસાદ નૈયર
*જન્મ:-* 16 જાન્યુઆરી, 1926 પાકિસ્તાનમાં લાહોરમાં
*નિધન:-* 2007
તેમની પહેલી ફિલ્મ 1949ની 'કનીજ'માં બેકગ્રાઉન્ડ સંગીતથી સંગીત યાત્રા શરૂ કરી.
કઝરા મોહબ્બતવાલા, યહ દેશ હૈ વીર જવાનો કા, એક પરદેશી મેરા દિલ લે ગયા, લે કે પહેલા પહેલા પ્યાર, બાબુજી ધીરે ચલના, કભી આર કભી પાર જેવા અનેક કર્ણપ્રિય ગીતો નૈયર સાહેબે આપ્યા છે.

આજે નાની પાલખી વાળાનો પણ જન્મ દિવસ છે.

આજે કવિ સુંદરજી બેટાઈ, પત્રકારત્વના ઇતિહાસકાર રતન રૂસ્તમ માર્શલ, ડાંગના ગાંધી ઘેલુભાઈ નાયક અને ઇતિહાસકાર એડવર્ડ ગીબનની પુણ્યતિથિ છે.


*📝17 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*એમ.જી.આર. : એમ.જી.રામચંદ્રન*
*પૂરું નામ:-* મરુધર ગોપાલન રામચંદ્રન
*જન્મ:-* 17 જાન્યુઆરી, 1917, શ્રીલંકાના કેન્ડીમાં
*નિધન:-* 24 ડિસેમ્બર, 1987 મદ્રાસમાં
તેઓની પહેલી ઓળખ અભિનેતા તરીકેની છે.
1936માં સાથી લીલાવથી ફિલ્મથી ફિલ્મોમાં પ્રવેશ કર્યો.
1950માં મન્થીરકુમારી ફિલ્મ દ્વારા તમિલ ફિલ્મોમાં પ્રકાશમાં આવ્યા.
1972માં ફિલ્મફેર એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
ડીએમકે પક્ષના સભ્ય, ધારાસભ્ય, એસઆઈડીએમકે (ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનેત્ર કઝગમ) પક્ષની સ્થાપના અને તમિલનાડુના મુખ્યમંત્રી વગેરે એમ.જી.આર.ની રાજકીય વિકાસ અવસ્થાઓ હતી.
તેમના મુખ્યમંત્રી કાળ (1977-1987) દરમિયાન કન્યાઓ માટે સ્કૂલ બસ અને મધ્યાહન ભોજન યોજનાઓ અસ્તિત્વમાં આવી હતી.
લોક કલ્યાણકારી યોજનાઓના કારણે એમ.જી.આર. 'મક્કલ થીલાગલ' (લોકોનો રાજા) તરીકે જાણીતા બન્યા હતા.

આજે અમેરિકન ક્રાંતિના થિંક ટેન્ક બેન્જામિન ફ્રેન્કલીનનો પણ જન્મ દિવસ છે.


●15 જાન્યુઆરીસેના દિવસ
15 જાન્યુઆરી, 1949ના રોજ જનરલ કે.એમ.કરિઅપ્પાએ સેનાના કમાન્ડર ઇન ચીફ તરીકે પદભાર સંભાળ્યું ત્યારથી સેના દિવસ ઉજવાય છે.

●દેશની ત્રીજી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ (IIS) ક્યાં નિર્માણ પામશે જેનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
*કલોલ તાલુકાના નાસ્મેદ ગામે*

●મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં કેટલામી આર્થિક ગણતરીનો પ્રારંભ કરાવ્યો
*7મી*

●2019નો ICC ક્રિકેટર ઓફ ધી યર એવોર્ડ કોણે મળ્યો
*ઈંગ્લેન્ડના બેન સ્ટોકસને*
*રોહિત શર્મા વન-ડે અને ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધી યર એવોર્ડ*
*વિરાટ કોહલીને સ્પિરિટ ઓફ ધ ક્રિકેટ એવોર્ડ*

●પુરુષ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં થર્ડ અમ્પાયરની ભૂમિકા ભજવનાર પ્રથમ મહિલા કોણ બની
*વેસ્ટઇન્ડિઝની જેક્લિન વિલિયમ્સ*

●આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં કેટલામો 'ધર્મજ ડે' મનાવાયો
*14મો*

●ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ 1 કલાકથી વધુ મોડી પડે તો કેટલા રૂપિયા વળતર આપશે
*૱100*
*2 કલાકથી વધુ મોડી પડે તો ૱250 વળતર મળશે*

●કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે સુરતના હજીરામાં કેટલામી હોવિત્ઝર વજ્ર ટી ગન રાષ્ટ્રને અર્પણ કરી
*51મી*
*એલ એન્ડ ટી અને દક્ષિણ કોરિયા સાથે મળીને નિર્માણ પામી*

●વિદેશી ધરતી પર 500 ટેસ્ટ મેચ રમનાર પ્રથમ ટીમ કઈ બની
*ઈંગ્લેન્ડ*

●કયા રાજ્યના વિવિધ વિસ્તારોમાં જલ્લિકટ્ટુ રમતનું આયોજન કરવામાં આવે છે
*તમિલનાડુ*

●ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ)ના ચેરમેનપદે કોણ બિન હરીફ ચૂંટાઈ આવ્યા
*ગોવિંદ પરમાર*

●કયા બે પુલિત્ઝર એવોર્ડ વિજેતા પત્રકારોએ ટ્રમ્પની ભૂલો અંગેનું પુસ્તક 'અ વેરી સ્ટેબલ જીનિયસ' લખ્યું છે
*ફિલિપ રૂકર અને કેરોલ લિયોનિંગ*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[18/01, 7:00 pm] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*~🗞Date:-18/01/2020🗞👇🏻~*

*📝18 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*મહાદેવ ગોવિંદ રાનડે*
*જન્મ:-* 18 જાન્યુઆરી, 1842, મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના નિફાડ ગામે
*નિધન:-* 16 જાન્યુઆરી, 1901
શિક્ષણ કોલ્હાપુર અને મુંબઈમાં
1859માં મેટ્રિકની પરીક્ષામાં મુંબઈ યુનિવર્સિટીમાં પહેલા સ્થાને રહ્યા હતા.
અર્થશાસ્ત્ર અને ઇતિહાસ સાથે બીએ, એમએ અને એલએલબી થયા
અક્કલદોહ અને કોલ્હાપુર રાજ્યમાં દીવાન તરીકે પણ રહ્યા હતા.
મુંબઈની એલ્ફિન્સ્ટન્ટ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા હતા.
1883માં મુંબઇ હાઈકોર્ટમાં ન્યાયાધીશ બન્યા પછી તેઓ ન્યાયમૂર્તિ તરીકે જાણીતા બન્યા હતા.
તે સમયના ભારતીય સમાજમાં વિધવા વિવાહ પર પ્રતિબંધ, અસ્પૃશ્યતા, બાળલગ્ન વગેરે જેવા સામાજિક કુરિવાજો સામે પ્રજાને જાગૃત કરવાનું કાર્ય તેમને કર્યું.
તેમણે પત્ની રમાબાઈને શિક્ષણ આપી સમાજ સુધારક બનાવ્યા હતા.
31 માર્ચ, 1867ના રોજ પ્રાર્થના સમાજની સ્થાપના કરી હતી.



●સંયુક્ત રાષ્ટ્ (UN)એ 2019-20 માટે ભારતનો વિકાસદર 1.9 ટકા ઘટાડીને કેટલો કર્યો
*5.7%*

●અમદાવાદના જાસપુરમાં કેટલા ફૂટ ઊંચું
વિશ્વનું સૌથી મોટું ઉમિયા મંદિર બનશે
*431 ફૂટ*

●ભારતના સૌથી શક્તિશાળી કયા કોમ્યુનિકેશન સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું
*જીસેટ-30*
*ફ્રેન્ચ ગુઆનાના કૌરુ ખાતે આવેલા સ્પેસ સેન્ટર યુરોપિયન એરિયન 5 -વીટી 252 થી લોન્ચ કરાયો*
*3357 કિલો વજન*
*આ સેટેલાઈટથી ઈન્ટરનેટની સ્પીડ વધશે*

●રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નવા ડેપ્યુટી ગવર્નરપદે કોની નિમણુક કરવામાં આવી
*માઈકલ દેવવ્રત પાત્રા*

●DTH ગ્રાહકોને હવે કોઈપણ ચેનલ માટે મહત્તમ 19 ને બદલે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
*12 ૱*

●યોગી સરકારે ઘાઘરા નદીનું નામ બદલીને શું કર્યું
*સરયૂ*

●સાઉદી અરબમાં યોજાયેલી ડકાર રેલીમાં કોણ ચેમ્પિયન બન્યું
*સ્પેનિશ ડ્રાઈવર કાર્લોસ સેન્જે ત્રીજીવાર ચેમ્પિયન*
*તેઓ બહરીન જેસીડબ્લ્યુ X-રેડ ટીમનો ડ્રાઈવર છે.*
*ડકાર રેલી 11 સ્ટેજમાં 7800 કિમીની રેસ હોય છે*

●ટેસ્ટ મેચમાં 4000 રન અને 100 વિકેટની સિદ્ધિ મેળવનાર વિશ્વનો સાતમો ખેલાડી કોણ બન્યો
*ઈંગ્લેન્ડનો બેન સ્ટોકસ*

●ટેકનોલોજી રિવ્યુ કંપની કમ્પેરિટેકના રિપોર્ટ અનુસાર ઈન્ટરનેટની આઝાદી મામલે સૌથી સારા 175 દેશમાં ભારત કેટલામાં ક્રમે છે
*48મા*
*સૌથી વધુ આઝાદી સિરીયામાં*
*પાકિસ્તાન 9મો સૌથી ખરાબ*

●ગૂગલની કઈ પેરન્ટ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન વધીને 1 ટ્રીલિયન (1000 અબજ) ડૉલરને પાર કરી દુનિયાની છઠ્ઠી મોટી કંપની બની
*આલ્ફાબેટ*

●રોહિત શર્માએ ઓપનર તરીકે ફાસ્ટેસ્ટ 7000 વન-ડે રનની સિદ્ધિ કેટલી ઇનિંગમાં મેળવી દક્ષિણ આફ્રિકાના અમલાનો રેકોર્ડ તોડ્યો
*137 ઇનિંગમાં*

●હાલમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર (સ્પિન બોલર) બાપુ નાડકર્ણીનું નિધન થયું.1964માં તેમને 1 ટેસ્ટમાં સળંગ કેટલી ઓવર મેડન નાખી હતી
*21 ઓવર*

●દેશની સૌથી મોટી ઇન્ડિયન ડેરીનો એવોર્ડ કઈ ડેરીને મળ્યો
*મહેસાણાની દૂધસાગર ડેરીને*

●રશિયા ભારતને 2025 સુધીમાં વિશ્વની સૌથી ખતરનાક કઈ મિસાઈલ આપશે
*S-400*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[20/01, 7:06 pm] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*~🗞Date:-19-20/01/2020🗞👇🏻~*

*📝19 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*સમાજવિજ્ઞાની : ઓગસ્ટ કોમ્તે*
*પૂરું નામ:-* કોમ્ત ઈસ્ત્દોર ઓગસ્ટ મારિયા ફ્રાન્સિસ ઝેવિયર્સ
*જન્મ:-* 19 જાન્યુઆરી, 1798, દક્ષિણ ફ્રાન્સનું મોંતપેલિયર
*નિધન:-* 5 સપ્ટેમ્બર, 1857
બચપણમાં ખૂબ બીમાર રહેતા
1814માં 'ઇકોલે પોલિટિકલ'ની પરીક્ષા પસાર કરી પોતાનું કાર્યક્ષેત્ર પેરિસની બનાવ્યું હતું
જ્ઞાનપ્રાપ્તિનો આધાર વૈજ્ઞાનિક એટલે કે પ્રત્યક્ષ પ્રમાણ પર હોવો જોઈએ તેવી પ્રત્યક્ષવાદી વિચારણા પ્રસ્તુત કરી
કોર્સ ઓફ પોઝિટિવ ફિલોસોફી, ધી સિસ્ટમ ઓફ પોઝિટિવ પોલિટી જેવા ગ્રંથો અને 1848માં પોઝિટિવ સોસાયટી સંસ્થાની સ્થાપના કરી
પ્રત્યક્ષવાદી સિદ્ધાંતને વૈશ્વિક બનાવ્યો.


*📝20 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*કમલ કાન્તિ ગુહા*
*જન્મ:-* 20 જાન્યુઆરી, 1928, કુચબિહારના દીહાન્તમાં
*નિધન:-* 2 ઓગસ્ટ, 2007
ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક વતી દીન્હાતા વિધાનસભા મતવિસ્તારથી ચૂંટણી લડી કમલ ગુહા 8 વખત ધારાસભ્ય બન્યા હતા.
તેઓ 1962, 1977, 1982 અને 2001માં રાજ્ય મંત્રીમંડળમાં મંત્રી પણ બન્યા હતા.
ગેરકાયદેસર ભરતી, શાળા અને વિદ્યુત બોર્ડના પ્રશ્નો માટે તેમને ફોરવર્ડની સામે પણ બાંયો ચડાવી હતી.
ઉત્તર બંગાળમાં તેઓ ફોરવર્ડ બ્લોકના સીમા સ્તંભ કહેવાતા.
બંગાળમાં લોકનેતાનું બિરુદ પામેલા


●બાળઉછેરમાં શ્રેષ્ઠ દેશોમાં ભારત વિશ્વમાં કેટલામાં સ્થાને છે
*59મા*
*ડેન્માર્ક, સ્વીડન અને નોર્વે ટોપ થ્રી*

●ભારતે પરમાણુ હુમલો કરવા સક્ષમ કઈ બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
*K-4*
*3500 કિમીની મારક ક્ષમતા*
*આંધ્રપ્રદેશના દરિયા કિનારે ચાંદીપુરથી પરીક્ષણ કર્યું*

●તાજેતરમાં કયા દેશમાં લશ્કરી છાવણીમાં આવેલી મસ્જિદ પર થયેલા મિસાઈલ અને ડ્રોન હુમલામાં 80 જવાનોના મોત થયા
*યમન*

●કુપ્રથાઓ સામેના વિરોધમાં 16000 કિમી. લાંબી માનવસાંકળ રચી કયા રાજ્યએ વિશ્વ વિક્રમ રચ્યો
*બિહાર*

●વિશ્વના 130 ડાયનેમિક શહેરોની યાદીમાં ભારતના કયા બે શહેરો મોખરાના સ્થાને છે
*હૈદરાબાદ અને બેંગલુરુ*
*ટોચના 20 શહેરોમાં સાત ભારતીય શહેરોનો સમાવેશ*

●કયા રાજ્યએ રેલવે સ્ટેશનો પર આવેલા સાઈનબોર્ડ પર ઉર્દૂ ભાષાને બદલે સંસ્કૃત ભાષાને સ્થાન આપવાનો નિર્ણય કર્યો છે
*ઉત્તરાખંડ*

●દર વર્ષે ભારતીય મોસમ વિભાગનો સ્થાપના દિવસ ક્યારે મનાવામાં આવે છે
*15 જાન્યુઆરી*
*તેને અંગ્રેજીમાં મિટિરિયોલોજીકલ સાયન્સ કહે છે*

●દુનિયાનો સૌથી મોટો રેડીઓ ટેલિસ્કોપ બનાવવાની ઉપલબ્ધી કયા દેશે હાંસલ કરી
*ચીન*

●કયા રાજયમાં સુપ્રસિદ્ધ પરશુરામ કુંડ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે
*અરૂણાચલ પ્રદેશ*

●તાજેતરમાં મનમોહન મહાપાત્રાનું અવસાન થયું. તેઓ જાણીતા ઓડિયો ફિલ્મકાર હતા.તેઓ કયા રાજ્યના મશહૂર ફિલ્મ નિર્દેશક હતા
*ઓડિશા*
*તેઓ 8 નેશનલ એવોર્
ડ જીતી ચુક્યા હતા*

●15મી જાન્યુઆરીએ કેટલામો ભારતીય સેના દિવસ મનાવામાં આવ્યો
*72મો*

●એમેઝોને ભારતમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે કેટલું રોકાણ કરવાની ઘોષણા કરી છે
*1 અબજ ડોલર (અંદાજે ૱7000 કરોડ)*

●ગ્લોબલ ચાઈલ્ડ પ્રોડગી એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*ઈશ્વર શર્મા*
*યોગ ક્ષેત્રે અવનવી સિદ્ધિ હાંસલ કરવા બદલ*
*તેઓ બ્રિટનની શાળાઓમાં યોગને અભ્યાસ ક્રમમાં સમાવવામાં આવે તે માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે*

●જાણીતા તીર્થધામ પુરીને હાલમાં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે
*સ્વચ્છતા દર્પણ પુરસ્કાર 2019*

●આવનારા ગણતંત્ર દિવસ પર પહેલી વખત કોઈ મહિલા સૈન્ય અધિકારી પરેડ એડઝુટેન્ટની ભૂમિકા ભજવશે.તેમનું નામ શું છે
*તાનીયા શેરગિલ*

●ક્રિકેટ ટીમ ઇન્ડિયા ઘરઆંગણે કેટલી વન-ડે મેચ જીતનારી એશિયાની પ્રથમ અને વિશ્વની બીજી ટીમ બની
*200 વન-ડે મેચ*
*ઇન્ટરનેશનલ ક્રિકેટ (ટેસ્ટ, વન-ડે અને ટી-20)માં 750મી જીત મેળવનાર ત્રીજી ટીમ બની*

●હોબાર્ટ ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટમાં ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો
*ભારતની સાનિયા મિર્ઝા અને યુક્રેનની નાદિયા કિચેનૉક*

●નાની બહેનને જંગલી હાથીઓથી બચાવનારી છત્તીસગઢની કાંતિને વીરતા પુરસ્કાર આપવામાં આવશે.

●વિશ્વની સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા નેપાળના ખગેન્દ્ર થાપાનું અવસાન થયું.

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[21/01, 4:49 pm] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*🗞Date:-21/01/2020🗞👇🏻*

*📝21 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*લોકહિત ચિંતક : દલપતરામ*
*પૂરું નામ:-* દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી
*જન્મ:-* 21 જાન્યુઆરી, 1820 વઢવાણમાં
*ઓળખ:-* લોકહિત ચિંતક, ગુજરાતી રાણીના વકીલ, કવીશ્વર
*નિધન:-* 25 માર્ચ, 1898
તેઓ પોતાને ગુજરાતી રાણીના વકીલ તરીકે ઓળખાવતા હતા.
તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાય અપનાવ્યો હતો.
દલપતરામે બાળ કાવ્યો લખવાથી શરૂઆત કરી હતી.
તેઓ ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમી તરીકે ઓળખાતા એલેકઝાન્ડર ફાર્બસના સંપર્કમાં આવ્યા અને તેના દ્વારા સ્થાપિત વર્નાક્યુલર સોસાયટીના સામયિક 'બુદ્ધિપ્રકાશ'ના પ્રથમ તંત્રી પદે રહ્યા.
દલપતરામે ગુજરાતી ભાષાની સૌપ્રથમ કરુણપ્રશસ્તિ 'ફાર્બસ વિરહ' ફાર્બસના મૃત્યુ સમયે લખી હતી.
જ્યારે 'બાપાની પીંપર'ને અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ માનવામાં આવે છે.
ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક 'લક્ષ્મી' મૌલિક નાટક 'મિથ્યાભિમાન' તથા પ્રથમ કાવ્ય સંગ્રહ 'કાવ્ય દોહન' છે.
દલપતરામને અર્વાચીન ગુજરાતી કવિતાની શરૂઆત કરનાર મનાય છે.
તેમને 'જીવરામ ભટ્ટ' પાત્રને અમર બનાવ્યું.
નર્મદે દલપતરામને 'ગરબી ભટ્ટ' અને વિજયરાય વૈદ્ય તેઓને 'સમર્થ ઉપકવિ' કહે છે.
*વ્યવસાય:-* ફાર્બસ સાહેબ માટે 'રાસમાળા'ની સામગ્રી માટે પરિભ્રમણ , ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં મંત્રી , 1855-બુદ્ધિપ્રકાશનું સંપાદન , 1858- 'હોપ' વાંચનમાળાની કામગીરીમાં મદદ
*પ્રદાન:-* કવિતા, હાસ્ય કવિતા, નિબંધ, પિંગળ શાસ્ત્ર, નાટક
*મુખ્ય કૃતિઓ:-*
*કવિતા:-* ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઈ, માના ગુન્ન , દલપત કાવ્યો ભાગ-1,2.
*નિબંધ:-* ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ
*નાટક:-* મિથ્યાભિમાન, લક્ષ્મી
*વ્રજ ભાષામાં:-* વ્રજ ચાતુરી
*વ્યાકરણ:-* દલપત પિંગળ, કાવ્ય દોહન, બાપાની પીંપર
*અન્ય:-* શામળ સતસઇ, ઊંટ અને શિયાળ, માખીનું બચ્ચું, ભોળો ભાભો, ફાર્બસ વિલાસ, હરીલીલામૃત, તાર્કિક બોધ વગેરે..
'હાલતા દંડે ચાલતા દંડે દંડે સારા દિન, છાતી ઉપર પથ્થર મૂકી પૈસા લેતા છીન' અને 'દેખ બિચારી બકરીનો પણ કોઈના જાતા પકડે કાન એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' જેવી પંક્તિઓ દ્વારા તેમણે અનુક્રમે મરાઠી અને બ્રિટિશ શાસનનું મૂલ્યાંકન કરી દીધું હતું.


●IMFએ દેશનો વર્ષ 2019-20નો GDP ગ્રોથ ઘટાડીને કેટલો કર્યો
*4.8%*

●કેનેડામાં બરફનું તોફાન આવ્યું તેનું નામ શું
*બૉમ્બ સાઈકલોન*

●મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિરના સાનિધ્યમાં ઉત્તરાર્ધ ઉત્સવ કયા વર્ષથી ઉજવાય છે
*1992થી*

●જગત પ્રકાશ નડ્ડા (જે.પી.નડ્ડા) ભાજપના કેટલામાં અધ્યક્ષ બન્યા
*11મા*
*તેઓ હિમાચલ પ્રદેશના 1993, 1998 અને 2007 એમ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે*

●વાયુસેનાએ દક્ષિણ ભારતમાં સુખોઈ-30નું પહેલું ફાઇટર પ્લેન સ્ક્વોડ્રન તહેનાત કર્યું.તેનું નામ શું રાખવામાં આવ્યું છે
*ટાઇગર શાર્ક*

●દાવોસમાં 'વર્લ્ડ ઇકોનોમિક ફોરમ'ની કેટલામી વાર્ષિક બેઠક શરૂ થઇ
*50મી*

●મલેશિયાના વડાપ્રધાન કોણ છે
*મહાતિર મોહમ્મદ*

●વિદેશમાં 150 ટેસ્ટ મેચ જીતનારી સૌપ્રથમ ટીમ કઈ બની
*ઈંગ્લેન્ડ*

●વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જારી કરવામાં આવેલા નવા સોશિયલ મોબિલિટી ઇન્ડેક્સ (સામાજિક પરિવર્તન સુચકાંક)માં 82 દેશો પૈકી ભારતનો ક્રમ કેટલામો છે
*76મો*
*ડેન્માર્ક પ્રથમ*

●ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠક ક્યાં શરૂ થઈ
*પેઈચિંગ*

●આંધ્રપ્રદેશમાં હવે કઈ ત્રણ જગ્યાએ પાટનગર બનશે
*
અમરાવતીમાં વૈધાનિક પાટનગર, વિશાખપટ્ટનમમાં વહીવટી અને કર્નુલમાં ન્યાયકીય પાટનગર*

●રાજ્ય સરકારે રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરી
*ડૉ. બિમલ એન.પટેલ*

●દર વર્ષે કઈ તારીખે ભૂતપૂર્વ સૈનિક દિવસ મનાવવામાં આવે છે
*14 જાન્યુઆરી*
*2017થી આ ઉજવણી થઈ રહી છે*
*2017 પહેલા પણ આ ઉજવણી થતી હતી, પરંતુ ત્યારે તેને યુદ્ધ વિરામ દિવસ કહેવામાં આવતો હતો*

●તાજેતરમાં જાપાનનું કયું જહાજ ચેન્નાઇ દરિયા કિનારે આવ્યું હતું
*ઈચિગો જહાજ*

●ભારતીય નૌસેના માટે વિશેષ પ્રકારનું ડીઝલ કઈ કંપનીએ બનાવ્યું
*IOCL*

●કેન્ટો મોમોટા મલેશિયા માસ્ટર્સ 2020ના વિજેતા બન્યા છે. તેઓ કયા દેશના સુખ્યાત બેડમિન્ટન પ્લેયર છે
*જાપાન*

●અમેરિકાએ કયા દેશને કરન્સી મેનિપ્યુલેટરની યાદીમાંથી હટાવ્યું છે
*ચીનને*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[22/01, 2:44 pm] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*~🗞Date:-22/01/2020🗞👇🏻~*

*📝22 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*આચાર્ય આનંદ શંકર ધ્રુવ*
*પૂરું નામ:-* આનંદશંકર બાપુભાઈ ધ્રુવ
*જન્મ:-* 22 જાન્યુઆરી, 1869 અમદાવાદમાં
*ઓળખ:-* ઉત્તમ કેળવણીકાર, ધર્મ ચિંતક, વિદ્વાન વિવેચક
*બિરુદ:-* પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ
*નિધન:-* 1942
એમ.એ., એલ.એલ.બી. સુધીનું શિક્ષણ
1893માં અમદાવાદની ગુજરાત કોલેજથી સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે શૈક્ષણિક કારકિર્દી શરૂ કરી
1936માં બનારસ વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ પદે પણ રહ્યા
તેમને 'વસંત' નામક સામયિક શરૂ કર્યું હતું અને 'મધુદર્શી સમન્વયકાર' તરીકે સાહિત્યમાં જાણીતા છે.
ગુજરાતના વિદ્યા જગતમાં તેઓ સુદર્શન અને વસંત જેવા સાહિત્યિક સામયિકોના તંત્રી તરીકે જાણીતા છે
*મહત્વની કૃતિઓ:-* આપણો ધર્મ, હિન્દુ ધર્મની બાળપોથી, હિન્દુ (વેદ) ધર્મ, સાહિત્ય વિચાર, કાવ્યતત્વ વિચાર, દિગ્દર્શન, વિચાર માધુરી જેવા અનેક ચિંતન ગ્રંથો તેમણે લખ્યા છે.


●71મા પ્રજાસત્તાક દિને મુખ્ય અતિથિ તરીકે કોણ આવશે
*બ્રાઝિલના પ્રમુખ જાઈર મેસિયાલ બાલ્સોનારો*

●દેશમાં ડિજિટલ પેમેન્ટમાં કયું રાજ્ય ટોપ પર છે
*કર્ણાટક*
*મહારાષ્ટ્ર બીજા અને દિલ્હી ત્રીજા સ્થાને*

●ચીનના વુહાનમાં કયો જીવલેણ વાયરસ ફેલાયો છે
*કોરોના વાયરસ*

●તાજેતરમાં સ્પેનમાં કયું વાવાઝોડું આવ્યું
*ગ્લોરિયા*

●2492 કરોડ રૂપિયામાં 'ઉબર ઇટ્સ'નો ભારતીય બિઝનેસ કોણે ખરીદી લીધો
*ચીનની ઓનલાઈન કંપની 'ઝોમેટો'એ*
*ઝોમેટો અને ઉબર ઓનલાઈન ફૂડ ડિલવરી કરતી મોબાઈલ એપ છે*

●'સ્વચ્છ ભારત અભિયાન' માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાને કયો એવોર્ડ મળ્યો
*ચેમ્પિયન ઓફ ચેન્જ એવોર્ડ*

●ઈંગ્લેન્ડ અને વેલ્સની ક્વિન એલિઝાબેથે તેમના સલાહકાર તરીકે કોને નિયુક્ત કર્યા
*ભારતના વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ સોલિસીટર જનરલ હરીશ સાલ્વેને*

●ભારતીય પાસપોર્ટ ધારકો અગાઉથી વિઝા લીધા વિના કેટલા દેશોમાં મુસાફરી કરી શકે છે
*58 દેશોમાં*

●17 જાન્યુઆરી, 2020ના રોજ મુંબઈ અને અમદાવાદ વચ્ચે નવી તેજસ એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરવામાં આવી. તે દેશની પ્રથમ કોર્પોરેટ ટ્રેન છે.પહેલી તેજસ એક્સપ્રેસ કયા બે સ્થળો વચ્ચે શરૂ થઇ ગઇ છે
*લખનૌથી દિલ્હી*

●અમેરિકન ટેલિકમ્યુનિકેશન્સ કંપની વેરીઝનના એકમ, વેરાઈઝન મીડિયાએ તાજેતરમાં ગોપનીયતા પર ધ્યાન કેન્દ્રિત કરતું એક નવું સર્ચ એન્જીન લોન્ચ કર્યું છે. તેનું નામ શું છે
*વન સર્ચ*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતા બંદર ટ્રસ્ટની 150મી વર્ષગાંઠ નિમિત્તે તેનું નામ બદલીને શું રાખવામાં આવ્યું
*શ્યામાપ્રસાદ મુખર્જી*

●પશ્ચિમ રેલવે ઝોનના જનરલ મેનેજર તરીકે કોને નીમવામાં આવ્યા
*1983 બેચના ભારતીય રેલવે એન્જીનિયર સર્વિસ ઓફિસર આલોક કંસલને*
*પશ્ચિમ રેલવે મુંબઈને ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે જોડે છે*

●સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*IPS અધિકારી એ.પી.મહેશ્વરી*

●કેન્દ્ર સરકારે RBIના ચોથા નાયબ ગવર્નર તરીકે કોની નિમણૂક કરી
*ભારતીય રિઝર્વ બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માઈકલ પાત્રા*

●રશિયાના વડાપ્રધાન દિમિત્રી મેદવેદેવે મંત્રીમંડળની સાથે રાજીનામુ આપ્યું.રશિયાના નવા વડાપ્રધાન કોણે બનાવવામાં આવ્યા
*મિખાઈલ મિશુસ્તાન*

●ભારતીય બાળ ચિકિત્સક એકેડેમીએ તાજેતરમાં કયા રાજયમાં ટીબી ફ્રી એર ફોર એવરી ચાઈલ્ડ પ્રોગ્રામનો પ્રારંભ કર્યો હતો
*કેરળ*

●છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે તાજેતરમાં રાજ્યના લાખો બેરોજગાર યુવાનો રોજગાર મેળવી શકે તે માટે કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી
*રોજગાર સાંગી*
*આ એપ્લિકેશન નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરની મદદથી બનાવવામાં આવી છે*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[23/01, 3:32 pm] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*~🗞Date:-23/01/2020🗞👇🏻~*

*📝23 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*~સુભાષચંદ્
ર બોઝ~*

*જન્મ:-* 23 જાન્યુઆરી, 1897
*જન્મસ્થળ:-* ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં
*પિતા:-* રાયબહાદુર જાનકીનાથ બોઝ કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ
*માતા:-* શ્રીમતી પાર્વતીદેવી(ધાર્મિક વૃત્તિવાળા)
*શિક્ષણ:-* કોલકાતાની પ્રેસિડન્સી કોલેજમાંથી ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કરી વધુ અભ્યાસ અર્થે ઈંગ્લેન્ડ ગયેલા
ઈંગ્લેન્ડમાં ખૂબ અઘરી ગણાતી ICS (ઇન્ડિયન સિવિલ સર્વિસ)ની પરીક્ષા ચોથા નંબરે ઉત્તીર્ણ કરીને તેઓ કોલકાતા પાછા ફર્યા
*કારકિર્દી:-* કોલકાતાની પ્રેસિડન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક તરીકે શરૂઆત કરી
અહીં રંગભેદની નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવોએ તેમના માનસમાં ક્રાંતિના બીજ રોપ્યા

તેઓ હિંદી મહાસભાના સક્રિય કાર્યકર્તા બન્યા હતા
ઇ.સ.1923માં તેઓ 'રાષ્ટ્રીય સ્વરાજ પક્ષ'માં જોડાયા
સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે રહ્યા હતા જેમાં તેઓએ જેલવાસ વેઠ્યો હતો
ઇ.સ.1938માં માત્ર 41 વર્ષની યુવાન વયે હરિપુરા (સુરત) 51મા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા એમને દર્શાવી હતી.
સુભાષબાબુના વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો ન હતો.
તેમણે ગાંધીજી સાથે મતભેદ થતા કોંગ્રેસ છોડી અને 'ફોરવર્ડ બ્લોક' નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી.
ઇ.સ.1940માં હિંદ સંરક્ષણ ધારાને આગળ ધરી તેમની ધરપકડ કરી તેઓને કારાવાસમાં પુરવામાં આવ્યા.
તેઓ પઠાણના છુપા વેશે કોલકાતાથી પેશાવર, કાબૂલ, ઈરાન, રશિયા થઈ બર્લિન (જર્મની) 28 માર્ચ, 1942ના રોજ પહોંચ્યા.
બર્લિન રેડીયો પરથી તેમણે પોતાના દેશ બાંધવોને બ્રિટન સામે જેહાદ જગાવવા અનુરોધ કર્યો.
જર્મનીમાં હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી.
તેઓએ પહેલાં રોમ અને પેરિસમાં ભારતને લગતા લશ્કતી એકમો સ્થાપી 3000 ભારતીયોની ભરતી કરી.
જુલાઈ, 1944ના રોજ આઝાદ હિન્દ રેડિયોના પ્રસારણમાં સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને 'રાષ્ટ્રપિતા' કહીને સંબોધ્યા.
તેમને જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે મુલાકાત કરી હતી.
2 જુલાઈ, 1943ના રોજ સુભાષચંદ્ર જાપાનથી સિંગાપોર ગયા.
સિંગાપોરમાં સર્વસંમતિથી 4 જુલાઈ, 1943ના રોજ "ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ"ના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ.
સુભાષચંદ્ર બોઝને અહીં "નેતાજી"નું હુલામણું નામ મળ્યું.
સુભાષચંદ્ર બોઝે 1943માં આંદામાન-નિકોબાર ટાપુઓની મુલાકાત લઈ આ ટાપુઓને અનુક્રમે 'શહીદ' અને 'સ્વરાજ્ય' નામ આપ્યા.
*નિધન:-* 18 ઓગસ્ટ, 1945
નેતાજી વિમાન મારફતે બેંગકોક-સાયગોન-ફાર્માસા તાઈપાઈ વિમાન મથકે પહોંચ્યા પણ વિમાનમાં અકસ્માતથી આગ લાગતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા.
અલબત્ત સુભાષબાબુનું આ વિમાન અકસ્માતમાં અવસાન થયું તે બાબત આજે પણ એક વણ-ઉકલ્યું રહસ્ય છે.

*સુભાષચંદ્ર બોઝે આપેલા સૂત્રો:-*
"ચલો દિલ્હી"
"તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દુંગા"
"જય હિન્દ"

"ભગતસિંહ અને ઈકબાલનો એક જ અર્થ છે"સુભાષચંદ્ર બોઝ


●ઈસરોએ માનવરહિત અંતરિક્ષ મિશન ગગનયાન માટે અંતરિક્ષમાં જનારી હ્યુમનોઈડ રોબોટ મોકલશે.આ રોબોટનું નામ શું છે
*વ્યોમમિત્ર*

●મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પોષણ અભિયાન-2020-22નો શુભારંભ ક્યાંથી કરાશે
*દાહોદ ખાતે*

●ધ ઇકોનોમિસ્ટે ડેમોક્રસી ઇન્ડેક્સ (વૈશ્વિક લોકશાહી) જાહેર કર્યો. આ ઇન્ડેક્સમાં 167 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*51મા (સ્કોર 6.90)*
*2006માં ઇન્ડેક્સ શરૂ થયાના 13 વર્ષમાં ભારતનો સૌથી ખરાબ રેન્ક*
*ભારત પહેલીવાર ટોપ-50 માંથી બહાર*
*નોર્વે સૌથી શ્રેષ્ઠ*
*આઈસલેન્ડ બીજા, સ્વીડન ત્રીજા, ફિનલેન્ડ ચોથા અને ન્યૂઝીલેન્ડ પાંચમા સ્થાને*
*ઉત્તર કોરિયા સૌથી ખરાબ*
*5 માપદંડોને આધારે આ ઇન્ડેક્સ તૈયાર થાય છે:-1.ચૂંટણી પ્રક્રિયાની સ્થિતિ, 2.સરકારની કાર્યપ્રણાલી, 3.રાજકીય ભાગીદારી, 4.રાજકીય સંસ્કૃતિ અને 5.સામાજિક સ્વતંત્રતા*

●ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ (ફિચ સમૂહ)એ નાણાકીય વર્ષ 2020-21માં ભારતનો GDP દર ઘટાડી કેટલા ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે
*5.5%*

●યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ ડેવલપમેન્ટના અહેવાલ મુજબ 2019માં સૌથી વધુ FDI લાવનારા ટોચના દસ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે.2019માં ભારતમાં FDI 16% વધીને કેટલા અબજ ડોલર રહ્યું
*49 અબજ ડોલર*

●ભારતે દેશની સૌથી મોટી કઈ તોપનું સફળ પરીક્ષણ કર્યું
*સારંગ*
*ઓર્ડિનન્સ ફેક્ટરી કાનપુર દ્વારા બનાવવામાં આવેલી*
*જબલપુર સ્થિત ખમરિયા રેન્જમાં સફળ પરીક્ષણ*
*ભગવાન વિષ્ણુના ધનુષ સારંગના નામે આ તોપનું નામ સારંગ રખાયું છે*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[24/01, 1:13 pm] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*~🗞Date:-24/01/2020🗞👇🏻~*

*📝24 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*પ્રિયકાન્ત મણિયાર*

*જન્મ:-* 24 જાન્યુઆરી, 1927, વીરમગામમાં
*પિતા:-* પ્રેમચંદભાઈ હરજીવનદાસ મણિયાર
*માતા:-* પ્રેમકુંવર
*પત્ની:-* અમરેલીના વતની અને ઈસ્ટ આફ્રિકામાં ઊછરેલ
ાં રંજનબહેન
મુંબઈ 'યુગાન્તર' સાપ્તાહિકમાં થોડો સમય કામગીરી કરી હતી
નિરંજન ભગતને પ્રિયકાન્ત 'ગુરુજન' કહેતા.
1963માં કવિતા માટે 'કુમાર ચંદ્રક' એનાયત થયો.
1972-'73માં 'સમીપ' કાવ્ય સંગ્રહ માટે ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક મળ્યું.
1982માં 'લીલેરો ઢાળ' અને 'વ્યોમલિપિ' એ બે કાવ્યસંગ્રહોનું મરણોત્તર પ્રકાશન.
*મૃત્યુ:-* 25 જૂન, 1976

*પ્રિયકાન્ત મણિયારની કાવ્ય સમૃદ્ધિ:-*
પ્રતીક (1953)
અશબ્દ રાત્રિ (1959)
સ્પર્શ (1966)
સમીપ (1972)
પ્રબલગતિ (1974)
વ્યોમલિપિ (1979- મરણોત્તર પ્રકાશન)
લીલેરો ઢાળ (1979- મરણોત્તર પ્રકાશન)


*સુમન ભારતી*

*જન્મ:-* 24 જાન્યુઆરી, 1922 કલોલ તાલુકાના નારદીપુર ખાતે
*નિધન:-* 9 ફેબ્રુઆરી, 2006
દાંડીકૂચ વખતે ઇન્કલાબ ઝીંદાબાદ, ટોપીવાળાના ટોળાં ઉતર્યા, ડંકો વાગ્યો રે શૂરા જાગજો રે કાયર ભાગજો રે જેવા સૂત્રો અને ગીતો દ્વારા તેઓ લોકજાગૃતિનું કામ કરતા હતા.
1942ના હિન્દ છોડો આંદોલનમાં સુમન ભારતી બારડોલી ખાતે લડતમાં ભાગ લેવા બદલ 7 મહિનાની જેલની સજા થઈ હતી.

આજે 24 જાન્યુઆરીએ ઇતિહાસકાર દુર્ગાશંકર શાસ્ત્રી, જનનાયક કર્પૂરી ઠાકુર, પ્રશિયાના શાસક ફ્રેડરિક દિ ગ્રેટનો જન્મદિવસ છે.

આજે હોમી ભાભા તથા સવ્યસાચી સારસ્વત ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિ છે.


●સોનાનો વિશ્વનો સૌથી નાનો સિક્કો કયા દેશે બનાવ્યો
*સ્વિત્ઝર્લેન્ડ*
*2.96 મિમી. (0.12 ઇંચ)*
*સિક્કાની એકબાજુ જીભ બહાર રાખેલી આઈન્સ્ટાઈનનો ફોટો છે*

●જાપાનનું કયું શહેર અને અમદાવાદ વચ્ચે સિસ્ટર સિટી કરાર થયા
*કોબે*

●કયા દેશમાંથી 3 હજાર વર્ષ જૂનું સિંહનું શિલ્પ મળી આવ્યું
*ઈરાક*

●કયા રાજયમાં 50 હજાર ટન ડુંગળી સંગ્રહી શકાય એવું કોલ્ડસ્ટોરેજ બનશે
*પશ્ચિમ બંગાળ*
*આવડું જંગી કોલ્ડસ્ટોરેજ ભારતમાં પ્રથમ અને એકમાત્ર હશે.*

●ગ્રીસમાં પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા
*એકાતેરિન સાકેલ્લારો પોઉલોઉ*

●બાયોકોન ફાર્માસ્યુટિકલ્સ કંપનીના સ્થાપક કિરણ મજુમદાર શોને કયા દેશ સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું
*ઓસ્ટ્રેલિયા*

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[27/01, 1:15 pm] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*🗞Date:- 25-26/01/2020🗞👇🏾*

*📝25 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*બાળસાહિત્યકાર : રમણલાલ સોની*
*પૂરું નામ:-* રમણલાલ પીતાંબરદાસ સોની
*જન્મ:-* 25 જાન્યુઆરી, 1908 મોડાસા તાલુકાના કોકાપુર ગામે
*નિધન:-* 20 સપ્ટેમ્બર, 2006
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મોડાસામાં અને સ્નાતક સુધીનું આગ્રા યુનિવર્સિટીમાંથી લીધું હતું.
1945માં મોડાસા હાઈસ્કૂલમાં શિક્ષક અને આચાર્ય બન્યા હતા.
બાળ કાવ્યો, બાળ નાટકો, બાળવાર્તાઓના ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન છે.
બાળકાવ્યનું તેમનું પહેલું પુસ્તક 'પગલાં' પ્રસિદ્ધ થયું હતું.
'રીંછ એકલું ફરવા ચાલ્યું...' એ એમનું પ્રસિદ્ધ કાવ્ય છે.
તેમને ટોલ્સટોયની વાર્તાઓ, એન્ડરસનની પરીકથાઓ, ટારઝનની સાહસકથાઓનો અનુવાદ કરી બાળકોને વાંચન માટે ઉપલબ્ધ કરી છે.
રમણ સોનીના બાળકાવ્યો, છબીલોલાલ, ભગવો ઝંડો, ઇસપની બાળવાર્તા, ગલબા શિયાળના પરાક્રમો, ગલબા શિયાળની બત્રીસ વાતો, જગતના ઈતિહાસની વીરકથાઓ, રામરાજ્યના મોતી જેવાં બાળ સાહિત્યને લગતાં અનેક પુસ્તકો લખ્યા છે.
1996માં તેમને પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.તેમને બાળસાહિત્યનો 'ગિજુભાઈ બધેકા' એવોર્ડ પણ એનાયત થયો છે.
1999માં તેમને ગુજરાત સરકાર તરફથી ગુજરાત ગૌરવ પુરસ્કાર મળ્યો હતો.

આજે પુરાતત્વવિદ કનૈયાલાલ દવે, સ્વતંત્રતા સૈનિક ચારુમતી યોદ્ધા, રમાબાઈ રાનડે અને રસાયણશાસ્ત્રી રોબર્ટ બોઇલનો જન્મદિન છે.

આજે સ્વામી આનંદ અને અભિનેત્રી પદ્મારાણીની પુણ્યતિથિ છે.


*📝26 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*કવિ કલાપી*
*પૂરું નામ:-* સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
*જન્મ:-* 26 જાન્યુઆરી, 1874
લાઠી (અમરેલી)
*બિરુદ:-* સુરતાની વાડીનો મીઠો મોરલો, અશ્રુકવિ, પ્રેમ અને આંસુના કવિ, દર્દીલી મધુરપના ગાયક
તેમનો જન્મ લાઠીના રાજવી પરિવારમાં થયો હતો.
તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં કેટલોક સમય અને બાકીનો સમય પોતાને ઘેર જ ખાનગી શિક્ષકની મદદથી અભ્યાસ કર્યો હતો.
15 વર્ષની વયે કલાપીના પ્રથમ લગ્ન કચ્છ-રોહાનાં રાજકુમારી રાજબા સાથે થયેલાં. તેમનું નામ કલાપીએ રમા રાખેલું.
કોટડાસાંગાણીની આનંદીબા નામની એક બીજી રાજકુમારી સાથે પણ કલાપીના લગ્ન એકસાથે થયેલા.
રાજબાની સાથે દાસી તરીકે આવેલી મોંઘી સાથે કલાપીને પ્રેમ થયો હતો અને તેનું નામ શોભના આપેલું.
'કલાપીનો કેકારવ' એ કલાપીની સમગ્ર કાવ્યરચનાઓનો સંગ્રહ છે.
કલાપીના કાવ્યસર્જનના મુખ્ય ત્રણ વિષયો છે : પ્રકૃતિ, પ્રણય અને પ્રભુભક્તિ.
સ્વીડનબોર્ગના વિચારોની ઊંડી અસર તેમના પર હતી.
તેમના નામ પરથી કુમારનો 'કલાપી એવોર્ડ' ગઝલ રચના માટે અપાય છે.
ગુજરાતી ફિલ્મ 'કલાપી'માં અભિનેતા સંજીવ કુમારે કલાપીની ભૂમિકા ભજવેલી છે.
કલાપીએ માત્ર 26 વર્ષનું અતિ અલ્
પ આયુષ્ય ભોગવ્યું હતું.
*મહત્ત્વની કૃતિઓ:-*
કલાપીનો કેકારવ, જેસલ અને તોરલ, હ્યદય ત્રિપુટી, દેશવટો, મરણશીલ પ્રેમી, ચુંબન વિપ્લવ, કલાપીની પત્રધારા, કાશ્મીરનો પ્રવાસ, સ્વીડનબોર્ગના વિચારો, હમીરજી ગોહિલ, માયા અને મુદ્રિકા, બિલ્વ મંગળ
*અવસાન:-* 1900


*📝26 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ભોગીલાલ ગાંધી*
*જન્મ:-* 26 જાન્યુઆરી મોડાસામાં
મોડાસા, અમદાવાદ, ભરૂચ અને મુંબઈમાં ભણી અંતે તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક થયા.
સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લઈ સાડા ત્રણ વર્ષથી વધુ સમય જેલમાં પણ રહ્યા હતા.
તેમના સાહિત્યમાં માર્ક્સ-ગાંધીની મીમાંસા દેખાય છે.
ભોગીલાલ ગાંધી સાહિત્યકાર, બૌદ્ધિક લેખક અને ગુજરાતના જાહેર જીવનના પ્રહરી હતા.


*🇮🇳71મો પ્રજાસત્તાક દિન🇮🇳*

●25 જાન્યુઆરીરાષ્ટ્રીય મતદાતા દિવસ

●હાલમાં ઓક્સફર્ડ ડિક્શનરીની 10મી એડિશન પ્રસિદ્ધ થઈ.એમાં કેટલા ભારતીય શબ્દોનો સમાવેશ થયો છે
*26*

●ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ 180 દેશોમાં કરપ્શન (ભ્રષ્ટાચાર) ઇન્ફેકસમાં ભારત કેટલામાં ક્રમે છે
*80આમા (ભારતને 100 માંથી 41 માર્ક્સ)*
*ગયા વર્ષે ભારતનો ક્રમ 78મો હતો*
*સૌથી ઓછા ભ્રષ્ટ દેશોમાં ટોચના પાંચ દેશ :-1.ડેન્માર્ક, 2.ન્યુઝીલેન્ડ, 3.ફિનલેન્ડ, 4.સિંગાપોર, 5.સ્વીડન*

●વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલ કોન્ફરન્સ ઓન સ્માર્ટ સીટીમાં કયા શહેરને દેશના 'બેસ્ટ સીટી'નો એવોર્ડ મળ્યો
*સુરત*
*દેશના સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ અમદાવાદને સ્માર્ટ સીટી મિશન એવોર્ડ 2019 અપાયો*

●આ વખતે કુલ *141 લોકોને* પદ્મ પુરસ્કાર મળશે.તેમાં *7 પદ્મ વિભૂષણ* , *16 પદ્મભૂષણ* અને *118ને પદ્મશ્રી* એવોર્ડ મળશે. તેમાંથી *8 ગુજરાતીને* પદ્મ સન્માન મળશે.👇🏻
1.પદ્મભૂષણ - *બાલકૃષ્ણ દોશી* - આર્કિટેક્ટ

*પદ્મશ્રી એવોર્ડ મેળવનાર 7 ગુજરાતી*
*1.ગફુરભાઈ એમ બિલાખિયા* -ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી
*2.HM દેસાઈ* - સાહિત્ય-શિક્ષણ
*3.સુધીર જૈન* - વિજ્ઞાન અને એન્જીનીયરીંગ
*4. YN કરંજિયા* - કળા
*5. શાહબુદ્દીન રાઠોડ* - સાહિત્ય-શિક્ષણ
*6.ડૉ. ગુરુદીપ સિંહ* - મેડિસીન
*7.નારાયણ જે જોશી કારાયાલ* - સાહિત્ય-શિક્ષણ

કંગના અને અદનાન સામીને પદ્મશ્રી
અરુણ જેટલી, સુષ્મા સ્વરાજને પદ્મવિભૂષણ અને મનોહર પારિકરને પદ્મભૂષણ

●26 જાન્યુઆરી, 2020થી દીવ,દમણ અને દાદરાનગર હવેલી એકત્રીકરણ અધિનિયમ 2019 અંતર્ગત એક સંઘપ્રદેશ થઈ જશે.આ ત્રણેય પ્રદેશના પ્રશાસક તરીકે કોની પુનઃનિયુક્તિ કરાઈ
*પ્રફુલ પટેલ*

●રાજસ્થાન CAA વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરનાર દેશનું કેટલામું રાજ્ય બન્યું
*ત્રીજું*
*કેરળ અને પંજાબે આવા પ્રસ્તાવને મંજૂરી આપી ચુક્યા છે*

●ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં 5 લાખ રન પુરા કરનાર પહેલી ટીમ કઈ બની
*ઈંગ્લેન્ડ*

●ભરત મંદિર : પોરબંદર
નિર્માણની શરૂઆત :- 1958
લોકાર્પણ :- 15 નવેમ્બર, 1959
ડિઝાઇન :- શેઠ નાનજી કાલિદાસ મહેતા
મધ્યસ્થ ખંડમાં સ્તંભ :- 64

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[28/01, 6:32 pm] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*🗞Date:-28/01/2020🗞👇🏻*

*📝28 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*કવિ રાજેન્દ્ર શાહ*
*પૂરું નામ:-* રાજેન્દ્ર કેશવલાલ શાહ
*જન્મ:-* 28 જાન્યુઆરી, 1913, કપડવંજમાં
*માતા:-* લલિતાબહેન
*પત્ની:-* મંજુલાબેન આગ્રાવાલા
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કપડવંજમાં લીધું
માત્ર 17 વર્ષની વયે તે વખતના નગરની મધ્યમાં આવેલા ટાવર ઉપર ચડી ફરકતા રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક જાળવવા બ્રિટિશ રાજ્યની પોલીસનો સામનો કરી રાષ્ટ્રધ્વજને છાતીસરસો રાખી ટાવર ઉપરથી તેમણે પડતું મૂક્યું હતું.
વડોદરા કોલેજમાંથી 1937માં તત્ત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ.થયા.
1942ના અરસામાં 'ગૃહસાધન' નામે મોદીખાનું શરૂ કર્યું ત્યારથી માંડી 1951 સુધી તેઓ જંગલોમાં લાકડાં કાપવાનો કોન્ટ્રેક્ટ રાખતી કંપનીમાં નોકરી કરતા અને 'ઇંધન' નામે કોલસાની દુકાન શરૂ કરી હતી.

*કાવ્યસંગ્રહો:-*
ધ્વનિ (1951)
આંદોલન (1951)
શ્રુતિ (1957)
મોરપીંછ (1960)
શાંત કોલાહલ (1962)
ચિત્રણા (1967)
વિષાદને સાદ (1968)
ક્ષણ જે ચિરંતન (1968)
મધ્યમા (1977)
ઉદ્દગતિ (1978)
ઇક્ષિણા (1979)
પત્રલેખા (1981)
પ્રસંગ સપ્તક (1982)
કિંજલ્કિની (1983)
વિભાવના (1983)
દ્વાસુપર્ણા (1983)
ચંદનભીની અનામિકા (1987)
પંચપર્વા (1987)
નીલાગ્જના (1989)
આરણ્યક (1992)
વિરહમાધુરી (1998)
સ્મૃતિ સંવેદના (1998)

*વિવિધ પારિતોષિકથી અભિવાદન:-*
રણજિતરામ સુવર્ણચંદ્રક - 1956
કુમાર ચંદ્રક - 1947
મહાકવિ ન્હાનાલાલ પુરસ્કાર - 1968
નર્મદ સુવર્ણચંદ્રક - 1970
સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પુરસ્કાર - 1964
શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક - 1980
ભારતીય ભાષા પરિષદ પુરસ્કાર - 1985
ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક - 1986
મૂર્ધન્ય સાહિત્યકાર સન્માન - 1993
નરસિંહ મહેતા એવોર્ડ - 1994

*2001માં 'ધ્વનિ' કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ*
દીને ભારત અને નેપાળ વચ્ચેની સીમા ગણવાની માગણી કરી રહ્યું છે
*મહાકાલી નદી*

●બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ ભાજપમાં જોડાઈ.

●છત્તીસગઢ સરકારની નિઃશુલ્ક ઉપચારની દેશની સૌથી મોટી યોજના : ડૉ. ખૂબચંદ બઘેલ સ્વાસ્થ્ય સહાયતા યોજના, અંત્યોદય રાશનકાર્ડ ધારી પરિવારો માટે 5 લાખ રૂપિયા સુધીની સહાય, અન્ય રાશન કાર્ડ ધારી પરિવારોને ૱50 હજાર સુધીની સહાય


*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[01/02, 9:56 am] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*~🗞Date:-31/01/2020🗞👇🏻~*

*📝31 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ભૂપત બહારવટિયો*
*પૂરું નામ:-* ભૂપત મેરૂજી બુબ
*જન્મ:-* 31 જાન્યુઆરી, 1922, ગાયકવાડી પ્રાંત અમરેલીના બરવાળા ગામ
*નિધન:-* 28 સપ્ટેમ્બર, 1996ના રોજ કરાચીમાં
બાહ્ય દેખાવે એકવડિયું શરીર, પાણીદાર-ખૂન્નસથી ભરેલી આંખો વાળો હતો.
ક્રિકેટ અને રમતગમતમાં અત્યંત રૂચિ ધરાવતા, નિશાનબાજીમાં પ્રવીણ ભૂપત માટે એમ કહેવાતું કે તે બે અશ્વો પર એક એક પગ રાખી સવારી કરતો.
તેણે જૂનાગઢની આરઝી હકૂમત આંદોલનમાં પણ ભાગ લીધો હતો.
1948માં સૌરાષ્ટ્રમાં ઢેબર સરકાર આવ્યા પછી થયેલા જમીન સુધારણામાં ભૂપતના બહારવટાના બીજ પડેલા હતા.
વટ, વચન અને વ્યવહાર માટે બહારવટિયો બનેલો ભૂપત સોરઠી બહારવટિયાઓની પરંપરામાં ચોરી-છૂપી નહીં જાસો મોકલી બહારવટું કરતો પણ તેના ખોફમાંથી મહિલાઓ અને નિર્દોષો બાકાત રહેતા.
42 સાથીઓની ટોળી ધરાવતા ભૂપતે એક અંદાજ પ્રમાણે તેના બહારવટા દરમિયાન 88 જેટલી હત્યાઓ અને સાડા પાંચ લાખથી વધુ રૂપિયાની લૂંટ ચલાવી હતી.

આજે કવિ મકરંદ દવે અને ગાયિકા તથા અભિનેત્રી સુરૈયાની પુણ્યતિથિ છે.


●થાઈલેન્ડમાં UN મિશનની મુખ્ય દૂત કોણ હશે
*ભારતની ગીતા સભરવાલ*
*થાઈલેન્ડમાં UNના રેસિડેન્ટ કો ઓર્ડીનેટર તરીકે નીમવામાં આવ્યા*

●રાજકોટના 17મા ઠાકોર સાહેબ જેમની હાલમાં રાજતિલક વિધિ કરવામાં આવી
*માંધાતાસિંહ*

●પહેલીવાર સૂર્યની સપાટીની સ્પષ્ટ તસવીર કોના દ્વારા લેવામાં આવી
*હવાઈ (અમેરિકા)ના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન (NSF)ના ડીનેયલ ઇનોય ટેલિસ્કોપ (DKIST) દ્વારા*

●મહિલા ઇન્ટરનેશનલ વન-ડે મેચમાં બે વાર 6 વિકેટ લેનારી દુનિયાની પહેલી ખેલાડી કોણ બની
*દક્ષિણ આફ્રિકાની લેગ સ્પિનર સુને લસ*

●સૌથી વધુ ઇન્ટરનેશનલ ગોલ કરનારી મહિલા ફુટબોલર કોણ બની
*કેનેડાની ક્રિસ્ટીન સિંકલેર*

●ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી પ્રથમ વ્યક્તિ કોણ બની
*ક્રિસ્ટીયાનો રોનાલ્ડો (20 કરોડ ફોલોઅર્સ)*

●ભારતમાં કોરોના વાઈરસનો પહેલો પોઝિટિવ કેસ કયા રાજ્યમાં નોંધાયો
*કેરળ*

●31 જાન્યુઆરી, 1948ના રોજ સતત 7 કલાક ગાંધીજીની અંતિમ યાત્રાની રેડિયો કોમેન્ટરી કોણે આપી હતી
*મેલવિલ ડી મેલોએ*

●બજાજ ઓટોના રાહુલ બજાજ એક્ઝિક્યુટિવ ચેરમેન પદ છોડશે.

*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*લાલા લજપતરાય*

*જન્મ:-* 28 જાન્યુઆરી, 1865, પંજાબના મોગા જિલ્લાના ફિરોજપુરના દુધિકે (ઢુકડે) ગામમાં
*જાણીતું નામ:-* શેર-એ-પંજાબ
*વર્તમાનપત્રો:-* ધી પંજાબી, ધી પ્યુપિલ
દયાનંદ સરસ્વતીએ શરૂ કરેલા આર્યસમાજથી તેઓ ખૂબ પ્રભાવિત થયા.
પંજાબના ખેડૂતોની લડતની આગેવાની લેવા બદલ તેમને જેલની સજા કરવામાં આવી હતી.
જહાલવાદી વિચારધારાના મુખ્ય નેતા હતા.
ભારતમાં 'તરૂણ સાગર' નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરી લાખો યુવાનોને ભારતની આઝાદી માટે તૈયાર કર્યા હતા.
*નિધન:-* સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે પોલીસની લાઠીનો માર વાગતા તેમને દવાખાનામાં દાખલ કર્યા. 17 નવેમ્બર, 1928ના રોજ તેમનું અવસાન થયું.
ભગતસિંહ, રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદે તેમના માનસપુત્રો તરીકે તેમની હત્યાનો બદલો વાળી તેમના શબ્દો સાર્થક કર્યા હતા.
ઈંગ્લેન્ડસ ડેબ્ટ ટૂ ઇન્ડિયા, દિ પોલિટિકલ ફ્યુચર ઓફ ઇન્ડિયા, કેટલાય મહાપુરુષોના જીવનચરિત્રો અને આત્મકથા લાલજીનાં સર્જનો છે.

આજે ઉત્કૃષ્ટ વિવેચક જયંત કોઠારી, વૈજ્ઞાનિક રાજા રમન્ના અને જનરલ કરિઅપ્પાનો જન્મ દિવસ છે.


●અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાને કઈ ઓડિયો બુક માટે ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*બિકમિંગ*

●અમેરિકન બાસ્કેટબોલ લીગ NBAના દિગ્ગજ ખેલાડી જેમનું હાલમાં હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું
*કોબે બ્રાયન્ટ*

●કયા રાજ્યએ અલગ બોડોલેન્ડ નહિ બનાવવા માટે કેન્દ્ર સરકાર સાથે સમજૂતી કરી
*આસામ*
*આસામ સમજૂતી 2020' હસ્તાક્ષર*

●વિશ્વની વેલ્યુએબલ બ્રાન્ડસમાં ભારતની કેટલી કંપનીનો સમાવેશ થાય છે
*11*

●અમેરિકાની 18 વર્ષીય પોપ સિંગર જેને 5 કેટેગરીમાં ગ્રેમી એવોર્ડ મળ્યો
*બિલી એલિશન*

●રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તેની પહેલી સૈનિક સ્કૂલ ક્યાં શરૂ કરશે
*ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં*

●રાષ્ટ્રીય બાલિકા દિવસ અને આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ ક્યારે મનાવામાં આવે છે
*24 જાન્યુઆરી*

●ગ્રીસના સર્વપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યા
*કેટરીના સકેલ્લરોપૌલૌ*

●વૈશ્વિક પ્રતિભા પ્રતિસ્પર્ધા સુચકાંકમાં કયા દેશે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે
*સ્વિત્ઝર્લેન્ડ*
*ભારત 72મા સ્થાને*

●ગ્રીનપીસ ઇન્ડિયા રિપોર્ટમાં દેશનું સૌથી પ્રદુષિત શહેર કયું જાહેર કરવામાં આવ્યું છે
*ઝારખંડના ઝરિયા શહેરને*

●EIU લોકતંત્ર સૂચકાંકમાં કયા દેશે પ્રથમ નંબર મેળવ્યો
*નોર્વે*

●UNના અનુમાન અનુસાર નાણાકીય વર્ષ 2020માં ભારતનો GDP ગ્રોથ રેટ કેટલા ટકા રહેશે
*5.7%*

●ખેતર લીઝ પર આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે
*ઉત્તરાખંડ*

●ટ્યુનીશિયા અને પપુઆ ન્યુ ગીનીએ ભારતના ચૂંટણી પંચ સાથે સમજૂતી કરી.

●નાઈઝરમાં દેશના પ્રથમ ગાંધી સંમેલન કેન્દ્રનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.


*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[29/01, 7:13 pm] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*~🗞Date:-29/01/2020🗞👇🏻~*

*📝29 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*ગુજરાતનાં પહેલાં મહિલા સમાજશાસ્ત્રી : ડો.તારા પટેલ*
*જન્મ:-* 29 જાન્યુઆરી, 1918, આફ્રિકાના યુગાન્ડામાં
*મૂળ વતન:-* ખેડા જિલ્લાનું પીજ
*નિધન:-* 31 જાન્યુઆરી, 2007
ખેડા જિલ્લાના સુણાવથી શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી.
સરદાર પટેલે તેમને ઉચ્ચ અભ્યાસ અને વિદેશમાં અભ્યાસની પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું.
ડો.તારાબેને કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી એમ.એ.અને લંડન યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી મેળવી હતી.
1954માં ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર તરીકે જોડાયા, વિભાગના પહેલાં અધ્યક્ષ પણ બન્યાં અને પોતાના બળે સમાજશાસ્ત્ર વિભાગને રાષ્ટ્રીય ફલક ઉપર મૂકી આપ્યો.
બક્ષીપંચની જ્ઞાતિઓ તથા ભિક્ષુકો વિશે તારાબેનના અહેવાલો આજે પણ નમૂનારૂપ છે.

આજે અમેરિકન લેખક થોમસ પેઈન, એન્ટની ચેખોવ, રોમાં રોલાનો પણ જન્મદિવસ છે.


●અમેરિકામાં ભારત ખાતેના નવા રાજદૂત કોણ બનશે
*તરનજીતસિંહ સંધુ*

●ઓક્સફોર્ડ 2019નો હિન્દી વર્ડ ઓફ ધ યર કયો શબ્દ જાહેર કરાયો
*સંવિધાન*

●નારાયણ મૂર્તિએ રતન તાતાને કયો એવોર્ડ અર્પણ કર્યો
*ટાઈકોન મુંબઈ 2020 લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ*

●રાજકોટમાં કેટલી ક્ષત્રિય યુવતીઓએ તલવારબાજી કરી ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું
*2136*

●સેલિંગ વર્લ્ડકપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ બની
*ચેન્નઈની નેત્રા કુમાન*
*બ્રોન્ઝ મેડલ મેળવ્યો*

●મહાભારત કાળને ધ્યાનમાં રાખીને કયા સ્થળે ખોદકામ દરમિયાન મળેલા અવશેષો 3800 વર્ષ જુના હોવાનું સાબિત થયું છે
*ઉત્તરપ્રદેશમાં બાગપત સિનૌલી ખાતે*

●NDRF (નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ)એ કઈ તારીખે તેનો પ્રથમ સ્થાપના દિવસ મનાવ્યો
*19મી જાન્યુઆરીએ*
*આ એજન્સીનું કામ દુર્ઘટના અને કુદરતી હોનારતમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાનું છે*

●તાજેતરમાં આંધ્રપ્રદેશમાં K-4 બેલીસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે સબમરીનમાંથી છોડવામાં
આવતી મધ્યમ અંતરની મિસાઈલ છે.તેની મહત્તમ રેન્જ 3500 કિમી છે. DRDO દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનો ઉપયોગ કઈ શ્રેણીની સબમરીનમાં થશે
*અરિહંત*

●D.I.F.F. (ધરમશાલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ)માં કઈ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ઘોષિત કરવામાં આવી
*કેસલ ઓફ ડ્રિમ્સ*
*આ એક રશિયન ફિલ્મ છે*

●હાલમાં 9મા આંતરરાષ્ટ્રીય બાળ ફિલ્મ મહોત્સવનું આયોજન ક્યાં થયું
*કોલકાતા*

●લેબેનોનમાં કોના વડપણ હેઠળ નવી સરકારની રચના કરવામાં આવી
*વડાપ્રધાન હસન દિઆબ*

●વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 50મી મિટિંગમાં કઈ ભારતીય અભિનેત્રીને ક્રિસ્ટલ એવોર્ડ આપવામાં આવ્યો
*દીપિકા પાદુકોણ*
*માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવા માટે*
*દીપિકા પાદુકોણ 'લિવ લવ લાઈફ' નામની સંસ્થા ચલાવે છે*

●કયા રાજ્યની સરકારે તાજેતરમાં 'મુખ્યમંત્રી ખેડૂત અકસ્માત કલ્યાણ યોજના' શરૂ કરી હતી
*ઉત્તરપ્રદેશ*
*આ યોજના અંતર્ગત અકસ્માતને લીધે અથવા કોઈ શારીરિક અપંગતાના કિસ્સામાં 18 થી 70 વર્ષના ખેડૂતનું મોત થાય તો ખેડૂતને ૱5 લાખની સહાય આપવામાં આવશે*

●ગ્રીનપીસ ઇન્ડિયા નામની NGO દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ ભારતનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે
*ઝારખંડનું ઝરિયા શહેર*
*આ યાદીમાં બીજા સ્થાને ઝારખંડનું ધનબાદ શહેર છે*
*આ અહેવાલ મુજબ દેશનાં 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં 6 શહેરો ઉત્તરપ્રદેશના છે*
*મિઝોરમનું લૂંગલેઇ શહેર દેશનું સૌથી ઓછું પ્રદૂષિત શહેર*

●મંત્રીમંડળની નિમણૂક સમિતિએ SBIના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોણે નીમ્યા
*ચલ્લા શ્રીનિવાસુલુ*

●યુનિટેકના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*નિવૃત્ત IAS અધિકારી યુધવીરસિંહ મલિક*

●તાજેતરમાં ભારતીય કંપની સેક્રેટરીઝ સંસ્થાનના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા
*આશિષ ગર્ગ*
*ઉપપ્રમુખ તરીકે નાગેન્દ્ર ડી.રાવ*

●કેન્દ્ર સરકારે નેશનલ સ્ટાર્ટઅપ એડવાઇઝરી કાઉન્સિલની સ્થાપનાની જાહેરાત કરી. તે કેન્દ્ર સરકારને સ્ટાર્ટઅપ કંપનીઓ માટે યોગ્ય વાતાવરણ બનાવવા માટે સલાહ આપશે.આ પરિષદનું નેતૃત્વ કોણ કરશે
*કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન*

●કયા રાજ્યની કેબિનેટે રાજ્ય માટે ત્રણ રાજધાનીઓ બનાવવાની મંજૂરી આપી છે
*આંધ્રપ્રદેશ*

●રાષ્ટ્રીય લતા મંગેશકર એવોર્ડ 2018 માટે કોની પસંદગી કરવામાં આવી છે
*પ્રખ્યાત હિન્દી સંગીત નિર્દેશક કુલદીપસિંહ*
*આ પ્રતિષ્ઠિત સન્માન મધ્યપ્રદેશ સરકાર દ્વારા અપાય છે*
*આ એવોર્ડની સ્થાપના મધ્યપ્રદેશ સરકારે 1984-85 માં કરી હતી*


*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
[30/01, 6:06 pm] Mahi Arohi: *~🔥CURRENT🔥~*

*~🗞Date:-30/01/2020🗞👇🏻~*

*📝30 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*જયશંકર સુંદરી*
*જન્મ:-* 30 જાન્યુઆરી, 1889, વીસનગર પાસે ઊંઢાઈ ગામમાં
*નિધન:-* 22 જાન્યુઆરી, 1975
બાર વર્ષની ઉંમરે સૌપ્રથમ 'સૌભાગ્યસુંદરી'માં સ્ત્રીની ભૂમિકા કરી.
મૂળ અટક 'ભોજક' ને બદલે તે 'સુંદરી' નામે ઓળખાયા.
1898માં કલકત્તા ગયા.બાળપણમાં ત્રણ વર્ષ કલકત્તામાં નાટકમાં કામ કર્યું અને 1901થી 'મુંબઈમાં 'ગેઈટી થિયેટર્સ'માં જોડાયા.
તેમણે 32 વર્ષ સુધી અનેક નાટકોમાં સ્ત્રીની ભૂમિકા કરી.તેમણે માત્ર બે નાટકમાં પુરુષની ભૂમિકા કરી.
'સુંદરી'ની આત્મકથા 'થોડાં આંસુ : થોડાં ફૂલ' નામે પ્રગટ થઈ.
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હીએ 'An Actors Prepares' નાટક ભારતમાં ઘણાં શહેરોમાં દર્શાવ્યું.આ સંસ્થાએ 'થોડાં આંસુ : થોડાં ફૂલ' પુસ્તકનો અનુવાદ પ્રગટ કર્યો.
1948માં તેઓ અમદાવાદમાં સ્થિર થયા અને ગુજરાતી નાટ્યપ્રવૃત્તિને સજીવન કરવો તેમણે જહેમત ઉઠાવી. તેમના પ્રયાસથી 'નાટ્ય વિદ્યામંદિર' અને 'નટમંડળ'ની સ્થાપના થઇ.
સિતમગર નાટકને પોતાની અભિનય કારકિર્દીનું શ્રેષ્ઠ નાટક માનતા
1952માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 1957માં રાષ્ટ્રપતિએ રંગમંચ માટે શ્રેષ્ઠ ચંદ્રક, 1964માં ગુજરાતી સાહિત્ય પરિષદના કલાવિભાગના પ્રમુખ થયા.
1971માં પદ્મભૂષણનો ખિતાબ મળ્યો.

આજે 30 જાન્યુઆરી મહાત્મા ગાંધીનો નિર્વાણ દિવસ અને સર્વોદયી કર્મશીલ લલ્લુભાઇ શેઠ, અમેરિકન પ્રમુખ ફ્રેન્કલીન રૂઝવેલ્ટનો જન્મદિવસ છે.


●કેન્દ્રીય કેબિનેટે મેડિકલ ગર્ભપાત સુધારા અધિનિયમ-2020ને મંજૂરી આપી. અવાંછિત ગર્ભ અને ગર્ભમાં ઉછરતાં ભ્રુણમાં બીમારી કે સમસ્યા હોય તો કેટલા સપ્તાહ સુધીના ગમે ત્યારે ગર્ભપાત કરાવી શકાશે
*20 સપ્તાહ*
*જ્યારે વિશેષ પરિસ્થિતિમાં (દુષ્કર્મ પીડિત, દિવ્યાંગ, સગીરાને) 20 સપ્તાહની જગ્યાએ 24 સપ્તાહ સુધી ગમે ત્યારે ગર્ભપાત કરાવી શકશે*

●વિદેશી લીગમાં રમનારી પ્રથમ ભારતીય મહિલા ફૂટબોલર કોણ બની
*બાલાદેવી*
*સ્કોટલેન્ડની કે રેંજર્સ FCએ બાલાદેવી સાથે કોન્ટ્રાકટ કર્યો*

●નેધરલેન્ડની નેવિગેશન કંપની ટોમ ટોમે 57 દેશના 46 શહેરનો ટ્રાફિક રિપોર્ટ જારી કર્યો.જે મુજબ દુનિયામાં સૌથી વધુ ખરાબ ટ્રાફિક કયા શહેરનો છે
*બેંગલુરુ*
*ટોપ-10માં મુંબઈ, પુણે અને દિલ્હીનો સમાવેશ*

●નેપાળ કઈ ન
Photo from Mahi Arohi
Photo from Mahi Arohi