સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*અમદાવાદ*
ચાર વ્યક્તિઓએ ઈ.સ.1411 માં અહમદાબાદની સ્થાપના કરી હતી.
1.બાદશાહ અહમદશાહ
2.સંત શેખ અહમદ ખટ્ટ ગંજબક્ષ(અહમદાબાદનો પાયો નાખનાર)
3.મલિક અહમદ
4.અહમદ કાઝી

*પાલનપુર*
આબુના શાસક પ્રહલાદદેવે વસાવ્યું.
જૂનું નામ પ્રહલાદનગર

*મહેસાણા*
મેસાજી ચાવડાએ વસાવ્યું

*વિસનગર*
વિસલદેવ વાઘેલાએ સ્થાપના કરી.

*પાટણ*
વનરાજ ચાવડાએ મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી પાટણની સ્થાપના કરી
જૂનું નામ :- અણહિલપુર પાટણ

*હિંમતનગર*
સ્થાપના હાથમતી નદીના કિનારે બાદશાહ અહમદશાહે કરી

*રાજકોટ*
ઈ.સ.1610માં ઠાકોર વિભાજી જાડેજાએ સ્થાપના કરી

*ભાવનગર*
ઈ.સ.1723માં ભાવસિંહજી પ્રથમે સ્થાપના કરી

*જામનગર*
જામરાવળે ઈ.સ.1540માં નવાનગરની સ્થાપના કરી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે.

*ભરૂચ*
ભરૂચને ભૃગુઋષિએ વસાવ્યું હોવાનું મનાય છે.
પ્રાચીન નામ:-ભૃગુતીર્થ, ભૃગુકચ્છ


💥રણધીર 💥
*સવિનય કાનૂન ભંગ ચળવળ અંતર્ગત દાંડી કૂચ (12 માર્ચ - 5 એપ્રિલ, 1930)*


દાંડી કૂચ માટે ગાંધીજીએ ક્યારે અમદાવાદમાં સાબરમતી નજીક વિશાળ જનમેદની સંબોધી હતી
8 માર્ચ,1930

કૂચ દરમિયાન કયા ગામે ગાંધીજીએ કહ્યું , 'કાગડાં-કૂતરાંના મોતે મરીશ,પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહિ ફરું.'
ભાટ ગામે

દાંડી કૂચની શરૂઆત અમદાવાદના સાબરમતી આશ્રમેથી કેટલા વાગે થઈ
6-20 કલાકે

દાંડી કૂચ પ્રયાણ પહેલા કોણે હરિનો મારગ છે શૂરાનો ભજન ગાયું
ખેર સાહેબે

દાંડી કૂચનું અંતર કેટલું હતું
241 માઈલ (385 કિ.મી.)

દાંડી કૂચમાં ગાંધીજી સાથે કેટલા સાથીઓ હતાં
78

દાંડી કૂચ દરમિયાન સુરતમાં પણ મીઠાના કાયદાનો ભંગ કોણે કર્યો હતો
કલ્યાણજી મહેતા

વિશ્વના મુખ્ય 10 સ્વતંત્રતા સંગ્રામોમાં ભારતના કયા સંગ્રામને સ્થાન મળ્યું છે
દાંડી કૂચ

દાંડી કૂચ પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલની 7 માર્ચ,1930 ના રોજ ક્યાંથી ધરપકડ કરાઈ હતી
રાસ ગામેથી (ખેડા જિલ્લો)

દાંડી કૂચ દરમિયાન કસ્તુરબા ગાંધી વગેરે લોકોએ કયા તળાવથી પરત ફર્યા હતા
ચંડોળા

દાંડી કૂચના સભ્યોએ પ્રથમ દિવસે કેટલું અંતર કાપ્યું
13 માઈલનું

દાંડી કૂચનો પ્રથમ રાત્રિ નિવાસ ક્યાં કર્યો હતો
અસલાલી

ગાંધીજીની દાંડી કૂચને સુભાષચંદ્ર બોઝે કોની સાથે સરખાવી છે
નેપોલિયનની પેરિસ માર્ચ અને મુસોલિનીની રોમ માર્ચ સાથે

મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચને કોની સાથે સરખાવી છે
મહાભિનિસ્ક્રમણ

દાંડી કૂચના અંતે બ્રિટિશ સરકારે ગાંધીજીની ધરપકડ ક્યાંથી કરી
કરાડી ગામેથી

ધરાસણામાં કોણે મીઠાના સરકારી ડેપો સુધી અહિંસાત્મક સત્યાગ્રહીઓ સાથે યાત્રાનું નેતૃત્વ લીધું
સરોજીની નાયડુએ

મલાબારમાં મીઠા સત્યાગ્રહ કોણે આયોજિત કર્યો
કે.કેલપ્પને

ગાંધીજીની ધરપકડનો વિરોધ કરવા કઈ જગ્યાએ લોકોએ વિદ્રોહ કર્યો
સોલાપુરમાં


💥રણધીર💥
*આમુખ*

ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરનાર : જવાહરલાલ નહેરુ

ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો : 13 ડિસેમ્બર,1946

બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર : 22 જાન્યુઆરી,1947

બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત : 22 જાન્યુઆરી,1950

આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર : સર બી.એન.રાવ

આમુખનો સ્ત્રોત : અમેરિકા

આમુખની ભાષાનો સ્ત્રોત : ઓસ્ટ્રેલિયા

આમુખને બંધારણને સમજવાની ચાવી કહેવાય છે.



*આમુખનો વિવાદ*


1.આમુખને બંધારણનો ભાગ ન મનાયો

સુપ્રીમ કોર્ટે કારણ દર્શાવ્યું

આમુખ માત્ર બંધારણના હેતુઓ દર્શાવતું હોવાથી તે બંધરણનું અંગ નથી

કેસ

બેરુબાડી કેસ (1960)
સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય (1964)
ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય (1967)
ભારતીચંદ્ર વિરુદ્ધ મૈસુર રાજ્ય (1970)



2.આમુખને બંધારણનો ભાગ મનાયો

સુપ્રીમ કોર્ટે કારણ દર્શાવ્યું

બંધારણનું વાંચન અને અર્થઘટન આમુખના આધારે જ થવું જોઈએ

કેસ

કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય (1973) [કેસ ચુકાદો 1973માં આવ્યો અને કેસ 1971 નો હતો]


💥રણધીર💥
*સાહિત્યકારો અને તખલ્લુસ*


બેકારઈબ્રાહિમ પટેલ
બેફામબરકતઅલી વિરાણી



ભોગીલાલ ગાંધીઉપવાસી
ઈન્દુલાલ ગાંધીપિનાકપાણિ
ચંપકલાલ ગાંધીસુહાસી



અરદેશર ખબરદારઅદલ, મોટાલાલ
અરદેશર બી. ફરામબોજબીરબલ



શૂન્યઅલીખાન બલોચ
શૂન્યમ્હસમુખભાઈ પટેલ



ચિનુભાઈ પટવાફિલસૂફ
ચિનુ મોદીઈર્શાદ



પ્રેમભક્તિકવિ ન્હાનાલાલ
પ્રેમસખીપ્રેમાનંદ સ્વામી


💥રણધીર💥


બાલાભાઈ દેસાઈજયભિખ્ખુ
બાલાશંકર કંથારિયાનિજાનંદ,મસ્ત, બાલ ક્લાન્ત કવિ



શિવમ સુંદરમહિંમતલાલ પટેલ
શશિ શિવમચંદ્રશંકર ભટ્ટ



દ્વૈપાયનસુંદરજી બેટાઈ
કૃષ્ણ દ્વૈપાયનમોહનભાઇ પટેલ



શૂન્ય પાલનપુરીઅલીખાન બલોચ
સૈફ પાલનપુરીસૈફુદ્દીન ગુલામઅલી ખારાવાલા



ચુનીલાલ ભગતપૂ. મોટા
ચુનીભાઈ પટેલદ્યુમાન



જન્મશંકર બુચલલિત
ચંદ્રવદન બુચસુકાની



💥રણધીર💥
વસંત કે વર્ષાઋતુનું વર્ણન વાળો કાવ્ય પ્રકાર
ફાગુ

'સ્યુગર કોટેડ કવીનાઇન પીલ્સ' તરીકે જાણીતું હાસ્ય
પ્રેમાનંદનું

પ્રેમાનંદને 'A Prince of Pragiarists' કહ્યા
કનૈયાલાલ મુનશીએ

'પંડિતોનો-બ્રહ્મણોનો કવિ' પ્રેમાનંદને કોણે કહ્યું
નવલરામ પંડ્યા

અનંતરાય રાવળે કોના કવિત્વને આગિયાના ઝબકારા સાથે સરખાવ્યું
શામળ

'Most Gujarati of Gujarati Poets' કોના માટે
પ્રેમાનંદ માટે

કડવાને બદલે મીઠા સંજ્ઞા પ્રયોજનાર
દયારામ

'રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી' પ્રેમાનંદ માટે કોણે કહ્યું
નવલરામ પંડ્યા

વેદાંતવાદી અને સમાજને ફટકો મારનાર કવિ
અખો

'અખાનું ખડખડા હાસ્ય આપણાં સાહિત્યનું મહામૂલુ ધન' કહેનાર
ઉમાશંકર જોશી

દયારામનો ચર્ચાસ્પદ કિસ્સો
રતન સોનારણ સાથે

'દયારામનું ભક્ત કવિઓમાં સ્થાન નથી, પ્રણયના અમર કવિઓમાં છે' વિધાન
કનૈયાલાલ મુનશી

માંડણે પોતાના છપ્પાને શું કહ્યું
વીશી

રત્નો ખરેખર સાચું રત્ન હતો- કહેનાર
ન્હાનાલાલ

નર્મદને તેના મિત્રો બોલાવતા તે નામ
લાલજી

નર્મદે અપનાવેલો મુદ્રાલેખ
પ્રેમશૌર્ય

સ્વસુધારક મંડળીના સ્થાપક
મણિલાલ દ્વિવેદી

'વિવેચક તે કવિનો જોડીયો ભાઈ જ છે' વિધાન
નરસિંહરાવ દિવેટિયા

ગોવર્ધનરામ દ્વારા ચંદા અને મેઘના કવિનું બિરુદ
આનન્દશંકર ધ્રુવને

ગુજરાતી ભાષાને ગર્ભદશાનો કાળ કહ્યો
ગોવર્ધનરામ ત્રિપાઠી

સૌરાષ્ટ્રના ગિરનાર પર્વતનો વિસ્તૃત ઈતિહાસ આપનાર કવિ
વિજયસેનસૂરિ

'સંદેશકરાસ' નામની કૃતિ લખનાર મુસ્લિમ કવિ
અબ્દુર રહેમાન

વલ્લભ મેવાડાને 'પહેલી ટુકડીમાં મુકવા જોગ' કહેનાર સર્જક
નર્મદ

ગરીબીના કારણે 'ગુજરાતનો જયદેવ' તરીકે ઓળખાતા કવિ
દયારામ

'શાંતિદાસ' વાર્તાથી વિશેષ જાણીતા બનનાર સર્જક
અંબાલાલ સાકરલાલ દેસાઈ

દાસી જીવણનું સમાધિસ્થળ
ઘોઘાવદર


💥રણધીર 💥
*ગુજરાતના લોક નૃત્યો*


*One Liner Questions*


ગરબો શબ્દ કયા શબ્દ પરથી બન્યો છે
ગર્ભદીપ(ઘડામાં મુકાયેલો દીવો)

દાંડિયા રાસ એ ખાસ કયા પુરૂષોનું નૃત્ય છે
મેર પુરુષો

ગરબી એ પુરુષો દ્વારા થતું કેવું નૃત્ય છે
સંઘનૃત્ય

ગોફ ગૂંથણ એ કયા લોકોનું નૃત્ય છે
સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું

ચોરવાડની કોળી બહેનોનું શ્રમહારી નૃત્ય અને વેરાવળની ખારવણ બહેનોનું નૃત્ય કયું છે
ટિપ્પણી નૃત્ય

ચુનાને પીસતી વખતે કયું નૃત્ય કરવામાં આવે છે
ટિપ્પણી નૃત્ય

ભાલ અને નળકાંઠાના પઢારો દ્વારા કયું નૃત્ય થાય છે
મંજીરા નૃત્ય

ઢોલો રાણો નૃત્ય કયા વિસ્તારના કોળીઓ દ્વારા થાય છે
ગોહિલવાડ

રાસડા એ કયા વિસ્તારનું નૃત્ય છે
સૌરાષ્ટ્ર

રાસડાનો પ્રકાર કયો છે
ત્રણ તાલી રાસનો

ભીલ નૃત્ય કયા વિસ્તારનું જાણીતું નૃત્ય છે
પંચમહાલ

ભીલ નૃત્યમાં આકર્ષણની બાબત કઈ છે
કૂદકાઓ અને ચિચિયારીઓ

મેરાયો નૃત્ય બનાસકાંઠા જિલ્લાના કયા તાલુકાના ઠાકોરોનું નૃત્ય છે
વાવ

સીદીઓનું ધમાલ નૃત્ય મુખ્યત્વે કયા ગામમાં જોવા મળે હોય છે
જાફરાબાદ પાસે જંબુસર ગામમાં

સીદીઓના ધમાલ નૃત્યમાં મશીરા એટલે શું
નાળિયેરની આખી કાચલીમાં ભરેલી કોડીઓ

સીદીઓના ધમાલ નૃત્યમાં ધમાલ એટલે શું
નાની ઢોલકી

સીદીઓનું મૂળ વતન કયું છે
આફ્રિકા

ઉત્તર ગુજરાતમાં ઠાકોરો,રાજપૂતો અને પાટીદાર વગેરે કોમની બહેનો દ્વારા કયું નૃત્ય થાય છે
જાગ નૃત્ય

ડોકા અને હુડા રાસ સૌરાષ્ટ્ર વિસ્તારની કઈ કોમ સાથે સંકળાયેલું નૃત્ય છે
ભરવાડ

કયું નૃત્ય મહેસાણા જિલ્લાના ઠાકોરો સાથે સંકળાયેલું નૃત્ય છે
રૂમાલ નૃત્ય(હોળી અને મેળાના પ્રસંગે)

મરચી નૃત્ય કયા સમાજની બહેનો લગ્ન પ્રસંગે કરતી હોય છે
તૂરી સમાજની

ડાંગી નૃત્યને બીજા કયા નામે ઓળખવામાં આવે છે
ચાળો

માંડવા તેમજ આલેણી-હાલેણી કયા જિલ્લાના તડવી આદિવાસીઓનું લોકનૃત્ય છે
છોટા ઉદેપુર (આદિવાસી કન્યાઓનું ઋતુ નૃત્ય)

કયું નૃત્ય સુરત અને તાપી જિલ્લાના દુબળા આદિવાસીઓનું નૃત્ય છે
હાલી નૃત્ય

ગુજરાતમાં સારા પ્રસંગે રાંદલ માતાને તેડતા સમયે સ્ત્રીઓ દ્વારા થતા નૃત્યને કયું નૃત્ય કહેવામાં આવે છે
હમચી અથવા હીંચ નૃત્ય


💥રણધીર💥
દેશો વચ્ચે હકારાત્મક વાતાવરણ ઊભું કરવા માટે આપવામાં આવતો ઉ થાન્ટ પુરસ્કાર કયા દેશ દ્વારા અપાય છે
મ્યાનમાર

માનવાધિકારના રક્ષણ માટે યુનેસ્કો દ્વારા કયુ પ્રાઈઝ આપવામાં આવે છે
સખારોવ પ્રાઈઝ

ટેમ્પલટન પુરસ્કાર કયા ક્ષેત્રે મહત્વનું યોગદાન આપવા બદલ આપવામાં આવે છે
ધર્મ

આંતરરાષ્ટ્રીય હિત માટે આપવામાં આવતો ફિનલે પુરસ્કાર કયા દેશની સરકાર દ્વારા આપવામાં આવે છે
ક્યુબા

આગ,પાણી જેવા અકસ્માતમાંથી કોઈનો જીવ બચાવવા બદલ ભારત સરકાર દ્વારા કયો મેડલ આપવામાં આવે છે
જીવન રક્ષા મેડલ

વિદેશમાં ગાંધી મૂલ્યના જતન માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે
જમનાલાલ બજાજ પુરસ્કાર

શ્રેષ્ઠ સંસદસભ્યને કયો પુરસ્કાર આપવામાં આવે છે
ગોવિંદ વલ્લભ પંત પુરસ્કાર

સાહિત્ય ક્ષેત્રે રવિન્દ્ર પુરસ્કાર કયા રાજ્યની સરકાર દ્વારા આપવામાં આવે છે
ત્રિપુરા

મધ્ય પ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવતું સન્માન
તાનસેન સન્માન : સંગીત ક્ષેત્રે
કાલિદાસ સન્માન : નાટય ક્ષેત્રે
કબીર સન્માન : સાહિત્ય ક્ષેત્રે

સંગીત,લેખન,રમત ગમત અને સમાજ સેવા બદલ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કયો પુરસ્કાર આપવામાં આવે છે
યશ ભારતી પુરસ્કાર

ભારતીય વાયુ સેનાનું સર્વોચ્ચ સન્માન કયું છે
સ્ટાન્ડર્ડ એન્ડ કલર્સ એવોર્ડ

કયા પુરસ્કારને નોબેલ પુરસ્કારનો વિકલ્પ મનાય છે
રાઈટ લાઈવલીહુડ


💥રણધીર 💥
*મુખ્ય મથક ધરાવતા ગુજરાતના જિલ્લાઓ*

કચ્છભૂજ
ગીર-સોમનાથવેરાવળ
દેવભૂમિ દ્વારકાખંભાળિયા
બનાસકાંઠાપાલનપુર
સાબરકાંઠાહિંમતનગર
અરવલ્લીમોડાસા
ખેડાનડિયાદ
પંચમહાલગોધરા
નર્મદારાજપીપળા
તાપીવ્યારા
મહીસાગરલુણાવાડા
ડાંગઆહવા


💥રણધીર💥

*ગુજરાતમાં સ્થાપના અને અથાપક*

કિસાન મજદૂર લોકપક્ષચીમનભાઈ પટેલ

અમૂલ ડેરી (આણંદ) અને સેવક સમાજ(આણંદ)ત્રિભોવનદાસ પટેલ

પ્રથમ ઇજનેરી કોલેજ(વલ્લભ વિદ્યાનગર)ભાઈલાલભાઈ પટેલ

નિહારિકા ક્લબબચુભાઇ રાવત

ગાંધર્વ નિકેતન (ભરૂચ)પંડિત ઓમકારનાથ ઠાકુર

કલાયતન(વલસાડ)ભીખુભાઇ ભાવસાર

સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક (અમદાવાદ)નંદન મહેતા

અષ્ટછાપ વિદ્યાપીઠ(અમદાવાદ)વિઠ્ઠલદાસ બપોદર

ગુજરાત કલાસંઘ(અમદાવાદ)રવિશંકર રાવળ

શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ (અમદાવાદ)રસિકલાલ પરીખ

વાસ્તુશિલ્પબાલકૃષ્ણ દોશી

ગુજરાત કલા મંદિર(ગોંડલ)મહંમદ અશરફ ખાન

ભરત નાટયપીઠ મંડળીજશવંત ઠાકર

ઈન્ડિયન નેશનલ થિયેટર (INT)દામુભાઈ ઝવેરી

નાટ્યસંપદાકાંતિ મડિયા

એલેમ્બિક કેમિકલ વર્કસત્રિભુવનદાસ ગજ્જર

હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર(પાટણ)પુણ્યવિજયજીમુનિ

આર્યોદય સ્પીનિંગ મિલ(અમદાવાદ)મંગળદાસ ગિરધરદાસ

કેલિકો મ્યુઝિયમ (અમદાવાદ)અંબાલાલ સારાભાઈનો સંગ્રહ

💥💥

એચ.એલ.કોલેજ (અમદાવાદ)અમૃતલાલ હરગોવિંદદાસ

ભુવનેશ્વરી પીઠ (ગોંડલ)જીવરાજ શાસ્ત્રી

હડાણા લાઈબ્રેરીવાજસુરવાળા દરબાર

શેક્સપિયર સોસાયટીસંતપ્રસાદ ભટ્ટ

શ્રુતિ સંગીત સંસ્થારાસબિહારી દેસાઈ

નૃત્ય ભારતીઈલાક્ષી ઠાકોર


💥રણધીર 💥

*ભારતમાં પ્રથમ મહિલા*


પ્રથમ મહિલા વિદેશ મંત્રીશ્રીમતી ઈન્દિરા ગાંધી

સ્વતંત્ર રૂપે પ્રથમ મહિલા વિદેશ મંત્રીશ્રીમતી સુષ્મા સ્વરાજ



પ્રથમ મહિલા IASઅન્ના જ્યોર્જ

પ્રથમ મહિલા IPSકિરણ બેદી



સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજફાતિમા બીબી

હાઈકોર્ટના પ્રથમ મહિલા જજલીલા શેઠ (હિમાચલ પ્રદેશ)



એવરેસ્ટ શિખર સર કરનાર પ્રથમ મહિલાબચેન્દ્રી પાલ

એવરેસ્ટ પર બે વાર ચઢનાર પ્રથમ મહિલાસંતોષ યાદવ



ઈંગ્લીશ ખાડી પાર કરનાર પ્રથમ મહિલાઆરતી સહા

ઈંગ્લીશ ખાડી ઝડપથી તરનાર પ્રથમ મહિલાઅનિતા સૂદ



મિસ વર્લ્ડ બનનાર પ્રથમ મહિલારીટા ફારિયા

મિસ યુનિવર્સ બનનાર પ્રથમ મહિલાસુષ્મીતા સેન



ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ મહિલાકર્ણમ મલેશ્વરી (બ્રોન્ઝ),(વેઇટ લીફટીંગ, 2000-સિડની)

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા પ્રથમ મહિલાકલમજીત સિદ્ધુ



વાયુસેનામાં પ્રથમ મહિલા પાયલોટહરિતા કૌર દયાલ

પ્રથમ મહિલા એરલાઇન પાયલોટદુર્ગા બેનરજી

પ્રથમ મહિલા વ્યયસાયિક પાયલોટપ્રેમા માથુર



અરુંધતી ભટ્ટાચાર્યભારતીય સ્ટેટ બેન્કના પ્રથમ મહિલા અધ્યક્ષ

અરુંધતી રોયબુકર પ્રાઈઝ વિજેતા પ્રથમ મહિલા



💥રણધીર 💥
મરચું તીખું લાગવાનું કારણ શું છે
કૈપસૈઈસીનની હાજરી

ડેલહાઉસી પર્યટન સ્થળ કયા રાજયમાં છે
હિમાચલ પ્રદેશ

મહાન ધાર્મિક ઘટના મહામસ્તકાભિષેક શેની સાથે સંકળાયેલ છે
બાહુબલી- જૈન ધર્મ

સંસદમાં શૂન્યકાળની શરૂઆત કયા વર્ષથી થઈ
1962

કયો રાજકીય પક્ષ પહેલા જનસંઘ તરીકે ઓળખાતો
ભાજપ

સૌથી વધુ પાણી કયા ફળમાં હોય છે
તરબૂચ

વિવિધ મરચાંની તીખાશ જાણવા માટે કયા સ્કેલનો ઉપયોગ થાય છે
સ્કોવિલ સ્કેલ

સંથારો કયા ધર્મ સાથે સંબંધિત છે
જૈન

સીટન શેની ગુણવત્તા નીર્ધાર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે
ડીઝલ

ફિલાટેલીનો સંબંધ શેની સાથે છે
ટપાલટિકિટ

1939માં કોંગ્રેસને છોડ્યા પછી સુભાષચંદ્ર બોઝે કયા પક્ષની સ્થાપના કરી
ફોરવર્ડ બ્લોક

મચ્છરોના નિયંત્રણ માટે કઈ માછલીનો ઉપયોગ કરવામાં આવે છે
ગૈમ્બુસિયા

નાતાલ પછીના બીજા દિવસને કયા નામે ઓળખવામાં આવે છે
બોક્સિંગ ડે

ભારતનું રાષ્ટ્રીય વાદ્ય યંત્ર કયું છે
સિતાર

સુનિતા વિલિયમ્સ ગુજરાતના કયા ગામના વતની છે
ઝુલાસણ

કયા ઘાટમાં જવાહર સુરંગ નિર્મિત કરાઈ છે
બનિહાલ

ડેમોગ્રાફીમાં શેનો અભ્યાસ થાય છે
માનવવસ્તી

'બિટીંગ ધ રીટ્રીટ' નો સંબંધ શેની સાથે છે
પ્રજાસત્તાક દિવસ

'ઇટ વોઝ ફાઇવ પાસ્ટ મિડનાઈટ' શેની સાથે સંકળાયેલ છે
ભોપાલ ગેસ દુર્ઘટના

કઈ ક્રાંતિને ઓક્ટોબર ક્રાંતિ કહેવામાં આવે છે
રશિયન ક્રાંતિ

કયા ભારતીય ખેલાડીના નામ પર એક ગ્રહને નામ અપાયું છે
વિશ્વનાથ આનંદ

સૌથી જૂની હાઈકોર્ટ કઈ છે
કલકત્તા

ઘોડાલિયું શું છે
આદિવાસીઓનું વાદ્ય

પ્રથમ નાણાં પંચની રચના 1952માં કરવામાં આવી હતી. તેના અધ્યક્ષ કોણ હતા
કે.સી.નિયોગી

ભારત આઝાદ થયું ત્યારે કોંગ્રેસ પ્રમુખ કોણ હતા
જે.બી.કૃપલાણી

લોહીનું કેન્સર બીજા કયા નામે ઓળખાય છે
લ્યુકેમિયા

આલ્ફા કેરોટીન એક પ્રોટીન છે જે શેમાં ઉપસ્થિત છે
ત્વચા

ચેરાપુંજીનું નવું નામ શું છે
સોહરા

'અય મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાની' કાવ્યના રચયિતા કોણ છે
પ્રદીપજી

શાના લીધે વિવિધ ફૂલોમાં જુદા-જુદા રંગની વિવિધતા આવે છે
ક્રોમોપ્લાસ્ટ

કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય છે
સોડિયમ

અમ્બરેલા રેવોલ્યુશન કોને કહેવામાં આવે છે
લોકશાહી માટે હોંગકોંગના વિદ્યાર્થીઓનો વિરોધ

કન્ફ્યુશિયસ કોણ હતા
ચીની તત્વજ્ઞાની

વિજયનગર રાજ્યની સ્થાપના કઈ નદીના કિનારે કરવામાં આવી હતી
તુંગભદ્રા

ગુજરાતના મોરબી જિલ્લાની મચ્છુ નદીમાં ક્યારે પૂર આવ્યું હતું
ઈ.સ.1979

ચમેલીદેવી પુરસ્કાર કયા ક્ષેત્રે યોગદાન આપનારને આપવામાં આવે છે
પત્રકારત્વ ક્ષેત્રે

ધમાલ નૃત્યમાં સીદીઓ જે ઢોલ વગાડે છે તેને શું કહે છે
મુશીરા

સંયુકત રાષ્ટ્રસંઘની મહાસભાના પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ કોણ હતા
વિજયાલક્ષ્મી પંડિત

ઓગસ્ટ માસની કઈ તારીખે 'વિશ્વ સ્તનપાન દિવસ' મનાવાય છે
1 ઓગસ્ટ


💥રણધીર 💥
કોણે જનતાને ચારસુત્રીય સંદેશ સ્વધર્મ,સ્વરાજ,સ્વદેશી અને સ્વભાષા આપેલ
આર્યસમાજ

કયા પ્રોટીનની જરૂરિયાત રક્ત જામવામાં ઉપયોગી છે
ફાઇબ્રિનોઝેન

દિવસના પ્રકાશમાં જોવાનું અને રંગ જોવાનું કાર્ય કોનું છે
શંકુકોષો

કેટલા દેશ એવા છે જે ભારત સાથે સ્થળસીમા અને સમુદ્રીસીમા બંનેથી જોડાયેલા છે
ત્રણ

થારના રણ સાથે સંકળાયેલા પાકિસ્તાની વિસ્તારના રણને કયા નામે ઓળખવામાં આવે છે
ચોલીસ્તાન

આઝાદી પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું વિભાજન કયા વર્ષે થયું હતું
1969

સુપ્રીમ કોર્ટે કયા કેસમાં કહ્યું કે આમુખ બંધારણનો ભાગ નથી
બેરુબારી કેસ

મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત કોનાથી પ્રભાવિત થઈને જૈન ધર્મના અનુયાયી બન્યા
ભદ્રબાહુ

છાપાની શાહીમાં કયું ઝેરી તત્વ હોય છે
લેડ

ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ છે
ચાર

ડર્મેટાઇઝ રોગ શરીરના કયા અંગને અસર કરે છે
ચામડી

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું પ્રતીક શું છે
તાડવૃક્ષ સાથે વાઘ

'તીન બીઘા' કોરિડોર કોને જોડે છે
બાંગ્લાદેશ-ભારત

'EEG' કોની પ્રવૃત્તિ નોંધે છે
મગજ

સેન્ટ્રલ લેજીસ્લેટિવ એસેમ્બલીના પ્રથમ ભારતીય અધ્યાક્ષ (સ્પીકર) કોણ હતા
વિઠ્ઠલભાઈ પટેલ

ટીબીયા હાડકું શરીરના કયા અંગમાં હોય છે
પગ

બ્લડ ગ્રુપની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી
કાર્લ લેન્ડ સ્ટીનર

ભારતમાં સૌપ્રથમ નગરપાલિકા ક્યાં સ્થાપવામાં આવી હતી
મદ્રાસ

ઓસ્કાર પુરસ્કાર માટે પસંદ થયેલી પ્રથમ ભારતીય ફિલ્મ કઈ હતી
મધર ઇન્ડિયા

કરકુમા લોંગા કયા માસાલાનું વૈજ્ઞાનિક નામ છે
હળદર

પરમાણુ વીજળી ઉત્પન્ન કરવા કાચા માલ તરીકે શેનો ઉપયોગ થાય છે
થોરિયમ

વિશ્વનો પ્રથમ અંતરિક્ષ પર્યટક (સ્પેસ ટુરિસ્ટ) કોણ છે
ડેનિસ ટી.ટો.

રાષ્ટ્રીય ચળવળમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ડો. એની બેસન્ટ મૂળ કયા દેશના મહિલા હતા
આયર્લેન્ડ

પ્રાણીઓના વૈજ્ઞાનિક નામ લખવા માટે કઈ ભાષાનો ઉપયોગ કરાય છે
લેટિન

કયા તત્વ સાથે પાણી આવવાથી આગ લાગી શકે છે
સોડિયમ

તાંબાનું શત્રુ તત્વ કયું છે
ગંધક

જે પ્રક્રિયાથી ઓક્સિજન આવે છે તેને શું કહે છે
ફોટોસિન્થેસિસ

કયા વૃક્ષમાંથી કાઢેલી ઔષધિ મેલેરિયાના રોગમાં ઉપયોગી બને છે
સિંકોના વૃક્ષ

પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા વડાપ્રધાનની સરકાર વખતે મળ્યો
પી.વી.નરસિંહરાવ

'કેળવે તે કેળવણી' ના લેખક કોણ છે
નરેન્દ્ર મોદી

વરઘોડામાં સામેલ લોકોને શું કહેવામાં આવે છે
સાજન

જમશેદપુર કઈ નદી પર વસેલું છે
સુવર્ણરેખા

બાળકની જાતિ કોના રંગસૂત્ર પરથી નક્કી થાય છે
પિતાના

માણસની કિડનીમાં થતી પથરીમાં કયું તત્વ હોય છે
કૅલ્શિયમ ઓક્ઝેલ્ટ

ભારત છોડો આંદોલન વખતે (1942)કોંગ્રેસ પ્રમુખ કોણ હતા
અબુલ કલામ આઝાદ

કયું એવું ભારતીય શાસ્ત્રીય નૃત્ય છે જેનું નામ તેના ઉદ્દભવસ્થળ પરથી પડ્યું છે
કુચિપુડી

પ્રમાણસર પ્રતિનિધિત્વનો ઉપયોગ કોની ચૂંટણીમાં કરવામાં આવે છે
રાષ્ટ્રપતિ

ઓડિશાનું જૂનું નામ શું હતું
કલિંગ

ટ્રોમ્બે ખાતેની પ્રથમ અણુભઠ્ઠીનું નામ શું છે
અપ્સરા

ઘરમાં વૃક્ષોના નાના કદનો ઉછેર વિકસાવવાની જાપાની કળાનું નામ શું છે
બોનસાઈ

ભારતના કયા રાજ્યને સોયાબીન સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે
મધ્ય પ્રદેશ

11 ઓક્ટોબર,2014ના લોકનાયક જયપ્રકાશ નારાયણના જન્મ દિવસે કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો
સાંસદ આદર્શ ગ્રામ યોજના

અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રની કઈ શાખા માટે નોબેલ પ્રાઈઝ મળ્યું હતું
કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર


💥રણધીર💥
ભારતના સૌપ્રથમ કેનાલ સોલર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ છે
મહેસાણા

મહાત્મા ગાંધી1932માં આમરણ ઉપવાસ પર બેસવાનું મુખ્ય કારણ શું હતું
રામસે મેકડોનાલ્ડ દ્વારા "કોમ્યુનલ એવોર્ડ"ની જાહેરાત

હિટલરની આત્મકથા 'મીનકેમ્ફ'નો શાબ્દિક અર્થ શું છે
મારો સંઘર્ષ

એશિયા અને ઉત્તર અમેરિકાને અલગ કરનાર કઈ ખાડી છે
બેરિંગ ખાડી

બે જગ્યાઓ વચ્ચેનો તફાવત કયા કારણે હોય છે
રેખાંશ

જો વાતાવરણ ન હોય તો દિવસનો સમય.............
કોઈ ફરક ન પડે

અલિયા બેટ કઈ નદીમાં સ્થિત છે
નર્મદા

"ફેમા"નો કાયદો કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે
વિદેશી હૂંડિયામણ

ઓપથેલમોલોજીસ્ટ કયા અંગના રોગના નિષ્ણાત ગણાય છે
આંખ

NID સંસ્થા ક્યાં આવેલી છે
અમદાવાદ

સિમલા કરાર કોની-કોની વચ્ચે થયા હતા
ઇન્દિરા ગાંધી અને ભુટ્ટો

ભારતીય રિસર્ચ સ્ટેશન હિમાદ્રિ ક્યાં આવેલું છે
આર્કટિક

ભારતમાં કયા રાજયમાં કાળા મરીનું સર્વોચ્ચ ઉત્પાદન થાય છે
કેરળ

દ્રવ્યનું ઊર્જામાં રૂપાંતર થઈ શકે છે, એ સિદ્ધાંતનું પ્રતિપાદન કોણે કર્યું
આલ્બર્ટ આઈન્સ્ટાઈન

પેન ડ્રાઇવની મેમરી કયા પ્રકારની હોય છે
ફ્લેશ મેમરી

સ્ટીવ જોબ્સના અધિકૃત જીવનકથા "સ્ટીવ જોબ્સ"ના લેખક કોણ છે
વોલ્ટર આઇજેક્સન

ત્રાસવાદી ઓસામા બિન લાદેનને જે ઓપરેશનમાં મારવામાં આવ્યું તેનું નામ શું છે
ઓપરેશન નેપચ્યુન સ્પિયર

ભારતનું સૌથી મોટું વિંડફાર્મ ગુચ્છ કયા રાજયમાં છે
તમિલનાડુ

કરગમ ક્યાંનું લોક નૃત્ય છે
તમિલનાડુ

ભારતમાં સૌપ્રથમ કયું રાષ્ટ્રીય પાર્ક બનાવવામાં આવ્યું છે
જિમ કોરબેટ રાષ્ટ્રીય પાર્ક

કયા દેશમાં થયેલ વિરોધ પ્રદર્શન અને સત્તા પરિવર્તનને સામાન્ય રીતે 25 જાન્યુઆરી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે
મિસ્ર

સશસ્ત્ર સીમા બળ કયા સરહદના રક્ષણ માટે છે
ભારત-ભૂતાન અને ભારત-નેપાળ

1919માં દિલ્હીમાં મળેલ અખિલ ભારતીય ખિલાફત આંદોલનના અધ્યક્ષ (પ્રમુખ) કોણ હતા
શૌકત અલી

મુસ્લિમ લીગના સ્થાપક કોણ હતા
નવાબ સલીમઉલ્લાહ

ઇન્સ્યુલિન શરીરના કયા અવયવમાં બને છે
સ્વાદુપિંડ

કેનસેટ ક્યાંનું પાર્લામેન્ટ છે
ઈઝરાયલ

આયોજન પંચની રચના ક્યારે થઈ હતી
15-03-1950

ગુજરાત સરકારના"ઈ-મમતા" પ્રોગ્રામનો હેતુ શું છે
માતા અને બાળ મરણ અટકાવવું

અભયઘાટ કોનું સમાધિ સ્થળ છે
મોરારજી દેસાઈ

ગુજરાત વિદ્યાપીઠને ડિમડ યુનિવર્સિટીનો દરજ્જો ક્યારે મળ્યો
1963

કોણે ગાંધીજી વિશે આ કહેલું : "Half Naked Seditious Fakir"
ચર્ચિલ

WHO નું વડું મથક ક્યાં આવેલું છે
જિનીવા

"ઈરડા" (IRDA)એ કયા ક્ષેત્રનું નિયમન કરે છે
વીમા

ઓપ્ટિકલ ફાઇબર કેબલ શાના માટે વપરાય છે
સંદેશા વ્યવહાર

નિલમબાગ પેલેસ કયા શહેરમાં છે
ભાવનગર


💥રણધીર💥
મૈત્રક વંશનો રાજધર્મ કયો હતો
શૈવ

ગુજરાત પ્રવાસની યાદમાં નક્ષત્રના ચિહ્નવાળા 'નક્ષત્ર સિક્કા' કયા મોગલ બાદશાહે પડાવ્યા હતા
જહાંગીરે

ડભોઈના વૈધનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો
લવણ પ્રસાદે

ગુજરાતમાં સૌપ્રથમ કઈ બેન્કની શાખા શરૂ થઈ હતી
બેન્ક ઓફ બોમ્બે

ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કયા વંશના અંતિમ રાજાની વાર્તા છે
વાઘેલા

શ્રીમદ્દ રાજચંદ્રનું બાળપણનું નામ શું હતું
લક્ષ્મીનંદન

ધોળકા શહેર પહેલા કયા નામે પ્રચલિત હતું
વિરાટનગરી

સારસ્વત મંડળ ગુજરાતના કયા જિલ્લાઓનું પ્રાચીન નામ હતું
મહેસાણા , બનાસકાંઠા

1857ના સંગ્રામમાં ઓખામાં કયા લોકોએ આગેવાની લીધી હતી
વાઘેરોએ

'ડાંગ' શબ્દનો અર્થ શું થાય છે
જંગલ

શેક્સપિયર રચિત નાટક હેમલેટનું પૃથ્વી છંદમાં ભાષાંતર કોણે કર્યું છે
હંસા મહેતા

મોઢેરાના સૂર્યમંદિરને બાંધવા માટે કેટલા કારીગરો રાખવામાં આવ્યા હતા
1200

સંસ્કૃત અને અંગ્રેજી સંસ્કારવાળી ગદ્યશૈલી ગુજરાતના કયા કવિની રચનાઓમાં વિકસેલી જોવા મળે છે
સુંદરમ

ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્ર કયા નામે ઓળખાય છે
દ્વીપકલ્પીય ગુજરાત

લોકભારતી-સણોસરા દ્વારા વિકસાવવામાં આવેલી ઘઉંની જાત કઈ
લોકવન

મધુવન પરિયોજના કઈ નદી પર છે
દમણગંગા


💥રણધીર 💥

*શું તમે જાણો છો*


વિશ્વની સૌથી મોટી સેના કઈ છે
ચીનની મુક્તિ સેના જેમાં 20 લાખ સૈનિકો છે.

વિશ્વમાં કયો એવો દેશ છે જ્યાં વર્તમાન પત્ર કાપડ પર છપાય છે
સ્પેન

વિશ્વમાં કયો એવો દેશ છે જ્યાં એક પણ નદી નથી
સાઉદી અરબ

વિશ્વના કયા દેશમાં ઇન્કમટેક્સ નથી
મોનકો (યુરોપ)

વિશ્વનો એવો કયો દેશ છે જેણે ક્યારેય પણ યુદ્ધમાં ભાગ નથી લીધો
સ્વિઝરલેન્ડ (સૌથી તટસ્થ દેશ)

વિશ્વમાં એવું કયું પ્રાણી છે જે આંખો બંધ કરીને પણ જોઈ શકે છે
સ્કંક (પારદર્શક પટલોના કારણે)

વિશ્વમાં એવું કયું પ્રાણી છે જે પાણી નથી પીતું
અમેરિકાનું કગારૂરેટ

એક મચ્છરના મોંમાં કેટલા દાંત હોય છે
22 દાંત

વિશ્વની સૌથી જૂની રમત કઈ છે
પોલો

વિશ્વમાં સૌથી જલ્દી પાકતું અનાજ કયું છે
મકાઈ

કઈ ફસલ તૈયાર કરવા બીજનો ઉપયોગ નથી થતો
શેરડી

વિશ્વમાં સૌથી ઝડપી વૃદ્ધિ પામતું વૃક્ષ કયું છે
વાંસનું

વિશ્વમાં કયા દેશમાં નિવાસ કરતા લોકો ઝાડ પર રહે છે
કાંગો બેસીનના નિવાસી (જેયરે આફ્રિકા)

વિશ્વમાં કયા દેશના દરેક નાગરિક સૈનિક છે
ઈઝરાયેલ

વિશ્વમાં એ કયો દેશ છે જ્યાં બે રાષ્ટ્રપતિ હોય છે
સાનમારીનો

વિશ્વમાં ખૂન જેવા લાલ રંગની નદી ક્યાં આવેલી છે
સ્પેનના ટિયોટિનમાં

વિશ્વમાં સૌથી ઓછા શબ્દની કઈ ભાષા છે
ઇટાલિયા


💥રણધીર💥
રાષ્ટ્રગીતની શરૂઆત સર્વ પ્રથમ કયા દેશે કરી હતી
જાપાન

ગમે તેટલી સંખ્યાના સરવાળા, બાદબાકી,ગુણાકાર અને ભાગાકાર કરતી 'ઍબેક્સ'ની શોધ કયા દેશમાં થઈ હતી
ચીન

કઈ રોમનદેવી ગ્રીકમાં 'એફ્રોડાઈટી' કહેવાય છે
વીનસ

રામનારાયણ વિ. પાઠકે કોને 'ટૂંકા વાક્યોના કલાકાર' તરીકે ઓળખાવ્યા છે
મહાત્મા ગાંધીજીને

'દર્દી દેવો ભવ:' સૂત્ર કયા સંતે આપ્યું છે
ડોંગરેજી મહારાજ

કયું શહેર વિશ્વના 'અપરિવર્તન શહેર' તરીકે જાણીતું છે
રોમ

પ્રાચીન સમયમાં આર્યોનું ગુજરાન ચલાવવાનું મુખ્ય સાધન શું હતું
મચ્છીમારી

'કાંગારુ' શબ્દનો સાચો અર્થ કયો છે
મને ખબર નથી.

'સંસ્કૃત દિન' ક્યારે ઉજવવામાં આવે છે
શ્રાવણી પૂનમે

ગાંધીજીના શિક્ષણવિષયક તત્વદર્શનને ક્રિયાત્મક સ્વરૂપ આપનાર કોણ હતા
વિનોબા ભાવે

અપભ્રંશ ભાષાને કોણે'પ્રાચીન પશ્ચિમી રાજસ્થાની ભાષા' તરીકે ઓળખાવી છે
ડૉ. તેસ્સીતોરી

'વસંતવિલાસ' ચમક ચમક થતી ચાંદરણીના જેવું કાવ્ય છે. એવું કોને કહ્યું છે
કેશવ હર્ષદ ધ્રુવ

દયારામનો કયો ગ્રંથ 109 પદોમાં રચાયેલો છે
રસિકવલ્લભ

'સાદી ભાષા,સાદી કડી, સાદી વાતવિવેક,સાદામાં શિક્ષા કથે તે કવિજન એક.' - પંક્તિ કઈ કૃતિની છે
મદનમોહના

"જગતભરના સાહિત્યમાં ગુજરાતના રાસ અને ગુજરાતની ગરબીઓનું સ્થાન અને ગરબીસમ્રાટ દયારામનું સ્થાન સદા અદ્ભૂત છે." - આવું વિધાન કોણે કર્યું છે
કવી નાન્હાલાલ

'ચંદ્ર ચંદ્રાવતીની વાર્તા'ને કયા વિવેચકે 'ઢંગધડા વિનાની વાર્તા' અને 'માલ વિનાની વાર્તા' કહી છે
નવલરામ ત્રિવેદી

કયા કવિની રચનાઓમાં પુરુષપાત્રો કરતાં સ્ત્રીપાત્રો વધુ ચાલાક ને તેજસ્વી છે
શામળ

"સમગ્ર જગત એક માળો બની રહો." આ મુદ્રાલેખ કઈ સંસ્થાનો છે
શાંતિનિકેતન

કયા ગ્રહના ચાર મોટા ઉપગ્રહો ગેલિલિઅન સેટેલાઇટ તરીકે ઓળખાય છે
ગુરૂ

કયો રંગ બધા રંગોમાં સૌથી ગરમ છે
લાલ

ગુજરાતના કલા જગતમાં કયા અલગારી ચિત્રકારની ગણના "સુદામા" તરીકે થાય છે
કનૈયાલાલ આર. યાદવ

મંગોલિયાના રાજદરબારમાં માર્કોપોલો કેટલા વર્ષ રહ્યો હતો
10

ઇ.સ.1320માં જ્યારે ગ્યાસુદીને તઘલખ સલ્તનતનો પાયો નાખ્યો હતો ત્યારે એ કઈ રાષ્ટ્રીયતા ધરાવતા હતા
તુર્કી

થાઈલેન્ડના વતનીઓ કયા દેવને રીઝવવા માટે 'ભૂત-મહોત્સવ' યોજે છે
વરસાદના દેવ

ભારતમાં શિક્ષણના માધ્યમ તરીકે 1835થી કઈ ભાષા અમલી બની હતી
સંસ્કૃત

ફિલ્મ સેન્સર બોર્ડની રચના કઈ સાલમાં થઈ હતી
1928

ભારતીય મહિલા રમતવીરોએ પહેલીવાર ઓલિમ્પિકસમાં ક્યારે ભાગ લીધો હતો
1952માં

'અવભૃથ સ્નાન' એ કયા કારણથી થતું સ્નાન છે
યજ્ઞની પૂર્ણાહુતિ પછી કરાતું સ્નાન

હિન્દૂ ધર્મમાં ભક્તિના કેટલા પ્રકાર છે
નવ

ગુજરાતના જાહેર જીવનની જાગૃતિ લાવવા માટે પ્રથમ પ્રેરણા આપનાર દાંતા રાજ્યના દીવાન કોણ હતા
ચતુર્ભુજ ભટ્ટ


💥રણધીર 💥
"રામાયણ"માં ભરતની પત્નીનું નામ શું છે
માંડવી

એકેડેમી એવોર્ડ્સ જીતનાર પ્રથમ ભારતીય કોણ છે
એ.આર. રહેમાન

'ટ્વિન્કલ ટ્વિન્કલ લિટલ સ્ટાર' નામની બાળકોની પ્રિય કવિતા કોણે રચી હતી
જે.ટેઈલર

ભારતમાં 'ફુટબોલના કાશી' તરીકે કયું શહેર જાણીતું છે
કોલકાતા

કોને 'સંસદની જનની' કહેવામાં આવે છે
બ્રિટનની સંસદ

મોંમાં વારંવાર ચાંદા પડતા હોય તો કયું વિટામિન લેવાની જરૂર છે
B

સિકંદરા કોની કબર છે
અકબર

માનવકાન કેટલા હર્ટઝથી વધુ આવૃત્તિવાળા ધ્વનિ સાંભળી શકતો નથી
20,000 હર્ટઝ

કયા મહાન તત્વચિંતકને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હતા
સોક્રેટિસ

'ઈન કમરા' એટલે શું
જજના પ્રાઇવેટ રૂમમાં કોઈ અગત્યની બાબતની ચર્ચા

'મજૂર દિન' ક્યારે ઉજવવામાં આવે છે
1 મે

ભારતને આઝાદી મળી ત્યારે ઇંગ્લેન્ડમાં કયો પક્ષ સત્તા પર હતો
મજૂર

'ગરીબ રથ' શું છે
રેલવે દ્વારા ગરીબો માટે શરૂ થયેલી ટ્રેન

'બ્લેક ઇકોનોમી કે પેરેલલ ઇકોનોમી' એટલે શું
કાયદાની દ્રષ્ટિએ ગેરકાયદેસર ગણાતી આર્થિક પ્રવૃત્તિઓ

સમાજના દરેક વ્યક્તિ પર સમાન દરે કરવેરો નાખવામાં આવે તો તેને કયો કર કહે છે
પોલ કર

કયો દિવસ 'ઝંડા દિવસ' કે 'બાળ અધિકાર દિન' તરીકે ઉજવાય છે
20મી નવેમ્બર

ભારતના કયા પાડોશી દેશમાં લાકડાના મંદિરો અને મૂર્તિઓ જોવા મળે છે
નેપાળમાં

દ્રવિડ કુળની ભાષાઓમાં સૌથી પ્રાચીન ભાષા કઈ છે
તમિલ

કયો ધૂમકેતુ દર 33 વર્ષે પૃથ્વીની નજીક દેખાય છે
ટેમ્પલ ટટલ

'મિત્રતા એ હ્દયવૃંદાવનનું અમૃતફળ છે.'- આ ઉક્તિ કોની છે
ફાધર વાલેસ

ડોના પાવલા બીચ ક્યાં આવેલો છે
ગોવા

"આધિ રાત કા સચ" ના લેખક કોણ છે
વિજયમનોહર તિવારી

'પદાર્થનો નાનામાં નાનો એકમ અણુ'- તે શબ્દની ભેટ કયા દેશે આપી છે
ગ્રીસ

"યુદ્ધની શરૂઆત માનવીના મનમાં થાય છે."- આ શબ્દો કયા વેદના છે
અથર્વવેદ

યુ.એન.ના કયા વિભાગને 'વિશ્વની લઘુ સંસદ' કહે છે
મહાસભા

તિથિનું અડધું શું કહેવાય
કરણ

પોતાની ધરીની આસપાસ ફરતો ન્યુટ્રોન તારો જે રેડિયો તરંગોનું ઉત્સર્જન કરે છે તેને શું કહે છે
પલ્સાર

Equinox એટલે.......
રાત્રિ-દિવસ સરખા

વિષવૃત્તિય જંગલોની ઝેરી માખી કઈ છે
ત્સેત્સે

દેશમાંના ભાવો કરતાંયે ઓછા ભાવે વિદેશમાં વસ્તુનું વેચાણ કરવું પડે તેવી સ્થિતિને શું કહે છે
ડંપિંગ

'સ્વપ્ન સુંદરી' કયા નૃત્ય સાથે સંકળાયેલી છે
કુચીપુડી

'ચાંચમાં તલવાર સાથેનું કબૂતર' એ શાનું પ્રતીક છે
યુદ્ધ અને શાંતિનું જાપાનીઝ પ્રતીક

મોટી ઉંમરની વ્યક્તિ બહુ મોંઘી ભેટસોગાદો કોઈ યુવાન સ્ત્રીને આપે તેને કયા નામે ઓળખવામાં આવે છે
સુગર ડેડી

'નેફોસ્કોપ' યંત્ર શું માપવા માટે વપરાય છે
વાદળોની દિશા અને ગતિ

કયો ખંડ 'પક્ષીઓના ખંડ' તરીકે જાણીતો છે
એશિયા

'રસાયણ વિજ્ઞાનના આધુનિક પિતા' કોણ છે
લેવોજિયર

કયા રાજ્યનું જૂનું નામ 'પ્રાગ જ્યોતિષ' હતું
આસામ

સરકારી ટપાલ ઉપર જે O.I.G.S. લખેલું છે, તેનું પૂરું નામ શું છે
ઑન ઇન્ડિયન ગવર્નમેન્ટ સર્વિસ

"પ્રકૃતિ અને પુરુષ એ બંને મુખ્ય તત્વ છે." આ વિચારધારા કયા દર્શનશાસ્ત્રીની છે
સાંખ્યા

'ટુ બી ઓર નોટ ટુ બી'- આ પ્રખ્યાત ઉક્તિ કોની છે
ગોલ્ડસ્મિથની

"હું પોતે જે રાજ્ય છું."- આ વિધાન કોનું છે
લુઇ 14 માનું

"ભક્તિ એ સામાજિક શક્તિ છે."- આ વિધાન કયા મહાપુરુષનું છે
પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીનું

ગુરુ નાનકના શિષ્ય 'લહના' પાછળથી કયા નામે પ્રસિદ્ધ થયા
ગુરુ અંગદ

'શકુંતલા' નાટકનો પ્રથમ અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો
સર વિલિયમ જોન્સે

'મશવિરા' એ શું છે
દેશના ઉત્તર-પૂર્વી ક્ષેત્રમાં નશાબંધી અને એઇડ્સ જેવા રોગોના નિરાકરણ માટે ચાલતું બિનસરકારી સંગઠન

'કપિલદેવ: ધ પ્રિન્સ ઓફ ઓલરાઉન્ડર્સ' - પુસ્તકના લેખક કોણ છે
કે.આર.વાઘવાની

'વેજીટેબલ ગોલ્ડ' કોને કહેવામાં આવે છે
કેસર

વિરોધ દર્શાવવાના હેતુથી કરવામાં આવતા સભાત્યાગને શુ કહેવામાં આવે છે
વૉક આઉટ


💥રણધીર💥
ગાંધીજી લંડનથી બેરિસ્ટર થઈ ભારત ક્યારે આવ્યા
1891માં

ગાંધીજીને દક્ષિણ આફ્રિકાના દાદા અબ્દુલ્લાહના કેસની ઓફર મળી હતી. દાદા અબ્દુલ્લાહ મૂળ ક્યાંના હતાં
પોરબંદરના

દાદા અબ્દુલ્લાહનો કેસ લડવા ગાંધીજીને દક્ષિણ આફ્રિકાના કયા શહેરમાં જવાનું હતું
પ્રિટોરિયા

ગાંધીજીને દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગ શહેરમાં કઈ હોટેલમાં પણ રંગભેદના કારણે અપમાન સહન કરવું પડ્યું હતું
'હોટેલ ગ્રાન્ડ નેશનલ'

દાદા અબ્દુલ્લાહનો કેસ ગાંધીજીએ ક્યારે જીત્યો
1894માં

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં'નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ'ની સ્થાપના ક્યારે કરી
જૂન 1894

1896માં ગાંધી પરિવાર કઈ સ્ટીમરમાં સવાર થઈ આફ્રિકાના કાંઠે પહોંચ્યો
'કુરલેન્ડ'

દક્ષિણ આફ્રિકામાં ચાલતી નેધરલેન્ડ અને બુઅર લોકો વચ્ચેની લડાઈ ત્રણ વર્ષ સુધી ચાલી હતી.એ દરમિયાન ઘાયલ લોકોની સારવાર માટે ગાંધીજીએ કયા નામની સ્વયંસેવક ટુકડી તૈયાર કરી હતી
'ઇન્ડિયન એમ્બ્યુલન્સ કોર'

'સત્યાગ્રહ' શબ્દ પ્રથમ વાર ક્યારે વપરાયો હતો
આફ્રિકામાં સપ્ટેમ્બર 1906માં

1896માં ગાંધીજી આફ્રિકાના ડરબન બંદરે ઉતરીને કોના ઘરે ગયા હતા
પારસી મિત્ર રૂસ્તમજીના ઘરે

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ડરબન નજીક કયો આશ્રમ બનાવ્યો હતો અને ક્યારે
ફિનિક્સ આશ્રમ 1904માં

ગાંધીજીએ 1910માં દક્ષિણ આફ્રિકામાં જોહનીસબર્ગથી 30 કિલોમીટરના અંતરે 1100 એકર જમીનમાં બીજો કયો આશ્રમ સ્થાપ્યો હતો
ટોલસ્ટોય ફાર્મ

ટોલસ્ટોય ફાર્મ બનાવવા માટે ગાંધીજીને કોને જમીન ભેટમાં આપી હતી
હરમન કેલનબાકે

ટોલસ્ટોય આશ્રમમાં ગાંધીજીના ટાઈપીસ્ટ તરીકેની જવાબદારી કોણ નિભાવતું હતું
લેડી સોન્ઝા સ્લેઝિન

આફ્રિકામાં ગાંધીજીને મળેલા ત્રણ વિદેશી મિત્રો કોણ હતા
હરમન કેલનબાક, હેનરી પોલોક અને લેડી સોન્ઝા સ્લેઝિન

ગાંધીજીને 'અન ટુ ધીસ લાસ્ટ' પુસ્તકનો પરિચય કોણે કરાવ્યો
હેનરી પોલોક

ગાંધીજીએ 1914માં ભારત પાછા ફરતી વખતે કયા અંગ્રેજ અધિકારીને સેન્ડલ ગિફ્ટ કર્યા હતા
જનરલ સ્મટ્સને

દક્ષિણ આફ્રિકા સરકારે ગાંધીજીના આગમની શતાબ્દી નિમિત્તે ખાસ પ્રકારનો સિક્કો ક્યારે બહાર પાડ્યો હતો
1993માં

*🗞👆🏻ગુજરાત સમાચાર : રવિપૂર્તિ માંથી🗞*


💥રણધીર 💥
કયા મુકદમામાં ભારતની સર્વોચ્ચ અદાલતે 'સંવિધાનના મૂળ સંરચના સિદ્ધાંત' નું પ્રતિપાદન કર્યું હતું
કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય

કોણે બચાવના સ્થાને પ્રહારની નીતિ અપનાવી હતી
સ્વામી દયાનંદ સરસ્વતી

પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપતું બિલ ક્યારે પસાર થયેલું
ઈ.સ.1992

છંદક્ષેત્રે મુક્તધારા અને મહાછંદના નવા પ્રયોગો કરનાર સર્જક કોણ હતા
કવિ ખબરદાર

ભારતમાં પંચાયતી રાજ અંગે અલગ મંત્રાલય ક્યારથી શરૂ થયો છે
27 મે, 2004

ભારત માટે ઈન્ડિયા શબ્દનો ઉપયોગ સૌપ્રથમ કોણે કર્યો
યુનાનીઓ

કયા રાજયમાં ગ્રામ પંચાયતને ગ્રામસભા પ્રતિ જવાબદાર બનાવવામાં આવેલ છે
પશ્ચિમ બંગાળ

ઋગ્વેદમાં કઈ નદીનો વધારે વખત ઉલ્લેખ થયો છે
સિંધુ

ભારતમાં સૌથી વધારે ઊંચાઈએ આવેલ કયો ઘાટ છે
ખરડુંગલઘાટ

ગુજરાતમાં ગ્રામ પંચાયતોમાં કયા કરવેરા ફરજીયાત લાદવામાં આવેલ છે
ઘરવેરો અને વ્યવસાય વેરો

1857ના પ્રથમ વિપ્લવમાં બહાદુરશાહ ઝફરને ક્યાં કેદ કરવામાં આવ્યા હતા
રંગુન (બર્મા)

'હું નગરનું સંતાન છું,એટલું જ નહીં, હું એક ઔધોગિક નગરનું સંતાન છું'- આ વિધાન કયા કવિનું છે
નિરંજન ભગત

ઈ.સ.1833માં દયાનંદ સરસ્વતીનું મૃત્યુ ક્યાં થયું
જોધપુર

કયા સર્જકને ગાયકવાડ સરકારે 'રાજરત્ન' ઇલકાબથી નવાજ્યા હતાં
ર.વ.દેસાઈ

ગ્રામ પંચાયતના ગેરકાયદેસર ઠરાવને રદ કરવાની સત્તા કોને છે
તાલુકા વિકાસ અધિકારી

કયા સર્જકના 'વ્યાકુલ વૈષ્ણવ' સંગ્રહને 'ગુજરાતની ગીતાંજલિ' તરીકે ઓળખાવી છે
ઉશનસ્

ગુજરાત પંચાયત અધિનિયમ 1993નો અમલ ક્યારથી થયો
15 એપ્રિલ,1994

કયા કાવ્ય સંગ્રહથી કવિ બોટાદકરને 'સૌંદર્યદર્શી કવિ' નું બિરુદ પ્રાપ્ત થયું હતું
શૈવલિની

કયાં સર્જકને ગુજરાત વિદ્યાપીઠમાં 'કાવ્યગુરુ' તરીકે ઓળખવામાં આવતા હતા
રા.વિ. પાઠક

ગ્રામ પંચાયતનું ઓડિટ કોના દ્વારા થાય છે
લોકલ ફંડ દ્વારા

'ઓ હિન્દ દેવભૂમિ ,સંતાન સૌ તમારાં' દેશભક્તિ ગીત કયા નાટકમાં સમાવિષ્ટ છે
ગુરુગોવિંદસિંહ

ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ મૌલિક નાટક કોને લખ્યું હતું
નગીનદાસ મારફતિયા

બોન્ડ કંપનીનું.................છે
દેવું


💥રણધીર 💥
ગ્રામ પંચાયતે સ્થાયી સમિતિની ભલામણ વિના કોઈ રકમનો ખર્ચ કરેલ નથી તેનો અહેવાલ વિકાસ અને પ્રોગ્રામ અધિકારીને કોણ કરશે
હિસાબી મદદનીશ

ભારત જેવા વિકાસશીલ દેશમાં મુખ્યત્વે કયા પ્રકારની બેરોજગારી જોવા મળે છે
ચક્રીય

કેન્દ્રીય આંકડાકીય સંસ્થા (સેન્ટ્રલ સ્ટેટેસ્ટીકલ ઓર્ગેનાઈઝેશન (CSO) ની સ્થાપના ક્યારે થઈ હતી
ઇ.સ.1951

'મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો' પંક્તિના કવિ કોણ છે
અનિલ જોશી

વર્ષ 1915માં ગાંધીજીનો રાજનીતિમાં પ્રવેશ થયો ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા
લોર્ડ હર્ડિંગ

ટપક સિંચાઈ પદ્ધતિનો મહત્તમ અને યોગ્ય રીતે ઉપયોગ કરનાર દેશ કયો છે
ઈઝરાયેલ

'એપોજી' એ એવી સ્થિતિ છે કે..............
કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીથી સૌથી દૂર હોય

હિન્દ છોડો આંદોલન સમયે બચી ગયેલા કોંગ્રેસી નેતાઓએ આંદોલનને કયા નામના એક ગુપ્ત દસ્તાવેજ દ્વારા ચલાવ્યું હતું
આંધ્ર સર્ક્યુલર

'પિંગ યોંગ' કઈ રમતનું બીજું નામ છે
ટેબલ ટેનિસ

મનુભાઈ પંચોળીની કઈ કૃતિ હિટલરના જીવન પર આધારિત છે
અંતિમ અધ્યાય

ભારતીય બંધારણનો અંતરાત્મા કોને ગણવામાં આવે છે
મૂળભૂત સિદ્ધાંતો

વર્ષ 1902માં બંગાળમાં પ્રથમ ક્રાંતિકારી સંગઠન અનુશીલન સમિતિની સ્થાપના કોણે કરી હતી
મિમથ મિશ્રા

કેટલી રકમ ગ્રામ પંચાયત બિનકુશળ કામદાર માટે વાપરી શકે છે
ગ્રામ પંચાયતના કુલ ગ્રાન્ટના 50 % થઈ વધુ ન થાય

દરિયાની સપાટી પર તેલનો ઢોળાવ થવાથી દરિયાઈ જીવો શા માટે મૃત્યુ પામે છે
તેની પાંખોમાં તેલ ભરાઈ જવાથી શરીરનું તાપમાન ઘટી જાય છે.

'હું સ્વપ્નનો સુરમો લઈ જન્મ્યો હતો,પણ હવે તો મેશ પણ મળતી નથી' - પંક્તિના કવિ કોણ છે
નિરંજન ભગત

ગ્રામસભામાં ઓછામાં ઓછા 10 વોર્ડ છે,જ્યારે વધુમાં વધુ કેટલા છે
20 વોર્ડ

કયા ગ્રહ પર સૌથી લાંબો દિવસ હોય છે
બુધ

ગ્રામ પંચાયત કક્ષાએ કેશબૂક કઈ રીતે મેઇન્ટેઇન થાય છે
ડબલ એન્ટ્રી સિસ્ટમ

ભારતીય ઇતિહાસમાં ભાવ નિયમન માટે કયો શાસક જાણીતો છે
અલાઉદ્દીન ખલજી

નવી ગઠન થયેલી પંચાયત સામે ક્યાં સુધી અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય નહીં
અઢી વર્ષ

મુસ્લિમ કન્યા મસ્તાની સાથે પ્રેમ સંબંધના કારણે ચર્ચામાં રહેનાર બાજીરાવ પ્રથમનું મૂળ નામ શું હતું
વિસાજી

પંચાયતના સભ્યો કેટલી બેઠકોમાં ગેરહાજર રહે તો તેમને પદ પરથી હટાવી શકાય
3

હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય
2


💥રણધીર 💥
હાઈડ્રોલિક બ્રેક વિજ્ઞાનના કયા નિયમ ઉપર કાર્ય કરે છે
પાસ્કલના નિયમ

કઈ સમિતિએ જિલ્લા કલેક્ટરને જિલ્લા પંચાયતના કાર્યકારી અધિકારી તરીકે નિમવાની ભલામણ કરેલ
પી.કે.થૂંગણ સમિતિ

પ્રથમ ક્રિકેટ વિશ્વકપની શરૂઆત ક્યારે થઈ
7 જૂન, 1975

કયો દરજ્જો પ્રાપ્ત કરનાર કંપની રૂ.1,000 કરોડ સુધીના રોકાણ સંબંધી નિર્ણયો જાતે કરી શકે છે
નવરત્ન

પંચાયતી રાજ અંગેની કઈ સમિતિ કાર્ડ સમિતિ તરીકે પણ ઓળખાય છે
જી.વી.કે.રાવ સમિતિ

ઈ.સ.1875માં દયાનંદ સરસ્વતીએ કયા શહેરમાં આર્યસમાજની સ્થાપના કરી હતી
મુંબઈ

ઓલિમ્પિક રમતોત્સવમાં સાઇટીયસ,અલ્ટીયસ અને ફોરટીયસ શબ્દ કઈ ભાષામાં લખાયેલ છે
લેટિન

'હેલોગ્રામ' એ શું છે
ત્રિપરિમાણ સ્વરૂપ

ગ્રામ પંચાયત માટે ઉપનિયમો બનાવવાની સત્તા કોણ ધરાવે છે
જિલ્લા પંચાયત

નિલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે
અંધશાળા

'ન્યાયિક સક્રિયતા' ને નીચેનામાંથી કોની સાથે સબંધ છે
જાહેર હિતની અરજીઓ

અરવિંદ ઘોષની કયા કાવતરામાં ધરપકડ થઈ હતી પરંતુ નિર્દોષ છૂટ્યા
અલીપુર કાવતરા કેસ

વાતાવરણમાં ઉપરના ભાગના અભ્યાસને વાયુવિજ્ઞાન કહેવાય તો નીચેના ભાગના અભ્યાસને શું કહેવાય
ઋતુ વિજ્ઞાન

પંડિત ઓમકારનાથજીને 'સંગીત મહોદય'ની પદવીથી નવાજનાર કોણ છે
નેપાળના મહારાજા

પંચાયતે ગોઠવેલા મનોરંજન કાર્યક્રમની આવક કયા ખાતામાં જમા થાય છે
જિલ્લા કુટુંબ કલ્યાણ ફંડ

અલાઉદ્દીન ખીલજીના મૂળ ખંભાતના હોય તેવા સેનાપતિનું નામ શું
મલિક કાફુર

પંચાયત માટેના નાણાં કમિશનમાં કેટલા સભ્યો હોય છે
અધ્યક્ષ અને ચાર સભ્યો

ગુજરાતી સાહિત્ય પરિષદનું 'પરબ' સામયિક શરૂ કરનાર કોણ હતા
કાકાસાહેબ કાલેલકર


💥રણધીર 💥
સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે
લોકસભાના સિનિયર સભ્ય

'ઓલ ઇન્ડિયા શેડયુઅલ કાસ્ટ ફેડરેશન' અને 'ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી' ની સ્થાપના કોણે કરી હતી
ડૉ. ભીમરાવ આંબેડકર

ગ્રામ્ય સ્તરે જાગૃતિ અને તકેદારી સમિતિનું કાર્યક્ષેત્ર શું છે
સમગ્ર ગ્રામ સભા

હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક કયું છે
ઓક્સીજન

ગ્રામ્ય સ્તરે સતર્કતા અને મૂલ્યાંકન સમિતિના સભ્ય કોણ હોઈ શકે
સમિતિના સભ્યોમાંથી

ગ્રામ્ય સ્તરે સતર્કતા અને મૂલ્યાંકન સમિતિનો લઘુતમ કાર્યકાળ કેટલો હોય છે
2 વર્ષ

જિલ્લા ફંડમાંથી ઉપાડ અને વહેંચણી કરવાની ફરજો કોની છે
ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર

LCA તેજસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે
ડૉ. કોટા હરિનારાયણ

જિલ્લા પંચાયતના પ્રમુખ સામે શિસ્ત અંગેના પગલાં લેવાની સત્તા કોને છે
વિકાસ કમિશનર

કયા વર્ષને ગ્રામ સભા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું
2009-10

રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશની નિમણુક કોણ કરે છે
રાજ્યપાલ

ગ્રામ પંચાયતનું અંદાજપત્ર કોણ મંજુર કરે છે
પંચાયત સમિતિ

"એન્ડોસ્કોપી" કયા રોગના નિદાન માટેની તબીબી પદ્ધતિ છે
પેટના રોગ

પંચાયત સમિતિના અધ્યક્ષની ચૂંટણીના વિવાદમાં નિર્ણય આપવાની સત્તા કોને સુપરત કરવામાં આવે છે
વિભાગીય આયુક્ત

કયા પુસ્તકમાં ભારતના બંદર અને વેપાર વિશેની જાણકારી મળે છે
પેરિપ્લસ ઓફ ધ ઈરિથ્રીયન સી

પંચાયત સમિતિના મુખ્ય કારોબારી અધિકારી કોણ હોય છે
તાલુકા વિકાસ અધિકારી

જિલ્લા પંચાયતને બરખાસ્ત કરવાનો અધિકાર કોને છે
રાજ્ય સરકાર

હોકી રમતની અવધિ શું હોય છે
70 મિનિટ

પશ્ચિમના વિદ્વાનો કોને 'ગૂઢ વિદ્યા' તરીકે ઓળખાવે છે
ઉપનિષદ

ગુજરાતના કયા તરણવીરે હાથમાં બેડી પહેરીને તરવાનું કૌશલ્ય દાખવ્યું છે
નાથુરામ પહાડે

ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય આવકની ગણતરી માટે સૌ પ્રથમ પ્રથમ પ્રયાસ કોને કર્યો હતો
દાદાભાઈ નવરોજી

હરતી-ફરતી કૉલેજ લાઈબ્રેરી તરીકે કોને ઓળખવામાં આવે છે
પ્રવીણ દરજી

ગુજરાતી ભાષામાં લોકસાહિત્યના સૌપ્રથમ સંશોધક અને સંપાદક તરીકે કોણ જાણીતું છે
પીતાંબર પટેલ


💥રણધીર 💥
*પંચાયતી રાજ*
°°°°°°°°°°°°°°°°°°°°°°
*અનુચ્છેદ બાબત*
---------------------------------
243.વ્યાખ્યા
243-A.ગ્રામ સભા
243-B.પંચાયતોની રચના
243-C.પંચાયતોની સંરચના
243-D.બેઠકો અનામત રાખવા બાબત
243-E.પંચાયતોની મુદ્દત વગેરે
243-F.સભ્યપદ માટેની ગેરલાયકાતો
243-G.પંચાયતોની સત્તા, અધિકાર અને જવાબદારીઓ
243-H.પંચાયતોની કર નાખવાની સત્તા અને ફંડ બાબત
243-I.નાણાકીય પરિસ્થિતિની પુનવિચારના કરવા નાણાં આયોગની રચના કરવા બાબત
243-J.પંચાયતોના હિસાબોનું ઓડિટ
243-K.પંચાયતોની ચૂંટણીઓ
243-L.સંઘ રાજ્યક્ષેત્રોને લાગુ પાડવા બાબત
243-M.અમુક વિસ્તારોને આ ભાગ લાગુ નહિ પાડવા બાબત
243-N.વિદ્યમાન કાયદાઓ અને પંચાયતો ચાલુ રહેવા બાબત
243-O.ચૂંટણીઓ સંબંધી બાબતમાં ન્યાયાલયની દરમિયાનગીરીનો બાધ

💥રણધીર 💥