સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*રક્ષાબંધન*

મહારાષ્ટ્ર રાજ્યમાં રક્ષાબંધનને *'નાળિયેરી પૂર્ણિમા'* તરીકે ઓળખવામાં આવે છે.

જમ્મુમાં રક્ષાબંધનમાં મુખ્ય પરંપરા પતંગ ઉડાડવાની છે.પતંગની દોરીને અહીં *'ગટ્ટુ દોર'* કહેવામાં આવે છે.

ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આ શુભ દિવસને *'ઝુલન પૂર્ણિમા'* કહેવામાં આવે છે.

નેપાળમાં રક્ષાબંધનના તહેવારના બે નામ છે, અને તે છે *'દોરો'* અને *'જનાઈ પૂર્ણિમા'*.

હરિયાણામાં રક્ષાબંધનના તહેવારને *'સલોનો'* કહેવામાં આવે છે.

રાખડીનો સૌથી જૂનો ઇતિહાસ સંવત 300નો આસપાસનો છે.તે સમય દરમિયાન ભારત પર એલેક્ઝાન્ડર દ્વારા કરવામાં આવ્યું હતું. એ સમયે રાજા પુરૂ ખૂબ આક્રમકતા સાથે લડી રહ્યા હતા. તેથી એલેક્ઝાન્ડરની પત્ની રોકસાનાએ રાજા પુરૂને એક પવિત્ર દોરો એટલે કે રાખડી મોકલી અને વિનંતી કરી કે યુદ્ધમાં તેના પતિને નુકસાન ન પહોંચાડે.

મધ્યકાલીન યુગમાં જ્યારે રાજપૂતો મુઘલો સામે લડી રહ્યા હતા ત્યારે ચિત્તોડની રાણી કર્ણાવતીએ શાંતિ અને સંવાદિતા સાધવાના પ્રયાસમાં શક્તિશાળી બાદશાહ હુમાયુને રાખડી મોકલી હતી.

ઇ.સ.1905માં બ્રિટિશ સામ્રાજ્યએ બંગાળ રાજ્યને જાતિ અને ધર્મના આધારે વિભાજીત કરવાનું નક્કી કર્યું ત્યારે રવિન્દ્રનાથ ટાગોરે દરેક જાતિઓ વચ્ચેના બંધનને મજબૂત કરવા માટે રાખડીની ઉજવણીની શરૂઆત કરી અને સૌને અંગ્રેજો સામે એક થવા માટેનો સંદેશો આપ્યો.

💥💥
1.ઈકોલોજી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો
*✔️એન્સ્ર્ટ હેકેલ*

2. વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રમાં અદમ્ય સાહસ બતાવનારા લોકોને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે
*✔️અમૃતાદેવી બિશ્નોઈ પુરસ્કાર*

3. કયા શહેરને ટાઇગર ગેટ વે ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે
*✔️નાગપુર*

4.ખાસ જંગલી ગધેડાઓ માટે ભારતમાં પ્રસિદ્ધ અભ્યારણ્ય ક્યાં આવેલું છે
*✔️ગુજરાત*

5.ધ્વનિમાપન કરવામાં આવે છે....
*✔️ડેસીબલ*
*ભારતના આઠ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક*

*નવા નિમાયેલા રાજ્યપાલો👇🏾*

*1️⃣મધ્યપ્રદેશશ્રી મંગુભાઈ છગનભાઈ પટેલ (ગુજરાતના)*

*2️⃣કર્ણાટકશ્રી થાવરચંદ ગેહલોત*

*3️⃣મિઝોરમશ્રી હરિબાબુ કમભમપતિ*

*4️⃣હિમાચલ પ્રદેશશ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર*

*બદલી કરી નવા નિમાયેલા રાજ્યપાલશ્રીઓ👇🏾*

*5️⃣ગોવાશ્રી પી.એસ.શ્રીધરન*
*✔️પહેલા મિઝોરમના રાજ્યપાલ તરીકે ફરજ બજાવતા હતા.*

*6️⃣ત્રિપુરાશ્રી સત્યદેવ નારાયણ આર્ય*
*✔️પહેલા હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે ફરજ બજાવતા હતા.*

*7️⃣ઝારખંડશ્રી રમેશ બઇસ*
*✔️પહેલા ત્રિપુરાના રાજ્યપાલ તરીકે ફરજ બજાવતા હતા.*

*8️⃣હરિયાણાશ્રી બંડારૂ દત્તાત્રેય*
*✔️પહેલા હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે ફરજ બજાવતા હતા.*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-16/08/2021 થી 25/08/2021🗞️*

અફઘાનિસ્તાનમાં ભારતીય રાજદૂત રુદેન્દ્ર ટંડન 120 લોકો સાથે કયા વિમાનમાં જામનગર આવ્યા
*✔️એરફોર્સનું ગ્લોબમાસ્ટર*

દેશનું પ્રથમ સોલાર વિલેજ જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે
*✔️મોઢેરા*

ઉત્તર પ્રદેશના અલીગઢનું નામ બદલીને કયું નામ આપવામાં આવશે
*✔️હરિગઢ*
*✔️મૈનપુરીનું નામ બદલીને મયનનગરી અને ફિરોઝાબાદનું નામ બદલીને ચંદ્રનગર કરવામાં આવશે*
*✔️અગાઉ અલ્લાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ આયોધ્યા કરવામાં આવ્યું હતું*

19 ઓગસ્ટવર્લ્ડ ફોટોગ્રાફી ડે

દેશમાં વાઘની સંખ્યા કેટલી છે
*✔️2967*
*✔️સિંહની સંખ્યા - 674*

વર્લ્ડ જુનિયર કુસ્તી ચેમ્પિયનશીપ ક્યાં ચાલી રહી છે
*✔️રશિયા*

20 ઓગસ્ટવિશ્વ મચ્છર દિવસ

હરિયાણા રાજ્ય સરકારે કયા શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો
*✔️ગોરખધંધા*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ ખાતે ભારત સરકારની પ્રસાદમ યોજના અંતર્ગત સમુદ્ર કિનારે કેટલા કિમી. લાંબા વોક વે નું ઉદ્દઘાટન કર્યું
*✔️1.48 કિમી.*
*✔️અહલ્યાબાઈ મંદિરમાં વિકાસકામના ખાતમુહૂર્ત કર્યું*
*✔️પાર્વતી માતાજી મંદિરનું ભૂમિપૂજન કર્યું*

દેશનો પ્રથમ ઇલેક્ટ્રિક વાહન હાઈ વે કયો બન્યો
*✔️દિલ્હી-ચંદીગઢ*

ટોક્યો પેરાલિમ્પિકમાં 2020માં ભારતના કેટલા ખેલાડીઓએ ભાગ લીધો
*✔️9 રમતમાં 54 ખેલાડી*
*✔️પેરાલિમ્પિકમાં શોટપૂટ ખેલાડી ટેક ચંદ ભારતીય ટીમના ધ્વજવાહક બન્યા*
*✔️ભારતે 1968થી પેરાલિમ્પિકમાં ભાગ લેવાનું શરૂ કર્યું*
*✔️1972માં હેડલબર્ગ, જર્મનીમાં યોજાયેલી પેરાલિમ્પિકમાં ભારતના મુરલીકાન્ત પેટકરે 50 મી. ફ્રી સ્ટાઇલમાં ભારતને સૌપ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.*

IPS સહિત પેરા મિલિટરી દળોમાં દિવ્યાંગોની કેટલા ટકા અનામત નાબૂદ કરવામાં આવી
*✔️4%*

તાજેતરમાં મેક્સિકોમાં આવેલ વાવાઝોડું
*✔️ગ્રેસ*

ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી જેમનું હાલમાં નિધન થયું
*✔️કલ્યાણસિંહ*
*✔️જન્મ :- 5 જાન્યુઆરી, 1932*
*✔️જન્મસ્થળ :- અલીગઢનું મધૌલી ગામ*
*✔️નિધન :- 21 ઓગસ્ટ, 2021*
*✔️ઉત્તર પ્રદેશના બે વખત મુખ્યમંત્રી બન્યા હતા*
*✔️2014 થી 2019 રાજસ્થાનના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી*

ભારતનો સૌપ્રથમ સ્મોગ ટાવર ક્યાં ઉભો કરાયો
*✔️દિલ્હી*

21 ઓગસ્ટવિશ્વ વરીષ્ઠ નાગરિક દિવસ

ભારતે રશિયા પાસેથી કઈ રાઇફલ ખરીદવા સોદો કર્યો
*✔️AK-103 એસોલ્ટ રાઇફલ*

કયા સ્ટેડિયમનું નામ નિરજ ચોપરાના નામ પરથી ઘોષણા કરવામાં આવી છે
*✔️પુણે સ્ટેડિયમ*

ભૂવિજ્ઞાન ક્ષેત્રે સહયોગ માટે ભારતે કયા દેશ સાથે સમજૂતી કરી
*✔️અમેરિકા*

20 ઓગસ્ટઅક્ષય ઊર્જા દિવસ

કેન્દ્ર સરકારે બિનસંગઠિત ક્ષેત્રના કામદારો માટેનો ડેટાબેઝ જાળવવા કયું પોર્ટલ લોન્ચ કરશે
*✔️ઈ-શ્રમ*

રશિયાની કઈ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ભારત ખરીદશે
*✔️એસ-400*
*✔️રશિયાનું યુદ્ધજહાજ ક્રિવાક 2023 સુધી મળશે*

ભારત કયા દેશ પછી વિશ્વની બીજા નંબરની વનસ્પતિ જર્મ પ્લાઝમા બેંક સ્થાપી
*✔️જાપાન*

પાકિઝા ક્રિકેટ લીગનું આયોજન કયા દેશમાં થવાનું છે
*✔️અફઘાનિસ્તાન*

કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમને રેલવે, હાઇવે, એરપોર્ટનો હિસ્સો વેચવા નેશનલ મોનેટાઈઝેશન પાઇપલાઇન (MNP) લોન્ચ કરી.

તાજેતરમાં જાણીતા એથ્લેટીક્સ કોચ ઓમ નામ્બિયારનું નિધન થયું.

💥રણધીર💥
*📚રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી📚*

*📚આ વર્ષે (2021)ઝવેરચંદ મેઘાણીનું 125મું જન્મવર્ષ*

*🖋️જન્મ:-28 ઓગસ્ટ, 1896, ચોટીલા*

*🖋️માતા :- ધોળીબાઈ*

*🖋️પિતા :- કાળીદાસ*

*🖋️પત્ની :- દમયંતીબહેન , ચિત્રાદેવી*

*🖋️અભ્યાસ :- બી.એ. (સંસ્કૃત), શામળદાસ આર્ટ્સ કોલેજ, ભાવનગર*

*🖋️વ્યવસાય :- સંપાદક, સાહિત્યકાર, નાટ્યકાર, કવિ, લેખક, લોકસાહિત્યના સંશોધક*

*🖋️હુલામણું નામ :- દ.સ.ણી., સાહિત્યયાત્રી, વિલાપી, તંત્રી, વિરાટ, શાણો*

*🖋️સર્જન :-👇🏾*
*🖋️પ્રથમ કૃતિ :- કુરબાનીની કથાઓ*
*🖋️સંકલન :- સૌરાષ્ટ્રની રસધાર*
*🖋️પ્રથમ કાવ્યસંગ્રહ :- વેણીનાં ફૂલ, 1926*
*🖋️4 નાટ્યસંગ્રહ, 7 નવલિકા સંગ્રહ, 13 નવલકથા, 6 ઈતિહાસ કથા, 13 જીવનચરિત્ર*

*🖋️સિદ્ધિ :- રણજિતરામ સુવર્ણચંદ્રક, 1928*
*🖋️ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના વડા, 1930*
*🖋️કૃતિ 'માણસાઈના દીવા' ને મહીડા પારિતોષિક, 1946*

*🖋️ખિતાબ :- રાષ્ટ્રીય શાયર*

*🖋️અવસાન :- 9 માર્ચ, 1947 (50 વર્ષ), બોટાદ*

*📚વિશેષ :-👇🏾*
'છેલ્લો કટોરો' કાવ્ય સંપાદકના પ્રેસમાં એક કલાકમાં લખાયું, જે અમૃતલાલ શેઠે મુંબઈ મોકલ્યું હતું.

દાંડી કૂચ અને ધોલેરા સત્યાગ્રહ નિમિત્તે મેઘાણી રચિત દેશભક્તિના 15 ગીતોનો સંગ્રહ પ્રકાશિત થયો - 'સિંધુડો'. જે બ્રિટિશ સરકારે આ સંગ્રહને જપ્ત કર્યો હતો.

'ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી ભવન' ગાંધીનગરમાં નિર્મિત થશે.

જન્મભૂમિ ચોટીલામાં મેઘાણી મ્યુઝિયમ બનશે.

મેઘાણીના બીજા પત્ની ચિત્રાદેવી નેપાળના હતા.

14 વર્ષની હીરબાઈની 'ચારણ કન્યા' વાળી ઘટના 1928ના વર્ષમાં બની હતી.

ઝવેરચંદ મેઘાણીને કુલ નવ સંતાનો હતા.


💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :- 26/08/2021 થી 29/08/2021🗞️*

ઉત્તરાખંડ રાજ્યએ કળા, પ્રવાસ અને સંસ્કૃતિનો બ્રાન્ડ એમ્બેસેડર કોણે બનાવ્યો
*✔️ઇન્ડિયન આઈડલ-12 ના વિજેતા પવનદીપ રાજન*

23 ઓગસ્ટઆંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર નિર્મૂલન દિવસ

આજીવિકા સહાયતા યોજના કયા રાજયમાં શરૂ કરવામાં આવી
*✔️મણિપુર*

કયા રાજ્યની સરકારે રમત-ગમત ક્ષેત્રે મોટાભાગે પ્રતિભાખોજ અભિયાન શરૂ કર્યું
*✔️મધ્યપ્રદેશ*

અયોધ્યાની એક સડકને કોનું નામ આપવામાં આવ્યું
*✔️કલ્યાણસિંહ*

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના કાર્યકારી ચેરમેન કોણે બનાવાયા
*✔️અજીજુલ્લાહ ફજલી*

ભારતનું સર્વપ્રથમ આલ્કોહોલ મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવ્યું
*✔️ગોવા*

દેશનું સૌથી ઊંચું હર્બલ ગાર્ડન કયા રાજ્યમાં બનાવવાંમાં આવ્યું
*✔️ઉત્તરાખંડ*

IPLમાં રમનારા સિંગાપોરના પ્રથમ ક્રિકેટર કોણ છે
*✔️ટીમ ડેવિડ*

ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે સેફ સિટીઝ ઇન્ડેક્સ 2021 હેઠળ દુનિયાના 60 સૌથી સુરક્ષિત શહેરની યાદી જાહેર કરી. જેમાં દુનિયાનું સૌથી સુરક્ષિત કયું શહેર ટોપ પર છે
*✔️ડેન્માર્કની રાજધાની કોપનહેગન*
*✔️દિલ્હી 48મા અને મુંબઈ 50મા સ્થાને*
*✔️ડિજિટલ સુરક્ષામાં સિડની અને હેલ્થમાં ટોક્યો પ્રથમ સ્થાને*

ગુજરાત હાઈકોર્ટના કયા બે જસ્ટિસની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા
*✔️ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બેલા ત્રિવેદી*
*✔️જસ્ટિસ બેલા ત્રિવેદી ગુજરાત હાઈકોર્ટમાંથી પ્રથમ મહિલા જજની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ કરાઈ*

ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે કોની નિયુક્તિ કરાઈ
*✔️પંકજકુમાર*

શુગર કો-ઓપરેટિવ્સને નિર્દિષ્ટ મંડળીમાંથી બાકાત કરતો કયો કાયદાકીય સુધારો રદ કરવામાં આવ્યો
*✔️કલમ 74C*

આમ્ર્ડ ફોર્સ મેડિકલ સર્વિસીઝ (AFMS)ના પ્રથમ મહિલા ડીજી કોણ બન્યા
*✔️શીલા સામંતા મથાઈ*

ઝવેરચંદ મેઘાણી ગુજરાત સાહિત્ય અકાદમી ભવનનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઈ-ખાતમુહૂર્ત ક્યાં કરવામાં આવ્યું
*✔️ગાંધીનગર*

ભારતીય વાયુ સેના (IAF) કયા દેશ પાસેથી 70 હજાર એકે-103 અસોલ્ટ રાઇફલ ખરીદશે
*✔️રશિયા*

કયા દેશમાં આવેલા 'ટ્રેન એ લાન્સ નૂબ્સ' રેલવે ટ્રેક વિશ્વ વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યો
*✔️આર્જેન્ટિનાના સાલ્ટામાં આવેલો*
*✔️રંગીલા પર્વતો વચ્ચેથી પસાર થાય છે.*

અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને લાવવા માટે ચાલવાઈ રહેલ મિશનનું નામ
*✔️મિશન દેવી શક્તિ*
*✔️જલિયાંવાલા બાગનું મુખ્ય સ્થળ જ્વાલા સ્મારકનું પુનઃનિર્માણ કરાયું અને અહીં સ્થિત તળાવને 'લીલી તળાવ' તરીકે રીડેવલપ કરાયું*

આણંદ NDDB દ્વારા ખેડૂતોને સરકારી પશુધન યોજનાઓ વિશે માહિતી આપવા કઈ એપ લોન્ચ કરાઈ
*✔️ઈ-ગોપાલા*

*💥રણધીર💥*
G 20 details information..👍❤️
*🙏🏻ડાકોર : માખણચોરનો ઈતિહાસ🙏🏻*

*👉🏾ખેડા જિલ્લામાં રણછોડરાયજીનું ભવ્ય અને ઐતિહાસિક તીર્થધામ ડાકોર આવેલું છે. શ્રી કૃષ્ણ દ્વારકાથી ડાકોર આવ્યા તેની પાછળ એવી કથા છે કે ડાકોરમાં વીરસિંહ અને રતનબાને ત્યાં વિજયસિંહ નામના બાળકનો જન્મ થયો તે જાતે રાજપૂત બોડાણા હતા.વિજયસિંહ બોડાણા અને તેના પત્ની ગંગાબાઈ દ્વારકા પગપાળા ગયા હતા. દ્વારકા પહોંચીને જ્યારે દ્વારકાધીશના દર્શન કર્યા ત્યારે ભક્ત બોડાણાએ જોયું કે ભગવાન દ્વારકાધીશની મૂર્તિ સોનાના આભૂષણથી સુશોભિત છે અને તે સિવાય તેના પર તુલસીમાળા રાખવામાં આવી છે. ભગવાન બોડાણાએ વિચાર્યું કે ભગવાન દ્વારકાધીશને તુલસી પસંદ છે તેથી તેમણે નક્કી કર્યું કે જ્યારે પણ દર્શને આવશે ત્યારે તુલસીનો છોડ લઈને આવશે.*

*👉🏾ભક્ત બોડાણા દ્વારકા જઈને ભગવાનની તુલસી વડે પૂજા કરતા હતા.72 વર્ષ સુધી આ ક્રમ ચાલુ રહ્યો.પરંતુ શરીર જીર્ણ થવા લાગતા પરિસ્થિતિને પારખીને ભગવાને બોડાણાને સ્વપ્નમાં ફરીથી જ્યારે દ્વારકા આવે ત્યારે ગાડું લઈને આવવા જણાવ્યું , જેથી તેઓ (દ્વારકાધીશ) ગાડામાં બેસીને તેમની સાથે ડાકોર આવી શકે.ગરીબ બોડાણા ગાડું લઈને ગયા ત્યારે દ્વારકાધીશ મંદિરના પૂજારીઓએ ગાડું લઈને આવવાનું કારણ પૂછતાં બોડાણાએ કહ્યું કે ભગવાનને હું મારી સાથે ડાકોર લઈ જવા આવ્યો છું. આ સાંભળીને પૂજારીઓએ મંદિરને તાળાં મારી દીધા જેથી બોડાણા મંદિરમાં પ્રવેશ જ ન કરી શકે.જોકે, ભગવાનની લીલા ન્યારી છે.તેઓ મૂર્તિ સ્વરૂપે બોડાણા સમક્ષ પ્રગટ થઈને ગાડામાં બેસી ડાકોર ચાલી નીકળ્યા.ભગવાન શ્રી કૃષ્ણએ વૃદ્ધ ભક્ત બોડાણાને આરામ કરવા જણાવ્યું અને પોતે ગાડું હંકાવ્યું હતું.*

*👉🏾(લોકવાયકા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ઉમરેઠ સુધી ગાડું ચલાવ્યું.બોડાણા જાગ્યા ત્યારે ડાકોર પહોંચવા આવ્યા હતા. ભગવાને આરામ કરવાનું નક્કી કર્યું અને ડાકોર-ઉમરેઠ રોડ ઉપર આવેલા બિલેશ્વર મહાદેવના મંદિર પાસે વિશ્રામ માટે રોકાયા ત્યાં ભગવાને દાતણ કરવા માટે લીમડાની એક ડાળમાંથી દાતણ તોડ્યું હતું એ ડાળીના સ્પર્શના કારણે લીમડાની એ ડાળ મીઠી થઈ ગઈ. આજેય આખો લીમડો કડવો છે, પરંતુ ભગવાનનો સ્પર્શ પામેલી એ ડાળી મીઠી છે.)*

*👉🏾ગાડું ચલાવીને એક જ રાતમાં તેઓ દ્વારકાથી ડાકોર સવારમાં આવી પહોંચ્યા.દ્વારકામાં મંદિરમાં પૂજારીઓએ દ્વાર ખોલ્યા ત્યારે તેમણે બોડાણા પર શંકા ગઈ અને મૂર્તિની શોધમાં દ્વારકાથી ડાકોર આવી પહોંચ્યા.બોડાણાએ ભયભીત થઈને ભગવાનના આદેશથી પ્રતિમાને ગોમતી તળાવમાં સંતાડી દીધી.ત્યારબાદ બોડાણાએ પૂજારીઓને સત્યથી વાકેફ કર્યા.ત્યારે હાંસી ઉડાવતા પૂજારીઓએ કહ્યું કે જો તેમણે (બોડાણા) ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું, કારણ કે પૂજારીઓ જાણતા હતા કે આ ગરીબ બોડાણા આટલું સોનું ક્યારેય નહીં આપી શકે અને શ્રી કૃષ્ણની મૂર્તિ દ્વારકામાં જ રહેશે.બોડાણા પાસે સોનાના નામે તેમની પત્ની ગંગાબાઈએ પહેરેલી નાકની ફક્ત એક વાળી હતી.ગોમતીતટે મૂર્તિને ત્રાજવાના એક પલ્લામાં મૂકી તેની સામેના પલ્લામાં આ વાળી મુકવામાં આવી ત્યારે તેનું વજન મૂર્તિના વજન કરતાં પણ વધારે થયું અને આ વાળી લઈને પૂજારીઓ ત્યાંથી વિદાય થયા.*

*👆🏻સંદેશના અંક સંસ્કારમાંથી*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :- 30-31/08/2021🗞️*
*&*
*🗞️01/09/2021 થી 06/09/2021🗞️*

રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કઈ એપ લોન્ચ કરી
*✔️ખેલ ઇન્ડિયા એપ*

હાલમાં અમેરિકામાં કયું વાવાઝોડું ત્રાટક્યું
*✔️ઈડા*

લદાખમાં 18699 ફૂટની ઊંચાઈએ વિશ્વનો સૌથી ઊંચો રોડ બનશે જે લેહના કયા સરોવરને જોડશે
*✔️પેંગોંગ*

ગૂગલ-એપલ એપ સ્ટોરનો ઇજારો ખતમ કરવા પહેલી વખત કયા દેશમાં બિલ પાસ કરીને નિર્ણય લેવાયો
*✔️દક્ષિણ કોરિયા*

અફઘાનિસ્તાનથી અમેરિકા પરત ફરી રહેલો અંતિમ અમેરિકી કમાન્ડર
*✔️ક્રિસ ડોનાહુ*

સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર જેને હાલમાં ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
*✔️ડેલ સ્ટેન*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોની 125મી જન્મજયંતી નિમિત્તે ૱125નો સ્મારક સિક્કો જાહેર કર્યો
*✔️શ્રીલ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ*
*✔️ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઈસ્કોન) ના સ્થાપક*
*✔️તેમણે 'હરે કૃષ્ણા આંદોલન' પણ ચલાવ્યું હતું.*

આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી કોણ બન્યો
*✔️પોર્ટુગલનો ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો*

અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકારનું નેતૃત્વ કોણ કરશે
*✔️મુલ્લા અબ્દુલ ગની બરાદર*

બે પેરાલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લિટ્ કોણ બની
*✔️અવની લેખરા*
*✔️50 મીટર રાઇફલ સ્પર્ધામાં*

30 ઓગસ્ટરાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ

ભારત અને જર્મનીની નૌસેનાએ કયા અખાતમાં સંયુક્ત નૌસેના અભ્યાસ કર્યો
*✔️એડનના અખાતમાં*

હાલમાં કયા દેશની અદાલતે 996 ઓવરટાઈમ પ્રથા ગેરકાયદે ઘોષિત કરી
*✔️ચીન*
*✔️996 એટલે સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી અને અઠવાડિયામાં 6 દિવસ કામ કરવાનું*

બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સ 2021ના વિજેતા કોણ બન્યા
*✔️મેક્સ વર્સ્ટપન*

ઓડિશા સરકારે બીજું પટનાયક ખેલ પુરસ્કારથી કોણે સન્માનિત કર્યા
*✔️અમિત રોહિદાસ*

નેપાળના નવા નૌસેના પ્રમુખ કોણ બન્યા
*✔️પ્રભુ શર્મા*

29 ઓગસ્ટરાષ્ટ્રીય ખેલ દિવસ

તમામ વયસ્કોનું રસીકરણ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*✔️હિમાચલ પ્રદેશ*

ટોક્યો પેરાલિમ્પિકનું સમાપન :ભારતે કેટલા મેડલ જીત્યા
*✔️5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ = 19 મેડલ*
*✔️ભારત મેડલ ટેલીમાં 24મા ક્રમે*
*✔️ચીને 96 ગોલ્ડ, 60 સિલ્વર અને 51 બ્રોન્ઝ સાથે ટોચનું સ્થાન હાંસલ કર્યું*

*🏆ટોક્યો પેરાલિમ્પિક મેડલ્સના ભારતના વિજેતાઓ :-👇🏾*

*🥇5 ગોલ્ડ મેડલ🥇*
1.અવની લેખરા (10 મી. એર રાયફલ સ્ટેન્ડિંગ)
2.પ્રમોદ ભગત (પુરુષ સિંગલ્સ બેડમિન્ટન)
3.કૃષ્ણા નાગર (પુરુષ સિંગલ્સ બેડમિન્ટન)
4.સુમિત અટીલ (પુરુષ ભાલાફેંક)
5. મનીષ નરવાલ (મિક્સ 50 મી. પિસ્તોલ)

*🥈8 સિલ્વર મેડલ🥈*
1.ભાવિકા પટેલ (મહિલા સિંગલ્સ કક્ષા-4 ટેબલ ટેનિસ)
2.સિંહરાજ (મિક્સ 50 મી. પિસ્તોલ)
3. યોગેશ કથુરિયા (ડિસ્ક થ્રો)
4. નિષાદ કુમાર (ઊંચી કૂદ T47)
5. મરીયપ્પન થગાવેલુ (ઊંચી કૂદ T63)
6. પ્રવીણ કુમાર (ઊંચી કૂદ T64)
7. દેવેન્દ્ર ઝાઝરિયા (ભાલાફેંક F46)
8. સુહાસ યતિરાજ (પુરુષ સિંગલ્સ બેડમિન્ટન SL4)

*🥉6 બ્રોન્ઝ મેડલ🥉*
1. અવની લેખરા (મહિલાઓની 50 મી. રાઇફલ)
2. હરવિંદર સિંહ (પુરુષની વ્યક્તિગત તીરંદાજી)
3. શરદ કુમાર (ઊંચી કૂદ T63)
4. સુંદરસિંહ ગુર્જર (ભાલાફેંક (F46)
5. મનોજ સરકાર (પુરુષ સિંગલ્સ બેડમિન્ટન SL3)
6. સિંહરાજ (પુરુષની 10 મી. એર પિસ્તોલ)

*🥈ગુજરાતની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં સિલ્વર જીત્યો. તે મહેસાણા નજીકના ગામની છે.*


વતનપ્રેમ યોજના :- દેશ-વિદેશના ગુજરાતીઓના 60 % અને સરકારના 40 %

તાજેતરમાં લેખક બુદ્ધદેવ ગુહાનું નિધન થયું.

ઇન્દોરની મુક બધિર યુવતી વર્ષા ડોંગરેએ મિસ ઇન્ડિયા સ્પર્ધા જીતી.

જાણીતા ટીવી સ્ટાર અને બિગ બોસ સિઝન-13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટએટેકથી અવસાન થયું.

💥રણધીર💥
1.ભારતનો સૌથી ટૂંકો નેશનલ હાઈ વે કયો
*✔️એનએચ 35*

2.રંગૂન શહેર કઈ નદી પર આવેલું છે
*✔️ઇરાવદી*

3. કેન્યા દેશની રાજધાની કઈ
*✔️નૈરોબી*

4. પવનાર સાથે કયા સત્યાગ્રહીનું નામ સંકળાયેલું છે
*✔️વિનોબા*

5. રાજસ્થાનનું કોટા શહેર કઈ નદી પર વસેલું છે
*✔️ચંબલ*

6.આગ્રાના તાજમહેલની ઊંચાઈ કેટલા મીટર છે
*✔️54 મીટર*

7. ખાવડા ગિરિમથક કયા જિલ્લામાં આવેલું છે
*✔️કચ્છ*

8.ઈક્વેડોરનું ચલણ કયું
*✔️સુકર*

9. 'ષ°ઢ' શબ્દનો અર્થ
*✔️નપુંસક*

10.'ગોલ્ડન ગર્લ' એ કઈ ખેલાડીની આત્મકથા છે
*✔️પી.ટી.ઉષા*

💥💥
👉🏿આખ્યાનના બીજ વાવ્યા
✔️નરસિંહ મહેતા

👉🏿આખ્યાનના પિતા
✔️કવિ ભાલણ

👉🏿ઉત્તમ આખ્યાન લખનાર
✔️પ્રેમાનંદ
👉🏿ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ મૃત્યુ ગીત
✔️મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
કવિ :- રાવજી પટેલ

👉🏿સૌથી વધારે પ્રવાસ નિબંધો લખનાર
✔️પ્રીતિસેન ગુપ્તા

👉🏿રામનારાયણ વિશ્વનાથ પાઠક
👉ઉપનામ :- દ્વિરેફ, શ્લેષ, સ્વૈરવિહારી

શ્લેષ ઉપનામથી કાવ્યો લખ્યા.
દ્વિરેફ ઉપનામથી વાર્તા લખી.
સ્વૈરવિહારી ઉપનામથી નિબંધ લખ્યા.

💥💥

▪️સુલતાન મહંમદ બેગડાએ ત્રણ શહેર વસાવ્યા હતા.તે જુના અને નવા નામ👇

1. મહમૂદાબાદમહેમદાવાદ
2. મુસ્તફાબાદ જૂનાગઢ
3. મુહમ્મદાબાદ ચાંપાનેર
▪️ગેટ વે ઓફ ઇન્ડિયા
✔️મુંબઈ

▪️ઇન્ડિયા ગેટ
✔️દિલ્હી
▪️ચિલી પાસેથી નીકળતો કયો ગરમ પ્રવાહ ભારતમાં દુષ્કાળ માટે જવાબદાર છે
✔️અલનીનો

▪️ઓસ્ટ્રેલિયા પાસેથી નીકળતો કયો ઠંડો પ્રવાહ ભારતમાં વધારે વરસાદ આપે છે
✔️લાલીનો
👉🏿Short Trick :- રામ લોક

▪️લોકસભાના સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા
✔️રામ સુભાગસિંહ

👉🏿Short Trick :- શ્યામ રાજ્ય

▪️રાજ્યસભામાં સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા
✔️શ્યામ નંદનપ્રસાદ મિશ્રા

💥💥
▪️સૌથી વધુ વખત વિટો પાવરનો ઉપયોગ કરનાર રાષ્ટ્રપતિ
✔️જ્ઞાની ઝૈલસિંહ

▪️ભારતમાં રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહે સૌપ્રથમ પોકેટ વિટોનો ઉપયોગ ક્યારે કર્યો હતો
✔️1986માં ભારતીય પોસ્ટના બંધારણીય સુધારામાં
▪️ઇન્દિરા ગાંધીનું મૂળ નામ
✔️પ્રિયદર્શીની

▪️સોનિયા ગાંધીનું મૂળ નામ
✔️એડવીજ એન્ટોનિયા અલ્બના માઈન