સામાન્ય જ્ઞાન
1.48K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*📚ધોરણ - 9 (ગુજરાતી) : સમાનાર્થી શબ્દો📚*

🪶ચુઆસુગંધી તેલ

🪶હેમસોનુ, કનક, સુવર્ણ

🪶કરજદેવું

🪶તાડનમારવું તે

🪶જાચવુંયાચના કરવી

🪶ખોડમોટું જૂનું લાકડું, ઝાડનું થડિયું

🪶કેરજુલમ

🪶વિસરવુંભૂલી જવું

🪶વસવસોઅફસોસ

🪶જથરવથરઅવ્યવસ્થિત

🪶મજિયારુંસહિયારું

🪶અસ્ખલિતસતત, એકધારું

🪶નિષ્કર્ષસાર

🪶ગહવરબખોલ, ગુફા

🪶પ્રપાતધોધ

🪶મ્લાનકરમાયેલું, નિસ્તેજ

🪶લાવણ્યસુંદરતા

🪶નિજપોતે

🪶પલ્લવપાંદડું

🪶મેહવરસાદ

🪶સબૂરધીરજ

🪶ઝોબોબેભાન થઈ જવું

🪶નવેરીબે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા

🪶મિજબાનીઉજાણી

🪶ખીજગુસ્સો

🪶પગરણઆરંભ

🪶વિરલદુર્લભ

🪶મોળીડોફેંટો

🪶મોંસૂઝણુંવહેલી સવાર

🪶મમતજીદ

🪶ચોપાડઓશરી

🪶હોરોધરપત, શાંતિ

🪶સરાયાંફળદ્રુપ

🪶ગોજપાપ

🪶કુટિરઝૂંપડી, કૂબો

💥R.K💥
*📚કેટલીક સંધિ📚*

●ભાષાંતર = ભાષા + અન્તર

●હરીચ્છા = હરિ + ઈચ્છા

●દેવીચ્છા = દેવી + ઈચ્છા

●ગૌરીશ્વર = ગૌરી + ઈશ્વર

●સિંધૂર્મિ = સિંધુ + ઊર્મિ

●વધૂલ્લાસ = વધૂ + ઉલ્લાસ

●સ્વેચ્છા = સ્વ + ઇચ્છા

●ગણેશ = ગણ + ઈશ

●યથેષ્ટ = યથા + ઇષ્ટ

●મહેશ = મહા + ઈશ

●નવોઢા = નવ + ઊઢા

●ઇત્યાદિ = ઇતિ + આદિ

●સ્વાગત = સુ + આગત

●પિત્રાજ્ઞા = પિતૃ + આજ્ઞા

●નયન = ને + અન

●ગાયક = ગૈ + અક

●પવન = પો + અન

●પાવક = પો + અક

●નિરાહાર = નિઃ + આહાર

●નિષ્ફળ = નિઃ + ફળ

●નીરોગ = નિઃ + રોગ

●નીરસ = નિઃ + રસ

●નમસ્તે = નમઃ + તે

●નિસ્તેજ = નિઃ + તેજ

●મહત્વ = મહત્ + ત્વ

●મહત્તા = મહત્ + તા


💥R.K💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-05/04/2021 અને 06/04/2021🗞️*

તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી શશીકલા જાવલકરનું નિધન થયું.તેમને કયા વર્ષે પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો
*✔️2007*

ગુજરાતના જાણીતા કવિ-શાયર-ગઝલકાર જેમનું હાલમાં નિધન થયું
*✔️ખલીલ ધનતેજવી*
*✔️જન્મ :-12 ડિસેમ્બર, 1938*
*✔️નિધન :-4 એપ્રિલ, 2021*

વન-ડેમાં સતત સૌથી વધુ મેચ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ કઈ ટીમે બનાવ્યો
*✔️ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે*
*✔️સતત 22 વન-ડે મેચ જીતી.*

એક સરવે મુજબ ગુજરાતમાં કેટલા ઊંટ બચ્યા છે
*✔️27,620*
*✔️15 વર્ષમાં ઊંટોની સંખ્યામાં 10,834નો ઘટાડો થયો.*

2 એપ્રિલબાળ પુસ્તક દિવસ

ભારત સરકારે એક સમજૂતી અંતર્ગત કયા દેશને 800 કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી છે
*✔️નેપાળ*

શ્રીનગરના કયા સરોવરને ભારત સરકાર દ્વારા સંરક્ષિત વેટલેન્ડ ઘોષિત કરવામાં આવ્યું છે
*✔️ડાલ સરોવર*

કયા દેશે પ્રાણીઓ માટે દુનિયાની સૌપ્રથમ કોવિડ-19 રસી બનાવી છે
*✔️રશિયા*

ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત પ્રત્યેક પરિવારને વીમો આપનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*✔️રાજસ્થાન*

બાંગ્લાદેશમાં આયોજિત સૈન્ય અભ્યાસમાં ભારતીય સેના ભાગ લેશે.આ અભ્યાસનું નામ શું છે
*✔️શાંતિર અગ્રસેના 2021*

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા પ્રગટ કરવામાં આવેલા જેન્ડર ગેપ સુચકાંકમાં કયા દેશે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે
*✔️આઈસલેન્ડ*

ઓડિશા સરકારે કયા સ્થળને બીજા બાયો સ્ફિયર રીઝર્વની ઘોષણા કરી છે
*✔️મહેન્દ્રગીરી*

વર્ષ 2020નું સરસ્વતી સન્માન કોણે આપવામા આવ્યું
*✔️ડૉ.શરણકુમાર લીંબાલે*

1 એપ્રિલઉત્કલ દિવસ

કયા રાજ્યની સરકારે બસોમાં મહિલાઓ માટે નિઃશુલ્ક મુસાફરીની ઘોષણા કરી છે
*✔️પંજાબ*

કયા રાજયમાં આયોકિત રાષ્ટ્રીય જુનિયર હોકી ચેમ્પિયનશિપ સ્થગિત કરવામાં આવ્યો છે
*✔️ઝારખંડ*

ત્રણ દિવસીય આયુર્વેદ પર્વ ક્યાં યોજાયો હતો
*✔️ભુવનેશ્વર*

કયા દેશે બહુરાષ્ટ્રીય વાયુસેના અભ્યાસ એસેજ મીટ 2021ની ઘોષણા કરી છે
*✔️પાકિસ્તાને*

બે શહેરને ગ્રીન એનર્જી એફિશિયન્ટ બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે
*✔️બિહાર*

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના નવા નેતા કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*✔️એગ્નેસ કેલમાર્ડ*

કયા રાજ્યએ ઘોષણા કરી છે કે વર્ષ 2022 સુધીમાં દરેક ગરીબ પાસે ઘર હશે
*✔️ઉત્તર પ્રદેશ*

SBIએ કયા દેશની બેંક સાથે 1 બિલિયન ડોલરની ઋણ સમજૂતી કરી છે
*✔️જાપાન*

છત્તીસગઢના કયા જિલ્લામાં નક્સલવાદીઓએ કરેલા હુમલામાં 22 થી વધારે જવાનો શહીદ થયા
*✔️બીજાપુર*

જમ્મુની કઈ નદી પર વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ આર્કનું કામ પૂરું થયું
*✔️ચિનાબ*
*✔️બ્રિજની લંબાઈ 1315 મીટર*

BCCIના એન્ટિકરપ્શન યુનિટના નવા ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️શબ્બીર હુસેન ખાંડવાવાલા*

ઇન્ડોનેશિયા અને તિમોરમાં કયો ચક્રવાત આવ્યો
*✔️સેરોજે*

*👉🏾Only Newspaper Curtent👇🏾*

https://t.me/jnrlgk


💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-07/04/2021 અને 08/04/2021🗞️*

7 એપ્રિલવિશ્વ આરોગ્ય દિવસ
*✔️થીમ :- સુંદર અને સ્વસ્થ વિશ્વનું નિર્માણ

ભારતના 48મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની નિમણુક કરવામાં આવી
*✔️ગુથાલાપટી વેંકેટા રમન્ના*
*✔️એસ.એ.બોબડેની જગ્યા લેશે*

ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ જેમનું હાલમાં નિધન થયું
*✔️આર.પી.ધોળકિયા*

ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સની સંયુક્ત નેવી કવાયત કયા મહાસાગરમાં કરવામાં આવી
*✔️હિંદ મહાસાગર*

ફોર્બ્સની યાદી મુજબ વિશ્વની સૌથી અમીર વ્યક્તિ તરીકે ટોચ પર કોણ છે
*✔️એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ*
*✔️સતત ચોથા વર્ષે*
*✔️મુકેશ અંબાણી 10મા સ્થાને*

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શેખ હસીનાએ બાંગ્લાદેશના ઢાકામાં કયા મ્યુઝિયમનું ઉદ્દઘાટન કર્યું
*✔️બાંગબંધુ-બાપુ મ્યુઝિયમ*
*✔️આ સંગ્રહાલયમાં ભારતના પિતા મહાત્મા ગાંધી અને બાંગ્લાદેશના પિતા શેખ મુજીબુર રહેમાનનું ડિજિટલ પ્રદર્શન*
*✔️વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના યુવાનો માટે સુવર્ણ જ્યુબિલી શિષ્યવૃત્તિની જાહેરાત કરી. તે ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાવ દ્વારા દર વર્ષે આપવામાં આવતી એક સંશોધન ફેલોશિપ છે.*

ભારતીય અને અમેરિકાના વિશેષ દળોએ હિમાચલ પ્રદેશમાં સંયુક્ત તાલીમ પ્રયોગ શરૂ કર્યો.આ કવાયતનું નામ શું છે
*✔️વજ્ર પ્રહાર 2021*

આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન દ્વારા ટીબીમુક્ત ભારત માટે કઈ પહેલ શરૂ કરાઇ
*✔️ટ્રાઈબલ ટીબી પહેલ*

પાકિસ્તાને શહીન-1 નામની પરમાણુ સક્ષમ સપાટીથી સપાટીની બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.આ મિસાઈલની રેન્જ કેટલી છે
*✔️900 કિમી.*

સુએજ કેનાલમાં ફસાયેલું માલવાહક જહાજ
*✔️એવર ગિવન*

Standing Conference of Public Enterprise (SCOPE)ના નવા અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયા
*✔️સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ(સેલ)ના અધ્યક્ષ સોમા મુંડલ*

ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (PSA) તરીકેના કોના કાર્યકાળમાં 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો
*✔️કે.વિજયરાઘવન*

મુંબઈ આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવ અને લિટરેચર લાઈવના સ્થાપક, પ્રખ્યાત પત્રકાર અને લેખક જેમનું હાલમાં નિધન થયું
*✔️અનિલ ધારકર*

દ્વીપકલ્પ ભારતના પશ્ચિમ ઘાટના સંશોધન દળે પતંગિયાની નવી પ્રજાતિની શોધ કરી.

ભારતના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને બ્રિટનિયાના અતિરિક્ત નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

તરુણ બજાજ નવા મહેસુલ સચિવ
અજય શેઠ આર્થિક બાબતોના સચિવ
અનિલકુમાર ઝા આદિજાતિ મંત્રાલયના સચિવ

પાકિસ્તાન બે વર્ષ પછી ભારતમાંથી ખાંડ અને કપાસની આયાત ફરી શરૂ કરશે.

મણિપુરના ઉખરપુર જિલ્લાના સિરોઈ હિલ્સના શિરુઈ શિખરે આગ લાગી.

*👉🏾For Newspaper Current👇🏾*

https://t.me/jnrlgk


💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*

*📚Part - 1📚*
~~~~~~~~~~~~~~~~~~~~
*★ગુજરાત' નામકરણનો ટૂંકો ઈતિહાસ :-*

પ્રાચીન મધ્યકાલીન ઐતિહાસિકકાળમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રદેશને 'આનર્ત' તરીકે ઓળખવામાં આવતો.

સ્ટ્રેબો નામના ભૂગોળવેત્તાએ વર્તમાન સૌરાષ્ટ્ર માટે 'સેરોસ્ટ્સ' શબ્દનો પ્રયોગ કર્યો હતો.જ્યારે ટોલેમી અને પેરિપ્લસ નામના ભૂગોળવેત્તાઓએ સૌરાષ્ટ્ર માટે 'સુરાષ્ટ્રીન' શબ્દનો પ્રયોગ કર્યો હતો.

ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગ, જે મૈત્રકયુગના ધ્રુવસેન બીજાના સમયમાં ઇ.સ.640માં આવ્યો હતો. તેણે સોરઠનો ઉલ્લેખ 'સુલકા' શબ્દ દ્વારા કર્યો હતો.

વર્તમાન દક્ષિણ ગુજરાત માટે નવમી અને દસમી સદી દરમિયાન 'લાટ' શબ્દ પ્રયોજાતો હતો.ટોલેમીના ગ્રંથમાં 'લાટિકા' અર્થાત લાટનો ઉલ્લેખ જોવા મળે છે. ટોલેમીએ ગુજરાતની મહી નદીનો ઉલ્લેખ 'મૉફિસ' તરીકે કર્યો છે.

આરબ યાત્રાળુ અલબરૂનીએ 'ગુર્જર' શબ્દની સાથે અરબી ભાષાનો 'અત' પ્રત્યય જોડીને તેને 'ગુજરાત' એવું નામ આપ્યું.

'ગુજરાત' નામનો સૌપ્રથમ ઉલ્લેખ ઇ.સ.1233માં લખાયેલા 'આબુરાસ'માં મળે છે.15મી સદીમાં રચાયેલા 'કાન્હડદે પ્રબંધ'માં પણ 'ગુજરાત' એવું નામ આપ્યું.

*★સ્થાન :-*
ગુજરાત રાજ્ય ભારતમાં પશ્ચિમ ભાગમાં અરબ સાગરના દરિયા કિનારે આવેલું છે.

*★અક્ષાશ-*
20.6° ઉત્તર અક્ષાશથી 24.07° ઉત્તર અક્ષાશ

*★કર્કવૃત્ત*
કર્કવૃત્ત ગુજરાતના ઉત્તર ભાગના 6 જીલ્લાઓમાંથી પસાર થાય છે. જે પશ્ચિમથી પૂર્વ તરફ જતાં ક્રમમાં નીચે મુજબ છે.

*ક્ચ્છ - પાટણ - મહેસાણા - ગાંધીનગર - સાબરકાંઠા - અરવલ્લી*

કર્કવૃત્ત કચ્છના ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે.

મહી નદી કર્ક રેખાને બે વાર ઓળંગતી એકમાત્ર નદી છે.

*★કટિબંધ :-*
કર્કવૃત્ત અને વિષુવવૃત્ત વચ્ચેનો ભાગ ઉષ્ણકટિબંધમાં આવે છે. આથી ગુજરાત રાજ્યનો મોટો ભાગ ઉષ્ણકટિબંધમાં આવે છે.

*★રેખાંશ :-*
68.7° પૂર્વ રેખાંશથી 74.28° પૂર્વ રેખાંશ

*★ક્ષેત્રફળ :-*
1,96,024 ચોરસ કિ.મી. (75,686 ચોરસ માઈલ)

વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત દેશના કુલ વિસ્તારનો 6% (5.96%) ભાગ રોકે છે તથા છઠ્ઠો ક્રમ ધરાવે છે.

1.રાજસ્થાન
2.મધ્યપ્રદેશ
3.મહારાષ્ટ્ર
4.ઉત્તરપ્રદેશ
5.જમ્મુ કાશ્મીર
6.ગુજરાત

*★ઉત્તર-દક્ષિણ લંબાઈ :-*
590 કિ.મી.

*★પૂર્વ-પશ્ચિમ પહોળાઈ :-*
500 કિ.મી.

*★વસતી :-*
2011ની વસતી ગણતરી મુજબ દેશની કુલ વસતીના 5%(4.99%) જેટલી થાય છે.

*★ગુજરાતના રાજસ્થાન સાથે સરહદ ધરાવતા જિલ્લા:-*

*Short Trick :- કમ અદાબ*

1.કચ્છ 2.બનાસકાંઠા 3.અરવલ્લી 4.મહીસાગર 5.દાહોદ

*★ગુજરાતના મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતા જિલ્લા:-*

1.દાહોદ 2.છોટા ઉદેપુર

*★ગુજરાતના મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા જિલ્લા :-*

*Short Trick :- તાન છોડાવે નર્મદા*

1.તાપી 2.નવસારી 3.છોટા ઉદેપુર 4.ડાંગ 5.વલસાડ 6.નર્મદા

*★દરિયાઈ સીમા :-*
ગુજરાત એ ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે જેની લંબાઈ 1600 કિમી. છે. (990 માઈલ)

ગુજરાત ભારતનો લગભગ 28% જેટલો દરિયા કિનારો ધરાવે છે.

ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો :- *કચ્છ*

વર્તમાનમાં ગુજરાતના કુલ 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. જે નીચે મુજબ છે :

1.કચ્છ 2.મોરબી 3.જામનગર 4.દેવભૂમિ દ્વારકા 5.પોરબંદર 6.જૂનાગઢ 7.ગીર સોમનાથ 8.અમરેલી 9.ભાવનગર 10.અમદાવાદ 11.આણંદ 12.ભરૂચ 13.સુરત 14.નવસારી 15.વલસાડ

*★અખાત :-*
ગુજરાતના દરિયા કિનારે બે અખાત આવેલા છે. જેથી ગુજરાતનો દરિયા કિનારો લાંબો બને છે.

1.કચ્છનો અખાત 2.ખંભાતનો અખાત

*★હવાઈ મથકો :-*
સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે 26 જાન્યુઆરી, 1991થી કાર્યરત છે.

વડોદરાના સિવિલ એરોડ્રામ (હરણી) એરપોર્ટના ઇન્ટરનેશનલ ટર્મિનલનું ઉદ્દઘાટન 22 ઓક્ટોબર, 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું.

1 મે, 1960માં ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લા હતા.
1964માં ગાંધીનગર જિલ્લો બનાવવામાં આવ્યો.
1966માં વલસાડ જિલ્લો બનાવવામાં આવ્યો.
2 ઓક્ટોબર,1997ના રોજ 5 નવા જિલ્લા રચવામાં આવ્યા.
1.આણંદ 2.દાહોદ 3.નર્મદા 4.નવસારી 5.પોરબંદર
2000માં પાટણ જિલ્લો બનાવવામાં આવ્યો.
2 ઓકટોબર, 2007ના રોજ તાપી જિલ્લો બનાવવામાં આવ્યો.
15 ઓગસ્ટ, 2013ના રોજ નરેન્દ્ર મોદીએ 7 નવા જિલ્લાઓની રચના કરી.
1.અરવલ્લી 2.બોટાદ 3.છોટા ઉદેપુર 4.દેવભૂમિ દ્વારકા 5.મહીસાગર 6.મોરબી 7.ગીર સોમનાથ

આમ, ગુજરાતમાં વર્તમાનમાં 33 જિલ્લાઓ છે.

વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો:- કચ્છ

વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો :- ડાંગ

આંતરરાજ્ય સરહદ ધરાવતા ગુજરાતના કુલ જિલ્લા :- 12

રાજસ્થાન અને મધ્ય પ્રદેશ બંનેની સરહદ ધરાવતો જિલ્લો :- દાહોદ

મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ બંનેની સરહદ ધરાવતો જિલ્લો :- છોટા ઉદેપુર

સૌથી વધુ જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા જિલ્લા :- ખેડા, રાજકોટ અને અમદાવાદ (7 જિલ્લા)

એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો :- વલસાડ

*👉🏾Next :-Part :-2 :-ગુજરાતના જાણીતા ભૌગોલિક પ્રદેશો -:*


💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-09/04/2021 અને 10/04/2021🗞️*

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના પતિ જેમનું તાજેતરમાં નિધન થયું
*✔️પ્રિન્સ ફિલિપ*
*✔️તેમનો જન્મ 1921માં ગ્રીસમ થયો હતો.*

કયા દેશે ટોક્યો ઓલિમ્પિક્સ 2021માં ભાગ ન લેવાની ઘોષણા કરી
*✔️ઉત્તર કોરિયા*

સ્પોર્ટ્સ એક્સચેન્જે કયા ક્રિકેટરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો
*✔️પૃથ્વી શો*

IMFના અનુમાન મુજબ નાણાકીય વર્ષ 2021-22માં ભારતનો વિકાસદર કેટલા ટકા રહેશે
*✔️12.5%*

ભારતે કયા દેશ સાથે સમુદ્રી સુરક્ષા મંત્રણા યોજી હતી
*✔️વિયેતનામ*

કયા રાજ્યની સરકારે ફ્લિપકાર્ટને 140 એકર જમીનની ફાળવણી કરી
*✔️હરિયાણા*

કયા દેશની સરકારે તાડના તેલની આયાત પર પ્રતિબંધ જાહેર કર્યો છે
*✔️શ્રીલંકા*

વિપ્રોના મેનેજિંગ ડિરેક્ટર પદે કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*✔️સારા એડમ ગેઝ*

આ વખતે બ્રિક્સ દેશોના નાણાંમંત્રીઓની બેઠકની યજમાની કયો દેશ કરી રહ્યો છે
*✔️ભારત*

5 એપ્રિલઅંતરાત્મા દિવસ

નીતિન ગોખલેનું તાજેતરમાં એક પુસ્તક પ્રકાશિત થયું છે, જેનું શીર્ષક શું છે
*✔️મનોહર પાર્રિકર : બ્રિલીઅન્ટ માઈન્ડ, સિમ્પલ લાઈફ*

રશિયાના વિદેશમંત્રી જેઓ હાલમાં ભારતની બે દિવસીય યાત્રા પર આવ્યા હતા
*✔️સર્ગેઈ લાવરોવ*

મહારાષ્ટ્રના ગૃહમંત્રી જેમને હાલમાં ભ્રષ્ટાચારના આરોપ બાદ રાજીનામું આપી દીધું
*✔️અનિલ દેશમુખ*

કયા રાજયમાં બાળવિવાહ રોકવા લગ્નની કંકોતરીમાં વર-કન્યાની જન્મ તારીખ લખવી પડશે
*✔️રાજસ્થાન*

IIT કાનપુરના લોકોએ દ્રષ્ટિની ખામી ધરાવતા લોકો માટે ટચ સેન્સેટિવ ઘડિયાળ બનાવી છે.

💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*

*📚Part - 2📚*
~~~~~~~~~~~~~~~~~~
*★ગુજરાતના જાણીતા ભૌગોલિક પ્રદેશો :-*

*★કંઠીનું મેદાન :-*
કચ્છના દરિયા કિનારાનો મેદાની પ્રદેશ

*★વાગડનું મેદાન :-*
કચ્છ જિલ્લામાં મુખ્ય ભૂમિનો પૂર્વ ભાગ અથવા નાના રણ અને મોટા રણ વચ્ચેનો ભાગ અથવા બન્ની અને ખાવડા વચ્ચેનો વિસ્તાર વાગડનું મેદાન કહેવાય છે.

*★ગોઢ અથવા ગોઢાનું મેદાન :-*
બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ અર્ધરણ વિસ્તારમાં આવેલા ટેકરા જેવા ઉપસેલા મેદાની ભાગો

*★વઢીયાર :-*
પાટણ જિલ્લાનો બનાસ નદી અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ

*★ગઢવાડા :-*
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાનો પ્રદેશ

*★ચરોતર :-*
ખેડા અને આણંદ જિલ્લાનો મહી નદી અને શેઢી નદી વચ્ચેનો પ્રદેશ

*★કાનમ :-*
ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ

*★સુવાલીની ટેકરીઓ :-*
સુરત જિલ્લાનો તાપી નદીનો ઉત્તર કિનારાનો પોચી જમીનવાળો ભાગ

*★પૂરનાં મેદાન :-*
દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા વગેરે નદીઓના કાંપથી રચાયેલા મેદાની પ્રદેશ

*★ભાલ :-*
અમદાવાદ જિલ્લાના દક્ષિણ-પશ્ચિમ ભાગને 'ભાલપ્રદેશ' તરીકે ઓળખવામાં આવે છે.

*★નળકાંઠો :-*
નળ સરોવર અને સાબરમતી નદી વચ્ચેનો અમદાવાદ જિલ્લાનો ભાગ

*★ઝાલાવાડ :-*
કચ્છના નાના રણ અને નળ સરોવર વચ્ચેનો સુરેન્દ્રનગર જિલ્લાનો ભાગ

*★ગોહિલવાડ :-*
ભાવનગર જિલ્લાનો ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો પ્રદેશ અથવા તળાજા અને ભાવનગર વચ્ચેનો પ્રદેશ

*★લીલીનાઘેર :-*
જૂનાગઢ જિલ્લાના ચોરવાડથી ગીર સોમનાથ જિલ્લામાં આવેલો ઉના સુધીનો ભાગ અથવા ગીરની ટેકરીઓનો દક્ષિણમાં દરિયા કિનારા સુધીનો ગીર સોમનાથ જિલ્લાનો ભાગ

*★બન્નીનો ઘાસનો પ્રદેશ :-*
કચ્છના ઉત્તરમાં બન્ની પ્રકારનું ઘાસ ઉગે છે તે પ્રદેશ

*★સોરઠ :-*
જૂનાગઢ જિલ્લાનો ગિરનારનો દક્ષિણ દરિયા કિનારા સુધીનો ભાગ

*★માળ :-*
ખેડા જિલ્લાનો શેઢી નદીનો ઉત્તરમાં આવેલો પ્રદેશ

*★ઘેડ :-*
પોરબંદર જિલ્લામાં ભાદર નદીના કિનારે આવેલા નવીબંદરથી જૂનાગઢ જિલ્લાના માણાવદર વચ્ચેનો નીચલી ભૂમિનો પ્રદેશ

*★હાલાર :-*
બરડા ડુંગરનો દક્ષિણ-પશ્ચિમ દરિયા કિનારા સુધી આવેલો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પ્રદેશ

*★દારૂકાવન :-*
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા બેટ દ્વારકા અને શંખોદ્વાર બેટનો વિસ્તાર કે જ્યાં બાર જ્યોતિર્લિંગોમાંનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે તે પ્રદેશ

*★દંડકારણ્ય :-*
રામાયણમાં વર્ણવેલો દંડકારણ્ય પ્રદેશ અર્થાત હાલનો ડાંગ જિલ્લો

*★ખારોપાટ :-*
દરિયા કિનારાના ઝીણી રેતી તથા ક્ષારયુક્ત સપાટ કાદવકીચડ વાળો મેદાની પ્રદેશ

*★આનર્ત :-*
પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો ભાગ

*★વાકળ :-*
મહી અને ઢાઢર વચ્ચેનો પ્રદેશ

*★લાટ :-*
નર્મદાની દક્ષિણમાં આવેલો તળગુજરાતનો પ્રદેશ

*★ખાખરિયા ટપ્પાનો પ્રદેશ :-*
મહેસાણા જિલ્લાના કડી અને ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા વચ્ચેનો પ્રદેશ

*★પોશીનો પટ્ટો :-*
સાબરકાંઠા જિલ્લાનો આદિવાસી વનવાસી વિસ્તાર

*👉🏾Next - Part : 3 ગુજરાતની ભૂસ્તરરચના*


💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*

*📚Part - 3📚*

*ગુજરાતની ભૂસ્તરરચના*
~~~~~~~~~~~~~~~~~~
ગુજરાતનો 10% જેટલો ભાગ જમીનભાગ પ્રી-કેમ્બ્રિયન/આર્કિયન/આદિ જીવયુગ સમયનો બનેલો છે.

પેલીયોઝોઈ (પ્રથમ જીવયુગ) સમયના ખડકોનો ગુજરાતમાં અભાવ જોવા મળે છે.

ગુજરાતમાં મેસોઝોઈક (દ્વિતીય જીવયુગ)ના ક્રિટેસિયસ કાળના ખડકો 34.7% અને જુરાસિક કાળના ખડકો 3.4% ભાગમાં આવેલા છે.

ગુજરાતની જમીનનો 51.9% ભાગ ટર્શિઅરી (તૃતીય જીવયુગ)સમયના ખડકોનો બનેલો છે.

આર્કિયન યુગનો અંત ભાગ 'ધારવાડ યુગ' , ગુજરાતમાં તે સમયના ખડકો 'અરવલ્લી સ્તર' કહેવાય છે.

અરવલ્લી સ્તરનો સૌથી વધુ વિસ્તાર પાવાગઢ, ચાંપાનેર, નર્મદા ખીણમાં આવેલો છે. જ્યાંથી ફાઈલાઈટ, ગ્રેનાઈટ, ક્વાર્ટરઝાઈટ જેવા ખડકો મળી આવે છે.

*★દિલ્હી સ્તર :-*
કેલ્સિફાયર્સ, ચૂનાના પથ્થરો, શિસ્ટ, ફાઈલાઈટ, ક્વાર્ટઝ જેવા ખડકો મળી આવે છે.
દાંતા, પાલનપુર, ડીસામાં આ સ્તરના ખડકો જોવા મળે છે.

*★દિલ્હી સ્તરમાંથી મળી આવતાં અગત્યના ખનીજો :-*
શિવરાજપુરની મેંગેનીઝની ખાણ
મોતીપુરાના લીલા આરસની ખાણ
દાંતા તાલુકામાંથી તાંબું, જસત, સીસું
અમીરગઢ નજીક દિવાનિયા અને પાસુવાલના વિસ્તારોમાંથી સ્ફટિકમય ચૂનાના પથ્થરો

કચ્છ અને સૌરાષ્ટ્રનો સૌથી જૂનો સ્તર જુરાસિક સમયનો છે.સૌરાષ્ટ્રમાં રાજકોટ, ધ્રાંગધ્રા અને વઢવાણ પાસેથી જુરાસિક કાળના અવશેષો મળી આવે છે.

સાબરકાંઠાના હિંમતનગર, વડોદરાના સોનગીર, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતેથી ક્રિટેસિયસ કાળના રેતીના પથ્થરો, શેઈલ, કોંગ્લેમરેટ્સ મળી આવે છે.

નિમાર સેન્ડસ્ટોન અને બાઘ સ્તર એ પાવાગઢ ખાતે મળી આવે છે.

ક્રિટેસિયસ સમયના સ્તર કચ્છ, મધ્યપ્રદેશના ઝાબુઆ, અલીરાજપુરમાં જોવા મળે છે.

ગિરનાર અને આંબાડુંગરના વિસ્તારોમાં પ્લુટોનિક (પાતાલીય) અગ્નિકૃત ખડકો મળી આવે છે.

સૌરાષ્ટ્રમાં 'ડાઈક' જોવા મળે છે. એમાં રાજકોટના સરધાર પાસે આવેલી 60 કિમી. લાંબી ડાઈક ગુજરાતની સૌથી લાંબી ડાઈક છે.

રતનપુરના અકીક ટર્શિયરી યુગના સ્તરમાંથી મળી આવે છે.

કચ્છમાં મળતા માયોસીન સમયના સ્તરો 'નરી' અને 'ગાજ' સ્તર તરીકે જાણીતા છે, જ્યાંથી ચૂનાના ખડકો મોટા પ્રમાણમાં મળી આવે છે.

સૌરાષ્ટ્રના માયોસીન સ્તરો પર ચિરોડીયુક્ત માટી તથા રેતાળ ચૂનાના ખડકોની સ્તરની રચના થયેલી છે જે દ્વારકા સ્તર તરીકે ઓળખાય છે.

પોરબંદર પાસે રહેલા મિલિયોલાઈટ લાઈમસ્ટોનના સ્તર 'પોરબંદર પથ્થર' તરીકે જાણીતા છે.

ભૂકંપની તીવ્રતાની દૃષ્ટિએ કચ્છનો પ્રદેશ ભારતના ભૂકંપગ્રસ્ત વિસ્તારોના પાંચમા ઝોનમાં આવે છે.

*★ગુજરાતમાં ફોલ્ટલાઈન :-*
હૈદરાબાદની જાણીતી સંસ્થા 'નેશનલ જીઓફિઝિકસ ઇન્સ્ટિટ્યૂટ' ના નિષ્ણાતોના મત મુજબગુજરાતમાં ત્રણ મોટા નબળા ઝોન (ફોલ્ટ લાઈન)આવેલા છે.

1.કેમ્બે ગ્રેબન ઝોનખંભાતના અખાતથી કચ્છ સુધી

2.ખંભાત ઝોનમહેસાણાથી રાજસ્થાનના રણ સુધી

3.પશ્ચિમ દરિયાકાંઠા ઝોનમહારાષ્ટ્રના રત્નાગિરિથી ગુજરાતના સુરત સુધી

વિશ્વના 17 ભૂસ્તર પેટાવિભાગમાંથી ગુજરાતમાં કુલ 8 વિભાગો જોવા મળે છે.

ગુજરાતમાં પ્રી-કેમ્બ્રિયન અને ટર્શિયરી જીવયુગના ખડકો વધુ જોવા મળે છે.

પંચમહાલ/ભરૂચના બેસાલ્ટિક લાવાથી રચિત અગ્નિકૃત ખડકોમાંથી 'ગ્રેનાઈટ અને નીસ' મળી આવે છે.

ડેક્કનટ્રેપના ખડકો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય વધુ જોવા મળે છે.

સૌરાષ્ટ્રના મૂળ ખડકો ગ્રેનાઈટ પ્રકારના છે, જેના પર લાવા પથરાતા બેસાલ્ટના ખડકો બન્યા છે.

પોરબંદરનો પથ્થર - અગ્નિકૃત ખડકોના વિસ્તારમાં વધુ મળી આવે છે.

*👉🏾Next - Part : 4 ગુજરાતનું ભૂપૃષ્ઠ*


💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*

*ગુજરાતનું ભૂપૃષ્ઠ*
~~~~~~~~~~~~~~~~~~
*◆ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતને મુખ્યત્વે નીચે મુજબના ભાગોમાં વહેંચી શકાય છે :*

1.ગુજરાતનો દરિયા કિનારો અને કચ્છનો રણપ્રદેશ

2.ગુજરાતનો મેદાની પ્રદેશ

3.સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ

4.ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ

*1.ગુજરાતનો દરિયા કિનારો અને કચ્છનો રણપ્રદેશ*
ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો (1600 કિમી.) ધરાવે છે તથા ભરતીથી રચાયેલા સપાટ વિસ્તારો તથા કાદવ-કીચડવાળો વિસ્તાર છે.

*◆ A. કચ્છનો દરિયા કિનારો :-*
કચ્છના દરિયા કિનારોનો પ્રદેશ 'કંઠીના મેદાન' તરીકે ઓળખાય છે.

*★કોરીનાળ :-*
પશ્ચિમમાં આવેલી કોરીનાળ સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ છે તથા નજીકમાં જ 'સિરક્રીક'ની ખાડી આવેલી છે.

*★કોટેશ્વરથી જખૌ સુધી :-*
કોટેશ્વર ખાતે મંદિર આવેલું છે તથા જખૌનો સમાવેશ જૈન પંચતીર્થ (જખૌ, માંડવી, સુથરી, તેરા, કોઠારા)માં થાય છે. આ દરિયા કિનારો 10-13 કિમી. પહોળો કાદવ-કીચડવાળો સપાટ મેદાની વિસ્તાર છે.

*★જખૌથી માંડવી :-*
રેતાળ ટેકરીઓનો બનેલો છે.
સુથરીથી માંડવી વચ્ચેનો કિનારો રેતાળ, સીધો અને ચુનાયુક્ત લાંબી ટેકરીઓનો બનેલો છે.

*◆B.સૌરાષ્ટ્રનો દરિયા કિનારો :-*

*★કંડલાથી દ્વારકા :-*
મુખ્યત્વે જામનગર જિલ્લાના કિનારાનો સમાવેશ થાય છે.
દ્વારકાની ભૂશિર કચ્છના અખાતને અરબ સાગરથી અલગ પાડે છે.દ્વારકાની આસપાસનો કિનારો કરાડમય છે.
જામનગર પાસેના પરવાળાના પિરોટન ટાપુઓ તેની મુખ્ય વિશેષતા જ્યાં મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય આવેલાં છે. અહીં મોતી આપતી કાલુ માછલી મળી આવે છે.

*★અગત્યના બેટ :-*
બેટ દ્વારકા, શંખદ્વાર બેટ, નોરા બેટ, ભેડા બેટ

*★અગત્યના બંદરો :-*
નવલખી (મોરબી), જોડિયા (જામનગર), ઓખા (દેવભૂમિ દ્વારકા), બેડી (જામનગર), સિક્કા (જામનગર), સલાયા (દેવભૂમિ દ્વારકા)

*★દ્વારકાથી વેરાવળ :-*
તદ્દન સીધો અને વિકસિત રેતાળ બીચનો બનેલો 'ચોરવાડ બીચ' જાણીતો છે.
ચુનાયુક્ત રેતીની લાંબી ટેકરીઓ જેની પાછળ લગૂનની રચના થયેલી છે.
'ઘેડ' પ્રદેશ આ કિનારાનો ભાગ છે.

*★વેરાવળથી ગોપનાથ સુધી :-*
વેરાવળ - મત્સ્યબંદર
આ કિનારો સીધો અને 'મિલિયોલાઈટ લાઈમસ્ટોન' (ચૂનાના પથ્થરો)ની ટેકરીઓનો બનેલો છે. આ ચૂનાના પથ્થર 'પોરબંદરના પથ્થર' તરીકે ઓળખાય છે.

*★અગત્યની ખાડીઓ :-*
જાફરાબાદની ખાડી, સોમારાની ખાડી, માંડવાની ખાડી

*★અગત્યના બંદરો :-*
સોમનાથ, જાફરાબાદ, પીપાવાવ (પ્રથમ ખાનગી બંદર)

*★ગોપનાથની સાબરમતી મુખ સુધીનો દરિયા કિનારો :-*
આ કિનારો મોટા ભાગે સીધો અને રેતાળ

*1.ભાવનગરની ખાડી :-*
કાંપના કારણે લુપ્ત

*2.કોપાલાની ખાડી :-*
અહીં સાબરમતી પોતાનું મુખ ખંભાતના અખાતમાં ખોલે છે.

*★અગત્યના બેટ :-*
સુલતાનપુર, જેગરી, માલબેંક, પીરમબેટ

*★બંદરો :-*
અલંગ, ભાવનગર, ઘોઘા, તળાજા

*◆ C. તળ ગુજરાતનો દરિયા કિનારો :-*
છીછરો દરિયા કિનારો જે સાબરમતી મુખથી વલસાડના ઉમરગામ સુધી ફેલાયેલો છે.

*★મહી અને ઢાઢર વચ્ચેનો દરિયા કિનારો :-*
જૂના કાંપની કરાળવાળી જમીનનો દરિયા કિનારો

*★દહેજથી હજીરા સુધીનો દરિયા કિનારો :-*
નર્મદા, કીમ અને તાપી જેવી નદીઓ પોતાનું મુખ ખોલે છે.
અહીં નર્મદાના મુખપ્રદેશમાં 'અલિયા બેટ ટાપુ' આવેલો છે.
દહેજ અને હજીરા જેવા બંદરોનો વિકાસ થયેલો છે.

*★હજીરાથી ઉમરગામ સુધીનો દરિયા કિનારો :-*
ખૂબ જ સાંકળો દરિયા કિનારો તથા રેતાળ

*★અગત્યના બીચ :-*
ડૂમસ (સુરત), ઉભરાટ (નવસારી), દાંડી (નવસારી), તીથલ (વલસાડ)

*👉🏾Next :- કચ્છનો રણપ્રદેશ અને ગુજરાતનો મેદાની પ્રદેશ*


💥રણધીર💥
*🌊ગુજરાતના સરોવરો / તળાવો🌊*

★નળ સરોવરઅમદાવાદ

★નારાયણ સરોવર કચ્છ

★બિંદુ સરોવર સિદ્ધપુર (માતૃશ્રાદ્ધ)

★સૂર સાગર સરોવરવડોદરા


◆અમદાવાદકાંકરિયા, ચંડોળા તળાવ

◆ધોળકા મલાવ તળાવ

◆વિરમગામમુનસર તળાવ, ગંગાસર તળાવ

◆ડાકોરગોમતી તળાવ

◆જામનગરલખોટા, રણમલ, રણજીત સાગર તળાવ

◆રાજકોટલાલપરી તળાવ, આજી તળાવ

◆ભાવનગરગૌરીશંકર તળાવ

◆જૂનાગઢસુદર્શન તળાવ

◆પાટણસહસ્ત્રલિંગ તળાવ

◆વડનગરશર્મિષ્ઠા તળાવ

◆ભૂજહમીરસર તળાવ

◆વડોદરાઆજવા તળાવ

◆પાવાગઢછાસિયુ, દૂધીયુ, તલિયું તળાવ

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-11/04/2021 થી 13/04/2021🗞️*

9 એપ્રિલશૌર્ય દિવસ

ભારતે સાઉદી અરબ પાસેથી કેટલા ટકા ઓછું તેલ આયાત કરવાનો નિર્ણય કર્યો છે
*✔️36%*

છત્તીસગઢ વીરની પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવી
*✔️દુતી ચંદ*

તાજેતરમાં ડૉ.અચ્યુત સામંતનું એક પુસ્તક પ્રગટ થયું છે જેનું શીર્ષક શું છે
*✔️નિલિમારાની : માય મધર, માય હીરો*

RBIએ કયો ઇન્ડેક્સ પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે
*✔️ફાયનાન્શિયલ ઈન્કલુઝન ઇન્ડેક્સ*

ભારતે શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે સહયોગ માટે કયા દેશ સાથે કરાર કર્યો
*✔️જાપાન*

વર્ષ 2020નો દેવીશંકર અવસ્થી પુરસ્કાર કોણે આપવામાં આવ્યો
*✔️આશુતોષ ભારદ્વાજ*

કોસોવોના રાષ્ટ્રપતિ તરીકે કોણે ચૂંટવામાં આવ્યા
*✔️જોસા ઉસમાની*

મંત્રી સ્તરની 17મી બિમસ્ટેક બેઠક ક્યાં યોજાઈ હતી
*✔️શ્રીલંકા*

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'ઓડિશા ઈતિહાસ' નામના પુસ્તકનું હિન્દી અનુવાદનું લોન્ચિંગ કરશે.આ પુસ્તકના લેખક કોણ છે
*✔️ડૉ.હરેકૃષ્ણા મહતાબ*

તાજેતરમાં સુહાસ કુલકર્ણીનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા
*✔️ટેબલ ટેનિસ*

ભારતની પ્રથમ મહિલા ક્રિકેટ કોમેન્ટેટર જેમનું હાલમાં અવસાન થયું
*✔️ચંદ્રા નાયડુ*

કયા રાજ્યની સરકારે સપ્તાહમાં 5 દિવસ કામ કરવાનો નિર્ણય કર્યો છે
*✔️મધ્યપ્રદેશ*

ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની
*✔️નેથ્રા કુમાનન*

ફિફાએ કયા દેશની ફુટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કર્યું
*✔️પાકિસ્તાન*

રશિયન બનાવટની કઈ કોરોના રસીના વપરાયને ભારતમાં મંજૂરી મળી
*✔️સ્પુતનિક - 5*

બ્રિટિશ એકેડેમી ફિલ્મ એન્ડ ટેલિવિઝન (બાફટા) એવોર્ડની જાહેરાત કરવામાં આવી. જેમાં કઈ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો
*✔️સોલો પ્રવાસી મહિલાની ફિલ્મ નોમાડલેન્ડ (આ ફિલ્મને કુલ 4 એવોર્ડ)*
*✔️એન્થની હોપકિન્સ બેસ્ટ એક્ટર*
*✔️આ એવોર્ડ બ્રિટન દ્વારા અપાતો સર્વોચ્ચ ફિલ્મ એવોર્ડ છે.*
*✔️આ એવોર્ડ 1949થી અપાય છે.*

નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણુક કરવામાં આવી
*✔️સુશિલ ચંદ્રા*

IIT દિલ્હીએ 1 કલાકમાં ડેન્ગ્યુની પરખ કરી લે તેવું ઉપકારણ વિકસિત કર્યું.

💥રણધીર💥
*🔥સિંધી સંસ્કૃતિનું પર્વ : ચેટીચંદ🔥*

*ચેટીચંડના દિવસને સિંધી દિવસ પણ કહેવાય છે.'ચેટી'નો અર્થ થાય છે ચૈત્ર માસ અને 'ચંડ'નો અર્થ થાય છે 'ચંદ્રતિથિ'. ચેટીચંડના તહેવાર પાછળ વરૂણ દેવતા ઝૂલેલાલની કથા વણેલી છે.*

*સિંધના પ્રાચીન ઐતિહાસિક નગર ઠટ્ટામાં મિરખશાહ નામનો ભારે જુલ્મી અને ધર્માંધ બાદશાહનું શાસન હતું.તે સિંધી પ્રજાને અનેક રીતે પીડતો. તેના પરિણામે બાદશાહ સિંધી પ્રજામાં અપ્રિય થઈ પડ્યો.સિંધી પ્રજા પ્રાચીન કાળથી જળદેવતા-વરૂણદેવની ઉપાસક રહી છે.મિરખશાહના આતંકથી બચવા સિંધુ નદીના કિનારે જઈને વરૂણ દેવતાને પોકારવા લાગ્યા.અન્ન અને જળનો ત્યાગ કરીને સંકટ દૂર કરવા વરૂણ દેવતાનું સ્મરણ કરતા રહ્યા. ભક્તોનો પોકાર વરૂણ દેવતાએ સાંભળી લીધો.અચાનક સિંધુ નદીની લહેર આકાશ તરફ ઊંચે ઉડી અને ધીમે ધીમે શાંત થવા લાગી. પછી એક વિશાળ નર માછલી 'પલ્લો' પર બિરાજમાન એક દિવ્ય પુરુષ દેખાયા અને ક્ષણભરમાં તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે વાદળોની ગર્જના સાથે આકાશવાણી થઈ, 'મારા પ્રિય ભક્તો ! મિરખશાહના જુલમથી તમને બધાને બચાવવા માટે હું સાત દિવસ પછી પૃથ્વી પર અવતાર લઈને આવું છું.' અને ખરેખર સાત દિવસ પછી નરસપુર નગરના રતનરાયના ઘરે માતા દેવકીબાઈની કુખે એક બાળકનો જન્મ થયો. ઇ.સ.951, વિક્રમ સંવત 1007 નો એ શુક્રવાર હતો.બાળકનું નામ 'ઉદયચંદ્ર' રાખવામાં આવ્યું. યુવાન ઉદયચંદ્રે દેવીશક્તિને કારણે જુલ્મી બાદશાહ મિરખશાહના ત્રાસમાંથી સિંધી પ્રજાને મુક્ત કરી. સાથે મિરખશાહ ઉદયચંદ્રના શરણે આવ્યો. આવી વિભૂતિની જન્મજયંતી તરીકે ચેટીચંડ ઉજવાય છે. સાગર ખેડીને વિશ્વભરમાં વ્યાપાર અર્થે ગયેલા પોતાના પતિઓના લાંબા આયુષ્ય માટે અને એ ક્ષેમકુશળ પાછા ફરે, એવી કામના સાથે સિંધી પત્નીઓ દરિયાની પૂજા કરી આ રીતે વરૂણ દેવતા ઉડેરોલાલ તેમના આરાધ્યદેવ બન્યા છે. ચેટીચંડના દિવસે સિંધીઓ એકબીજાને અભિનંદન પાઠવે છે.આ પવિત્ર દિવસે શુભ પ્રસંગો યોજે છે.આ પર્વ નિમિત્તે સિંધી લોકનૃત્ય 'છેજ' અને 'પંજડા' ગવાય છે. બહિરાણો (જ્યોતિ)નું પૂજન પણ થાય છે. પ્રસાદ રૂપે તાહીરી (મીઠો ભાત) શ્રદ્ધાળુઓમાં વહેંચાય છે.*

*🗞️દિવ્ય ભાસ્કરમાંથી🗞️*


💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*

*કચ્છનો રણપ્રદેશ*
~~~~~~~~~~~~~~~~~~~~
કચ્છના રણને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે, જે બંનેનું કુલ ક્ષેત્રફળ 27,200 ચો.કિ.મી. થાય છે.

1.કચ્છનું મોટું રણ 2.નાનું રણ

*★1.મોટું રણ :-*
કચ્છની મુખ્ય ભૂમિની ઉત્તરમાં જે પૂર્વ-પશ્ચિમ 256 કિ.મી. લાંબું તથા ઉત્તર-દક્ષિણ 128 કિ.મી. પહોળું છે.

*★2.નાનું રણ :-*
કચ્છ અને તળ ગુજરાત વચ્ચે જે પૂર્વ-પશ્ચિમ 128 કિ.મી. લાંબું તથા ઉત્તર-દક્ષિણ 16 થી 64 કિ.મી. પહોળું છે.

*★કચ્છના રણની મુખ્ય વિશેષતાઓ :-*

કચ્છનું રણ એ રણ નહિ પરંતુ ખારપાટનો વેરાન પ્રદેશ છે, જેની રચના કિનારાના ક્ષારીય કાદવકિચડવાળા પ્રદેશોની જેમ થઈ છે.

કચ્છના રણ ખંડિય છાજલી ઉંચકાવવાથી બનેલું હોવાનું મનાય છે.

ચોમાસામાં બંને રણ નદીઓના પાણીથી જળબંબાકાર થતા ઉપસેલા ટેકરા જેવા ભાગો મોટા રણમાં 'બેટ' અથવા 'ટાપુ' જ્યારે નાના રણમાં 'ટીંબા' કહેવાય છે. જેમ કે મોટા રણમાં પચ્છમ, ખદીર, બેલા, ખાવડા વગેરે બેટ આવેલા છે.

શિયાળામાં રણનું પાણી સુકાતા સપાટી ઉપર અને નીચેના સ્તરમાં ક્ષારના પોપડા જામે છે. આ ક્ષારથી છવાયેલો ભાગ 'ખારો' કહેવાય છે. રેતી અને માટીની અત્યંત બારીક રજથી મિશ્ર થયેલો કાળો અને ઘણો કડવો ક્ષાર 'ખારીસરી' કહેવાય છે, જ્યારે રણનો ઊંચો ભાગ 'લાણાસરી' કહેવાય છે.

કચ્છનું નાનું રણ જ્યારે પાણીથી છલકાય છે ત્યારે નળસરોવરના માર્ગે પાણી ખંભાતના અખાતમાં પહોંચે છે.

નાના રણમાં ઘૂડખર અભયારણ્ય આવેલું છે.

*👉🏾Next :- ગુજરાતનો મેદાની પ્રદેશ*

💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*

*ગુજરાતનો મેદાની પ્રદેશ*
~~~~~~~~~~~~~~~~~~
મેદાની પ્રદેશોની રચનામાં નિક્ષેપણની ક્રિયા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.
ગુજરાતનો મેદાની પ્રદેશ 50%થી પણ વધુ ભૂમિભાગ રોકે છે.
તળગુજરાતનો મેદાની પ્રદેશ ભૂ-સંચલનથી નીચે બેસી જતાં તેમાં કાંપ પુરાતાં બન્યો છે.

*★ગુજરાતના મેદાનોને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકાય છે.*

A..કચ્છનું મેદાન
B.સૌરાષ્ટ્રનું મેદાન
C.તળગુજરાતનું મેદાન

*★A.કચ્છનું મેદાન :-*
તેમાં 'વાગડ' અને 'કંઠીના મેદાન'નો સમાવેશ કરવામાં આવે છે.

*★B.સૌરાષ્ટ્રનું મેદાન :-*
તેમાં મુખ્યત્વે શેત્રુંજી બેસિન અને ભાદર બેસિનનો સમાવેશ થાય છે, જેને ગીરની ટેકરીઓ અલગ પાડે છે તથા ભાદર બેસિનને અલેકની ટેકરીઓ બે ભાગમાં વહેંચે છે.
સૌરાષ્ટ્રના મેદાનો ટ્રેપ-ખડકોના ઘસારણથી બનેલાં હોવાથી કાળી જમીનના ફળદ્રુપ મેદાન છે.

*★3.તળગુજરાતનો મેદાની પ્રદેશ :-*
તેને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે :
1.ઉત્તર ગુજરાતનું મેદાન
2.મધ્ય ગુજરાતનું મેદાન
3.દક્ષિણ ગુજરાતનું મેદાન

*★1.ઉત્તર ગુજરાતનું મેદાન :-*
ઉત્તર ગુજરાતનું મેદાન બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ફેલાયેલું છે જેમાં ગ્રેનાઈટ અને વિકૃત ખડકોમાંથી છૂટી પડેલી જમીન આવેલી છે.
ઉત્તર ગુજરાતનું મેદાન બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીના કાંપથી રચાયેલું છે.
બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના પશ્ચિમ ભાગની રેતાળ, જ્યારે સાબરકાંઠામાં કાળી જમીન ધરાવે છે. આ મેદાની પ્રદેશમાં 'ગોઢ' અને 'વઢીયાર' પંથકનો સમાવેશ થાય છે.

*★2.મધ્ય ગુજરાતનું મેદાન :-*
મધ્ય ગુજરાતના મેદાનને "ગુજરાતનો બગીચો" કહેવાય છે.
મધ્ય ગુજરાતનું મેદાન સાબરમતી, મહી, વિશ્વામિત્રી, ઢાઢર અને ઓરસંગ નદીના કાંપથી બનેલું અને અમદાવાદથી ભરૂચ સુધી ફેલાયેલું છે.
આ મેદાનને મુખ્યત્વે 4 પેટાવિભાગોમાં વહેંચી શકાય છે.

*●a. સાબરમતીનું મેદાન અથવા અમદાવાદનું મેદાન :-*
મધ્ય ગુજરાતમાં ચરોતરની ઉત્તર અને પશ્ચિમમાં આવેલું છે.
લગભગ સમગ્ર અમદાવાદ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે.
કાળી અને ચીકણી જમીનવાળો "ભાલપ્રદેશ" આવેલો છે.
સાબરમતી અને તેની સહાયક નદીઓના નિક્ષેપણથી બનેલું છે.

*●b.ચરોતરનું મેદાન અથવા શેઢી અને મહી વચ્ચેનું મેદાન :-*
મહી, શેઢી અને વાત્રક નદીના કાંપથી રચાયેલું
મહી નદી દ્વારા આણંદ જિલ્લામાં ઊંડા કોતરોની રચના
ખેતીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી સમૃદ્ધ પ્રદેશ છે જે તમાકુની ખેતી માટે જાણીતો છે.

*●નર્મદા અને ઢાઢર દ્વારા રચાયેલું વડોદરાનું મેદાન (કાનમ) :-*
કપાસની ખેતી માટે જાણીતો
વડોદરાની ઉત્તર ભાગમાં રાતી જમીન અને દક્ષિણ ભાગમાં કાળી જમીન જોવા મળે છે જે નર્મદા, ઢાઢરના કાંપથી રચાયેલી છે.

*●d.વિરમગામનું મેદાન :-*
ભાલના નીચા પ્રદેશની ઉત્તરમાં વિરમગામનું મેદાન આવેલું છે.
અમદાવાદ અને મહેસાણા જિલ્લાના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.
આ મેદાનના પૂર્વ ભાગની જમીન મરડિયાવાળી છે જે રૂપેણ નદીના કાંપથી રચાયેલ મેદાન છે.

*★દક્ષિણ ગુજરાતનું મેદાન :-*
ભરૂચ જિલ્લાના દક્ષિણ ભાગથી વલસાડ સુધી વિસ્તરેલું છે.
દક્ષિણ ગુજરાતના મેદાની પ્રદેશને 'પૂરનું મેદાન' પણ કહેવાય છે.

*👉🏾Next :- સૌરાષ્ટ્ર અને કચ્છનો ઉચ્ચપ્રદેશ તથા ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ*


💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*

*સૌરાષ્ટ્ર અને કચ્છનો ઉચ્ચપ્રદેશ તથા ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ*
~~~~~~~~~~~~~~~~~~
સૌરાષ્ટ્રના આ ઉચ્ચપ્રદેશમાં ઉત્તરમાં માંડવની ટેકરીઓ અને દક્ષિણમાં ગીરની હારમાળા ઉપરાંત ગિરનાર અને બરડા ડુંગરનો સમાવેશ થાય છે.
આ ઉચ્ચપ્રદેશમાં ડાઈકના વિસ્તારો આવેલા છે જે 60 મીટરથી 60 કિમી.ના વિસ્તરેલા જોવા મળે છે.
સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ "બેસાલ્ટ ખડકો"નો બનેલો છે.

*★ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ :-*
સામાન્ય ભાષામાં ડુંગરાળ પ્રદેશ અર્થાત 300 મીટર કરતાં ઊંચો અને ખડકાળ પ્રદેશ એવો થાય છે.
જૂનાગઢ જિલ્લામાં આવેલો ગિરનાર ગુજરાતમાં સૌથી ઊંચામાં ઊંચો ડુંગર છે.
ગુજરાતના ડુંગરાળ પ્રદેશો મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે :
A. કચ્છનો ડુંગરાળ પ્રદેશ
B. સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ
C. તળગુજરાતનો ડુંગરાળ પ્રદેશ

*★A.કચ્છનો ડુંગરાળ પ્રદેશ :-*
કચ્છમાં નાના નાના ડુંગરોની હારમાળા આવેલી છે જેને 'ધાર' કહેવામાં આવે છે.

*●1.ઉત્તર ધાર :-*
કચ્છનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર (437.08 મીટર)છે જે ઉત્તર ધારમાં આવેલો છે.
ઉપરાંત ગારો, ખાડીયો વગેરે ડુંગર આવેલા છે. ઉત્તર ધારમાં પચ્છમ, ખદીર, બેલા ખાવડા વગેરે ટાપુઓ આવેલા છે.

*★2.મધ્ય ધાર :-*
મધ્ય ધાર વાગડ અંજારથી લખપત સુધી ફેલાયેલી અથવા ચાડવા ડુંગરથી ગર્દા ટેકરીઓ સુધી ફેલાયેલી છે.આ ડુંગર ધાર સળંગ નથી.
તેનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર (388 મીટર) (નખત્રાણા) છે.આ ઉપરાંત મધ ધારમાં ઉમિયા, ઝુરા, વરાર, રતનાલ, લીલિયો, ભુજિયો વગેરે ડુંગરો આવેલા છે.
કંથકોટનો ઐતિહાસિક ડુંગર વાગડના મેદાનમાં આવેલો છે.
મધ ધારના ખડકોમાં બેસાલ્ટનો જાડો થર જોવા મળે છે. મધ્ય ધારમાં બેટ એ ડુંગરો કરતાં ઊંચો છે તથા આ ધાર સળંગ નથી.

*★3.દક્ષિણ ધાર :-*
દક્ષિણ ધાર પાનન્ધ્રો અને માતાના મઢથી અંજાર સુધી ફેલાયેલી જે કચ્છની મુખ્યભૂમિ વચ્ચેથી પસાર થાય છે.
તેનો સૌથી ઊંચો પર્વત નનામો (નામ વગરનો) છે.આ ઉપરાંત વાગડની ટેકરીઓ, અધોઇની ટેકરીઓ, ગેડીપાદરની ટેકરીઓ વગેરે આવેલી છે. તેના ખડકો પર પરવાળાના થર જોવા મળે છે.
કચ્છના ડુંગરાળ પ્રદેશમાંથી મોટા પ્રમાણમાં ખનીજો મળી આવે છે.

*👉🏾Next :- સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ*


💥R. K.💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*

*સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ*
~~~~~~~~~~~~~~~~~~~
તેમાં બેસાલ્ટના ખડકો જોવા મળે છે.
ટ્રેપ ખડકોના અવશેષો જોવા મળે છે.
તેને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે.

*★1.ઉત્તરની ટેકરીઓ :-*

*◆માંડવની ટેકરીઓ :-*
માંડવની ટેકરીઓ રાજકોટમાં આનંદપુરથી સુરેન્દ્રનગરના ભાડલા સુધી વિસ્તરેલી છે.તેનું સૌથી ઊંચું શિખર - ચોટીલા (સુરેન્દ્રનગર) (340 મીટર) જે શંકુ આકારનો ડુંગર છે.
માંડવની ટેકરીઓનો દક્ષિણનો સાંકળો ભાગ ઠાંગાનો ડુંગર કહેવાય છે.

*◆બરડો ડુંગર :-*
બરડો ડુંગર પોરબંદર જિલ્લામાં આવેલો છે. તેનું સૌથી ઊંચું શિખર 'આભપરા' (637 મીટર) છે.આ ઉપરાંત અન્ય 'વેણુ' (625 મીટર) નામનું શિખર આવેલું છે.
આ ઉપરાંત ઉત્તરની ટેકરીઓમાં જામનગરની અલેકની ટેકરીઓ અને ગોપની ટેકરીઓનો સમાવેશ થાય છે.

*★2.દક્ષિણની ટેકરીઓ :-*

*◆ગિરનાર :-*
ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર છે તથા તેનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ (1117 મીટર) છે.
ગિરનાર "ડાયોરાઈટ" અને "મોન્ઝાનાઈટ" જેવા પાતાલિય અગ્નિકૃત ખડકોનો બનેલો છે.
આ ઉપરાંત ગિરનારમાં આવેલાં અન્ય શિખરોમાં અંબાજી, કાલકા, ઓઘડ, દાતારનો ડુંગર (847 મીટર)નો સમાવેશ થાય છે.

*◆ગીર :-*
ગિરનારની દક્ષિણે જતી ટેકરીઓની હારમાળા પૂર્વ તરફ અમરેલી જિલ્લાના મેદાન સુધીનો વિસ્તાર "ગીર" કહેવાય છે.

*◆ગીરની ટેકરીઓ :-*
ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર - સરકલા (643 મીટર) છે.આ ઉપરાંત અન્ય કનારા, સાસણ, નંદીવેલ, તુલસીશ્યામ જેવાં શિખરો આવેલાં છે.
ગીરની ટેકરીઓનો પ્રદેશ ગીચ જંગલોથી છવાયેલો છે જ્યાં ગીરનું અભયારણ્ય આવેલું છે.

*◆મોરધારનો ડુંગર :-*
ગીરના પૂર્વમાં અમરેલી જિલ્લામાં "નાનાગીર" તરીકે ઓળખાતો પ્રદેશ આવેલો છે. ત્યાં આવેલા ડુંગરાળ પ્રદેશને "મોરધારના ડુંગર" કહેવાય છે.

*◆શેત્રુંજો ડુંગર અને લોંચનો ડુંગર :-*
આ હારમાળા આગળ જઈ ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદી પાસે શેત્રુંજા ડુંગરની રચના કરે છે.

*◆ખોખરાનો ડુંગર :-*
ભાવનગર જિલ્લામાં ભાવનગરની ઉત્તરમાં ખોખરાના ડુંગરો આવેલા છે. આ ઉપરાંત દક્ષિણની ટેકરીઓમાં તળાજાલોરના ડુંગરો અને શાણાના ડુંગરો આવેલા છે.

*👉🏾Next :- તળગુજરાતનો ડુંગરાળ પ્રદેશ*


💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-14-15/04/2021🗞️*

14 એપ્રિલનેશનલ ફાયર સર્વિસ ડે

તાજેતરમાં બલબીરસિંઘનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા
*✔️હોકી*

વિશ્વ બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️ગુજરાત કેડરના IAS ડૉ.રાજેન્દ્રકુમાર*

બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રસાશિકા જેમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી
*✔️દાદી જાનકીજી*

2021ના બેસ્ટ કન્ટ્રી રિપોર્ટમાં કયો દેશ સૌપ્રથમવાર વિશ્વનો નંબર વન દેશ બન્યો
*✔️કેનેડા*
*✔️ભારત 25મા ક્રમે*

અમેરિકન પુરુષ ટીમના નવા કોચ તરીકે કયા ભારતીયની નિમણૂક કરવામાં આવી
*✔️ભારતીય હોકી ટીમના પૂર્વ કોચ હરેન્દ્રસિંઘ*
*✔️તેમને 2012માં દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો હતો*

ભારતીય સૈન્યના અધિકારી લેફ્ટનન્ટ કર્નલ જેમને સૌથી ઝડપી સિંગલ સાયકલિંગ માટે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યા
*✔️ભરત પન્નુ*

RBIએ પેમેન્ટ્સ બેંકમાં મહત્તમ બેલેન્સ મર્યાદા કેટલી કરી
*✔️૱2 લાખ*

સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા-સિડબીના નવા અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️એસ.રમન*

ક્લાઈમેટ ચેન્જ અંગેનો કાયદો લાગુ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો
*✔️ન્યૂઝીલેન્ડ*
*✔️2050 સુધીમાં ન્યૂઝીલેન્ડને કાર્બનમુક્ત કરાશે*

ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમ્સન ચોથી વખત સર રિચાર્ડ હેડલી મેડલથી સન્માનિત

ડીયુ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ.ઋષિરાજ પાઠક સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર માટે નામાંકિત થયા.

તરુણ બજાજની નવા મહેસુલ સચિવ તરીકે નિમણૂક

અજય શેઠની આર્થિક બાબતોના વિભાગના નવા સચિવ તરીકે નિમણૂક

અમેરિકન રેપર અને અભિનેતા અર્લ સીમન્સનું નિધન

ભાજપના પીરવ સાંસદ શ્યામચરણ ગુપ્તાનું નિધન

💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*

*તળગુજરાતનો ડુંગરાળ પ્રદેશ*
~~~~~~~~~~~~~~~~~~
તળ ગુજરાતમાં ઉત્તરથી દક્ષિણ સુધી પૂર્વ સરહદે બનાસકાંઠાથી વલસાડ સુધી ડુંગરાળ પ્રદેશ આવેલો છે.
તળ ગુજરાતનો આ ડુંગરાળ પ્રદેશ એ અરવલ્લી, વિંધ્યાચળ, સાતપુડા અને સહ્યાદ્રી (પશ્ચિમ ઘાટ)ના અવશેષરૂપે આવેલો છે.

*★1.અરવલ્લીનો ડુંગરાળ પ્રદેશ :-*

*◆બનાસકાંઠા જિલ્લો :-*
બનાસકાંઠા જિલ્લામાં જેસોરની ટેકરીઓ આવેલી છે જેનું સૌથી ઊંચું શિખર - આરાસુર (દાંતા) છે.તેમાંથી તાંબું, જસત, સીસું, આરસ પથ્થર મળી આવે છે.

*◆સાબરકાંઠા જિલ્લો :-*
ઇડરિયો ગઢ, ખેડબ્રહ્માની ટેકરીઓ, વિજયનગરની ટેકરીઓ, હિંમતનગરની ટેકરીઓનો સમાવેશ થાય છે. તેમાંથી બાંધકામ માટે પથ્થર મળી આવે છે.

*◆અરવલ્લી જિલ્લો :-*
શામળાજીની ટેકરીઓ, ભિલોડાની ટેકરીઓનો સમાવેશ થાય છે.
અરવલ્લીના આ ભાગમાં જુના સ્ફટિકમય ખડકો અથવા ધારવાડ સમયના વિકૃત ખડકો જોવા મળે છે.

*◆મહેસાણા જિલ્લો :-*
મહેસાણા જિલ્લામાં અરવલ્લી પર્વતમાળાની ભાગરૂપે 'તારંગા ડુંગર' આવેલો છે, જ્યાં કુમારપાળે બંધાવેલ અજિતનાથનું જૈન મંદિર આવેલું છે.

*★2.વિંધ્યાચળનો ડુંગરાળ પ્રદેશ :-*

*◆પંચમહાલ :-*
પાવાગઢનો ડુંગર (હાલોલ) (829 મીટર)

*◆દાહોદ :-*
રતનમહાલનો ડુંગર (લીમખેડા)

*◆વડોદરા :-*
છોટા ઉદેપુરની ટેકરીઓ જે ઓરસંગ નદીની પાસે આવેલી છે.
આ વિસ્તારમાં આંબાડુંગર, ડુંગરગામ અને નૈતિ ટેકરી વિસ્તારમાં ફ્લોરસ્પારનો વિશ્વનો સૌથી મોટો જથ્થો રહેલો છે.

*★3.સાતપુડાનો ડુંગરાળ પ્રદેશ :-*

*◆નર્મદા :-*
રાજપીપળાની ટેકરીઓ જેનું સૌથી ઊંચું શિખર - માથાસર (800 મીટર) છે.રાજપીપળાની ટેકરીઓ નર્મદા અને તાપી વચ્ચે આવેલી છે જે અકીકની ખાણો માટે જાણીતી છે.

*★4.સહ્યાદ્રી અથવા પશ્ચિમઘાટ અથવા સાતમાળા :-*
સહ્યાદ્રી પર્વતમાળા બેસાલ્ટના ખડકોની બનેલી છે.

*◆તાપી :-*
સોનગઢનો ડુંગર, ખાંડા આંબાનો ડુંગર, અસીકાનો ડુંગર, તારાપોરનો ડુંગર.

*◆ડાંગ :-*
સાપુતારા (1100 મીટર) જે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે.

*◆વલસાડ :-*
પારનેરાની ટેકરીઓ જેનું સૌથી ઊંચું શિખર વિલ્સન છે.

*👉🏾Next :- કચ્છનું નદીતંત્ર*


💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*

*કચ્છનું નદીતંત્ર*
~~~~~~~~~~~~~~~~~~
કચ્છનું નદીતંત્ર :- શુષ્ક નદીતંત્ર

કચ્છમાં નાની-મોટી લગભગ 97 જેટલી નદીઓ છે.કચ્છની નદીઓ ટૂંકી, સમાંતર અને બારેમાસ લગભગ શુષ્ક રહે છે. કચ્છની નદીઓ મધ્યની ડુંગરધારો માંથી નીકળી ઉત્તર-દક્ષિણ તરફ વહે છે. આથી તેને બે પ્રકારે વહેંચી શકાય છે.

*★1.ઉત્તરવાહિની નદીઓ :-*
આ મધ્ય ડુંગર ધારમાંથી ઉત્તર તરફ વહી કચ્છના મોટા રણમાં સમાય છે.જેમ કે કાળી, ઘુરુડ, સૂવિ, માલણ, સારણ, કાયલો, ચાંગ, નારા, ખારી વગેરે.

અહીં ખારી નદી ઉપર રુદ્રમાતા બંધ બાંધવામાં આવ્યો છે, જે કચ્છના નદીતંત્રની એકમાત્ર અગત્યની સિંચાઈ યોજના છે.

*★B.દક્ષિણવાહિની નદીઓ :-*
આ નદીઓ મધ્યની ધારોમાંથી નીકળી દક્ષિણ તરફ વહી અરબ સાગર, કચ્છના અખાત અને કચ્છના નાના રણમાં સમાય છે.

જેમ કે ખારી, કનકાવતી, રૂકમાવતી, ભૂખી, મિતિ, નૈયરા, સકરા, સાંગ, સાંઈ વગેરે.

*■યાદ રાખો :-*

*◆અલ્લાહ બંધ :-*
આ કોઈ નદી ઉપરનો બંધ નથી. ઇ.સ.1819માં કચ્છમાં આવેલા ભૂકંપના કારણે સુનામીના મોજાં ઉત્પન્ન થયા.દરમિયાન ભૂકંપના ભૂસંચલનના કારણે ધરતી પરનો કેટલોક ભાગ ઉપસી આવ્યો, જેના પર લોકોએ શરણ લેતાં સુનામીથી તેમનો બચાવ થયો.અલ્લાહે બચાવ માટે આ ટેકરાનું નિર્માણ કર્યું.એ ઉપરથી આ ઉપસેલા ભાગને અલ્લાહ બંધ કહેવાય છે.

*◆સૂરજબારી બંધ :-*
કચ્છના નાના રણને અટકાવવા માટે ગાંડા બાવળનો ઉછેર કર્યો તથા તેને દૂરથી જોતા બંધ જેવો લાગે છે.

*👉🏾Next :- સૌરાષ્ટ્રનું નદીતંત્ર*


💥રણધીર💥