સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥મહાગુજરાત ચળવળ🔥*

ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી
*ઇન્દુલાલ યાજ્ઞિક*

'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી
*ઇન્દુલાલ યાજ્ઞિક*

ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા
*ડાંગ-ઉમરગામ*

મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું
*જનતા પરિષદ*

મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું
*નવગુજરાત*

મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો
*226 દિવસ*

મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા
*શંકરરાવ દેવ*

"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું
*વિનોબા ભાવે*

મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી
*પગલાં સમિતિ*

મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી
*નાગરિક તપાસ પંચ*

1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું
*અમદાવાદ*

સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી
*સાબરમતી આશ્રમ*

મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી
*જસ્ટિસ એસ.પી.કોટવાલ*

"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે
*એસ.કે.પાટીલ*

મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી
*શ્રી મહિડા*

મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું
*એલીસબ્રિજ લૉ કોલેજથી*

મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે
*નૈનપુર*

મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો
*એલ.આર. દલાલ*

મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા
*અનંત શેલત*

મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો
*જનસત્તા*

જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા
*રમણલાલ શેઠ*

મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો
*ખાડિયા*

મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો
*બાબુભાઇ જશુભાઈ પટેલ*

બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ
*ચુનીભાઈ પટેલ*

મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું
*પ્રજા સમાજવાદી પક્ષ*

મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા
*ઇન્દુમતીબેન શેઠ*

દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો
*ધનતેરસ*

ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા
*389 વિરુદ્ધ 265*

મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું
*જનતંત્ર*
*બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*

'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા
*લીલાધર ભટ્ટ*

મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી
*પાંચ દિવસથી ત્રણ માસ સુધી*

મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું
*પોલિટેકનિકથી*

મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા
*હીરેડિયા*

મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું
*જનતા પરિષદ*


💥રણધીર ખાંટ💥
કવિ દલપતરામે ચૌદ વર્ષની ઉંમરે કયા સ્વામીથી પ્રભાવિત થઈને સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો હતો
*ભૂમાનંદ સ્વામીથી*

કવિ દલપતરામે કયા સ્વામી પાસે કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું હતું
*દેવાનંદ*

અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય 'બાપાની પીંપર' દલપતરામે ક્યારે લખ્યું હતું
*1845*

કવિ દલપતરામે 'જાદવાસ્થળી' કાવ્યકૃતિમાં શેની વાત કરી છે
*કેફી દ્રવ્યોથી થતા નુકસાનની વાત*

ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદોને વ્યાપક રીતે પ્રથમ વખત પ્રયોજવાનું અને ગુજરાતી કવિતાને સમાજાભિમુખ બનાવવાનું શ્રેય કયા કવિને મળે છે
*કવિ દલપતરામ*

'અર્વાચીનોમાં આદ્ય' અને 'નવયુગનો પ્રહરી' કોને ગણવામાં આવે છે
*નર્મદ*

નર્મદ પર કોની કવિતાઓ અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો
*વર્ડ્ઝવર્થની*

નર્મદના સુધારક ઝનૂન દાખવતા 'દાંડિયો' પખવાડિકનો આરંભ કયા વર્ષે થયો હતો
*1864માં*

કવિ કલાપીના લગ્ન 1889માં કોની સાથે થયા હતા
*રોહા (કચ્છ)ના રાજબા (રમા) તથા કોટડા સાંગાણીના આનંદીબા સાથે*

કલાપીને લાઠી સંસ્થાનનું રાજપદ ક્યારે સોંપાયું હતું
*1895માં*

કલાપીની કાવ્યરચનાઓને સમાવતા સંગ્રહ 'કલાપીનો કેકારવ'નું કાન્તને હાથે કયા વર્ષે મરણોત્તર પ્રકાશન થયું
*1903*

મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' 1923માં કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતા કઈ ટ્રેનમાં એમનું અવસાન થયું
*રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં*

કવિ ન્હાનાલાલની મૂળ અટક કઈ હતી
*ત્રિવેદી*

કવિ ન્હાનાલાલે કયા શહેરના સરન્યાયાધીશ અને નાયબ દિવાનની કામગીરી બજાવી હતી
*રાજકોટ*

1919માં ગાંધીજીની પચાસમી જન્મજયંતી નિમિત્તે ન્હાનાલાલે કઈ રચના કરી હતી
*'ગુજરાતનો તપસ્વી'*

ઠાકોર બળવંતરાય કલ્યાણરાયનું ઉપનામ
*'સેહેની' અને 'વલ્કલ'*


💥રણધીર💥
ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી
બેનિટો મુસોલીની

ફાસિસ્ટ પક્ષનું પ્રતીક શું હતું
લાકડાની ભારી અને કુહાડી

'ફાસીવાદ' શબ્દ શેમાંથી બનેલો છે
ઈટાલીના 'ફાસેજે' શબ્દમાંથી
અર્થ : 'બધી વસ્તુઓ પર રાજ્યોનો અધિકાર'

મુસોલિનીનો મુદ્રાલેખ શો હતો
એક પક્ષ એક નેતા

ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકોનો ગણવેશ કયા રંગનો હતો
કાળા રંગનો

મુસોલિનીએ કઈ ધરીનું નિર્માણ કર્યું હતું
રોમ-બર્લિન-ટોકિયો ધરીનું

'વૉલ સ્ટ્રીટ સંકટ' ક્યારે સર્જાયું હતું
24 ઓક્ટોબર,1929

જર્મનીએ કયા દેશ સાથે બિનઆક્રમણ સંધિ કરી હતી
રશિયા

દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ શું હતું
1 સપ્ટેમ્બર,1939ના રોજ જર્મનીનું પૉલેન્ડ પરનું આક્રમણ

કોના નેતૃત્વ હેઠળ ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઇક્યારે
માઓ-ત્સે-તુંગના નેતૃત્વ હેઠળ ઈ.સ.1949માં

મોતીલાલ નેહરુના મતે રૉલેટ એક્ટથી વ્યક્તિનો કયો અધિકાર છીનવી લેવામાં આવ્યો
'દલીલ,અપીલ અને વકીલ' તરીકેનો અધિકાર

ગાંધીજીએ ખિલાફત ચળવળને શા માટે ટેકો આપ્યો
હિંદુ-મુસ્લિમ એકતા જાળવવા માટે

ગાંધીજીએ શું કહીને અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લીધું
'અહિંસાનું મૂલ્ય નહિ સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે'

અરવિંદ ઘોષે તેમના કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી છે
ભવાની મંદિર

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચૌરીચૌરા ગામમાં અસહકારના આંદોલન દરમિયાન લોકોના ટોળાએ પોલીસ ચોકીમાં પુરાયેલા કેટલા પોલીસોને જીવતા સળગાવી દીધા હતા
21

બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદો શા માટે યોજી
ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા તે માટે

'હિંદ છોડો' લડત દરમિયાન અમદાવાદની કેટલી મિલોના મજૂરોએ ,કેટલા દિવસ હડતાલ પાડી
કાપડની 75 મિલોના એક લાખ ચોવીસ હજાર મજૂરોએ 105 દિવસની હડતાલ પાડી

હિન્દ વિભાજન સમયે પેદા થયેલી પરિસ્થિતિ વિશે માઉન્ટ બેટને નહેરુ અને સરદારને શુ સમજાવ્યું
" અનેક સ્વાયત્ત અને વિરોધી એકમો વાળી નિર્બળ સરકાર કરતા કેન્દ્રને અધિન એવા વહીવટી એકમો સાથેની સરકાર ધરાવતું ભારત વધારે શાંતિ ભોગવી શકશે."


💥💥
'આધુનિક અરણ્ય' કાવ્ય કોનું છે
નિરંજન ભગત

ફૂટબોલની રમતમાં બંને બાજુ________ખિલાડીઓ હોય છે અને_________મિનિટ ચાલે છે.
11 ખિલાડીઓ અને 90 મિનિટ

નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે
માનેસર

શાહજહાંપુરમાં આર્યસમજના મંદિર ઉપર થયેલો હુમલો કયા ક્રાંતિકારીએ રોક્યો હતો
અશફાક ઉલ્લાખાંએ

ભારતના સ્વાતંત્ર પછીના મહત્વના બનાવોમાં સુવર્ણ અંકુશ ધારો કોના નામ સાથે જોડાયેલો છે
શ્રી મોરારજી દેસાઈ

આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી
26 નવેમ્બર,1949

વિખ્યાત ફિલ્મ અભિનેતા અશોકકુમાર જેમાં નાયક (Hero) હતા તે 'કિસ્મત' ચલચિત્ર (પિક્ચર) કોલકાતામાં એક સીનેમાઘરમાં કેટલો સમય ચાલ્યું હતું
3 વર્ષ અને 8 માસ

મહાભારતનું મૌસલપર્વ જે યાદવસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું
પ્રભાસ

પ્રાયોગિક કક્ષાએ ભારતનું પ્રથમ ઉપગ્રહ - સંદેશા વ્યવહાર મથક કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું
અમદાવાદ

રાષ્ટ્રસંઘનું માનવ પર્યાવરણ વિષય પરનું સર્વપ્રથમ સંમેલન ક્યાં અને ક્યારે યોજવામાં આવેલ
સ્ટોકહોમ-1972

ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનાર કોણ હતા
એરિસ્ટોટલ

ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે
ભૂગા મધમાખી

💥

પ્રાણકુમાર શર્માએ સર્જેલા ચાચા ચૌધરીના કાર્ટૂન કેરેક્ટર આધારિત સીરિયલમાં ચાચા ચૌધરીનું પાત્ર કોણે ભજવ્યું હતું
રઘુવીર યાદવ

મીનુ મસાણી દ્વારા રચિત કયો ગ્રંથ સ્વાતંત્ર પૂર્વે ભારતમાં શાળાકક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે નિયત થયો હતો
અવર ઇન્ડિયા

સુનામી (Tsunami)ની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે
DART

ગુજરાતમાં સર્વપ્રથમ 'સફાઈ વિદ્યાલય' નો પ્રારંભ ક્યાં થયો હતો
સાબરમતી આશ્રમ

યુક્રેઇનનો કયો ભાગ (પ્રદેશ) રશિયા સાથે વર્ષ-2014માં જોડાયો
ક્રિમિયા

ભારતમાં સતીપ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો
10 ડિસેમ્બર,1829

"માણસ માટે આ એક વામન પગલું છે,પણ માનવજાત માટે આ વિરાટ છલાંગ છે."- આ વાક્ય બોલનાર
નીલ આર્મસ્ટ્રોંગ

દિવંગત અભિનેત્રી 'જોહરા સહગલ'ની પ્રથમ ફિલ્મ કઈ હતી
ધરતી કે લાલ

દુનિયામાં માત્ર ચાર સ્થળે સુરખાબના પ્રજનન માટે 'સુરખાબનગર' રચાયા છે, તેમાંનો એક વિસ્તાર ગુજરાતમાં છે.તે વિસ્તારનું સ્થાળ કયું છે
કચ્છનું મોટું રણ

'ડમરો' કયા કુળની વનસ્પતિ છે
લેબિએટી

પંચમહાલના જંગલો શા માટે મહત્વના છે
લાખ માટે

કયા સાગરકાંઠે લીલના જંગલો છે
ઓખાના

'કૃષિજીવન' નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે
GSFC

ઇ.સ.ની 15મી સદીમાં નવા વસેલા અમદાવાદમાં તે સમયે ધ્વસ્ત થયેલા કયા નગરનું દ્રવ્ય અને પાષાણનો ઉપયોગ કરવામાં આવેલો
અણહિલપુર

💥💥

પંડિત ઓમકારનાથજીને 'સંગીત મહોદય' ની પદવીથી નવાજનાર કોણ
નેપાળના મહારાજા

જરથુસ્ટ્રે મિલકત વહેંચણી સમયે પિતા પાસેથી માત્ર શેનો સ્વીકાર કર્યો હતો
કુસ્તી

ખૂબ મોટા સપાટ થીજી ગયેલા વિસ્તારોને સૌપ્રથમ 'ટ્રુન્ડ' તરીકે ઓળખાવનાર કોણ હતા
રશિયનો

ગ્રીક તત્વચિંતક પ્લેટોના પુસ્તક 'રિપબ્લિક' નું ઉર્દૂમાં ભાષાંતર કરનાર મહાનુભાવ કોણ
ઝાકિર હુસેન

પ્રો.આર્મસ્ટ્રોંગ તરફથી 'માસ્ટર ઓફ નાઈટ્રાઈટ'નું બિરુદ કોને પ્રાપ્ત થયું હતું
ડૉ. પ્રફુલચંદ્ર રોય

પવનઉર્જા મેળવવા પવનચક્કીના કાર્ય માટે પવનની ઓછામાં ઓછી ગતિ કેટલી હોવી જોઈએ
16 કિ.મી./કલાક

મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીને ગોળી મારી ઠાર કર્યો હતો
સાર્જન્ટ હ્યુસન

'વૈદિક ગણિત' ગ્રંથના રચયિતા કોણ છે
સ્વામી ભારતીકૃષ્ણ તીર્થ

પુષ્પમાં આવેલ ફુલમણી અન્ય કયા નામે ઓળખાય છે
દલચક્ર

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શુ છે
નૈતિક સૂચનો છે.

રણના ઊંચા ભાગને શું કહે છે
લૂણાસરી

આરઝી હકૂમતની સ્થાપનાની પ્રેરણા ક્યાંથી લેવામાં આવી હતી
સુભાષચંદ્ર બોઝની 'આઝાદ હિન્દ સરકાર' માંથી

દસમા શીખ ધર્મગુરુ ગોવિંદસિંહના અવસાન બાદ તેમના અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે મહત્વનું યોગદાન આપનાર તેમનાં ધર્મપત્નીનું નામ શું હતું
માતા સુંદરિળ

ભારત દૂરસંચાર વ્યવસ્થાનું નિયમન કરતી સંસ્થા કઈ
TRAI

👆🏻અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો


💥💥
'કૅપ ઓફ ગુડ હોપ' ભુશિરની શોધ કોણે કરી
બાર્થોલોમ્યુ ડાયઝે

ક્રિસ્ટોફર કોલંબસે શોધેલા નવા પ્રદેશને 'અમેરિકા' તરીકે કોણે ઓળખ આપી
અમેરિગો વેસ્પૂચિએ

બકસરના યુદ્ધથી અંગ્રેજોને કયા પ્રાંતોમાં મહેસુલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી
બંગાળ,બિહાર અને ઓડિશામાં

ભારતના લશ્કરમાં ગુરખાઓની મોટી સંખ્યામાં ભરતી કોણે કરી
ગવર્નર જનરલ હેસ્ટિંગસે

ઈંગ્લેન્ડ અને ચીન વચ્ચે કયા કારણે યુધો થયા
અફીણના વેપારના કારણે

15મી સદીના અંત ભાગમાં દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ કઈ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું
ડચ પ્રજાએ

પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ કયું હતું
ફ્રાંસે જર્મની સાથે કરેલી ઇ.સ.1871ની ફ્રેન્કફર્ટની સંધિ

પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ કયાં બે જૂથોમાં વહેચાયેલું હતું
1.જર્મની પ્રેરિત જૂથ
2.ઈંગ્લેન્ડ પ્રેરિત જૂથ

ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા કોણ હતો
જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો

યુરોપમાં કઈ નીતિ પ્રબળ બની હતી
'યુદ્ધ એ જ કલ્યાણ'

'બ્લેક હેન્ડ' નામની ઉગ્રવાદી સંસ્થા ક્યાં સ્થપાઈ હતી
સર્બીયામાં

પ્રથમ વિશ્વયુદ્ધનો ક્યારે અંત આવ્યો
11 નવેમ્બર,1918

પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલી જાનહાનિ થઈ હતી
6.5 કરોડ લોકોએ ભાગ લીધો હતો. તેમાં 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા

પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા રાષ્ટ્રોનો વિજય અને કયા રાષ્ટ્રોનો પરાજય થયો
મિત્રરાષ્ટ્રોનો વિજય અને જર્મની તથા ધરીરાષ્ટ્રોનો પરાજય

ધો.9 ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક
પાઠ 1 અને 2 માંથી


💥💥
*જૈન ધર્મની સભાઓ*

*(1)પ્રથમ સભા*
સમય : ઇ.પૂ.298
સ્થળ : પાટલીપુત્ર
શાસક : ચંદ્રગુપ્ત મૌર્ય
અધ્યક્ષ : સ્થુલીભદ્ર
કાર્ય : શ્વેતાંબર-દિગંબર ફાંટા પડ્યા, જૈનધર્મ ગ્રંથોની મૌખિક રચના થઈ

*(2)બીજી સભા*
સમય : ઇ.સ.512
સ્થળ: વલ્લભી
શાસક : ધ્રુવસેન-1
અધ્યક્ષ : દેવાર્ધિ-શ્રમાશ્રવણ
કાર્ય : જૈનધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા


*બૌદ્ધ ધર્મ પરિષદો*

*1.પ્રથમ પરિષદ*

સમય : ઇ.પૂ.483
સ્થળ : રાજગૃહી
અધ્યક્ષ : મહાકશ્યપ
શાસક : અજાતશત્રુ
કાર્ય : સુતપિટક અને વિનયપિટકની રચના

*2.બીજી પરિષદ*

સમય : ઇ.પૂ.383
સ્થળ : વૈશાલી
અધ્યક્ષ : સર્વકામિની
શાસક : કાલાશોક
કાર્ય : સ્થાવરવાદી, મહાસંધિક બે પંથો પડ્યા

*3.ત્રીજી પરિષદ*

સમય : ઇ.પૂ.251
સ્થળ : પાટલીપુત્ર
અધ્યક્ષ : માંગલી પુત્તીસ
શાસક : અશોક
કાર્ય : અભિધમપિટકની રચના,બંને પંથો રદ થયા

*4.ચોથી પરિષદ*

સમય : 1 સદી ઇ.સ.
સ્થળ : કુંડળવન
અધ્યક્ષ : વસુમિત્ર (કાશ્મીર)
શાસક : કનિષ્ક અશ્વઘોષ
કાર્ય : હિનયાન,મહાયાન બે ફાંટા પડ્યા


💥💥
*હિન્દુ ધર્મના પુનરોદ્વારક શંકરાચાર્ય વિશેની માહિતી*

જન્મ : ઈ.સ.788

મૃત્યુ : ઈ.સ.820

માતાનું નામ : વિશિષ્ટાદેવી

પિતાનું નામ : શિવગુરુ

ચાર પ્રમુખ શિષ્યો :
1.સુરેશ્વરાચાર્ય
2.તોટકાચાર્ય
3.હસ્તામલકાચાર્ય
4.પદમપાદાચાર્ય

શંકરાચાર્ય દ્વારા સ્થાપિત મઠ:
1.જ્યોતિષ પીઠ - બદ્રીનાથ (ઉત્તર પ્રદેશ)
2.ગોવર્ધન પીઠ - પુરી (ઓરિસ્સા)
3.શારદા પીઠ - દ્વારકા (ગુજરાત)
4.શૃંગેરી પીઠ - મૈસુર (કર્ણાટક)


💥રણધીર💥
*વિવિધ વૈજ્ઞાનિક એકમો*


વિદ્યુત પ્રવાહનો એકમ
એમ્પિયર

પ્રકાશની તરંગલંબાઈનો એકમ
એન્ગસ્ટ્રોમ

દબાણનો એકમ
બાર

દ્રવ્ય પદાર્થો માપવા માટેનો એકમ
બેરલ

ઉષ્ણતામાનનો એકમ
કૅલરી

વીજળીનો વ્યવહારિક એકમ
કુલંબ

અવાજનો એકમ
ડેસિબલ

બળનો એકમ
ડાઈન

કાર્ય અથવા ઊર્જાનો એકમ
અર્ગ

વિદ્યુત સંઘારક ક્ષમતાનો એકમ
ફેરાડે

સમુદ્રની ઊંડાઇ માપવા માટેનો એકમ
ફેધમ

આવૃત્તિનો એકમ
હર્ટઝ

દારૂ માપવા માટેનો એકમ
હાગ્સહેડ

શક્તિનો એકમ
હોર્સ પાવર

કાર્યનો એકમ
જૂલ

જહાજોની ઝડપ માપવા માટેનો એકમ
નોટ

અવકાશી અંતર માપવા માટેનો એકમ
પ્રકાશવર્ષ

દરિયાઈ અંતર માપવા માટેનો એકમ
નોટિકલ માઇલ

વિદ્યુત અવરોધનો એકમ
ઓહ્મ

દબાણ કે ભારનો એકમ
પાસ્કલ

એમ.કે.એસ. પદ્ધતિમાં બળનો એકમ
ન્યૂટન

થર્મોડાયનેમિક તાપમાનનો એકમ
કેલ્વિન

પદાર્થના જથ્થાનું માપ
મોલ

તેજની તીવ્રતાનું માપ
કેન્ડેલા

વજનનું માપ દર્શાવે છે
ક્વિન્ટલ

લંબાઈનો એકમ
મીટર

સમયનો એકમ
સેકન્ડ

પ્રેરકત્વનો એકમ
હેન્રી

વિદ્યુત દબાણનો એકમ
વોલ્ટ

વિદ્યુત શક્તિનો એકમ
વોટ

પાણીના જથ્થાનો એકમ
ક્યુસેક


💥રણધીર💥
*વિશ્વકપ ફૂટબોલ*

ફિફાની સ્થપના કોને કરી હતી
જુલ્સ રિમે નામના નાગરિકે

FIFA (ફિફા)નું પૂરું નામ શું છે
ફેડરેશન ઇન્ટરનેશનલ ધ ફૂટબોલ એસોસિએશન

વિશ્વકપ ફૂટબોલનું આયોજન ક્યારે નક્કી કરવામાં આવ્યું હતું
1928

દર કેટલા વર્ષે વિશ્વકપ ફૂટબોલનું આયોજન થાય છે
ચાર વર્ષે

કયા વર્ષે બીજા વિશ્વયુદ્ધના કારણે વિશ્વકપ ફૂટબોલ રમાઈ શક્યો ન હતો
1942 અને 1946

પ્રથમ વિશ્વકપ ફૂટબોલનું આયોજન ક્યારે અને કયા દેશમાં થયું હતું
1930માં ઉરુગ્વેમાં

પ્રથમ વિશ્વકપ ફુટબોલમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો
13 દેશોએ

પેનલ્ટી શૂટ આઉટથી પ્રથમ વાર પરિણામ કયા વિશ્વકપમાં થયું હતું
1994ના અમેરિકામાં

ફિફાની સ્થપના ક્યારે અને ક્યાં થઈ હતી
1904માં પેરિસમાં

ફુટબોલ વિશ્વકપની શરૂઆતમાં કયો વિશ્વકપ આપવામાં આવતો હતો
જુલેસ રિમેટ

કયો એકમાત્ર એવો દેશ છે, જેને દરેક વિશ્વકપમાં ભાગ લેવાની તક મળી છે
બ્રાઝિલ

🙏

💥રણધીર💥
*ગુજરાતના પાંચ જિલ્લાઓના નામ નદીઓના નામ પરથી પડ્યા છે*

*બે.સ.મા. ન.તા.*

બે બનાસકાંઠા
સાબરકાંઠા
મામહિસાગર
નર્મદા
તાતાપી

💥રણધીર 💥
મરાઠા સંઘની સ્થાપના કોણે કરી હતી
બાજીરાવ પ્રથમ (મૂળ નામ- વિસાજી)

દિલ્હી પર આક્રમણ કરનાર પ્રથમ પેશવા તરીકે કોણ ઓળખાય છે
બાજીરાવ પ્રથમ

મુસ્લિમ કન્યા મસ્તાની સાથે પ્રેમસબંધથી કયો મરાઠા શાસક ચર્ચામાં રહ્યો હતો
બાજીરાવ પ્રથમ

મહાન પેશવા તરીકે કોને ઓળખવામાં આવે છે
માધવરાવ પ્રથમ

પોર્ટુગીઝોએ કોને હાર આપી ગોવા જીતી લીધું
બીજાપુરનો સુલ્તાન

ડચો પોતાની વેપારી કોઠી અંગ્રેજોને સોંપી ક્યાં ચાલ્યા ગયા
મસાલા ટાપુ તરીકે જાણીતા ઈન્ડોનેશિયા

સેન્ટ જ્યોર્જ તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે
ચેન્નાઇ

કયા મુઘલ શાસકે અંગ્રેજોને વેપાર અર્થે સુવિધાઓ કરી આપી હતી
ફરૂખશિયાર

બકસરના યુદ્ધમાં અંગ્રેજો વતી કોણે નેતૃત્વ લીધું હતું
હેકટર મુનરો

ધી એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કોણે કરી
વિલિયમ જોન્સ

લોકનિર્માણ વિભાગની સ્થાપના કોણે કરી
લોર્ડ ડેલહાઉસી

ભારતમાં આધુનિક શિક્ષણના જન્મદાતા કોણે ગણવામાં આવે છે
ચાર્લ્સ ગ્રાન્ટ

મૂળ શંકરને કોણે દયાનંદ સરસ્વતી નામ આપ્યું
પૂર્ણાનંદ સરસ્વતીએ

સ્વામી દયાનંદ સરસ્વતીએ કોને પોતાના ગુરુ બનાવ્યા હતા
ગુરુ વિરજાનંદ

હરિદ્વારમાં ગુરુકુળ કાંગડી વિશ્વ વિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી
શ્રદ્ધાનંદ

સ્વામી વિવેકાનંદના મૃત્યુ પછી રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું
સિસ્ટર નવેદીતા

જ્યોતિબા ફુલેને મહાત્માની ઉપમા કોણે આપી હતી
મુંબઈના નાગરિકોએ

બંગાળના ભાગલાનો વિરોધ માટે વિદ્રોહનું નેતૃત્વ કોણે કર્યું હતું
સુરેન્દ્રનાથ બેનરજી

અભિનવ ભારત સંસ્થાએ પાંડુરંગ મહાદેવ બાપટને બૉમ્બ બનાવવાની તકનિક માટે ક્યાં મોકલ્યો હતો
રશિયા

શ્યામજીકૃષ્ણ વર્માના અસ્થિ કયા વર્ષે ભારત લાવી માંડવીમાં સ્થાપિત કરાયા છે
2003

પેરિસમાં પેટ્રીએટ પત્ર કોણ ચલાવતું હતું
મેડમ ભીખાઈજી કામા

અસહકાર આંદોલન દરમિયાન લડત ચલાવવા કયા ફંડની રચના કરવામાં આવી હતી
તિલક સ્વરાજ ફંડ

કાકોરી ટ્રેન કાવતરામાં કઈ સંસ્થાએ ભાગ ભજવ્યો હતો
હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન

સાયમન કમિશનના વિરોધમાં લાઠીચાર્જથી કોણ અપંગ બન્યું
ગોવિંદ વલ્લભ પંત

ગાંધી-ઇરવિન સમજૂતી કોના પ્રયાસથી થઈ
તેજબહાદુર સપ્રુ અને જયકર

કયા જહાજના સૈનિકોએ કરેલા વિદ્રોહને 'નૌકા સેના વિદ્રોહ' તરીકે ઓળખવામાં આવે છે
તલવાર


💥રણધીર💥
ગરીબ નવાજ તરીકે કોણ ઓળખાય છે
શેખ ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તી

શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની દરગાહ ક્યાં આવેલી છે
અજમેરી

સાત સુલ્તાનોના દરબારી કવિ રહી ચૂકેલા મહાનુભાવ કોણ છે
આમિર ખુસરો

તબલા અને સિતારના શોધક કોણ હતા
આમિર ખુસરો

મુઘલોની રાજભાષા કઈ હતી
ફારસી

બાબરનું સાચું નામ શું હતું
ઝહીર ઉદ્દીન મહંમદ

બાબરે કયા યુદ્ધથી જીવનમાં કદી શરાબ ન પીવાની પ્રતિજ્ઞા લીધી
ખાનવાનું યુદ્ધ

ઈ.સ.1529માં બાબરે ગોગાના યુદ્ધમાં કોને પરાજય આપ્યો
મહમદી લોદી

કયા શાસકને તેની ઉદારતા માટે કલંદરની ઉપાધિ મળેલી છે
બાબર

કયો મુઘલ શાસક સાતેય દિવસ અલગ અલગ રંગના કપડાં પહેરતો
હુમાયુ

દીનપનાહ નામના નગરની સ્થાપના કોણે કરી હતી
હુમાયુ

કયા યુદ્ધમાં શેરશાહ સુરીને પરાજય આપી હુમાયુ ફરી ભારતનો શાસક બન્યો
સિરહિન્દના યુદ્ધમાં

હુમાયુએ કયા વિસ્તારને જન્નતાબાદ નામ આપ્યું હતું
બંગાળ

શેરશાહ સુરીનો મકબરો ક્યાં આવેલો છે
સાસારામ (બિહાર)

કયા સમયગાળાને પેટીકોટ શાસન અથવા સ્ત્રીશાસન તરીકે ઓળખવામાં આવે છે
1560-62 (અકબર)

અકબરે કોની સાથે લગ્ન કર્યા હતા
આમેરના રાજા ભારમલની પુત્રી સાથે

ઈ.સ.1579માં કોણે મઝહરની ઘોષણા કરી
અકબર

શહદરા (લાહોર) માં રાવી નદીના કિનારે જહારના મકબરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું
નૂરજહાં

કયા મુઘલ શાસકનો બે વાર રાજ્યાભિષેક થયો
ઔરંગઝેબ


💥રણધીર 💥
વૈદિક કાળમાં આર્ય લોકો કેવું જીવન ગાળતા
ગોપજીવન

વૈદિક કાળમાં આર્ય લોકોનો મુખ્ય વ્યવસાય શુ હતો
ખેતી અને પશુપાલન

વર્તમાન ભારતની અનુક્રમે લોકસભા અને રાજ્યસભા જેવી કામગીરી વૈદિક કાળમાં કઈ સમિતિઓ હતી
સભા અને સમિતિ

વૈદિક કાળમાં કેટલા પ્રકારના સંસ્કાર સમાજમાં પ્રચલિત હતા
16(5 પ્રકારના યજ્ઞ)

દશરાગ્ય યુદ્ધ કોની વચ્ચે થયું હતું
આર્યોની દસ ટોળીઓ વચ્ચે

આર્યોની ભરતની ટોળીના રાજા કોણ હતા
સુદાસ

વૈદિક કાળમાં દુર્ગપતિ (કિલ્લો સાંભળનાર)ને શુ કહેવામાં આવતા
પુરપ

વૈદિક કાળમાં ગુપ્તચર માટે કયો શબ્દ વપરાતો
સ્પશ

વૈદિક કાળમાં વેપારીઓને શુ કહેવામાં આવતા
પણી

વૈદિક કાળમાં કયા સિક્કાઓ પ્રચલનમાં હતા
'નિષ્ક' અને 'શતમાન'


💥💥
ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ કયાં થયો હતો
પિપળીવન (નેપાળની તળેટીમાં)

ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ ક્યારે થયો હતો
ઈ.સ.પૂ.345

ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ કોને ત્યાં થયો હતો
મોરિય નામની જાતિના નાયકને ત્યાં

ઈ.પૂ.322માં ચાણક્યની મદદથી કોણે હરાવીને ચંદ્રગુપ્ત મૌર્ય મગધમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી
ધનાનંદને

ચાણક્ય કોના પુત્ર હતા
ચણક ઋષિના

ચાણક્યનું મૂળ નામ શું હતું
વિષ્ણુ ગુપ્ત

સેલ્યુકસે તેની પુત્રીના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાવ્યા.સેલ્યુકસની પુત્રીનું નામ શું હતું
હેલન (કોર્નલિયા)

ચંદ્રગુપ્તે લગ્નની યાદમાં સેલ્યુકસને કેટલા હાથી ભેટમાં આપ્યા
500

ચંદ્રગુપ્તે પ્રથમ જૈન સભાનું આયોજન ક્યારે કરાવ્યું
ઈ.પૂ.298માં


💥રણધીર💥
*અમદાવાદ*
ચાર વ્યક્તિઓએ ઈ.સ.1411 માં અહમદાબાદની સ્થાપના કરી હતી.
1.બાદશાહ અહમદશાહ
2.સંત શેખ અહમદ ખટ્ટ ગંજબક્ષ(અહમદાબાદનો પાયો નાખનાર)
3.મલિક અહમદ
4.અહમદ કાઝી

*પાલનપુર*
આબુના શાસક પ્રહલાદદેવે વસાવ્યું.
જૂનું નામ પ્રહલાદનગર

*મહેસાણા*
મેસાજી ચાવડાએ વસાવ્યું

*વિસનગર*
વિસલદેવ વાઘેલાએ સ્થાપના કરી.

*પાટણ*
વનરાજ ચાવડાએ મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી પાટણની સ્થાપના કરી
જૂનું નામ :- અણહિલપુર પાટણ

*હિંમતનગર*
સ્થાપના હાથમતી નદીના કિનારે બાદશાહ અહમદશાહે કરી

*રાજકોટ*
ઈ.સ.1610માં ઠાકોર વિભાજી જાડેજાએ સ્થાપના કરી

*ભાવનગર*
ઈ.સ.1723માં ભાવસિંહજી પ્રથમે સ્થાપના કરી

*જામનગર*
જામરાવળે ઈ.સ.1540માં નવાનગરની સ્થાપના કરી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે.

*ભરૂચ*
ભરૂચને ભૃગુઋષિએ વસાવ્યું હોવાનું મનાય છે.
પ્રાચીન નામ:-ભૃગુતીર્થ, ભૃગુકચ્છ


💥રણધીર 💥
*સવિનય કાનૂન ભંગ ચળવળ અંતર્ગત દાંડી કૂચ (12 માર્ચ - 5 એપ્રિલ, 1930)*


દાંડી કૂચ માટે ગાંધીજીએ ક્યારે અમદાવાદમાં સાબરમતી નજીક વિશાળ જનમેદની સંબોધી હતી
8 માર્ચ,1930

કૂચ દરમિયાન કયા ગામે ગાંધીજીએ કહ્યું , 'કાગડાં-કૂતરાંના મોતે મરીશ,પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહિ ફરું.'
ભાટ ગામે

દાંડી કૂચની શરૂઆત અમદાવાદના સાબરમતી આશ્રમેથી કેટલા વાગે થઈ
6-20 કલાકે

દાંડી કૂચ પ્રયાણ પહેલા કોણે હરિનો મારગ છે શૂરાનો ભજન ગાયું
ખેર સાહેબે

દાંડી કૂચનું અંતર કેટલું હતું
241 માઈલ (385 કિ.મી.)

દાંડી કૂચમાં ગાંધીજી સાથે કેટલા સાથીઓ હતાં
78

દાંડી કૂચ દરમિયાન સુરતમાં પણ મીઠાના કાયદાનો ભંગ કોણે કર્યો હતો
કલ્યાણજી મહેતા

વિશ્વના મુખ્ય 10 સ્વતંત્રતા સંગ્રામોમાં ભારતના કયા સંગ્રામને સ્થાન મળ્યું છે
દાંડી કૂચ

દાંડી કૂચ પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલની 7 માર્ચ,1930 ના રોજ ક્યાંથી ધરપકડ કરાઈ હતી
રાસ ગામેથી (ખેડા જિલ્લો)

દાંડી કૂચ દરમિયાન કસ્તુરબા ગાંધી વગેરે લોકોએ કયા તળાવથી પરત ફર્યા હતા
ચંડોળા

દાંડી કૂચના સભ્યોએ પ્રથમ દિવસે કેટલું અંતર કાપ્યું
13 માઈલનું

દાંડી કૂચનો પ્રથમ રાત્રિ નિવાસ ક્યાં કર્યો હતો
અસલાલી

ગાંધીજીની દાંડી કૂચને સુભાષચંદ્ર બોઝે કોની સાથે સરખાવી છે
નેપોલિયનની પેરિસ માર્ચ અને મુસોલિનીની રોમ માર્ચ સાથે

મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચને કોની સાથે સરખાવી છે
મહાભિનિસ્ક્રમણ

દાંડી કૂચના અંતે બ્રિટિશ સરકારે ગાંધીજીની ધરપકડ ક્યાંથી કરી
કરાડી ગામેથી

ધરાસણામાં કોણે મીઠાના સરકારી ડેપો સુધી અહિંસાત્મક સત્યાગ્રહીઓ સાથે યાત્રાનું નેતૃત્વ લીધું
સરોજીની નાયડુએ

મલાબારમાં મીઠા સત્યાગ્રહ કોણે આયોજિત કર્યો
કે.કેલપ્પને

ગાંધીજીની ધરપકડનો વિરોધ કરવા કઈ જગ્યાએ લોકોએ વિદ્રોહ કર્યો
સોલાપુરમાં


💥રણધીર💥
*આમુખ*

ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરનાર : જવાહરલાલ નહેરુ

ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો : 13 ડિસેમ્બર,1946

બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર : 22 જાન્યુઆરી,1947

બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત : 22 જાન્યુઆરી,1950

આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર : સર બી.એન.રાવ

આમુખનો સ્ત્રોત : અમેરિકા

આમુખની ભાષાનો સ્ત્રોત : ઓસ્ટ્રેલિયા

આમુખને બંધારણને સમજવાની ચાવી કહેવાય છે.



*આમુખનો વિવાદ*


1.આમુખને બંધારણનો ભાગ ન મનાયો

સુપ્રીમ કોર્ટે કારણ દર્શાવ્યું

આમુખ માત્ર બંધારણના હેતુઓ દર્શાવતું હોવાથી તે બંધરણનું અંગ નથી

કેસ

બેરુબાડી કેસ (1960)
સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય (1964)
ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય (1967)
ભારતીચંદ્ર વિરુદ્ધ મૈસુર રાજ્ય (1970)



2.આમુખને બંધારણનો ભાગ મનાયો

સુપ્રીમ કોર્ટે કારણ દર્શાવ્યું

બંધારણનું વાંચન અને અર્થઘટન આમુખના આધારે જ થવું જોઈએ

કેસ

કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય (1973) [કેસ ચુકાદો 1973માં આવ્યો અને કેસ 1971 નો હતો]


💥રણધીર💥
*સાહિત્યકારો અને તખલ્લુસ*


બેકારઈબ્રાહિમ પટેલ
બેફામબરકતઅલી વિરાણી



ભોગીલાલ ગાંધીઉપવાસી
ઈન્દુલાલ ગાંધીપિનાકપાણિ
ચંપકલાલ ગાંધીસુહાસી



અરદેશર ખબરદારઅદલ, મોટાલાલ
અરદેશર બી. ફરામબોજબીરબલ



શૂન્યઅલીખાન બલોચ
શૂન્યમ્હસમુખભાઈ પટેલ



ચિનુભાઈ પટવાફિલસૂફ
ચિનુ મોદીઈર્શાદ



પ્રેમભક્તિકવિ ન્હાનાલાલ
પ્રેમસખીપ્રેમાનંદ સ્વામી


💥રણધીર💥


બાલાભાઈ દેસાઈજયભિખ્ખુ
બાલાશંકર કંથારિયાનિજાનંદ,મસ્ત, બાલ ક્લાન્ત કવિ



શિવમ સુંદરમહિંમતલાલ પટેલ
શશિ શિવમચંદ્રશંકર ભટ્ટ



દ્વૈપાયનસુંદરજી બેટાઈ
કૃષ્ણ દ્વૈપાયનમોહનભાઇ પટેલ



શૂન્ય પાલનપુરીઅલીખાન બલોચ
સૈફ પાલનપુરીસૈફુદ્દીન ગુલામઅલી ખારાવાલા



ચુનીલાલ ભગતપૂ. મોટા
ચુનીભાઈ પટેલદ્યુમાન



જન્મશંકર બુચલલિત
ચંદ્રવદન બુચસુકાની



💥રણધીર💥
વસંત કે વર્ષાઋતુનું વર્ણન વાળો કાવ્ય પ્રકાર
ફાગુ

'સ્યુગર કોટેડ કવીનાઇન પીલ્સ' તરીકે જાણીતું હાસ્ય
પ્રેમાનંદનું

પ્રેમાનંદને 'A Prince of Pragiarists' કહ્યા
કનૈયાલાલ મુનશીએ

'પંડિતોનો-બ્રહ્મણોનો કવિ' પ્રેમાનંદને કોણે કહ્યું
નવલરામ પંડ્યા

અનંતરાય રાવળે કોના કવિત્વને આગિયાના ઝબકારા સાથે સરખાવ્યું
શામળ

'Most Gujarati of Gujarati Poets' કોના માટે
પ્રેમાનંદ માટે

કડવાને બદલે મીઠા સંજ્ઞા પ્રયોજનાર
દયારામ

'રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી' પ્રેમાનંદ માટે કોણે કહ્યું
નવલરામ પંડ્યા

વેદાંતવાદી અને સમાજને ફટકો મારનાર કવિ
અખો

'અખાનું ખડખડા હાસ્ય આપણાં સાહિત્યનું મહામૂલુ ધન' કહેનાર
ઉમાશંકર જોશી

દયારામનો ચર્ચાસ્પદ કિસ્સો
રતન સોનારણ સાથે

'દયારામનું ભક્ત કવિઓમાં સ્થાન નથી, પ્રણયના અમર કવિઓમાં છે' વિધાન
કનૈયાલાલ મુનશી

માંડણે પોતાના છપ્પાને શું કહ્યું
વીશી

રત્નો ખરેખર સાચું રત્ન હતો- કહેનાર
ન્હાનાલાલ

નર્મદને તેના મિત્રો બોલાવતા તે નામ
લાલજી

નર્મદે અપનાવેલો મુદ્રાલેખ
પ્રેમશૌર્ય

સ્વસુધારક મંડળીના સ્થાપક
મણિલાલ દ્વિવેદી

'વિવેચક તે કવિનો જોડીયો ભાઈ જ છે' વિધાન
નરસિંહરાવ દિવેટિયા

ગોવર્ધનરામ દ્વારા ચંદા અને મેઘના કવિનું બિરુદ
આનન્દશંકર ધ્રુવને

ગુજરાતી ભાષાને ગર્ભદશાનો કાળ કહ્યો
ગોવર્ધનરામ ત્રિપાઠી

સૌરાષ્ટ્રના ગિરનાર પર્વતનો વિસ્તૃત ઈતિહાસ આપનાર કવિ
વિજયસેનસૂરિ

'સંદેશકરાસ' નામની કૃતિ લખનાર મુસ્લિમ કવિ
અબ્દુર રહેમાન

વલ્લભ મેવાડાને 'પહેલી ટુકડીમાં મુકવા જોગ' કહેનાર સર્જક
નર્મદ

ગરીબીના કારણે 'ગુજરાતનો જયદેવ' તરીકે ઓળખાતા કવિ
દયારામ

'શાંતિદાસ' વાર્તાથી વિશેષ જાણીતા બનનાર સર્જક
અંબાલાલ સાકરલાલ દેસાઈ

દાસી જીવણનું સમાધિસ્થળ
ઘોઘાવદર


💥રણધીર 💥
*ગુજરાતના લોક નૃત્યો*


*One Liner Questions*


ગરબો શબ્દ કયા શબ્દ પરથી બન્યો છે
ગર્ભદીપ(ઘડામાં મુકાયેલો દીવો)

દાંડિયા રાસ એ ખાસ કયા પુરૂષોનું નૃત્ય છે
મેર પુરુષો

ગરબી એ પુરુષો દ્વારા થતું કેવું નૃત્ય છે
સંઘનૃત્ય

ગોફ ગૂંથણ એ કયા લોકોનું નૃત્ય છે
સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું

ચોરવાડની કોળી બહેનોનું શ્રમહારી નૃત્ય અને વેરાવળની ખારવણ બહેનોનું નૃત્ય કયું છે
ટિપ્પણી નૃત્ય

ચુનાને પીસતી વખતે કયું નૃત્ય કરવામાં આવે છે
ટિપ્પણી નૃત્ય

ભાલ અને નળકાંઠાના પઢારો દ્વારા કયું નૃત્ય થાય છે
મંજીરા નૃત્ય

ઢોલો રાણો નૃત્ય કયા વિસ્તારના કોળીઓ દ્વારા થાય છે
ગોહિલવાડ

રાસડા એ કયા વિસ્તારનું નૃત્ય છે
સૌરાષ્ટ્ર

રાસડાનો પ્રકાર કયો છે
ત્રણ તાલી રાસનો

ભીલ નૃત્ય કયા વિસ્તારનું જાણીતું નૃત્ય છે
પંચમહાલ

ભીલ નૃત્યમાં આકર્ષણની બાબત કઈ છે
કૂદકાઓ અને ચિચિયારીઓ

મેરાયો નૃત્ય બનાસકાંઠા જિલ્લાના કયા તાલુકાના ઠાકોરોનું નૃત્ય છે
વાવ

સીદીઓનું ધમાલ નૃત્ય મુખ્યત્વે કયા ગામમાં જોવા મળે હોય છે
જાફરાબાદ પાસે જંબુસર ગામમાં

સીદીઓના ધમાલ નૃત્યમાં મશીરા એટલે શું
નાળિયેરની આખી કાચલીમાં ભરેલી કોડીઓ

સીદીઓના ધમાલ નૃત્યમાં ધમાલ એટલે શું
નાની ઢોલકી

સીદીઓનું મૂળ વતન કયું છે
આફ્રિકા

ઉત્તર ગુજરાતમાં ઠાકોરો,રાજપૂતો અને પાટીદાર વગેરે કોમની બહેનો દ્વારા કયું નૃત્ય થાય છે
જાગ નૃત્ય

ડોકા અને હુડા રાસ સૌરાષ્ટ્ર વિસ્તારની કઈ કોમ સાથે સંકળાયેલું નૃત્ય છે
ભરવાડ

કયું નૃત્ય મહેસાણા જિલ્લાના ઠાકોરો સાથે સંકળાયેલું નૃત્ય છે
રૂમાલ નૃત્ય(હોળી અને મેળાના પ્રસંગે)

મરચી નૃત્ય કયા સમાજની બહેનો લગ્ન પ્રસંગે કરતી હોય છે
તૂરી સમાજની

ડાંગી નૃત્યને બીજા કયા નામે ઓળખવામાં આવે છે
ચાળો

માંડવા તેમજ આલેણી-હાલેણી કયા જિલ્લાના તડવી આદિવાસીઓનું લોકનૃત્ય છે
છોટા ઉદેપુર (આદિવાસી કન્યાઓનું ઋતુ નૃત્ય)

કયું નૃત્ય સુરત અને તાપી જિલ્લાના દુબળા આદિવાસીઓનું નૃત્ય છે
હાલી નૃત્ય

ગુજરાતમાં સારા પ્રસંગે રાંદલ માતાને તેડતા સમયે સ્ત્રીઓ દ્વારા થતા નૃત્યને કયું નૃત્ય કહેવામાં આવે છે
હમચી અથવા હીંચ નૃત્ય


💥રણધીર💥