GCC JOB INFO
43.9K subscribers
19.7K photos
561 videos
4.35K files
9.28K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ વિભાગોમાં વર્ગ-3ની 1500થી વધુ ટેકનિકલ(તાંત્રિક) જગ્યાઓ માટે ભરતીની જાહેરાત..
On line Jaherat 213 - 224- 202324 -1.pdf
1.2 MB
GSSSB VACANCY DECLARE

સિવિલ એન્જિનિયર માટે ની જગ્યા જાહેર
ગૌણ સેવા ભરતી.pdf
1.6 MB
ગૌણ સેવા દ્રારા ભરતીની જાહેરાત
👉Doc list for poen
👉Salary 14800 basic
👉approx 21000 to 2200
Exam Process of the tecnical exam

Gsssb હવે કોઈક કોઈક પરીક્ષા omr ના બદલે કોમ્પ્યુટર besd પણ લેશે
Common Candidates in HC Peon & Assistant.pdf
2 MB
Common Candidates in HC Peon & Assistant.pdf
હાઇકોર્ટ પટ્ટાવાળા વર્ગ 4 અને આસિસ્ટન્ટ/કેશિયર ની પ્રાથમિક પરીક્ષાનું રીઝલ્ટ જાહેર

https://gccjobinfo.com/high-court-of-gujarat-peon-result/
👉ભાગ A અને ભાગ B બન્ને માં ૪૦% માર્ક લાવવા ફરજીયાત (બધી કેટેગરી માટે)

👉નેગેટિવ: ૦.૨૫
‘જો જીતા વહી સમ્રાટ વિક્રમાદિત્ય’

:અંગ્રેજી કેલેન્ડર કરતાં કેટલાં વર્ષ આગળ છે પંચાંગ, વિક્રમ સંવત સાથે કેવી રીતે જોડાયું રાજા વિક્રમાદિત્યનું નામ?


14 નવેમ્બરથી વિક્રમ સંવત 2080 શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આ વિક્રમ સંવતના સ્થાપક ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્યનો ઉલ્લેખ કર્યા વગર અધૂરું ગણાશે. ભારતમાં ચક્રવર્તી સમ્રાટ એને કહેવાય છે જેનું સંપૂર્ણ ભારતમાં રાજ રહ્યું છે. ઋષભદેવના પુત્ર રાજા ભરત પહેલા ચક્રવર્તી સમ્રાટ હતા, ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્ય પણ ચક્રવર્તી સમ્રાટ હતા. વિક્રમાદિત્યનું નામ વિક્રમ સેન હતું. પણ જેનું નામ આ સંવત સાથે જોડાયું છે તે રાજા વીર વિક્રમાદિત્ય પરમાર કોણ હતા?

રાજા વિક્રમાદિત્યનો પરિચય
વિક્રમ સંવત પ્રમાણે વિક્રમાદિત્ય આજથી 2288 વર્ષ પહેલાં થયા હતા. ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્ય પણ ચક્રવર્તી શાસક. એમનું મૂળ નામ વિક્રમ સેન. એમના ગંધર્વ સેન પણ ચક્રવર્તી. તેઓ મહેન્દ્રાદિત્ય, ગર્દ ભિલ્લ અને ગર્દભવેષ જેવાં નામોથી ઓળખાતા. આજે પણ મધ્ય પ્રદેશના સોનકચ્છની આગળ ગંધર્વપુરીમાં રાજા ગંધર્વ સેનનું મંદિર છે.આ ચક્રવર્તી શાસકને ઘણા પુત્રો. એમાંથી વિક્રમાદિત્ય, ભર્તૃહરી અને શંખનાં નામ મળે છે, દીકરીનું નામ મૌનવતી. ગંધર્વ સેનનાં પત્ની સૌમ્યાદર્શના, જે મદનરેખા અને વીરમતી પણ કહેવાતા. વિક્રમાદિત્યને પાંચ રાણી. પદ્મિની, મલાયવતી, મદનલેખા, ચિલ્લમહાદેવી અને ચેલ્લ. બે દીકરા વિક્રમચરિત અને વિનયપાલ, બે દીકરીઓ વસુંધરા અને વિદ્યોત્તામા. ઈતિહાસમાં એક પ્રિય ભાણિયાનું નામ મળે છે: ગોપીચંદ. ખાસ મિત્ર ભટ્ટ. સેનાપતિ વિક્રમશક્તિ અને ચંદ્ર. રાજપુરોહિત ત્રિવિક્રમ અને વસુમિત્ર. પ્રધાન બહસિંધુ અને ભટ્ટી.

રાજા વિક્રમાદિત્ય એક ઐતિહાસિક વ્યક્તિ
કલ્હણની રાજતરંગિણીમાં જણાવ્યા પ્રમાણે 14 ઈ.ની આસપાસ કાશ્મીરમાં અંધ યુધિષ્ઠિર વંશના રાજા હિરણ્યના નિઃસંતાન મૃત્યુ થવાને કારણે અરાજકતા ફેલાઈ ગઈ હતી. જેને જોઈને ત્યાંના મંત્રીઓની સલાહથી ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યએ માતૃગુપ્તને કાશ્મીરનું રાજ્ય સંભાળવા માટે મોકલ્યો હતો. નેપાળી રાજવંશાવલી પ્રમાણે નેપાળના રાજા અંશુવર્મનના સમય (ઈસાપૂર્વ પહેલી શતાબ્દી)માં ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યને નેપાળ આવવાનો ઉલ્લેખ મળે છે.

રાજા વિક્રમનો ભારતની સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, હિન્દી, ગુજરાતી, મરાઠી, બાંગ્લા વગેરે ભાષાઓના ગ્રંથોમાં વિવરણ મળે છે. તેમની વીરતા, ઉદારતા, દયા, ક્ષમા વગેરે ગુણોની અનેક ગાથાઓ ભારતીય સાહિત્યમાં ભરેલી જોવા મળે છે.

વિક્રમ સંવતના પ્રવર્તક
દેશમાં અનેક વિદ્વાન એવા થયા છે, જે વિક્રમ સંવતને ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય દ્વારા જ પ્રવર્તિત માને છે. આ સંવતના પ્રવર્તકની પુષ્ટિ જ્યોતિર્વિદાભરણ ગ્રંથમાં મળે છે. જે 3068 કલિ અર્થાત્ 34 ઈસા પૂર્વમાં લખવામાં આવ્યું હતું. તે પ્રમાણે વિક્રમાદિત્યએ 3044 કલિ અર્થાત્ 57 ઈસા પૂર્વ વિક્રમ સંવત ચલાવ્યું.

વિક્રમ સંવતની શરૂઆત કેવી રીતે થઈ?
વિક્રમ સંવતના જનક વિક્રમાદિત્ય રાજા ભર્તુહરિના નાના ભાઈ હતા. ભર્તુહરિને તેમની પત્નીએ દગો આપ્યો ત્યારે તેમણે રાજ્ય છોડીને સંન્યાસ લઈ લીધો અને રાજ્ય વિક્રમાદિત્યને સોંપી દીધું. માન્યતા છે કે રાજા વિક્રમાદિત્યએ પોતાની પ્રજાનું દેવું માફ કરી દીધું હતું, જેથી લોકોની આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જાય. તે સમયે જે રાજા પોતાની પ્રજાનું દેવું માફ કરી દેતો હતો, તેના નામ પરથી જ સંવત પ્રચલિત થઈ જતું હતું. આ કારણે તેના નામથી વિક્રમ સંવત પ્રચલિત થઈ ગયું.

હવે જાણો વિક્રમ સંવત અને અંગ્રેજી કેલેન્ડરમાં ખાસ અંતર શું છે....

વિક્રમ સંવત પહેલાં કયું પંચાંગ પ્રચલિત હતું?
લગભગ 5 હજાર વર્ષ પહેલાં એટલે દ્વાપર યુગથી પણ પહેલાં સપ્તઋતુઓના નામથી સંવત ચાલતું હતું. દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણનો જન્મ થયો અને તે પછી શ્રીકૃષ્ણના નામથી સંવત પ્રચલિત થયું. દ્વાપર યુગ પછી કળિયુગ શરૂ થયો હતો. શ્રીકૃષ્ણ સંવતના લગભગ 3000 વર્ષ પછી વિક્રમ સંવતની શરૂઆત થઈ, જે આજ સુધી પ્રચલિત છે.

અંગ્રેજી કેલેન્ડરની શરૂઆત કેવી રીતે થઈ?
અંગ્રેજી કેલેન્ડરને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવામાં આવે છે. તેની શરૂઆત રોમથી માનવામાં આવે છે અને તેનો સંબંધ ઈસા મસીહના જન્મ સાથે છે. ઈસા મસીહના જન્મ પહેલાંના સમયને ઈસા પૂર્વ અને પછીના સમયને ઈસવી કહેવામાં આવે છે. જ્યારે અંગ્રેજો ભારત આવ્યા ત્યારે તેઓ પોતાની સાથે અંગ્રેજી કેલેન્ડર પણ લઈને આવ્યા હતા. ગ્રેગોરિયન કેલેન્ડરમાં સમયે-સમયે અનેક ફેરફાર થયા છે. જ્યારે આ કેલેન્ડરની શરૂઆત થઈ, ત્યારે એક વર્ષ દસ મહિનાનું હતું, પરંતુ તે પછી આ કેલેન્ડર 12 મહિનાનું થઈ ગયું. માન્યતા છે કે વર્ષ 1582 આવતા-આવતા આ અંગ્રેજી કેલેન્ડરની લગભગ બધી ખામીઓ દૂર થઈ ગઈ હતી. ત્યારે 12મા પોપ ગેગ્રોરીએ 1582માં તેને જાહેર કર્યું. ત્યારથી જ આ કેલેન્ડર ચાલી રહ્યું છે. પોપ ગ્રગોરીના નામ પરથી જ તેને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવામાં આવે છે.