➡️ *જગન્નાથજીની 146 મી જાજરમાન રથયાત્રા; જાણો રથયાત્રાનો સંપૂર્ણ ઇતિહાસ?*
➡️ *જાણો આ વર્ષે ક્યારે નીકળશે જગન્નાથજીની રથયાત્રા?*
https://bit.ly/46cvAB2
➡️ *જાણો આ વર્ષે ક્યારે નીકળશે જગન્નાથજીની રથયાત્રા?*
https://bit.ly/46cvAB2
Amazing Dwarka
જગન્નાથજીની 146 મી જાજરમાન રથયાત્રા; જાણો જગન્નાથજીની રથયાત્રાનો સંપૂર્ણ ઇતિહાસ - Amazing Dwarka
રથયાત્રા નું નામ સાંભળતા જ સૌથી પહેલા જગન્નાથ રથયાત્રાનું દ્રશ્ય નજર સામે રમવા માંડે. આપણે સૌ જાણીએ છીએ કે જગન્નાથ એટલે કે ભગવાન વિષ્ણુ અથવા તો કૃષ્ણનું બીજું સ્વરૂપ.
➡️ *આવતીકાલે ભગવાન જગન્નાથજીની જાજરમાન રથયાત્રા 🚩*
*➡️ આવતીકાલે જગન્નાથજીની રથયાત્રાનું સંપૂર્ણ લાઈવ પ્રસારણ અમેઝિંગ દ્વારકા*
https://www.amazingdwarka.com/tag/ahmedabad-rath-yatra-live/
*➡️ આવતીકાલે જગન્નાથજીની રથયાત્રાનું સંપૂર્ણ લાઈવ પ્રસારણ અમેઝિંગ દ્વારકા*
https://www.amazingdwarka.com/tag/ahmedabad-rath-yatra-live/
5_6091586681813600303.pdf
840 KB
GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD, GANDHINAGAR ADDITIONAL FINAL SELECTION LIST & RECOMMENDATION LIST . ADVERTISE NO. 15/2021-22- ગ્રામ સેવક ( વર્ગ -૩) GS/ADD.FSL&RL
5_6091586681813600304.pdf
762.2 KB
GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD, GANDHINAGAR ADDITIONAL FINAL SELECTION LIST & RECOMMENDATION LIST . ADVERTISE NO. 15/2021-22- ગ્રામ સેવક ( વર્ગ -૩) GS
5_6091586681813600305.pdf
658.2 KB
GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD, GANDHINAGAR ADDITIONAL FINAL SELECTION LIST & RECOMMENDATION LIST . ADVERTISE NO. 09/2021-22- પશુધન નિરીક્ષક ( વર્ગ -૩) LSI
ભક્તો ભગવાનનાં મંદિરમાં તો દર્શન કરવા બારેમાસ જાય છે, પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા તેમની પાસે જાય છે. પુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે અને રથનું દોરડું ખેંચીને વૈકુંઠ પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે.
જગન્નાથજીની રથયાત્રા પાછળની કથા પણ ખૂબ જ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે એક વાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારિકા આવ્યાં હતાં. તેમણે પોતાના બંને ભાઈઓને નગરદર્શનની ઇચ્છા જણાવી. શ્રીકૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડયાં અને તેઓ અલગ-અલગ રથ પર સવાર થઈ ગયા. સુભદ્રાનાં રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ-બહેનો નગરયાત્રા પર નીકળી પડયાં.
સુભદ્રાજીની નગરયાત્રાની ઇચ્છાની સ્મૃતિમાં જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને દસ દિવસ સુધી ઉત્સવ ચાલે છે. શ્રી જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રંગેચંગે રથયાત્રા નીકળે છે. રથ પર સવાર શ્રીકૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાજીનાં દર્શન કરીને ભક્તો ધન્યતાં અનુભવે છે. ધ્યાનથી જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે. રથયાત્રાની ત્રણે મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે. તેની પાછળ પણ એક પૌરાણિક કથા જોડાયેલી છે.
તે કથા પ્રમાણે રાજા ઇન્દ્રદ્યુમ્ન પોતાનાં પરિવાર સાથે નીલાંચલ સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા. એક વાર રાજા ઇન્દ્રદ્યુમ્નને ઇચ્છા થઈ કે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે. આ વિચાર સતત તેમનાં મનમાં ચાલ્યા જ કરતો હતો. એક દિવસ તેઓ આ જ વિચારમાં ડૂબેલા હતા. એવામાં સમુદ્રમાં એક મોટું કાષ્ઠ (લાકડું) તરતું જોયું. તેમને આંતરિક પ્રેરણા મળી કે આ કાષ્ઠમાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ તો ?? પરંતુ એક સમસ્યા ઊભી થઈ, તે હતી યોગ્ય શિલ્પીની શોધ.
એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓનાં શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલીને નરેશની પાસે મોકલ્યા. વૃદ્ધ વ્યક્તિનો સ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા. આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી કે, તે મૂર્તિ તો બનાવશે, પરંતુ એકવીસ દિવસ સુધી તેમનાં કામમાં કોઈ બાધા ન આવવી જોઈએ.
રાજાએ શરતનો સ્વીકાર કર્યો, પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે, તેની પાસે જ એક ઘરમાં મૂર્તિનિર્માણનાં કામ માટે કાષ્ઠ સાથે જતાં રહ્યા. રાજાનો પરિવાર જાણતો નહોતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે. ઘણાં દિવસો સુધી તે ઘરનાં દ્વાર બંધ રહ્યાં. મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધાપીધા વગર કેવી રીતે કામ કરી શકશે? પંદર દિવસ વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામ્યાં હશે.
મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી, તેથી મહારાજાએ દ્વાર ખોલાવતાં ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતાં, પરંતુ તેમનાં દ્વારા અર્ધનિર્મિત ત્રણ મૂર્તિઓ હતી. આ જોઈ રાજા અને રાણી દુઃખી થઈ ગયાં. તે ક્ષણે જ ભવિષ્યવાણી થઈ કે, "હે નરેશ! દુઃખી ન થશો, અમે આ જ રૂપમાં રહેવા માગીએ છીએ. મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરીને તેની સ્થાપનાં કરાવો."
આ રથયાત્રાકોણે શરૂ કરી એ પણ જાણવા જેવું છે. આશરે ૧૪૦ વર્ષ પહેલાં જગન્નાથ મંદિરનાં મહંત નરસિંહદાસજીએ પ્રથમવાર ઈ.સ. ૧૮૭૮ની અષાઢી બીજનાં દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. નાનાં પાયે શરૂ થયેલી રથયાત્રાનો વ્યાપ આજે એટલો વધી ગયો છે કે તે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે.
જગન્નાથ મંદિરની સ્થાપના કોણે કરી એ પણ જાણવા લાયક છે. આ મંદિરનો ઇતિહાસ આશરે ૪૫૦ વર્ષ જુનો છે. આ ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિરની સ્થાપનાં સારંગજીદાસે કરી હતી. જગન્નાથ મંદિર પહેલાં હનુમાનજીનું મંદિર હતું. આ મંદિરનાં નિર્માણ પાછળ એક આદેશ કારણભુત છે. સારંગજીદાસજીને સપનામાં જગન્નાથજીની મૂર્તી સ્થાપિત કરવાનો આદેશ મળ્યો હતો. જેથી તેઓ પુરીથી નીમકાષ્ઠાની બનેલી મૂર્તીઓ લાવ્યાં, અને સંપુર્ણ વિધિવિધાન સાથે આ મૂર્તીઓની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ. અષાઢીબીજનાં દિવસે ૧૯૭૮માં પ્રથમ રથયાત્રા યોજાઇ હતી.
સરસપુર ભગવાનનું મોસાળ કેવી રીતે બન્યું એ પણ ખૂબ રસપ્રદ છે. લગભગ ૧૪૦ વર્ષ પહેલા બહુ નાનાં પાયે શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવાતાં હતા. જેમાં સાધુસંતો ભાગ લેતા હતા. તે સમયે સરસપુરમાં રણછોડજીનાં મંદિરમાં સાધુસંતોનું રસોડું રાખવામાં આવતું હતું. બસ તે સમયથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું. હવે સરસપુરની તમામ પોળોનાં રહિશો રથયાત્રામાં જોડાયેલાં ભકતોને પ્રેમભાવથી જમાડે છે.
આપ સહુને મારાં અને મારાં પરિવાર તરફથી અષાઢી બીજ અને રથયાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!
- વૈભવી જોશી
જગન્નાથજીની રથયાત્રા પાછળની કથા પણ ખૂબ જ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે એક વાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારિકા આવ્યાં હતાં. તેમણે પોતાના બંને ભાઈઓને નગરદર્શનની ઇચ્છા જણાવી. શ્રીકૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડયાં અને તેઓ અલગ-અલગ રથ પર સવાર થઈ ગયા. સુભદ્રાનાં રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ-બહેનો નગરયાત્રા પર નીકળી પડયાં.
સુભદ્રાજીની નગરયાત્રાની ઇચ્છાની સ્મૃતિમાં જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને દસ દિવસ સુધી ઉત્સવ ચાલે છે. શ્રી જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રંગેચંગે રથયાત્રા નીકળે છે. રથ પર સવાર શ્રીકૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાજીનાં દર્શન કરીને ભક્તો ધન્યતાં અનુભવે છે. ધ્યાનથી જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે. રથયાત્રાની ત્રણે મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે. તેની પાછળ પણ એક પૌરાણિક કથા જોડાયેલી છે.
તે કથા પ્રમાણે રાજા ઇન્દ્રદ્યુમ્ન પોતાનાં પરિવાર સાથે નીલાંચલ સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા. એક વાર રાજા ઇન્દ્રદ્યુમ્નને ઇચ્છા થઈ કે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે. આ વિચાર સતત તેમનાં મનમાં ચાલ્યા જ કરતો હતો. એક દિવસ તેઓ આ જ વિચારમાં ડૂબેલા હતા. એવામાં સમુદ્રમાં એક મોટું કાષ્ઠ (લાકડું) તરતું જોયું. તેમને આંતરિક પ્રેરણા મળી કે આ કાષ્ઠમાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ તો ?? પરંતુ એક સમસ્યા ઊભી થઈ, તે હતી યોગ્ય શિલ્પીની શોધ.
એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓનાં શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલીને નરેશની પાસે મોકલ્યા. વૃદ્ધ વ્યક્તિનો સ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા. આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી કે, તે મૂર્તિ તો બનાવશે, પરંતુ એકવીસ દિવસ સુધી તેમનાં કામમાં કોઈ બાધા ન આવવી જોઈએ.
રાજાએ શરતનો સ્વીકાર કર્યો, પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે, તેની પાસે જ એક ઘરમાં મૂર્તિનિર્માણનાં કામ માટે કાષ્ઠ સાથે જતાં રહ્યા. રાજાનો પરિવાર જાણતો નહોતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે. ઘણાં દિવસો સુધી તે ઘરનાં દ્વાર બંધ રહ્યાં. મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધાપીધા વગર કેવી રીતે કામ કરી શકશે? પંદર દિવસ વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામ્યાં હશે.
મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી, તેથી મહારાજાએ દ્વાર ખોલાવતાં ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતાં, પરંતુ તેમનાં દ્વારા અર્ધનિર્મિત ત્રણ મૂર્તિઓ હતી. આ જોઈ રાજા અને રાણી દુઃખી થઈ ગયાં. તે ક્ષણે જ ભવિષ્યવાણી થઈ કે, "હે નરેશ! દુઃખી ન થશો, અમે આ જ રૂપમાં રહેવા માગીએ છીએ. મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરીને તેની સ્થાપનાં કરાવો."
આ રથયાત્રાકોણે શરૂ કરી એ પણ જાણવા જેવું છે. આશરે ૧૪૦ વર્ષ પહેલાં જગન્નાથ મંદિરનાં મહંત નરસિંહદાસજીએ પ્રથમવાર ઈ.સ. ૧૮૭૮ની અષાઢી બીજનાં દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. નાનાં પાયે શરૂ થયેલી રથયાત્રાનો વ્યાપ આજે એટલો વધી ગયો છે કે તે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે.
જગન્નાથ મંદિરની સ્થાપના કોણે કરી એ પણ જાણવા લાયક છે. આ મંદિરનો ઇતિહાસ આશરે ૪૫૦ વર્ષ જુનો છે. આ ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિરની સ્થાપનાં સારંગજીદાસે કરી હતી. જગન્નાથ મંદિર પહેલાં હનુમાનજીનું મંદિર હતું. આ મંદિરનાં નિર્માણ પાછળ એક આદેશ કારણભુત છે. સારંગજીદાસજીને સપનામાં જગન્નાથજીની મૂર્તી સ્થાપિત કરવાનો આદેશ મળ્યો હતો. જેથી તેઓ પુરીથી નીમકાષ્ઠાની બનેલી મૂર્તીઓ લાવ્યાં, અને સંપુર્ણ વિધિવિધાન સાથે આ મૂર્તીઓની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ. અષાઢીબીજનાં દિવસે ૧૯૭૮માં પ્રથમ રથયાત્રા યોજાઇ હતી.
સરસપુર ભગવાનનું મોસાળ કેવી રીતે બન્યું એ પણ ખૂબ રસપ્રદ છે. લગભગ ૧૪૦ વર્ષ પહેલા બહુ નાનાં પાયે શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવાતાં હતા. જેમાં સાધુસંતો ભાગ લેતા હતા. તે સમયે સરસપુરમાં રણછોડજીનાં મંદિરમાં સાધુસંતોનું રસોડું રાખવામાં આવતું હતું. બસ તે સમયથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું. હવે સરસપુરની તમામ પોળોનાં રહિશો રથયાત્રામાં જોડાયેલાં ભકતોને પ્રેમભાવથી જમાડે છે.
આપ સહુને મારાં અને મારાં પરિવાર તરફથી અષાઢી બીજ અને રથયાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!
- વૈભવી જોશી