GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#GPSC
Recommendation from Waiting List for Advt. No. 68/2023-24, Additional Assistant Engineer (Civil), Class-3, Gandhinagar Municipal Corporation
SYPT-155-202425.pdf
971.6 KB
Syllabus of Preliminary Exam, Advt. No. 155/2024-25, Gujarat Educational Service, Class-2, (Administrative Branch)
👍3
છેલ્લી તારીખ 12/3/2025 કરવામાં આવી

💥 યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 2691 જગ્યાઓ પર ભરતી

👉 પોસ્ટ:એપ્રેન્ટિસ
👉 ગુજરાત માં 125 જગ્યાઓ

🏦 લાયકાત:કોઈપણ ગ્રેજ્યુએટ

🥇 ઉંમર:20 થી 28 વર્ષ/અનામત મુજબ છૂટછાટ

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ  12/3/2025

https://gccjobinfo.com/union-bank-of-india-recruitment-2025/#google_vignette

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍2
🗺️ દોસ્તો ઘણીવાર આપણે જ્યારે google map ના સહારે મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે આપણને google એવા રસ્તા બતાવે છે કે જ્યાં ડ્રાઇવિંગ કરવું થોડું મુશ્કેલ હોય છે. એટલે કે તે સોર્ટ રસ્તો બતાવવાના ચક્કરમાં તમને ખાડાવાળા અને ખરાબ રોડ પર લઈ જાય છે, અથવા તો જ્યારે કોઈ બ્રિજ ચડવાનો આવે છે અથવા તો કોઈ વળાંક આવે છે ત્યારે google મેપ દ્વારા ઘણીવાર ભૂલ થઈ જતી હોય છે.

📍પરંતુ અમે લઈને આવ્યા છે તેના માટેનું અત્યાર સુધીનું બેસ્ટ સોલ્યુશન. એક એવું એપ છે કે જે તમને તમારા ડેસ્ટિનેશન પર પહોંચવા માટે રસ્તામાં આવતા તમામ ખાડા અને ખરાબ રોડ વિશે માહિતી આપી દેશે. પછી જ્યારે કોઈ બ્રિજ ચડવાનો હશે કે કોઈ ફ્લાયઓવર હશે ત્યારે તે તમને 3d એનિમેશન દ્વારા સમજાવશે કે તમારે કયા રસ્તે જવાનું છે.અને તમે જેવું ડિસ્ટન્સ નાખશો અને તમારા ગાડીની એવરેજ નાખશો તો તમને તમારી મુસાફરી દરમિયાન કેટલો ખર્ચ થશે એ પણ બતાવી દેશે

🍁 તમે ખાલી એકવાર આ એપ ટ્રાય કરી જુઓ અને તમે જ કહેશો કે google મેપ કરતા આ એપ 100 ગણી સારી છે! તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી હમણાં જ આપણે ડાઉનલોડ કરો અને તમારી મુસાફરીને સરળ બનાવો

https://gccjobinfo.com/mappls-mapmyindia-maps-safety/
👍4
💥 *રાજકોટ રાજપર લિમિટેડ દ્વારા 13 જગ્યાઓ પર ભરતી*

👉એડમિન આસિસ્ટન્ટ:1
👉ટ્રાફિક ઇન્સ્પેક્ટર કમ ફિલ્ડ સુપરવાઇઝર
👉ડેટા એન્ટ્રી ઓપરેટર
👉ચીફ ફાયનાન્સ ઓફિસર

🔖 *લાયકાત:MBA/IT/ ડીગ્રી/ડિપ્લોમા/BCA/Bsc IT/CA*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 12/3/2025*

https://gccjobinfo.com/rajkot-rajpath-ltd-rmc-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍2
The Rajkot Municipal Corporation (RMC) has officially released the Provisional Answer Key for the recruitment examination conducted on March 2, 2025

https://gccjobinfo.com/rajkot-municipal-corporation-2/
👍31
📌 GPSC_UPDATE
SSC GD Answer Key 2025: Check Answer Key, Direct Link, Released By SSC
https://gccjobinfo.com/ssc-gd-answer-key-2025/

GPSC Main Exam Forms 2025: Private Secretary & State Tax Inspector Posts
https://gccjobinfo.com/gpsc-main-exam-forms-2025/
👍2
💥 GPSC /કલાસ 3 ની તૈયારી કરતા તમામ વિધાર્થી Download કરજો ખાસ કામ માં આવશે

🔥 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ ઉપયોગી પાઠયપુસ્તક મંડળની બહાર પાડેલી 3 બુક PDF ફ્રિ ડાઉનલોડ

1️⃣ હું બનું વિશ્વ માનવી ભાગ-1
https://gccjobinfo.com/gpsc-and-ojas-bharti-useful-materilas/

2️⃣ હું બનું વિશ્વ માનવી ભાગ-2
https://gccjobinfo.com/gpsc-and-ojas-bharti-useful-materilas-2/

3️⃣ હું બનું વિશ્વ માનવી ભાગ-3
https://gccjobinfo.com/gpsc-and-ojas-bharti-useful-materilas-3/
AHEMDABAD .pdf
922 KB
RRB AHEMDABAD ZONE
Combined Higher Secondary (10+2) Level Examination, 2024: Uploading of Final Answer Keys along with Question Paper(s) of Tier-II and Marks
👍3
‘સર્વોપરી’ થવાની આ કેવી ઘેલછા છે !?

સનાતન ધર્મમાં દશાવતાર છે એમાં પૂર્ણપુરૂષોત્તમ એક જ કહેવાય છે: શ્રી કૃષ્ણ. જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન છે. ભારતિય ગુરુ પરંપરામાં સૌથી આદિ ગુરુ કહેવાય છે ગુરુ દતાત્રેય...હવે એક વાત કહું? આ બધાથી પણ મોટું કોણ છે? આ બધાથી મોટા છે નીલકંઠવર્ણી-સહજાનંદ સ્વામી...

આવું હું નથી કહેતો. આવું BAPSની વેબસાઇટ પર લખેલું છે. એમાં એક વાર્તામાં આવો સંવાદ છે:

રામાનંદ સ્વામી હસતા થકા કહેવા લાગ્યા : 'ભૂલો છો, લાલજી! અમે જ્યારે આજ્ઞા કરીએ ત્યારે તેમાં સંશય ન કરવો. હવે અહીંથી સીધા લોજ જાઓ ને નીલકંઠવણીનાં દર્શન સમાગમ કરો.'

લાલજી વધુ ગૂંચવાયા. તેમણે પૂછ્યું : 'ગુરુદેવ! એ એવા તે કેવા મોટા છે! શું દત્તાત્રેય, ૠષભદેવ કે રામચંદ્ર જેવા છે!'

રામાનંદ સ્વામીએ કહ્યું : 'જ્યારે એમની મોટાઈનું પૂછો છો તો સાંભળો - દત્તાત્રેય વગેરે ૨૪ અવતારો છે તેમાં સૌથી મોટા શ્રીકૃષ્ણ ભગવાન છે, જેમનું આપણે ભજન કરીએ છીએ, એ શ્રીકૃષ્ણથી પણ આ વણી મોટા છે. વધુ તો શું કહીએ પણ આ વણી તો અવતારોના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પોતે છે. અમે તમને ઘણીવાર કહી ચૂક્યા છીએ કે હું તો ડુગડુગી વગાડવાવાળો છુ _, તે બધાને ભેગા કરું છુ _ - વેશ ભજવનાર ચાલ્યા આવે છે, એ જ આ વણી.'

(આ વાતનો સ્ક્રીન શૉટ પણ અહીં છે.)
**
વેબસાઇટ પર સાધુ અક્ષરજીવનદાસ નામના કોઈ સ્વામીએ આ લેખ લખ્યો છે. આટલા સેન્સિટિવ લેખમાં જુવો જોડણી અને પ્રૂફની જ કેટલી ભૂલો છે, જો એ ભૂલો કોઈએ ચેક ન કરી હોય, તો આમાં લખાયેલી હબંગ વાતો તો કોણે ચેક કરી હોય? પણ મૂળ વાત એ છે કે આ સંપ્રદાયમાં નાના નાના સ્વામીઓ વચ્ચે પોતાના મોટા સ્વામીઓ અને સહજાનંદ સ્વામી વિશે ચમત્કારો ઘડવાની જાણે હોડ લાગે છે. એક સ્વામીએ પાંચ ચમત્કાર ઘડી કાઢ્યા તો બીજા સ્વામી દસ ચમત્કાર ઉપજાવી કાઢ્યાં.

ગઇકાલની પોસ્ટનો જે સૂર હતો એ જ વાત; આ ચમત્કારો અને ખુશામત કરવા સતત કોઇની લીટી નાની કરવાનો અજીબોગરીબ પ્રયાસ આ સંપ્ર્દાયના પુસ્તકો, વિવિધ લેખો, સભાઓ અને વ્યાખ્યાનોમાં થાય છે. અહીં જ જુવોને સહજાનંદ સ્વામીને સર્વોપરી સ્થાપિત કરવાના પ્રયાસમાં ગુરુ દાતાત્રેય, ઋષભદેવ ભગવાન, રામ અને શ્રી કૃષ્ણ બધા નીલકંઠવર્ણી-સહજાનંદ સ્વામીથી નાના છે અને નીલકંઠવર્ણી તો અવતારોના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પોતે છે એવું લખવામાં આવ્યું.

આ વાત આજે મેં ઈનબોક્ષમાં આવેલા એક સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી ભાઈને પૂછી કે વેબસાઇટ પર આ લખ્યું એ યોગ્ય છે ? તો એમણે કહ્યું કે, “હવે તમને પ્રમાણ આપવાનું કે સ્વામિનારાયણ ભગવાનને દર્શન આપવા કોણ આવતું હતું.”

મજાની વાત શું હતી ખબર છે?એ ભાઈ મને ગઇકાલની જલારામ બાપા અંગેની પોસ્ટ બાબતે ભાઈ એક ચોપડીનું કોઈ પાનું લઈને પ્રમાણ આપવા આવ્યા હતા. ( પાનું પણ અહીં જોડ્યુ છે.) જે પ્રમાણ આજકાલ આ અનુયાયાયીઓ પોતાની સફાઈમાં ફેરવી રહ્યા છે કે જુવો આ તો ‘જલારામ બાપાના જીવનચરિત્ર’માં લખ્યું છે એમ કરીને એક પુસ્તકનો ફોટો ફેરવે છે જેમાં એવી વાત લખાઈ છે કે “ચાલતી વખતે તેઓ (ગુણાતીતાનંદ સ્વામી જલારામ બાપાને) બોલ્યા, “તમારો આવો વિનય અને ભક્તિ ભાવ જોઈને અમે રાજી થયા છીએ. અને તમારી અને તમારી આ જગ્યાની સ્થિતિ અને કિર્તિ દિન પ્રતિદિન વધતી જશે એવો અમારા આશીર્વાદ છે.”

હવે મુદ્દો જુવો, આ પુસ્તકનું પાનું પ્રૂફનું જેમ ફેરવવાવાળા લોકો આ વાતની નીચે ટાંકવામાં આવેલી એક નોંધ વાંચીને વિચારી પણ ન શકે એટલા વૈચારિક દરિદ્ર થઈ ગયા છે. આ વાતની નીચે એક નોંધ ટાંકી છે કે “મેવાસાવાળા કૃષ્ણજી મહારાજના હસ્તલિખિત ગ્રંથમાથી.” અર્થાત જેમને આ જલારામ બાપાનું ચરિત્ર લખ્યું એમણે આ વાત મેવાસાવાળા કૃષ્ણજી મહારાજના હસ્તલિખિત ગ્રંથના આધાર પર લખી છે. હવે આ કૃષ્ણજી મહારાજ કોણ હતા? જુનાગઢ પાસેના મેવાસાના આ કૃષ્ણજી મહારાજ સ્વામીનારણ સંપ્રદાયના અનુયાયી અને કથિત સંત. અને આ વાત એમની હાથે લખેલ ચોપડીમાં (છપાયેલી નહિઁ). તો મૂળ મુદ્દો ફરી ત્યાં જ આવી ગયો કે આ જ તો હોડ છે આ અહીના અનુયાયીઓ વચ્ચે...

ગઇકાલની પોસ્ટમાં એ વાત હતી કે જલારામ બાપા અને ગુણાતીતનંદ સ્વામી બેઉ સમકાલીન હતા તો કદાચ બેઉ ક્યારેક મળ્યા હોય. જલાબાપાની નિસ્વાર્થ સેવા જોઇને સ્વામી રાજી થયા હોય અને એવી કોઈ શુભેચ્છા આપી પણ હોય કે, “ભગત, ઈશ્વર આ તમારો સેવાયજ્ઞ અખંડ રાખે...” તો એ સહજ વાત છે. પણ ગુણાતીતનંદ સ્વામીના કોઈ અનુયાયી કે શિષ્યો ગુરુની ખુશામતમાં પોતાની ચોપડીઓમાં એવું લખવા માંડે કે “ અમારા સ્વામીના આશીર્વાદથી જલારામબાપાનું સદાવ્રત ચાલે છે” તો એ ખુશામત ખોર શિષ્યો તો છીછરા છે જ.પણ આ ગપ લખતા જો ગુણાતીતનંદસ્વામી ન રોકે તો એ પણ યોગ્ય નથી.
👍1
અને આજે આવી ક્યાંક કોઈ ચોપડીમાં અનુયાયી દ્વારા લખાયેલી આવી કોઈ આધાર વિનાની વાત વાંચીને પેલા જ્ઞાનપ્રકાશ સ્વામી સ્હેજ પણ વિવેક બુદ્ધિ વાપર્યા વિના વ્યાખ્યાનમાં બોલે કે , ‘જલારામ બાપાને ગુણાંતીતાનંદ સ્વામીના આશીર્વાદ હતા.’ આ તો રાજકોટના પેલા રમેશ ફેફર પોતે કલ્કિ અવતાર છે એવો બફાટ કરતાં એવી વાત થઈ. અલ્યા ભાઈ સ્હેજ તો વિચાર કરો...

પણ એ વિચાર નથી આવતો...આવતો હોય તો bapsની વેબસાઇટ પર આવી વાત ન લખાતી હોત કે ગુરુ દતાત્રેય, ઋષભદેવ ભગવાન, રામ અને શ્રી કૃષ્ણ બધા નીલકંઠવર્ણી-સહજાનંદ સ્વામીથી નાના છે અને નીલકંઠવર્ણી તો અવતારોના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પોતે છે.

સૌ પોત પોતાના પૂજયને સર્વોપરી માનીને પૂજે એમાં કોઈ દોષ નથી. પણ પોતાના એક સ્વામીને સર્વોપરી બનાવવા માટે બીજાના પૂજ્ય અને આદિ દેવોને નીચા ઉતારે એ કેવી અજીબ વાત છે. બસો વર્ષ પહેલા થઈ ગયેલા એક સ્વામીને સર્વોપરી સ્થાપિત કરવાની આ કેવી કરૂણ કે ગાંડી ઘેલછા છે?!

અને આવી આ ઘેલછાની આ એક વાત નથી...કોઈ વ્યક્તિ આખું જીવન રોજ એક આવી અહીં ઉઘાડી કરી શકે એટલી વાતો એમની વેબસાઇટ અને વિવિધ સાહિત્યમાં છે.

ઈનબોક્ષમાં આવેલા પેલા અનુયાયી મિત્ર પ્રશ્નનો જવાબ ન આપી શક્યા એટ્લે બોલ્યા કે “200થી વર્ષ પ્રયત્ન ચાલુ છે. નીચે પાડવાનો, કાઈ તો હશે ને સ્વામિનારાયણમાં.”

નહોતું કહેવું પણ છતા એમને મારાથી કહેવાય ગયું કે, “ 200 વર્ષથી પ્રયત્ન છે બીજા બધા દેવો અને સંતોને નીચે પાડીને ‘સર્વોપરી’ થવાનો...પણ અફસોસ કે હજુ અમુક ટકા જ ગુજરાતી સિવાય આ કોઈને આકર્ષી શકાયા નથી... “

-કાનજી 🙏☘️
👍72