વિજયનગરના પાલ-દઢવાવની ૧૨૦૦ આદિવાસીઓના સંહારની શતાબ્દી
~ ૭મી માર્ચ, ૧૯૨૨
સાબરકાંઠાના વિજયનગરના પાલ-દઢવાલ ગામે આજથી બરાબર 100 વર્ષ પહેલાં સર્જાયેલ ૧૨૦૦ આદિવાસીઓનો સામુહિક નરસંહારની કમનસીબ ઘટનાની આજે શતાબ્દી છે.
આઝાદીના અમૃત મહોત્સવમાં દિલ્હીમાં ગત પ્રજાસત્તાક પર્વે ગુજરાત સરકારે ટેબ્લોમાં આદિવાસીઓની શૌર્યગાથાને વિશ્વ સમક્ષ ક્રાંતિવીરોની કથા ઉજાગર કરતો ટેબ્લો પણ દેશ અને વિશ્વ સમક્ષ રજૂ કર્યો હતો.
આજથી ૧૦૦ વર્ષ પહેલાંની આ વાત... તા. ૭મી માર્ચ ૧૯૨૨, ગુજરાતના અંતરિયાળ વિસ્તાર - સાબરકાંઠા જિલ્લામાં ભીલ આદિવાસીઓની વસ્તીવાળા ગામો પાલ, દઢવાવ, ચિતરીયાના ત્રિભેટે હેર નદીના કાંઠે
ભીલ આદિવાસીઓ જમીન મહેસુલ વ્યવસ્થા, જાગીરદારો અને રજવાડાના કાયદાઓનો વિરોધ કરવા શ્રી મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં ભેગા થયા
હોળીના દિવસો નજીક હતા.અને તે દિવસે આમલકી અગિયારસ હતી.'કોલિયારીના ગાંધી' તરીકે ઓળખાતા શ્રી મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં આઝાદી ઝંખતા આદિવાસી પ્રજાજનો લોકમેળે મળ્યા હતા, જંગી સભા સ્વરૂપે ભેગા થયા હતા.
ત્યાં જ મેવાડ ભીલ કોર્પ્સ (એમ. બી. સી) નામના બ્રિટિશ અર્ધલશ્કરી દળના હથિયારબંધ જવાનો જરામરાની ટેકરીઓ પર ગોઠવાઈ ગયા.
એમ.બી.સી. ના અંગ્રેજ ઓફિસર મેજર એચ.જી. સટર્ને હજ્જારોની સંખ્યામાં એકત્ર થયેલા આદિવાસીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો.
લગભગ ૧૨૦૦ જેટલા નિર્દોષ આદિવાસીઓ ગોળીએ વીંધાઈ ગયા. આદિવાસીઓના નર્તન અને ઢોલના નાદ મશીનગનમાંથી છૂટથી ગોળીઓના અવાજમાં કાયમ માટે વિલાઈ ગયા... ચોમેર લાશોના ઢગલા ખડકાઈ ગયા. લડાઈના મેદાનની જેમ આખું મેદાન લાશોથી ભરાઈ ગયું હતું.
બાજુમાં આવેલા ઢેખડીયા કુવાં અને દુધિયા કૂવાં ૧૨૦૦ જેટલા નિર્દોષ આદિવાસીઓના મૃતદેહોથી ઉભરાઈ ગયા હતા.
શ્રી મોતીલાલ તેજાવતને પણ બે ગોળી વાગી હતી, તેમના સાથીદારો તેમને ઊંટ પર નાખીને નદી માર્ગે ડુંગરા તરફ લઇ ગયા હતા.
આ હત્યાકાંડ ભારતનો બીજો જલિયાંવાલા હત્યાકાંડ હતો.જે જલિયાંવાલા કરતા પણ ભયાનક હતો.
#EditorialforExam
#GPSC #GS1
@AlaapAcademy
~ ૭મી માર્ચ, ૧૯૨૨
સાબરકાંઠાના વિજયનગરના પાલ-દઢવાલ ગામે આજથી બરાબર 100 વર્ષ પહેલાં સર્જાયેલ ૧૨૦૦ આદિવાસીઓનો સામુહિક નરસંહારની કમનસીબ ઘટનાની આજે શતાબ્દી છે.
આઝાદીના અમૃત મહોત્સવમાં દિલ્હીમાં ગત પ્રજાસત્તાક પર્વે ગુજરાત સરકારે ટેબ્લોમાં આદિવાસીઓની શૌર્યગાથાને વિશ્વ સમક્ષ ક્રાંતિવીરોની કથા ઉજાગર કરતો ટેબ્લો પણ દેશ અને વિશ્વ સમક્ષ રજૂ કર્યો હતો.
આજથી ૧૦૦ વર્ષ પહેલાંની આ વાત... તા. ૭મી માર્ચ ૧૯૨૨, ગુજરાતના અંતરિયાળ વિસ્તાર - સાબરકાંઠા જિલ્લામાં ભીલ આદિવાસીઓની વસ્તીવાળા ગામો પાલ, દઢવાવ, ચિતરીયાના ત્રિભેટે હેર નદીના કાંઠે
ભીલ આદિવાસીઓ જમીન મહેસુલ વ્યવસ્થા, જાગીરદારો અને રજવાડાના કાયદાઓનો વિરોધ કરવા શ્રી મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં ભેગા થયા
હોળીના દિવસો નજીક હતા.અને તે દિવસે આમલકી અગિયારસ હતી.'કોલિયારીના ગાંધી' તરીકે ઓળખાતા શ્રી મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં આઝાદી ઝંખતા આદિવાસી પ્રજાજનો લોકમેળે મળ્યા હતા, જંગી સભા સ્વરૂપે ભેગા થયા હતા.
ત્યાં જ મેવાડ ભીલ કોર્પ્સ (એમ. બી. સી) નામના બ્રિટિશ અર્ધલશ્કરી દળના હથિયારબંધ જવાનો જરામરાની ટેકરીઓ પર ગોઠવાઈ ગયા.
એમ.બી.સી. ના અંગ્રેજ ઓફિસર મેજર એચ.જી. સટર્ને હજ્જારોની સંખ્યામાં એકત્ર થયેલા આદિવાસીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો.
લગભગ ૧૨૦૦ જેટલા નિર્દોષ આદિવાસીઓ ગોળીએ વીંધાઈ ગયા. આદિવાસીઓના નર્તન અને ઢોલના નાદ મશીનગનમાંથી છૂટથી ગોળીઓના અવાજમાં કાયમ માટે વિલાઈ ગયા... ચોમેર લાશોના ઢગલા ખડકાઈ ગયા. લડાઈના મેદાનની જેમ આખું મેદાન લાશોથી ભરાઈ ગયું હતું.
બાજુમાં આવેલા ઢેખડીયા કુવાં અને દુધિયા કૂવાં ૧૨૦૦ જેટલા નિર્દોષ આદિવાસીઓના મૃતદેહોથી ઉભરાઈ ગયા હતા.
શ્રી મોતીલાલ તેજાવતને પણ બે ગોળી વાગી હતી, તેમના સાથીદારો તેમને ઊંટ પર નાખીને નદી માર્ગે ડુંગરા તરફ લઇ ગયા હતા.
આ હત્યાકાંડ ભારતનો બીજો જલિયાંવાલા હત્યાકાંડ હતો.જે જલિયાંવાલા કરતા પણ ભયાનક હતો.
#EditorialforExam
#GPSC #GS1
@AlaapAcademy
👍1
અંગ્રેજોના નાક નીચે સિક્રેટ રેડિયોસ્ટેશન ચલાવનારાં : ઉષા મહેતા
🔸ઉષા મહેતા એક સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ ભૂગર્ભ રેડિયોની સ્થાપનામાં તેમની ભૂમિકા માટે જાણીતા છે.
🔸સીતા ઓઝાના પુસ્તક 'હોમેજ ટુ ઉષા મહેતા' પ્રમાણે તેમનો જન્મ વર્ષ 1920માં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામમાં 25મી માર્ચે થયો હતો.
🔸તેમના પિતાજી જજ હતા અને પિતા નિવૃત્ત થતાં તેમની સાથે વર્ષ 1933 ઉષાબહેન મુંબઈ જઈને વસ્યાં હતાં.
🔸નવીન જોષી દ્વારા સંપાદિત 'ફ્રીડમ ફાઇટર રિમેમ્બર' પુસ્તક પ્રમાણે ઉષા મહેતા નાની વયથી જ પિકેટિંગ, સરઘસ અને ખાદીસેવક તરીકે રેંટિયો કાંતવા જેવાં કાર્યક્રમોમાં ભાગ લેતાં હતાં.
🔸બ્રિટિશ શાસનવિરોધી પત્રિકાઓનું વિતરણ કરવું અને પ્રતિબંધ છતાં ચોપાટી પર મીઠું પકવવું અને વેચવું એવી કામગીરીઓ તેમને સોંપવામાં આવતી હતી.
🔸આ જ પુસ્તકમાં ચંદ્રિકા વ્યાસે લીધેલો તેમનો ઇન્ટરવ્યૂ પ્રકાશિત કરાયો છે. આ ઇન્ટરવ્યૂમાં તેઓ કહે છે, "મેં બ્રિટિશ હકૂમત સામે સૌથી પહેલો નારો 'સાયમન ગો બૅક'નો પોકાર્યો હતો અને એ 1928ની વાત છે, ત્યારે હું માત્ર આઠ વર્ષની હતી."
🔸એ વખતે ઉષા મહેતા અને અન્ય કિશોરીઓએ મળીને 'મંજારસેના' બનાવી હતી. એનું કારણ આપતાં તેઓ કહે છે, "છોકરાઓએ વાનરસેના બનાવી તો સામે અમે છોકરીઓએ મંજારસેના બનાવી હતી."
🔸હિંદ છોડો' ચળવળ વખતે તેઓ સક્રિય રીતે જોડાયાં અને ભૂગર્ભ પ્રવૃત્તિઓ પણ કરી જેમાં 'સિક્રેટ રેડિયોસ્ટેશન' પણ સામેલ છે.
🔸'હિંદ છોડો' ચળવળ વખતે તેમની ધરપકડ કરાઈ અને જેલમાં કેદ કરાયાં હતાં. તેમના કહેવા પ્રમાણે તેમને આઇસોલેશન સેલમાં રાખવામાં આવ્યાં હતાં અને સીઆઈડી દ્વારા તેમની પૂછપરછ કરાતી હતી.
🔸તેઓ વર્ષ 1942થી 1946 એમ ચાર વર્ષ સુધી જેલમાં રહ્યાં હતાં.
🔸કેદમાંથી બહાર આવ્યાં બાદ તેમણે 'મહાત્મા ગાંધીના સામાજિક અને રાજકીય વિચાર' વિષય પર શોધનિંબધ રજૂ કરીને પીએચ.ડી.ની પદવી મેળવી.
🔸તેમણે 30 વર્ષ માટે એટલે કે વર્ષ 1980 સુધી યુનિવર્સિટી ઑફ બૉમ્બેની વિલ્સન કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું હતું અને તેઓ યુનિવર્સિટી ઑફ બૉમ્બેના પૉલિટિકલ સાયન્સ વિભાગનાં હેડ પણ રહ્યાં હતાં.
🔸તેમણે ગાંધી પીસ ફાઉન્ડેશનના પ્રમુખની પણ જવાબદારી સ્વીકારી હતી.
🔸જીવનનાં ઉત્તરાર્ધમાં તેઓ મણિભવન ગાંધી સંગ્રહાલય અને ગાંધીસ્મારક નિધિનાં ચૅરમૅન તરીકે પણ ફરજ બજાવતાં હતાં.
🔸વર્ષ 1998માં ભારત સરકારે તેમને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.
#GS1
#GPSC_Mains
#EditorialforExam
@AlaapAcademy©
🔸ઉષા મહેતા એક સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ ભૂગર્ભ રેડિયોની સ્થાપનામાં તેમની ભૂમિકા માટે જાણીતા છે.
🔸સીતા ઓઝાના પુસ્તક 'હોમેજ ટુ ઉષા મહેતા' પ્રમાણે તેમનો જન્મ વર્ષ 1920માં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામમાં 25મી માર્ચે થયો હતો.
🔸તેમના પિતાજી જજ હતા અને પિતા નિવૃત્ત થતાં તેમની સાથે વર્ષ 1933 ઉષાબહેન મુંબઈ જઈને વસ્યાં હતાં.
🔸નવીન જોષી દ્વારા સંપાદિત 'ફ્રીડમ ફાઇટર રિમેમ્બર' પુસ્તક પ્રમાણે ઉષા મહેતા નાની વયથી જ પિકેટિંગ, સરઘસ અને ખાદીસેવક તરીકે રેંટિયો કાંતવા જેવાં કાર્યક્રમોમાં ભાગ લેતાં હતાં.
🔸બ્રિટિશ શાસનવિરોધી પત્રિકાઓનું વિતરણ કરવું અને પ્રતિબંધ છતાં ચોપાટી પર મીઠું પકવવું અને વેચવું એવી કામગીરીઓ તેમને સોંપવામાં આવતી હતી.
🔸આ જ પુસ્તકમાં ચંદ્રિકા વ્યાસે લીધેલો તેમનો ઇન્ટરવ્યૂ પ્રકાશિત કરાયો છે. આ ઇન્ટરવ્યૂમાં તેઓ કહે છે, "મેં બ્રિટિશ હકૂમત સામે સૌથી પહેલો નારો 'સાયમન ગો બૅક'નો પોકાર્યો હતો અને એ 1928ની વાત છે, ત્યારે હું માત્ર આઠ વર્ષની હતી."
🔸એ વખતે ઉષા મહેતા અને અન્ય કિશોરીઓએ મળીને 'મંજારસેના' બનાવી હતી. એનું કારણ આપતાં તેઓ કહે છે, "છોકરાઓએ વાનરસેના બનાવી તો સામે અમે છોકરીઓએ મંજારસેના બનાવી હતી."
🔸હિંદ છોડો' ચળવળ વખતે તેઓ સક્રિય રીતે જોડાયાં અને ભૂગર્ભ પ્રવૃત્તિઓ પણ કરી જેમાં 'સિક્રેટ રેડિયોસ્ટેશન' પણ સામેલ છે.
🔸'હિંદ છોડો' ચળવળ વખતે તેમની ધરપકડ કરાઈ અને જેલમાં કેદ કરાયાં હતાં. તેમના કહેવા પ્રમાણે તેમને આઇસોલેશન સેલમાં રાખવામાં આવ્યાં હતાં અને સીઆઈડી દ્વારા તેમની પૂછપરછ કરાતી હતી.
🔸તેઓ વર્ષ 1942થી 1946 એમ ચાર વર્ષ સુધી જેલમાં રહ્યાં હતાં.
🔸કેદમાંથી બહાર આવ્યાં બાદ તેમણે 'મહાત્મા ગાંધીના સામાજિક અને રાજકીય વિચાર' વિષય પર શોધનિંબધ રજૂ કરીને પીએચ.ડી.ની પદવી મેળવી.
🔸તેમણે 30 વર્ષ માટે એટલે કે વર્ષ 1980 સુધી યુનિવર્સિટી ઑફ બૉમ્બેની વિલ્સન કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું હતું અને તેઓ યુનિવર્સિટી ઑફ બૉમ્બેના પૉલિટિકલ સાયન્સ વિભાગનાં હેડ પણ રહ્યાં હતાં.
🔸તેમણે ગાંધી પીસ ફાઉન્ડેશનના પ્રમુખની પણ જવાબદારી સ્વીકારી હતી.
🔸જીવનનાં ઉત્તરાર્ધમાં તેઓ મણિભવન ગાંધી સંગ્રહાલય અને ગાંધીસ્મારક નિધિનાં ચૅરમૅન તરીકે પણ ફરજ બજાવતાં હતાં.
🔸વર્ષ 1998માં ભારત સરકારે તેમને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.
#GS1
#GPSC_Mains
#EditorialforExam
@AlaapAcademy©