માનવજીવનનાં મૂલ્યો, સંવેદનાઓ, ઊર્મિઓ, સંબંધો,ઘટનાઓ, અનુભવો અને સ્મૃતિઓનાં તાણાવાણાની ગૂંથણી વડે રચાઈ હોય તેવી કૃતિઓનો સમૂહ એટલે વીરપસલી અને અન્ય વાર્તાઓ...
‘ભારેલો અગ્નિ’ ભારતમાં અંગ્રેજો સામે થયેલા ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય-સંગ્રામને વાચા આપતી ક્લાસિક નવલકથા છે. એમાં જાણીતાં
ઐતિહાસિક પાત્રો - ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, વગેરે છે, તો રુદ્રદત્ત જેવું કાલ્પનિક પાત્ર છે, જે નવલકથાનું સૌથી વધુ પ્રભાવક પાત્ર છે. સ્વરાજ્ય-પ્રાપ્તિ માટે યુદ્ધ અને હિંસાને અનિવાર્ય માનતા એ જમાનામાં રુદ્રદત્ત અહિંસાનો આગ્રહ આગળ કરે છે – એમાં ઘણાએ ગાંધીજીનો પ્રભાવ જોયો છે ને આવી વિચારસરણીનો એ સમય સાથે મેળ કેમ પડે?-એવો પ્રશ્ન કર્યો છે. જો કે, લેખકે નવલકથામાં એ સમય આબેહૂબ ઉપસાવ્યો છે.
વળી, ગૌતમ, ત્ર્યંબક, કલ્યાણી, લ્યુસી, વગે૨ે પાત્રો દ્વારા મનુષ્યસંબંધનું – પ્રેમસંબંધ અને ત્યાગ-ભાવનાનું રુચિ, મધુર આલેખન પણ આ નવલકથાનું એક વિશેષ આકર્ષક પાસું છે.
એક આખા યુગને પોતાના સર્જનમાં સમેટના૨ યુગમૂર્તિ વાર્તાકાર શ્રી ૨. વ. દેસાઈની આ ક્લાસિક નવલકથા ગુજરાતી સાહિત્યનું ઘરેણું છે.
ઐતિહાસિક પાત્રો - ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, વગેરે છે, તો રુદ્રદત્ત જેવું કાલ્પનિક પાત્ર છે, જે નવલકથાનું સૌથી વધુ પ્રભાવક પાત્ર છે. સ્વરાજ્ય-પ્રાપ્તિ માટે યુદ્ધ અને હિંસાને અનિવાર્ય માનતા એ જમાનામાં રુદ્રદત્ત અહિંસાનો આગ્રહ આગળ કરે છે – એમાં ઘણાએ ગાંધીજીનો પ્રભાવ જોયો છે ને આવી વિચારસરણીનો એ સમય સાથે મેળ કેમ પડે?-એવો પ્રશ્ન કર્યો છે. જો કે, લેખકે નવલકથામાં એ સમય આબેહૂબ ઉપસાવ્યો છે.
વળી, ગૌતમ, ત્ર્યંબક, કલ્યાણી, લ્યુસી, વગે૨ે પાત્રો દ્વારા મનુષ્યસંબંધનું – પ્રેમસંબંધ અને ત્યાગ-ભાવનાનું રુચિ, મધુર આલેખન પણ આ નવલકથાનું એક વિશેષ આકર્ષક પાસું છે.
એક આખા યુગને પોતાના સર્જનમાં સમેટના૨ યુગમૂર્તિ વાર્તાકાર શ્રી ૨. વ. દેસાઈની આ ક્લાસિક નવલકથા ગુજરાતી સાહિત્યનું ઘરેણું છે.