એક નાનકડાં શહેરના કાંઠે હતું એક નાનકડું કાચી માટીનું ઘર.
એ ઘરમાં રહેતું હતું ત્રણ માનવીનું અનોખું કુટુંબ.
એમની અનોખી વાર્તાઓ. જેને જોઇને જીવ બળે એવી ત્રણ મીઠી જિંદગીઓ.
આ નાનકડાં શહેરમાં રોજે નીકળતી એક નાનકડી ટ્રેન.
એક ભાગતું ભટકતું ભૂંડ.
એક સળગતી મશાલ.
એક શેતાનોનું ટોળું.
એક દિવસ આ નાનકડાં શહેરની વચ્ચે માનવજાતના દરિયામાં જનમ્યું સત્ય-અસત્યનું મહાન હં. પેદા થઇ એક બાળકની જીવનચાલીસા.
પ્રસ્તુત છે –
આપણા આત્મા અંદર સેંકડો સવાલ પેદા કરી દેતી એક એવાં બાળવિશ્વની અનુભૂતિ જે આપણને માનવમાંથી વિશ્વમાનવ બનાવી દે છે. રોમાંચ, પીડા, રાડો, પોકારો અને અખંડ સન્નાટાઓથી ભરેલું એક એવું કથાનક જે ઘોર અંધકારમાંથી પરમ તેજ તરફ લઇ જાય છે. ધરતીના પટ પર બની ચુકેલી ચાર સત્ય ઘટનાઓથી પ્રેરાઈને સર્જાયેલી એક એવી કૃતિ જે એક ક્ષણે આપણી રંગરંગમાં લોહીને થીજવી દે છે અને બીજી વણે ચૈતન્યની છોળો ઊડાડી દે છે.
વિશ્વમાનવ રૂમી નામના બાળકના માનસમાં સજાયેલી એક એવી અવિરત યાત્રા છે જે ગુજરાતી ભાષાને ચાહનારા દરેક જીવના જીવનમાં એક અનોખી યાદ બનીને અમર રહેશે.
એ ઘરમાં રહેતું હતું ત્રણ માનવીનું અનોખું કુટુંબ.
એમની અનોખી વાર્તાઓ. જેને જોઇને જીવ બળે એવી ત્રણ મીઠી જિંદગીઓ.
આ નાનકડાં શહેરમાં રોજે નીકળતી એક નાનકડી ટ્રેન.
એક ભાગતું ભટકતું ભૂંડ.
એક સળગતી મશાલ.
એક શેતાનોનું ટોળું.
એક દિવસ આ નાનકડાં શહેરની વચ્ચે માનવજાતના દરિયામાં જનમ્યું સત્ય-અસત્યનું મહાન હં. પેદા થઇ એક બાળકની જીવનચાલીસા.
પ્રસ્તુત છે –
આપણા આત્મા અંદર સેંકડો સવાલ પેદા કરી દેતી એક એવાં બાળવિશ્વની અનુભૂતિ જે આપણને માનવમાંથી વિશ્વમાનવ બનાવી દે છે. રોમાંચ, પીડા, રાડો, પોકારો અને અખંડ સન્નાટાઓથી ભરેલું એક એવું કથાનક જે ઘોર અંધકારમાંથી પરમ તેજ તરફ લઇ જાય છે. ધરતીના પટ પર બની ચુકેલી ચાર સત્ય ઘટનાઓથી પ્રેરાઈને સર્જાયેલી એક એવી કૃતિ જે એક ક્ષણે આપણી રંગરંગમાં લોહીને થીજવી દે છે અને બીજી વણે ચૈતન્યની છોળો ઊડાડી દે છે.
વિશ્વમાનવ રૂમી નામના બાળકના માનસમાં સજાયેલી એક એવી અવિરત યાત્રા છે જે ગુજરાતી ભાષાને ચાહનારા દરેક જીવના જીવનમાં એક અનોખી યાદ બનીને અમર રહેશે.
જીતેશ દોંગા લિખિત નવલકથા ‘વિશ્વ માનવ’ ગુજરાતી બેસ્ટસેલર નવલકથાઓમાંની એક છે. ‘વિશ્વ માનવ’ નવલકથામાં ચાર સત્ય ઘટનાઓથી પ્રેરાઇ લેખકે કલ્પના કરેલું ફિક્શન છે. નવલકથામાં એક એવું જીવન છે જે તમે કદાચ ક્યારેય અનુભવ્યું નહીં હોય, પરંતુ તમારી આસપાસ જિવાઇ ગયું છે. સુખ-દુઃખ-પીડા અને રોમાંચના અવનવા અંતિમો પર અવિરતપણે સફર આપણને તેનો સાક્ષાત્કાર કરાવે છે. નવલકથાના અંત સુધીમાં જીવનને થોડી અલગ નજરથી જોવાનો લહાવો આપે છે. નવલકથાના પત્રો એટલા તો દમદાર છે કે તે તમારા જીવનમાં હિંમત અને ખુમારી સાથે શીખ ભરી દેશે. માનવ તરીકે જન્મ લીધો છે તો વિશ્વમાનવ કેમ ન બનું – ની પ્રતીતિ કરાવતું પુસ્તક ‘વિશ્વ માનવ’