GCC BOOKS STORE
14.5K subscribers
6.19K photos
259 videos
1.93K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
2 દિવસમાં આવી જશે
બદલાયેલ જીવનશૈલી અને ખાનપાનની સ્થિતિના કારણે અનેક રોગો ઘર કરી રહ્યા છે. આવા સમયે આપનું ફૂડ એક મોટું ટોનિક બની શકે છે. આ પુસ્તકમાં અલગ અલગ રોગોમાં શું ખાવું જોઇએ અને શું ના ખાવું જોઇએ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એનું માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે આ પુસ્તક આપને સ્વસ્થ અને સુખી જીવન જીવવામાં મદદરૂપ થશે.

શરીરને ચલાવવા પ્રતિક્ષણ શક્તિની આવશ્યકતા રહે છે. ચાલવા, દોડવા, ઊભા રહેવા, ખાવા, કપડાં બદલવા, નહાવું વગેરે રોજિંદાં કાર્યો માટે શક્તિ આવશ્યક છે. આટલું જ નહીં, શરીરની અંદર રહેલા અવયવો જેવા કે હૃદય, ફેફસાં, આંતરડાં, જઠર, મગજ વગેરે પણ આપણી જાણ બહાર સતત કાર્ય કરતા રહે છે. આપણે સૂતા હોઈએ ત્યારે પણ ! આના માટે વિપુલ માત્રામાં શક્તિ જોઈએ. આ બધી જ શક્તિનો સ્રોત આપણો ખોરાક છે. બહુ સાદી રીતે કહીએ તો જેમ કાર, બસ કે સ્કૂટર ચલાવવા પેટ્રોલ જોઈએ તેમ શરીરને ચલાવવા ખોરાક (શક્તિ) જોઈએ.
કુલ 161 રોગો માં શુ ખાવું કે શું ન ખાવું એની માહિતી આપેલ છે

પેટના રોગો,કુપોષણ,કિડની,ચયાપચય,લીવર,હદય,
અન્ય કેટેગરીમાં રોગો ને વહેચ્યા છે અને આહાર આયોજન અને પસંદગી માટે ની વિગતો


જે લોકો ને જીવનભર હેલ્થ જાળવવી છે એ આ Book ખાસ લેવી
MRP 165
ઘરે બેઠા 165
શુ ખાવું શુ ન ખાવું.pdf
2.5 MB
શુ ખાવું શુ ન ખાવું.pdf
માનવજીવનનાં મૂલ્યો, સંવેદનાઓ, ઊર્મિઓ, સંબંધો,ઘટનાઓ, અનુભવો અને સ્મૃતિઓનાં તાણાવાણાની ગૂંથણી વડે રચાઈ હોય તેવી કૃતિઓનો સમૂહ એટલે વીરપસલી અને અન્ય વાર્તાઓ...
વિરપસલી_અને_અન્ય_વાર્તાઓ.pdf
1.1 MB
વિરપસલી અને અન્ય વાર્તાઓ.pdf
MRP 300
ઘરે બેઠા 260
ભારેલો અગ્નિ નવલકથા.pdf
2.9 MB
ભારેલો અગ્નિ નવલકથા.pdf
MRP 175
ઘરે બેઠા 170
‘ભારેલો અગ્નિ’ ભારતમાં અંગ્રેજો સામે થયેલા ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય-સંગ્રામને વાચા આપતી ક્લાસિક નવલકથા છે. એમાં જાણીતાં
ઐતિહાસિક પાત્રો - ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, વગેરે છે, તો રુદ્રદત્ત જેવું કાલ્પનિક પાત્ર છે, જે નવલકથાનું સૌથી વધુ પ્રભાવક પાત્ર છે. સ્વરાજ્ય-પ્રાપ્તિ માટે યુદ્ધ અને હિંસાને અનિવાર્ય માનતા એ જમાનામાં રુદ્રદત્ત અહિંસાનો આગ્રહ આગળ કરે છે – એમાં ઘણાએ ગાંધીજીનો પ્રભાવ જોયો છે ને આવી વિચારસરણીનો એ સમય સાથે મેળ કેમ પડે?-એવો પ્રશ્ન કર્યો છે. જો કે, લેખકે નવલકથામાં એ સમય આબેહૂબ ઉપસાવ્યો છે.

વળી, ગૌતમ, ત્ર્યંબક, કલ્યાણી, લ્યુસી, વગે૨ે પાત્રો દ્વારા મનુષ્યસંબંધનું – પ્રેમસંબંધ અને ત્યાગ-ભાવનાનું રુચિ, મધુર આલેખન પણ આ નવલકથાનું એક વિશેષ આકર્ષક પાસું છે.

એક આખા યુગને પોતાના સર્જનમાં સમેટના૨ યુગમૂર્તિ વાર્તાકાર શ્રી ૨. વ. દેસાઈની આ ક્લાસિક નવલકથા ગુજરાતી સાહિત્યનું ઘરેણું છે.