ગુજરાતની ૫૦૦૦ દીકરીઓની સાથે થયેલ રૂબરૂ ચર્ચા, પ્રશ્નોત્તરી, વર્કશોપના પરિપાકરૂપે આ પુસ્તક અવતર્યુ છે. આપણી આસપાસની કોઈપણ દીકરીઓ મુંઝાય નહીં તે માટે આનું સર્જન થયું છે. ઈ.સ. ૨૦૧૨થી શરૂ થયેલ આ સર્જનયાત્રા એ શક્યતાઓનાં અનેક દ્વાર ખોલી નાંખ્યા છે, દીકરીઓ અને સ્ત્રીઓનાં ખરેખરાં પ્રશ્નોને ‘Taboo’ ગણવાને બદલે ખૂલ્લાદિલે ચર્ચા કરી શકાય તેવું વાતાવરણ ઊભું કરવાનો આ સુક્ષ્મ પ્રયાસ છે. સરકારનાં ‘બેટી બચાવો, બેટી પઢાઓ', અભિયાનમાં મારૂ અલ્પ યોગદાન છે. આ પુસ્તક નથી, આ એક ‘ભેટ’ છે. આપની આસપાસ ઉછરતી દીકરીને આપવાની અમૂલ્ય ભેટ. જ્યારે એક નાનકડી દીકરી તેની તરૂણવસ્થામાં પ્રવેશે છે, ત્યારે તેનાં શરીર, મન, સંવેદનાઓમાં આમૂલ પરિવર્તનો આવે છે, આ પરિવર્તનોથી નાની બાળા દિગ્મૂઢ થઈ જાય છે, અસંખ્ય પ્રશ્નોથી તેનું નાનકડું મન મુંઝવણ અનુભવે છે, અકળાઈ ઊઠે છે, પરંતુ આપણો બોલકો સમાજ આ પ્રશ્નો બાબતે ‘‘મૌન’’ બની જાય છે, કિશોરીઓને ઉદ્ભવતી સમસ્યાઓનો સચોટ જવાબ આપવામાં આપણે ઊણા ઉતરીએ છીએ.
આવા અસંખ્ય પ્રશ્નોના ઉત્તર આપવા, ‘ખિલતી કળીને વહાલ’ કરવા, તેનાં જીવનરથને સાચા પાટા પર ચડાવવા, તેનો હાથ પકડી તેની સાથે ચાલવા, તેનાં રાહબર બનવા માટે આ પુસ્તકનું સર્જન થયું છે. બાળકીમાંથી કિશોરી અને કિશોરીમાંથી યુવતિ બનવા સુધીની સફરમાં આવનાર કંટકોને દૂર કરવા એક પ્રેમાળ પ્રયાસ છે. દીકરીઓનાં કૂતુહલભર્યા વિકસતા મનને વર્ષો જુની ગંધાતી-રૂઢિચૂસ્ત-અધકચરી-અવૈજ્ઞાનિક વાતો દ્વારા નહીં પરંતુ વિજ્ઞાન અને તર્કના ત્રાજવામાં તોળી તેને સમજાય તેવી સરળ શૈલીમાં સમાધાન આપવાની કોશિષ કરાઈ છે.
આ પુસ્તકમાં એક માઁ પોતાની દીકરી સાથે વાર્તાલાપ કરે છે, તેની દીકરીને ઉદ્ભવનાર દરેક પ્રશ્નો બાબતે કાળજીપૂર્વક, હુંફપૂર્વક જવાબ આપે છે. તેનાં અંતરંગ મનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે
આ પુસ્તકના માધયમથી દીકરીઓનાં પ્રશ્નો બાબતે દરેક ઘર-શાળા કે કોલેજમાં ખૂલ્લાદિલે ચર્ચા થશે, દીકરીઓને ‘આવાં પ્રશ્નો નહીં પૂછવાના' એવું ધમકાવામાં નહીં આવે, અને ઈશ્વરની આ કળીઓને બિન્દાસ્ત ખિલવા દેવામાં આવશે તો આ પુસ્તક સર્જન કર્યાનો મને સંતોષ પ્રાપ્ત થશે, અને કળીઓનું સ્મિતભર્યું વહાલ આપ પર વરસશે.
આવા અસંખ્ય પ્રશ્નોના ઉત્તર આપવા, ‘ખિલતી કળીને વહાલ’ કરવા, તેનાં જીવનરથને સાચા પાટા પર ચડાવવા, તેનો હાથ પકડી તેની સાથે ચાલવા, તેનાં રાહબર બનવા માટે આ પુસ્તકનું સર્જન થયું છે. બાળકીમાંથી કિશોરી અને કિશોરીમાંથી યુવતિ બનવા સુધીની સફરમાં આવનાર કંટકોને દૂર કરવા એક પ્રેમાળ પ્રયાસ છે. દીકરીઓનાં કૂતુહલભર્યા વિકસતા મનને વર્ષો જુની ગંધાતી-રૂઢિચૂસ્ત-અધકચરી-અવૈજ્ઞાનિક વાતો દ્વારા નહીં પરંતુ વિજ્ઞાન અને તર્કના ત્રાજવામાં તોળી તેને સમજાય તેવી સરળ શૈલીમાં સમાધાન આપવાની કોશિષ કરાઈ છે.
આ પુસ્તકમાં એક માઁ પોતાની દીકરી સાથે વાર્તાલાપ કરે છે, તેની દીકરીને ઉદ્ભવનાર દરેક પ્રશ્નો બાબતે કાળજીપૂર્વક, હુંફપૂર્વક જવાબ આપે છે. તેનાં અંતરંગ મનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે
આ પુસ્તકના માધયમથી દીકરીઓનાં પ્રશ્નો બાબતે દરેક ઘર-શાળા કે કોલેજમાં ખૂલ્લાદિલે ચર્ચા થશે, દીકરીઓને ‘આવાં પ્રશ્નો નહીં પૂછવાના' એવું ધમકાવામાં નહીં આવે, અને ઈશ્વરની આ કળીઓને બિન્દાસ્ત ખિલવા દેવામાં આવશે તો આ પુસ્તક સર્જન કર્યાનો મને સંતોષ પ્રાપ્ત થશે, અને કળીઓનું સ્મિતભર્યું વહાલ આપ પર વરસશે.
પુસ્તક કોના માટે?
આપ એક દીકરી છો -આપના માટે
સ્ત્રી છો -આપના માટે
માતા પિતા છો -આપની દીકરી માટે
ભાઈ છો-આપની બહેન માટે
સખી છો-આપની સખી માટે
શિક્ષક છો –આપના વિદ્યાર્થીનીઓ માટે
દાદા દાદી નાના નાની છો - આપની દોહિત્રી માટે
દરેક બહેનો/સ્ત્રીઓ પોતે અથવા ભાઈ/પતિ -બોયફ્રેન્ડ પોતાની બહેન/પત્ની/ગર્લફ્રેન્ડ માટે અવશ્ય વસાવો
ઇન્ડેક્સ ખાસ જોજો
આપ એક દીકરી છો -આપના માટે
સ્ત્રી છો -આપના માટે
માતા પિતા છો -આપની દીકરી માટે
ભાઈ છો-આપની બહેન માટે
સખી છો-આપની સખી માટે
શિક્ષક છો –આપના વિદ્યાર્થીનીઓ માટે
દાદા દાદી નાના નાની છો - આપની દોહિત્રી માટે
દરેક બહેનો/સ્ત્રીઓ પોતે અથવા ભાઈ/પતિ -બોયફ્રેન્ડ પોતાની બહેન/પત્ની/ગર્લફ્રેન્ડ માટે અવશ્ય વસાવો
ઇન્ડેક્સ ખાસ જોજો
ઇ.સ. ૧૯૭૭થી નિરંતર, સમગ્ર વિશ્વમાં ૮૦૦થી વધુ ભાગવત કથા, રામ કથા અને ગીતા જ્ઞાન કથાઓના માધ્યમે પૂજ્ય ભાઇશ્રીએ કરોડો લોકોના હૃદયમંદિરમાં ભાવપ્રતિષ્ઠા કરી છે. રામ અને કૃષ્ણના મહિમાગાનની સાથે પૂજ્ય ભાઇશ્રીએ સહજ રીતે જીવન જીવવાની અનોખી કળાનું સચોટ માર્ગદર્શન પણ આપ્યું છે. આજના યુવાનો સુખ, શાંતિ, સતા અને સફળતાની પ્રેરણા મેળવવા માટે ‘રોલ મોડેલ’ શોધે છે, માર્ગદર્શન મેળવવા માટે વિદેશી લેખકોના મોટિવેશનલ પુસ્તકો વાંચે છે, ત્યારે પ્રસ્તુત છે દિવ્યતાથી સભર માર્ગદર્શન અને પ્રેરણા, જે દરેક વ્યક્તિને જીવવાના દરેક તબક્કે ઉપકારક નીવડશે.
MRP 200
ઘરે બેઠા 190
MRP 200
ઘરે બેઠા 190
– પુસ્તકની વિશેષતાઓ :–
- ૧૫૦થી વધુ સાહિત્યકારોનો વિગતવાર વર્ણનાત્મક સાહિત્યકારોનો સવિશેષ પરિચય. -- કુલ ૧૩ પરીક્ષાલક્ષી પ્રકરણોનો સમાવેશ કરતું અગત્યનું પુસ્તક.
- ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ધોરણ ૬ થી ૧૨ ના નવા તથા જુના અભ્યાસક્રમ મુજબના તમામ સાહિત્યકારોનો સમાવેશ.
- ગુજરાતી સાહિત્યની પ્રખ્યાત કૃતિ અને સાહિત્યકાર, તખલ્લુસ, વખણાતું સાહિત્ય અને કેટલાક અગત્યના પાત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- એક નવા જ અભિગમ સાથે વર્ગ -3 ની પરીક્ષામાં પૂછાયેલા વર્ષ ૨૦૧૧ થી વર્ષ ૨૦૨૦ સુધીના તમામ પ્રશ્નપત્રોનો સમાવેશ.
- ૧૫૦થી વધુ સાહિત્યકારોનો વિગતવાર વર્ણનાત્મક સાહિત્યકારોનો સવિશેષ પરિચય. -- કુલ ૧૩ પરીક્ષાલક્ષી પ્રકરણોનો સમાવેશ કરતું અગત્યનું પુસ્તક.
- ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ધોરણ ૬ થી ૧૨ ના નવા તથા જુના અભ્યાસક્રમ મુજબના તમામ સાહિત્યકારોનો સમાવેશ.
- ગુજરાતી સાહિત્યની પ્રખ્યાત કૃતિ અને સાહિત્યકાર, તખલ્લુસ, વખણાતું સાહિત્ય અને કેટલાક અગત્યના પાત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- એક નવા જ અભિગમ સાથે વર્ગ -3 ની પરીક્ષામાં પૂછાયેલા વર્ષ ૨૦૧૧ થી વર્ષ ૨૦૨૦ સુધીના તમામ પ્રશ્નપત્રોનો સમાવેશ.