GCC BOOKS STORE
14.1K subscribers
6.2K photos
259 videos
1.93K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
વિદ્યાર્થીઓનાં આવા સવાલોનો યોગ્ય જવાબ એટલે ‘સુપર ૩૦ (કોન્સ્ટેબલ પેપર સેટ) આ પુસ્તકમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં લેવાયેલાં પેપરોનું ખૂબ ઊંડાણપૂર્વક અધ્યયન કરીને પરીક્ષામાં જે પેટર્નથી પ્રશ્નો પૂપ છે એના આધારે જ આ પુસ્તક ખૂબ મહેનતથી તૈયાર થયું છે. આ ઉપરાંત આ પુસ્તકમાં ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત તમામ પુસ્તકો, GCERT અનેNCERT આધારિત આ પુસ્તક તૈયાર થયું છે. ટૂંક્મા ‘સુપર ૩૦ (કોન્સ્ટેબલ પેપર સેટ)એ સ્પર્ધાત્મક પરીક્ષાનું બ્રહ્માસ્ત્ર સાબિત થશે. જે ગુજરાતનાં યુવાનોનું સપનું સાકાર કરી સફળતા લાવશે.
શહેઝાદ કાઝી ની બેસ્ટ સેલર Book પોલીસ કોન્સ્ટેબલ માટે કાયદો અને બંધારણ ની 2022 ની અઢળક સુધારા સાથેની આવૃત્તિ લોન્ચ
વધતી જતી સ્પર્ધા માટે વિશે વિસ્તૃત સમજુતિ સહિત

- ભારતનું બંધારણ
-ભારતીય ફોન્દાસ અધિનિયમ, 1860
-ભારતીય પુરાવાઅધિનિયમ, 1872
-ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973

નવી આવૃત્તિની વિશેષતા
કાયદાઓના લેટેસ્ટ સુધારા-વધારા સાથે 105મો બંધારણીય સુધારો, 2021

કાયદા
અને બંધારણના 1600 થી વધુ વનલાઈનર પ્રશ્નો

અગાઉની પરીક્ષા
માં પુછાયેલા મનોવિજ્ઞાનના પ્રશ્નોના જવાબ સહિત

કાયદા અને બંધારણના 5 આ
દર્શ પ્રશ્નનપત્ર
કૉન્સ્ટેબલના સંપૂર્ણ અભ્યાસક્રમ
ના 5 આદર્શ પ્રશ્નપત્ર
MRP 299
ઘરે બેઠા 240
પોલીસ_કોન્સ્ટેબલ_કાયદો_અને_બંધારણ_2022.pdf
2 MB
પોલીસ કોન્સ્ટેબલ કાયદો અને બંધારણ 2022.pdf
“પપ્પા... તમે ખરેખર જીવી ગયા!'', વણગવાયેલા સમર્પણની અનોખી પ્રેરણાદાયી નવલકથા, દરેક વાચક-રસિકોને એક અમી ધરાનો આસ્વાદ કરાવશે.

આર્થિક તંગી અને નબળી પરિસ્થિતિ, ડગલે ને પગલે મુસીબતોનાં વાવાઝોડાં ‘હસમુખભાઈ’ અને ‘કોકિલાબહેન’ની જીવનયાત્રામાં ઉમેર્યા જ કરતાં હતાં. પોતાની ઇચ્છાઓ, પરિવારનાં મહેણાંટોણાં અને અસન્માનનીય વ્યવહારને દૂર કિનારે મૂકી, હસમુખભાઈએ તો નિરંતર, વિના કોઈ આક્રોશ જતાવ્યું, સતત પુત્ર ‘જિગ્નેશ’, પુત્રી ‘જલ્પા’ અને પત્ની કોકિલાનાં દરેક સપનાંઓને સીંચવા ઝઝૂમતા જ રહ્યા કર્યું હતું.

પછી તો
સમય રહેતાં પુત્રવધૂ ‘પારૂલ’ના અણગમા વ્યવહારમાં અનેક સુખમયી વાર્તાઓએ ક્યાંક દૂર વિખેરાતી જતી હતી. એક જ ઘરમાં રહેતાં આશ્રિત એવાં હસમુખભાઈ અને કોકિલાબહેન માટે તો ‘વંદન’, એમનો દૌત્રજ, પછી તો એ બાકી બચેલું તમામ સુખ પરોવતો હતો.

દુઃખનાં વાદળો
હજું ક્યાંક વિખેરાતાં દેખાતાં, તો પળવારમાં તે ફરી ઘેરાઈ પણ જતાં હતાં. પુત્રવધૂ પારૂલનો રોજબરોજનો ત્રાસ અને છૂટા રહેવાના વિચારો આવનારા દર્દનીય અંધકારને નવી પાંખો આપી રહ્યાં હતાં. પછી તો કોકિલાબહેનની મહાબીમારી, એમાં વળી દૌત્ર વંદન અને પછી જિગ્નેશ પર આવી ઊભેલો અણધાર્યો અકસ્માત, હસમુખભાઈની જાણે દુનિયા જ વિખેરી રહ્યો હતો.

તો શું હસમુખભાઈની દુનિ
યા હંમેશ માટે વિખેરાઈ ગઈ ? શું હસમુખભાઈ કોકિલાબહેન સાથે છેવટ સુધીનો સાથ નિભાવી શક્યાં ? શું હસમુખભાઈ પોતાની વિખેરાતી દુનિયાને એક તાંતણે બાંધી શક્યા ? શું હસમુખભાઈ દૌત્ર વંદન અને જિગ્નેશના અકસ્માતમાં તણાઈ ગયા ? તેઓ એમના આક્રંદમાથી ફરી ક્યારે બહાર આવી શક્યા?

“પરિવારની ખુશીઓ અને તેમના સુખચ
ેન માટે, જેણે પોતાની આખી જિંદગી ખર્ચી નાખી, છતાંયે અંતમાં જે નકામા સાબિત થયા,

તે એટલે પપ્પા'...''

"પપ્પા... તમે ખરે
ખર જીવી ગયા! "વણગવાયેલા સમર્પણની અનોખી પ્રેરણાદાયી નવલકથા, દરેક વાચકોને એક અમીધરાનો આસ્વાદ કરાવશે.

વિના કોઈ પદ, પ્રાપ્તિ, પ્રતિષ્ઠા અને કોઈપણ સન્માનની અપ
ેક્ષા વગર, સતત પરિવાર માટે જેઓ ઝૂઝ્યા કરે, એવા પાયાના પથ્થર સમા 'પિતા'ના છબીની, આ દુનિયાએ કદાચ એટલી નોંધ નહીં લીધી હોય, પરંતુ આ નવલકથા એ તમામ વડીલો અને ખાસ કરીને તો એ તમામ પિતાઓને, જેઓ જીવનના પ્રવાસ દરમ્યાન પોતાનું વર્ચસ્વ અને સન્માન ગુમાવી બેઠા છે, તેવા દરેક વડવાઓને એ ખોવાયેલું સન્માન ફરી મેળવી આપશે.

'વડ' સમા એ દરેક વડીલોની ચરણરજને, મારા શબ્દરૂપી ફૂલડાઓથી કોટિ ક
ોટિ વંદન!
**"નિઃસ્વાર્થ ભાવથી પ્રભુની ચરણરજને,
ફૂલની પાંખડીઓથી તો બિરદાવીએ.
ચાલો
આજે સૌ મળીને એ દરેક પિતાને,
એમનું ગુમાવેલું સન્માન ફરી મેળવી આપીએ."
MRP 325
ઘરે બેઠા 275
પપ્પા_તમે_ખરેખર_જીવી_ગયા.pdf
2.4 MB
પપ્પા તમે ખરેખર જીવી ગયા.pdf
એક નાનકડાં શહેરના કાંઠે હતું એક નાનકડું કાચી માટીનું ઘર.

એ ઘરમાં રહેતું હતું ત્રણ માનવીનું અનોખું કુટુંબ.

એમની અ
નોખી વાર્તાઓ. જેને જોઇને જીવ બળે એવી ત્રણ મીઠી જિંદગીઓ.

આ નાનકડાં શહેર
માં રોજે નીકળતી એક નાનકડી ટ્રેન.

એક ભાગતું ભટકતું ભૂંડ.

એક સળગતી મશાલ.
એક શેતાનોનું ટોળું.

એક દિવસ આ નાનકડાં શહેરની વચ્ચે માનવજાતના દરિયામાં જનમ્યું સત્ય-અસત્યનું મહાન હં. પેદા થઇ એક બાળકની જીવનચાલીસા.

પ્રસ્તુત છે –

આપણા આત્મા અંદર
સેંકડો સવાલ પેદા કરી દેતી એક એવાં બાળવિશ્વની અનુભૂતિ જે આપણને માનવમાંથી વિશ્વમાનવ બનાવી દે છે. રોમાંચ, પીડા, રાડો, પોકારો અને અખંડ સન્નાટાઓથી ભરેલું એક એવું કથાનક જે ઘોર અંધકારમાંથી પરમ તેજ તરફ લઇ જાય છે. ધરતીના પટ પર બની ચુકેલી ચાર સત્ય ઘટનાઓથી પ્રેરાઈને સર્જાયેલી એક એવી કૃતિ જે એક ક્ષણે આપણી રંગરંગમાં લોહીને થીજવી દે છે અને બીજી વણે ચૈતન્યની છોળો ઊડાડી દે છે.

વિશ્વમાનવ રૂમી નામના બાળકના માનસમાં સ
જાયેલી એક એવી અવિરત યાત્રા છે જે ગુજરાતી ભાષાને ચાહનારા દરેક જીવના જીવનમાં એક અનોખી યાદ બનીને અમર રહેશે.
જીતેશ દોંગા લિખિત નવલકથા ‘વિશ્વ માનવ’ ગુજરાતી બેસ્ટસેલર નવલકથાઓમાંની એક છે. ‘વિશ્વ માનવ’ નવલકથામાં ચાર સત્ય ઘટનાઓથી પ્રેરાઇ લેખકે કલ્પના કરેલું ફિક્શન છે. નવલકથામાં એક એવું જીવન છે જે તમે કદાચ ક્યારેય અનુભવ્યું નહીં હોય, પરંતુ તમારી આસપાસ જિવાઇ ગયું છે. સુખ-દુઃખ-પીડા અને રોમાંચના અવનવા અંતિમો પર અવિરતપણે સફર આપણને તેનો સાક્ષાત્કાર કરાવે છે. નવલકથાના અંત સુધીમાં જીવનને થોડી અલગ નજરથી જોવાનો લહાવો આપે છે. નવલકથાના પત્રો એટલા તો દમદાર છે કે તે તમારા જીવનમાં હિંમત અને ખુમારી સાથે શીખ ભરી દેશે. માનવ તરીકે જન્મ લીધો છે તો વિશ્વમાનવ કેમ ન બનું – ની પ્રતીતિ કરાવતું પુસ્તક ‘વિશ્વ માનવ’