GCC BOOKS STORE
14.3K subscribers
6.17K photos
256 videos
1.92K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
Book ની ખરીદી આપણી વેબસાઈટ www.gccbooksstore.in ત્યાંથી કરવી કોઈ પણ પૂછપરછ આપણા wp નંબર 9574305710 પર msg કરી શકો.
MRP 120
ઘરે બેઠા 120
ધીરુભાઈ અને રિલાયન્સને એટલી જબરદસ્ત સફળતા મળી છે કે મોટા ભાગના લોકો તેમની સુખ-સમૃદ્ધિ અને સંપત્તિના ચળકાટથી આગળ કશું જોઈ શકતા નથી. ધીરુભાઈને સફળતા કંઈ સહેલાઈથી પ્રાપ્ત થઈ નહોતી. સફળતા માટે તેમણે એક લાંબી અને કઠીન લડાઈ લડવી પડી હતી. તેના કારણે જ તેમનું જીવન અને સફળતા પ્રેરણાદાયી બની રહ્યા છે. તેના કારણે આપણે સૌ, ધીરુભાઈ પોતે જ કહેતા હતા તેમ ખુલ્લી આંખે સપના જોવાની હિંમત કરી શકીએ છીએ.

આ પુસ્તકમાં માત્ર સપનાંઓની વાત નથી, પણ સપનાંઓને સાકાર કરવા માટે તમારે કેવી આકરી મહેનત કરવી પડે છે તેની કથાઓ પણ છે. ધીરુભાઈના માર્ગમાં અનેક અવરોધો આવ્યા હતા. તેમાંના કેટલાક અવરોધો તો ઇરાદાપૂર્વક ઊભા કરવામાં આવ્યા હતા. જબરદસ્ત ગતિથી આગળ વધી રહેલા ધીરુભાઈને પાડી દેવાશે એવી વ્યર્થ આશાથી તેમના કેટલાક હરીફોએ ઇરાદાપૂર્વક માર્ગમાં અડચણો ઊભી કરી હતી. કેટલીક તકલીફો નસીબને કારણે આવી હતી. આપણા જેવા લોકો થોડી મુશ્કેલીઓનો મુકાબલો કર્યા પછી હારીને જુદા માર્ગે જતા રહે. પરંતુ ધીરુભાઈ કદી પોતાના માર્ગમાંથી ચલિત થયા નહોતા અને જેટલા પણ અવરોધો આવ્યા તેની આરપાર નીકળી ગયા. હામ હાર્યા વિના દરેક તકલીફોનો ઉપાય શોધ્યો. કેટલાકની અવગણના કરી, પણ ક્યારેય આશા છોડી નહીં. આ મક્કમ મનોબળને કારણે આખરે તેમને સફળતાનું ફળ મળ્યું.

આ કથા
છે આશા અને આત્મવિશ્વાસના વિજયની,

જેના દ્વારા ધી
રુભાઈ નીકળી ગયા, અવરોધોની આરપાર...
આ પુસ્તક તમારું જીવન બદલી નાંખશે.

ગુજરાતના નાનકડા ગામમાં જન્મેલા ધીરુભાઈ ફોર્ચ્યુન ૫૦૦માં સ્થાન પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ ખાનગી કંપનીના સ્થાપક બન્યા. ધીરુભાઈની કથા શૂન્યમાંથી સર્જનની કથા છે. ધીરુભાઈએ પદ્ધતિસરનું ઉચ્ચ શિક્ષણ નહોતું લીધું. આમ છતાં તેમણે વેપારી કુનેહ અને સાહસિકતા દાખવી. તેના કારણે ધીરુભાઈની વેપારી કાર્યપ્રણાલી બીજા કરતાં અલગપડતી હોય તો તેમાં નવાઈ નથી.

આ પુસ્
તક ધીરુભાઈની જીવનકથા નથી કે તેમણે કઈ રીતે ઔદ્યોગિક સામ્રાજ્ય સ્થાપ્યું તે વિશે નથી. પુસ્તકમાં લેખકે ધીરુભાઈના સિદ્ધાંતો અને કાર્યપ્રણાલીને વર્ણવ્યા છે. દીર્ઘકાલીન સંપર્ક દરમિયાન લેખકને ધીરુભાઈ પાસેથી જે શીખવા મળ્યું તેને પુસ્તકમાં શબ્દસ્થ કર્યું છે. ધીરુભાઈઝમનાં ૧૫ પ્રકરણોમાં પ્રગટ થાય છે દેશના સૌથી સફળ ઉદ્યોગપતિ ધીરુભાઈના સિદ્ધાંતો, કાર્યપ્રણાલી અને તેમના વિચારો
ગુજરાતી બેસ્ટ સેલર Book
MRP 125
ઘરે બેઠા 120