પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ:શહેઝાદ કાઝી
MRP 225
ઘરે બેઠા 199
MRP 225
ઘરે બેઠા 199
પ્રાચીન_અને_મધ્યકાલીન_ભારતનો_ઇતિહાસ.pdf
1.6 MB
પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ.pdf
આજે તમામ Book પડતર ભાવે આપવાની છે થોડીવારમાં માહિતી આપું છું ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જુઓ
સૌરાષ્ટ્ર ની રસધાર તો તમે સાંભળી છે પણ કાઠિયાવાડ ની રસધાર સૌથી અલગ છે ડો.પ્રધુમન ખાચર ના હસ્તે લખાયેલ સૌથી બેસ્ટ પુસ્તક
સૌરાષ્ટ્ર ના લોક સમાજના સંસ્કાર અને સંસ્કૃતિને ઉજાગર કરતી કથાઓનો સંચય
સ્વ.ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધાર સ્વ. દુલેરાય કારાણીએ કચ્છની રસધારમાં કચ્છની લોકકથાઓ ઉજાગર કરી, શ્રી દોલત ભટ્ટ એ ગુજરાતની રસધારમાં ગુજરાતની ઐતિહાસિક કથાઓ રજૂ કરી સૌરાષ્ટ્રના લોકજીવન અને ઇતિહાસના અભ્યાસી ડો. પ્રદ્યુમ્ન ખાચર કાઠિયાવાડની રસધારમાં નવાણું જેટલી કાઠિયાવાડની કથાઓનો સર્જન ફાલ લઈને લોકસાહિત્યમાં પ્રગટ થયા છે
અહીં કાઠિયાવાડના લોકજીવનની કથાઓ રજૂ થઈ છે. કાઠિયાવાડની આગવી ઓળખ અને સંસ્કૃતિ ઊભી કરનાર કાઠી પ્રજા મૂળ સૌરાષ્ટ્રની નથી ડો. ખાચર નોંધે છે કે કાઠી પ્રજાનું મૂળ વતન પંજાબ માનવામાં આવે છે. સૂર્યવંશના મહારાજા કર્ણશ્રુતિના રાજકુમાર નું નામ કઠ હતું. કઠના વંશો કાઠી તરીકે ઓળખાયા તેઓ સિંધ, પંજાબ, માળવા, જાલોર, મુલતાનમાંથી નીકળી જેસલમેર આબુ થઈને કચ્છમાં આવ્યા ત્યાંથી સ્થળાંતર કરતાં કરતાં સૌરાષ્ટ્રમાં આવ્યા, ઘોડેસવાર કાઠીઓના કાંડાના કૌવત વડે સૌરાષ્ટ્રનો મોટો વિસ્તાર કબજે કર્યો જે કાઠિયાવાડ પંથકને નામે વિખ્યાત થયો.
કાઠિયાવાડની રસધારમાં લેખકે રાજ રજવાડાઓ અને કાઠી દરબારોની રિયાસતોથી માંડીને આલમની અઢારે વરણની સંસ્કૃતિ સંસ્કારની સોડમ પ્રસરાવી જીવનમૂલ્યોને સમાવી. એક થી અદકી કથાઓ પ્રસ્તુત કરી છે. લોકજીવન,ઇતિહાસ અભિલેખાગારના અભ્યાસ ઉપરાંત લોકવાર્તાકારો અને કોઠાસૂઝ ધરાવતા અનુભવીઓ પાસેથી તથા લોકકંઠે રમતી કથાઓને તેમણે પોતાની શૈલીમાં રજૂ કરી છે. બીજી ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે જેમની પાસેથી વાર્તાનું કથાબીજ સાંપડ્યું તેમના સૌજન્યનો ઋણ સ્વીકાર કર્યો છે. લોકપ્રચલિત કથા લીધી હોય ત્યાં તેના પાઠાંતર અને પુરવણી નોંધ પણ આપી છે.
રાજવીઓની કથાઓમાં ભરપટે વૈવિધ્ય સાંપડે છે. દિલાવર દિલના રાજવીઓ પ્રજાના હૈયા પર રાજ કરતા. વિશ્વમાં ક્યાંય જોવા ન મળે એવી લોક શ્રદ્ધાની અજોડ વાત ભીમોરાગઢના બાર ગામના ધણી પરનારી ત્યાગી દરબારશ્રી ઓઢા ખાચરની છે, એમના માટે કહેવાતું કે કોઈ બાઈને બાળક આડું આવ્યુ હોય પ્રસુતિ ન થતી હોય તો પોતે જ્યાં હોય ત્યાં નાહીને અબોટ પાણીનો કળશ્યો મંગાવી તેમાં પોતાની નાડીના પાછીયાં બોળી ઈ પાણી આપી સૂરજદેવને આરદા કરતા. આથી બાઈને હેમખેમ પ્રસુતિ થતી. દૂધથી ઉજળું જીવન જીવનારા સાત્વિક વિચારોના નેકટેક વાળા રાજવી આજે પંચાળની બહેન દીકરીઓના દુખડા દૂર કરનાર ઓઢિયા પીર તરીકે પૂજાય છે.
આ સંગ્રહમાં સૂર્ય ઉપાસક કાઠી દરબારોની ભાતીગળ સંસ્કૃતિ અ સંસ્કારના પણ દર્શન થાય છે. જોગીદાસ ખુમાણ, લોમા ખુમાણ,જેઠ ખાચર,હાદા ધાધલની વટ વ્યવહાર વચનપાલન ખાનદાની ખમીર ત્યા સમર્પણ અર્થસભર બોલી એમના મહર મહેમાનગતિ રસોઈકળા ખાનપા અને ભક્તિ ભાવની રસપ્રદ વાતો અહીં રજુ થઇ છે. ગઢડાના દાદા ખાચ સ્વામિનારાયણ ધર્મ સ્વીકારી પોતાની બસ્સો વીધા જમીન અને દરબારગ સ્વામિનારાયણને અર્પણ કરી સૌરાષ્ટ્રમાં સ્વામિનારાયણ ધર્મના પ્રચાર-પ્રસારમ અને સમાજ સુધારણાના કામમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. આ ધર્મ સંપ્રદાયન પ્રસારના કાઠી દરબારો બની રહ્યા તેની પણ નોંધ લેવાઈ છે. ગઢડાન એભલ ખાચરના દીકરી જીવુબાને સત્સંગ બહેનોના ગુરુપદે સ્થાપી નિરાવરણ શક્તિ આપેલી એની પણ નોંધ લેવાઈ છે.
કાઠિયાવાડની રસધારની કથાઓના સંશોધન અને સંકલન પાછળ લેખકનો પરિશ્રમ ધબકતો જોઈ શકાય છે.અહીં નવાણું કથાઓની માળામાં બીજી નવ ઉમેરી હોત તો એકસો આઠ કથાઓની સંપૂર્ણ માળા બની શકી હોત. જોકે ત્રણ ચાર વાર્તા કાઠિયાવાડ બહારની છે જેને પરિશિષ્ટ રૂપે મૂકી હોત તો સારું હતું. કાઠિયાવાડના ઇતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરતી સંઘેડા ઉતાર કથાઓનો બીજો સંગ્રહ લેખક સવેળા સંપડાવે તેવી શુભેચ્છાઓ સાથે ખોબા મોઢે વધામણાં આપું છું. મને શ્રદ્ધા છે આ સંગ્રહ લોકવાર્તા રસિકોને સંતૃપ્ત કરશે.
સૌરાષ્ટ્ર ના લોક સમાજના સંસ્કાર અને સંસ્કૃતિને ઉજાગર કરતી કથાઓનો સંચય
સ્વ.ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધાર સ્વ. દુલેરાય કારાણીએ કચ્છની રસધારમાં કચ્છની લોકકથાઓ ઉજાગર કરી, શ્રી દોલત ભટ્ટ એ ગુજરાતની રસધારમાં ગુજરાતની ઐતિહાસિક કથાઓ રજૂ કરી સૌરાષ્ટ્રના લોકજીવન અને ઇતિહાસના અભ્યાસી ડો. પ્રદ્યુમ્ન ખાચર કાઠિયાવાડની રસધારમાં નવાણું જેટલી કાઠિયાવાડની કથાઓનો સર્જન ફાલ લઈને લોકસાહિત્યમાં પ્રગટ થયા છે
અહીં કાઠિયાવાડના લોકજીવનની કથાઓ રજૂ થઈ છે. કાઠિયાવાડની આગવી ઓળખ અને સંસ્કૃતિ ઊભી કરનાર કાઠી પ્રજા મૂળ સૌરાષ્ટ્રની નથી ડો. ખાચર નોંધે છે કે કાઠી પ્રજાનું મૂળ વતન પંજાબ માનવામાં આવે છે. સૂર્યવંશના મહારાજા કર્ણશ્રુતિના રાજકુમાર નું નામ કઠ હતું. કઠના વંશો કાઠી તરીકે ઓળખાયા તેઓ સિંધ, પંજાબ, માળવા, જાલોર, મુલતાનમાંથી નીકળી જેસલમેર આબુ થઈને કચ્છમાં આવ્યા ત્યાંથી સ્થળાંતર કરતાં કરતાં સૌરાષ્ટ્રમાં આવ્યા, ઘોડેસવાર કાઠીઓના કાંડાના કૌવત વડે સૌરાષ્ટ્રનો મોટો વિસ્તાર કબજે કર્યો જે કાઠિયાવાડ પંથકને નામે વિખ્યાત થયો.
કાઠિયાવાડની રસધારમાં લેખકે રાજ રજવાડાઓ અને કાઠી દરબારોની રિયાસતોથી માંડીને આલમની અઢારે વરણની સંસ્કૃતિ સંસ્કારની સોડમ પ્રસરાવી જીવનમૂલ્યોને સમાવી. એક થી અદકી કથાઓ પ્રસ્તુત કરી છે. લોકજીવન,ઇતિહાસ અભિલેખાગારના અભ્યાસ ઉપરાંત લોકવાર્તાકારો અને કોઠાસૂઝ ધરાવતા અનુભવીઓ પાસેથી તથા લોકકંઠે રમતી કથાઓને તેમણે પોતાની શૈલીમાં રજૂ કરી છે. બીજી ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે જેમની પાસેથી વાર્તાનું કથાબીજ સાંપડ્યું તેમના સૌજન્યનો ઋણ સ્વીકાર કર્યો છે. લોકપ્રચલિત કથા લીધી હોય ત્યાં તેના પાઠાંતર અને પુરવણી નોંધ પણ આપી છે.
રાજવીઓની કથાઓમાં ભરપટે વૈવિધ્ય સાંપડે છે. દિલાવર દિલના રાજવીઓ પ્રજાના હૈયા પર રાજ કરતા. વિશ્વમાં ક્યાંય જોવા ન મળે એવી લોક શ્રદ્ધાની અજોડ વાત ભીમોરાગઢના બાર ગામના ધણી પરનારી ત્યાગી દરબારશ્રી ઓઢા ખાચરની છે, એમના માટે કહેવાતું કે કોઈ બાઈને બાળક આડું આવ્યુ હોય પ્રસુતિ ન થતી હોય તો પોતે જ્યાં હોય ત્યાં નાહીને અબોટ પાણીનો કળશ્યો મંગાવી તેમાં પોતાની નાડીના પાછીયાં બોળી ઈ પાણી આપી સૂરજદેવને આરદા કરતા. આથી બાઈને હેમખેમ પ્રસુતિ થતી. દૂધથી ઉજળું જીવન જીવનારા સાત્વિક વિચારોના નેકટેક વાળા રાજવી આજે પંચાળની બહેન દીકરીઓના દુખડા દૂર કરનાર ઓઢિયા પીર તરીકે પૂજાય છે.
આ સંગ્રહમાં સૂર્ય ઉપાસક કાઠી દરબારોની ભાતીગળ સંસ્કૃતિ અ સંસ્કારના પણ દર્શન થાય છે. જોગીદાસ ખુમાણ, લોમા ખુમાણ,જેઠ ખાચર,હાદા ધાધલની વટ વ્યવહાર વચનપાલન ખાનદાની ખમીર ત્યા સમર્પણ અર્થસભર બોલી એમના મહર મહેમાનગતિ રસોઈકળા ખાનપા અને ભક્તિ ભાવની રસપ્રદ વાતો અહીં રજુ થઇ છે. ગઢડાના દાદા ખાચ સ્વામિનારાયણ ધર્મ સ્વીકારી પોતાની બસ્સો વીધા જમીન અને દરબારગ સ્વામિનારાયણને અર્પણ કરી સૌરાષ્ટ્રમાં સ્વામિનારાયણ ધર્મના પ્રચાર-પ્રસારમ અને સમાજ સુધારણાના કામમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. આ ધર્મ સંપ્રદાયન પ્રસારના કાઠી દરબારો બની રહ્યા તેની પણ નોંધ લેવાઈ છે. ગઢડાન એભલ ખાચરના દીકરી જીવુબાને સત્સંગ બહેનોના ગુરુપદે સ્થાપી નિરાવરણ શક્તિ આપેલી એની પણ નોંધ લેવાઈ છે.
કાઠિયાવાડની રસધારની કથાઓના સંશોધન અને સંકલન પાછળ લેખકનો પરિશ્રમ ધબકતો જોઈ શકાય છે.અહીં નવાણું કથાઓની માળામાં બીજી નવ ઉમેરી હોત તો એકસો આઠ કથાઓની સંપૂર્ણ માળા બની શકી હોત. જોકે ત્રણ ચાર વાર્તા કાઠિયાવાડ બહારની છે જેને પરિશિષ્ટ રૂપે મૂકી હોત તો સારું હતું. કાઠિયાવાડના ઇતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરતી સંઘેડા ઉતાર કથાઓનો બીજો સંગ્રહ લેખક સવેળા સંપડાવે તેવી શુભેચ્છાઓ સાથે ખોબા મોઢે વધામણાં આપું છું. મને શ્રદ્ધા છે આ સંગ્રહ લોકવાર્તા રસિકોને સંતૃપ્ત કરશે.