FOCUS LIVE GPSC
17.9K subscribers
1.68K photos
56 videos
904 files
1.17K links
Our motive is to develop critical thinking among aspirants. FOCUS LIVE stands for QUALITY !!

https://www.youtube.com/@focusgpsclive

Office Address - FOCUS LIVE, A-506 Capitol Icon, Saragasan , Gandhinagar

Contact @FOCUS_LIVE_ADMIN1
Download Telegram
તેમણે મેડિકલ કોલેજના ટ્રસ્ટીઓને કોલેજમાં મેડિકલ રિસર્ચ માટે પણ અલાયદો વિભાગ બનાવવાનું પણ પ્રેરક સૂચન કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, દેશમાં મેડિકલ કોલેજોની સ્થાપના માટે નિયમોને ફ્લેક્સીબલ બનાવ્યાં છે. ટેલિમેડિસીન-ટેલિ કન્સલ્ટેશનની નવી સુવિધાઓ તેમજ e-સંજીવની એપના માધ્યમથી ગામડાના દર્દીને પણ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે, જે વ્યકિત- સમાજ સમય અને પરિસ્થિતિ અનુસાર બદલાય છે તે સફળતા પામતો હોય છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય એ સેવાનુ માધ્યમ છે. વર્ષ ૨૦૧૪માં દેશમાં ૩૮૭ મેડિકલ કોલેજો હતી જે વધીને ૫૯૬ થઈ છે તેવી જ રીતે MBBSની ૫૨૦૦૦ સીટો હતી, જે વધારીને ૯૨૦૦૦ કરવામાં આવી છે. સામાન્ય પરિવારના દિકરા-દીકરીઓ પણ દેશના પ્રાઈવેટ ક્ષેત્રમાં વ્યાજબી અને પોષણક્ષમ આરોગ્ય શિક્ષણ મેળવી શકે તે માટે મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી રહી છે જેના કારણે દેશને નવા અને ગુણવત્તાસભર ડોકટરો મળી રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. આયુષ્યમાન યોજનાથકી ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને રૂ. ૫ લાખનુ સુરક્ષા કવચ મળ્યું હોવાનું જણાવતા મંત્રીશ્રી માંડવિયાએ ગ્રામ્ય અને તાલુકાસ્તરે સુદ્રઢ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને વિગતો તેમણે આપી હતી.
માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ પ્રસંગોચિત્ત સંબોધન કરતાં જણાવ્યું કે, ભારતમાં આરોગ્ય સેવાઓ વિસ્તારવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોટું યોગદાન રહ્યું છે. અગાઉ રાજ્યની જનતાને સારી અને ઉચ્ચ સારવાર મેળવવા રાજ્ય બહારના મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી જેવા મોટા શહેરોમાં જવું પડતું હતું, આજે સ્થિતિ પલટાઈ હોવાનું જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે આજે રાજ્યમાં અત્યાધુનિક હોસ્પિટલો, મેડિકલ કોલેજો નિર્માણ પામી છે, રાજ્યમાં એર એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરાઈ છે જેના થકી ઓછા સમયમાં વિકટ સ્થિતિમાં રહેલા દર્દીને ઝડપભેર સારવાર મળી રહી છે એમ ઉમેર્યું હતું.
પ્રાસંગિક ઉદબોધન કરતા સંગઠન પ્રદેશ અધ્યક્ષ અને સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું કે, રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજોનું નિર્માણ થાય તેવી રાજ્ય સરકારની નેમ છે, જેના થકી રાજ્યના કુશળ અને પ્રતિભાવાન યુવાનોને મેડિકલ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની તક મળશે. નવસારી, ગોધરા અને રાજપીપળા સહિત રાજ્યમાં કુલ પાંચ મેડિકલ કોલજો આ વર્ષે જ પ્રારંભ થાય તેવું નક્કર આયોજન થઈ રહ્યું હોવાનું શ્રી પાટિલે ઉમેર્યું હતું.
પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓની ઝાંખી કરાવતાં જણાવ્યું હતું કે, કિરણ હોસ્પિટલ, ખજોદ ડ્રિમ સિટી ખજોદ, સુરત ડાયમંડ બુર્સની જમીન ફાળવવામાં રાજ્ય સરકારે ઉમદા સહયોગ સાથે ત્વરિત વહીવટી નિર્ણયો કરીને પ્રજાભિમુખ અભિગમની પ્રતીતિ કરાવી છે. તેમણે એમ પણ જણાવ્યું કે, કિરણ હોસ્પિટલમાં ૬૧૭૨૦ દર્દીઓની આયુશ્ય માન ભારત સહિતની સરકારી આરોગ્ય યોજનાઓ હેઠળ સારવાર આપવામાં આવી છે. આગામી સમયમાં દેશની દસ આગવી હોસ્પિટલમાં કિરણ હોસ્પિટલ આગવું સ્થાન પ્રાપ્ત કરે એવા પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
કિરણ હોસ્પિટલમાં ૪૦ વિભાગોમાં એક હજાર ડોકટરો દ્વારા સારવાર કરવામાં આવી રહી હોવાનું જણાવતા કહ્યું કે, કિરણ હોસ્પિટલમાં કુલ ૧૬ લાખ દર્દીઓ સારવાર મેળવી ચૂક્યા છે. આજે ૭૦૦ કરોડથી વધી મેડિકલ કોલેજના પ્રોજેક્ટ સાથે ૧૦૦૦ કરોડ સુધી પહોંચશે. સમગ્ર દેશમાં પ્રથમ વાર કિરણ હોસ્પિટલમાં કેન્સરની સારવાર માટે રૂ.૬૦ કરોડના ખર્ચે અત્યાધુનિક રેડિયેશન મશીન આવી રહ્યું હોવાનું શ્રી સવાણીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સ્વસ્થ સમાજના નિર્માણ હેતુ સાથે કાર્યરત સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત કિરણ હોસ્પિટલ દ્વારા આઉટર રિંગરોડ થી ૨ કિ.મી.ના અંતરે ઓલપાડ તાલુકાના વડોદ ગામ ખાતે અતિ આધુનિક સુવિધા તેમજ મોડર્ન ટેક્નોલોજીથી સુસજ્જ ૬૫૦૦૦ વારના વિશાળ કેમ્પસમાં ૧૫૦ સીટો સાથેની મેડિકલ કોલેજ સાકાર થશે. જ્યાં એમબીબીએસ, પીજી સહિત અન્ય મેડિકલ કોર્ષ સાથે ૧૦૦૦ ડોકટરો માટેની જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. કેમ્પસનું ભૂમિદાન કિરણ જેમ્સના માલિકશ્રી વલ્લભભાઈ લખાણી પરિવાર તરફથી મળ્યું છે.
આ પ્રસંગે કિરણ જેમ્સના માલિકશ્રી વલ્લભભાઈ લખાણી, લખાણી પરિવારના માવજીભાઈ, લાભુભાઈ, બાબુભાઈ અને પરિવારજનોનું મુખ્યમંત્રીશ્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલશ્રી સહિત મહાનુભાવોએ પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી આ પરિવારની દાનભાવનાને બિરદાવી હતી.
👍2
આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, શહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રી વિનુભાઈ મોરડિયા, કૃષિ અને ઊર્જા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, પોલીસ અધીક્ષક ઉષા રાડા, સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટના ચેરમેન અને ઉદ્યોગપતિશ્રી ગોવિંદભાઈ ધોળકીયા, વાઈસ ચેરમેન શ્રી લાલજીભાઈ પટેલ, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરતના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા તથા ધારાસભ્યશ્રીઓ, પાટીદાર સમાજ અગ્રણીઓ નામાંકિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
-00-