FOCUS LIVE GPSC
17.9K subscribers
1.68K photos
56 videos
904 files
1.17K links
Our motive is to develop critical thinking among aspirants. FOCUS LIVE stands for QUALITY !!

https://www.youtube.com/@focusgpsclive

Office Address - FOCUS LIVE, A-506 Capitol Icon, Saragasan , Gandhinagar

Contact @FOCUS_LIVE_ADMIN1
Download Telegram
Forwarded from Dinesh Dasa
શુભેચ્છાઓ......

આવતીકાલથી GPSC કલાસ ૧ & ૨ (જા.ક્ર.૧૦/૨૦૧૯-૨૦) ની મુખ્ય લેખિત પરીક્ષા શરૂ થઇ રહી છે ત્યારે કેટલાક બિંદુઓ ઉમેદવારો સમક્ષ મૂકવાનું મન થાય છે:

(૧) ઉમેદવારોએ ધ્યાન રાખવાનુ છે કે, તેઓને આપવામાં આવેલ જવાબવહીમાં માંગેલ જરૂરી વિગતો નિયત જગ્યામાં અચૂક દર્શાવવાની રહે છે અને વર્ગખંડ નિરીક્ષક દ્વારા તમારા પ્રવેશ પત્રમાં દર્શાવેલ રોલ નંબર/ ટીકીટ નંબર મુજબના જ બારકોડ સ્ટીકર તમને આપેલ જવાબવહી પર નિયત કરેલ જગ્યામાં જ યોગ્ય રીતે લગાવવામાં આવેલ છે કે કેમ અને પેપર પૂર્ણ થાય ત્યારે રોલ નંબર અને ટીકીટ નંબર દર્શાવતી વિગતો ઢંકાઇ જાય તથા બારકોડ દ્રશ્યમાન રહે તે રીતે બ્લેક સ્ટીકર યોગ્ય રીતે લગાવવામાં આવેલ છે કે કેમ તે બાબતની પણ ચકાસણી કરે.

(૨) ઉમેદવારો એ બાબતનું ધ્યાન રાખે કે, જ્યારે ઉમેદવારોને જવાબવહી આપવામાં આવે ત્યારે પ્રશ્નો આ જવાબવહીમાં જ છપાયેલા હશે અને તેની નીચે તે પ્રશ્નના જવાબ લખવા માટે જરૂરી જગ્યા ફાળવવામાં આવેલ હશે. ઉમેદવારોએ જવાબવહી હાથમાં આવે એટલે તુરંત જ આખી જવાબવહી જોઇ લેવી, જેથી ભૂલથી કોઇક ખામી રહી ગઇ હોય તો તેનું નિવારણ કરી શકાય.

(૩) આ પરીક્ષામાં કુલ ૦૬ પ્રશ્નપત્ર છે. પ્રશ્નપત્ર-૧ : ગુજરાતી; પ્રશ્નપત્ર-૨ : અંગ્રેજી, પ્રશ્નપત્ર-૩ : નિબંધ; પ્રશ્નપત્ર-૪ : સામાન્ય અભ્યાસ-૧; પ્રશ્નપત્ર-૫ : સામાન્ય અભ્યાસ-૨ અને પ્રશ્નપત્ર-૬ : સામાન્ય અભ્યાસ-૩.

(૪) ગુજરાતી અને અંગ્રેજી ભાષા સિવાયના પ્રશ્નપત્રોમાં ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં જવાબ લખી શકશે. એટલે કે કોઇ એક પ્રશ્નપત્રમાં એક પ્રશ્નનો જવાબ ગુજરાતીમાં તો બીજા પ્રશ્નનો જવાબ અંગ્રેજીમાં પણ લખી શકશે.

(૫) ભાષાના પ્રશ્નપત્રો છે તેમાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે તે જે-તે ભાષાની કસોટી તો છે જ, તદુપરાંત તેમાં પણ ઉમેદવારોના સામાન્ય જ્ઞાનની ચકાસણી થતી હોય છે તે બાબત પણ ઉમેદવારો ધ્યાનમાં રાખે.

(૬) પ્રશ્નપત્ર-૩ માં નિબંધ લખવાનો હોય છે. આ નિબંધ ૮૦૦ થી ૯૦૦ શબ્દોમાં લખવાનો હોય છે. આપણે સ્કૂલથી કોલેજ સુધી ૩૦૦ શબ્દોમાં નિબંધ લખવા ટેવાયેલા છીએ, તેનાથી ત્રણ ગણા વધુ શબ્દોમાં આ નિબંધ લખવાનો છે ત્યારે ઘણા ઉમેદવારો આ ૩૦૦ શબ્દોને ખેંચીને ૯૦૦ શબ્દો સુધી પહોંચાડે છે. આ પ્રશ્ન ૫૦ ગુણનો છે ત્યારે આ પ્રશ્નનો જવાબ યોગ્ય માહિતી, ઉદાહરણ અને પૃથક્કરણ સાથે લખાય તે અત્યંત મહત્વનું છે.

(૭) સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્રોમાં ૧૦ ગુણનો ૧ એવા કુલ-૧૫ પ્રશ્નો હોય છે, જેનો જવાબ ૨૦૦ શબ્દોમાં લખવાનો રહેશે. અહીં પ્રશ્ન ટ્વીસ્ટ કરીને પણ પૂછાયો હોઇ શકે, ઉદાહરણ તરીકે, The emergence of artificial intelligence (AI) could be the "worst event in the history of our civilization" - પ્રશ્ન પૂછાયો હોય કે સ્ટીફન હોકીંગના આ વિધાન પર ચર્ચા કરો, ત્યારે ઉમેદવારોએ આ વિધાનમાં લખ્યા મુજબ worst event એ દિશામાં ચર્ચા કરવી જરૂરી નથી. મોટા ભાગના ઉમેદવારો ચાલુ ગાડીએ ચડી જાય છે, અને જે વિધાન આપેલ છે તેમાં જ રમે છે અને પોતે સહમત હોય કે ન હોય AI ખરાબ ઘટના છે તે દિશામાં ચર્ચા કરે છે અને પછી બિનતાર્કિક દલીલો સાથે જવાબ લખે છે. ઉમેદવાર પાસેથી અપેક્ષા એ છે કે જે વિધાન આપેલ છે તે વિધાનની સાથે સહમતી કે અસહમતી, જે હોય તે સ્પષ્ટ કરવું. આયોગનો સહેજ પણ આશય વિધાનની તરફેણમાં જ જવાબ હોય તેવો નથી. એક જ પ્રશ્નનો જવાબ જુદી જુદી રીતે પણ લખી શકાય - ચર્ચા આપેલ વિધાનની તરફેણ કે વિરૂદ્ધમાં કરી શકાય. પોતાના જવાબમાં ઉમેદવારે કરેલી દલીલોમાં કેટલું વજૂદ છે; દલીલો કેટલી વ્યાપક, તર્કસંગત, સચોટ અને વિશ્લેષણાત્મક છે તેને આધારે ગુણપ્રદાન કરવામાં આવે છે. અહીં આશય ઉમેદવારનું વિશ્લેષણાત્મક કૌશલ્ય ( Analytical Skill ) તપાસવાનો છે.

(૮) આ પરીક્ષામાં “Facial Recognition System” દાખલ કરવામાં આવેલ છે. આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (AI) ટેકનોલોજીના માધ્યમથી ઉમેદવારે અરજી કરતી વખતે અપલોડ કરેલ ફોટોગ્રાફ તેમજ અન્ય પ્લેટફોર્મ જેવા કે ડીજીલોકર પરથી ખૂબ જ ઝડપથી ઉમેદવારની સાચી ઓળખ મેળવી શકાશે. જો કોઇ ઉમેદવાર આમાં માસ્કના ઓથા હેઠળ ગરબડ કરતો માલૂમ પડશે તો તેને આ તથા ભવિષ્યમાં યોજાનાર આયોગની તમામ પરીક્ષાઓમાંથી કાયમી ધોરણે ડીબાર કરવામાં આવશે અને સાથે સાથે તેની વિરૂદ્ધ પોલીસ ફરીયાદ / કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આયોગ ભરતી પ્રક્રિયામાં કોઇપણ પ્રકારના અનૈતિક / ગેરકાનૂની કૃત્યો સામે Zero Tolerance ધરાવે છે. ભૂતકાળમાં ગરબડ કરનાર ઉમેદવારોને આયોગે કાયમી ધોરણે અપાત્ર તો કર્યા જ છે અને તેઓ આજે કોર્ટ અને પોલીસ સ્ટેશનના ધક્કા થાય છે. કોઇપણ ઉમેદવાર આવી પ્રવૃત્તિમાં ન સંડોવાય અને કોઈને આવી પ્રવૃત્તિમાં મદદરૂપ પણ ન થાય તેની કાળજી રાખે.

આયોગ સૌ ઉમેદવારોને શુભેચ્છા પાઠવે છે.

દિનેશ દાસા
ચેરમેન
Forwarded from Dinesh Dasa
Recruitment:

Openings for medical, law, agri ( engineering) and general graduates for various posts. Online application starts on 16 March to close on 31 March. 243 posts for STI, 1000 posts for MO along with others in total 27 Advertisements. gpsc.gujarat.gov.in/Documents/Adve
*પાળિયા ના પ્રકાર*

૧) *ખાંભી* :- કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક.

૨) *થેસા* :- પાળિયા નજીકના નાનાં પથ્થરો,

૩) *ચાગીયો* :- પત્થરોના ઢગલા,

૪) *સુરાપુરા* :- અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ.

૫) *સુરધન* :- આકસ્મિક મૃત્યુ, જેમ કે હત્યા, આત્મહત્યા, અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમાંના કેટલાકને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ કહે છે.

૬) *યોદ્ધાઓના પાળિયા* :- આ પ્રકારના સ્મારકો સૌથી સામાન્ય હોય છે જે મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે.
તેઓ મર્યાદિત વિસ્તારમાં મોટી સંખ્યામાં મળી આવે છે અને રણ ખાંભી તરીકે ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યો હોય ત્યાં બાંધવામાં આવે છે. શરૂઆતમાં આ પાળિયા, સમુદાય, સ્ત્રી અથવા પશુધનને બચાવવાના સત્કાર્યોને સન્માનવા બાંધવામાં આવતા હતા અને પછીથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ.
આ સ્મારકો મોટે ભાગે યોદ્ધાને હથિયારો જેવા કે તલવાર, ગદા, ધનુષ્ય અને તીર અને પછીના પાળિયાઓમાં બંદૂકો સાથે પણ દર્શાવે છે. આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હાથી અને રથ પર હોય છે. ક્યારેક તે પાયદળ સાથે હોય છે. કેટલીક વખત રાજકિય ચિહ્નો લઈ જતા અથવા યુદ્ધમાં નગારા વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવવામાં આવે છે.
આ સ્મારકોનાં ઉદાહરણો ભુચર મોરીના પાળિયા અને સોમનાથ મંદિર નજીકના હમીરજી ગોહિલ અને અન્યોના પાળિયાઓ છે.

૭) *સતીના પાળિયા* :- આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવારો સાથે સંકળાયેલા હોય છે જે સતી થઈ હોય અથવા જૌહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે. તે લોકસાહિત્ય સાથે પણ સંબંધિત હોઈ શકે છે અને તેમની દેવી તરીકે પૂજા થાય છે.
આ સ્મારકો મોટે ભાગે જમણી બાજુ ૪૫ કે ૯૦ અંશના ખૂણે વળેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવે છે. ક્યારેક આ પાળિયા પર હાથ અને અન્ય પ્રતીકો જેમ કે મોર અને કમળ હોય છે. કેટલાક પાળિયામાં આશીર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઊભેલી સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ હોય છે. કેટલાક સ્મારકોમાં એક હાથમાં કમંડળ અને બીજામાં જાપમાળા હોય એવા સ્ત્રીના આકારો હોય છે. કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ દર્શાવવામાં આવે છે.
આ સ્મારકોનાં ઉદાહરણમાં ભુચર મોરીના સુરજકુંવરબાના પાળિયાનો સમાવેશ થાય છે.આ પ્રકારના પાળિયા પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને ભારતના રાજસ્થાન રાજ્યમાં પણ જોવા મળે છે.

૮) *ખલાસીઓના પાળિયા* :- ગુજરાત લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે. આ સ્મારકો તેમની સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીઓની યાદ અપાવે છે. તેમના સ્મારકો પર ક્યારેક જહાજ દર્શાવવામાં આવે છે.

૯) *લોકસાહિત્યના પાળિયા* :- અનેક સ્મારકો લોકસાહિત્ય સાથે સંકળાયેલ ધાર્મિક સંતો-ભક્તો, પ્રેમ કથાઓ, બલિદાન, મિત્રતા, વિરોધ, વગેરે માટે કરેલો દેહત્યાગ દર્શાવે છે.આ સ્મારકનું ઉદાહરણ ભાણવડ નજીક ભુતવડ પર આવેલો વીર માંગડા વાળાનો પાળિયો છે.

૧૦) *પ્રાણીઓના પાળિયા* :- પ્રાણીઓ જેવા કે અશ્વ, શ્વાન અને ઊંટ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવ્યા હતા.

૧૧) *ક્ષેત્રપાળના પાળિયા* :- આ પાળિયા ક્ષેત્રપાળ (ક્ષેત્રનું રક્ષણ કરતાં)ને સમર્પિત હોય છે, જે જમીનના દેવ છે. તે સ્મારક નથી પરંતુ લગભગ સરખો અહોભાવ ધરાવે છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થાય છે. તે જમીન અને પાકનું રક્ષણ કરે છે તેમ માનવામાં આવે છે. આ પાળિયા પર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો રક્ષણના પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે..

રંજાડેલા નો હુ રખેવાળ હતો, રખેવાળો એ રંજાડ્યો છે મને..
'નામચીન' એક સમયે હતો, હવે નામષેશ કર્યો છે મને..
"બિસ્માર છુ બળવાન માંથી"

એક સમયે પોતાના જીવની ચિંતા કર્યા વગર જે વ્યક્તિ એ રંજાડેલી ગાયો, અબડા ની આબરૂ તથા ધરતી ની રક્ષા કરવા ખાતર નિષ્ઠા પૂર્વક પોતાના પ્રાણ ની આહુતિ આપેલી હતી એવા મહાન રખેવાળ યોદ્ધા ની ખાંભીઓ ની કેવી દશા છે એ ઉપરોક્ત ચિત્ર મા જોઇ શકાય છે..
એ રખેવાળો નુ ઇતિહાસ મા અમર નામ છે એક સમયે તેમની પૂજા કરવામા આવતી આજુબાજુ ના વિસ્તાર મા તેમના તથા તેમના પૂર્વજ નુ માન હતુ.. આજે ઘણી જગ્યાએ તેમની ખાંભીઓ ઉખેડી ફગાવી દેવામા આવી છે ચપટી સિંદુર પણ એમને નસીબ નથી. આવા મહાન પ્રતાપી પૂર્વજો ના પાળીયા ને આપણે પાષાણ સમજી બેઠા છીએ. એમના ઇતિહાસ ની આપણે ખબર નથી..
અરે જેમને પોતાના વંશ વારસ ની જમીન ઝાયદાદ ની પરવા કર્યા વગર નિષ્ઠુર ભાવે આપણી સંસ્કૃતિ ની રક્ષા કરી છે એવા પાળીયા ની આવી હાલત એ આપણી નબળાઇ છે..
તમારા ગામ અથવા આજુબાજુ વિસ્તાર મા આવા બિસ્માર પાળીયા હોય તો તેના સાચા ઇતિહાસ ને જાણી ઇતિહાસ ની જાળવણી કરજો તેને ઉભા કરી સિંદુર જરૂર ચળાવજો બની શકે તો વરસાદ ને તાપથી રક્ષણાત્મક થોડો છાંયડો કરજો બનતા પ્રયાસો કરજો.

*સંસ્કૃતિ સાચ
5_6247009243174535685.pdf
531.8 KB
5_6247009243174535685.pdf