દોસ્તો, આખરે 'ધુરંધર - 2' જોઈ. ફિલ્મ તો લાજવાબ છે જ પણ એના એક દૃશ્યથી હૈયું ભારે થઈ ગયું. એમાં જે ગૂંગળામણ છે એ શબ્દોમાં વર્ણવવી અઘરી છે.
વર્ષોથી જે ઘરની ઝંખનામાં 'જસકિરત' એટલે કે રણવીર સિંહ જીવતો હતો, જ્યારે એ જ ઘરના આંગણે આવીને ઊભો રહે છે... ત્યારે અંદર જવાને બદલે એ ચૂપચાપ પાછો વળી જાય છે. એની આંખોની એ વેદના અને પગની એ પીછેહઠ જોઈને મનોજ ખંડેરિયાની આ પંક્તિઓ યાદ આવી ગઈ:
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં,
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને.
ક્યારેક આપણે જે શોધી રહ્યા હોઈએ છીએ, એ મળી ગયા પછી પણ આપણું નથી રહેતું. અદ્ભુત સિનેમેટિક મોમેન્ટ!
✍ @MananSir | @AlaapAcademy
વર્ષોથી જે ઘરની ઝંખનામાં 'જસકિરત' એટલે કે રણવીર સિંહ જીવતો હતો, જ્યારે એ જ ઘરના આંગણે આવીને ઊભો રહે છે... ત્યારે અંદર જવાને બદલે એ ચૂપચાપ પાછો વળી જાય છે. એની આંખોની એ વેદના અને પગની એ પીછેહઠ જોઈને મનોજ ખંડેરિયાની આ પંક્તિઓ યાદ આવી ગઈ:
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં,
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને.
ક્યારેક આપણે જે શોધી રહ્યા હોઈએ છીએ, એ મળી ગયા પછી પણ આપણું નથી રહેતું. અદ્ભુત સિનેમેટિક મોમેન્ટ!
✍ @MananSir | @AlaapAcademy
❤52🔥5👌4👍3🤗2